Home Blog Page 2387

જિયો દ્વારા પ્રથમ સેટેલાઇટ આધારિત ગિગાબાઇટ બ્રોડબેન્ડ લોન્ચ

નવી દિલ્હી: વિશ્વના સૌથી મોટા પ્રાઇવેટ મોબાઇલ ડેટા નેટવર્ક રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડે અત્યંત દુર્ગમ ગણાતા ભૌગોલિક વિસ્તારોમાં હાઇસ્પીડ બ્રોડબેન્ડ સર્વિસીઝ પૂરી પાડવા માટે ભારતની પ્રથમ સેટેલાઇટ-આધારિત ગિગા ફાઇબર સર્વિસીઝ સફળતાપૂર્વક લોન્ચ કરી છે. કંપની હવે જમીન, હવા, સમુદ્ર અને અવકાશમાં દરેક જગ્યાએ દરેક વસ્તુને જોડશે. કંપનીએ શુક્રવારે ઈન્ડિયા મોબાઇલ કોંગ્રેસમાં જિયોસ્પેસફાઇબર નામના તેના નવા સેટેલાઇટ બ્રોડબેન્ડની રજૂઆત કરી હતી. આ સેવા દેશમાં અત્યંત પોસાય તેવા ભાવે ઉપલબ્ધ થશે.

રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડના ચેરમેન આકાશ અંબાણીએ શુક્રવારે ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસના જિયો પેવેલિયનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જિયોસ્પેસફાઇબર સહિતની સ્વદેશી ટેકનોલોજી અને ઉત્પાદનો વિશેની માહિતી આપી હતી.

કંપની 450 મિલિયનથી વધુ ભારતીય ગ્રાહકોને હાઇસ્પીડ બ્રોડબેન્ડ ફિક્સ્ડ લાઇન અને વાયરલેસ સેવાઓ પૂરી પાડી રહી છે. કંપનીને લીધે ગ્રાહકો અને વ્યવસાયોને ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના વિશ્વસનીય, ઓછી વિલંબિતતા સાથેની અને હાઇસ્પીડ ઇન્ટરનેટ તથા મનોરંજન સેવાઓની અભૂતપૂર્વ સગવડ મળી છે. હવે સેટેલાઇટ નેટવર્ક મોબાઇલ બેકહોલ માટે વધારાની ક્ષમતાને પણ સંચાલિત કરશે અને તે દેશના અંતરિયાળ વિસ્તારોમાં જિયો ટ્રુફાઇવGની ઉપલબ્ધતા અને ક્ષમતાને વધુ વિસ્તારશે.

કંપની વિશ્વની અદ્યતન મિડિયમ અર્થ ઓર્બિટ (MEO) સેટેલાઇટ ટેક્નોલોજીનો લાભ લેવા માટે SES સાથે ભાગીદારી કરી રહી છે, જે એકમાત્ર MEO કોન્સ્ટેલેશન છે, જે અવકાશમાંથી ખરેખર યુનિક ગિગાબાઇટ, ફાઇબર જેવી સેવાઓ પૂરી પાડવા માટે સક્ષમ છે. કંપની પાસે SESના ઓ3બી અને નવા ઓ3બી એમપાવર ઉપગ્રહોના સંયોજનની એક્સેસ છે તે સાથે તે એકમાત્ર એવી કંપની છે, જે ગેમ-ચેન્જિંગ ટેક્નોલોજી આપે છે.

જિયોએ ભારતમાં લાખો ઘરો અને વ્યવસાયોને પ્રથમ વખત બ્રોડબેન્ડ ઇન્ટરનેટનો અનુભવ કરવા માટે સક્ષમ બનાવ્યા છે. જિયોસ્પેસફાઇબર સાથે અમે હજી સુધી નહીં જોડાયેલા લાખો લોકોને આવરી લેવા માટે અમારી પહોંચને વિસ્તારીએ છીએ, એમ રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડના ચેરમેન આકાશ અંબાણીએ જણાવ્યું હતું.

