Home Blog Page 2456

MP Election : PM મોદીનો મધ્યપ્રદેશમાં વિપક્ષ પર મોટો પ્રહાર

મધ્યપ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જબલપુર પહોંચ્યા, જ્યાં તેમણે રૂ. 12,600 કરોડની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ દરમિયાન તેમણે જનસભાને પણ સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે આજે મને બહાદુર રાણી દુર્ગાવતીના સ્મારકનું ભૂમિપૂજન કરવાનું સૌભાગ્ય મળ્યું છે. તેમનું જીવન આપણને સૌના કલ્યાણનો પાઠ શીખવે છે. વડાપ્રધાને કહ્યું કે, જો દુનિયાના કોઈ દેશમાં રાણી દુર્ગાવતી જેવી બહાદુર મહિલા હોત તો તે દેશ આખી દુનિયામાં કૂદકો મારતો હોત. આઝાદી પછી આપણા દેશમાં પણ આવું જ થવું જોઈતું હતું, પરંતુ આપણા મહાપુરુષો ભૂલી ગયા હતા.

 

કોંગ્રેસના જમાનામાં ભ્રષ્ટાચાર થતો હતો

કોંગ્રેસ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે, “2014માં મોદી આવ્યા પહેલા શું સ્થિતિ હતી? કોંગ્રેસના સમયમાં કેટલો ભ્રષ્ટાચાર જોવા મળ્યો. ગરીબોના પૈસા ખાઈ ગયા. અમે મતદાર યાદીમાંથી લગભગ 11 કરોડ નકલી નામો હટાવ્યા. “આ એવા નામો હતા જે ક્યારેય જન્મ્યા ન હતા. તેમણે કહ્યું કે, અમે જન ધન, આધાર અને મોબાઈલની એવી ત્રિ-શક્તિ બનાવી કે કોંગ્રેસની ભ્રષ્ટ વ્યવસ્થાનો નાશ થઈ ગયો. આજે આ ત્રિ-શક્તિને કારણે 2.5 લાખ કરોડ રૂપિયાથી વધુ (જેની ચોરી થતી હતી) થઈ ગઈ છે. ખોટા હાથમાં. મોદીએ બચાવવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું કે, “દેશમાં જે પાર્ટી આઝાદી પછી દાયકાઓ સુધી સરકારમાં બેઠી, તેણે માત્ર એક પરિવારના ચરણ પૂજવાનું કામ કર્યું. એક પરિવારે દેશને આઝાદી અપાવી એટલું જ નહીં, દેશનો વિકાસ પણ કર્યો. માત્ર એક પરિવાર દ્વારા. કર્યું નથી.

‘આ યુવાનીનો સમય છે’

પીએમ મોદીએ લોકોને સંબોધિત કરતા કહ્યું કે આ સમય ભારતના યુવાનોનો છે. જ્યારે પણ યુવાનોને તકો મળે છે, ત્યારે વિકસિત ભારત બનાવવાનો તેમનો જુસ્સો ઊંચો થઈ જાય છે. ત્યારે જ ભારત G20 જેવા વૈશ્વિક કાર્યક્રમોનું આયોજન કરવામાં સફળ થાય છે. ત્યારે જ ભારતનું ચંદ્રયાન એવી જગ્યાએ પહોંચે છે જ્યાં અન્ય કોઈ દેશ પહોંચી શકે તેમ નથી.

‘દરેક ભારતીય નાગરિકે ‘વેક્સિન વોર’ ફિલ્મ જોવી જોઈએ’: પીએમ મોદી

જોધપુરઃ ગયા મહિને રિલીઝ કરવામાં આવેલી હિન્દી ફિલ્મ ‘ધ વેક્સિન વોર’ની વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખૂબ પ્રશંસા કરી છે. કોરોનાવાઈરસ-વિરોધી રસી બનાવવામાં ભારતના તબીબી વિજ્ઞાનીઓને કરવા પડેલા સંઘર્ષને દર્શાવતી આ ફિલ્મ બનાવવા બદલ વડા પ્રધાને દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રી તથા અન્યોની સરાહના કરી છે. વડા પ્રધાન મોદીએ જોધપુુરમાં એક જનસભાને સંબોધિત કરતી વખતે આ ફિલ્મનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે દરેક ભારતીય નાગરિકે આ ફિલ્મ જોવી જોઈએ.

