Home Blog Page 2414

આઇસી15 ઇન્ડેક્સ 168 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં બુધવારે સાધારણ ઘટાડો નોંધાયો હતો. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.47 ટકા (168 પોઇન્ટ) ઘટીને 35,623 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 35,791 ખૂલ્યા બાદ 36,189ની ઉપલી અને 35,329ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. ઇન્ડેક્સના ટ્રોન અને બીએનબી સિવાયના મોટાભાગના કોઇન ઘટ્યા હતા. ટોચના ઘટેલા કોઇન યુનિસ્વોપ, શિબા ઇનુ, અવાલાંશ અને કાર્ડાનો હતા.

દરમિયાન, યુરોપિયન યુનિયનના નાણાપ્રધાનોએ ક્રીપ્ટોકરન્સી ટેક્સ રિપોર્ટિંગને લગતા નવા નિયમો અપનાવ્યા છે, જેને પગલે વ્યક્તિઓના ક્રીપ્ટો હોલ્ડિંગના ડેટા સત્તાવાળાઓ શેર કરી શકશે.

એક અહેવાલ મુજબ 21 ડોટ કો નામની ક્રીપ્ટોકરન્સી કંપનીએ કરેલા સર્વેક્ષણ અનુસાર ટોકનાઇઝ્ડ એસેટ્સની માર્કેટ વર્ષ 2030 સુધીમાં 10 ટ્રિલ્યન ડોલર મૂલ્યની થઈ જવાની સંભાવના છે. પરંપરાગત નાણાકીય સંસ્થાઓ હવે વધુ ને વધુ પ્રમાણમાં બ્લોકચેઇન ટેક્નોલોજી અપનાવી રહી હોવાથી ટોકનાઇઝ્ડ એસેટ્સની માર્કેટનું કદ વધશે.

વર્લ્ડ કપ 2023 વચ્ચે રોહિત શર્માએ કર્યો મોટો ધમાકો

ભારતીય કેપ્ટન રોહિત શર્મા, જે ચાલી રહેલા વર્લ્ડ કપમાં શાનદાર ફોર્મમાં છે, તે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા બહાર પાડવામાં આવેલી નવીનતમ રેન્કિંગમાં પાંચ સ્થાનના સુધારા સાથે બેટ્સમેનોની યાદીમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. બુધવારે. અફઘાનિસ્તાન સામે 131 રનની આક્રમક ઇનિંગ રમ્યા બાદ રોહિતે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે 63 બોલમાં 86 રનની શાનદાર ઇનિંગ રમી હતી.  દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોક સતત બે સદીની ઇનિંગ્સ (શ્રીલંકા સામે 100 અને ઓસ્ટ્રેલિયા સામે 109) બાદ છઠ્ઠા સ્થાનેથી ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. તેણે સાથી ખેલાડી રાસી વાન ડેર ડ્યુસેનને ચોથા સ્થાને ધકેલી દીધો. ડી કોક આ યાદીમાં આગળ વધવામાં નિષ્ફળ ગયો, કારણ કે તે નેધરલેન્ડ સામે માત્ર 20 રનની ઇનિંગ રમી શક્યો હતો.

ICCએ અચાનક એક મોટી જાહેરાત કરી

આ યાદીમાં જેમણે મોટો સુધારો કર્યો છે તેમાં અફઘાનિસ્તાનના ઓપનર રહેમાનુલ્લાહ ગુરબાઝ (19 સ્થાન ઉપરથી 18માં સ્થાને) અને નેધરલેન્ડના કેપ્ટન સ્કોટ એડવર્ડ્સ (16 સ્થાન ઉપરથી 27મા ક્રમે)નો સમાવેશ થાય છે. આ બંને બેટ્સમેનોએ તેમની ટીમને અનુક્રમે ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામે જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ ટોપ પર છે

રેન્કિંગમાં શુભમન ગિલ બીજા સ્થાને છે જ્યારે પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ ટોચ પર છે. ગિલ બીમારીના કારણે વર્લ્ડ કપની પ્રથમ બે મેચ રમી શક્યો ન હતો, જ્યારે તેણે પાકિસ્તાન સામે માત્ર 12 રન બનાવ્યા હતા. આનાથી બાબરને ટોચ પર પોતાનું સ્થાન વધુ મજબૂત કરવાની તક મળી.

