મુંબઈઃ નવરાત્રી તહેવાર નિમિત્તે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની સૂચનાને પગલે મુંબઈ મેટ્રોની બે લાઈન – 2A અને 7, જે અંધેરી અને દહિસરના ઉપનગરો વચ્ચે પૂર્વ અને પશ્ચિમ, બંને ભાગમાં કાર્યરત છે, તેની સેવાનો સમય રાતે લંબાવવામાં આવ્યો છે.
મહામુંબઈ મેટ્રો ઓપરેશન કોર્પોરેશને ટ્વીટમાં જણાવ્યું છે કે, શહેરનાં લોકો નવરાત્રી ઉત્સવ આનંદથી ઉજવી શકે એ માટે 19 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર સુધી મેટ્રો રૂટ 2A અને 7 પર વિસેષ મેટ્રો સેવા ઉપલબ્ધ કરાશે. અતિરિક્ત મેટ્રો ફેરી કરવામાં આવશે. ગુંદવલી-દહિસર અને અંધેરી (પશ્ચિમ) સ્ટેશનોથી રાતે છેલ્લી ટ્રેન 12.20 વાગ્યે રવાના થશે.
આ બંને લાઈન પર રાતે 10.30 અને મધરાત બાદ 12.20 વાગ્યા વચ્ચે 14 અતિરિક્ત સેવા ઉપલબ્ધ કરવામાં આવશે.
નવા ફેરફારમાં, ગુંદવલી સ્ટેશનેથી મધરાત બાદ 12.20 વાગ્યે છૂટનારી ટ્રેન રાતે 1.33 વાગ્યે અંધેરી વેસ્ટ સ્ટેશને પહોંચશે. એવી જ રીતે, અંધેરીથી મધરાત બાદ 12.20 વાગ્યે છૂટનારી આખરી ટ્રેન 1.33 વાગ્યે ગુંદવલી સ્ટેશને પહોંચશે. આમ, ઉત્તર મુંબઈના ઉપનગરોમાં મોડીરાત સુધી નવરાત્રીમાં ગરબા-દાંડિયા રાસનો આનંદ માણતાં લોકોને એમનાં ઘેર પહોંચાડવામાં મેટ્રો ટ્રેનની સુવિધા ઉપલબ્ધ રહેશે. અતિરિક્ત 14 ટ્રેન ટ્રિપ વચ્ચેનો સમયગાળો (ફ્રીક્વન્સી) 15-મિનિટનો રહેશે. સપ્તાહાંત અને શનિવાર અને રવિવારના દિવસોએ લોકોને 219થી લઈને 267 ટ્રિપ ઉપલબ્ધ થશે.
લાઈન 7 પરની ટ્રેનો અંધેરી પૂર્વમાં ગુંદવલીથી પશ્ચિમ એક્સપ્રેસ હાઈવેના એલિવેટેડ કોરિડોરમાં દહિસર પૂર્વ સુધી દોડે છે જ્યારે દહિસર (પૂર્વ)થી ન્યૂ લિન્ક રોડ પર અંધેરી પશ્ચિમ સુધીની લાઈન 2A કહેવાય છે. આ બંને સેવા ‘U’ શેપમાં છે.
નવી દિલ્હીઃ કર્ણાટક, તેલંગાણા, દિલ્હી અને આંધ્ર પ્રદેશમાં 55થી વધુ સ્થળો પર કોન્ટ્રેક્ટરો અને રિયલ એસ્ટેટ ડેવલપર્સને ત્યાં ચાલી રહેલા દરોડામાં ઇન્કમ ટેક્સ વિભાગે આશરે રૂ. 100 કરોડ રોકડા જપ્ત કર્યા છે. આ દરોડા દરમ્યાન રૂ. 94 કરોડ રોકડ, રૂ. આઠ કરોડનાં સોના અને હીરાના આભૂષણો અને 30 લક્ઝરી ઘડિયાળો જપ્ત કરવામાં આવી છે. આ દરોડ 12 ઓક્ટોબરે શરૂ કરવામાં આવ્યા હતા અને વિભાગ દ્વારા બેંગલુરુ અને તેલંગાણા અને આંધ્ર પ્રદેશનાં કેટલાંક શહેરોની સાથે-સાથે દિલ્હીમાં 55 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સીસ (CBDT)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તપાસના પરિણામ સ્વરૂપ આશરે રૂ. 94 કરોડના બિનહિસાબી રોકડ મળીને કુલ રૂ. 102 કરોડથી વધુની જપ્તી થઈ હતી. આરોપીઓની ઓળખ બતાવ્યા વગર CBDTએ જણાવ્યું હતું કે એક ખાનગી પગારદાર કર્મચારીના નિવાસસ્થાનેથી 30 લક્ઝરી વિદેશી ઘડિયાળોનું કલેક્શન પણ જપ્ત કરવામાં આવ્યું હતું.
