Home Blog Page 2382

ભારત હમાસને આતંકવાદી સંગઠનોની યાદીમાં સામેલ કરેઃ ઈઝરાયલી રાજદૂત

નવી દિલ્હીઃ કેરળમાં ગઈ કાલે કાઢવામાં આવેલા પેલેસ્ટાઈન-તરફી મોરચામાં ઈઝરાયલના દુશ્મન હમાસ આતંકવાદી સંગઠનના ભૂતપૂર્વ વડા ખાલેદ મશાલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ વિશે ભારતમાં ઈઝરાયલના રાજદૂત નાઓર ગિલોને આઘાત વ્યક્ત કર્યો છે. એમણે કહ્યું છે કે, ‘ભારત આતંકવાદી સંગઠનોની તેની યાદીમાં હમાસનો સમાવેશ કરે એ સમય આવી ગયો છે.’

ગિલોને X ટ્વિટર પર લખ્યું છે: ‘માની ન શકાય એવી વાત! કેરળમાં ‘બુલડોઝર હિન્દૂત્વ અને રંગભેદી યહૂદીવાદને ઉખેડી નાખો’ સૂત્ર હેઠળ આયોજિત રેલીમાં હમાસ આતંકવાદી ખાલેદ મશાલે કતરમાંથી નિવેદન કર્યું.’ ખાલેદ મશાલે વર્ચ્યુઅલ હાજરીમાં અરબી ભાષામાં સંબોધન કર્યું હતું. ગિલોને વધુમાં લખ્યું છે, ‘મશાલે રેલીમાં ભાગ લેનારાઓને હાકલ કરીઃ ‘રસ્તાઓ પર ઉતરો અને તમારો ગુસ્સો દર્શાવો, (ઈઝરાયલ પર) જિહાદ માટે તૈયાર રહો, હમાસને આર્થિક રીતે મદદ કરો, સોશિયલ મીડિયા પર પેલેસ્ટીનિયન મુદ્દાનો પ્રચાર કરો.’ હમાસISISનો પણ ભારતના ટેરર લિસ્ટમાં ઉમેરો કરવાનો સમય આવી ગયો છે.’

આ મોરચાનું આયોજન કેરળસ્થિત જમાત-એ-ઈસ્લામી સંસ્થાની યુવા પાંખ ‘સોલિડારિટી યૂથ મૂવમેન્ટ’ દ્વારા કરવામાં આવ્યું હતું.

કેરળમાં કાઢવામાં આવેલા મોરચાના પ્રતિસાદમાં, કેરળમાં ભાજપાના ઉપપ્રમુખ વી.ટી. રેમાએ કહ્યું કે, ‘બિનસાંપ્રદાયિક ભારતમાં ઈસ્લામી આતંકવાદીઓના જૂથની ખરી માનસિકતા ઉઘાડી પડી છે. આ વિરોધ-મોરચો નીકળ્યાનું જાણીને મને આઘાત લાગ્યો છે. કોઈ ઈસ્લામી આતંકવાદી જૂથ આમ છડેચોક બિનસાંપ્રદાયિક ભારતમાં અને આપણા દક્ષિણી રાજ્ય કેરળમાં પોતાની ખરી માનસિકતા આમ છડેચોક રજૂ કરે તે વખોડવાલાયક અને અત્યંત કમનસીબ છે.’