બોલ્ટ રેન્કિંગમાં ટોચ પર પહોંચવાની નજીક છે

ન્યુઝીલેન્ડનો ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ રેન્કિંગમાં ટોપ પર પહોંચવાની નજીક છે. બાંગ્લાદેશ સામે 45 રનમાં બે વિકેટ લીધા બાદ તે ટોચના ક્રમાંકિત જોશ હેઝલવુડ (660 રેટિંગ પોઈન્ટ)થી માત્ર એક પોઈન્ટ પાછળ છે. અફઘાનિસ્તાનનો કરિશ્માઈ સ્પિનર ​​રાશિદ ખાન બે સ્થાનના સુધારા સાથે બોલરોમાં ચોથા સ્થાને છે. કેશવ મહારાજ સાત સ્થાનનો સુધારો કરીને અફઘાનિસ્તાનના મુજીબ ઉર રહેમાન સાથે પાંચમા સ્થાને છે.

BSE સેન્સેક્સ 551 તૂટ્યોઃ નિફ્ટી 19,700ની નીચે

નવી દિલ્હીઃ નબળા વૈશ્વિક સંકેતોની વચ્ચે ઘરેલુ શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું. મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ અને US દરોની ચિંતાઓને કારણે શેરબજાર પર પ્રતિકૂળ અસર જોવા મળી હતી. જેથી સેન્સેક્સ 550 પોઇન્ટ તૂટીને 66,000ની નીચે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 19,700ની નીચે સરક્યો હતો. બજારમાં વેચવાલીનું દબાણ હતું. મિડકેપ શેરો અને સ્મોલ કેપ શેરોમાં પણ નફારૂપી વેચવાલી થઈ હતી આ ઉપરાંત ભારત અને વિશ્વમાં બોન્ડ યિલ્ડમાં વધારો થવાથી રોકાણકારોએ સાવચેતી દાખવી હતી.  

રોકાણકારોના 2.39 લાખ કરોડ ડૂબ્યા

BSE લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ ઘટીને રૂ. 321.43 લાખ કરોડ થયું હતું, જે ગયા ટ્રેડિંગ સેશનમાં 323.82 લાખ કરોડ હતું. આમ કંપનીઓના માર્કેટ કેપમાં આશરે રૂ. 2.39 લાખ કરોડ ઘટ્યા હતા. સેન્સેક્સના 30 શેરોમાંથી 36 શેરો નરમ બંધ થયા હતા, જ્યારે ચાર શેરો વધીને બંધ રહ્યા હતા. ફાર્મા શેરોમાં  લેવાલી જોવા મળી હતી.

BSE પર કુલ 3843 શેરોમાં ટ્રેડિંગ થયા હતા, જેમાં 1456 શેરો વધીને બંધ રહ્યા હતા, જ્યારે 2245 શેરો ઘટીને બંધ રહ્યા હતા. 142 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 290 શેરોએ 52 સપ્તાહ શેરોની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 27 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટી તોડી હતી.સેક્ટોરલ ઈન્ડેક્સમાં નિફ્ટી ઓટો અને નિફ્ટી ફાર્મામાં ઉછાળો નોંધાયો હતો. જ્યારે નિફ્ટી મિડ કેપ, નિફ્ટી સ્મોલકેપ, નિફ્ટી આઈટી, નિફ્ટી બેન્ક, નિફ્ટી એફએમસીજી, નિફ્ટી ફાઈનાન્સમાં ઘટાડો નોંધાયો હતો. બજાજ ફાઇનાન્સે 2.85 ટકાનો સૌથી મોટો ઘટાડો નોંધાવ્યો હતો.

