નવી દિલ્હીઃ રાષ્ટ્રીય પાટનગર દિલ્હી-NCR સહિતના વિસ્તારોમાં લોકોએ આજે બપોરે લગભગ 4 કલાક 8 મિનિટે ધરતીકંપના તીવ્ર આંચકાનો અનુભવ કર્યો હતો. ઘણે સ્થળે લોકો ગભરાટના માર્યા રસ્તાઓ પર દોડી ગયા હતા. રીક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા 3.1ની નોંધાઈ હતી.
ધરતીકંપનું કેન્દ્રબિંદુ હરિયાણાના ફરિદાબાદથી 13 કિલોમીટર દૂરના અંતરે હોવાનું માલૂમ પડ્યું હતું. બે અઠવાડિયામાં આ ત્રીજી વખત દિલ્હીની ધરતી ધ્રૂજી છે.
તિરુવનંતપુરમઃ કેરળ રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે ભારે વરસાદ પડ્યો છે. એને પગલે ભૂસ્ખલનની ઘટના બની છે અને ઘણા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
સૌથી વધારે ખરાબ અસર દક્ષિણ ભાગના તિરુવનંતપુરમ જિલ્લામાં થઈ છે. અનેક ભાગોમાં પૂર જેવી સ્થિતિ સર્જાતાં ફસાઈ ગયેલાં લોકોને હોડીઓની મદદથી ઉગારવામાં આવી રહ્યાં છે.
તિરુવનંતપુરમ જિલ્લામાં અનેક મકાનોમાં વરસાદનાં પાણી ઘૂસી ગયા છે. કેટલાક વિસ્તારોમાં ભેખડો ધસી પડવાની ઘટનાઓ પણ બની છે. જળબંબાકાર વિસ્તારોમાં ફસાઈ ગયેલાં લોકોને હવાથી ફૂલાવેલી બોટની મદદથી ઉગારીને કેમ્પ્સમાં લઈ જવામાં આવ્યાં છે. અનેક વિસ્તારોમાં પાણીમાં ડૂબી ગયેલી મોટરકારોને દર્શાવતી તસવીરો ઈન્ટરનેટ પર જોવા મળી રહી છે. રાજ્યના શિક્ષણ પ્રધાન વી. સિવનકુટ્ટી અને રેવેન્યૂ પ્રધાન કે. રાજને પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને તેની તસવીરો એમના ફેસબુક પેજ પર શેર કરી છે.
તિરુવનંતપુરમ જિલ્લાની 3 નદીઓમાં પૂર આવવાની ચેતવણી ઈશ્યૂ કરવામાં આવી છે. 600 જેટલા લોકોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યાં છે.
મુંબઈઃ અમેરિકાની એપલ કંપનીના આઈફોન સ્માર્ટફોનની લોકપ્રિયતા દુુનિયાભરમાં ફેલાઈ છે. એપલની iOS સિસ્ટમ દુનિયામાં વ્યાપકપણે વપરાતી ઓપરેટિંગ સિસ્ટમ છે. દુનિયાભરમાં 1.46 અબજ લોકો આ સિસ્ટમનો ઉપયોગ કરે છે. આમાં અંદાજે 4 કરોડ લોકો ભારતમાં છે જેઓ આઈફોન વાપરે છે. આને લીધે iOS અને એપલ આઈપેડ્સમાં વપરાતી સંલગ્ન ઓપરેટિંગ સિસ્ટમ iPadOS સાઈબર હુમલાઓની અવારનવાર ટાર્ગેટ બને છે, જે ગ્રાહકોને બહુ ખરાબ રીતે અસર પહોંચાડે છે.
ભારત સરકાર આવી દ્વેષયુક્ત પ્રવૃત્તિઓ પર સતત નજર રાખી રહી છે અને તેણે 16.7.1. વર્ઝન પહેલાના એપલ iOS અને iPadOS યૂઝર્સ માટે ચેતવણી ઈશ્યૂ કરી છે. કેન્દ્રના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયની ઈન્ડિયન કમ્પ્યુટર ઈમર્જન્સી રીસ્પોન્સ ટીમ દ્વારા તેના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ચેતવણીરૂપ OS સિસ્ટમ આઈફોન 8 તતા તે પછીના ડિવાઈસીઝ માટે છે. તેમજ આઈપેડ Pro, આઈપેડ Air ત્રીજી અને તે આવૃત્તિઓ, આઈપેડ પાંચમી તથા તે પછીની આવૃત્તિઓ અને iPas મિની પાંચમી તથા તે પછીની આવૃત્તિના મોડેલ્સને લાગુ પડે છે.
