ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપની પાંચમી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું છે. વિરાટ કોહલી અને કેએલ રાહુલ ભારતની જીતના હીરો રહ્યા હતા. 200 રનના ટાર્ગેટ માટે મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમની શરુઆત ખુબ જ ખરાબ રહી હતી. ઓસ્ટ્રેલિયાએ માત્ર બે રનમાં ભારતની ત્રણ વિકેટ ઝડપી લીધી હતી. ત્યારપછી એવું લાગતું હતું કે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયન બોલરો સામે શરણાગતિ સ્વીકારશે, પરંતુ કોહલી અને રાહુલે પોતાની શાનદાર બેટિંગથી મેચને પલટાવી નાખી હતી. કોહલીએ 116 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 85 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જ્યારે કેએલ રાહુલ 97 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. રાહુલે 8 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. તેની સાથે હાર્દિક પંડ્યા 11 રન બનાવીને અણનમ રહ્યો હતો.
KL Rahul finishes off the chase with a MAXIMUM! 😎
He remains unbeaten on 97* & #TeamIndia start #CWC23 with a superb win against Australia 🙌
ઓસ્ટ્રેલિયા તરફથી સ્મીથે 46 રન જ્યારે વોર્નરે 41 રનનું યોગદાન આપ્યું હતું. આ બે બેટ્સમેન સિવાય કોઈ ખેલાડી ભારતીય બોલરો સામે ટકી શક્યા ન હતા. ભારત તરફથી જાડેજાએ 3 વિકેટ, કુલદિપ યાદવ અને જસપ્રિત બુમરાહે 2-2 વિકેટ અને સિહાજ, હાર્દિક પંડ્યા અને અશ્વિને 1-1 વિકેટ ઝડપી હતી.
ભારતીય વાયુસેનાને આજે એટલે કે રવિવાર 10 ઓક્ટોબર 2023 ના રોજ તેનો નવો ધ્વજ મળ્યો. ભારતીય વાયુસેના (IAF)ના વડા એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ પ્રયાગરાજમાં વાર્ષિક વાયુસેના દિવસની પરેડ દરમિયાન નવા ધ્વજનું અનાવરણ કર્યું, નેવીએ તેના ધ્વજમાં ફેરફાર કર્યા જેવા તેના વસાહતી ભૂતકાળનો ત્યાગ કર્યો. આ એક ઐતિહાસિક પ્રસંગ પણ હતો કારણ કે 72 વર્ષમાં પહેલીવાર વાયુસેનાએ આવી કવાયત હાથ ધરી હતી, જ્યાં બહાદુરોએ મહાન પરાક્રમો દર્શાવ્યા હતા. નવા ધ્વજમાં ઉપલા જમણા ખૂણામાં તેનું પ્રતીક શામેલ છે અને તેની ટોચ પર અશોક સ્તંભ છે. તેની નીચે દેવનાગરીમાં ‘સત્યમેવ જયતે’ લખેલું છે, જે આપણા રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભ પરથી લેવામાં આવ્યું છે. ધ્વજ અશોક સ્તંભની નીચે હિમાલયન ગરુડ પણ દર્શાવે છે, તેની પાંખો ફેલાયેલી છે એટલે કે તે સંપૂર્ણ પ્લમેજમાં છે. હિમાલયન ગરુડ આછા વાદળી રંગથી ઘેરાયેલું છે. આની બરાબર નીચે ‘ભારતીય વાયુસેના’ અને તેનું સૂત્ર ‘નભ સ્પ્રીશમ દીપમ’ દેવનાગરીમાં સુવર્ણ અક્ષરોમાં અંકિત છે. વાયુસેનાનું સૂત્ર શ્રીમદ ભગવદ ગીતામાંથી લેવામાં આવ્યું છે, જેનો અર્થ છે – ગર્વ સાથે આકાશને સ્પર્શ કરો.
