નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 38 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,99,366 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,32,034 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,66,968 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 43 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 364 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 6821 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.54 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,72,508 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 180 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
મુંબઈઃ બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની છેલ્લી બે ફિલ્મ ‘પઠાણ’ અને ‘જવાન’ – બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ છે અને જબ્બર કમાણી કરી છે. એને પગલે શાહરૂખને ધમકી મળવાનું પણ વધી ગયું છે. તેથી મુંબઈ પોલીસે એને ‘Y-પ્લસ’ કેટેગરીનું સુરક્ષા કવચ પૂરું પાડ્યું છે. પોતાને ધમકીઓ મળતી હોવાની શાહરૂખે મહારાષ્ટ્ર સરકારને લેખિતમાં ફરિયાદ કરી હતી. તેથી રાજ્યના ગૃહ મંત્રાલયે શાહરૂખને સુરક્ષા કવચ પૂરું પાડવાનો નિર્ણય લીધો છે.
આ નિર્ણયને પગલે, છ પોલીસ કમાન્ડો શાહરૂખનું રક્ષણ કરશે, એમ મુંબઈ પોલીસે એક નોટિફિકેશનમાં જણાવ્યું છે. શાહરૂખના તમામ છ કમાન્ડો (બોડીગાર્ડ) વીઆઈપી સિક્યુરિટી યુનિટમાંથી તાલીમ પામેલા છે. આ યુનિટ મહારાષ્ટ્ર પોલીસનું સ્પેશિયલ પ્રોટેક્શન યુનિટ છે. આ સુરક્ષા જવાનો એમપી-5 મશીન ગન, એકે-47 એસોલ્ટ રાઈફલ, ગ્લોક પિસ્તોલ સાથે સજ્જ રહેશે. મુંબઈના બાન્દ્રા વેસ્ટમાં આવેલા શાહરૂખના નિવાસસ્થાને ચાર શસ્ત્રધારી પોલીસજવાન કાયમ પહેરો ભરશે.
નવી દિલ્હીઃ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગણા અને મિઝોરમ – આ પાંચ રાજ્યોમાં આ વર્ષના અંતભાગમાં વિધાનસભાની ચૂંટણી નિર્ધારિત છે. ચૂંટણી પંચ આજે બપોરે 12 વાગ્યે આ રાજ્યો માટેના ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરશે. ચૂંટણી પંચે આ માટે આજે બપોરે અહીં પત્રકાર પરિષદ બોલાવી છે અને એમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે. આ પાંચેય રાજ્યોની વિધાનસભાઓની મુદત ડિસેમ્બર 2023 અને જાન્યુઆરી 2024 વચ્ચે સમાપ્ત થઈ રહી છે. તેથી તે પૂર્વે નવી ચૂંટણી યોજવી અનિવાર્ય છે. ચૂંટણી પંચ મુદત પૂરી થવાના છથી આઠ સપ્તાહ પહેલાં નવી ચૂંટણીની તારીખ અને કાર્યક્રમ જાહેર કરતું હોય છે.
કોંગ્રેસ પાર્ટી હાલ બે રાજ્યમાં સત્તા પર છે – રાજસ્થાન અને છત્તીસગઢ. મધ્ય પ્રદેશમાં ભાજપાનું શાસન છે. તેલંગણામાં કે. ચંદ્રશેખર રાવની આગેવાની હેઠળના ભારત રાષ્ટ્ર સમિતિનું શાસન છે જ્યારે મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રન્ટ (એમએનએફ) સત્તા પર છે.
યાત્રાકે જાત્રા થઈ શકે છે અને તેમા ધાર્યા કરતા વધુ ખર્ચા થાય, અધ્યાત્મિકપ્રવચનો સાંભળવાના યોગ વધુ છે, વિદ્યાર્થીવર્ગને ધારીસફળતા માટે વધુ મહેનત કરવી પડે તેથી મગજમાં વધુ વિચારો માનસિકથાક આપે તેવું બની શકે છે. નાનીનાની વાતમા ગુસ્સો ના આવે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, નાણાકીય આયોજન સારુ થાય, વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમા તકેદારી રાખવી. વેપારમા કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછું થવાથી ક્યાંક ઉતાવળિયા નિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે, કોઈને વણમાંગી સલાહસુચન ના આપવી ઇચ્છનીય છે.
