૨૬ ઓક્ટોબર, ૨૦૨૩
૨૬ ઓક્ટોબર, ૨૦૨૩
સફળતાનું સરનામું જોઈએ છે?
હમણાં બેએક દિવસ પહેલાં ભારતીય ક્રિકેટજગતના મહાન સ્પિન બોલર બિશનસિંહ બેદીના અવસાનના સમાચારમાં
વાંચવામાં આવ્યું કે બૉલને અચાનક ઘાતક ટર્ન આપી સ્ટમ્પ્સ ખેરવી નાખતા બેદી કહેતા કે આમાં ખરી કરામત એમના કાંડા અને આંગળીઓની છે. એમના વખતમાં આજના જેવી મૉડર્ન એક્સરસાઈઝ, જિમ, ઈક્વિપમેન્ટ્સ, ટ્રેનર કંઈ હતાં નહીં. કાંડાં-આંગળીની કસરત માટે એમણે જાતજાતના પ્રયાસ કર્યા. અંતે જાતે આનો તોડ શોધ્યોઃ પોતાનાં કપડાં જાતે ધોવાનાં, જેને કારણે કાંડાં અને આંગળીઓની કસરત થાય.
કહે છેને કે કદમ અસ્થિર હોય તેને રસ્તો કદી જડતો નથી, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. જેમ નાનકડી કીડી અનાજનો દાણો લઈને દીવાલ ચઢે છે ત્યારે અનેક વખત પડે છે છતાં હાર માન્યા વગર ફરી દાણો પકડીને દીવાલ પર ચઢે છે. પોતાના કદ કરતાં મોટા અનાજના દાણાને પકડીને લઈ જવામાં કીડી ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કરતી હશે, છતાં અનાજના દાણાને એ છોડતી નથી. માણસને તો ભગવાને બુદ્ધિ અને બળ બંને આપ્યાં છે. શા માટે આપણે નિષ્ફળતા મળવાથી હતાશ થઈએ છીએ? જો નાનકડી કીડી ઝઝૂમવાનો જુસ્સો ધરાવતી હોય, તો આપણે શા માટે હિંમત હારી નિષ્ક્રિયતાની ચાદર ઓઢી સૂઈ જઈએ છીએ?
અમેરિકન લેખક-પ્રકાશક-ફિલસૂફ એલ્બર્ટ હ્યુબાર્ડ કહેતા કે ઈટ ઈઝ ફ્રૉમ ધ ફૅઈલ્યૉર ધૅટ વન ગેટ્સ ધ વે… ઍન્ડ વે ટુ સક્સીડ અર્થાત્ નિષ્ફળતા જ સફળતાનું સરનામું ચીંધે છે.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અને તે પછી એમ બબ્બે વખત વડા પ્રધાન રહેનારા બ્રિટિશ રાજદ્વારી વિન્સ્ટન ચર્ચિલનું જીવન નિષ્ફળતાથી ભરેલું હતું. શૈશવકાળમાં, ગણિતમાં સૂઝ ન હોવાને કારણે સ્કૂલના પ્રિન્સિપાલ અવારનવાર એમને ટોકતા, ક્યારેક મારતા પણ ખરા. એમણે સ્કૂલો બદલી પણ બધે આ જ સ્થિતિ. એકમાં તો એ પ્રવેશ પરીક્ષામાં જ નાપાસ થયા. સૅન્ડહર્સ્ટ મિલિટરી કૉલેજની પ્રવેશ પરીક્ષામાં પણ નિષ્ફળતા મળી. વારંવાર નિષ્ફળ થવા છતાં તેમણે પ્રયત્ન ન ત્યજ્યો અને એક સમયે તેઓ બ્રિટનના વડા પ્રધાન બન્યા.