 

 

 

 

 

 

 

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૧૮ ઓક્ટોબર, ૨૦૨૩

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૧૮ ઓક્ટોબર, ૨૦૨૩

મુંબઈ પર ભયંકર ચક્રવાતી વાવાઝોડા ‘તેજ’નો ખતરો

મુંબઈઃ છેલ્લા અમુક દિવસોથી મુંબઈ તથા આસપાસના વિસ્તારોમાં હવામાનમાં ફેરફાર આવ્યો છે. ચોમાસું ગયું, પણ ઠંડી હજી સુધી શરૂ થઈ નથી. ત્યાં એવી આગાહી કરાઈ છે કે આગામી દિવસોમાં મુંબઈમાં ‘તેજ’ નામનું ચક્રવાતી વાવાઝોડું ફૂંકાવાની સંભાવના છે. હવામાન વિભાગે મુંબઈવાસીઓને સાવધ રહેવાની ચેતવણી આપી છે. અરબી સમુદ્રમાં આ વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે.

હવામાન વિભાગનું અનુમાન છે કે આવતી 21 ઓક્ટોબરના શનિવારે મુંબઈ ઉપરાંત ગોવા, મહારાષ્ટ્ર તથા ગુજરાતના સમુદ્રકાંઠાના વિસ્તારો પર ‘તેજ વાવાઝોડું’ ત્રાટકે એવી સંભાવના છે. એને લીધે 21-23 ઓક્ટોબરના દિવસોમાં મુંબઈમાં સૂસવાટા મારતો પવન ફૂંકાઈ શકે છે અને મુસળધાર વરસાદ પણ પડી શકે છે. આને પગલે પ્રશાસને સમુદ્રકાંઠાના ભાગોમાં ઉપાયયોજનાની શરૂઆત કરી દીધી છે.

અરબી સમુદ્રમાં અગ્નિ ખૂણે, પશ્ચિમ અને વાયવ્ય ખૂણાની દિશામાં ચક્રવાતનું નિર્માણ થઈ રહ્યું છે. આ વાવાઝોડાની અસર સમુદ્રસપાટીથી 3.1 કિ.મી. દૂર સુધી જોવા મળશે. લક્ષદ્વીપ ટાપુ પર આની સૌથી વધારે અસર પડવાની સંભાવના છે.

બંગાળના અખાત પરના આકાશમાં અગ્નિ ખૂણે હવાના ઓછા દબાણનું ક્ષેત્ર (લો પ્રેશર) સર્જાતાં દક્ષિણ ભારતના અમુક ભાગોમાં મુસળધાર વરસાદ પડ્યો છે. તે લો પ્રેશર પશ્ચિમ-વાયવ્ય દિશા તરફ આગળ વધવાની ધારણા છે. બીજી બાજુ, ગયા સોમવારથી અરબી સમુદ્ર પરના આકાશમાં પણ અગ્નિ ખૂણે ચક્રવાતી વાવાઝોડું સ્થિર અવસ્થામાં છે. તે પણ 20 ઓક્ટોબરે પશ્ચિમ-વાયવ્ય દિશામાં આગળ વધીને લો પ્રેશર એરિયામાં પરિવર્તિત થશે, અને ત્યારબાદ 21 ઓક્ટોબરે અરબી સમુદ્રના મધ્ય ભાગ ઉપર ડિપ્રેશનનું રૂપ ધારણ કરી શકે છે. આમ, બેવડી મુશ્કેલી જણાઈ રહી છે. જો ડિપ્રેશનની સ્થિતિ ઉગ્ર બનશે તો અરબી સમુદ્રના કાંઠાળ વિસ્તારોમાં આ વર્ષમાં ચોમાસા-બાદનું પહેલું વાવાઝોડું બનશે.