નવી કાર્યપ્રણાલીથી લાભ થાય, માનસિકચિંતા હળવી કરવા તમે મનોરંજન અને ઈતરપ્રવૃત્તિમા મન વધુ લગાવો તેવુ બની શકે છે, જૂનીયાદથી ઘણા લાગણીશીલ બનો, સામાજિક,ધાર્મિકપ્રસંગમા તમારી હાજરી પ્રભાવી બની શકે છે. વેપારના કામકાજમા ઉત્સાહ થોડો ઓછો જોવા મળે તેવુ બની શકે છે. જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવીનોકરીકે ફેરબદલી કરવામાટે ધીરજ રાખવી, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈવસ્તુ શીખવી હોયતો આ સમયમા પ્રયત્ન કરવો સારો છે. કાયદાકીયબાબતના પ્રશ્નોમા સલાહ સુચન બાદ આગળ વધવુ. આર્થિકલાભના યોગ રહેલા છે, વાણીવર્તણુક પર સયમ રાખવો જરૂરી છે.
ઘરમાકે કુટુંબમા સુખદ માહોલ જોવા મળે પરંતુ કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે, ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થઈ શકે છે. કોઈજગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવુ પણ બની શકે છે. આરોગ્યબાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે. વેપારના કામકાજમા ધીરજ અને અનુભવથી કામકાજ કરવુ, અન્યની વાતમા દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે. નોકરીકે વ્યવસાયમા સમયનો દુરુપયોગ અને કારણવગરની કામકાજમા સમસ્યા ના થાય તેનુ ધ્યાન રાખવુ, જરૂરપુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય, પ્રેમસંબંધમા થોડોક ઉતારચઢાવ થઈ શકે છે માટે ધ્યાન રાખવુ જરૂરી કહી શકાય.
આર્થિકસ્થિતિની થોડી ચિંતા થઈ શકે છે, કાર્યક્ષેત્રમા બદલાવ આવે, તમારા કામની કદર થોડી ઓછી થાય, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમા લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબમાકે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે, વેપારના કામકાજમા તમને ઉત્સાહ ઓછો અને કાર્યમા આળસ કરવાની વૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાંથી સારી જાણકારીકે વાત સાંભળવા મળે પરંતુ તેમા તેમનો સહયોગ ઓછો પ્રાપ્ત થઇ શકે છે, નજીકના સગાસ્નેહીના સ્વસ્થનીચિંતા થાય તેવા યોગ પણ ઉભા થઇ શકે છે પરંતુ તેમા મોટી કોઈ તકલીફ ઉભી ના થવાથી રાહતની લાગણી અનુભવી શકો છો.
સામાજિકપ્રસંગમા જવાના યોગ છે તેમા થોડો માનસિકઉદ્ગ્વેગ જોવા મળી શકે છે ક્યાંક અશાંતિ રહ્યા કરે. વેપારના કામકાજમા ધીરજ અને અનુભવનો અભાવ વર્તાય અને તેની અસર પણ કામકાજમા દેખાઈ આવે, આરોગ્યની નાનીનાની તકલીફથી પણ પરેશાની રહે, ભાગીદારીકે દામ્પત્યજીવનમા તમારી લાગણી દુભાતી હોય તેવુ તમને માનસિક રીતે વધુ લાગે પણ જો શાંતિ જાળવી પ્રભુભક્તિમા ધ્યાન અને મન પરોવી રાખો તો ઘણી માનસિકશાંતિનો અનુભવ કરી શકો છે, ધીરજ અને આત્મવિશ્વાસ રાખશો તો કામ સરળતાવાળુ બની રહશે, પારિવારિક સહયોગ ઓછો જોવા મળી શકે છે.
