Home Blog Page 2381

રાશિ ભવિષ્ય 30/10/2023 થી 05/11/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

સપ્તાહ દરમિયાન કાયદાકીયપ્રશ્નથી માનસિકથાકની લાગણી જગાવે તેના કારણે ક્યાંક ખોટીવાર્તાલાપ કે વાદવિવાદની ઘટના બની શકે છે. નાનીનાની વાતમા ગુસ્સો ના આવે તેનુ ધ્યાન રાખવું જરૂરી છે. વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમા તકેદારી રાખવી જરૂરી છે. વેપારમા કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછુ થવાથી ક્યાંક ઉતાવળિયાનિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે. કોઈને વણમાગી સલાહસુચન ના આપવા, ખટપટી લોકોથી દુર રહેવામાજ શાણપણ છે, સ્પર્ધાત્મકપરિક્ષામા આત્મવિશ્વાસ સારો જોવા મળી શકે છે, નવાઆયોજનના વિચારો અને દ્વિધા વધુ જોવા મળી શકે છે.


આકસ્મિકખર્ચા વધે તેવા બનાવ બની શકે છે, પરિવાર સાથે મુસાફરી થઈ શકે છે ,અંગતસંબંધ જેવાકે મિત્રતામા,સગાસ્નેહીની તમે મજાકકરવાની વૃતિવાળા બનો. જૂનીઓળખાણકે જૂનીયાદથી ઘણા રોમાંચિત બનો. સામાજિક, ધાર્મિકપ્રસંગમા તમારી હાજરી પ્રભાવી બની શકે છે, વેપારના કામકાજમા ઉત્સાહને સફળતા જોવા મળે તેવી વાત બને,  જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવીનોકરીકે ફેરબદલી કરવા માટે સમય યોગ્ય કહી શકાય. સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ નવીરીત શીખવી હોયતો આ સમયનો સદઉપયોગ કરવો સારો છે, લગ્નબાબતની વાર્તાલાપ ક્યાંક આગળ વધી શકે છે.


મહેનત કરતા ઓછુફળ મળવાની ફરિયાદ મનમા વધુ રહે, ક્યારેય વાણીવિલાસ ના થાય તેનુ દયાન રાખવુ ઇચ્છનીય છે. ધરમાંકે કુટુંબમાં કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થઈ શકે છે. કોઈજગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવુ પણ બની શકે છે. આરોગ્યબાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે, વેપારના કામકાજમા ધીરજ અને અનુભવથી કામકાજ કરવુ, અન્યની વાતમા દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે, નોકરીકે વ્યવસાયમા સમયનો દુરુપયોગ અને કારણ વગરની કામકાજમા સમસ્યા ના થાય તેનુ ધ્યાન રાખવુ સારુ, જરૂરપુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય.


સાહસિકવૃત્તિ જોવા મળે, આવક-જાવક સરખી રહે, મિલનમુલાકાતકે હરવાફરવામા સમય વધુ પસાર થાય, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમા લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબકે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે તેમા તમારી હાજરીનુ વર્ચસ્વ પણ દેખાય, વેપારના કામકાજમા તમને ઉત્સાહ અને નવીનકાર્ય કરવાનીવૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાથી સારી જાણકારીકે વાત સાંભળવા મળે તેમજ સહયોગ પણ પ્રાપ્ત થઇ શકે છે. ઘણા વખતથી કોઈવાત મનમા રહેતી હોય તેને ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.


સપ્તાહ દમિયાન સફળતા વધુ જોવા મળે, વિચારોની માયાજાળમા ફસાયેલા રહો, વેપારના કામકાજમા ધીરજનો અભાવ વર્તાય પણ તેની અસર કામકાજમા ખાસ ન પડે, શરદી, ખાસી, કફ, તાવ જેવી નાની નાની તકલીફથી પણ પરેશાની રહે તેમા ઉકેલ પણ આપ મેળે મળી જાય, તમારી લાગણી અન્ય લોકો સારી રીતે સમજી શકે, પ્રભુભક્તિમા ધ્યાન અને મન વધુ રહે અને ઘણી માનસિકશાંતિનો અનુભવ કરી શકો, ક્યાંક આળસવૃતીકે આરામ કરવાની ભાવના વધુ જાગે, હિતશત્રુ કે ખટપટી વ્યક્તિથી તમારો કુદરતી રીતે સારો બચાવ થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારકે વિવાહિતવર્ગ માટે સારા સંજોગો ઉભા થઈ શકે છે.