સ્કેમર્સ (કૌભાંડકારીઓ) આવા ડિવાઈસ પર કન્ટ્રોલ જમાવી શકે છે અને યૂઝરના ગેજેટ્સમાંની ખાનગી તથા સંવેદનશીલ માહિતી ચોરી શકે છે. આઈફોન ઉત્પાદક એપલ કંપની તેની ઓપરેટિંગ સિસ્ટમ્સ માટે નિયમિત રીતે અપડેટ્સ રિલીઝ કરતી હોય છે, પરંતુ ઘણા યૂઝર્સ એમનાં ડિવાઈસીસને અપડેટ કરતાં નથી. એમાં અનેક કારણો હોય છે, યૂઝરને જૂની સિસ્ટમની વધારે ફાવટ આવી ગઈ હોય છે, અથવા સ્ટોરેજ કે તારીખની સમસ્યા પણ એમને સતાવતી હોય છે. પરંતુ એમ કરવાથી તેઓ એમના આઈફોન કે આઈપેડને સ્કેમર્સના હવાલે કરી દેતા હોય છે.
મુંબઈઃ શ્રીલંકાનો કેપ્ટન દસૂન શાનકા સાથળમાં થયેલી ઈજાને લીધે હાલ રમાતી આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ સ્પર્ધામાં વધુ નહીં રમે. એની જગ્યાએ ટીમમાં ચમિકા કરુણારત્નેને સામેલ કરવામાં આવ્યો છે, જે અત્યાર સુધીમાં 23 વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે. જ્યારે ટીમનું સુકાન કુસલ મેન્ડિસને સોંપવામાં આવ્યું છે. શ્રીલંકાની ટીમ માટે આ બહુ મોટા ફટકાસમાન છે, કારણ કે હાલની વર્લ્ડ કપમાં આ ટીમ હજી સુધી એકેય મેચ જીતી શકી નથી.
શાનકાને ઈજામાંથી સાજા થતાં ત્રણેક અઠવાડિયા જેટલો સમય લાગે એમ છે, એમ આઈસીસી દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે. કુસલ મેન્ડિસ હાલની વર્લ્ડ કપમાં શ્રીલંકાનો મોખરાનો બેટર રહ્યો છે. તેને વાઈસ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો અને હવે તે કેપ્ટન તરીકે કામગીરી બજાવશે.
નવી દિલ્હીઃ શક્તિસ્વરૂપ મા જગદંબાની ઉપાસનાનાં પવિત્ર પર્વ નવરાત્રીનો આજથી આરંભ થયો છે. આ નવ દિવસનો તહેવાર લોકો પરંપરાગત ધાર્મિક ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવશે. આ મહાપર્વ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને સુખ અને સમૃદ્ધિ પ્રાપ્તિની શુભેચ્છા આપી છે.
વડા પ્રધાન મોદીએ X પ્લેટફોર્મ પર લખ્યું છે: ‘શક્તિદાયી મા દુર્ગા દરેકના જીવનમાં સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય અને સારું સ્વાસ્થ્ય આપે એવી શુભેચ્છા.’
નવરાત્રીને ઉત્સવ અને ધાર્મિક રીતરિવાજો સાથે સાંકળવામાં આવે છે. આ પર્વની ઉજવણી દેશભરમાં કરવામાં આવે છે અને નવ દિવસ બાદ દસમા દિવસે દશેરા ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.
देशवासियों को नवरात्रि की ढेरों शुभकामनाएं। शक्ति प्रदायिनी मां दुर्गा हर किसी के जीवन में सुख-समृद्धि, सौभाग्य और उत्तम स्वास्थ्य लेकर आएं। जय माता दी!
नवरात्रि के पहले दिन मां शैलपुत्री के चरणों में कोटि-कोटि वंदन। उनसे प्रार्थना है कि वे देश के जन-जन को शक्ति और समृद्धि का आशीर्वाद दें। pic.twitter.com/JdyL0aOe9p
“નવ” ના બે અર્થ થાય છે. એક છે ‘9’ અને બીજો છે ‘નવું’. જે રીતે સાપ પોતાની કાંચળી ઉતારે છે તે રીતે આપણે પણ આપણી જૂની બાબતોને તિલાંજલી આપવી જોઈએ અને આપણી ચેતનાને તરોતાજા કરવી જોઈએ. “રાત્રિ” એટલે રાત,કે જે આરામ આપે છે. આપણે ત્રણ પ્રકારના દુ:ખથી પીડાઈએ છીએ. એક દુ:ખ એ છે જે અંદરથી ઉત્પન્ન થાય છે. બીજું એ છે જે બહાર ઉત્પન્ન થાય છે. ત્રીજું સૂક્ષ્મ છે અને તે આ બન્નેની વચ્ચે છે. રાત્રિ આપણને આ ત્રણેય દુ:ખમાં રાહત આપે છે અને શરીર, મન તથા ચેતનાને આરામ આપે છે. તમે સૂઈ જાવ છો ત્યારે શું થાય છે? તમને તમારી બધી ચિંતાઓમાંથી રાહત મળે છે.