આ અવસરે વાયુસેનાના વડા એર ચીફ માર્શલ વી.આર.ચૌધરીએ પણ કહ્યું હતું કે આધુનિક યુદ્ધોની કોઈ સીમા હોતી નથી તેથી વાયુસેનાએ દરેક પ્રકારના યુદ્ધ માટે તૈયાર રહેવું પડે છે. યુદ્ધમાં પ્રભુત્વ મેળવવા માટે, વાયુસેનાએ અવકાશ, સાયબર અને ગ્રાઉન્ડ ક્ષમતાઓનું સંકલન વધારવું પડશે જેથી તેની કાર્યક્ષમતા પણ વધે. એર ચીફ માર્શલ ચૌધરી અહીં 92માં વાયુસેના દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. આ કાર્યક્રમમાં CDS જનરલ અનિલ ચૌહાણ, નેવી અને આર્મી ચીફ પણ હાજર રહ્યા હતા. એરમેનને સંબોધતા એર ચીફ માર્શલે કહ્યું કે છેલ્લા નવ દાયકામાં ભારતીય વાયુસેનાની તાકાતમાં સતત વધારો થયો છે અને તે વિશ્વની શ્રેષ્ઠ વાયુ સેનાઓમાંની એક બની ગઈ છે. જો કે, તેણે પ્રશ્નાર્થ સ્વરમાં પણ પૂછ્યું કે શું આટલું પૂરતું છે? જો ભારત 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાના માર્ગ પર છે, તો જ્યાં સુધી આપણે (એટલે કે એરફોર્સ) 2032માં 100 વર્ષ પૂર્ણ કરીશું ત્યાં સુધીમાં, ભારતીય વાયુસેના શ્રેષ્ઠમાંની એક હોવી જોઈએ, જો શ્રેષ્ઠ નહીં. તેમના મુદ્દા પર ભાર મૂકતા, તેમણે કહ્યું કે મલ્ટિ-ડોમેન ઓપરેશન્સથી લઈને હાઇબ્રિડ યુદ્ધ સુધી, વાયુસેનાએ એ ઓળખવાની જરૂર છે કે આધુનિક યુદ્ધ પરંપરાગત સીમાઓથી આગળ વધે છે. એર ચીફ માર્શલે કહ્યું કે યુદ્ધના મેદાનમાં પ્રભુત્વ મેળવવા માટે વાયુસેનાએ હવા, અવકાશ, સાયબર અને ગ્રાઉન્ડ ક્ષમતાઓને સરળતાથી અપનાવવી પડશે અને જરૂરિયાત મુજબ અનુકૂલન કરવું પડશે. એરમેનને પ્રોત્સાહિત કરતાં તેમણે કહ્યું કે તમારી જાતને આજની જરૂરિયાતો સુધી મર્યાદિત ન રાખો પરંતુ આજથી આગળનો વિચાર કરો અને તમને ખ્યાલ આવશે કે હજુ ઘણું કરવાનું બાકી છે.
એરફોર્સ ડે પર મહિલા અધિકારીઓ
ભારતીય વાયુસેના દિવસ નિમિત્તે આયોજિત પરેડની જવાબદારી પહેલીવાર મહિલા અધિકારીને મળી છે. ગ્રુપ કેપ્ટન શૈલજા ધામીએ બમરૌલીમાં આયોજિત પરેડની કમાન સંભાળી હતી. કેપ્ટન શૈલજાને માર્ચમાં એરફોર્સના કોમ્બેટ યુનિટની કમાન સોંપવામાં આવી હતી. તેમને 2003માં એરફોર્સમાં કમિશન્ડ ઓફિસર બનાવવામાં આવ્યા હતા. શૈલજા પાસે 2,800 કલાકનો ઉડાનનો અનુભવ છે. મિગ-29ને આ વર્ષના અંત સુધીમાં ભારતીય વાયુસેનામાંથી હટાવી લેવામાં આવશે. આ વખતે એર શોમાં મિગ-21 છેલ્લી વખત સંગમ ઉપરથી ઉડાન ભરશે. આ એર શોમાં ભારત દ્વારા બનાવવામાં આવેલ સંપૂર્ણ સ્વદેશી C-295 એરક્રાફ્ટ, રાફેલ, સુખોઈ, તેજસ, મિરાજ-220, ચિનૂક, જગુઆર અને અપાચે પણ તેનો ભાગ હશે. વાયુસેના પ્રમુખે કહ્યું કે ઝડપથી બદલાતી દુનિયામાં આપણે દરેક પ્રકારના નવા પડકારોનો સામનો કરવા માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ. તેમણે શિસ્ત અને અખંડિતતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે હવાઈ યોદ્ધાઓએ હંમેશા ઉભરતા જોખમો પ્રત્યે સતર્ક રહેવું જોઈએ. વાયુસેનાના વડાએ કહ્યું કે દરેક વ્યક્તિ દેશની રક્ષા માટે