આ દરોડા દરમ્યાન દસ્તાવેજોની હાર્ડ કોપી અને ડિજિટલ ડેટા પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ દરોડામાં માલ રસીદ નોટમાં અને કેટલાય દસ્તાવેજોમાં ભારે વિસંગતિઓ જોવા મળી છે. દાવો કરવામાં આવ્યો હતો કે કોન્ટ્રેક્ટર બિનવ્યાવસાસિક ઉદ્દેશો માટે બુકિંગ ખર્ચાઓમાં પણ સામેલ હતા.
ભાજપ-કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ
કર્ણાટકમાં સત્તારૂઢ કોંગ્રેસ અને વિરોધ પક્ષ ભાજપની વચ્ચે આ મામલે વાકયુદ્ધ છેડાયું છે. ભાજપના પ્રદેશાધ્યક્ષ નલિન કુમાર કતીલે કહ્યું હતું કે આ નાણાં કોંગ્રેસથી જોડાયેલાં છે, જ્યારે મુખ્ય મંત્રી સિદ્ધારમૈયાએ આ આરોપને નિરાધાર ગણાવ્યા હતા.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે તેમના પશ્ચિમ બંગાળ પ્રવાસના ભાગ રૂપે કોલકાતામાં દુર્ગા પૂજાનું ઉદ્ઘાટન કર્યું અને રાજ્યની મમતા બેનર્જી સરકાર પર આડકતરી રીતે નિશાન સાધ્યું. ગૃહમંત્રી શાહે કહ્યું, “હું માતા દુર્ગાને પ્રાર્થના કરીશ કે બંગાળમાંથી ભ્રષ્ટાચાર અને અત્યાચારનો અંત આવે.” તેમણે કહ્યું કે તેઓ બંગાળ આવતા રહેશે અને રાજ્યમાં પરિવર્તન માટે લડશે.
VIDEO | “I would like to greet the people of West Bengal on day 2 of Navratri. I came here from Gujarat via Chhattisgarh. These nine days after bigger than Diwali for West Bengal,” says Union Home minister @AmitShah as he inaugurates a Ram Temple-themed Durga Puja Pandal in… pic.twitter.com/vhVyx9Y1rj
પોતાના સંબોધન દરમિયાન ગૃહમંત્રી શાહે કહ્યું કે, “સૌ પ્રથમ તો હું પશ્ચિમ બંગાળના તમામ લોકોને નવરાત્રિની બીજી તારીખે દુર્ગા પૂજાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આ જ કરવા માટે, હું સવારે ગુજરાત છોડીને છત્તીસગઢ થઈને બંગાળમાં માત્ર માતા દુર્ગાના આશીર્વાદ મેળવવા આવ્યો છું અને જો આપણે આપણા શાસ્ત્રોમાં માનીએ તો, જેઓ હંમેશા સારી શક્તિની સુરક્ષા માટે ઘણા યુદ્ધો લડ્યા છે. બ્રહ્માંડ, રક્તબીજથી શુંભ સુધી. નિશુંભ સુધી, તેણે ઘણા રાક્ષસી તત્વોનો નાશ કરવાનું કામ કર્યું છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને આઇટી સેક્ટરમાં નવી ક્રાંતિ તરીકે જોવામાં આવે છે. પરંતુ વિશ્વ તેના પડકારો અને જોખમો વિશે પણ જાગૃત અને સજાગ બની રહ્યું છે. આવી સ્થિતિમાં, AI ને નિયંત્રિત કરવા માટે સંપૂર્ણ તૈયારીઓ ચાલી રહી છે. યુરોપીય સંઘે આ દિશામાં પહેલું પગલું ભર્યું છે. યુરોપિયન યુનિયનમાં AI એક્ટ દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનું નિયમન કરવામાં આવશે. યુરોપીય સંઘે આ દિશામાં એક મોટું પગલું ભર્યું છે. પરંતુ વિશ્વના અન્ય ઘણા દેશો એઆઈને નિયંત્રિત કરવા માટે ગંભીરતાથી વિચારી રહ્યા છે.
અમેરિકામાં OpenEye ને સૂચના
યુએસ કોંગ્રેસે ગયા મહિને જ AI પર ચર્ચા કરી હતી અને AI ફોરમનું પણ આયોજન કર્યું હતું જેમાં વિશ્વની અગ્રણી IT કંપનીઓના વડાઓએ ભાગ લીધો હતો. યુએસ કોંગ્રેસના સભ્યો વચ્ચે સર્વસંમતિ છે કે એઆઈને નિયંત્રિત કરવાની જરૂર છે. યુ.એસ.માં, ફેડરલ ટ્રેડ કમિશન ગ્રાહક સુરક્ષા કાયદાના ઉલ્લંઘન બદલ ChatGPT ની નિર્માતા OpenEye ની તપાસ કરી રહ્યું છે. FTI એ પણ OpenAI પાસેથી ગોપનીય માહિતી માંગી છે.