અમેરિકન ટીવી શો ‘ફ્રેન્ડ્સ’ના અભિનેતા મેથ્યૂ પેરી (54)નું આકસ્મિક મૃત્યુ

લોસ એન્જેલીસઃ અમેરિકાના જાણીતા ટીવી કોમેડી શો ‘ફ્રેન્ડ્સ’માં ‘ચેંડલર બિંગ’ની ભૂમિકાથી દુનિયાભરમાં પ્રશંસા પામેલા અભિનેતા મેથ્યૂ પેરીનું મૃત્યુ થયું છે. તેઓ 54 વર્ષના હતા. એમનો મૃતદેહ રવિવારે વહેલી સવારે અત્રે એમના ઘરમાં એક હોટ ટબ (જાકુઝી)માંથી મળી આવ્યો હતો. આ સમાચારથી અમેરિકાના મનોરંજન જગત હોલીવુડમાં ખળભળાટ મચી ગયો છે અને પેરીના દુનિયાભરમાંના કરોડો પ્રશંસકો અને મિત્રોને આઘાત લાગ્યો છે. ‘ફ્રેન્ડ્સ’ શોમાં મેથ્યૂ પેરીએ કટાક્ષ કરતા અને રમૂજ કરતા ચેંડલર બિંગના પાત્ર વડે માત્ર અમેરિકા જ નહીં, પણ દુનિયાભરમાં લોકપ્રિયતા હાંસલ કરી છે.

પેરી રાતના પિકલબોલ ગેમ રમીને ઘેર પાછા ફર્યા હતા અને એમના નોકરને અમુક કામ કરવા ઘેર બોલાવ્યો હતો. જ્યારે નોકર ઘેર આવ્યો ત્યારે એણે પેરીને એમના જાકુઝીમાં ડૂબી ગયેલી અવસ્થામાં પડેલા જોયા હતા. એણે તરત જ 911 નંબર પર પોલીસને જાણ કરી હતી. મૃત્યુનું કારણ હજી જાહેર કરવામાંઆવ્યું નથી. લોસ એન્જેલીસ ટાઈમ્સના અહેવાલ અનુસાર પેરી શનિવાર, 28 ઓક્ટોબરે બપોરે 4 વાગ્યે એમના ઘેર હતા. એમના ઘેર અમુક જણ આવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ પેરીના ઘરમાંથી ડ્રગ્સ જેવી કોઈ ચીજ મળી નથી.

‘ફ્રેન્ડ્સ’ ટીવી શો એનબીસી નેટવર્ક પર 1994થી 2004 સુધી – દસ વર્ષ સુધી ચાલ્યો હતો અને દુનિયાભરમાં લોકપ્રિય બન્યો હતો. 2002માં પેરીને ચેંડલર બિંગની ભૂમિકા માટે ‘પ્રાઈમટાઈમ એમી એવોર્ડ’ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. પેરીએ ‘ફ્રેન્ડ્સ’ ઉપરાંત ‘ધ ગુડ વાઈફ’, ‘ધ ઓડ કપલ’, ‘સ્ટુડિયો 60 ઓન ધ સનસેટ સ્ટ્રિપ’ અને ‘ધ વેસ્ટ વિંગ’ જેવા અન્ય ટીવી શોમાં પણ અભિનય કર્યો હતો. અમેરિકાના મેસેચ્યૂસેટ્સમાં જન્મેલા અને કેનેડાના ઓટ્ટાવામાં ઉછરેલા પેરીના માતા કેનેડિયન પત્રકાર હતાં. એમણે પેરીના પિતાને છૂટાછેડા આપ્યાં હતાં અને કેનેડાના બ્રોડકાસ્ટિંગ ક્ષેત્રના એક મહારથી સાથે લગ્ન કર્યાં હતાં. પેરી 15 વર્ષની ઉંમરે અભિનયમાં કારકિર્દી બનાવવા લોસ એન્જેલીસ આવ્યા હતા.

૨૯ ઓક્ટોબર, ૨૦૨૩

૨૯ ઓક્ટોબર, ૨૦૨૩

રાશિ ભવિષ્ય 29/10/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસ સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકાની તકલીફથી સાચવવું, વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, પ્રિયજન સાથેની ખરીદી પાછળકે ફરવામાં ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય.