સપ્તાહ દરમિયાન ક્યાંકને ક્યાંક અશાંતિ અને દ્વિધા રહેવાના કારણે સામાજિકકે ધાર્મિકકાર્યમા કોઈ પ્રવૃત્તિ કરવાનુ મન થાય, વેપારના કામકાજમા કોઈ સમાચાર તમારા વિચારો અને દ્વિધામા વધારો કરી શકે છે, નોકરિયાતવર્ગને પોતાના ઉપરી સાથે માનસિકતનાવથી બચવુ, ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમા તમારુ મન ખુશીથી લાગણીશીલ બની જાય. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમા નવીનતા ઇચ્છતું હોય તેમના માટે કોઈ સારીતક દેખાય પરંતુ તેમાં હાલ કોઈ ઉતાવળ ના કરવી અને યોગ્યવ્યક્તિની સલાહ લેવી, ઘરની જવાબદારીમા ધ્યાન વધુ આપવું પડે તેવા સંજોગો ઉભા થઈ શકે છે.
યુવાવર્ગ માટે પણ આસપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થવામા રુકાવટ થઈ શકે, અતિઉત્સાહના કારણે તમારા કામને ક્યાંક ગતિ પણ મળી શકે છે, જૂનીવાતકે કામના ઉકેલમા અન્યનો સહયોગ ઓછો જોવા મળે શકે છે, વેપારના કામકાજમા ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજ કરવા યોગ્ય છે. મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમા તમે ઓછોઉત્સાહ અનુભવી શકો છે, માર્કેટિંગક્ષેત્રમા તમારે ધીરજ વધુ રાખવી પડે અને ક્યાંક સમયનો વધુ દુરવ્યય થયાની વ્યથા પણ જોવા મળી શકે છે, લગ્નબાબતની વાતચીત ક્યાય ચાલતી હોય તેમા થોડી ધીરજ અને અનુભવનો ઉપયોગ તમારા માટે ઇચ્છનીય છે.
અચાનક યાત્રા થાય તેવુ બનવા જોગ છે, કામકાજમા વધારો થઈ જાય અને તમે થોડા માનસિક રીતે અસ્વસ્થ બનો, ઘરમા કે નજીકના સગા-સ્નેહીમા કોઈ અણબનાવકે મનદુઃખ થયું હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમા પણ સફળતા દેખાઈ શકે છે. વેપારના કામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળી શકે છે. તમારો મોભો,પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમા સારી ઉપસી આવે, નવીનકાર્ય કરવામા તમને અન્યનો સાથસહકારકે માર્ગદર્શન સારુ મળી શકે છે, વ્યવસાયિક કામકાજ માટેની યાત્રા લાભદાયી થાય, કોઇપણ પ્રકારનુ આયોજન કરોતો તેમા પણ સફળતા જોવા મળે, આર્થિકસ્થિતિમા પણ સુધારો થઈ શકે છે.
આર્થિકલાભ થાય તેવા યોગ છે, તમારા ધાર્યાકામ પાર પાડવા માટે તમારે વાણી અને વર્તનનો ઉપયોગ સાથ આપી શકે છે, જેમા તમને આનંદ-ઉત્સાહ સારો રહી શકો છે, ધીરજ અને અનુભવ તમને સૌથી વધુ મદદગર બની શકે છે, નવીઓળખાણ લાભદાયી બની શકે છે, તમારી પ્રતિભાની કોઈ સારી રીતે કદર અને ભરોસો કરે, કોઇપણ પ્રકારની મુસાફરી થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમય અનુકુળ છે, માર્કેટિંગક્ષત્રમા આયોજન કરી કામકાજ કરતા સારાપરિણામ મેળવી શકાય, જમીન,મકાન,વાહન બાબતના કોઇપણ પ્રકારના પ્રશ્ન હોયતો તેમા પણ ઉકેલ મળે, કોઇપણ પ્રકારની ચિંતાનો ઉકેલ મળી શકે છે.
કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે, નાણાકીયઆયોજન અંગે નવુઆયોજન થઈ શકે છે, વેપારના કામકાજમા લાભની કોઈવાત થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા વધુ મહેનત કરવાથી સારાફળની પ્રાપ્તિ થઇ શકે છે, કોઈ અગત્યની વાતચીતકે મિલનમુલાકાતમા કોઈનો સહયોગ લેવો વધુ ફાયદાકારક બની શકે છે. વિદેશજવા ઈચ્છા રાખનારવર્ગ આસપ્તાહ દરમિયાન કોઈપણ પ્રકારની કાર્યવાહી કરે તોતેમા પણ યોગ્યપ્રતિસાદ મળી શકે, ધીરજથી કામકરવામા સફળતા મેળવવી સરળ બનશે, યાત્રાકે જાત્રા માટેનુ આયોજન થઈ શકે છે,દામ્પત્યજીવનમા સુખદવાત બની શકે છે.
નવાકામની સારી શરૂઆત થાય પણ તેમા કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે માટે ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમા રચ્યાપચ્યા રહેવુ વધુ યોગ્ય છે, ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચારમતભેદ થાય પણ તેમા પરિસ્થિતિ સુધરી જાય, આવક વધારવા વધુ પ્રયત્ન કરવો પડે અને તેમા સફળતા પણ મળી શકે છે, મનપસંદવ્યક્તિ તરફથી સારુ વલણ જોવા મળે અને તેમા તમને સારી લાગણીનો અનુભવ થાય, લગ્નબાબતની વાર્તાલાપ ક્યાય ચાલતી હોય તેમા પ્રગતિ થતી જોવા મળી શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે સારા સમાચાર સાંભળવા મળી શકે છે.
સપ્તાહ દરમિયાન ક્યાંક લાભની વાતની આપ-લે થઇ શકે છે તેમા ખોટીચર્ચા ના થાય તેની કાળજી રાખવી ઇચ્છનીય છે, મિત્રો, સગાસ્નેહી સાથે મિલનમુલાકાતમા તમને સારીવાત રજુ કરવાની તક મળી શકે છે, વેપારના કામકાજમા પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે. વાર્તાલાપ દરમિયાન શબ્દપ્રયોગ પર ધ્યાન આપવુ જેથી ગેરસમજ ટાળી શકાય, પેટ,અપચાની તકલીફથી સાચવવુ, વડીલવર્ગને જુનાસંભારણા વધુ તાજા થાય, કામકાજમા મહેનત વધુ થયા પછી સફળતા મળે તવુ બની શકે છે, કામનો ભાર રહે પરંતુ તેમા અન્યનો સહયોગ પણ જોવા મળે, કામકાજ માટેની મુસાફરી થોડી કંટાળાજનક બને.
આજના દિવસે થોડી ધીરજ રાખવી સારી છે, મનમાં કોઈક વાતનો ઉદ્વેગ રહ્યા કરે, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા,આંખ,હાડકાની તકલીફથી સાચવવું, બિઝનેસમાં જોખમથી દુર રહેવુ, પ્રિયજન સાથે વાર્તાલાપમાં ધીરજ અને શાંતિ રાખવી, સહકર્મચારી સાથે કામકાજમાં સહકારનો અભાવ જોવા મળી શકે છે.
આજે ઉત્સાહ સારો જોવા મળી શકે જેના કારણે તમે કામકાજ પ્રત્યે પ્રોત્સાહી બનો, કોઈ પ્રસંગમાં તમારી હાજરીની સારી નોંધ લેવાય અને તમારી ક્યાંક પ્રસંશા પણ થાય, લગ્નબાબતની વાતચીતકે મિલન મુલાકાતમાં તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર સારી પડે અને તમે તેની સારી લાગણી અનુભવો.
આજનો દિવસ સામાન્ય છે, કોઈકની પાછળ નાણાકીયખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય, માર્કેટિંગ ક્ષેત્રમાં સારી કામગીરી થવાથી ખુશી અનુભવો, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, ક્યાય કોઇ બાબત પર મુલાકાત દરમિયાન વાર્તાલાપમાં જરૂરિયાત પુરતી વાર્તાલાપ તમારા માટે યોગ્ય કહી શકાય.