સન 2009માં કોલકાતામાં ૯૦૦થી વધારે શિલ્પીનાં ટાંકણે કંડારાયેલું ભવ્ય નૂતન બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ત્રણ વર્ષના અંતે શિખર સુધી ચણાઈ ગયેલું, પરંતુ અચાનક નિષ્ણાત ઈજનેરો સમક્ષ એક પડકાર આવ્યોઃ બંગાળની પોચી જમીનના કારણે નિર્માણાધીન મંદિરનો અમુક ભાગ જમીનમાં બેસી ગયો. આથી ફાઉન્ડેશનમાં જરૂરી ફેરફાર કરવાની આવશ્યક્તા જણાઈ. મૂંઝવણ એ હતી કે પૂર્ણતાના આરે આવી પહોંચેલા સ્ટ્રક્ચરનું શું કરવું?તે વખતે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે, ‘આખું મંદિર ઉતારી, ફાઉન્ડેશનમાં જરૂરી ફેરફારો કરી પાછું બાંધો.’ આ બહુ જ કપરું કામ હતું. છતાં, સાવચેતીથી આખું મંદિર ઉતારવામાં આવ્યું, પાયામાં જરૂરી ફેરફારો કરી પુનઃ ડિસેમ્બર, ૨૦૧૧માં મંદિરનિર્માણનું કાર્ય આરંભાયું. માત્ર ૨૬ મહિના બાદ જ્યારે આ મંદિર ભાવિકો માટે ખુલ્લું મુકાયું ત્યારે સૌ કોઈને આશ્ચર્ય હતું. પ્રમુખ સ્વામી મહારાજ કાર્ય પ્રત્યેનો અભિગમ શીખવતા કહેતા કે, ‘જે મુશ્કેલીમાં કાર્ય કરે, તેને જ કાર્ય કર્યું કહેવાય.’
હા, સીધા સરળ રસ્તા પર ચાલવું એમાં શું ખરી મજા? ખરી મજા ડુંગરા ખૂંદવાની છે. સ્ટમ્પ અને ફિલ્ડર વગરની ક્રિકેટમાં શું મજા? મજા તો ત્રણ સ્ટમ્પને બચાવી, ફિલ્ડરો વચ્ચેથી બૉલ કાઢી ચોગ્ગાછગ્ગા મારવામાં છે.
તો આવો, આપણે પણ મહાપુરુષોનાં જીવનમાંથી પ્રેરણા લઈ વિઘ્નોથી હાર્યા વિના, જીવનમાંથી નિષ્ફળતાને ખંખેરી સફળતાના સરનામે ડગ માંડીએ.
(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)
રાશિ ભવિષ્ય 26/10/2023
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
![]()
આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક,સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારા કાર્યઅંગેની ચર્ચાવિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનું આયોજન પણ થઇ શકે છે, વેપારમાં નાનું કામ કરવુ સલાહ ભર્યું કહી શકાય.
આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા-વાગવાથી સંભાળવુ, ઘરમાં વડીલકે ઓફીસમાં ઉપલીઅધિકારી સાથે ગેરવર્તનના થાયતે બાબતની તકેદારી રાખવી, યુવાવર્ગે પ્રિયજન સાથે વિવાદકે દલીલબાજીથી દુર રહેવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું કહી શકાય.
આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ ખુશીની લાગણી અનુભવો, તમારી મનની વાત કોઈ સમજી શકે નોકરીકે વ્યવસાયમાં ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનું આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, આજે ઉત્સાહ સારો જોવા મળે.
આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગક્ષેત્રમાં જુનાઅટકેલા કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમાં નાનુંકામ કરવુંજ યોગ્ય છે,કામકાજમાં વ્યસ્તતા જોવા મળે.
આજનો દિવસ તમે શાંતિ અને કુનેહથી પસાર કરવો જેથી તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટી વ્યક્તિથી દુર રહેવું, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમાં જોખમન કરવું.
આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમાં ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. માર્કેટિંગક્ષેત્રમાં પ્રતિસાદ ઓછો જોવા મળી શકે, વેપારમાં નાનું અને ગણતરીપૂર્વકનું કામકાજ કરવું યોગ્ય છે, સહકર્મચારી સાથે કામકાજમાં સહકાર થોડો ઓછો જોવા મળે.
આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મહેનત કરવી સારી કહી શકાય, વેપારમાં લાભ થઈ શકે છે.
આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવું, વાણીવિલાસ દરમિયાન ખોટા શબ્દપ્રયોગના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. વેપારના કામકાજમાં જોખમન કરવું અને ધીરજ રાખી કામ કરવાની સલાહ છે.
આજનો દિવસ સારો છે, તમરી લાગણીની કદર સારી રીતે થાય, જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમાં કોઈની સાથે મનદુઃખ થયું હોયતો તેને સુધારવાની તક મળે, સામાજિક, ધાર્મિક, રાજકીય કામકાજમાં તમને યોગ્ય પ્રતિસાદ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે.
આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવી કોઈ વાત બની શકે છે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું, મુસાફરી કંટાળાજનક રહે, વેપારમાં બિનજરૂરી જોખમથી દુર રહેવું, વાતવાતમાં ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું સારું, શાંતિથી દિવસ પસાર કરવો.