આજનો દિવસ સરસ રીતે પસાર થાય કારણકે તમને ઉત્સાહ સારો રહે અને નવીનકામનું આયોજન થાય, પ્રિયજન સાથે પસંદગીની કોઈ વાત આપલે થાય, ધાર્મિકકાર્ય હેતુ ક્યાય મુસાફરી થાય અને તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય, તમે આજે કોઈને મદદ કરવાની સદભાવના રાખો તેવું બની શકે.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સમય સારી રીતે પસાર થાય, ક્યાંક બિનજરૂરી નાણાકીય ખર્ચ થઈ શકે છે, પ્રિયજન સાથે હરવાફરવામાં ઉત્સાહ સારો જોવા મળે,તેમને કોઇ પરિચિત સાથેના સંપર્ક દ્વારા તમારા કોઈ કામની સારી વાત સંભાળવા મળી શકે કે લાભની વાત સંભાળવા મળી શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો ખાસ કરીને વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે જેથી ખોટો અજંપો ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું, કફ, છાતી, પ્રેસર જેવી તકલીફથી સાચવવું,  કામકાજમાં મહેનત કરતા ઓછું ફળ મળે, જીવનસાથે ખોટી વાર્તાલાપના થાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસ્તતા જોવા મળી શકે છે, મનમાં થોડી અશાંતિ જોવા મળી શકે છે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી, સોના-ઝવેરાત, ફાર્મા જેવા ક્ષેત્રમાં કામકરનારને માનસિક થાકની લાગણી વધુ અનુભવાય. માર્કેટિંગક્ષેત્રમાં તમને સમયનો વ્યય વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સારી રીતે પસાર થઇ શકે છે અને જો  જુનાકામની કોઈ ગુંચ પડેલી હોયતો તેને ઉકેલી શકાય તેવા યોગ છે, તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાયકે તેમાં તમને કોઇ મદદ કરતા મળે તેવું પણ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં ઉત્સાહ સારો જોવા મળે, પ્રિયજનસાથે ફરવા જવાના યોગ પણ છે.


આજનો દિવસ તમારે સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે , વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, હિતશત્રુ અને ખટપટી લોકોથી દુર રહેવાની જરૂર છે ,ચામડી,એલર્જી,,ડાયાબીટીસ, સ્ત્રીદર્દ ભોગવતા લોકોએ થોડી તકેદારી રાખવી, માર્કેટિંગક્ષેત્રમાં માનસિકથાક અને કામ ટાળવાની વૃતિ જોવા મળી શકે છે.


આજનો દિવસ સરસ છે અને તેમાં પણ જો કોઈ જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી અને લાગણી તમારા મુખ પર સ્પષ્ટ દેખાઈ આવે, તમારા કોઈ કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, જમીન, બાંધકામ, વાહનવ્યવહાર, ધાતુ, જેવા ક્ષેત્રમાં કામકરનારને નવીનતક ઝડપવાના યોગ બને છે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું જેથી બિનજરૂરી વિવાદ ટાળી શકાય, પેટ, આંતરડા, ડાયાબીટીસના દર્દી એ તકેદારી રાખવી, થોડી આરામકરવાની વૃતી રહે, આજે ધીરજ, પ્રભુ ભક્તિમાં સમય પસાર કરવો શ્રેષ્ઠ છે.


આજનો દિવસ સારો છે, તમને તમારા કામકાજમાં ઉત્સાહ સારો રહે,  પ્રિયજન સાથે ક્યાંક મુસાફરી થઈ શકે  છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવા યોગ બની રહ્યા છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમાં મેહનત કાર્યનો સંતોષ જોવા મળી શકે છે, મિલનમુલાકાત સફળ રહે.


આજનો દિવસ સામાન્ય છે, તમારા કામમાં વ્યસ્તતા વધુ રહે તેવા સંજોગો બની શકે છે, લાકડા,ચામડા, ધાતુ, ઓઈલ,પેટ્રોલ, કોમ્પુટરક્ષેત્રના કામકરનારવર્ગમાં નવીનતા જોવા મળે,  તમે જુનાકામમાં અટવાવતો તેમાં જલ્દીથી ઉકેલન આવે અને સમયનો વ્યય થાય, હરવાફરવામાં બિનજરૂરી ખર્ચાકે ખરીદી થાય.