સંકલ્પબદ્ધ છે અને વાયુસેના તેના ક્ષેત્રની સુરક્ષા, વિરોધીઓને રોકવા અને લોકોની સુરક્ષામાં સંપૂર્ણ રીતે કાર્યરત રહેશે. તેમણે કહ્યું કે ગત વર્ષ ઘણા પડકારો લઈને આવ્યું પરંતુ ખુશીની વાત છે કે વાયુસેનાએ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું અને દરેક પડકારનો સફળતાપૂર્વક સામનો કર્યો. ભારતીય વાયુસેનાના ધ્વજને બદલવાના પ્રસંગે તેમણે કહ્યું હતું કે વાયુસેનાનો નવો ધ્વજ નવા ઉત્સાહ અને આકાંક્ષાઓને ઉજાગર કરે છે. અગાઉ, ભારતીય નૌકાદળે પણ 2 સપ્ટેમ્બર 2022ના રોજ નવો ધ્વજ અપનાવ્યો હતો. તે પણ વસાહતી ભૂતકાળને ખતમ કરવાનો પ્રયાસ હતો અને આજે જ્યારે વાયુસેનાના ધ્વજને બદલવામાં આવ્યો છે, ત્યારે સંસ્થાનવાદી ભૂતકાળથી પણ મુક્તિ મળી છે. ભારતીય વાયુસેના દર વર્ષે 8 ઓક્ટોબરે તેનો સ્થાપના દિવસ ઉજવે છે.
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે 8 ઓક્ટોબર, રવિવારે ઉત્તરાખંડ રાજ્યના રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ કેદારનાથ મંદિરમાં જઈને દર્શન કર્યા હતા.
રાજ્ય સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ (GPYVB)ને અલગ-અલગ સંસ્થાઓ/ટ્રસ્ટો દ્વારા નાના-મોટા તીર્થસ્થાનોના વિકાસ માટેની દરખાસ્તો મળેલ હતી કે જે દરખાસ્તો ઉપર કાળજીપૂર્વક વિચારણા કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્યના ગ્રામ્ય કક્ષાના નાના-નાના દેવસ્થાનોના વિકાસ માટે રૂ.37.80 કરોડની સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે. જીપીવાયવીબીના સચિવ આર. આર. રાવલે આ માહિતી આપતા જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં જીપીવાયવીબીના અધિકારીઓ સાથે ગાંધીનગરમાં એક બેઠક યોજી હતી કે જેમાં મુખ્યમંત્રીએ બોર્ડની ગ્રામ્ય કક્ષાના દેવસ્થાનોના વિકાસ અંગેની દરખાસ્તોને મંજૂરી આપી હતી.
મુખ્યમંત્રી દ્વારા જે દેવસ્થાનોના સર્વાંગી વિકાસ માટે સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવેલ છે, તેમાં વડોદરા જિલ્લાના 4 તીર્થસ્થાનોના વિકાસ માટે રૂપિયા 7.45 કરોડના કામોને મંજુરી આપવામાં આવી છે. વડોદરા જિલ્લાના આ 4 તીર્થસ્થાનોમાં શિનોર તાલુકાના બરકાલ ખાતે આવેલ શ્રી વ્યાસેશ્વર મહાદેવ, ડભોઈ ખાતે આવેલ શ્રી ગઢભવાની માતાજી મંદિર, રાયપુર મુકામે આવેલ શ્રી ભાથીજી મંદિર અને પાદરા તાલુકાના ડબકા ખાતે આવેલ શ્રી મહીસાગર માતા મંદિરનો સમાવેશ થાય છે.
તેવી જ રીતે મહેસાણા જિલ્લાના 6 તીર્થસ્થાનોના વિકાસ માટે રૂ. 15.66 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે. આ તીર્થસ્થાનોમાં ઉંઝા તાલુકાના ઉપેરા ખાતે આવેલ શ્રી ઠાકોરજી મંદિર, ઉંઝાના ઉનાવા ખાતે આવેલ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર, શ્રી હનુમાન મંદિર તથા શ્રી શનિદેવ મંદિર, કડી ખાતે આવેલ શ્રી દશામા મંદિર અને વિસનગર તાલુકાના વાલમ ખાતે આવેલ શ્રી કૃષ્ણ મંદિરનો સમાવેશ થાય છે.
