Home Blog Page 2429

નવરાત્રિ મહોત્સવમાં ટેટુનો ટ્રેન્ડ

અમદાવાદઃ શહેરના યુવાનોમાં વર્લ્ડ કપ ક્રિકેટ અને નવરાત્રિ મહોત્સવનો માહોલ છવાઈ ગયો છે. એકબાજુ જ્યાં ખેલૈયાઓ નવલી નોરતાની રાતોની તૈયારી કરી રહ્યાં છે ત્યાં બીજી બાજુ ક્રિકેટપ્રેમીઓમાં પણ જુદો જ થનગનાથ જોવા મળે છે.

શનિવારે ક્રિકેટ મેચ અને રવિવારથી શરૂ થતા રાસ-ગરબા માટે યુવાનો અવનવી થીમ સાથે બોડી પર ટેટુ પેઇન્ટિંગ કરાવી રહ્યા છે. આ સાથે દુનિયામાં શાંતિ રહે એ માટે ‘નો વોર’ ટેટુ પેઇન્ટ કરાવી રહ્યા છે.

અમદાવાદના સિંધુ ભવન પાસેના એક ટેટુ આર્ટિસ્ટ રાજુભાઈ ચિત્રલેખા.કોમને કહે છે સામાન્ય રીતે નવરાત્રિમાં યુવાનો ખેલૈયાની થીમ પર ટેટુ ચિતરાવતા હોય છે, પરંતુ આ વર્ષે નવરાત્રિ સાથે ક્રિકેટ વર્લ્ડ કપ પણ છે.

આ સાથે તાજેતરમાં જ ચંદ્રયાનની સફળતા મળી છે. જેથી સાંપ્રત ઘટનાઓ, બાબતોને ધ્યાનમાં રાખી લોકો બોડી પેઇન્ટ ટેટુ કરાવતા હોય છે.

આ સાથે દુનિયા કેટલાક દેશોની વોરની પરિસ્થિતિ છે. જે શાંતિમાં ફેરવાય એ માટે ‘ શાંતિ સંદેશ ‘ આપતા ‘નો વોર ‘ટેટુ લોકો પેઇન્ટ કરાવે છે.

અહીં આવતા તમામ વય-જૂથના લોકો બોડી પર પેઇન્ટ, સ્પ્રે, બોડી  ગ્લિટર ટેટુ, ટેમ્પરરી અને પરમેનેન્ટ ટેટુ કરાવતા હોય છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

કોઓપરેટિવ બેન્કોએ સહકારનો સ્વીકાર કરવો જોઈએઃ અમિત શાહ

નવી દિલ્હીઃ નેશનલ ફેડરેશન ઓફ અર્બન કોઓપરેટિવ બેન્ક્સ (NAFCUB-નેફકેબ)એ ગૃહપ્રધાન અમિત શાહના અધ્યક્ષસ્થાને અગ્રણી અર્બન કોઓપરેટિવ બેન્ક અને સ્ટેટ ફેડરેશન્સનું કોન્કલેવ (સભા) યોજી આવી હતી. આ કોન્કલેવમાં ગૃહ અને સહકારપ્રધાને વર્તમાન સમયની જરૂરિયાતોને ધ્યાનમાં રાખતાં સહકારી સમિતિઓની જરૂરિયાતો પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે સહકારથી જ આર્થિક વિકાસ થાય અને પ્રત્યેક વ્યક્તિ આવક જ દરેક નાગરિકની સમૃદ્ધિની વાસ્તવિક સ્થિતિ દર્શાવે છે અને સહકારથી જ 60 કરોડ લોકો માટે સમૃદ્ધિનો રસ્તો બને છે, જેને પાયાની જરૂરિયાતોને સરકાર દ્વારા ટેકો પૂરો પાડવામાં આવે છે. કોઓપરેટિવ બેન્કોએ સહજતાથી સહકારનો સ્વીકાર કરવો જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.