આજનો દિવસ સામાન્ય છે, તમારા મિત્રો સાથે કામની કોઈ લાભકારી ચર્ચા થાય અને તેમાં તમારી ગણતરી મુજબ કામ થાય તેવું બની શકે છે, મુસાફરીના યોગ છે, માર્કેટિંગક્ષેત્રમાં રેફરન્સથી કામ કરોતો લાભ થાય, આજે તમારામાં ધાર્મિકભાવના પણ સારી જોવા મળે અને ધાર્મિકસ્થળની મુલાકાત પણ થાય.

પંચાંગ 29/10/2023

AUS vs NZ: ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને 5 રનથી હરાવ્યું

ODI વર્લ્ડ કપ 2023ની 27મી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને પાંચ રનથી હરાવ્યું હતું. ન્યુઝીલેન્ડની આ સતત બીજી હાર છે જ્યારે ઓસ્ટ્રેલિયાની સતત ચોથી જીત છે. હવે પોઈન્ટ ટેબલમાં બંને ટીમોની સ્થિતિ સમાન છે. છ મેચ બાદ બંને ટીમ ચાર જીત સાથે ત્રીજા અને ચોથા સ્થાને છે. સારા રન રેટ સાથે ન્યુઝીલેન્ડ ત્રીજા સ્થાને અને ઓસ્ટ્રેલિયા ચોથા સ્થાને છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 49.2 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 388 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડ 50 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 383 રન જ બનાવી શક્યું અને મેચ નજીકના અંતરથી હારી ગયું.

કિવિઓને જીતવા માટે છેલ્લા બોલમાં છ રનની જરૂર હતી, પરંતુ લોકી ફર્ગ્યુસન સિક્સર ફટકારી શક્યો ન હતો અને ઓસ્ટ્રેલિયાએ પાંચ રનથી મેચ જીતી લીધી હતી. ન્યુઝીલેન્ડ માટે જેમ્સ નિશમે છેલ્લી ઓવરોમાં શાનદાર બેટિંગ કરી અને શાનદાર અડધી સદી ફટકારી. કિવી ટીમને જીત તરફ લઈ જવાની જવાબદારી તેના પર હતી, પરંતુ તે છેલ્લી ઓવરના પાંચમા બોલ પર રનઆઉટ થઈ ગયો અને અહીં ન્યૂઝીલેન્ડની હાર નક્કી થઈ ગઈ.

ઓસ્ટ્રેલિયા તરફથી પ્રથમ બેટિંગ કરતા ટ્રેવિસ હેડે 109 રન અને ડેવિડ વોર્નરે 81 રન બનાવ્યા હતા. મેક્સવેલે 41, ઈંગ્લિસે 38 અને કમિન્સે 37 રનનું યોગદાન આપ્યું હતું. ન્યુઝીલેન્ડ તરફથી ટ્રેન્ટ બોલ્ટ અને ગ્લેન ફિલિપ્સે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. સેન્ટનરને બે અને મેટ હેનરી-જેમ્સ નિશાનને એક-એક વિકેટ મળી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી રચિન રવિન્દ્રએ 116 રન બનાવ્યા હતા. જેમ્સ નીશમે 58 રન અને ડેરીલ મિશેલે 54 રન બનાવ્યા હતા. યંગે 32 અને કોનવેએ 28 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી એડમ ઝમ્પાએ ત્રણ વિકેટ ઝડપી હતી. જોશ હેઝલવુડ અને પેટ કમિન્સને બે-બે વિકેટ મળી હતી. ગ્લેન મેક્સવેલે એક વિકેટ લીધી હતી.

 