આજનો દિવસ સારો છે, તમારા ધાર્યા કામ પર પડે , નસીબ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલન મુલાકાત યાદગાર બને, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમાં લાભ કે નવીનતક દેખાઈ શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયનો બગાડ થઈ શકે છે, વેપારના કામકાજમાં નાનું અને આયોજન પૂર્વકનું કામકાજ યોગ્ય છે, કોઈની સાથે કામની બાબતમાં દલીલબાજીના કરવી, યુવાવર્ગને ઈતરપ્રવૃતીમાં ધ્યાન વધુ જાય અને ક્યાંક બિનજરૂરી નાણાકીયખર્ચ પણ થઈ શકે, મુસાફરી થોડી કંટાળાજન બની શકે છે.
22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા, ભવ્ય કાર્યક્રમમાં PM મોદી આપશે હાજરી
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં થશે. આ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદી ભાગ લેશે. શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે આ માહિતી આપી હતી. આ અંગે પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી છે. તેમણે કહ્યું કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધિકારીઓ તેમને મળવા આવ્યા હતા અને તેમને તેમની પ્રાણ પ્રતિષ્ઠાના અભિષેક માટે અયોધ્યા આવવા આમંત્રણ આપ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે તેઓ આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બનવા માટે ભાગ્યશાળી છે. પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું, આજનો દિવસ લાગણીઓથી ભરેલો છે. હમણાં જ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધિકારીઓ મને મારા નિવાસસ્થાને મળવા આવ્યા હતા. તેઓએ મને શ્રી રામના અભિષેક પ્રસંગે અયોધ્યા આવવા કહ્યું. મને આમંત્રણ આપવામાં આવ્યું છે. હું ખૂબ જ ધન્ય અનુભવું છું. એ મારું સૌભાગ્ય છે કે મારા જીવનકાળમાં હું આ ઐતિહાસિક પ્રસંગનો સાક્ષી બનીશ.
जय सियाराम!
आज का दिन बहुत भावनाओं से भरा हुआ है। अभी श्रीराम जन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्ट के पदाधिकारी मुझसे मेरे निवास स्थान पर मिलने आए थे। उन्होंने मुझे श्रीराम मंदिर में प्राण-प्रतिष्ठा के अवसर पर अयोध्या आने के लिए निमंत्रित किया है।
मैं खुद को बहुत धन्य महसूस कर रहा… pic.twitter.com/rc801AraIn
— Narendra Modi (@narendramodi) October 25, 2023
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌથી પહેલા આરતી ઉતારશે
રામ મંદિરમાં ભગવાન રામલલાને બિરાજમાન કરવા માટે તિથિ ને મુહૂર્ત નક્કી કરવામાં આવ્યા છે. 16થી 24 જાન્યુઆરી દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠા માટે અનુષ્ઠાન કરવામાં આવશે. અભિજીત મુહૂર્તમાં રામલલા મૂળ ગર્ભગૃહમાં સિંહાસન પર બિરાજમાન હશે. દક્ષિણ અને ઉત્તર ભારતના 51 વૈદિક આચાર્ય અનુષ્ઠાન કરશે. આ દરમિયાન રામલલાને ગાય અને ગજ દર્શન કરવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રામલલા પાલકી યાત્રાથી નગર ભ્રમણ માટે નીકળશે. રામલલા બિરાજમાન થયા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌથી પહેલા આરતી ઉતારશે. આ દરમિયાન દેશ-વિદેશના મહેમાન અને સાધુ સંતો હાજર રહેશે. રામ મંદિરનું ઉદઘાટન કોણ કરશે, તે નક્કી કરવામાં આવ્યું નથી.