આ બેઠકમાં અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકાના મોટી બોરુ ખાતે આવેલ શ્રી ભેટડિયા ભાણ મંદિરના વિકાસ કામો માટે રૂ. 4.09 કરોડની સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે. પાટણ જિલ્લામાં સમી તાલુકાના વુરાણા મુકામે આવેલ શ્રી ખોડિયાર માતા મંદિર તથા તળાવ બ્યુટીફિકેશનના કામો માટે રૂપિયા 4.48 કરોડની સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં જેતપુર તાલુકાના કાગવડ ખાતે આવેલ શ્રી ખોડલધામ મંદિરના વિકાસ કામો માટે રૂપિયા 1.64 કરોડની સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે.
આ ઉપરાંત અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકાના મેઢાસણ ખાતે આવેલ શ્રી રિધ્ધિ-સિધ્ધિ ગણપતિ મંદિરના વિકાસ કામો માટે રૂપિયા 1.30 કરોડની સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે. મહેસાણા જિલ્લામાં ચંદ્રાસણ ખાતે આવેલ રાજ્ય સરકાર હસ્તકના શ્રી ચંદ્રેશ્વર મહાદેવ મંદિરના વિકાસ કામો માટે રૂપિયા 47.57 લાખની સૈદ્ધાંતિક મંજુરી અને પાટણ જિલ્લાના ભુતિયાવાસણા ખાતે આવેલ શ્રી ભુતેશ્વર મહાદેવ મંદિરના વિકાસ કામો માટે રૂપિયા 2.70 કરોડની સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે.
ગુજરાતમાં તહેવારોની શરૂઆત પહેલા સિંગતેલના ભાવ ઘટ્યા છે. જેમાં સિંગતેલના ભાવમાં કડાકો બોલ્યો છે. તેમાં ડબ્બો રૂ.3,000ની અંદર એટલે કે ભાવ રૂ.2,950 થયો છે. મગફળીમાં સારી આવક થતા હજુ પણ ભાવમાં ઘટાડાની શક્યતા છે. એકસમયે રૂપિયા 3100 આસપાસ રહેલા ડબ્બાનો ભાવ હાલ રૂ.3 હજારની અંદર છે.
મગફળીનો પાક બજારમાં આવતા સિંગતેલના ભાવમાં ઘટ્યા
મગફળીનો પાક બજારમાં આવતા સિંગતેલના ભાવમાં ઘટ્યા છે. ચાલુ વર્ષે જયારે જરૂર હતી ત્યારે જ વરસાદ પડતા પડતા મગફળીનો ચિકકાર પાક થયો છે અને હવે તૈયાર મગફળીનો પાક બજારમાં આવવા લાગતા સિંગતેલના ભાવમાં કડકા બોલવા લાગ્યા છે અને એકસમયે 3100 આસપાસ રહેલા ડબ્બાનો ભાવ હાલ રૂ.3 હજારની અંદર આવી જઈ રૂ.2950 થઈ ગયો છે. જથ્થાબંધ હોલસેલ કરિયાણાના વેપારીના જણાવ્યા મુજબ એક તબક્કે વરસાદની ખાધ ઉભી થઈ હતી અને વરસાદ ખેચાવાને કારણે મગફળીના ઉત્પાદન પર અસર પડશે તેમ ચર્ચાઈ રહ્યું હતું. પણ તેવા સમયે જ મેઘરાજાએ મહેર કરતા આ વર્ષે મગફળીનું બમ્પર ઉત્પાદન થવાની ધારણા કરવામાં આવી રહી છે. અને તેની અસર સિંગતેલના ભાવ પર અત્યારથી જ પડવા લાગી છે.