“જિયો સાથે મળીને અમે એક યુનિક સોલ્યૂશન સાથે ભારત સરકારની ડિજિટલ ઈન્ડિયા પહેલને સમર્થન આપવા બદલ ખુશ છીએ, આ ટેક્નોલોજીનો ઉદ્દેશ ભારતમાં કોઈ પણ સ્થાને મલ્ટિપલ ગિગાબાઇટ્સ પર સેકન્ડ ઓફ થ્રૂપૂટ પહોંચાડવાનો છે, એમ SESના ચીફ સ્ટ્રેટેજી ઓફિસર જ્હોન-પોલ હેમિંગ્વેએ જણાવ્યું હતું.

 

 

 

 

 

કરવા ચોથે બની રહ્યો છે શુભ મહાસંયોગ

નવી દિલ્હીઃ  હિન્દુ ધર્મમાં કરવા ચોથનું વિશેષ મહત્વ છે. કરવા ચોથ એ પરિણીત મહિલાઓ માટે ખાસ તહેવાર છે.  દર વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની ચોથની તિથિએ કરવા ચોથનું વ્રત કરવામાં આવે છે. કરવા ચોથે ભગવાન શિવ, માતા પાર્વતી, ગણેશ અને કાર્તિકેયજી સિવાય કરવા માતાની પૂજાનું પણ મહત્ત્વ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર કરવા ચોથે વ્રત કરવાથી દાંપત્ય જીવનમાં મધુરતા આવે છે.

હિન્દુ ધર્મમાં કરવા ચોથે પરિણીત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે. આ દિવસે ખૂબ જ શુભ સંયોગ રચાઈ રહ્યો છે. આ વર્ષે કરવા ચોથ 1 નવેમ્બર, 2023એ ઊજવવામાં આવી રહી છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષે કરવા ચોથ પર એક મહાન સંયોગ બની રહ્યો છે. વાસ્તવમાં આ દિવસે મંગળ અને બુધ અને સૂર્ય તુલા રાશિમાં હોય છે. આ સાથે જ સૂર્ય અને બુધના સંયોગથી બુધાદિત્ય યોગ બની રહ્યો છે, મંગળ અને સૂર્ય મળીને મંગલ આદિત્ય યોગ બની રહ્યો છે. આ સાથે આ દિવસે શિવ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ રચાઈ રહ્યો છે.

આ વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ 31મી ઓક્ટોબરે રાત્રે 9.30 વાગ્યાથી શરૂ થશે અને 1લી નવેમ્બરે રાત્રે 9.19 વાગ્યે સમાપ્ત થશે. કરવા ચોથ માટે ઉદયા તિથિ માન્ય છે, તેથી કરવા ચોથ પહેલી નવેમ્બરે બુધવારે ઊજવવામાં આવશે. કરવા ચોથના દિવસે વ્રત રાખતી મહિલાઓ સાંજે ‘કરવા’ માતા અને ભગવાન ગણેશની પૂજા કરે છે અને જ્યારે ચંદ્ર ઊગે છે ત્યારે તેને અર્ઘ્ય આપે છે. 1 નવેમ્બરે કરવા ચોથ વ્રતનો સમય સવારે 6:36 કલાકથી 8:26 કલાકનો છે. કરવા ચોથની પૂજાનો સમય સાંજે 5:44 કલાકથી 7:02 કલાક અને ચંદ્રોદયનો સમય રાત્રે 8:26 કલાકનો છે.

 

 

 

 

કોરાનાના 24 નવા કેસો, એક પણ મોત નહીં        

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 24 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,01,150 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,33,293 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,67,626 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 18 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 257 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 16,094 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,74,574 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 110 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

ટીમ મેનેજમેન્ટને હાર્દિક પંડ્યાની બદલીમાં બીજો કોઈ ખેલાડી જોઈતો નથી

બેંગલુરુઃ વર્લ્ડ કપ-2023ની મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થનાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હાલ અત્રે નેશનલ ક્રિકેટ એકેડેમી (NCA)માં નીતિન પટેલના નેતૃત્ત્વ હેઠળની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે. પંડ્યાને ડાબા પગના ઘૂંટણ અને પગની એડીમાં ઈજા થઈ છે. અગાઉ કરતાં હવે એની ઈજા ગંભીર પ્રકારની જણાય છે. એનો સ્નાયુ (લિગામેન્ટ) ફાટી ગયો છે. ડોક્ટરોએ આને ગ્રેડ-1 ‘લિગામેન્ટ ટોર્ન’ તરીકે ઓળખાવ્યું છે. આ ઈજામાંથી સાજા થતાં પંડ્યાને લગભગ બે અઠવાડિયા લાગશે.