આજનો દિવસ માનસિકદ્વિધા વાળો છે , કોઇપણ પ્રકારના વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, કફ, છાતી, બ્લડપ્રેશર જેવી તકલીફથી સાચવવું, વેપારમાં જોખમવાળા નિર્ણયથી દુર રહેવું, સહકર્મચારી સાથે કામની બાબતમાં અસંતોષ જોવા મળી શકે પરંતુ કામકાજ શાંતિથી પૂર્ણ થાય.
આજનો દિવસ કામકાજમાં વ્યસ્તતાવાળો અને અજંપાવાળો છે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી, સોના ઝવેરાત,ફાર્મા ક્ષેત્રમાં કામ કરનારને માનસિકથાકની લાગણી રહે, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, ક્યાય વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું, ઉતાવળિયા નિર્ણયના લેવાયતે બાબતની તકેદારી રાખવી.
આજનો દિવસ સારો છે, ભૂતકાળમાં કરેલા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થવાથી તમે સારી લાગણીનો અનુભવ કરો. પ્રિયજન તમને કોઈ પસંદગીની વાત કરેને તમેં ખુશી અનુભવો તેવા સંજોગો પણ બને છે. લગ્નબાબતની વાર્તાલાપમાં તમારી પસંદગી વધુ જળવાય તેવું પણ બનવાથી તમે સારી ખુશી અનુભવો.
આજનો દિવસ શાંતિથી પસાર કરવો, કામકાજમાં ધીરજનો અભાવ વર્તાય, તમારા ઉચ્ચઅધિકારી તમારી સાથે આજે થોડા નાખુશકે ઉગ્ર હોઈ શકે છે. વાતવાતમાં ગુસ્સો આવવો આજે સહજ વાત જેવું બની શકે છે. પરંતુ ગણતરીપૂર્વક અને અનુભવથી કામકાજ કરવાથી તમે પરિસ્થિતિને ઘણી હળવી બનાવી પણ શકો છો.
આજનો દિવસ સારો છે, પ્રિયજન સાથે જૂની વાતો અને યાદો દ્વારા તમારા મનને ઘણી ખુશી મળે, લગ્ન માટે મિલનમુલાકાતમાં તમારો આત્મવિશ્વાસ અને પ્રભાવ તમારા પ્રભાવમાં વધારો કરી શકે છે, વેપારમાં ગણતરીપૂર્વક કામ કરવાથી લાભની કોઈ વાત બને, આજે કોઈ સારાસમાચાર પણ સંભાળવા મળી શકે.
આજના દિવસે ધીરજ રાખવી, આજે કોઇપણ કામ પરાણે કરતા હોવ તેવી લગાણીનો અનુભવ થાય, કામકાજમાં ઉતાવળ કરવી નકામી છે. વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું સારું, વેપારમાં જોખમી પરિબળોથી સાચવવું, મજાકમસ્તી કરનારવર્ગથી આજે દુર રહેવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ સારો છે, ઉત્સાહ સારો રહે, તમને કોઈ પસંદગીની વાત સંભાળવા મળે અને તેની ખુશી તમને ઘણી રોમાંચિત કરીદે, લગ્નબાબતની વાતચિત તમારા માટે ક્યાંક ફળદાયી બની શકે છે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ નવીવસ્તુ શીખવા માટે આજે સમય ફાળવોતો સારું પરિણામ મળી શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, આજે આરામ કરવાની વૃતિ વધુ જાગે, કામકાજને ત્વરિત પૂર્ણ કરવા માટે થોડા ઉતાવળિયા પણ બનતા જોવા મળો, ક્યાંક ગણતરી કરતા વધુ ખરીદી થવાથી નાણાખર્ચાયાની ખોટી લાગણી પણ ઉભી થાય, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામ કરવું યોગ્ય છે.
આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામમાં વધુ વ્યસ્ત જોવા મળી શકો છે, નાનીનાની વાતમાં થોડો ગુસ્સો જોવા મળે, ક્યાંક તમારી લાગણી કોઇ જલ્દી સમજીના શકે તેવું બની શકે છે. સહકર્મચારીને સહકાર આપવાની તમાંરી ભાવના તમારા માટે કોઈ પ્રશ્નો ઉભાના કરે તેનું ધ્યાન રાખવું જરૂરી છે.
અમદાવાદઃગુજરાત પ્રાંતિય આર્ય પ્રતિનિધિ સભાએ રવિવારે રિવરફ્રન્ટ ખાતે 19મી સદીના મહાન સુધારક મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મ જયંતિ પ્રસંગે ભવ્ય સમારંભનું આયોજન કર્યું હતું. ગવર્નર આચાર્ય દેવવ્રત આ સમારંભના પ્રમુખપદે હાજર રહ્યા હતા તથા મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે સમારંભના મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી.
આર્ય સમાજના સંસ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના 200મી જન્મજયંતી વર્ષ નિમિત્તે ‘જ્ઞાન જ્યોતિ પર્વ’ અંતર્ગત અમદાવાદ ખાતે આયોજિત કાર્યક્રમમાં માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સહિત મહાનુભાવોની સાથે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો. ગુજરાતનું સૌભાગ્ય છે કે મહર્ષિ દયાનંદ સરસ્વતીજી જેવી… pic.twitter.com/Ya0pM37yiZ
સમારંભના પ્રમુખ સ્થાનેથી બોલતાં આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મ જયંતિ પ્રસંગે એક ડેલીગેશનના ભાગ તરીકે જ્યારે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા ત્યારે જન્મ જયંતિની ઉજવણીની દરખાસ્તને તેમણે હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સમગ્ર દેશે આ ઉજવણીમાં સામેલ થવું જોઈએ. મહર્ષિ દયાનંદ સરસ્વતીના જન્મ સ્થળ ટંકારા ખાતે એક ભવ્ય યાત્રાધામની સ્થાપના કરવા માટે 15 એકર જમીન આપવાની વિનંતી કરતાં મેં મુખ્ય પ્રધાનનો સંપર્ક કર્યો હતો. મને જણાવતાં આનંદ થાય છે કે રાજ્ય સરકારે આ હેતુ માટે કેન્દ્ર સ્થાપવા માટે જમીનની ફાળવણી કરી છે. તેમણે માહિતી આપી હતી કે ગવર્નરના અધિકૃત નિવાસ સ્થાન રાજભવન ખાતેના ભવ્ય હોલને મહર્ષિ દયાનંદ સરસ્વતીનું નામાભિદાન કરવામાં આવ્યું છે.
મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200મી જન્મજયંતી નિમિત્તે અમદાવાદ ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિતિ. https://t.co/bQz55WKMH8
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે સદીઓ સુધી આપણો દેશ પરાધીનતાનો ભોગ બન્યો હતો અને આપણાં વિચારો, પરંપરાઓ, મૂલ્યો તથા પ્રણાલિઓને અવગણવામાં આવ્યા હતા. આવી વિપરીત પરિસ્થિતિની વચ્ચે મહર્ષિ દયાનંદ સરસ્વતીએ તેમનું સમગ્ર જીવન સમાજન ઉત્કર્ષ માટે ખર્ચી નાંખ્યું હતું. તેમણે ઘણાં લોકોના દિલમાં આઝાદીની લડત માટેની ભાવના જગાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશની સંસ્કૃતિમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે અને ભારતીય સંસ્કૃતિ તથા પરંપરાઓ જાળવવાનો તથા સબ કા સાથ, સબ કા વિકાસ અને સબ કા પ્રયાસ દ્વારા મહર્ષિ દયાનંદ સરસ્વતીએ દર્શાવેલા ધ્યેય આગળ ધપાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.