સપ્તાહ દરમિયાન પરિવાર સાથે મનદુઃખ ના થાય તેની દકેદારી રાખવી, છાતી, ફેફસાના દર્દ હોય તેવા લોકોએ દવાબાબત ચોકસાઈ રાખવી, ધાર્મિકભાવના વધુ દેખાઈ આવે તમને કોઈ સામાજિકકે ધાર્મિકકાર્ય માં કોઈ પ્રવૃત્તિ કરવાનુ મન થાય, વેપારના કામકાજમા કોઈ નવીનસમાચાર તમારા આત્મવિશ્વાસમા વધારો કરી શકે છે, ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમા તમારુ મન આનંદની લાગણી અનુભવી શકે છે. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમા નવીનતા ઇચ્છતુ હોય તેમના માટે કોઈ સારીવાત જાણવા મળે, પસંદગીની ચીજવસ્તુની ખરીદી કરવામા ગણતરી કરતા વધુ ખર્ચ થઈ શકે છે.


ઘરમા કોઈને સ્વાસ્થબાબત નાનીમોટી તકલીફ ના થાય તેનુ ધ્યાન રાખવુ, લગ્નની વાતચીત ક્યાય ચાલતી હોય તેવા યુવાવર્ગ માટે પણ આ સપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થઈ શકે છે, જૂનીવાત ક્યાય અટકેલી હોય તેમા પણ પ્રયત્ન કરવામા આવેતો નસીબ જોગસંજોગ પણ સાથ આપી શકે છે, વેપારના કામકાજમા ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજમા પણ સફળતા મળી શકે છે, મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમા તમે આનંદઉત્સાહ અનુભવી શકો છે, તમારામા સહકાર આપવાની ભાવના વધુ જાગે તેવુ પણ બની શકે છે, ભાઈ-બહેનો, મિત્રો તરફથી સારો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે.


કામકાજમા ગણતરી કરતા વધુ મહેનત થયા બાદ ફળ મળે, કામકાજમા ધીરજ અને સમજણનો વ્યવહારુ અભિગમ રાખવો જરૂરી છે,  જાહેરજીવનમા તમને લોકો વચ્ચે થોડી મજાકમસ્તી કરવાની વૃતિ વધુ જાગે, ઘરમાકે નજીકના સગાસ્નેહીમા કોઈ અણબનાવકે મનદુઃખ થયુ હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમા પણ સફળતા દેખાઈ શકે છે, વેપારના કામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળી શકે છે, તમારો મોભો,પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમા સારી ઉપસી આવે, નવીનકાર્ય કરવામા તમને અન્યનો સાથસહકાર કે માર્ગદર્શન સારુ મળી રહે અને તેના કારણે તે કામ માટે તમારો ઉત્સાહ પણ વધી શકે છે.


કોઇપણ પ્રકારની મિલનમુલાકાત સફળ થઈ શકે છે, પાડવા,વાગવા કે લાપસવા જેવી બાબત ઉપરાંત શરદી,ઉધરસ, તાવ,ઇન્ફેકશન લાગવા જેવી બાબતથી તકેદારી રાખવી, ખટપટ કરનારવર્ગથી દુર રહેવાની જરૂર છે જેથી કોઈની ખોટીવાતમા દોરવાઈ ના જવાય, વેપારના કામકાજમા ધીરજ અને તકેદારી રાખવી જરૂરી છે, સલાહ, ઠપકો કે કઈપણપ્રકારનુ માર્ગદર્શન કોઈને આપતા પહેલા વિચાર કરવો જરૂરી છે કે તેમા તેને કોઈ ગેરસમજ ના થઇ જાય, વાર્તાલાપ દરમિયાન વધુ પડતા સ્પષ્ટશબ્દો પણ ના વાપારવા ધીરજ અને કુનેહપૂર્વક વર્તવાથી ઘણીશાંતિ અને સરળતા તમારા વ્યવહારમા રહી શકે છે.