નવરાત્રિ દરમ્યાન તમારું મન દૈવી ચેતનામાં ઓતપ્રોત રહેવું જોઈએ. જન્મ પહેલા જે રીતે બાળક નવ મહિના માના ઉદરમાં રહે છે તે રીતે આ નવ દિવસ અને રાત્રિ દરમ્યાન વ્યક્તિએ પોતાની અંદર ઉતરવું જોઈએ અને પોતાના ઉદ્દગમને યાદ કરવો જોઈએ. પોતાની જાતને આ પ્રશ્નો પૂછો,”મારો જન્મ કેવી રીતે થયો હતો? મારું ઉદ્દગમ શું છે?” તમારે તમારી ચેતના વિશે મનન કરવું જોઈએ અને આ નવ દિવસોને નવ મહિનાની જેમ જોવા જોઈએ.
આ નવ દિવસોનો ઉત્સવ વ્યક્તિને અંદર ઉતારવા અને તેની ઉન્નતિ માટે છે. એ એક આંતરિક અને ઊર્ધ્વ યાત્રા છે. એ પવિત્ર દિવસોમાં ધ્યાન રાખો કે નાની નાની બાબતો તમને તમારા લક્ષ્યથી વિચલિત ના કરે. આપણું મન એટલું તો ચાલાક છે કે આપણને આપણા લક્ષ્યથી દૂર કરી દે છે અને આપણને નાની નજીવી બાબતોમાં લગાડી દે છે. આપણી બાજુમાં કોઈને છીંક આવે કે કોઈના નસકોરા બોલતા હોય એ આપણી ગાડીને પાટા પરથી ઉતારી દેવા માટે પૂરતું છે. જ્યારે આપણે આપણું મન કે જે નકારાત્મકતામાં જતું રહેતું હોય તે બાબતે જાગૃત થઈએ છીએ ત્યારે આપણે હોંશિયાર થઈએ છીએ. તે સમયે આપણે આપણા ગણગણાટ કરતા નાના મન ઉપર વિજય પ્રાપ્ત કરી શકીએ છીએ.
આ નવ રાત્રિઓ આપણે આરામ મેળવી શકીએ એ માટે હોય છે. કુલ નવ રાત્રિઓમાંથી દરેક ત્રણ રાત્રિ ત્રણ ગુણોને અનુરૂપ છે-તમસ, રજસ અને સત્વ. આથી, કોઈ વિખવાદ થાય તો પણ તે તમામને બાજુ પર રાખી તમારા નિર્દોષપણાં સાથે રહો.
આ આખું બ્રહ્માંડ એ એક દૈવી શક્તિનું બનેલું છે. આ આખી સૃષ્ટિ કંપનમય અને ઝળહળતી ચેતનાની બનેલી છે, અને આપણા બધા દેહ સમુદ્રરુપી ચેતના, કે જે અદ્રશ્ય છે, તેમાં છીપલાની જેમ તરી રહ્યા છે. આપણે ચેતનાને જોઈ શકતા નથી પણ અનુભવી શકીએ છીએ. માટે,આ નવ દિવસોમાં તમારે એ અજ્ઞાતનો અનુભવ કરવો જોઈએ. ભલે આપણને બધી પૂજા અને વિધિઓના અર્થની ખબર ના પડે, પણ આપણે આપણા હ્રદય અને મનને મુક્ત રાખીને બેસવું જોઈએ અને વિધિઓથી જે સ્પંદનો ઉત્પન્ન થાય તે અનુભવવા જોઈએ.