નીતિ આયોગે પણ રિપોર્ટ જાહેર કર્યો
ભારત સરકારે પણ અમેરિકા અને યુરોપિયન યુનિયન સાથે મળીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વિરુદ્ધ એક નિયમનકારી માળખું બનાવવાની દિશામાં કામ કરવાનું શરૂ કર્યું છે. થિંક ટેન્ક નીતિ આયોગે બધા માટે જવાબદાર AI પર ઘણા પેપર્સ બહાર પાડ્યા છે. તેથી ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ટ્રાઈએ એક સ્વતંત્ર ઓથોરિટીની રચના કરવાનું સૂચન કર્યું છે.
ચીને પણ કડક કાર્યવાહી કરી હતી
ચીને પહેલાથી જ AI વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. ચાઇનામાં, સેવા પ્રદાતાઓએ સામાન્ય લોકો માટે AI ઉત્પાદનો લોન્ચ કરતા પહેલા સુરક્ષા મૂલ્યાંકન સબમિટ કરવું પડશે અને મંજૂરી મેળવવી પડશે. અમેરિકાની જેમ જાપાન પણ 2023ના અંત સુધીમાં AI વિરુદ્ધ નિયમન જારી કરી શકે છે. જાપાનની પ્રાઈવસી મોનિટરિંગ સંસ્થાએ લોકોની સંમતિ વિના સંવેદનશીલ ડેટા એકત્ર ન કરવા સૂચના જારી કરી છે. અગાઉ, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પણ જુલાઈ મહિનામાં AIને લઈને ઔપચારિક ચર્ચા કરી હતી. જેમાં AIની સૈન્ય અને બિન-લશ્કરી એપ્લિકેશન પર ચર્ચા કરવામાં આવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે તે વિશ્વની શાંતિ અને સુરક્ષા માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
AI તરફથી નોકરીઓ પર ખતરો
તેમણે કહ્યું કે વિશ્વભરની સરકારો ChatGPT અને Bing Chat જેવી કૃત્રિમ બુદ્ધિમત્તાના વધતા પ્રભાવને લઈને સતર્ક બની રહી છે. હાલમાં જ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના ફર્સ્ટ ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર ગીતા ગોપીનાથે પણ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની નોકરીઓ પર અસર અંગે ચિંતા વ્યક્ત કરી હતી.તેમણે કહ્યું હતું કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના કારણે લેબર માર્કેટમાં મોટી સમસ્યા ઊભી થઈ શકે છે. તેમણે સરકારોને આ ટેક્નોલોજીને શક્ય તેટલી વહેલી તકે નિયમન કરવા માટે નિયમો બનાવવાની અપીલ કરી હતી. ગોલ્ડમેન સૅક્સે કહ્યું હતું કે આના કારણે 30 કરોડ પૂર્ણ-સમયની નોકરીઓ જોખમમાં આવી શકે છે.
મુંબઈઃ અભિનેત્રી કંગના રણોતને ભૂતપૂર્વ વડાંપ્રધાન સ્વ. ઈન્દિરા ગાંધીની ભૂમિકામાં દર્શાવતી રાજકીય વિષય પર આધારિત ફિલ્મ ‘ઈમર્જન્સી’ની રિલીઝ તારીખને આવતા વર્ષ સુધી મુલતવી રાખી દેવામાં આવી છે. સ્વયં કંગનાએ જ આની જાહેરાત આજે બપોરે એનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કરી છે. તેણે રિલીઝને વિલંબિત કરવા પાછળનું કારણ શેર કર્યું છે અને પ્રશંસકોને વિનંતી કરી છે કે તેઓ આ વિલંબની તકલીફમાં પોતાની ટીમનાં સભ્યો સાથે સહભાગી થાય.
કંગનાએ વધુમાં લખ્યું છે કે, ‘આ ફિલ્મમાં મેં એક અભિનેત્રી તરીકે મારી જિંદગીની તમામ કમાણી દાવ પર લગાવી દીધી છે. ‘ઈમર્જન્સી’ મારે મન માત્ર એક ફિલ્મ નથી. એક વ્યક્તિ તરીકે પાત્ર ભજવણીમાં મારી અભિનયશક્તિની કસોટી છે. અમે આ ફિલ્મને 2023ની 24 નવેમ્બરે રિલીઝ કરવાની અગાઉ જાહેરાત કરીહતી, પરંતુ આ વર્ષમાં મારી બે ફિલ્મને ઉપરાછાપરી રિલીઝ કરવાની આવી હોવાથી અમે ઈમર્જન્સીની રિલીઝને આવતા વર્ષ પર શિફ્ટ કરી દીધી છે.’
ઉલ્લેખનીય છે કે કંગના હાલમાં જ તામિલ ફિલ્મ ‘ચંદ્રમુખી 2’માં જોવા મળી હતી અને તેની હિન્દી ફિલ્મ ‘તેજસ’ આ મહિનાના અંતભાગમાં રિલીઝ થવાની છે. ચાર વખત શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર જીતનાર કંગનાએ કહ્યું છે કે, ‘‘ઈમર્જન્સી’ ફિલ્મની રિલીઝની નવી તારીખની હું ટૂંક સમયમાં જાહેરાત કરીશ, પ્રશંસકો ધીરજ જાળવી રાખે. આ ફિલ્મ માટે એમની ઉત્કંઠા, અપેક્ષા અને રોમાંચથી હું વાકેફ છું.’