દિવાળીઃ ફિક્સ-પે કર્મચારીઓના પગારમાં 30 ટકાનો વધારો

ગાંધીનગરઃ રાજ્ય સરકારના ફિક્સ પેના કર્મચારીઓને દિવાળીની ગિફ્ટ મળી છે. ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં વધારાની જાહેરાત રાજ્ય સરકારે કરી છે. લાંબા સમયથી ફિક્સ પેના કર્મચારીઓને કોઈ પગારવધારો આપવામાં આવ્યો નહોતો. મુખ્ય મંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટે ફિક્સ પે કર્મચારીઓની લાંબા સમય જૂની પગારવધારાની માગને મંજૂર કરી હતી.

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પત્રકાર પરિષદમાં આ પગારવધારાની માહિતી આપી હતી. રાજ્ય સરકારના નિર્ણયથી 61,560 કર્મચારીઓને પગાર વધારાનો લાભ મળશે. રાજ્ય સરકારે 30 ટકાનો વધારો આપતાં કર્મચારીઓમાં ખુશીનું મોજું છવાઈ ગયું છે. રાજ્યમાં કર્મચારીઓના પગાર વધારાનો અમલ પહેલી ઓક્ટોબરથી થશે. આ પગલાથી સરકારની તિજોરી ઉપર વાર્ષિક રૂ. 500 કરોડથી પણ વધુ ભાર વધશે. આ મુદ્દે સરકાર ટૂંક સમયમાં જ પરિપત્ર જાહેર કરશે.

આ નિર્ણયથી વર્ગ-3ના 4400 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 38,090થી વધીને રૂ. 49,600 થશે. ઉપરાંત વર્ગ-3 ના 4200 અને 2800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો માસિક ફિક્સ પગાર રૂ. 31,340 થી વધીને રૂ. 40,800 થશે. વર્ગ-3 ના 2400, 2000, 1900 અને 1800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 19,950 થી વધીને રૂ. 26,000 થશે. જ્યારે વર્ગ-4 ના 1650,1400 અને 1300 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ.16,224 થી વધીને રૂ. 21,100 થશે. આ નિર્ણયથી રાજ્ય સરકારની તિજોરી પર વાર્ષિક રૂ .548.64 કરોડ રૂપિયાનું ભારણ વધશે.

 

 

 

વર્લ્ડ કપ 2023: ‘જો બાંગ્લાદેશ ભારતને હરાવશે…’, પાકિસ્તાની અભિનેત્રીએ આપી મોટી ઓફર

ગયા શનિવારે ODI વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાનને ભારત સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું હતું. આ હાર બાદ પાકિસ્તાનીઓ એકદમ નિરાશ દેખાયા હતા, જેમાં અભિનેત્રી સેહર શિનવારી પણ સામેલ હતી. હવે પાકિસ્તાની અભિનેત્રીએ ભારતીય ટીમને હરાવવા માટે બાંગ્લાદેશી ખેલાડીઓને મોટી ઓફર રજૂ કરી છે. ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટની આગામી એટલે કે ચોથી મેચ બાંગ્લાદેશ સામે ગુરુવાર, 19 ઓક્ટોબરે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમશે. આ મેચ પહેલા પાકિસ્તાની અભિનેત્રીએ તેના દ્વારા બાંગ્લાદેશના ખેલાડીઓને ઓફર કરી હતી.

 

ભારત સામે પાકિસ્તાનની હારના બીજા દિવસે (15 ઓક્ટોબર) પાકિસ્તાની અભિનેત્રીએ લખ્યું, “ઇન્શાલ્લાહ મારા બંગાળી મિત્રો આગામી મેચમાં અમારી પાસેથી બદલો લેશે. જો તેની ટીમ ભારતને હરાવવામાં સફળ થશે તો હું ઢાકા જઈશ અને એક બંગાળી છોકરા સાથે ફિશ ડિનર ડેટ કરીશ.