ખેડૂત ખેતર ખેડે છે, બીજ વાવે છે, પાણી પીવડાવે છે અને પછી ખાતર નાંખે છે તથા પાકમાં જંતુનાશકની જરૂર હોય તો તેનું પણ ધ્યાન રાખે છે. પરંતુ ઉપભોક્તાને આ કશા સાથે લેવા દેવા નથી હોતી. ઉપભોક્તાને આ આખી ખેતીની પ્રક્રિયાના ફળ સ્વરૂપે જે મળે છે તેમાં રસ હોય છે. એ જ રીતે, પૂજાના અને યજ્ઞોના નિષ્ણાંતો સ્પંદનો ઉત્પન્ન થાય તે માટે જે જરૂરી છે તે બધું જ કરશે. આપણું કામ તો માત્ર હ્રદય અને મનને ખુલ્લા રાખીને બેસવાનું છે. આપણે તો માત્ર સ્મિત આપવાનું અને આશીર્વાદ મેળવવાના છે. તમામ વિધિઓ અને પ્રથાઓ સાથે યોગ્ય રીતે કરવામાં આવતા મંત્રોચ્ચાર ચેતનાની શુધ્ધિ અને ઉન્નતિ કરે છે. આપણે તો માત્ર એ માણવાનું છે.
નવરાત્રિ પૂરી થાય પછી આપણે વિજયા દશમીની ઉજવણી કરીએ છીએ. આ દૈવી ચેતનાને જાગૃત કરવાનો દિવસ છે. તમને જે બધું મળ્યું છે તે માટે આશીર્વાદ તથા મહત્વ મળ્યાનો અનુભવ કરો.
(શ્રી શ્રી રવિશંકરજી)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)
આજના દિવસમાં તમને થોડો ઉત્સાહ જોવા મળી શકે છે, વાર્તાલાપમાં સારો સમય પસાર થાય, જૂની ઓળખાણ તાજી થાય તેમાં તમને આનંદ,ખુશીની લાગણીનો અનુભવ થાય, આજે આરામકરવાની અને થોડેક અંશે આળસવૃતિ પણ જોવા મળે, ધાર્મિકસ્થાનની મુલાકાત પણ થઈ શકે છે.
આજે સગા-સ્નેહી, જુનાપરિચિત સાથે મિલનમુલાકાતકે કોઈ તેમની સાથેના અગત્યના કામકાજ યોગ છે, આરોગ્યબાબત થોડા બેદરકાર પણ બનો, કોઈ વ્યવહારુ અભિગમ અપનાવા જાવતો તમે ક્યાંક કોઈના થોડા રોષના પણ ભોગ બની શકો છે, ધીરજ અને શાંતિથી દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.
આજે તમારા માટે કોઇપણ પ્રકારના કામકાજ હેતુ નાનીકે મોટી મુસાફરીના યોગ બની રહ્યા છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, તમારાકે અન્ય માટેના શુભપ્રસંગ અંગે ચર્ચા-વિચારણા થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખવું.
આજે તમને થોડો માનસિકથાકકે કારણવગરનો ઉશ્કેરાટની લાગણીનો અનુભવ થાય, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છે, આકસ્મિકખર્ચા પણ કોઈ કારણસર થઈ શકે છે. શરદી,ખાંસી,તાવ જેવી નાનીનાની તકલીફથી તમે થોડી બેચીની વધુ અનુભવો. શાંતિથી દિવસ પસાર કરવો.યોગ્ય છે.
આજના દિવસે તમને કંઇકને કંઇક કરવાની જીજ્ઞાસા વધુ જોવા મળે અને કામકાજ કરવામાં થોડી ઉતાવળ કરવાની વૃતિ પણ જોવા મળે, કોઈ જુનાઅટકેલા કામ પુરા કરવા કે લગ્નની વાત ગોઠવવા માટે પ્રયત્ન કરવા જેમાં પ્રયત્ન સફળ થાય તેવા સંજોગો બની શકે છે, પ્રિયજન સાથે સારો સમય પસાર થાય.
આજે કુટુંબના સભ્યો સાથે મિલનમુલાકાત થાય કે કોઈ સામાજિકકે ધાર્મિકપ્રસંગમાં હાજરી આપવાના યોગ બને છે અને તેમાં તમારું વર્ચસ્વ અને મોભો જળવાય તેવું પણ બની શકે છે. તમને કોઈની મજાક-મશ્કરી કરવાની વૃતિ જાગે પરંતુ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.
આજ દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, લગ્નયોગ ધરવતા યુવાવર્ગ માટે વાર્તાલાપકે મિલનમુલાકાત સારી રહી શકે. નાનાઅંતરની મુસાફરી થઈ શકે, આજે કોઈના કામકાજમાં ક્યાંક સહભાગી બનો તેવું પણ બની શકે છે.
આજે થોડી માનસિકચિંતાકે અશાંતિ જેવું લાગે કારણકે કોઈકને કોઈક વિચાર આબાબતે તમને અસ્વસ્થ કરી શકે છે. ઘરમાં વડીલવર્ગ સાથે વિચારમતભેદના થાય તેનું ધ્યાન રાખવું. બ્લડપ્રેશર, છાતીના દર્દ હોય તેવા લોકો માટે આજે તકેદારી રાખવી, ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ખાસ ધ્યાન રાખવું.
