Home Blog Page 2353

બ્રિટનમાં દારુડિયાઓમાં મહિલાઓની સંખ્યા વધારે

લંડનઃ દુનિયામાં શરાબ પીનારાઓની સંખ્યા ઘણી મોટી છે. દર વર્ષે ભારત સહિત દુનિયાભરમાં કરોડો રૂપિયાનો દારૂ ઢીંચવામાં આવે છે. દારૂ પીવામાં પુરુષો કરતાં મહિલાઓ આગળ છે. ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ નામની સંસ્થાએ 33 દેશોમાં શરાબનું સેવન કરનારાઓનો સર્વે કર્યો છે. એમાં આંચકાજનક માહિતી મળી છે.

દુનિયામાં શરાબ પીતી સૌથી વધારે મહિલાઓ બ્રિટનમાં હોવાનું માલુમ પડ્યું છે. આ દેશમાં મહિલાઓ એક જ બેઠકે એક, બે નહીં, પણ 6-7 પેગ ગટગટાવી જાય છે. મહિલા શરાબીઓની સૌથી વધારે સંખ્યાની દ્રષ્ટિએ નવા સર્વેમાં બ્રિટને રોમાનિયા અને ડેન્માર્કને પાછળ પાડી દીધા છે. આલ્કોહોલ ચેન્જ બ્રિટન સંસ્થાના ડો. રિચર્ડ પાઈપરનું કહેવું છે, દારૂનું સેવન વધી જવાથી બ્રિટનને નુકસાન થઈ રહ્યું છે. નાગરિકો મોટી સંખ્યામાં શરાબ પીતા થયા છે. એને કારણે એમને ઘણા રોગ-બીમારીઓ પણ થવા લાગ્યા છે. આને રોકવાની જરૂર છે.

સર્વેના અહેવાલમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે બ્રિટનમાં શરાબના વેચાણની સાથોસાથ, સિગારેટ પીવાનું ચલણ પણ ખૂબ વધી ગયું છે. આ દેશમાં દર 20 જણ પૈકી એક જણ ધૂમ્રપાન કરે છે.

ચૂંટણીપ્રચારમાં નેતાઓની આક્રમકતા વચ્ચે ઉમા ભારતીનો પ્રવેશ

ભોપાલઃ મધ્ય પ્રદેશમાં જેમ-જેમ ચૂંટણીપ્રચાર તેજ થઈ રહ્યો છે, તેમ-તેમ નેતાઓમાં આક્રમકતા પણ વધી રહી છે. રાજકારણના ધરંધરો હાલના સમયે જનતાને પોતાની તરફ ખેંચવા બધા પ્રકારના દાવપેચ અજમાવી રહ્યા છે. હવે મધ્ય પ્રદેશ ચૂંટણીમાં ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ઉમા ભારતીએ હિમાલયનો પ્રવાસ રદ કરીને મધ્ય પ્રદેશમાં ચૂંટણીપ્રચાર કરવા માટે તૈયાર થયાં છે.

તેમણે આવતાની સાથે તીર્થ દર્શન યોજના પર કેજરીવાલના દાવાને ખોટો ગણાવ્યો હતો. તેઓ સિલવાનીના બમ્હોરી અને સાગરના સુરખીમાં પણ ચૂંટણી સભા યોજશે. જોકે તેમનું નામ ભાજપના સ્ટાર પ્રચારકની યાદીમાં નહોતું. એને લઈને તેઓ નારાજ હતાં. જોકે તેમ છતાં તેમણે કહ્યું હતું કે મુખ્ય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ તેમને જ્યાં પણ ચૂંટણીપ્રચાર માટે બોલાવશે, તેઓ ત્યાં જશે.