રોકાણ માટે કે નવાકોઇપણ આયોજન માટે સમય સાથ આપી શકે છે, યાત્રાકે જાત્રા થાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. તમારામા ધાર્મિકભાવના વધુ જાગે અને લોકકલ્યાણના વિચારો આવે,  સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા અઘરો પડતો હોયતો તે વિષય શીખવામા વધુમહેનત કરવાથી સારા  ફળની પ્રાપ્તિ થઇ શકે છે, વેપારના કામકાજમા લાભની કોઈવાત બની શકે છે,  લગ્નમાટેની વાતચીત ગોઠવવી અને તેમા મિલનમુલાકાત કરવી ફાયદાકારક બની શકે છે, વિદેશજવા ઈચ્છા રાખનારવર્ગ આ સપ્તાહ દરમિયાન તેમા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરેતો તેમા પણ યોગ્યપ્રતિસાદ મળી શકે છે.


તમારા સંબંધને મજબુત રાખવા પ્રયત્ન કરવા પડે, કામકાજમા વ્યસ્તતા અને માનસિકથાકની લાગણી અનુભવો, કામકાજમા સમયનો વ્યય પણ વધુ થઇ શકે તેમજ કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે તેવુ બની શકે છે, ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમા રચ્યાપચ્યા રહેવુ વધુ યોગ્ય છે, વેપારમા કામકાજ દરમિયાન નિર્ણયશક્તિનો થોડો અભાવ દેખાવ પરંતુ કામકાજ થઇ શકે. ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થઈ શકે છે માટે તકેદારી રાખવી, મુસાફરી, થોડી કંટાળાજનક, સમય અને નાણાનોવ્યય થાય તેવો રહી શકે શકે છે.


પરિવાર, સહ-કર્મચારી સાથે સુમેળ થોડો ઓછો જોવા મળે માટે વાર્તાલાપ અને વર્તણુકમા યોગ્યગણતરી રાખવી સલાહભરી છે, વેપારના કામકાજમા પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમારી જૂની મિલનમુલાકાતની યાદી બનાવી તેમા કામ કરવાથી લાભ થઈ શકે છે. મુસાફરીનુ આયોજન થઈ શકે છે, પેટ,અપચાની તકલીફ બાબતે તકેદારી રાખવી, વડીલવર્ગને જુનાસંભારણા વધુ તાજા થાય અને કોઈ સામાજિકકે ધાર્મિકકામકાજમા જોડાવાની વૃતિ વધુ જાગે, કોઈપ્રવૃત્તિમા અન્યનો સાથસહકાર મળી શકે છે, નાણાની લેવડદેવડ તેમજ પ્રેમસંબંધમા ધીરજ અને જાગૃતતા રાખવી ઇચ્છનીય છે.

રાશિ ભવિષ્ય 30/10/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસમાં તમને ઉત્સાહ જોવા મળી શકે છે, અંગતમિત્રો સાથેની વાર્તાલાપમાં સારોસમય પસાર થાય તેમાં જુનાસ્મરણ તાજા થાય અને તમને આનંદ,ખુશીની લાગણીનો અનુભવ થાય, આજે આરામ કરવાની અને થોડેક અંશે આળસવૃતિ પણ જોવા મળે, ધાર્મિકસ્થાનની મુલાકાત થઈ શકે છે.


આજે સગાસ્નેહી,જુનાપરિચિત સાથે મિલનમુલાકાતકે કોઈ તેમની સાથેના અગત્યના કામકાજ થાય તેવા યોગ છે, કામકાજકે ઈતરપ્રવૃત્તિના કારણે આરોગ્યબાબતે થોડા બેદરકાર પણ બનો, કોઈ વ્યવહારુ અભિગમ અપનાવા જાવતો તમે ક્યાંક કોઈના થોડા રોષના ભોગ પણ બની શકો છે.