ગયા શનિવારે ODI વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાનને ભારત સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું હતું. આ હાર બાદ પાકિસ્તાનીઓ એકદમ નિરાશ દેખાયા હતા, જેમાં અભિનેત્રી સેહર શિનવારી પણ સામેલ હતી. હવે પાકિસ્તાની અભિનેત્રીએ ભારતીય ટીમને હરાવવા માટે બાંગ્લાદેશી ખેલાડીઓને મોટી ઓફર રજૂ કરી છે. ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટની આગામી એટલે કે ચોથી મેચ બાંગ્લાદેશ સામે ગુરુવાર, 19 ઓક્ટોબરે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમશે. આ મેચ પહેલા પાકિસ્તાની અભિનેત્રીએ તેના દ્વારા બાંગ્લાદેશના ખેલાડીઓને ઓફર કરી હતી

ભારત સામે પાકિસ્તાનની હારના બીજા દિવસે પાકિસ્તાની અભિનેત્રીએ લખ્યું, “ઇન્શાલ્લાહ મારા બંગાળી મિત્રો આગામી મેચમાં અમારી પાસેથી બદલો લેશે. જો તેની ટીમ ભારતને હરાવવામાં સફળ થશે તો હું ઢાકા જઈશ અને એક બંગાળી છોકરા સાથે ફિશ ડિનર ડેટ કરીશ.

રખડતા ઢોર મુદ્દે RMCએ બનાવ્યા આકરા નિયમો

રાજકોટઃ રાજ્યમાં રખડતા ઢોરોને મુદ્દેને હાઈકોર્ટે કડક થઈને તંત્રને કામગીરી કરવાના આદેશો આપ્યા હતા. જેથી મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા રખડતા ઢોરોને પકડીને ઢોરવાડામાં લઈ જવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન પશુમાલિકો અને પશુઓ પકડનારી ટીમ વચ્ચે માથાકૂટ થયાના કિસ્સા પણ સામે આવ્યા હતા.(RMC) ત્યારે રાજકોટ મહાનગરપાલિકા (RMC)એ હવે રાજકોટમાં રખડતા ઢોરો પકડાશે તો ત્રણ ગણો દંડ વસૂલશે.

RMCએ રખડતા ઢોરના જોખમને નિયંત્રિત કરવા માટે રાજ્ય સરકારની માર્ગદર્શિકા અપનાવવા માટે મંજૂરી આપી છે અને પશુપાલકો કે જેમના પશુઓ માનવ ઇજા કે મૃત્યુનું કારણ બને તો તેમની સામે ફોજદારી અને નાગરિક જવાબદારી નક્કી કરીને અને ઢોર પકડવાની કામગીરીમાં અવરોધ લાવનારાઓ સામે ફોજદારી કેસ દાખલ કરી રહ્યા છે. હવે રખડતા ઢોરને કારણે નાગરિકો/રાહદારીના જીવન અને મિલકતને નુકસાન થાય છે તો સંબંધિત નગરપાલિકાઓને આવા કિસ્સાઓમાં ચૂકવવાપાત્ર નાણાકીય વળતર સંબંધિત બાબતો નક્કી કરવાની સત્તા હશે.

RMC સ્ટેન્ડિંગ કમિટીએ નાગરિક સંસ્થાના પશુ ઉપદ્રવ નિયંત્રણ વિભાગ (ANCD) ના કેટલાક ફેરફારો સાથે, શહેરી વિસ્તારોમાં પ્રાણીઓના ઉપદ્રવ નિયંત્રણ માટેની માર્ગદર્શિકા (GANCUA), 2023 અપનાવવા માટેની દરખાસ્તને મંજૂરી આપી હતી.

આ માર્ગદર્શિકા અમલમાં આવ્યા પછી માલધારીઓ માટે વર્તમાન રૂ. 25 પરમિટ ફીને બદલે ચાર ઢોર-ઢાંખર રાખવા માટે RMC પાસેથી રૂ. 250માં પરમિટ મેળવવી ફરજિયાત રહેશે. પરમિટ વર્તમાન એક વર્ષની સામે ત્રણ વર્ષ માટે માન્ય રહેશે. ચારથી વધુ પશુઓ રાખવાને વાણિજ્યિક પ્રવૃતિ ગણવામાં આવશે અને આવા કિસ્સાઓમાં માલધારીએ લાઇસન્સ ફી પેટે રૂ. 500 ભરીને લાઇસન્સ મેળવવાનું રહેશે.