તેમણે સહકારથી UCBને મજબૂત અને આધૂનિક બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે આ સહકાર ક્ષેત્રે નાણાકીય શિસ્તનું પાલન કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આગામી પાંચ વર્ષોમાં સહકારી બેન્કોમાં રૂ. 5.5 લાખ કરોડથી બે ગણી કરીને રૂ. 11 લાખ કરોડ કરવાની જરૂર છે અને ભવિષ્યમાં વિસ્તરણ માટે મૂલ્યાંકન કરતા રહેવું જોઈએ.

નેફકેબે અર્બન કોઓપરેટિવ બેન્કો (UCBs)ની સામે આવતા પડકારોનો ઉકેલ લાવનારા ગૃહપ્રધાન અમિત શાહ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે નવી દિલ્હીના ભારત મંડપમમાં આ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્કલેવમાં અર્બન કોઓપરેટિવ બેન્કો માટે અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન (UO)ની રચના કરવાની મહત્ત્વની જાહેરાત કરવામાં આવી હતી, જે RBIના માર્ગદર્શનમાં સેલ્ફરેગ્યુલેશન ઓર્ગેનાઇઝેન (SRO) તરીકે કામ કરશે. આ અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન UCBs માટે IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ભંડોળની સહાય માટે મહત્ત્વની ભૂમિકા ભજવશે. આ કોન્કલેવમાં સહકાર મંત્રાલયના સચિવ જ્ઞાનેશ કુમાર સહિત મંત્રાલયના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ કોન્કલેવમાં સારસ્વત બેન્ક, શામરાવ વિઠ્ઠલ કોઓપરેટિવ બેન્ક (SVC), કોસમોસ બેન્ક, TJSB  કોઓપરેટિવ બેન્ક અને કાલુપુર બેન્કને એમની ઉત્કૃષ્ટ કામગીરી અને સહકારી સમિતિઓની સુધીની પહોંચ માટે એવોર્ડ આપવામાં આવ્યા હતા.

દેશમાં આશરે 1500 UCBs છે, જેમાં આઠ કરોડ ડિપોઝિટ એકાઉન્ટ્સ છે. આ બેન્કો વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહી છે, જેમાં શાખાના વિસ્તરણ અને પ્રાથમિક ક્ષેત્રે ધિરાણના લક્ષ્યાંકો સામેલ છે. હાલમાં નવા સ્થપાયેલા સહકાર મંત્રાલયના સહકારથી UCBsમાં એક મોટું પરિવર્તન જોવા મળ્યું છે. આ બેન્કો હવે નવી શાખા, વન ટાઇમ સેટલમેન્ટ, ડોર સ્ટેપ બેન્કિંગનો અમલ અને પ્રાથમિક સેક્ટરમાં ધિરાણના લક્ષ્યાંકોને સુધારી શકે છે.

આ કોન્કલેવમાં કોસમોસ બેન્ક, અભ્યુદય કોઓપરેટિવ બેન્ક સહિત કોઓપરેટિવ બેન્ક્સની મોટા ભાગની સહકારી સંસ્થાઓ હાજર રહી હતી. તેમણે આ ક્ષેત્રએ યુવા પ્રોફેશનલોને લાવવા માટે ઇજન આપ્યું હતું.

 

 

 

જર્મનીના 12 નાગરિકોએ ગયામાં પિંડદાન કર્યું

ગયાઃ બિહારના ગયા જિલ્લામાં 11 મહિલાઓ સહિત 12 જર્મન નાગરિકોએ પોતાના પૂર્વજોના આત્માની મુક્તિ માટે બુધવારે ફાલ્ગુ નદીના તટના દેવ ઘાટ પર પિંડદાન કર્યું હતું. બધી જર્મન મહિલાઓએ પારંપરિક ભારતીય સાડી પહેરીને વિષ્ણુપદ મંદિર અને દેવઘાટ પર પિંડદાન અનુષ્ઠાન અને જળ તર્પણ કર્યું હતું. તેમના ગ્રુપના એકમાત્ર પુરુષ સભ્યએ ધોતી પહેરીને પિંડદાન કર્યું હતું.