ઓસ્ટ્રેલિયાની આક્રમક શરૂઆત

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ શાનદાર શરૂઆત કરી હતી. વર્લ્ડ કપની પોતાની પ્રથમ મેચ રમી રહેલા ટ્રેવિસ હેડે માત્ર 59 બોલમાં સદી ફટકારી હતી. આ તેની વનડે કારકિર્દીની ચોથી સદી હતી. માથામાં ઈજા થઈ હતી અને તેના કારણે તે શરૂઆતની કેટલીક મેચો રમી શક્યો નહોતો. તેણે વોર્નર સાથે પ્રથમ વિકેટ માટે 117 બોલમાં 175 રનની ભાગીદારી કરી હતી. 59 બોલમાં આ સદી આ વર્લ્ડ કપમાં ત્રીજી સૌથી ઝડપી સદી છે. ગ્લેન મેક્સવેલે 40 બોલમાં સદી અને એડન માર્કરામે 49 બોલમાં સદી ફટકારી હતી. હેડે 67 બોલમાં 10 ચોગ્ગા અને સાત છગ્ગાની મદદથી 109 રનની ઇનિંગ રમી હતી. આ સાથે જ વોર્નરે સતત ત્રીજી મેચમાં 50થી વધુ રન બનાવ્યા હતા. આ પહેલા તેણે પાકિસ્તાન અને નેધરલેન્ડ સામે સદી ફટકારી હતી.

વોર્નર 65 બોલમાં પાંચ ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 81 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી સ્ટીવ સ્મિથ પણ 18 રન બનાવીને આઉટ થયો હતો. ગ્લેન ફિલિપ્સે ત્રણેય વિકેટ લીધી હતી. મિશેલ માર્શ 36 રન બનાવીને આઉટ થયો હતો, માર્નસ લાબુશેન 18 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ ગ્લેન મેક્સવેલે 24 બોલમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 41 રનની તોફાની ઈનિંગ રમી હતી. તે જ સમયે, જોશ ઈંગ્લિશએ 28 બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 38 રન બનાવ્યા હતા.

કેપ્ટન પેટ કમિન્સે 14 બોલમાં બે ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 37 રન બનાવ્યા હતા. 49મી ઓવરમાં ટ્રેન્ટ બોલ્ટે એક જ ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી હતી. ઇંગ્લિશ અને કમિન્સ ઉપરાંત તેણે ઝમ્પાને પણ આઉટ કર્યો હતો. ત્યારબાદ 50મી ઓવરમાં મેટ હેનરીએ મિશેલ સ્ટાર્કને નીશમના હાથે કેચ કરાવ્યો અને ઓસ્ટ્રેલિયાની ઈનિંગ્સ 388 રન પર સમાપ્ત કરી દીધી. બોલ્ટ અને ફિલિપ્સે ત્રણ-ત્રણ વિકેટ ઉપરાંત મિશેલ સેન્ટનરે બે વિકેટ લીધી હતી. હેનરી અને નીશમને એક-એક વિકેટ મળી હતી. ODI અને ODI વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડ સામે ઓસ્ટ્રેલિયાનો આ સર્વોચ્ચ સ્કોર હતો. અગાઉ 2016માં ઓસ્ટ્રેલિયાએ કેનબેરામાં કિવી સામે પાંચ વિકેટ ગુમાવીને 378 રન બનાવ્યા હતા. આ સાથે જ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાનો આ ત્રીજો સર્વશ્રેષ્ઠ સ્કોર છે.

NED vs BAN: નેધરલેન્ડે બાંગ્લાદેશને 87 રનથી હરાવ્યું

નેધરલેન્ડ્સે વર્લ્ડ કપ 2023ની 28મી મેચમાં બાંગ્લાદેશને 87 રનથી હરાવ્યું. બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં મોટા અપસેટનો શિકાર બની હતી. પ્રથમ બેટિંગ કરતા નેધરલેન્ડે 229 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશની ટીમ 142 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. નેધરલેન્ડ માટે સ્કોટ એડવર્ડ્સે 68 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. જ્યારે પોલ વાન મીકેરેને 4 વિકેટ ઝડપી છે. આ જીત સાથે ટીમ પોઈન્ટ ટેબલમાં 8મા સ્થાને પહોંચી ગઈ છે. આ વર્લ્ડ કપમાં આ તેની બીજી જીત છે.