તીર્થ દર્શન યોજના પર દિલ્હીના મુખ્ય મંત્રી કેજરીવાલના દાવાને ખોટો ગણાવતાં તેમણે સોશિયલ મિડિયા પર ટ્વીટ કરતાં લખ્યું હતું કે કેજરીવાલજી વધુ તણાવથી અને દબાણથી થાકી ગયા છે. તેમની યાદશક્તિ નબળી થઈ ગઈ છે. મુખ્ય પ્રધાન તીર્થ દર્શન યોજના સૌથી પહેલાં મધ્ય પ્રદેશમાં મારા મોટા ભાઈ શિવરાજ સિંહ ચૌહાણજીએ શરૂ કરી હતી.બીજી બાજુ, કોંગ્રેસના નેતા કમલ નાથે કહ્યું હતું કે રાજ્યમાં ભ્રષ્ટાચારની કોઈ મર્યાદા નથી. દરેક વર્ગ- યુવા, ખેડૂત અને નાના વેપારી સહિત સૌકોઈ પરેશાન છે, જ્યારે રાયસેનમાં મુખ્ય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે લાડલી બહના યોજનાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે કોંગ્રેસના લોકો રોજ મને ગાળો આપે છે અને તેમણે મારું સોશિયલ મિડિયા પર શ્રાદ્ધ કરી દીધું. મેં તેમને કહ્યું હતું કે ભલે હું મૃત્યુ પામું, પણ રાખમાંથી જીવતો થઈને જનતાની સેવા કરવાના પ્રયાસ કરીશ.

 

 

 

 

 

 

નિર્માતા રમેશ તૌરાનીની દિવાળી પાર્ટીમાં બોલીવુડ સિતારાઓનો સ્ટાઈલિશ લુક

હિન્દી ફિલ્મોના જાણીતા નિર્માતા રમેશ તૌરાની અને એમના પત્ની વર્ષાએ 7 નવેમ્બર, મંગળવારે મુંબઈમાં દિવાળી તહેવાર નિમિત્તે ખાસ પાર્ટીનું આયોજન કર્યું હતું. એમાં બોલીવુડના અનેક સિતારા અને નામાંકિત હસ્તીઓએ હાજરી આપી હતી. ઉપરની તસવીરમાં કેટરીના કૈફને આકર્ષક પોઝમાં જોઈ શકાય છે. (તસવીર અને વીડિયોઃ માનસ સોમપુરા)

રીતેષ દેશમુખ અને એની અભિનેત્રી પત્ની જેનેલિયા

અનિલ કપૂર

રકુલપ્રીતસિંહ

સિદ્ધાર્થ મલ્હોત્રા

પૂજા હેગડે

ઈશાન ખટ્ટર

ગોવિંદા

આયુષમાન ખુરાના

સલમાન ખાન

વિદ્યા બાલન

વરુણ ધવન

પુલકિત સમ્રાટ એની ગર્લફ્રેન્ડ કૃતિ ખરબંદા સાથે

યજમાન રમેશ તૌરાની અને એમના પત્ની વર્ષા

એમેઝોનની કર્મચારીઓને નોકરી છોડવા પર રૂ. ચાર લાખની ઓફર

નવી દિલ્હીઃ એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસે કર્મચારીઓ માટેના ‘Pay to Quit’ કાર્યક્રમ વિશે શેરહોલ્ડર્સને માહિતી આપતાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમને તેમણે 2014માં શરૂ કર્યો હતો. એ કાર્યક્રમ મુજબ કંપનીના કર્મચારી જો કંપની છોડવા ઇચ્છે તો તેમને કંપની પૈસા આપશે.

શેરહોલ્ડર્સને લખેલા પત્રમાં તેમણે જણાવ્યું હતું કે તેમની કંપની ‘Pay to Quit’ પ્રોગ્રામ ચલાવી રહી છે. જે મુજબ વર્ષમાં કંપની કર્મચારીઓને એ વિકલ્પ આપે છે કે એ 5000 ડોલર એટલે કે આશરે રૂ. ચાર લાખ સુધી કંપનીમાંથી લઈને કર્મચારી રાજીનામું આપી શકે છે.