‘વેક્સિન વોર’ ફિલ્મ ગઈ 28 સપ્ટેમ્બરે દેશભરમાં રિલીઝ કરવામાં આવી હતી. આ તબીબી વિજ્ઞાન પર આધારિત ફિલ્મમાં કોરોનાવાઈરસ મહાબીમારી ભારતમાં ફેલાયા બાદ રોગચાળાની સામે રક્ષણ આપતી રસી કોવેક્સિનનું નિર્માણ કરવામાં ભારતીય વિજ્ઞાનીઓને પડેલી તકલીફો અને એમની સામે આવેલા પડકારોની જાણકારી આપવામાં આવી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ સંસ્થામાં જે સંઘર્ષ કરવો પડ્યો હતો તેની ગાથા આ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. ‘ઈન્ડિયા ફોર હ્યુમેનિટી ટુર’ સંસ્થાના ઉપક્રમે અમેરિકામાં પણ આ ફિલ્મના ખાસ શોનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંબાજીમાં પ્રસાદ વિવાદઃ નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહની ધરપકડ

અંબાજીઃ અંબાજીમાં મોહનથાળના પ્રસાદ મામલે વિવાદ થતાં મોહિની કેટરર્સનો કોન્ટ્રેક્ટ રદ કરી નાખવામાં આવ્યો છે. આ મામલે અમદાવાદના નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહની ધરપકડ કરવામાં આવી છે. અંબાજી પોલીસે જતીન શાહની ધરપકડ કરી છે. નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહે 300 ડબ્બા ઘી મોહિની કેટરર્સને આપ્યા હતા. હવે સરકાર પ્રસાદ બનાવવાનું કામ અક્ષયપાત્ર સંસ્થાને સોંપે એવી શક્યતા છે. હવે પોલીસ પૂછપરછમાં આ મામલે વધુ ખુલાસાઓ સામે આવે તેવી શક્યતા છે.

જો કે જતીન શાહ સામે ગુનો નોંધાયા બાદ તે બે દિવસથી ફરાર હતો. ત્યારે હવે આરોપી જતીન શાહની ધરપકડ કરવામાં આવી છે, જેથી વધુ માહિતી બહાર આવે એવી સંભાવના છે.

અંબાજીમાં મોહનથાળના પ્રસાદ માટે ઉપયોગમાં લેવાયેલું ઘી અમદાવાદના નીલકંઠ ટ્રેડર્સ પાસેથી ખરીદવામાં આવ્યું હોવાનો દાવો કોન્ટ્રાક્ટર મોહિની કેટરર્સે કર્યો હતો. ત્યારે અંબાજી પોલીસની ટીમે અમદાવાદના માધુપુરા વિસ્તારમાં આવેલા નીલકંઠ ટ્રેડર્સમાં પહોંચી અને તપાસ હાથ ધરી હતી. અંબાજી પોલીસે નીલકંઠ ટ્રેડર્સમાંથી 15 કિલોના ઘીના ત્રણ ડબ્બા કબજે કર્યા હતા.

યાત્રાધામ અંબાજીમાં મોહનથાળના પ્રસાદમાં વપરાતા ઘીના નમૂના નિષ્ફળ જતા ભારે વિવાદ સર્જાયો હતો. ત્યારે હવે પ્રસાદ બનાવતી મોહિની કેટરર્સનું પેમેન્ટ અટકાવવામાં આવશે. મોહિની કેટરર્સે કરારની શરતોનું ઉલ્લંઘન કર્યોનો ખુલાસો કરવામાં આવ્યો છે.

પ્રસાદમાં વપરાયેલુ ઘી માન્ય ડેરીના બદલે નીલકંઠ ટ્રેડર્સમાંથી ખરીદ્યું હતું. મોહિની કેટરર્સ નીલકંઠ ટ્રેડર્સમાંથી 300 ડબ્બા ઘી ખરીદ્યું હતું. 300 માંથી 120 ઘીના ડબ્બાનો પ્રસાદમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. પ્રસાદમાં સસ્તાની લાયમાં અખાદ્ય ઘીનો પ્રસાદમાં ઉપયોગ કર્યો હતો.

 

 

અયોધ્યામાં સરયૂ ઘાટ પાસે બનશે ટેન્ટ સિટી

અયોધ્યાઃ શું તમે જાન્યુઆરીમાં શ્રીરામ મંદિરના દર્શન કરવાની યોજના બનાવી રહ્યા છો? તો તમે મંદિરથી પગપાળા અંતરે એક લક્ઝરી ટેન્ટમાં રહી શકો છો. જ્યાંથી અનુપમ દ્રશ્ય દેખાં દેશે. વાસ્તવમાં યુપી સરકાર પરિક્રમા માર્ગના કિનારે રામ જન્મભૂમિથી માત્ર 1.5 કિમી દૂર સરયૂ નદી પાસે 20 એકર જમીન પર લક્ઝરી ટેન્ટ બનાવી રહી છે. એમાં અલગ-અલગ પ્રકારના 300 લક્ઝરી ટેન્ટ હશે.