આજે તમારા માટે કોઇપણ પ્રકારના કામકાજ હેતુ નાનીકે મોટી મુસાફરીના યોગ બની રહ્યા છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, તમારાકે અન્ય માટેના શુભપ્રસંગઅંગે ચર્ચા વિચારણા પણ થાય, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખવુ.


આજે તમને થોડો માનસિકથાકકે કારણવગરનો ઉશ્કેરાટની લાગણીનો અનુભવ થાય, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છે, આકસ્મિકખર્ચા પણ કોઈ કારણસર થઈ શકે છે. શરદી,ખાંસી,તાવ જેવી નાનીનાની તકલીફથી તમે થોડી બેચીની વધુ અનુભવો. શાંતિથી દિવસ પસાર કરવો.


આજના દિવસે તમને કંઇકને કંઇક કરવાની જીજ્ઞાસા વધુ જોવા મળે અને કામકાજ કરવામાં થોડી ઉતાવળ કરવાની વૃતિ પણ જોવા મળે, કોઈ જુનાઅટકેલા કામ પુરા કરવા માટે પ્રયત્ન કરવો સારો કહી શક્ય જેમાં સારો પ્રતિભાવ જોવા મળી શકે છે, ક્યાય દાનદક્ષિણા આપવાના યોગ પણ બની રહ્યા છે.


આજે કુટુંબના સભ્યો સાથે મિલનમુલાકાત થાયકે કોઈ સામાજિકકે ધાર્મિકપ્રસંગમાં હાજરી આપવાના યોગ બને છે અને તેમાં તમારું વર્ચસ્વ અને મોભો જળવાય તેવું પણ બની શકે છે. તમને કોઈની મજાકમશ્કરી કરવાની વૃતિ જાગે પરંતુ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


આજ દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, નાનાઅંતરની મુસાફરી થઈ શકે છે. તમે આજે મિત્રોના કોઈ કામકાજમાં ક્યાંક સહભાગી બનો તેવું પણ બની શકે છે, ધાર્મિકસ્થળની મુલાકાત થાય અને તેમાં તમારું મન સારું પ્રસન્ન રહે તેવું બની શકે છે.


આજે થોડી માનસિકચિંતાકે અશાંતિ જેવું લાગે કારણકે કોઈકને કોઈક વિચાર આબાબતે તમને અસ્વસ્થ કરી શકે છે. મિત્રોકે ઘરમાં વડીલવર્ગ સાથે વિચારમતભેદના થાય તેનું ધ્યાન રાખવું, પ્રભુભક્તિમાં સમય વધુ પસાર કરવાની ઈચ્છા થાય અને ધાર્મિકસ્થળની મુલાકાત કરવાથી મનને શાંતિ પણ મળે.


આજે મિત્રો સાથે સારો સમય પસાર થાય, તમે કોઈને કોઈકામમાં સહભાગી બનો તેવી લાગણી તમારામાં જોવા મળે, ધાર્મિકઆસ્થા થોડી વધુ જોવા મળી શકે. લાગણીભર્યા જુનાસંબંધ અચાનક યાદ આવી શકે છે. કોઈ કાર્ય બાબતની ક્યાય મિલનમુલાકાત થવાથી તમને સારો પ્રતિભાવ જોવા મળે તેવું બની શકે છે.


આજે થોડાક માનસિકવિચારોથી તમે અશાંતિ અનુભવો, મનમાંને મનમાં કોઈક વાતનો અજંપો રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, શક્ય એટલું ઓછુ બોલવું સારું, કોઈ જરૂરિયાત વાળી વ્યક્તિને યથાશક્તિ દાન આપવું ઇચ્છનીય છે, પ્રભુમાં ચિત્ત રાખવું યોગ્ય કહી શકાય.


આજે કોઈ ધાર્મિકસ્થળકે સામાજિકપ્રસંગ માટેની મુલાકાત થઈ શકે છે, જાહેરજીવનમાં તમારો મોભો સારો વર્તાય, આજે તમારું વર્ચસ્વ તમાર કામ અને આવડત પર સારું જોવા મળે. યુવાવર્ગને પોતાની પસંદગીની કોઈ વાત સંભાળવા મળે કે જાણવા મળી શકે છે, નાનાઅંતરની મુસાફરી પણ થઈ શકે છે.