‘ઈમર્જન્સી’ ફિલ્મ 1975માં તે વખતનાં વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીએ દેશભરમાં લાગુ કરેલી કટોકટીને કારણે ઊભી થયેલી રાજકીય અંધાધૂંધી પર આધારિત છે. કંગનાએ આ ફિલ્મનું દિગ્દર્શન પણ સંભાળ્યું છે અને ઈન્દિરા ગાંધીની મુખ્ય ભૂમિકા પણ ભજવી છે. ફિલ્મમાં અનુપમ ખેર, શ્રેયસ તલવડે, મહિમા ચૌધરી, મિલિંદ સોમણ અને અશોક છાબરા જેવા અન્ય કલાકારો છે. સ્વ. સતિષ કૌશિકની જિંદગીની આ આખરી ફિલ્મ હોય એવી ધારણા છે.
Dear friends, I have an important announcement to make, Emergency movie is the culmination of my entire life’s learnings and earnings as an artist. Emergency is not just a film for me it’s a test of my worth and character as an individual. Tremendous response that our teaser and…
અમદાવાદઃ ભાજપમાં કંઈક મોટી ઊથલપાથલ થવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે. રાજ્યની ત્રણ દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મોડી રાત્રે ઉચ્ચ સ્તરની બેઠક લીધી હતી. આ બેઠકનું મહત્ત્વ એ અંદાજથી લગાવી શકાય છે કે આ મીટિંગ અડધી રાત્રેથી શરૂ થઈને સવાર સુધી ચાલી હતી.
ગૃહપ્રધાન અમિત શાહે રાત્રે 12 કલાકથી સવારે પાંચ કલાક સુધી ભાજપનાના નેતાઓ સાથે ચૂંટણીની તૈયારી પર મંત્રણા કરી હતી. આ મેરેથોન બેઠક રાજ્ય સરકારના એક મંત્રીના નિવાસસ્થાને થઈ હતી. આ બેઠકમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિત ઘણા મોટા નેતાઓ હાજર રહ્યા હતા.
આ બેઠકમાં સરકાર અને સંગઠનમાં ફેરફારને લઈને લોકસભા ચૂંટણી મુદ્દે ચર્ચા થઈ હતી.. પાર્ટી 2024ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં વિપક્ષના I.N.D.I.A. એલાયન્સને શૂન્યથી રોકવા માટે કોઈપણ ભોગે તમામ 26 બેઠકો જીતવા માગે છે. આવી સ્થિતિમાં પાર્ટી લોકસભા ચૂંટણી પહેલા જે નેતાઓને લોકસભા ચૂંટણી લડાવવા માગે છે તેમને સક્રિય કરવા માગે છે.
આગામી દિવસોમાં રાજ્ય સરકારની ભૂપેન્દ્ર પટેલ કેબિનેટની સાથે સંગઠનમાં પણ ફેરફાર જોવા મળી શકે છે. વર્તમાન કેબિનેટના કેટલાક મંત્રીઓના પોર્ટફોલિયોમાં ફેરફારની અટકળોની સાથે સંગઠનને લઈને એવી ચર્ચા છે કે ટૂંક સમયમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની ટીમમાં મહાસચિવોની જાહેરાત થઈ શકે છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાત ભાજપ અને સરકારમાં ફેરબદલની અટકળો ચાલી રહી છે. એવામાં દિલ્હીમાં પીએમ આવાસમાં બંધબારણે યોજાયેલી બેઠકના બે જ દિવસમાં રાત્રે ૧૨થી વહેલી સવાર સુધી ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકે તમામ અટકળો ને તેજ કરી છે હવે જોવાનું રહેશે કે અટકળો માત્ર અટકળો જ બની રહે છે કે ગુજરાતના રાજકારણમાં કંઇક નવાજૂની જોવા મળશે?.
મુંબઈ તા. 16 ઓક્ટોબર, 2023: નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)માં સોમવારથી 13 નવા કોમોડિટી ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ્સના ટ્રેડિંગને લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ પ્રસંગે એનએસઈના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર રામકૃષ્ણને કહ્યું કે અમે 13 નવાં પ્રોડક્ટ્સ લોન્ચ કર્યાં એ સાથે એનર્જી, બુલિયન અને બેઝ મેટલ કેટેગરીમાં તમામ મહત્ત્વપૂર્ણ પ્રોડક્ટ્સ એનએસઈ પ્લેટફોર્મ પર હવે ઉપલબ્ધ છે, જેના દ્વારા બજારના સહભાગીઓ તમામ કોમોડિટીઝમાં તેમના જોખમનું અસરકારકપણે મેનેજ કરી શકશે.
13 નવા ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટ્સમાં નીચે જણાવેલા કોન્ટ્રેક્ટ્સનો સમાવેશ થાય છે.