તેમણે લેટરમાં જણાવ્યું હતું કે કંપની કર્મચારીએને નોકરી છોડવા માટે વર્ષમાં એક વાર 2000 ડોલરથી માંડીને 5000 ડોલર સુધીની ઓફર કરે છે, પણ કર્મચારીને એ પણ કહે છે કે તમે આ ઓફરનો સ્વીકાર ના કરો. એક અહેવાલ મુજબ પહેલા વર્ષમાં આ ઓફર 2000 ડોલરની હોય છે અને ત્યાર બાદ પ્રતિ વર્ષ એમાં 1000 ડોલર સુધીનો વધારો થતો રહે છે. આવામાં એ ઓફર વધીને 5000 ડોલર સુધી જઈ શકે છે.તેમણે જણાવ્યું હતું કે આ ઓફર દ્વારા કંપનીને કર્મચારીઓ શું વિચારે છે, એ વિશે માલૂમ પડે છે અને એ ભવિષ્યમાં કંપનીની સાથે કેટલા જોડાયેલા રહેશે. કંપનીને અપેક્ષા રહે છે કે કર્મચારી આ ઓફરનો સ્વીકાર ના કરે અને તેમની સાથે જોડાયેલા રહે.

 

 

 

 

 

 

દિલ્હી NCRમાં ખતરનાક પ્રદૂષણઃ AQI 999ને પાર

નવી દિલ્હીઃ દિલ્હી-NCRમાં વાયુ પ્રદૂષણનો સ્તર સતત વધતો જઈ રહ્યો છે. દિલ્હીમેં બુધવારે સવારે વાયુ ગુણવત્તા ઇન્ડેક્સ (AQI) 460 હતો, જે ગઈ કાલે રાત્રે આનંદ વિહારમાં AQI મહત્તમ 999 હતો. કેન્દ્રીય પોલ્યુશન નિયંત્રણ બોર્ડ (CPCB) અનુસાર દિલ્હીમાં વાયુ ગુણવત્તા ગંભીર શ્રેણીમાં બનેલી છે. હવામાન વિભાગ અનુસાર દિલ્હી-NCR આગામી કેટલાક દિવસોમાં વરસાદની આગાહી છે, જેનાથી વાયુ પ્રદૂષણમાં સુધારો થવાની અપેક્ષા છે. હવામાન પૂર્વાનુમાન એજન્સી સ્કાયમેટ મુજબ દિલ્હી-NCRનો AQI આગામી બે દિવસ ગંભીર શ્રેણીમાં રહેશે. ત્યાર બાદ ઉત્તર પશ્ચિમથી આવતા પવનોની ગતિ મળશે, જેથી વાયુ પ્રદૂષણથી રાહત મળવાની અપેક્ષા છે.

દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે પરાલી સળગાવવા અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ વિશે જે નિર્દેશ આપ્યા છે, એના માટે સંબંધિત અધિકારીઓ અને મંત્રીઓની સાથે એક બેઠક બોલાવી છે. જેથી દિલ્હીમાં જે-જે આદેશ આપ્યા છે, એને લાગુ કરી શકાય.

દિલ્હી સરકારે પ્રદૂષણને ઓછું કરવા માટે પગલાં લીધાં છે, પણ એની કોઈ ખાસ અસર દેખાતી નથી. નવેમ્બરના પ્રારંભમાં દિલ્હીમાં AQI બહુ ખરાબ શ્રેણીમાં છે.જે વિસ્તારોને હોટ સ્પોટ તરીકે પસંદ કરવામાં આવ્યો છે, એમાં આરકેપુરમ છે.

દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણ વચ્ચે કેજરીવાલ સરકારે સોમવારે ફરી એક વાર ઓડ-ઈવન લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ ઓડ-ઇવન ફોર્મ્યુલા દિવાળીના બીજા દિવસે એટલે કે 13થી 20 નવેમ્બર સુધીના એક સપ્તાહ માટે લાગુ રહેશે.