તેમણે સ્થાનિક પંડિત લોકનાથ ગૌડની સામે પિંડદાન કર્યું હતું. પિંડદાન કરવાવાળા જર્મન નાગરિકોમાં નાતાલિયા, સ્વેતલાના, ઓક્સાના, શાસા, ઇરિના, માર્ગારેટા, ગ્રિચકેવિચ, એલિસેન્ટ્રા અને કેવિન સામેલ હતા. ગયામાં 29 સપ્ટેમ્બરે શરૂ થયેલા પિતૃ પક્ષ દરમ્યાન પિતૃ પૂજા અને પિંડદાન કરવાનું બહુ શુભ માનવામાં આવે છે. પિંડદાન કર્યા પછી એલિસેન્ટ્રાએ સમવાદદાતાઓને કહ્યું હતું કે આ ગયા જિલ્લામાં મારી પહેલી યાત્રા છે અને અનુષ્ઠાન કર્યા પછી મને સારું લાગી રહ્યું છે. એક સુંદર જગ્યા છે અને લોકો બહુ સહયોગી છે. અમે આ ક્ષણને જીવનભર ક્યારેય નહીં ભૂલી શકીશું.

ગૌડે સંવાદદાતાઓને કહ્યું હતું કે પિતૃ પક્ષ દરમ્યાન ગયા આવનારા વિદેશઓની સંખ્યા દર મહિને વધતી જાય છે. હાલમાં યુક્રેનની એક મહિલાએ રશિયાના હુમલામાં માર્યા ગયેલા સૈનિકો અને લોકોના આત્માની શાંતિ અને મોક્ષ માટે અહીં સામૂહિક પિંડદાન કર્યું હતું.

શ્રાદ્ધ પક્ષના છેલ્લા દિવસે તીર્થ સ્નાન કે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પરંપરા છે  ઉપરાંત પૂર્વજો માટે શ્રાદ્ધકર્મ પછી દીપદાનનું પણ ખાસ મહત્વ છે. સર્વપિતૃ અમાસના દિવસે પંચબલિ કર્મ (બ્રાહ્મણ, ગાય, કૂતરા, કાગડા અને કીડીને ભોજન)ની સાથે પીપળાનુ પૂજન અને જળ અર્પણ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે કહેવાય છે કે પિતૃપક્ષમાં તર્પણ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે. તેમના આશીર્વાદથી જીવનમાં આવનારી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે.

 

 

કોરાનાના 37 નવા કેસો, બે જણનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 37 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે બે જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,99,473 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,32,037 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,67,124 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 28 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 349 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 19,251 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.55 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,73,160 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 146 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

‘ઓપરેશન અજય’: યુદ્ધગ્રસ્ત ઈઝરાયલમાંથી 212 ભારતીયોને હેમખેમ પાછાં લવાયાં

નવી દિલ્હીઃ ઈઝરાયલી સેના અને પડોશના ગાઝા સ્ટ્રીપમાં સક્રિય હમાસ આતંકવાદીઓ વચ્ચે હાલ ચાલી રહેલા યુદ્ધને કારણે ઈઝરાયલ, વેસ્ટ બેન્ક (ગાઝા)માં ફસાઈ ગયેલાં ભારતીય નાગરિકોને હેમખેમ સ્વદેશ પાછાં લાવવા માટે ભારત સરકારે ‘ઓપરેશન અજય’ આદર્યું છે. તે અંતર્ગત એર ઈન્ડિયાની ફ્લાઈટ દ્વારા 212 ભારતીય નાગરિકોનું પહેલું જૂથ આજે સવારે દિલ્હી એરપોર્ટ પર આવી પહોંચ્યું હતું. કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખર એમને આવકારવા માટે એરપોર્ટ પર ઉપસ્થિત રહ્યા હતા. એમણે હાથ જોડીને પાછાં ફરેલાં ભારતીય નાગરિકોને આવકાર્યાં હતાં. પાછાં ફરેલાંઓમાં મોટાં ભાગનાં વિદ્યાર્થીઓ છે. ચંદ્રશેખરે અમુક વિદ્યાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી.