આ પૂર્વે છેલ્લાં કેટલાક દિવસોમાં એક્સચેન્જે 6 નવા ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટ્સ લોંચ કર્યાં છે, જેમાં ડબલ્યુટીઆઇ ક્રૂડ ઓઇલ – મિની ફ્યુચર્સ અને ઓપ્શન્સ ઓન ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ, નેચરલ ગેસ – મિની ફ્યુચર્સ અને ઓપ્શન્સ ઓન ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ એક્સચેન્જ ઉપર પહેલેથી જ ગોલ્ડ 1 કિલો ફ્યુચર્સ, ગોલ્ડ મિની ફ્યુચર્સ, ગોલ્ડ પેટલ ફ્યુચર્સ (1 ગ્રામ), સિલ્વર 30 કિલો ફ્યુચર્સ, સિલ્વર 30 કિલો ઓપ્શન ઓન ગુડ્સ, ડબલ્યુટીઆઇ ક્રૂડ ઓઇલ ફ્યુચર્સ, નેચરલ ગેસ ફ્યુચર્સ, બ્રેન્ટ ક્રૂડ ઓઇલ ફ્યુચર્સ અને કોપર ફ્યુચર્સ ઉપર કોમોડિટી કોન્ટ્રાક્ટ્સ ઉપલબ્ધ છે.
એક્સચેન્જે તેના કોમોડિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં સહભાગીઓની રૂચિમાં વધારો જોયો છે તથા નવી પ્રોડક્ટ્સ અને વિશેષ કરે ડબલ્યુટીઆઇ ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસ ઉપર ડેરિવેટિવ્ઝ સાથે નવા કોન્ટ્રેક્ટ્સ લોંચ કરાયા છે, જેમાં ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (એફપીઆઇ) અને ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત વિવિધ શ્રેણીના સહભાગીઓની સામેલગીરી જોવા મળી છે.
ડબલ્યુટીઆઇ ક્રૂડ ઓઇલ, નેચરલ ગેસના મિની એફએન્ડઓ અને સિલ્વરના મિની અને માઈક્રો એફએન્ડઓનો સમાવેશ થાય છે.
મેમ્બર્સના માર્ગદર્શન માટે અને અલ્ગોરિધમિક ટ્રેડિંગ મંજૂરીઓ પૂરી પાડવા જેવી અસરકારક કામગીરી સંબંધે મેમ્બર્સને વિક્ષેપમુક્ત અનુભવ પૂરો પાડવાના હેતુથી સમર્પિત ટીમોની સ્થાપના કરવામાં આવી છે, એમ એનએસઈએ જણાવ્યું હતું.
વોશિંગ્ટનઃ ઇઝરાયેલ અને પેલેસ્ટાઇનના આતંકવાદી સંગઠન હમાસની વચ્ચે જારી યુદ્ધની વચ્ચે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને કહ્યું હતું કે ઇઝરાયેલે હમાસ જેવા કાયર આતંકવાદી સંગઠનને ખતમ કરવું જ પડશે, પણ ઇઝરાયેલ ગાઝાને ખતમ કરશે કે એના પર કબજો જમાવશે તો એ એની મોટી ભૂલ હશે.ઇઝરાયેલની મદદ કરવા માટે યુદ્ધમાં અમેરિકી સૈનિકોના પ્રવેશને તેમણે કહ્યું હતું કે ઇઝરાયેલની પાસે સૌથી ઉમદા યુવતીઓની સેનામાંની એક છે. હું ગેરન્ટી આપું છું કે અમે તેમને તેમની દરેક જોઈતી ચીજવસ્તુ ઉપલબ્ધ કરાવીશું.
પેલેસ્ટાઇનના નિર્દોષ લોકોને ટૂંક સમયમાં દવા, ખાણીપીણીનો માલસામાન મળશે. એના માટે કામ કરવામાં આવી રહ્યું છે. અમેરિકી વહીવટી તંત્ર ગાઝાથી નિર્દોષ બાળકો અને મહિલાઓને બહાર કાઢવા માટે એક માનવીય વિસ્તાર સ્થાપિત કરવા માટે ઇજિપ્તથી વાતચીત કરવામાં વ્યસ્ત છે, કેમ કે ઇઝરાયેલ ગાઝામાં જમીની ઓપરેશન કરવા માટે તૈયાર છે. આવામાં ઇજિપ્ત જ એક જ રસ્તો છે.
તેમણે કહ્યું હતું કે ગાઝા પર એક ઇઝરાયેલનો સંપૂર્ણ કબજો એ ભૂલ હશે. પેલેસ્ટેનિયનો હમાસ અને હિઝબુલ્લા જેવા ગ્રુપોને ટેકો નથી આપતા, એ આ પ્રદેશમાં શાંતિ માટે જરૂરી વાસ્તવિકતા છે, એમ તેમણે કહ્યું હતું. હમાસે જે રીતે નરસંહાર કર્યો છે, જે બર્બરતા કરી એ જરાય યોગ્ય નથી, એમ તેમણે કહ્યું હતું.