પહેલા સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ.3100 આસપાસ થઈ ગયો હતો
થોડાસમય પહેલા સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ.3100 આસપાસ થઈ ગયો હતો. પણ થોડાસમયથી યાર્ડમાં મગફળીનો તૈયાર પાક આવવા લાગતા સિંગતેલના ભાવ ઘટવા માંડયા છે અને ડબ્બાનો ભાવ રૂ.2980 હતો તે ઘટીને આજે રૂ.2950 થઈ ગયો છે એટલે કે એક જ દિવસમાં રૂ.30નો ઘટાડો થયો છે. વધુમાં જણાવ્યા મુજબ હજુ પણ મગફળીની આવક વધતી જશે તેમ-તેમ ભાવ ઘટતા જવાની શકયતા તેમના દ્વારા વ્યકત કરવામા આવી હતી. સામે કપાસિયા તેલના ભાવ સ્થિર રહેલ છે. કેમકે સિંગતેલ સસ્તુ થતું જતું હોવાને કારણે લોકો સિંગતેલ તરફ વળી રહ્યા છે. તેથી ખરીદી પણ નીકળવાની આશા જણાઈ રહી છે.
મુંબઈઃ અફઘાનિસ્તાનના પશ્ચિમ ભાગમાં આવેલા હેરાત, ફરાહ અને બાદઘીસ પ્રાંતોમાં ગઈ કાલે આવેલા 6.2ની તીવ્રતાના ભીષણ ધરતીકંપમાં વ્યાપક વિનાશ થયો છે. 2,000થી વધારે લોકો માર્યા ગયા છે.
આ દેશની ટીમ હાલ ભારતમાં રમાતી વર્લ્ડ કપ-2023માં રમી રહી છે. પોતાના દેશમાં આવેલી આ ભયાનક કુદરતી આફતના સમાચાર જાણીને અફઘાનિસ્તાનના ક્રિકેટરો દુઃખી થઈ ગયા છે. એમનો સ્પિન બોલર રાશિદ ખાન ખૂબ જ વ્યથિત થયો છે. તેણે જાહેરાત કરી છે કે પોતાને વર્લ્ડ કપ સ્પર્ધામાં રમવાથી મળનારી સંપૂર્ણ મેચ ફી પોતે દેશના ભૂકંપગ્રસ્તોની મદદ માટે દાનમાં આપી દેશે. પોતાના અધિકૃત ટ્વિટર એકાઉન્ટ પર એણે જણાવ્યું છે કે, ‘અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપથી મને ખૂબ જ દુઃખ થયું છે. હું અસરગ્રસ્તોની મદદ માટે મારું બધા પ્રયત્ન સમર્પિત કરું છું. ક્રિકેટ વર્લ્ડ કપની મેચ ફી દાનમાં કરી દઉં છું. અમે ટૂંક સમયમાં જ એક ફંડ રેઝિંગ ઝુંબેશ શરૂ કરીશું, જે દ્વારા અમે પીડિતોની શક્ય એટલી મદદ કરીશું.’
વર્લ્ડ કપ 2023ની પાંચમી મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહી છે. આ વખતે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામેની મેચથી શ્રીગણેશ કર્યા છે. પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરી હતી. પરંતુ આ નિર્ણય ઓસ્ટ્રેલિયા માટે ખરાબ સાબિત થયો હતો. ભારતીય સ્પીનરો સામે ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો ખાસ કમાલ કરી શક્યા ન હતા અને આખી ટીમ 199 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતને જીત માટે 200 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતે ઓસ્ટ્રેલિયાને 199 રનના સ્કોર પર ઓલઆઉટ કરી દીધું હતું. તેને જીતવા માટે 200 રનની જરૂર છે. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટીવ સ્મિથે સૌથી વધુ 46 રન બનાવ્યા હતા. તેણે 71 બોલનો સામનો કર્યો અને 5 ચોગ્ગા ફટકાર્યા. ડેવિડ વોર્નરે 52 બોલમાં 41 રન બનાવ્યા હતા. વોર્નરે 6 ચોગ્ગા ફટકાર્યા હતા. લાબુશેને 27 રન અને મેક્સવેલે 15 રનનું યોગદાન આપ્યું હતું. પેટ કમિન્સ 15 રન બનાવીને આઉટ થયો હતો.
Innings break!