(તસવીર સૌજન્યઃ @MEAIndia)

ઈઝરાયલ ખાતેના ભારતીય રાજદૂત સંજીવ સિંગ્લાએ કહ્યું છે કે જરૂર જણાશે તેમ ભારતમાંથી વધારે ફ્લાઈટ્સની માગણી મૂકવામાં આવશે. ઈઝરાયલના તેલ અવીવ શહેરના એરપોર્ટ પરથી વિદ્યાર્થીઓ, દેખભાળ કરવાની નોકરી કરનારાઓ, તથા અન્ય ભારતીય નાગરિકો સાથેનું એર ઈન્ડિયાનું વિમાન ગુરુવારે રાતે 10 વાગ્યે રવાના થયું ત્યારે ભારતીય દૂતાવાસની ટીમના તમામ સભ્યો ત્યાં હાજર રહ્યાં હતાં.

ભારતમાંથી હાંકી કઢાયા બાદ પાકિસ્તાની સ્પોર્ટ્સ એન્કર ઝૈનબ શું બોલી?

લાહોરઃ આઈસીસી વર્લ્ડ કપ-2023 સ્પર્ધાનું કવરેજ કરવા માટે ભારત આવેલી જાણીતી સ્પોર્ટ્સ પ્રેઝન્ટર ઝૈનબ અબ્બાસને સ્પર્ધા પૂરી થાય એ પહેલાં જ ભારતમાંથી રવાના થઈ જવું પડ્યું છે. ઝૈનબે હિન્દુત્વ વિશે અપમાનજનક ટિપ્પણી કરી હોવાની એક લૉયરે ફરિયાદ નોંધાવ્યા બાદ ઝૈનબને ભારત છોડવું પડ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઝૈનબ આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2023ની કોમેન્ટરી પેનલની એક સભ્ય હતી. તે હૈદરાબાદમાં પાકિસ્તાન અને નેધરલેન્ડ્સ વચ્ચેની મેચ વખતે સ્ટેડિયમમાં હાજર હતી, પરંતુ તે પછી એને ભારત છોડી જવાનું કહેવામાં આવ્યું હતું. એ પછી એવી વાત સાંભળવા મળી હતી કે હિન્દુત્વ વિશેના વિવાદાસ્પદ ટ્વીટને કારણે એને ભારતમાંથી તગેડી મૂકવામાં આવી છે. જોકે આઈસીસી સંસ્થાએ ખુલાસો કર્યો હતો કે ઝૈનબને ભારતમાંથી ડિપોર્ટ કરવામાં નથી આવી, પરંતુ સલામતીના કારણોસર એણે પોતે જ વર્લ્ડ કપની અધવચ્ચે જ ભારતમાંથી જતાં રહેવાનો નિર્ણય લીધો હતો. હવે આ મામલે ખુદ ઝૈનબે જ મૌન તોડ્યું છે.

ઝૈનબે X પ્લેટફોર્મ પર પોતાનાં હેન્ડલ પર એક નોંધ મૂકી છે. એમાં તેણે આમ લખ્યું છે: ‘હું કાયમ સ્વયંને પ્રવાસ કરવામાં અને મારી ફેવરિટ રમતને પ્રસ્તુત કરવાના અવસરો પ્રાપ્ત કરવા માટે ખૂબ જ ભાગ્યશાળી અને આભારી મહેસુસ કરું છું. વર્લ્ડ કપ-2023 સ્પર્ધા એ રીતે મારે માટે વિશેષ બની હોત. મને ન તો ભારતમાંથી ચાલ્યા જવાનું કહેવામાં આવ્યું હતું અને ન તો મને ડિપોર્ટ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર મારી અમુક જૂની પોસ્ટ ઈન્ટરનેટ પર વાઈરલ થઈ હતી એટલે મને ડર લાગ્યો હતો. મારાં પરિવારજનો પણ ચિંતિત હતાં એટલે મેં પોતે જ ભારતમાંથી જતાં રહેવાનો નિર્ણય લીધો હતો. સર્ક્યૂલેટ થયેલી તે પોસ્ટને કારણે લોકોની લાગણી દુભાઈ એ હું સમજી શકું છું અને એનો મને બેહદ અફસોસ છે. એવી ભાષાનો ઉપયોગ કરવા બદલ મારે કોઈ બહાનું બતાવવું નથી અને હું જે લોકોની લાગણી દુભાઈ હોય એ તમામની હું હૃદયપૂર્વક માફી માગું છું.’