 

 

 

 

 

પુણેના સ્ટેડિયમમાં ભારત, બાંગ્લાદેશના ખેલાડીઓએ કરી નેટ પ્રેક્ટિસ

હાલ ભારતમાં રમાઈ રહેલી આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ ક્રિકેટ સ્પર્ધા-2023 અંતર્ગત ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે 19 ઓક્ટોબર, ગુરુવારે રાઉન્ડ-રોબિન મેચ રમાનાર છે. તેની પૂર્વસંધ્યાએ, બુધવારે અમુક ભારતીય ખેલાડીઓએ નેટ પ્રેક્ટિસ કરી હતી. હેડ કોચ રાહુલ દ્રવિડના નિરીક્ષણ હેઠળ રવિન્દ્ર જાડેજા, શુભમન ગિલ અને ઈશાન કિશન નેટ પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા. બાદમાં સાંજના સમયે બાંગ્લાદેશના ૩ ખેલાડીઓએ પણ નેટ્સમાં પ્રેક્ટિસ કરી હતી – હસન મેહમુદ, મુશ્ફીકુર રહીમ અને તંઝીદ હસન. (તસવીરકારઃ દીપક ધુરી)

વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં ભારત તેની ત્રણેય મેચ જીત્યું છે. આ જીત તેણે ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન પર મેળવી છે.

 

 

ગાઝા હોસ્પિટલ પરનો હુમલો ઈઝરાયલે નહોતો કર્યો: બાઈડન

તેલ અવીવઃ હમાસ-પેલેસ્ટીન સાથે ઈઝરાયલનું હાલ યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે અમેરિકાના પ્રમુખ જો બાઈડન આજે ઈઝરાયલની મુલાકાતે પહોંચ્યા છે. ગાઝા સ્ટ્રીપમાં ગઈ કાલે 500 જણનો ભોગ લેનાર એક હોસ્પિટલ પરના ભયાનક હુમલાને લીધે દુુનિયાભરમાં અરેરાટી સાથે રોષ વ્યાપી ગયો છે ત્યારે બાઈડને ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામીન નેતાન્યાહૂ પર પોતાનો સંપૂર્ણ ભરોસો વ્યક્ત કર્યો છે. એમણે કહ્યું કે, ગાઝાની હોસ્પિટલ પર ગઈ કાલે રાતે કરવામાં આવેલો હુમલો ‘કોઈ અન્ય ટોળકી’નું કૃત્ય છે, ઈઝરાયલે તે હુમલો કર્યો નહોતો.

ગાઝામાં આવેલી અલ અહલી હોસ્પિટલમાં થયેલા વિસ્ફોટમાં 500થી વધુ લોકોના જાન ગયા હતા અને બીજાં ઘણા લોકો જખ્મી થયાં છે. ઈઝરાયલના સંરક્ષણ દળોએ આ હુમલા માટે ઈસ્લામી જિહાદ આતંકવાદી સંગઠન હમાસને દોષી ગણાવ્યું છે. ઈઝરાયલી દળોનું કહેવું છે કે હમાસે ફાયર કરેલું રોકેટ નિષ્ફળ ગયું હતું.

આજે તેલ અવીવમાં, નેતાન્યાહૂ સાથેની બેઠક દરમિયાન ઈઝરાયલનું સમર્થન કરીને બાઈડને કહ્યું કે, ‘આખી દુનિયા જોઈ રહી છે. ઈઝરાયલ અમેરિકાની જેવા જ મૂલ્ય ધરાવે છે. ગઈ કાલે ગાઝાની હોસ્પિટલમાં વિસ્ફોટને કારણે જે જાનહાનિ થઈ એનાથી હું ખૂૂબ જ દુઃખી થયો છું. મને જે કંઈ જાણવા મળ્યું છે તેના પરથી એવું લાગે છે કે આ હિચકારું કૃત્ય કોઈ અન્ય ટોળકીનું છે, તમારું (ઈઝરાયલનું) નહીં.’