Australia are all out for 199 courtesy of a solid bowling performance from #TeamIndia 👏👏
Ravindra Jadeja the pick of the bowlers with figures of 3/28 👌👌
ભારતીય સ્પિનરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. રવિન્દ્ર જાડેજાએ 10 ઓવરમાં 28 રન આપીને 3 વિકેટ લીધી હતી. કુલદીપ યાદવે 10 ઓવરમાં 42 રન આપીને 2 વિકેટ લીધી હતી. રવિચંદ્રન અશ્વિનને સફળતા મળી. ફાસ્ટ બોલર બુમરાહે 2 વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યા અને મોહમ્મદ સિરાજને એક-એક વિકેટ મળી હતી.
તાજેતરમાં જ આ બંને ટીમો વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી રમાઈ હતી. જેમાં ભારતનો 2-1થી વિજય થયો હતો. હવે ફરી એકવાર બંને ટીમો એકબીજા સામે મેદાનમાં ઉતરશે. ભારત-ઓસ્ટ્રેલિયાની ટીમો ઘણી મજબૂત છે. મેદાનમાં રોમાંચક સ્પર્ધા જોવા મળી શકે છે. ભારતીય ઓપનર શુભમન ગિલ ડેન્ગ્યુથી પીડિત હતો. જેના પગલે તેની જગ્યાએ ઈશાન કિશનને ટીમમાં જગ્યા મળી છે.
હમાસના હુમલાના જવાબમાં, ઇઝરાયેલી સેનાએ પણ હમાસ સામે જવાબી કાર્યવાહી શરૂ કરી છે. ઈઝરાયેલે હુમલા માટે હમાસ આતંકવાદી જૂથ અને પેલેસ્ટાઈન ઈસ્લામિક જેહાદને જવાબદાર ગણાવ્યા હતા અને હવે હમાસ સામે સર્વશ્રેષ્ઠ યુદ્ધની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે ઘૂસણખોરી કરનારા હમાસના આતંકવાદીઓને બક્ષવામાં આવશે નહીં. ઈઝરાયલના સંરક્ષણ મંત્રીએ કહ્યું કે હમાસે ગંભીર ભૂલ કરી છે, તેણે ઈઝરાયેલ વિરુદ્ધ યુદ્ધ શરૂ કરી દીધું છે. IDF સૈનિકો ઘૂસણખોરીના દરેક તબક્કે દુશ્મનો સામે લડી રહ્યા છે. હું તમામ નાગરિકોને હોમ ફ્રન્ટ કમાન્ડની સુરક્ષા સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરું છું. ઇઝરાયેલ આ યુદ્ધ જીતશે.
A short while ago, IAF fighter jets struck a compound belonging to the head of the intelligence department in the Hamas terrorist organization.
બીજી તરફ ઈઝરાયેલની સેનાએ હમાસના ઈન્ટેલિજન્સ ચીફના ઘર પર હવાઈ હુમલો કર્યો છે. ઈઝરાયેલના ફાઈટર જેટે ગાઝામાં હમાસના ઈન્ટેલિજન્સ ચીફના ઘર પર બોમ્બમારો કર્યો છે. ઈઝરાયેલની સેના દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં એર સ્ટ્રાઈક બાદ ઈમારતમાં વિસ્ફોટ થતો જોવા મળી રહ્યો છે.
પશ્ચિમ એશિયા ફરી એકવાર યુદ્ધની ઝપેટમાં આવી ગયું છે. હમાસ દ્વારા શનિવારે સવારે ઈઝરાયેલ પર હુમલો કર્યા બાદ દુનિયામાં એક નવું યુદ્ધ શરૂ થઈ ગયું છે, જેની અસર ચારેબાજુ જોવા મળી રહી છે. સંકટને ધ્યાનમાં રાખીને, સ્થાનિક એરલાઇન એર ઇન્ડિયાએ 14 ઓક્ટોબર સુધી ઇઝરાયેલની રાજધાની તેલ અવીવની તેની ફ્લાઇટ્સ રદ કરી દીધી છે. એર ઈન્ડિયાના પ્રવક્તાએ રવિવારે બપોરે જણાવ્યું હતું કે એરલાઈને 14 ઓક્ટોબર, 2023 સુધી તેલ અવીવથી અને ત્યાંથી તમામ ફ્લાઈટ્સ રદ કરવાનો નિર્ણય લીધો છે. પ્રવક્તાએ કહ્યું કે કંપનીએ આ નિર્ણય તેના ક્રૂ મેમ્બર અને તમામ મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લીધો છે. તેમણે કહ્યું કે 14 ઓક્ટોબર સુધી કન્ફર્મ ટિકિટ ધરાવતા તમામ મુસાફરોને કંપની તમામ શક્ય મદદ પૂરી પાડશે.