World Cup 2023 : ઓસ્ટ્રેલિયાએ નેધરલેન્ડને 309 રને હરાવ્યું
વર્લ્ડ કપ-2023ની 24મી મેચમાં ઓસ્ટ્રેલિયાએ નેધરલેન્ડને 309 રનથી હરાવ્યું છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 399 રન બનાવ્યા હતા. જવાબમાં નેધરલેન્ડની ટીમ 90 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ગ્લેન મેક્સવેલની 44 બોલમાં 106 રનની રેકોર્ડબ્રેક ઇનિંગના આધારે ઓસ્ટ્રેલિયાએ આઠ વિકેટે 399 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. મેક્સવેલે માત્ર 40 બોલમાં સદી પૂરી કરીને વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદીનો નવો રેકોર્ડ બનાવ્યો હતો. આ પહેલા આ રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના એડન માર્કરામના નામે હતો. વર્તમાન વર્લ્ડ કપમાં તેણે આ જ મેદાન પર શ્રીલંકા સામે 49 બોલમાં સદી પૂરી કરી હતી. વનડે મેચોમાં આ ચોથી સૌથી ઝડપી સદી છે. આ રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના એબી ડી વિલિયર્સ (31 બોલ)ના નામે છે. પોતાની ઇનિંગમાં નવ ચોગ્ગા અને આઠ છગ્ગા ફટકારવા ઉપરાંત, મેક્સવેલે સાતમી વિકેટ માટે કેપ્ટન પેટ કમિન્સ (અણનમ 12) સાથે 44 બોલમાં 103 રનની ભાગીદારી કરી હતી, જેમાં કમિન્સનું યોગદાન માત્ર આઠ રન હતું. તેની વિસ્ફોટક બેટિંગ દરમિયાન તેણે રિવર્સ સ્વીપ પર સિક્સર ફટકારીને પ્રેક્ષકોનું ખૂબ મનોરંજન કર્યું. મેક્સવેલની ઇનિંગની મદદથી ઓસ્ટ્રેલિયાએ છેલ્લી 10 ઓવરમાં 131 રન બનાવ્યા હતા.
Biggest margin of victory by runs🏏
Fastest-ever @cricketworldcup century 💥Read all about Australia’s dominant win in Delhi ⬇️#AUSvNED #CWC23https://t.co/pS9ostDwgt
— ICC (@ICC) October 25, 2023
વોર્નર અને મેક્સવેલની શાનદાર ઇનિંગ્સ
આ પહેલા ઓપનર ડેવિડ વોર્નરે 93 બોલમાં 104 રનની ઈનિંગ દરમિયાન 11 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. વોર્નરની વનડેમાં આ 22મી સદી છે, તેણે છેલ્લી મેચમાં પાકિસ્તાન સામે 163 રન બનાવ્યા હતા. આ દરમિયાન વોર્નરે બીજી વિકેટ માટે સ્ટીવ સ્મિથ સાથે 118 બોલમાં 132 રન અને ત્રીજી વિકેટ માટે માર્નસ લાબુશેન સાથે 76 બોલમાં 84 રનની ભાગીદારી કરી હતી. સ્મિથે 68 બોલમાં 71 રનની ઈનિંગ દરમિયાન નવ ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા, જ્યારે લાબુશેને 47 બોલમાં પોતાની આક્રમક ઈનિંગમાં સાત ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 62 રન બનાવ્યા હતા.
Fastest @cricketworldcup ton and a brilliant run out 💫
Glenn Maxwell is the @aramco #POTM for a sensational day in #CWC23 👏#AUSvNED pic.twitter.com/ESAsObYvfQ
— ICC (@ICC) October 25, 2023
નેધરલેન્ડ માટે લોગાન વાન બીકે 74 રનમાં ચાર વિકેટ લીધી, જ્યારે બાસ ડી લીડેને બે સફળતા મળી પરંતુ 10 ઓવરમાં 115 રન આપ્યા. નેધરલેન્ડ માટે સ્પિન બોલર આર્યન દત્ત (59 રનમાં એક વિકેટ) અને કોલિન એકરમેને બોલિંગ શરૂ કરી હતી પરંતુ મિશેલ માર્શે (નવ) પ્રથમ ઓવરમાં બે વિકેટ અને વોર્નરે પોઈન્ટ અને થર્ડ મેન વચ્ચે સતત ચાર વિકેટ ત્રીજી ઓવરમાં બગડી હતી. ત્યારબાદ કેપ્ટન સ્કોટ એડવર્ડ્સે બંને છેડેથી ઝડપી બોલરોને કમાન સોંપી.લોગાન વેન બીકે માર્શને તેની શરૂઆતની ઓવરમાં આઉટ કર્યો. જોકે, આ બોલરને સ્મિથના પગ તરફ બોલિંગનું પરિણામ ભોગવવું પડ્યું હતું. સ્મિથે 10મી ઓવરમાં ફ્લિકિંગ અને ગ્લાન્સિંગ કરીને હેટ્રિક ફોર ફટકારી હતી, જેના કારણે પાવરપ્લે પછી ટીમનો સ્કોર એક વિકેટે 66 રન હતો.