સમગ્ર દેશમાંથી આવેલા પ્રતિનિધિઓ અને મહાનુભવોને આવકારતાં આર્ય સમાજ ગુજરાતના પ્રમુખ આચાર્ય વચોનીધી અગ્રવાલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા.12 ફેબ્રુઆરી, 2023ના રોજ મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મ જયંતિનો પ્રારંભ કર્યો હતો. સમગ્ર વર્ષ દરમ્યાન ચાલનારી આ ઉજવણીનું મહર્ષિની જન્મભૂમિ ટંકારામાં ભવ્ય સમારંભ સાથે સમાપન થશે. અમે આ 200મી જન્મ જયંતિ પ્રસંગે વિવિધ રાજ્યમાં જ્ઞાન જ્યોતિ ફેસ્ટીવલ્સ અને અન્ય સમારંભોની ઉજવણી કરી રહયા છીએ.
આર્યવીર દલ અને આર્યવીરાંગના દળે આ પ્રસંગે માર્ચ પાસ્ટ યોજી હતી અને હાજર રહેલા તમામ મહાનુભવોને ગાર્ડ ઓફ ઓનરથી આવકાર્યા હતા. આ સમારંભમાં ગુજરાતમાં મોરબી નજીક ટંકારામાં જન્મેલા મહર્ષિ દયાનંદ સરસ્વતીને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. આચાર્ય વઘેશજી શર્માએ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે ભારતમાં જ્યારે અજ્ઞાન, અંધશ્રધ્ધા અને સામાજીક દૂષણો પ્રવર્તતા હતા ત્યારે મહર્ષિ દયાનંદ સરસ્વતીએ 19મી સદીમાં મશાલચી તરીકે કાર્ય કરીને અજવાળાં પાથર્યા હતા. તેમણે જણાવ્યું કે મહર્ષિએ પોતાનું સમગ્ર જીવન અજ્ઞાન દૂર કરવામાં ખર્ચી નાંખ્યું હતું અને દેશમાં જ્ઞાન તથા તાર્કિકતાની જ્યોત જગાવી હતી. તેમણે વેદીક જ્ઞાન ફેલાવ્યું હતું અને શ્યામજી કૃષ્ણ વર્મા જેવા સ્વાતંત્ર્ય સેનાનીઓને પ્રેરણા આપી હતી. મહર્ષિ દયાનંદ સરસ્વતીના વિચારોને આગળ ધપાવતો આર્ય સમાજ દેશમાં હિંદુ સમુદાયના ઉત્કર્ષ માટે મહત્વની ભૂમિકા બજાવી રહ્યો છે.
મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મ જયંતિની ઉજવણીથી નવી પેઢીને તેમણે શિખવેલા વેદ મારફતે આગળ ધપવાની પ્રેરણા મળશે. મહર્ષિએ 1875માં મુંબઈમાં સ્થાપેલી આર્ય સમાજ સહિતની વિવિધ સંસ્થાઓએ અઢી વર્ષ માટે એક ઘનિષ્ટ એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. પ્રસંગોપાત વર્ષ 2025માં આર્ય સમાજની સ્થાપનાની 150મી વર્ષગાંઠ આવી રહી છે.
મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે દેશના તમામ પાટનગરો અને દુનિયાના 35 દેશમાં ભવ્ય સમારંભનું આયોજન કરવામાં આવશે. આ પ્રસંગે વ્યાપકપણે વિવિધ સ્પર્ધાઓ અને સેમિનારનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત વેદિક સંસ્કૃતિના પ્રચાર માટે તથા વેદિક સાહિત્યના પ્રકાશન માટે તથા આ અંગે ઉચ્ચસ્તરની વિવિધ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે. ગુરૂકુલ આર્ય સમાજ મંદિરો, ડીએવી સંસ્થાઓ તથા આર્ય સમાજની વિવિધ સંસ્થાઓમાં અનેક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મ જયંતિ પ્રસંગે તથા આર્ય સમાજની સ્થાપનાના 150 વર્ષ પૂરાં થવા પ્રસંગે ઈન્ટરનેશનલ આર્ય સમાજ સંમેલન યોજીને ઓક્ટોબર-2025માં ભવ્ય સમારંભનું આયોજન કરવામાં આવશે.