શું છે મામલો?

જ્યારે પાકિસ્તાની સ્પોર્ટ્સ એન્કર ઝૈનબ વર્લ્ડ કપ-2023 કવર કરવા માટે ભારત આવી પહોંચી હતી ત્યારે સોશિયલ મીડિયા પર એનાં જૂનાં ટ્વીટ્સ વાઈરલ થયા હતા, જેમાં ભારતના હિન્દુ ધર્મ વિરુદ્ધ વિવાદાસ્પદ પોસ્ટનો સમાવેશ હતો. પોસ્ટમાં એમ લખવામાં આવ્યું હતું કે, ‘પાકિસ્તાનની સરખામણીમાં ભારતના બોલરો એટલા માટે સારા નથી કે એ લોકો માંસ ખાતા નથી. ભારતની 120 કરોડની જનતા એક સારો બોલર મેળવી શકતી નથી. શુદ્ધ શાકાહારીઓ થોડુંક માંસ ખાવાનું શરૂ કરો.’ આ પોસ્ટ વાઈરલ થતાં જ ભારતમાં ઝૈનબની આકરી ટીકા કરવામાં આવી હતી અને તે જબરદસ્ત રીતે ટ્રોલ થઈ હતી.

ઝૈનબ પરણેલી છે. 2019માં લાહોરમાં એણે હમઝા કારદાર સાથે લગ્ન કર્યાં હતાં. એ લાહોરના સ્થાનિક ક્રિકેટર નાસીર અબ્બાસ અને એમનાં રાજકારણી પત્ની અંદલીબ અબ્બાસની પુત્રી છે.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૧૩ ઓક્ટોબર, ૨૦૨૩

૧૩ ઓક્ટોબર, ૨૦૨૩

Chitralekha Gujarati – October 23, 2023

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

વાસ્તુ: માત્ર ઈશ્વરનું નામ રાખી દેવાથી કોઈ ઈશ્વર નથી બની જતા

શ્રાદ્ધ એ કોઈ નકારાત્મક બાબત નથી. આપણા ભારતીય નિયમોને લઈને અનેક ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. ભારતીય સંસ્કૃતિમાં હમેશા રચનાત્મક અભિગમ જોવા મળ્યો છે. પરંતુ કેટલાક સમયથી આપણા શાસ્ત્રો જાણે માત્ર અને માત્ર ડરાવવા માટે જ રચાયા હોય એ પ્રકારની વાતો સાંભળવા મળે છે. આપણા પિતૃ જે યોનીમાં છે એ યોનીમાં એ રાજી થાય, સુખી થાય અને એમના આશીર્વાદ આપણને મળે એવી કામનાથી શ્રાદ્ધ થાય. જયારે કેટલાક નકારાત્મક લોકો આ વિધિને તાંત્રિક વિધિ સાથે સરખાવી અને ડરાવવા પ્રયત્ન કરે ત્યારે નવાઈ લાગે છે. સોસાયટીની અગાસીને તાળા મારી અને શ્રાદ્ધ એટલે ન કરવા દેવાય કારણકે એનાથી કોઈના પિતૃ જાગૃત થઇ જાય તો? કોઈના પિતૃ એને અગાસી પરથી નીચે ફેંકી દે તો? કોઈ આત્મહત્યા કરી લે તો? પિતૃ એ ભૂતપ્રેત નથી એ સમજણ નો સદંતર અભાવ? આનાથી વધારે નકારાત્મક વિચારધારા કઈ હોઈ શકે? જે વ્યક્તિ ભારતીય સિદ્ધાંતોને સાચા અર્થમાં સમજે છે એ કાયમ સુખી રહે છે. એનું મુખ્ય કારણ એ જ છે કે ભારતીય નિયમો સારું જીવવા માટે રચાયા છે.

મિત્રો, આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર ચોક્કસ પૂછી શકો છો.