યોગી સરકારના દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે પ્રસ્તાવિત જમીનથી પરિક્રમા માર્ગ સુધી સીધી પહોંચ છે અને એની આસપાસના વિસ્તારને એક અનુભવાત્મક કેન્દ્ર તરીકે વિકસિત કરવામાં આવશે. પ્રસ્તાવિત જમીન રામ જન્મભૂમિ મંદિરનું એક શાનદાર દ્રષ્ય બતાવશે.

રામ મંદિર નિર્માણ સમિતિના અધઅયક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું હતું કે આવતા વર્ષે વડા પ્રધાન દ્વારા રામ મંદિરના ઉદઘાટન પછી દૈનિક ધોરણે આશરે 1.5 લાખ લોકો મંદિરમાં આવવાની અપેક્ષા છે. અયોધ્યામાં અત્યાર સુધી સીમિત સંખ્યામાં હોટેલ અને ટેન્ટ સિટીને આગંતુકો માટે એક વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યા છે. સરકાર ઇચ્છે છે કે એક જાહેર પ્રક્રિયાને આધારે પાંચ વર્ષ માટે ટેન્ટ સિટીનો વિકાસ, સંચાલન અને જાળવણી માટે ખાનગી પાર્ટીઓને આપવામાં આવે.

આ ટેન્ટ સિટીમાં રિસેપ્શન એરિયા, રેસ્ટોરાં, ભોજનાલય અને VIP લાઉન્જ બનાવવામાં આવે. આ ટેન્ટ વિવિધ શ્રેણીઓના હશે, જેમાં વિલા, ડિલક્સ, અને સુપર ડિક્સ ટેન્ટ સામેલ છે. આ ટેન્ટમાં આગંતુકોને અનોખો આરામદાયક કેમ્પિંગનો અનુભવ કરાવવામાં આવશે.

 

 

 

 

 

વર્લ્ડકપ-2023માં વહેશે દારૂની નદીઓ; શરાબ કંપનીઓ કરોડો રૂપિયાના કરાર

મુંબઈઃ દર ચાર વર્ષે રમાતી આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ સ્પર્ધાની નવી આવૃત્તિનો આજથી ભારતમાં આરંભ થયો છે. ક્રિકેટ રસિયાઓની આતુરતાનો આખરે અંત આવી ગયો છે. કોઈ પણ રમતની વર્લ્ડ કપ સ્પર્ધા યોજાય ત્યારે દુનિયાભરની વિવિધ કંપનીઓને નફો કમાવાની અને પોતાની બ્રાન્ડને દુનિયાભરમાં પહોંચાડવાની સુવર્ણ તક મળે છે. ક્રિકેટ વર્લ્ડ કપ પણ એમાંની જ એક છે. અનેક કંપનીઓ આ વર્લ્ડ કપ દરમિયાન પોતાનો ધંધાકીય નફો રળવા માટે સજ્જ થઈ ગઈ છે. આમાં ઓટીટી એપ્સ, ટ્રાવેલ બુકિંગ વેબસાઈટ્સ, મોબાઈલ ગેમિંગ એપ્સ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. દરેક કંપની પોતપોતાની રીતે નફો કમાવવાના પ્રયત્નમાં લાગી પડી છે. આમાં દારૂ અને બીયર કંપનીઓ પણ પાછળ રહી નથી. આ વખતની સ્પર્ધામાં કરોડો રૂપિયાના દારૂ અને બીયરની ખરીદી-વેચાણ થવાનું છે.

બીયર કંપની સાથે 66 કરોડનો કરાર

બીયર કંપની બીરા 91 અને શરાબ ઉત્પાદક કંપની રોયલ સ્ટેગ સાથે આઈસીસી સંસ્થા દ્વારા કરોડો રૂપિયાની રકમના સ્પોન્સરશિપ કરાર કરવામાં આવ્યા છે. આઈસીસીએ આઠ અધિકૃત પાર્ટનર કંપનીઓ સાથે સ્પોન્સરશિપ કરાર કર્યો છે. એમાંની એક છે બીયર કંપની બીરા 91. આ બીયર કંપની ઉપરાંત થમ્સ-અપ, નિસ્સાન, ઓપ્પો, પોલીસેબ, અપસ્ટોક્સ, નિઆમ, ડ્રીમ-11, ટાયકા, નિયર ફાઉન્ડેશન અને ડીપી વર્લ્ડ કંપનીઓનો પણ સમાવેશ થાય છે.