 

બાંગ્લાદેશનું ખૂબ જ ખરાબ પ્રદર્શન

બાંગ્લાદેશની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને આ પછી પણ ટીમ રિકવર કરી શકી નહોતી. ઓપનર લિટન દાસ માત્ર 3 રન બનાવીને વોકઆઉટ થયો હતો. તંજીદ હસન 16 બોલમાં 15 રન બનાવીને આઉટ થયો હતો. મેહદી હસન મિરાજે કેટલાક રન ઉમેરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે પણ 35 રન બનાવીને આઉટ થયો હતો. નેધરલેન્ડના બોલરોએ વિરોધી ટીમ માટે એક પણ તક છોડી ન હતી. કેપ્ટન શાકિબ અલ હસનને 5 રનના અંગત સ્કોર પર પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. મુશ્ફિકુર રહીમ 1 રન બનાવીને આઉટ થયો હતો. મેહદી હસન 17 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 38 બોલનો સામનો કર્યો અને એક ફોર ફટકારી. અંતે મુસ્તફિઝુર રહેમાને 35 બોલમાં 20 રન બનાવ્યા હતા. તસ્કીન અહેમદે 11 રન બનાવ્યા હતા. આ રીતે સમગ્ર ટીમ 42.2 ઓવરમાં 142 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

નેધરલેન્ડ માટે એડવર્ડ્સે મહત્વની ઇનિંગ રમી હતી

નેધરલેન્ડ માટે કેપ્ટન એડવર્ડ્સે મહત્વની ઇનિંગ રમી હતી. તેણે 89 બોલનો સામનો કરીને 68 રન બનાવ્યા હતા. આ દરમિયાન 6 ચોગ્ગા માર્યા. ઓપનર વિક્રમજીત સિંહ 3 રન બનાવીને આઉટ થયો હતો. તે જ સમયે, મેક્સ ODD ખાતું પણ ખોલી શક્યો ન હતો. બારેસીએ 41 બોલમાં 41 રન બનાવ્યા હતા. તેણે 8 ચોગ્ગા ફટકાર્યા હતા. એન્ગલબ્રેચટે 61 બોલમાં 35 રન બનાવ્યા હતા. વેન બીક 16 બોલમાં 23 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે 2 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. આર્યન દત્ત 9 રન બનાવીને આઉટ થયો હતો. આ રીતે નેધરલેન્ડે 50 ઓવરમાં ઓલઆઉટ થતાં 229 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી મુસ્તાફિઝુર રહેમાને સારી બોલિંગ કરી હતી. તેણે 10 ઓવરમાં 36 રન આપીને વિકેટ લીધી હતી. તેણે મેડન ઓવર ફેંકી. મેહદી હસને 7 ઓવરમાં 40 રન આપીને વિકેટ લીધી હતી. ઇસ્લામે 10 ઓવરમાં 51 રન આપીને 2 વિકેટ લીધી હતી. તસ્કીન અહેમદે 9 ઓવરમાં 43 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.

WC: પાકિસ્તાનને હરાવીને કેશવ મહારાજે કહ્યું ‘જય શ્રી હનુમાન’

વર્લ્ડ કપ 2023ની 26મી મેચમાં દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાનને રોમાંચક મેચમાં એક વિકેટથી હરાવ્યું હતું. કેશવ મહારાજે આફ્રિકન ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 21 બોલમાં સાત અણનમ રન બનાવ્યા હોવા છતાં, તેણે જે સંજોગોમાં રન બનાવ્યા તે ઘણું મહત્વનું હતું. ચેન્નાઈમાં રમાયેલી વર્લ્ડ કપ મેચમાં પાકિસ્તાન સામે નવ ઓવરમાં 56 રન આપ્યા બાદ મહારાજને લાગ્યું હશે કે મેચમાં તેમનું કામ થઈ ગયું છે.

 

 

View this post on Instagram

 

A post shared by Keshav Maharaj (@keshavmaharaj16)

તે વિકેટ મેળવી શક્યો ન હતો, પરંતુ તેણે બનાવેલા દબાણને કારણે પાકિસ્તાની બેટ્સમેને બીજા સ્પિનર ​​તબરેઝ શમ્સી સામે જોખમ ઉઠાવવાનો પ્રયાસ કર્યો અને વિકેટ ગુમાવી દીધી. દક્ષિણ આફ્રિકાની ઇનિંગ્સ દરમિયાન એવું લાગી રહ્યું હતું કે પાકિસ્તાન 40 ઓવર સુધી હારી જશે. જો કે, પછીના કેટલાક બોલમાં મેચનો પલટો આવ્યો અને 42મી ઓવરમાં 91 રન બનાવીને એડન માર્કરામ આઉટ થયો. તે આઉટ થતાં જ પાકિસ્તાને દબાણ શરૂ કરી દીધું હતું.