આજે એકલા હાથે ઘણા કામ કરવાના આવે તેવું બની શકે છે તેમાં તમને અન્યનો સાથ ઓછો જોવા મળે તેના કારણે તમે કામ ટાળવાની વૃતિ જાગે અને આરામ કરવાનું મન વધુ થાય, ક્યાંક આકામિકનાણાકીય ખર્ચ આવી શકે છે, મિલનમુલાકાતકે હરવાફરવામાં ઉમંગનો અભાવ જોવા મળી શકે છે.

પંચાંગ 30/10/2023

શરદ પુનમની રાત્રે ભારત-પાકિસ્તાન બોર્ડર પર જામ્યો ગરબાનો રંગ

નડાબેટ: નવરાત્રીનું પર્વ એટલે માતાજીની આરાધનાનો અનેરો મહિમા… ગુજરાતના સૌથી લાંબા ઉત્સવ તરીકે ઓળખાતા નવરાત્રીમાં લોકો માતાજીની આરાધનાની સાથે સાથે ગરબે રમવાનો આનંદ લે છે, ત્યારે ભારત પાકિસ્તાનની સીમા પર નડાબેટ ખાતે શરદપૂર્ણિમાએ યોજાયેલા ગરબામાં બી.એસ.એફના જવાનો પણ રંગે ચંગે ગરબામાં સહભાગી થયા હતા.

શરદપૂર્ણિમાની રાત્રે નડાબેટ ખાતે ગરાબનું આયોજન કરવામાં આવતા સીમા પર દેશની સુરક્ષા કરતા BSFના જવાનો સાથે લોકોએ રમી આનંદ માણ્યો હતો. અમદાવાદ સ્થિત શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શરદપૂર્ણિમાએ નડાબેટ ખાતે બીએસએફના જવાનો માટે ગરબાનું વિશેષ આયોજન કરાયું હતું. સરહદી સુરક્ષામાં સદાય વ્યસ્ત રહેતા જવાનો માટે આ ગરબાનું આયોજનએ ઘર આંગણે માતાજીનાની આરાધનાનું પર્વ પુરવાર થયું હતું.

શિવમ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક અને ચેરમેન ડોક્ટર પ્રકાશ કુર્મીએ જણાવ્યું હતું કે, ‘અમારું ટ્રસ્ટ સામાન્ય રીતે સરહદ પર બીએસએફના જવાનોના આરોગ્ય ચકાસણી માટે મેડિકલ કેમ્પ કરતું આવ્યું છે. આ ઉપરાંત આ જવાનોને તેમની ફરજમાં સહૂલિયત રહે તે માટે વિવિધ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવે છે. છેલ્લા પાંચેક વર્ષથી સરહદના જવાનો પણ નવરાત્રીના પર્વમાં સહભાગી થઈ શકે તે માટે ટ્રસ્ટ દ્વારા ગરબાનું આયોજન કરાય છે. શરદ પૂર્ણિમાએ નડાબેટ બોર્ડર પર જવાનો માટે ગરબાનું વિશેષ આયોજન કરાયું હતું, જેમાં અનેક જવાનો મન મૂકીને ગરબે ઘુમ્યા હતા.’

‘ધ લેડી કિલર’નું ટ્રેલરઃ અર્જુન-ભૂમિની રોમેન્ટિક કેમિસ્ટ્રી; ક્રાઈમ, રોમાન્સ, થ્રિલરનું મિશ્રણ