આજે મિત્રો સાથે સારોસમય પસાર થાય, તમે કોઈને કોઈકામમાં સહભાગી બનો તેવી લાગણી તમારામાં જોવા મળે, ધાર્મિકઆસ્થા થોડી વધુ જોવા મળી શકે. જુનાસંબંધ અચાનક યાદ આવે તેવા પણ યોગ છે. લગ્નબાબતની વાતચીતકે મિલનમુલાકાત કરવાથી સારો પ્રતિભાવ જોવા મળે તેવું બની શકે છે.
આજે થોડાક માનસિકવિચારોથી તમે અશાંતિ અનુભવો, મનમાંને મનમાં કોઈક વાતનો અજંપો રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, શક્ય એટલું ઓછુ બોલવું સારું, .કમર, હાડકા,પગમાં દુખાવાની તકલીફ વાળાએ આરોગ્યબાબતમાં ધ્યાન વધુ આપવું ઇચ્છનીય છે.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, લાકડા, ચામડા, ધાતુ, ઓઈલ, પેટ્રોલ, કોમ્પુટરક્ષેત્ર, ના કામ કરનારને સારું રહે, જુના કોઈકામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે તેને કારણે તમે અશાંત બની શકો છે, કોઈની ખોટીદોરવાણીથી ઉશ્કેરાઈના જવાય તેનું ધ્યાન રાખવું.
આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરી થઈ શકે છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારી વાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો, કોઈ માટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. લગ્નમાટેની મિલનમુલાકાત આજે આશાસ્પદ બને તેવા યોગ પણ છે.
અમદાવાદઃ વનડે વર્લ્ડ કપમાં પાકિસ્તાન ભારત સામે ક્યારેય જીત્યું નથી. વર્લ્ડ કપ 2023ની 12મી મેચ ભારત અને પાકિસ્તાનની વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ભારતની પાસે વનડે વર્લ્ડ કપમાં 7-0ની લીડ છે અને પલડું ભારે છે. જો શુબમન ગિલની વાપસી થશે તો મેન ઇન બ્લુની બેટિંગ વધુ મજબૂત થશે. સ્ટેડિયમની બહાર ક્રિકેટપ્રેમીઓની ભારે ભીડ જમા છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર અને અંદર જવાનો તહેનાત છે. 4000થી વધુ સુરક્ષા કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવાયો છે. દર્શકો સ્ટેડિયમમાં મોબાઇલ અને પાકીટ સિવાય કશું જ લઈ જઈ શકશે નહીં. માત્ર ગુજરાત જ નહીં, રાજસ્થાન અને અન્ય રાજ્યમાંથી પણ લોકો મેચ જોવા પહોંચી રહ્યા છે. દેશ-વિદેશમાંથી આવેલા દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Hello from the world's biggest cricket stadium, the Narendra Modi Stadium, Ahmedabad 🏟️👋
સ્ટેડિયમની બહાર ટીમ ઇન્ડિયાના સમર્થકો ટીમ ઇન્ડિયાની જર્સીમાં અને પોસ્ટર્સ સાથે જોવા મળી રહ્યા છે. ફેન્સના હાથમાં ઝંડા પણ જોવા મળી રહ્યા છે. શુભમન ગિલે પહેલા સેશનમાં 40 મિનિટ સુધી પ્રેક્ટિસ કરી હતી. તેણે નેટ્સમાં બેટિંગ કરી હતી. ગિલ રમે એવી સંભાવના છે. કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે એ 99 ટકા રમવા માટે તૈયાર છે.
ભારત અને પાકિસતાન વચ્ચે અત્યાર સુધીમાં 134 વન-ડે મેચ રમાઈ છે, જેમાં 73 પાકિસ્તાન જીત્યું છે, જ્યારે 56 ભારત જીત્યું છે, પાંચ મેચોમાં કોઈ પરિણામ નથી આવ્યું. આ સિવાય T20 ઇન્ટરનેશનલ મેચોમાં ભારત 12 મેચ જીત્યું છે, જ્યારે ત્રણ મેચમાં પાકિસ્તાનની જીત થઈ છે. જો ટેસ્ટ મેચોની વાત કરીએ તો પાકિસ્તાન 12 જીત્યું છે, જ્યારે ભારતે નવ મેચ જીતી છે, જ્યારે ડ્રો 38 ગઈ છે.