સવાલ: મેં ત્રણ દિવસ માટે એક ટેક્સી ભાડે કરી હતી. મેં જે ગાડી માટે એડવાન્સ આપ્યા હતા એના બદલે જૂની ગાડી આવી. ડ્રાયવર મોડો આવ્યો એટલે જૂની ખખડધજ ગાડીમાં મુસાફરી કરવી પડી. મારે ઉપરા છાપરી મીટીંગ હતી પણ ડ્રાયવર સતત ફોન પર હતો એટલે અમે મોડા પડ્યા. જેમને મળવાનું હતું એ જતા રહ્યા હતા. પંકજ નામની વ્યક્તિ એ ટેક્સી મોકલી, ડ્રાયવરનું નામ કિશન હતું. ત્રણ દિવસ માટે આવેલી ટેક્સી સાંજે જ ગાયબ થઇ ગઈ. મારી ઘણી બધી વસ્તુઓ ચોરાઈ ગઈ. વાત અહિયાં પૂરી નથી થતી. ગમે તેવા ફોન ચાલુ થયા. મેં તો ભગવાનના નામ વાળી વ્યક્તિઓ પર વિશ્વાસ કર્યો હતો. તો આ લોકો આવા કેમ નીકળ્યા?

જવાબ: તમે ભગવાનના નામ વાળી વ્યક્તિઓ પર વિશ્વાસ કર્યો હતો. શું તમે ભગવાન પર એટલો બધો વિશ્વાસ કરો છો કે એ જે કરે એ શ્રેષ્ઠ જ હશે? જો એવું હોય તો ભગવાને તમારા માટે કશુક સારું જ વિચાર્યું હશે એવો વિચાર પણ આવે. ડ્રાયવર મોડો આવ્યો. ગાડી જૂની હતી. ડ્રાયવર સતત ફોન પર હતો. તો પણ તમે અટકી ન ગયા? વળી પહેલી મીટીંગ ન થઇ ત્યારે જ તમારે ચેતી જવાની જરૂર હતી. સાંજ સુધી એ માણસને સાથે શું કામ રાખ્યો? અજાણી ગાડીમાં કીમતી સામાન એમજ ન રખાય ને? હા એ વાત સાચી છે કે મોટા ભાગના માણસો સારા જ હોય છે. પણ તમે જે માણસની વાત કરો છો એ ભરોસાપાત્ર નથી જ લાગતો. તમે હૃદય પર હાથ રાખીને કહો કે શું એમના નામ ઈશ્વરના નામ હતા એટલે જ તમે એમને કામ આપ્યું હતું? તમારા ખરાબ અનુભવને ઈશ્વર સાથે જોડી દીધો એટલી જ સહજતા તમે સારા અનુભવ વખતે દાખવો છો ખરા? માત્ર ઈશ્વરનું નામ રાખી દેવાથી કોઈ ઈશ્વર નથી બની જતા. આપનો અનુભવ સાચે જ ખરાબ છે. પણ એને ઈશ્વરના નામ સાથે જોડ્યા સિવાય એમાંથી બોધ જરૂર લઇ શકાય.

સવાલ: એક માણસ મારા ચશ્માં ચોરી ગયો છે. એ ચોરાયા પછી મને ઘણી રાહત છે. ક્યાંક વાંચ્યું હતું કે કોઈના ચશ્માં ન પહેરાય. તો શું એ માણસ ચશ્માં સાથે મારી પનોતી લઇ ગયો?

જવાબ: આમ તો ચોરી કરવી એ નકારાત્મક બાબત છે. પણ અમુક વસ્તુઓ પનોતી ગણાય છે. એની ચોરી કરવાથી જે વ્યક્તિની વસ્તુ ચોરાય એની સકારાત્મકતા વધે છે. તમે ખોઈને રાજી થયા એ પણ સકારાત્મકતાની નિશાની છે.

સુચન: નાંદી શ્રાદ્ધ એ સકારાત્મક શ્રાદ્ધ છે. એ શુભ પ્રસંગે કરી શકાય.

(આપના સવાલો મોકલી આપો vastunirmaan@gmail.com)