આઈસીસીએ પ્રત્યેક બ્રાન્ડ સાથે આશરે 30-40 લાખ ડોલર (અંદાજે 33 કરોડ રૂપિયા)નો કરાર કર્યો છે.

પાંચ વર્ષના પુત્રને માતા ખાઈ ગઈ છતાં કોર્ટે છોડી મૂકી, જાણો…

નવી દિલ્હીઃ ઇજિપ્તમાં એક હ્દયદ્રાવક ઘટના બની છે. અહીં એક માતાએ પાંચ વર્ષના પુત્રનું માથું કાપી નાખ્યું હતું અને પછી એ ખાઈ ગઈ હતી. ત્યાર બાદ તેણે પુત્રના શરીરના નાના-નાના ટુકડા કર્યા હતા, ને ગરમ પાણીમાં ઉકાળ્યા હતા અને પછી ખાઈ ગઈ હતી. આ ઘટના હ્રદયને હચમચાવી નાખે એવી છે.

29 વર્ષીય આરોપી મહિલા હના મોહમ્મદ હસન પર પુત્ર યુસુફની હત્યાનો મામલો ચાલી રહ્યો હતો, પણ કોર્ટે તેને એમ કહેતા છોડી દીધી હતી કે તે માનસિક રીતે સ્વસ્થ નથી. કોર્ટે આવી નિર્મમ હત્યા કરનારી મહિલાને પાગલ જાહેર કરી હતી. હાલ તેની સારવાર ચાલી રહી છે. મહિલાએ ખુદ તેનો ગુનો કબૂલ્યો હતો. કોર્ટે 30 સપ્ટેમ્બરે ચુકાદો આપતાં કહ્યું હતું કે તેણે પુત્રને પાગલપનની સ્થિતિમાં મારી કાઢ્યો હતો. તે માનસિક રીતે સ્વસ્થ નથી. આરોપી મહિલાને ત્યાર પકડવામાં આવી, જ્યારે બાળકના કાકાને તેના મૃતદેહના ટુકડા બાથરૂમમાંથી બાલટીમાં મળ્યા હતા.

તેણે પુત્રના માથું ખાધું હોવાનું કબૂલ્યું હતું, કેમ કે તે ઇચ્છતી હતી કે તે હંમેશાં તેની સાથે રહે. વાસ્તવમાં આ મહિલા તેના પતિથી અલગ થઈ ચૂકી હતી. પુત્રની કસ્ટડી માટે કેસ ચાલી રહ્યો હતો.

તે માનસિક રોગી હતી અને તેણે તેના પુત્ર પર ઘરમાં ચાકુથી હુમલો કર્યો હતો. તેને કારણે તેના પુત્રનું મોત થયું હતું. કોર્ટે તેના મેન્ટલ સ્ટેટસની તપાસ માટે તેને મોકલવાનો આદેશ આપ્યો છે.

 

 

 

 

અક્ષરધામમાં ‘આંતરધર્મીય સંવાદિતા દિન’ ઉજવાયો

તા 4 ઓક્ટોબરના રોજ BAPS સ્વામિનારાયણ અક્ષરધામમાં કુલ ત્રણ ચરણમાં યોજાનાર મૂર્તિપ્રતિષ્ઠાવિધિના દ્વિતીય ચરણમાં પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે  સનાતન ધર્મના પૂજનીય સ્વરૂપોનું પૂજન કરવામાં આવ્યું.

જેમાં ભગવાન શ્રી રામ, સીતાજી, હનુમાનજી, લક્ષ્મણજી, ભગવાન શ્રી શિવ, પાર્વતીજી, ગણેશજી, કાર્તિકેયજી, ભગવાન શ્રીકૃષ્ણ, રાધાજી, ભગવાન શ્રી તિરૂપતિ બાલાજીની સાથે BAPS ની આધ્યાત્મિક ગુરૂપરંપરાના ગુરુવર્યોની મૂર્તિઓનું પૂજન કરવામાં આવ્યું હતું. આ શુભ અવસરે અનેકવિધ મહાનુભાવો ઉપસ્થિતિ રહ્યા હતા.