મુંબઈઃ અર્જુન કપૂર અને ભૂમિ પેડણેકરને પહેલી જ વાર રોમેન્ટિક જોડીમાં ચમકાવતી અને બંનેનાં બોલ્ડ તેમજ કિસિંગ દ્રશ્યો બતાવતી આગામી નવી હિન્દી ફિલ્મ ‘ધ લેડી કિલર’નું ટ્રેલર નિર્માતાઓએ આજે રિલીઝ કર્યું છે. અજય બહલ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ આવતી 3 નવેમ્બરે થિયેટરોમાં રિલીઝ થવાની છે. 2.22 મિનિટના ટ્રેલરનો આરંભ મહારાજાને મળવા માટે એક શાહી બંગલામાં અર્જુન કપૂરના પ્રવેશ સાથે થાય છે. પરંતુ ત્યાં એક યુવતી – ભૂમિ એનું સ્વાગત કરે છે. એ બંને વચ્ચે પ્રેમ થાય છે. વાર્તામાં બંનેને ઉત્કટ પ્રેમીઓ તરીકે બતાવવામાં આવ્યા છે, પરંતુ વાર્તામાં રહસ્યનું જાળું, ભયાનક વળાંક સર્જાય છે. ટ્રેલરમાં અર્જુન અને ભૂમિની ઉત્તેજક કેમિસ્ટ્રી અને સસ્પેન્સ જોવા મળે છે. આ ફિલ્મ એક મર્ડર મિસ્ટ્રી હોય એવું લાગે છે.

(તસવીર સૌજન્યઃ ટી-સીરિઝ યૂટ્યૂબ)

ભૂમિનું કહેવું છે કે, ‘આ ફિલ્મ ખરા અર્થમાં એક લવસ્ટોરી છે. મેં સતત 45 દિવસ સુધી આ ફિલ્મ માટે શૂટિંગ કર્યું હતું.’

અર્જુન અને ભૂમિ આ ઉપરાંત એક અન્ય ફિલ્મમાં પણ સાથે ચમકવાનાં છે – ‘મેરી પત્ની કા રીમેક’. એમાં રકુલપ્રીત સિંહ પણ મુખ્ય ભૂમિકામાં હશે. અર્જુન છેલ્લે 2022માં ‘એક વિલન રિટર્ન્સ’ ફિલ્મમાં જોવા મળ્યો હતો. એમાં તેની સાથે જોન અબ્રાહમ, તારા સુતરિયા અને દિશા પટની જેવા કલાકારો પણ હતાં. ભૂમિની ‘થેંક્યૂ ફોર કમિંગ’ ફિલ્મ હાલમાં જ રિલીઝ થઈ હતી. તેની નવી ફિલ્મ આવી રહી છે ‘ભક્ષક’.

 

 

કેરળમાં સિરિયલ બોમ્બધડાકાને પગલે મુંબઈમાં હાઈએલર્ટ

મુંબઈઃ કેરળના કોચી નજીકના વિસ્તારમાં આવેલા ખ્રિસ્તીઓના કન્વેન્શન સેન્ટરમાં આજે સવારે ત્રણ બોમ્બ વિસ્ફોટ થયા હતા. એમાં એક મહિલાનું મરણ થયું છે અને 45 જેટલા લોકો ઘાયલ થયા છે. બોમ્બ એક ટિફિનમાં મૂકવામાં આવ્યા હતા. વારાફરતી ધડાકા થયા હતા. તે ઘટનાને પગલે મુંબઈ શહેરમાં પોલીસ સુરક્ષા વધારે કડક બનાવી દેવામાં આવી છે.

મુંબઈની સાથે પુણે શહેરમાં પણ હાઈએલર્ટ ઘોષિત કરવામાં આવ્યું છે. પોલીસતંત્રને અત્યંત સતર્ક રહેવાનો મહારાષ્ટ્ર સરકારે આદેશ આપ્યો છે. શહેરના તમામ મહત્ત્વના અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બાજ નજર રાખી રહી છે.