ગરબાશબ્દ બોલાય એટલે ગોળ-ગોળ ફરતા અને તાળીઓનાં તાલ સાથે નૃત્ય કરતાં લોકો નજર સામે આવે. ગરબા વિના ગુજરાતીઓ અધૂરાં ગણાય. ગયા શનિવારે કાંદિવલીમાં એક અનોખો માહોલ રચાયો હતો. આ માહોલ બેઠાં ગરબાનો હતો, જે પાંચ હજાર વરસ જૂની પરંપરાનો એક ભાગ છે. દસેક બહેનોએ સ્ટેજ પર બેઠાં-બેઠાં ગરબા ગાઈને શ્રોતાઓનાં દિલ ડોલાવી દીધા હતા.
કાંદિવલી એજ્યુકેશન સોસાયટી (કે.ઈ.એસ) સંચાલિત, ગુજરાતી ભાષા ભવન દ્વારા આયોજિત ‘આધ્યશક્તિની આરાધના’ અંતર્ગત શ્રી નાગર મંડળ, અંધેરી દ્વારા પ્રસ્તુત નાગર જ્ઞાતિની ધરોહર સમા માતાજીનાં પરંપરાગત બેઠાં ગરબાનાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કાંદિવલીની કેઈએસ ઈન્ટરનેશનલ સ્કૂલના સભાગૃહમાં કરાયું હતું.
આ કાર્યક્રમનું સંચાલન કરનાર ગુજરાતી ભાષા ભવનના સભ્ય ડો. સેજલ શાહે શરૂમાં જ કહી દીધું હતું કે “આજે આ મંચ ઉપર માત્ર સૂર, સંગીત જ નહીં પરંતુ આધ્યશક્તિ તરફથી મળેલી ભક્તિ અને શક્તિનું એક અનોખું તેજ જોવા મળશે”. આ શબ્દો કાર્યક્રમના અંતે સાર્થક થયા હતા.
શ્રી નાગર મંડળ, અંધેરીનાં પ્રમુખ અર્ચિતાબેન મહેતા, વિશિષ્ટ સભાસદ ધારિણીબેન મહેતા, સેક્રેટરી જાગૃતિબેન વૈષ્ણવ, દીપ્તિબેન દેસાઇ તથા જયશ્રીબેન શાહ દ્વારા દિપપ્રજ્વલન દ્વારા બેઠાં ગરબાના આ સુંદર કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી.
નાગરોની વિશિષ્ટતા
કે.ઈ.એસ.નાં શિક્ષિકા દિપ્તીબેન બૂચ પોતે પણ એક નાગર છે એમ જણાવતા એમણે નાગરોની વિશિષ્ટતાનો પરિચય આપ્યો હતો. એમણે કહ્યું હતું કે ‘જ્ઞાનની તીવ્ર તીતિક્ષાને પ્રતિક્ષા કરતાં કરી મૂકે એવા પ્રત્યેક ગુણો જેનામાં કેળવાય અને સંસ્કૃતિમાં ભેળવાય અને પછી સંસ્કાર રૂપે જેનામાં ઉજાગર થાય એ નાગર છે.’ એમણે બેઠાં ગરબા વિષે કહ્યું હતું કે ‘માતાજીનાં ફરતા શક્તિચક્રને યોગીઓની માફક સ્થિર બેસીને આત્મામાં રોપવા અને લોકો સમક્ષ પહોંચાડવા એ બેઠાં ગરબાની બહુ જ સુંદર વિભાવના છે.’
પરિકલ્પના અને કલાકાર વૃંદ
આ કાર્યક્રમની પરિકલ્પના શ્રી નાગર મંડળ, અંધેરીના પ્રમુખ તેમ જ કાર્યક્રમના સૂત્ર સંચાલક અર્ચિતાબેન મહેતાની હતી. તેમને મંડળના વિશિષ્ટ સભાસદ ધારિણીબેન મહેતા અને પ્રીતિબેન દીવાન, પીઆરઓ કલ્પાબેન વોરા, સેક્રેટરી જાગૃતિબેન વૈષ્ણવ, જોઇન્ટ ટ્રેઝર તર્જીનીબેન મહેતા, કવિતાબેન છાયા, જેઓ મંડળનું ડિજિટલ મેનેજમેન્ટ સંભાળે છે, કૉ ઓપ્ટ સભ્ય દીપિકાબેન હાથી તેમ જ ત્રિપર્ણાબેન દેસાઇ, માનદ સભ્ય શીતલબેન નાણાવટીએ સાથ આપ્યો હતો. આ દસ નાગર બહેનોએ સાથે મળીને પારંપારિક ગરબાની સરસ જમાવટ કરી હતી. તેમની સાથે ઢોલક તેમ જ તબલા પર ભૂમિકભાઈ મહેતાએ સાથ આપ્યો હતો.
કયા ગરબા ગવાયા?