દક્ષિણ આફ્રિકાને 58 બોલમાં 21 રનની જરૂર હતી અને તેની ત્રણ વિકેટ બાકી હતી. ગેરાલ્ડ કોએત્ઝી પણ 10 રન બનાવીને વોકઆઉટ થયો હતો. પછી સમગ્ર જવાબદારી કેશવ મહારાજ અને લુંગી ન્ગીડી પર આવી ગઈ. એનગીડીને હરિસ રઉફે પેવેલિયન મોકલ્યો હતો. ત્યારબાદ તબરેઝ શમ્સી મેદાનમાં આવ્યો હતો. મહારાજ શમ્સી કરતા સિનિયર હતા અને અગાઉ પણ બેટિંગથી ઘણી મેચો જીતી ચૂક્યા હતા. આવી સ્થિતિમાં તેના પર જીતનું દબાણ હતું. મહારાજે આ દબાણમાં પોતાને નબળા પડવા ન દીધા અને ચોગ્ગો ફટકારીને દક્ષિણ આફ્રિકાની ટીમને જીત અપાવી. આ જીત સાથે દક્ષિણ આફ્રિકાની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે.

કેશવ મહારાજે મેચ બાદ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. તેણે લખ્યું, ‘હું ભગવાનમાં માનું છું. મારી ટીમે કેટલું શાનદાર ક્રિકેટ રમ્યું અને ખાસ પરિણામ. શમ્સી અને માર્કરામનું પ્રદર્શન જોવું ખૂબ જ સારું હતું. જય શ્રી હનુમાન.’ મહારાજની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. એટલું જ નહીં, મહારાજના બેટ પર લખેલા ‘ઓમ’ના પણ ખૂબ વખાણ થઈ રહ્યા છે.

કેરળમાં શું થઈ રહ્યું છે? કેરળમાં હમાસ નેતાના ઓનલાઈન ભાષણથી હડકંપ

કેરળના મલપ્પુરમમાં શુક્રવારે પેલેસ્ટાઈનના સમર્થનમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હમાસના નેતા ખાલેદ મશાલે વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું આયોજન સોલિડેરિટી યુથ મૂવમેન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું, જે જમાત-એ-ઈસ્લામીની યુવા પાંખ છે. ભારતીય જનતા પાર્ટીએ આ મામલે India ગઠબંધન પર નિશાન સાધ્યું છે. ભાજપના પ્રવક્તા અનિલ કે એન્ટોનીએ કહ્યું કે કેરળના મલપ્પુરમમાં ‘સોલિડેરિટી યુથ મૂવમેન્ટ’એ મોટી સંખ્યામાં લોકોને સંબોધિત કરવા માટે આતંકવાદી સંગઠન હમાસના નેતા ખાલિદ મશાલને બોલાવ્યો હતો. મિશેલે આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો હતો.

 

કાર્યક્રમની સત્તાવાર લિંક શેર કરી

તેણે શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ ઇવેન્ટની સત્તાવાર લિંક શેર કરી અને પૂછ્યું કે કેરળમાં શું થઈ રહ્યું છે? અમે જે કટ્ટરપંથી ચળવળના સાક્ષી છીએ તે INDI એલાયન્સના સાથી પક્ષો, કોંગ્રેસ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (CPIM) અને ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML) ના અનિયંત્રિત સમર્થનનું પરિણામ છે. ભાજપના નેતાએ આક્ષેપ કર્યો હતો કે આ તમામ પક્ષો તેમની ખોટી બિનસાંપ્રદાયિકતા અને લઘુમતી તુષ્ટિકરણની મતબેંકની રાજનીતિને કારણે આંખ આડા કાન કરી રહ્યા છે અને આ પક્ષના રાજકારણીઓ અને તેમની પ્રચાર તંત્રના નેતૃત્વમાં રાજ્ય આગામી આતંકવાદી હોટસ્પોટ બની રહ્યું છે.