 

કેરળમાં સિરિયલ વિસ્ફોટની જવાબદારી કોચીના રહેવાસીએ લીધી

કોચીઃ કોચી શહેર નજીકના કલામાસેરી વિસ્તારમાં આવેલા ખ્રિસ્તીઓના ધાર્મિક પ્રાર્થના સ્થળે આજે સવારે પ્રાર્થના સમયે કરવામાં આવેલા શ્રેણીબદ્ધ બોમ્બવિસ્ફોટોની જવાબદારી યેહોવા વિટનેસીસ નામક ખ્રિસ્તી સંપ્રદાયનો સભ્ય હોવાનો દાવો કરનાર એક જણે લીધી છે. ડોમિનિક માર્ટિન નામનો કોચીનો રહેવાસી કેરળના ત્રિશૂર જિલ્લામાં કોડાકારા નગરમાં પોલીસને શરણે આવી ગયો છે. સવારે કરાયેલા બોમ્બ ધડાકાઓમાં એક મહિલાનું મૃત્યુ થયું હતું અને બીજાં 45 જેટલા લોકોને ઈજા થઈ છે. જેમાંના કેટલાકની ઈજા ગંભીર પ્રકારની છે.

(ડોમિનિક માર્ટિનના ફેસબુક પેજની તસવીર)

માર્ટિને પોલીસ સ્ટેશનમાં જઈને ધડાકાઓની જવાબદારી લીધી હતી. પોતાના દાવાના ટેકામાં એણે પુરાવા પણ રજૂ કર્યા હતા. પોલીસે કહ્યું કે તેઓ તપાસ કરી રહ્યા છે કે માર્ટિનના દાવા સાચા છે કે નહીં અને તેણે આવું કૃત્ય કયા કારણોસર કર્યું હતું. માર્ટિને કહ્યું કે તે ખ્રિસ્તીઓના ધાર્મિક જૂથ યેહોવા વિટનેસીસનો અનુયાયી છે. આ જૂથ/સંપ્રદાય મૂળ 19મી સદીમાં અમેરિકામાં હતું.

 

જિયો MAMI મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ-2023: બોલીવુડ સિતારાઓનું રેડ કાર્પેટ સ્વાગત

‘જિયો MAMI મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ-2023’નો 27 ઓક્ટોબરે મુંબઈમાં બીકેસી વિસ્તારમાં આવેલા જિયો વર્લ્ડ સેન્ટરમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ગ્રેન્ડ થિયેટરમાં શુભારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે રેડ કાર્પેટ પર બોલીવુડના અનેક સિતારાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપરની તસવીરમાં પ્રિયંકા ચોપરા-જોનસ છે. 10 દિવસ સુધી (5 નવેમ્બર સુધી) ચાલનારા આ જિયો MAMI (Mumbai Academy of Moving Image) ફિલ્મોત્સવમાં દુનિયાભરની 70 ભાષાઓની અઢીસોથી વધારે ફિલ્મોનું પ્રદર્શન કરવામાં આવશે. (તસવીરકારઃ માનસ સોમપુરા)

કરીના કપૂર-ખાન

મણીરત્નમ, કમલ હાસન

નિર્માતા-દિગ્દર્શક વિધુ વિનોદ ચોપરા

કરિશ્મા કપૂર તેનાં બનેવી સૈફ અલી ખાન સાથે

સોનમ કપૂર

અદિતી રાવ હૈદરી

રાશી ખન્ના

પ્રતિક ગાંધી તેની પત્ની ભામિની સાથે

નિર્માતા કરણ જોહર અને શર્વરી વાઘ

સાન્યા મલ્હોત્રા

તારા સુતરિયા

કેરળમાં ખ્રિસ્તી પ્રાર્થનાસભા સ્થળે બોમ્બ વિસ્ફોટમાં એક મહિલાનું મરણ, અનેક ઘાયલ

કોચીઃ કેરળ રાજ્યના એર્નાકુલમ જિલ્લાના કોચી શહેરમાં ખ્રિસ્તીઓના કન્વેન્શન સેન્ટરને ટાર્ગેટ બનાવીને કરવામાં આવેલા એક બોમ્બ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મરણ થયું છે જ્યારે બીજા 35 જેટલા લોકો ઘાયલ થયા છે. મૃતક એક મહિલા હતી. પોલીસનું કહેવું છે કે પ્રાથમિક તપાસમાં એવું માલુમ પડ્યું છે કે કોચી મેટ્રોપોલિટન વિસ્તારના કલામાસેરી વિસ્તારમાં આજે સવારે 9.40 વાગ્યે પ્રાર્થના સભા સ્થળનો થયેલો વિસ્ફોટ આતંકવાદી કૃત્ય છે અને એ માટે IED સાધનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

કેરળના પોલીસ વડા ડો. શૈક દરવેશ સાહેબે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, વિસ્ફોટ કલામાસેરીમાં ઝામરા ઈન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે થયો હતો. જ્યારે અહેવાલો એમ કહે છે કે કલામાસેરીમાં યેહોવા વિટનેસીસ સંપ્રદાયના ચર્ચમાં પ્રાર્થના સભા ચાલુ હતી ત્યારે ઓછામાં ઓછા ત્રણ વિસ્ફોટ થયા હતા.