આ કાર્યક્રમમાં નિનુભાઈ મઝુમદારનો ગરબો જે આઠમને દિવસે માતાજીને ચોપાટ રમાડતી વખતે ગવાતો હોય છે એનું સુંદર પ્રસ્તુતિકર્ણ થયું. એ ઉપરાંત, શ્રી નાગર મંડળ, અંધેરીના સભ્ય હતા એવા ગાર્ગીબેન મહેતાનો લખેલો – ‘નોરતાની રાત આવી’, ‘નવી વહુને નોરતામાં ગરબો લાગ્યો રૂડો રાજ’, ‘હેલારો’ ફિલ્મમાં જેમણે સંગીત આપ્યું હતું તે મેહુલ સુરતી દ્વારા સ્વરબધ્ધ કરાયેલ ક્લાસિકલ આધારિત ગરબો – ‘આભને ઝરૂખે માંડી તારો દીવડો પ્રગટાવ્યો’, વડીલ મુરબ્બી તરલાબેનનો રાગ બાગેશ્રી ઉપર આધારિત ગરબો, ‘આજ આરા તે સૂરમાં ડંકો વાગ્યો’, મયૂરીબેન દેસાઇ લિખિત ‘પધારો પધારો’, જેવા ગરબાઓ પ્રસ્તુત થયા હતા. સુરેનભાઈ ઠાકર-‘મેહુલ’ દ્વારા લિખિત તેમ જ આસિતભાઈ દેસાઈ દ્વારા સ્વરાંકિત થયેલો ગરબો ‘આભલેથી ઊતરી મા ગરબે રમવા આવો’, મંડળના સેક્રેટરી જાગૃતિબેન વૈષ્ણવે પ્રસ્તુત કર્યો હતો. અવિનાશ વ્યાસ અંબાજીમાં બેસીને ગરબા લખતા હતા. તેમનો ગરબો ‘માડી તારા મંદિરીયામાં ઘંટારવ થાય’ પણ અહી રજૂ થયો હતો. હંસુબેનનો શિરમોર ગરબો ‘નવ નવ તે માનાં નોરતા રે’ પણ ગાવામાં આવ્યો હતો.
હૈયાં નાચી ઉઠયા
હાર્મોનિયમ અથવા સીન્થેસાઈઝર વગર જ ફક્ત તબલા, ઢોલ, ખંજરી, મંજીરાનાં તાલે આ કલાકારવૃંદે માહોલ સર્જી દીધો હતો. ગર્ભ દીપને અંતરના ઉમળકાથી વધાવતી આપણી પાંચ હજાર વર્ષ જૂની ગરબાની આ સંસ્કૃતિ કેટલી ભવ્ય તેમ જ દિવ્ય છે એનો અહેસાસ શ્રી નાગર મંડળ, અંધેરી સંસ્થાની આ બહેનોએ કરાવ્યો હતો. ગરબા સાંભળીને સામાન્ય રીતે પગ નાચી ઊઠે છે પરંતુ બેઠા ગરબાની આ સુંદર પ્રસ્તુતિથી હાજર રહેલા સૌના હૈયાં નાચી ઉઠ્યા હતા. અલબત્ત, કાર્યક્રમના અંતે શ્રોતાઓને નૃત્ય સાથે ગરબા રમીને માણ્યા પણ હતા.
શ્રી નાગર મંડળ, અંધેરીની સ્થાપના અને પ્રગતિ
નાગરોની એક વિશેષ સૂઝ અને સમજ તેમ જ એમના સાંસ્કૃતિક તેમ જ સાહિત્યિક પ્રેમથી પ્રેરાઈને ૧૯૬૬ માં આનુભાઈ વસાવડા અને હન્સુબેન વસાવડાએ શ્રી નાગર મંડળ, અંધેરીના બીજ રોપ્યા હતા. અશ્વિનભાઈ વૈષ્ણવ, નવીનભાઈ માંકડ, જયંતભાઈ મહેતા, વિપુલભાઈ વૈદ્ય, સિધ્ધાર્થભાઈ મહેતા, વંદનાબેન મહેતા આ બધાએ સાથે મળીને આ બીજને વટવૃક્ષ બનાવવામાં પોતાનો અથાગ ફાળો આપ્યો છે. વર્ષો દરમ્યાન આ મંડળની કમિટીઓ અવશ્ય બદલાતી રહી છે, પરંતુ બેઠા ગરબાની આ પરંપરા અહીં હજુ પણ યથાવત્ રહી છે. સુગમ સંગીતના જાણીતા ગાયકો આસિતભાઈ દેસાઇ અને હેમાબેન દેસાઈની તાલીમ હેઠળ આ મંડળની સભ્યબેનો તૈયાર થયા છે.