Air India cancels flights to and from Tel Aviv till Oct 14
ટાટા ગ્રૂપની એરલાઈન એર ઈન્ડિયા તેલ અવીવ અને નવી દિલ્હી વચ્ચે સાપ્તાહિક પાંચ ફ્લાઈટ્સ ચલાવે છે. આ ફ્લાઈટ્સ સોમવાર, મંગળવાર, ગુરુવાર, શનિવાર અને રવિવારે છે. નવીનતમ જાહેરાત પહેલા, કંપનીએ ગઈકાલે શનિવારે પ્રથમ વખત ફ્લાઇટ્સ રદ કરવાની માહિતી આપી હતી. જો કે, શનિવારે 7મી ઓક્ટોબરની ફ્લાઈટને લઈને માત્ર એક દિવસનું અપડેટ આપવામાં આવ્યું હતું.
હુમલો વહેલી સવારે શરૂ થયો હતો
તમને જણાવી દઈએ કે હમાસે શનિવારે વહેલી સવારે અચાનક ઈઝરાયેલ પર હુમલો કર્યો, જેનાથી આખી દુનિયા ચોંકી ગઈ. ઇઝરાયેલ પર આ સ્તરના હુમલા છેલ્લા પાંચ દાયકામાં પ્રથમ વખત જોવા મળ્યા છે. હમાસના હુમલા બાદ ઈઝરાયેલે યુદ્ધની જાહેરાત કરી છે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સ્પષ્ટ કહ્યું કે આ યુદ્ધની શરૂઆત છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં સેંકડો લોકો માર્યા ગયા છે, જેમાં સામાન્ય લોકોનો પણ સમાવેશ થાય છે.
પીએમ મોદીએ તેને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો
ભારતે ઈઝરાયેલ પરના આ હુમલાની નિંદા કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલ સાથે ઉભા રહેવાની વાત કરતા હમાસની કાર્યવાહીને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ સહિત ઘણા પશ્ચિમી દેશો પણ ઈઝરાયેલના પક્ષમાં છે. તે જ સમયે, વિવિધ અહેવાલોમાં જે પ્રકારના અપડેટ્સ સામે આવી રહ્યા છે તે સંકેત આપે છે કે યુદ્ધ લાંબા સમય સુધી ખેંચાઈ શકે છે.
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે તે દેશભરની એગ્રિકલ્ચર અને ગ્રામિણ વિકાસ બેન્કોની 1,851 ઓફિસો અને તમામ રાજ્યોના સહકારી રજિસ્ટ્રાર કાર્યાલયોનું કામકાજ કમ્પ્યુટરાઈઝ્ડ કરશે. સરકારે આ માટે રૂ. 225.9 કરોડના ખર્ચવાળી યોજના ઘડી છે.
(પ્રતીકાત્મક તસવીર)
હાલ સરકારે દેશભરમાં તમામ પ્રાઈમરી એગ્રિકલ્ચર ક્રેડિટ સોસાયટીઓનું કર્યું છે. હવે એ જ કાર્યને આગળ વધારીને કેન્દ્ર સરકાર પ્રાયોજિત યોજના અંતર્ગત 1,851 એગ્રિકલ્ચર અને રૂરલ ડેવલપમેન્ટ બેન્કોનું નેશનલ યૂનિફાઈડ સોફ્ટવેર મારફત કમ્પ્યુટરકરણ કરવામાં આવશે. સરકાર આ ઉપરાંત તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રજિસ્ટ્રાર ઓફ કોઓપરેટિવ્સના કાર્યાલયોનું કામકાજ પણ કમ્પ્યુટરાઈઝ્ડ કરશે. આનાથી દેશભરમાં ગ્રામિણ સ્તરે બેન્કિંગ અને સહકારી કામગીરીઓ ઝડપી અને સચોટપૂર્વકની બનશે. સહકારી સોસાયટીઓ વધારે મજબૂત બનશે.