અગાઉ, સરકારે બાંધકામ પર પ્રતિબંધ મૂક્યો હતો અને તમામ શાળાઓને 10 નવેમ્બર સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. દિલ્હીમાં હવાની ગુણવત્તા ગંભીર એટલે કે સૌથી ખતરનાક બની ગઈ છે.

દિલ્હી સહિત NCR પ્રદૂષણને કારણે ગેસ ચેમ્બરમાં તબદિલ થઈ ગયું છે.

 

 

 

 

 

 

કોરાનાના 12 નવા કેસો, એકનું મોત        

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 12 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,01,392 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,33,295 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,67,937 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 14 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 176 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.59 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,75,659 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 100 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

રાશિ ભવિષ્ય 08/11/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક,સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારાકામ માટેની ચર્ચા વિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનું આયોજન પણ થઇ શકે, વેપારમાં નાનું કામ કરવુ સલાહ ભર્યું છે.


આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા,વાગવાથી સંભાળવુ, ઘરમાં વડીલકે ઓફીસમાં ઉપલી અધિકારી સાથે ગેરવર્તનના થાયતે બાબતથી સંભાળવું, એલર્જી,ચામડી, લોહી, સ્ત્રીદર્દના દર્દીએ તકેદારી રાખવી, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ,ખુશીની લાગણી અનુભવો, તમારા મનની વાત કોઈ સમજી શકે નોકરીકે વ્યવસાયમાં ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનું આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, પ્રિયજન તરફથી સારી વાત થાય.


આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે , અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગક્ષેત્રમાં જુના અટકેલાકામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, થાકની અસર વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસજો તમે શાંતિ અને કુનેહથી પસાર કરોતો તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટી વ્યક્તિથી દુર રહેવું, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમાં  જોખમન કરવું.


આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમાં ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. દલાલી, કમીશન,માર્કેટિંગ ક્ષેત્રમાં પ્રતિસાદ ઓછો જોવા મળી શકે,  વેપારમાં નાનું કામકાજ કરવુંજ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપમાં દલીલબાજીના કરવી.


આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે  પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મેહનત સારી, વેપારમાં લાભ થઈ શકે છે.


આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવું, વાણીવિલાસ દરમિયાન ખોટાશબ્દપ્રયોગના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, વેપારના કામકાજમાં જોખમન કરવું,ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, તમાંરી લાગણી કદર સારી રીતે થાય જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમાં કોઈની સાથે મનદુઃખ થયું હોયતો તેને સુધારવાની તક મળે સામાજિક,ધાર્મિક, રાજકીય કામકાજમાં તમને યોગ્ય પ્રતિસાદ મળે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવું બની શકે છે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું, મુસાફરી કંટાળાજનક રહે, કમર, હાડકા, માથાની તકલીફથી સાચવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, અગત્યના નિર્ણય લેતા પેહલા વાત ચકાસવી જરૂરી છે.


આજનો દિવસ સારો છે, તમારા ધાર્યાકામ પાર પડે અને નસીબ પણ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલનમુલાકાત યાદગાર બને તેવું થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમાં લાભ થવાના યોગ વધુ છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયનો બગાડ થઈ શકે છે, અપચા,પેટ ગેસના દર્દીએ સાચવવું, મેનેજમેન્ટ,સરકારીક્ષેત્ર,જાહેજીવનના કામકાજમાં માનસિકથાકની લાગણી વધુ જોવા મળી શકે છે. વેપારના કામકાજમાં નાનું કામકાજ યોગ્ય છે, ખોટીવાતથી દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.

વર્તમાન ક્ષણની તાકાત

મનમાં દરેક ક્ષણે શું ચાલતું હોય છે તેના પર તમે ધ્યાન આપ્યું છે?હવે પછી શું થશે તેના પર મન અટકળો લગાવ્યા કરે છે.જ્ઞાનમાં રહેવું એટલે મનની આ ગતિવિધિ વિશે; અત્યારે મનમાં શું ચાલી રહ્યું છે, એ બાબતે સજાગ બનવું. બધી માહિતી અને ભણતર ચોપડીઓ વાંચવાથી મળી શકે છે.તમે જન્મ,મરણ, આહારની ટેવો એવા કોઈ પણ વિષયનું પુસ્તક મેળવી શકો છો; અગણિત વિષયો પર અનેક ભાગમાં પુસ્તકો પ્રાપ્ય છે. પરંતુ આપણા પોતાના મનને કેવી રીતે સજગ રાખવું એ પુસ્તક વાંચવાથી ના શીખી શકાય.