આ પ્રસંગે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કોષાધ્યક્ષ પૂજ્ય સ્વામી ગોવિંદદેવ ગીરીજીએ તેઓના સંબોધનમાં જણાવ્યું,

“શાશ્વત કાળ માટે રચાયેલું આ સ્થાન એક દીવાદાંડી સમાન છે. મંદિર શું છે? મંદિર એવી દીવાદાંડી છે, જે અનંતકાળ સુધી પ્રકાશ આપે છે. આ મંદિર પેઢીઓ સુધી જ્ઞાનના અજવાળા પાથરશે. આ માનવતાનું મંદિર છે, શ્રદ્ધાનું, વૈશ્વિક પ્રેમ અને ભાઇચારાનું મંદિર છે.”

ઉત્તર અમેરિકામાં BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મહામંદિર, ઊંડા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્વને દર્શાવતું, હિન્દુ વારસાના જતન અને તેના પ્રસારની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના ‘પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે ધર્મ’ સંદેશને ધ્વનિત કરતો અને ‘વસુધૈવ કુટુંબકમ’ ની ભાવનાને પ્રસારિત કરતાં અક્ષરધામમાં વિશિષ્ટ સંધ્યા કાર્યક્રમમાં ખ્રિસ્તી, ઇસ્લામ, યહૂદી, બૌધ્ધ અને હિન્દુ ધર્મના 20 જેટલાં ધર્મગુરુઓ અને પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાંઆંતરધર્મીય સંવાદિતા દિન’ નું આયોજન કરવામાં આવ્યું હતું.

BAPS સંસ્થાના પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામીએ તેઓના સંબોધનમાં જણાવ્યું,“અમે માનીએ છીએ કે ધર્મનો સાર સંવાદિતા છે. હિન્દુ સનાતન ધર્મનો આ મૂળભૂત સિદ્ધાંત છે… આપણે અલગ પીંછા અને ઉડાન ધરાવતાં પક્ષીઓ જેવા છીએ, જેમનો માળો એક છે, એટલે કે અંતે તો આપણે સૌ આ એક પૃથ્વીના નિવાસીઓ છે. પૃથ્વી આપણું આધ્યાત્મિક નિવાસસ્થાન છે.”

નેશનલ કાઉન્સિલ ઓફ ચર્ચના ગવર્નિંગ બોર્ડના અધ્યક્ષ બિશપ ડેરિન મૂરે જણાવ્યું,“આજે આપણે ખરેખર એક પવિત્ર ભૂમિ પર એકત્ર થયા છીએ. આ સ્મારકમાં પ્રત્યેક બાબત, જે ઊંડાણ દ્વારા રજૂ કરવામાં આવી છે, તે અભૂતપૂર્વ છે. આ સ્થાનને આટલું પ્રભાવક બનાવવા માટે સૌથી વધુ જો કોઈ કારણભૂત હોય તો તે છે, અહીં સમર્પિત થઈ ગયેલા લોકો.”

એરિયા સેવન્ટી, ધ ચર્ચ ઓફ જીસસ ક્રાઈસ્ટ ઓફ લેટર-ડે સેન્ટ્સના એલ્ડર ડેવિડ બકનરે જણાવ્યું, “જ્યારે હું આ સુંદર સ્થાનમાં પ્રવેશ્યો અને શિખર તરફ જોયું , ત્યારે મને સમજાવવામાં આવ્યું કે આ અલંકૃત સ્થાપત્યનો શું અર્થ અને મહત્વ છે. અહીં આ કલાકૃતિના સર્જનમાં ધરબાયેલા પુરુષાર્થને  નિરખતાં અનેરા પ્રકાશની અનુભૂતિ થાય છે. મને લાગ્યું કે હું જાણે સ્વર્ગ તરફ દ્રષ્ટિ કરી રહ્યો છું. હું એવી અનુભૂતિ કરી રહ્યો હતો, જે એક મંદિરમાંથી થવી જોઈએ. મંદિરે લોકોને ભગવાન સન્મુખ કરવા જોઈએ. ભગવાનને જોવામાં મદદ કરવી જોઈએ.”

BAPS સંસ્થાના આધ્યાત્મિક અધ્યક્ષ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે તેઓના આશીર્વચનમાં જણાવ્યું, “આપણે એક આકાશ નીચે અને એક ધરતી પર રહી છીએ, એક હવામાં શ્વાસ લઈએ છીએ…આપણે સૌ ભગવાનના સંતાનો છીએ. અક્ષરધામનો આ સંદેશ છે.”