(ફાઈલ તસવીર)

દરમિયાન, ભારતનું ટીમ મેનેજમેન્ટ પંડ્યાની જગ્યાએ બીજા કોઈ ખેલાડીને વર્લ્ડ કપ-2023 ટીમમાં સામેલ કરવા માગતું નથી. તે હાર્દિકના સાજા થવાની રાહ જોવા તૈયાર છે. ગઈ કાલે એવા અહેવાલો હતા કે પંડ્યાની જગ્યાએ ટીમમાં અક્ષર પટેલને સામેલ કરવામાં આવશે, પરંતુ એ સમાચારને સત્તાવાર રીતે કોઈ સમર્થન મળ્યું નથી.

પંડ્યાને આ ઈજા પુણેમાં બાંગ્લાદેશ સામેની મેચ વખતે થઈ હતી. તે બોલિંગમાં હતો અને બેટરે ફટકારેલા બોલને જમણા પગથી અટકાવવા જતાં એ લપસી પડ્યો હતો અને શરીરનો બધો ભાર ડાબા ઘૂંટણ પર આવી ગયો હતો. હાર્દિકે હજી તો બોલિંગની શરૂઆત જ કરી હતી અને ત્રણ જ બોલ ફેંક્યા હતા. ઈજા થતાં એને પેવિલિયનમાં પાછા ફરવું પડ્યું હતું અને તે પછી વર્લ્ડ કપની એકેય મેચમાં રમ્યો નથી.

 

કશ્મીર સરહદે સુરક્ષા દળોએ પાંચ આતંકવાદીઓનો ખાતમો કર્યો

જમ્મુ/શ્રીનગરઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરના કુપવાડા જિલ્લામાં પાકિસ્તાન સાથેની સરહદ પર ગઈ કાલે રાતે બે ઘટના બની હતી. એક ઘટનામાં, સુરક્ષા દળોએ નિયંત્રણ રેખા પાર કરીને ભારતમાં ઘૂસવાનો પ્રયત્ન કરનાર પાંચ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. એ પાંચેય આતંકી લશ્કર-એ-તોઈબા સંગઠનના હતા. બીજી ઘટનામાં, જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાન રેન્જર્સના સૈનિકોએ કરેલા ઉશ્કેરણી-વિહોણા ગોળીબારનો ભારતના સુરક્ષા દળોએ જડબાતોડ જવાબ આપ્યો હતો. પાકિસ્તાન રેન્જર્સના સૈનિકોએ ગઈકાલે રાતે લગભગ 8 વાગ્યાના સુમારે કુપવાડા જિલ્લાના માછીલ સેક્ટરમાં નિયંત્રણ રેખા પર ભારતીય ચોકીઓ પર અચાનક ગોળીબાર કર્યો હતો. ભારતીય જવાનોએ તેનો જડબાતોડ જવાબ આપ્યો છે. ગઈ મોડી રાતે આ ઘટના વિશે છેલ્લો અહેવાલ મળ્યો હતો ત્યારે બંને બાજુએ ગોળીબાર ચાલુ હતો. પાકિસ્તાનીઓના ગોળીબારમાં સીમા સુરક્ષા દળના એક જવાનને ઈજા થઈ હોવાનું મનાય છે, પરંતુ એ વિશે સત્તાવાર સમર્થન મળ્યું નથી.

માછીલ સેક્ટરમાં જ સુરક્ષા દળોએ હાથ ધરેલા ઓપરેશનમાં લશ્કર-એ-તોઈબાના પાંચ ત્રાસવાદી ઠાર મરાયા હતા. તે પાંચ આતંકવાદીઓ નિયંત્રણ રેખા પાર કરીને ભારતમાં ઘૂસવાનો પ્રયત્ન કરતા હતા ત્યારે સુરક્ષા દળોએ એમને પડકાર્યા હતા. આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. ભારતીય જવાનોએ વળતો ગોળીબાર કરીને પાંચેયને ખતમ કર્યા હતા. મૃત આતંકીઓ પાસેથી AK શ્રેણીની પાંચ રાઈફલ તથા બીજી વાંધાજનક સામગ્રીઓ મળી આવી હતી.