આપણું મન શું કરે છે? તે ભૂતકાળ અને ભવિષ્યની વચ્ચે ઝોલા ખાય છે. દરેક ક્ષણે તે ભૂતકાળની કોઈ વાતને લીધે ગુસ્સામાં છે અથવા ભવિષ્યને લઈને ચિંતિત છે. મનની બીજી એક વૃત્તિ પણ છે- નકારાત્મકને વળગી રહેવું. જો દસ સકારાત્મક કિસ્સા કે ઘટનાઓ પછી એક નકારાત્મક બનાવ બને તો આપણે તેને વાગોળ્યા કરીએ છીએ. આપણે પેલા સકારાત્મક દસને તો ભૂલી જ જઈએ છીએ.

મનની આ બે વૃત્તિઓમાં પરિવર્તન લાવીને તમે પોતાની જાતને સૌથી મોટી મદદ કરી શકો છો. મનની આ બે વૃત્તિઓ વિશેની સજગતા તમને સહજ અને સરળ બનાવશે. આ બન્ને બહુ કિંમતી મુલ્યો છે જે તમને અંદરથી ખીલવા સક્ષમ બનાવશે. આપણે હકીકતમાં આપણી અંદર આ નિર્દોષપણા સાથે જન્મ્યા છીએ; પરંતુ આપણે જેમ જેમ પુખ્ત અને બુધ્ધિશાળી બનતા જઈએ છીએ તેમ તેમ એ નિર્દોષપણું ગુમાવતા જઈએ છીએ અને અંતે અક્કડ બની જઈએ છીએ. અક્કડપણું પડતું મુકો અને પછી જુઓ કે જીવન કેટલું ફળદાયક,વધારે માણી શકીએ તેવું અને રસપ્રદ બને છે. આ જ જ્ઞાન છે અને આરાધના પણ.

એક બાળક તરીકે તમને કોઈ સમસ્યા નહોતી; તમારે એક દિવસ ઝગડો થયો અને બીજે દિવસે તો સુલેહ કરી નાંખી. પરંતુ જેમ જેમ તમે મોટા થતા જાવ છો તેમ તેમ તમે ગુંચવણો ઊભી કરો છો અને પોતે ગુંચવાતા પણ જાવ છો. તમે ગુંચવણોમાં ફસાવ છો,આખો સમાજ ગુંચવણોમાં ફસાયેલો હોય છે. આવા સમયે કાંસકારુપી જ્ઞાનની જરૂર હોય છે. જો તમારી પાસે સારો કાંસકો હોય તો તેનાથી તમને વાળ ગુંચ વગરના અને વ્યવસ્થિત રાખવામાં સહાય રહે છે. આવું જ સમાજમાં થાય છે. જ્ઞાન અને વિવેકબુધ્ધિ વગર આપણે એકબીજા સાથે ગુંચવાઈએ છીએ; આપણા મન ધિક્કાર,દ્વેષ અને ઈચ્છાઓથી ભરેલા રહે છે. કોઈના પણ મનને જુઓ;તેમાં કોઈને માટે વ્યાકુળતા, ભવિષ્ય સંબંધિત કોઈ ઈચ્છા કે ભૂતકાળને લઈને કંઈક દ્વેષ જોવા મળે છે.જ્ઞાન અને વિવેકબુધ્ધિના સંયુક્ત ઉપયોગથી આપણે સમાજમાં સંવાદિતા વધારી શકીએ છીએ.