વન નેશન, વન ઈલેક્શનને લઈને યોજાઈ મહત્વની બેઠક
દેશમાં ‘વન નેશન વન ઈલેક્શન’ અંગે બુધવારે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં કમિટીની બીજી બેઠક યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, પૂર્વ સોલિસિટર જનરલ હરીશ સાલ્વે, જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ગુલામ નબી આઝાદ ઉપરાંત કાયદા પંચના અધ્યક્ષ રિતુ રાજ અવસ્થી હાજર રહ્યા હતા.આ દરમિયાન કાયદા પંચ દ્વારા સંપૂર્ણ રોડમેપ રજૂ કરવામાં આવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે બેઠકમાં કાયદા પંચે માહિતી આપી છે કે જો દેશમાં વન નેશન, વન ઈલેક્શન લાગુ કરવું હોય તો તેના માટે કાયદા અને બંધારણમાં શું સુધારા કરવા પડશે.
STORY | Former president Ram Nath Kovind, Union Home minister Amit Shah leave after attending the ‘One Nation, One Election’ meeting at Jodhpur Hostel in Delhi.
READ: https://t.co/b3sb10XyPS
VIDEO: pic.twitter.com/K98bBhynQ4
— Press Trust of India (@PTI_News) October 25, 2023
‘2024ની ચૂંટણીમાં શક્ય નથી’
સૂત્રોના જણાવ્યા અનુસાર, પંચે સમિતિને કહ્યું કે હાલમાં 2024ની ચૂંટણીમાં વન નેશન વન ઈલેક્શન લાગુ કરવું શક્ય નથી, પરંતુ તેને 2029માં લાગુ કરી શકાય છે. તે પહેલા બંધારણમાં સુધારો કરવો પડશે. આ વખતે સમિતિએ કાયદા પંચના અધ્યક્ષને પણ તેની બીજી બેઠકમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું. સમિતિ એ જાણવા માંગે છે કે દેશમાં એક સાથે ચૂંટણી કેવી રીતે કરાવી શકાય. તેથી, કાયદા પંચને તેના સૂચનો અને મંતવ્યો જાણવા માટે બોલાવવામાં આવ્યા હતા.
પૂર્વ રાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી
શનિવારે કેન્દ્ર સરકાર દ્વારા ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ પર કેવી રીતે કામ કરવું તે નક્કી કરવા માટે 8 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ સાથે જ કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલને ખાસ આમંત્રિત તરીકે સામેલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કમિટીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરી, રાજ્યસભામાં વિપક્ષના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદ, નાણાં પંચના પૂર્વ અધ્યક્ષ એનકે સિંહ, લોકસભાના પૂર્વ મહાસચિવ સુભાષ સી. કશ્યપ, ભૂતપૂર્વ સોલિસિટર જનરલ હરીશ સાલ્વે અને ભૂતપૂર્વ સીવીસી સંજય કોઠારીને સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જો કે, આ પછી અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે તેઓ સમિતિમાં જોડાશે નહીં.
શ્રીલંકા ભારત સહિત 7 દેશોનાં નાગરિકોને આપશે મફ્ત ટૂરિસ્ટ વિઝા
કોલંબોઃ શ્રીલંકા સરકારે તેની એક મુખ્ય યોજના અંતર્ગત ભારત સહિત સાત દેશોનાં નાગરિકોને મફત ટૂરિસ્ટ વિઝા આપવાનો નિર્ણય લીધો છે. અન્ય દેશો છે – ચીન, રશિયા, મલેશિયા, ઈન્ડોનેશિયા, થાઈલેન્ડ અને જાપાન.
આ સાત દેશોમાંથી આવનાર પર્યટકો માટે વિઝા ફી માફ કરવાના પ્રસ્તાવને શ્રીલંકાના પ્રધાનમંડળે મંજૂરી આપી દીધી છે. આ વર્ષે આર્થિક મંદી વચ્ચે સપ્ટેમ્બર સુધીમાં 10 લાખ જેટલા પર્યટકોએ શ્રીલંકાની મુલાકાત લીધી હતી. આમાં સૌથી વધારે ભારતનાં લોકો હતા – બે લાખથી વધારે. બીજા ક્રમે રશિયા રહ્યું – 1.32 લાખ પર્યટકો સાથે.