કુપવાડા પોલીસને ગુપ્તચરો તરફથી બાતમી મળી હતી કે સરહદ પારથી આતંકવાદીઓ ભારતમાં ઘૂસણખોરી કરવાના છે. તેથી કુપવાડા પોલીસ અને ભારતીય સેનાના જવાનોએ ત્વરિત સંયુક્ત કામગીરી બજાવીને ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવી દીધો.

 

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૨૭ ઓક્ટોબર, ૨૦૨૩

૨૭ ઓક્ટોબર, ૨૦૨૩

Chitralekha Gujarati – November 06, 2023

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

રાશિ ભવિષ્ય 27/10/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમાં વ્યસતા વધુ રહે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવું હિતાવહ છે, કોઈ જાહેરપ્રસંગમાં જવાના યોગ છે તેમાં જરૂરપુરતીજ વાર્તાલાપ કરવી યોગ્ય છે કોઈની મશ્કરીકે ખોટીદોરવણીમાં ના આવી જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, શાંતિ અને ધીરજ રાખવી સારી.


આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમાં મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારું સારું પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય કહી શકાય.


આજનો દિવસ તકેદારી અને સાવચેતી સૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમાં રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું અગત્યનું છે, ખટપટથી દુર રહેવું ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચનના આપવું, વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું જરૂરી છે.


આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામાં આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કોઈ કામ કરોતો તેમાં તમને લાભ થઈ શકે છે, યુવાવર્ગને પસંદગીના કામકે વાત થાય તેવું બની શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમાં નાણાકીયખર્ચ થાય તેવું બની શકે છે, ધાર્મિકકે સામાજિક કામકાજ અર્થે પ્રવાસનું આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારો ઉત્સાહ જોવા મળે, વેપારમાં નાનું કામકાજ કરવું યોગ્ય છે.


આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, ઘરકે ઓફીસમાં વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી કોઈની સાથે વધુ દલીલબાજીના કરવી, વેપારમાં જોખમ ભર્યા કામન કરવા, જીવનસાથી સાથે દલીલબાજીના કરવી ઇચ્છનીય છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે તેને કારણે થોડી માનસિક અશાંતિ જેવું રહે, વાણીવર્તણુકમાં ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગના બનવું પડે, વેપારમાં નાનું કામ અનુભવના આધારેજ કરવું યોગ્ય છે.


આજનો દિવસ સારો છે,  થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરંતુ કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે , જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ જોવા મળે, વેપારમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને અચાનક કોઈ જૂનીઓળખાણ તાજી થવાથી ઉત્સાહી થઈ જવાય.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, ઓફીસમાં પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહકર્મચારી સાથે કામની બાબતમાં થોડો અસતોષ રહે, વેપારમાં જોખમભર્યા કામન કરવા, વડીલવર્ગ આજે થોડી કામ ટાળવાની વૃત્તિ રાખે તેવું બની શકે છે.


આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ કામની જૂની ગુંચ હોય તને  ઉકેલી શકાય તેવા સંજોગો બને, માંર્કેટિંગક્ષેત્રમાં સારું પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં સમય વધુ ફાળવોતો કોઈ વિષયપર આવડત વધી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે, કામમાં ઉત્સાહ સારો રહે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવું શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, આરોગ્યબાબતે થોડું સાચવવું, વેપારમાં જોખમન કરવું, માર્કેટિંગક્ષેત્રમાં થોડી મેહનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળી શકે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું વધુ સારું.


આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યાકામ થાય તેવું બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામકાજ કરવાથી  સારું ફળ મળી શકે તેમજ નવીનકાર્યની તક પણ મળી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે.

પંચાંગ 27/10/2023