આપણે આપણા પોતાના મનનો, પોતાની જાતનો અભ્યાસ કરવો જોઈએ. આપણે જીવન માટે બધું શીખવા ઘણો સમય ફાળવ્યો છે,પરંતુ આપણા જીવનને જ સમજવા માટે ઘણો ઓછો. આપણે આ દુનિયામાં આવ્યા ત્યારે પહેલું કામ એક ઊંડો શ્વાસ લેવાનું કર્યું હતું અને દુનિયામાં જે છેલ્લું જે કામ કરીશું તે શ્વાસ બહાર કાઢવાનું હશે. આ પહેલા શ્વાસ અને છેલ્લા ઉચ્છવાસ વચ્ચે જે છે તેને જીવન કહીએ છીએ.આપણે આપણા શ્વાસ પર ક્યારેય ધ્યાન આપતા નથી. શ્વાસ શરીર અને મનને સાંકળતી કડી છે અને તેના દ્વારા તમે મનને સાચે જ વર્તમાન ક્ષણમાં લાવી શકો છો. મનને સાચવવા માટેનો બીજો વિકલ્પ છે સેવા. જ્યારે તમે સેવાને જ જીવનનો એક માત્ર ઉદ્દેશ બનાવો છો તો તે તમારા કોઈ પણ ડરને નાબૂદ કરે છે,તમારા મનને કેન્દ્રિત કરે છે,તમે સારા ઉદ્દેશસભર કાર્યો કરતા થાવ છો અને તમને દીર્ઘકાલીન આનંદ મળે છે.

જો સમાજમાં દરેક વ્યક્તિ વર્તમાન ક્ષણમાં જીવતી હોય અને આપણે લોકો જેવા છે તેવાનો સ્વીકાર કરી શકતા થઈએ તો કોઈ સમસ્યા કે ઝગડા નહીં રહે. આપણામાં જ્ઞાન અને વિવેકબુધ્ધિ હોવા જ જોઈએ; આપણામાં સજગતા હોવી જ જોઈએ. એ બહુ જરૂરી છે.

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

કશ્મીરના કુપવાડામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ

શ્રીનગરઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરના લેફ્ટેનન્ટ ગવર્નર મનોજ સિન્હા અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની ઉપસ્થિતિમાં ગઈ કાલે કુપવાડા નગરમાં મરાઠા યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. શિંદેના હસ્તે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક પહેલ હાથ ધરવા બદલ લેફ્ટેનન્ટ ગવર્નર સિન્હાએ ‘આમ્હી પુણેકર’ સંસ્થા અને ભારતીય સેનાએ બળવાખોરીને ડામવા માટે રચેલા વિશેષ દળ ‘41-રાષ્ટ્રીય રાઈફલ્સ’ને અભિનંદન આપ્યા હતા. એમણે આ પ્રસંગે કહ્યું, ‘મહાન શિવાજીની આ પ્રતિમા સ્થાનિક લોકો તથા ભારતીય સેનાના બહાદુર જવાનો માટે એક પ્રેરણાસ્રોત બની રહેશે. શિવાજી મહાન યોદ્ધા અને સ્વરાજ્યના સ્થાપક હતા. દર વર્ષે 7 નવેમ્બરનો દિવસ કુપવાડામાં ‘છત્રપતિ શિવાજી મહારાજ ઉત્સવ’ તરીકે ઉજવવામાં આવશે.’

(તસવીર સૌજન્યઃ @CMOMaharashtra)

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું કે, ‘છત્રપતિ શિવાજી દરેક ભારતીય માટે પ્રેરણામૂર્તિ છે. બલિદાન અને બહાદુરી માટે મહારાષ્ટ્ર મહાન પરંપરા ધરાવે છે. છત્રપતિ શિવાજીના રાજ્યાભિષેકની 350મી સંવત્સરીના વર્ષમાં કુપવાડામાં એમની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે તે ખરેખર પ્રશંસનીય છે.’

૦૮ નવેમ્બર, ૨૦૨૩

૦૮ નવેમ્બર, ૨૦૨૩