નાગર મંડળનું સભ્યપદ કેવળ નાગરો માટે જ ઉપલબ્ધ છે. આ મંડળમાં પાટોત્સવ તેમ જ દિવાળીનાં પ્રોગ્રામ કરવામાં આવે છે. આવતા વર્ષે શ્રી નાગર મંડળ, અંધેરી ફરતા ગરબાનું આયોજન કરવાનું છે. સુલેખાબેન બક્ષી – સંસ્થાપક આનુભાઈ-હન્સુબેન વસાવડાના સુપુત્રીએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી તેમ જ તેમણે એક ગરબાની પ્રસ્તુતિ પણ કરી હતી. આ મંડળના બીજા સ્તંભો છે ટ્રેઝરર નીતિનભાઈ બૂચ, માનદ સભ્ય શ્રીદેવીબેન માંકડ, ચિરાગભાઈ વૈષ્ણવ, જોઇન્ટ સેક્રેટરી હિમાલીબેન દીવાન, ઉપપ્રમુખ ડીમ્પલબેન વૈષ્ણવ, કૉ ઓપ્ટ મેમ્બર પાયલ અંજારિયા.
સમય સાથે મિલાવાતો તાલ :
આ મંડળ પ્રાચીન સંસ્કૃતિની માવજત કરવાની સાથે સાથે અર્વાચીન વાઘા પહેરીને આજે સમય સાથે તાલ મેળવવા સજ્જ છે. કોરોના કાળ પછીથી છેલ્લા ત્રણ વર્ષથી ઝૂમ, યૂટ્યૂબ તેમ જ ઑનલાઈન માધ્યમે બેઠા ગરબા સૌ પ્રથમ શરૂ કરનાર શ્રી નાગર મંડળ, અંધેરી છે. ‘શ્રી નાગર મંડળ અંધેરી’ને નામે એમની યૂટ્યૂબ ચેનલ છે જેની ઉપર સતત ઑનલાઈન પ્રોગ્રામ થાય છે. નવરાત્રી દરમ્યાન એક વિશેષ પ્રોગ્રામ પણ આ ચેનલ ઉપર આવી રહ્યો છે, જેનું નામ છે ‘ગરબોત્સવ’. બે વર્ષથી આ ચેનલમાં મુંબઈ ઉપરાંત અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર, વલ્લભ વિદ્યાનગરનાં મંડળો પણ જોડાયા છે તેમ જ આ વર્ષથી સિડની તેમ જ યુએસએ સ્થિત નાગર મંડળો પણ એમાં જોડાયા છે. અહીં પ્રાચીન, અર્વાચીન તેમ જ બેઠા ગરબાનાં એક થી સવા કલાકના એપિસોડ મૂકવામાં આવે છે.
નવી દિલ્હીઃ ફ્રાંસના એસ્ટ્રોનોટ (અંતરિક્ષ યાત્રી) થોમસ પેસ્કેટે હાલમાં કહ્યું હતું કે ભારત એક મહત્ત્વની સફળતા હાંસલ કરવાની નજીક છે. ગગનયાન મિશન-જેનું લક્ષ્ય મનુષ્યોને અંતરિક્ષમાં મોકલવાનું છે- એક બહુ પ્રભાવશાળી છે. વડા પ્રધાન મોદીએ ફ્રાંસિસી અંતરિક્ષ યાત્રી થોમસ પેસ્કેટની ભારત પર આનંદ વ્યક્ત કર્યો છે. તેમણે X પર પોસ્ટ કર્યું હતું કે થોમસ પેસ્કેટ આનંદ છે કે તમે ભારત આવ્યા અને અમારા યુવાઓની વિજ્ઞાન અંતરિક્ષ અને સંશોધનના ક્ષેત્રમાં જીવંતતા અને ગતિશીલતાનો અનુભવ કર્યો છે. પેસ્કેટે તેમને ભારત આમંત્રિત કરવા માટે વડા પ્રધાન મોદીનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે અંતરિક્ષ પ્રતિ દેશના ઝનૂનને જોવું એ તેમના માટે આંખ ઉઘાડનાર અનુભવ હતો.
X પર થોમસે લખ્યું હતું કે યુરોપ અને ભારતમાં લોકો જ્યારે મોટાં સપનાં જુએ છે, ત્યારે વિશ્વ બદલાઈ જાય છે. તેમણે ISROના વડા એસ. સોમનાથ સાથે મુલાકાત કરી હતી. તેમણે અંતરિક્ષ સમુદાયના નેતાઓ, યુવા ઉદ્યોગ સાહસિકો અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી.
Glad you came to India @Thom_astro and experienced the vibrancy and dynamism of our youth, particularly in the fields of science, space and innovation. https://t.co/87nWT83bHH
તેમણે ચંદ્રયાન અને મંગળ અંતરિક્ષ મિશનનોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે હું સૌપ્રથમ વાર ભારત આવ્યો છું અને હું વિચારું છું કે એ કેમ નહીં થાય? ગગનયાન પ્રોજેક્ટની સાથે ભારત કેપ્સ્યૂલ અને રોકેટની સાથે અંતરિક્ષમાં ઉડાનમાં દ્રઢતાથી સંલગ્ન છે. સપનાં જોવાવાળા ભારતીયોની કોઈ સીમા નથી, એમ તેમણે કહ્યું હતું.