વિસ્ફોટના સમાચાર મળ્યા બાદ કેરળ પોલીસની આતંકવાદ-વિરોધી ટૂકડી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઈજાગ્રસ્તોને કલામાસેરીની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ભારત હમાસને આતંકવાદી સંગઠનોની યાદીમાં સામેલ કરેઃ ઈઝરાયલી રાજદૂત

નવી દિલ્હીઃ કેરળમાં ગઈ કાલે કાઢવામાં આવેલા પેલેસ્ટાઈન-તરફી મોરચામાં ઈઝરાયલના દુશ્મન હમાસ આતંકવાદી સંગઠનના ભૂતપૂર્વ વડા ખાલેદ મશાલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ વિશે ભારતમાં ઈઝરાયલના રાજદૂત નાઓર ગિલોને આઘાત વ્યક્ત કર્યો છે. એમણે કહ્યું છે કે, ‘ભારત આતંકવાદી સંગઠનોની તેની યાદીમાં હમાસનો સમાવેશ કરે એ સમય આવી ગયો છે.’

ગિલોને X ટ્વિટર પર લખ્યું છે: ‘માની ન શકાય એવી વાત! કેરળમાં ‘બુલડોઝર હિન્દૂત્વ અને રંગભેદી યહૂદીવાદને ઉખેડી નાખો’ સૂત્ર હેઠળ આયોજિત રેલીમાં હમાસ આતંકવાદી ખાલેદ મશાલે કતરમાંથી નિવેદન કર્યું.’ ખાલેદ મશાલે વર્ચ્યુઅલ હાજરીમાં અરબી ભાષામાં સંબોધન કર્યું હતું. ગિલોને વધુમાં લખ્યું છે, ‘મશાલે રેલીમાં ભાગ લેનારાઓને હાકલ કરીઃ ‘રસ્તાઓ પર ઉતરો અને તમારો ગુસ્સો દર્શાવો, (ઈઝરાયલ પર) જિહાદ માટે તૈયાર રહો, હમાસને આર્થિક રીતે મદદ કરો, સોશિયલ મીડિયા પર પેલેસ્ટીનિયન મુદ્દાનો પ્રચાર કરો.’ હમાસISISનો પણ ભારતના ટેરર લિસ્ટમાં ઉમેરો કરવાનો સમય આવી ગયો છે.’

આ મોરચાનું આયોજન કેરળસ્થિત જમાત-એ-ઈસ્લામી સંસ્થાની યુવા પાંખ ‘સોલિડારિટી યૂથ મૂવમેન્ટ’ દ્વારા કરવામાં આવ્યું હતું.

કેરળમાં કાઢવામાં આવેલા મોરચાના પ્રતિસાદમાં, કેરળમાં ભાજપાના ઉપપ્રમુખ વી.ટી. રેમાએ કહ્યું કે, ‘બિનસાંપ્રદાયિક ભારતમાં ઈસ્લામી આતંકવાદીઓના જૂથની ખરી માનસિકતા ઉઘાડી પડી છે. આ વિરોધ-મોરચો નીકળ્યાનું જાણીને મને આઘાત લાગ્યો છે. કોઈ ઈસ્લામી આતંકવાદી જૂથ આમ છડેચોક બિનસાંપ્રદાયિક ભારતમાં અને આપણા દક્ષિણી રાજ્ય કેરળમાં પોતાની ખરી માનસિકતા આમ છડેચોક રજૂ કરે તે વખોડવાલાયક અને અત્યંત કમનસીબ છે.’