પેલેસ્ટાઈનના સમર્થનમાં કેરળમાં પ્રદર્શન

નોંધનીય છે કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે શુક્રવારે કેરળના મલપ્પુરમમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં રેલી કાઢવામાં આવી હતી. હમાસના નેતાએ આ રેલીમાં વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો હતો અને લોકોને સંબોધિત કર્યા હતા. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ પહેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ કે સુરેન્દ્રને આ ઘટનાની નિંદા કરી હતી અને કેરળ પોલીસ પર સવાલો ઉઠાવ્યા હતા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કરી રહ્યા છે.”

ઉત્તરાખંડ : મદરેસામાં વેદ અને સંસ્કૃત ભણાવવામાં આવશે, નિવેદન પર શરૂ થયો હંગામો

ઉત્તરાખંડ મદરેસા બોર્ડના પ્રમુખ મુફ્તી શમૂન કાસમીએ દરગાહ સાબીરની મુલાકાત લીધી અને દેશની પ્રગતિ અને શાંતિ માટે પ્રાર્થના કરી. તેમણે કહ્યું કે મદરેસાઓમાં વેદ અને સંસ્કૃત પણ ભણાવવામાં આવશે. સાથે જ જમિયત ઉલેમા હિંદે આ નિવેદનનો વિરોધ કર્યો છે. પ્રમુખ શમૂન કાસમી લેન્ડૌરા સ્થિત અરેબિક મદરેસામાં એક કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા. આ પછી મોડી રાત્રે તેઓ કાલીયાર દરગાહ સાબીર પાકમાં શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. કાસમીએ કહ્યું કે સાબીર પાક દરગાહ માત્ર મુસ્લિમ સમુદાય માટે જ નહીં પરંતુ દરેક ધર્મના લોકો માટે આસ્થાનું પ્રતિક છે.

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી લઘુમતી સમુદાય માટે જમીન પર યોજનાઓ બનાવીને વિકાસનો માર્ગ ખોલી રહ્યા છે.તેઓ ઉત્તરાખંડમાં ગાય, ગંગા અને હિમાલયની રક્ષા માટે મુસ્લિમ સમુદાય સાથે અભિયાન શરૂ કરશે અને યોગાસન કરાવશે.  મદરેસાઓમાં ધાર્મિક શિક્ષણ સાથે વેદ અને ભારતીય મહાપુરુષોના જીવન ચરિત્ર પણ ભણાવવામાં આવશે. ઉત્તરાખંડ જમિયત ઉલેમા-એ-હિંદ ઉત્તરાખંડ મદરેસા બોર્ડના અધ્યક્ષના નિવેદનનો જોરદાર વિરોધ કરી રહ્યું છે.

જમિયત કોઈ ભાષા કે જ્ઞાનની વિરુદ્ધ નથી

જમીયત ઉલેમા હિંદના રાજ્ય અધ્યક્ષ મૌલાના મુહમ્મદ આરીફ કાસમીએ કહ્યું કે ઉત્તરાખંડ મદરસા બોર્ડના અધ્યક્ષ લંડૌરામાં આપેલું નિવેદન. તેમાં તેમણે મદરેસાના અભ્યાસક્રમમાં સંસ્કૃત અને વેદોનો સમાવેશ કરવાની વાત કરી છે. આનો સખત વિરોધ છે. જમિયત કોઈપણ ભાષા કે જ્ઞાનની વિરુદ્ધ નથી પરંતુ અરબી મદરેસાઓમાં સંસ્કૃત અને વેદોનો અભ્યાસ કોઈપણ સંજોગોમાં સાંખી લેવામાં આવશે નહીં. આ પ્રસંગે કવિ અફઝલ મેંગલોર, શફકત અલી, સનાઉલ્લાહ ગાઝી, અનીસ કાસર, ઈમરાન દેશભક્ત, અનીસ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.