એ આવ્યું…હામૂન, ભારતના અનેક રાજ્યોમાં એલર્ટ, ભારે વરસાદની આગાહી
બંગાળની ખાડીમાં ઉદ્દભવેલું ચક્રવાત હામુન હવે ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું કે મંગળવારે ચક્રવાતી તોફાન ‘હામુન’ ગંભીર ચક્રવાતમાં ફેરવાઈ ગયું છે. તેની અસરને કારણે ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી ગતિવિધિઓ જોવા મળી છે. આ ચક્રવાત ઓડિશાથી લગભગ 200 કિલોમીટરના અંતરે રાજ્યના દરિયાકાંઠાને વટાવીને હવે બાંગ્લાદેશના દરિયાકાંઠાની નજીક પહોંચી ગયું છે. દરિયાકાંઠાના બાંગ્લાદેશ પર ચક્રવાતી તોફાન હમૂન 25 ઓક્ટોબરના રોજ સવારે 05.30 વાગ્યે ચિત્તાગોંગ (બાંગ્લાદેશ) ના પૂર્વ-દક્ષિણપૂર્વમાં લગભગ 40 કિમી દૂર કેન્દ્રિત છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ ચક્રવાત આગામી 6 કલાકમાં ઉત્તર-પૂર્વ તરફ આગળ વધશે અને ડીપ ડિપ્રેશનમાં નબળું પડી જશે, ત્યારબાદ આગામી 06 કલાક દરમિયાન તે ડિપ્રેશનમાં ફેરવાઈ જશે.
The Cyclonic Storm Hamoon over coastal Bangladesh lay centered at 0530 hours IST of 25th Oct about 40 km east-southeast of Chittagong (Bangladesh). To move northeastwards and weaken into a deep depression during next 06 hrs and further into a depression during subsequent 06 hrs. pic.twitter.com/UANYLzKnQr
— India Meteorological Department (@Indiametdept) October 25, 2023
આ રાજ્યો પર અસર
આ સમયગાળા દરમિયાન આસપાસના વિસ્તારોમાં ભારે પવન અને વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા નકશા અનુસાર ચક્રવાત બાંગ્લાદેશના દરિયાકાંઠે ચિત્તાગોંગ નજીક છે અને હવે તે મિઝોરમ તરફ આગળ વધીને મણિપુરની સરહદ સુધી પહોંચશે. તે કોલકાતા અને ભુવનેશ્વરમાંથી પસાર થવાની સંભાવના છે.
લેન્ડફોલ ક્યાં થશે?
તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે 25 ઓક્ટોબરની સાંજની આસપાસ ખેપુપારા અને ચટગાંવ વચ્ચે બાંગ્લાદેશના તટ પર 65-75 કિમી પ્રતિ કલાકની ઝડપે લેન્ડફોલ થવાની આગાહી કરી છે. આ પછી તેની ગતિ ધીમી થઈ જશે અને મિઝોરમ અને મણિપુર તરફ આગળ વધશે. તમને જણાવી દઈએ કે ઈરાને ચક્રવાતી તોફાનને ‘હમૂન’ નામ આપ્યું છે.
આઇસી15 ઇન્ડેક્સમાં 505 પોઇન્ટનો પ્રત્યાઘાતી ઘટાડો
મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં નોંધપાત્ર વૃદ્ધિ બાદ પ્રત્યાઘાતી ઘટાડો જોવા મળ્યો છે. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.2 ટકા (505 પોઇન્ટ) ઘટીને 41,971 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 42,476 ખૂલ્યા બાદ 43,068ની ઉપલી અને 41,007ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. ઇન્ડેક્સના મોટાભાગના કોઇન ઘટ્યા હતા. ટોચના ઘટેલા કોઇનમાં પોલીગોન, ઈથેરિયમ, ડોઝકોઇન અને પોલકાડોટ સામેલ હતા. બિટકોઇનમાં સાધારણ ઘટાડા બાદ ભાવ 34,145 ડોલર પર પહોંચ્યો હતો.
દરમિયાન, ક્રીપ્ટોકરન્સી ઉદ્યોગના સહભાગીઓ આ ઉદ્યોગ માટે લાવવામાં આવી રહેલા નિયમનકારી ફેરફારો પર નજર રાખીને બેઠા છે. બીજી બાજુ, ક્લાઉડ સર્વિસ ઉદ્યોગમાં માઇક્રોસોફ્ટ અઝ્યુર ગૂગલ ક્લાઉડ કરતાં આગળ નીકળી ગયું છે. એમાં આર્ટિફિશિયલ ઇન્વેસ્ટમેન્ટ માટેનું રોકાણ મોટા પાયે આવી રહ્યું છે.