સમગ્ર કાર્યક્રમમાં પ્રાર્થના, પ્રેરણાદાયી વક્તવ્યો અને સાંસ્કૃતિક આદાન પ્રદાન દ્વારા અનેકવિધ ધર્મો વચ્ચે સેતુરૂપ એવા મૂલ્યો, નૈતિકતા અને સિદ્ધાંતો વિષયક પ્રેરણા પ્રાપ્ત થઈ હતી. અક્ષરધામનું ભવ્ય સ્થાપત્ય અને પ્રશાંત આધ્યાત્મિક ઉર્જાસભર વાતાવરણ વિવિધતાસભર અસંખ્ય લોકોને પરસ્પર આદર અને સમજણનો સંદેશો આપે છે. આજના આ કાર્યક્રમનો સાર હતો – પરસ્પર આદર, કરુણા અને સમજણ દ્વારા આપણે સંવાદિતા અને એકતા સ્થાપી શકીએ છીએ.

હવમાન સાનુકૂળ રહેશે તો ડિસેમ્બર સુધી મોંઘવારીમાં ઘટાડોઃ સોમનાથન

નવી દિલ્હીઃ દેશમાં વધતી મોંઘવારીથી ટૂંક સમયમાં રાહત મળવાની સંભાવના છે. હવામાન અનુકૂળ રહેશે તો રિટેલ મોંઘવારીમાં ઘટાડો થવાની શક્યતા છે. ખાદ્ય પદાર્થોની કિંમતોમાં ઝડપથી વધારો થવાને કારણે મોંઘવારીમાં વધારો થયો છે, એમ નાણા સચિવ ટીવી સોમનાથને કહ્યું હતું.

હવામાનમાં થતા ફેરફારોને લીધે શાકભાજી, દૂધ તેમ જ અનાજ જેવા ખાદ્ય પદાર્થોના ઉત્પાદન પર અસર થઈ છે. જોકે હવે હવામાન હવે સાનુકૂળ થવા લાગ્યું છે. જેથી ડિસેમ્બર સુધી રિટેલ મોંઘવારીના મોરચે રાહત મળવાની સંભાવના છે. RBIએ ડિસેમ્બર ત્રિમાસિકમાં રિટેલ મોંઘવારી 5.7 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું હતું કે ભારતનું 2025-26 સુધી રાજકોષીય ખાધને GDPના 4.5 ટકાથી નીચે લાવવા માટે પ્રતિબદ્ધ છે. સરકારે ચાલુ નાણાકીય વર્ષ માટે 5.9 ટકા રાજકોષીય ખાધ ઘટાડવાનું લક્ષ્ય રાખ્યું છે.

સરકારે પણ તહેવારોની સીઝનમાં મોંઘવારી પર અંકુશ મેળવવા માટે જમાખોરી પર કાર્યવાહી કરવા માટે મોટી તૈયારી છે. આ સાથે કંપનીઓનો અંદાજ છે કે આગામી વર્ષે ઓગસ્ટમાં દેશમાં રિટેલ મોંઘવારી દર પાંચ ટકા રહે એવી શક્યતા છે, એમ IIM-Aએ 1000 કંપનીઓ પર સર્વે કહે છે.બીજી બાજુ, RBI MPCની ત્રિદિવસીય બેઠક ચોથી ઓક્ટોબરથી શરૂ થઈ છે અને છઠ્ઠી ઓક્ટોબરે બેન્ક મહત્ત્વના વ્યાજદરો પર નિર્ણયની જાહેરાત કરશે. જોકે વિશ્લેષકોનું માનવું છે કે RBI સતત ચોથી વાત નીતિ વિષયક વ્યાજદરોમાં કોઈ ફેરફાર નહીં કરે અને એને 6.5 ટકાના દરે યથાવત્ રાખશે.

 

 

 

 

 

-તો ગાયત્રી જોશીનાં પતિ વિકાસને ઈટાલીમાં 7 વર્ષની જેલની સજા થશે

રોમઃ વર્ષો પહેલાં આવેલી હિન્દી ફિલ્મ ‘સ્વદેશ’માં અભિનય કરનાર ગાયત્રી જોશી અને એનાં પતિ વિકાસ ઓબેરોય ગયા સોમવારે ઈટાલીના સાર્ડિનીઆમાં થયેલા એક ભયંકર રોડ અકસ્માતમાં આબાદ બચી ગયાં હતાં. દુઃખદ રીતે, તે અકસ્માતમાં એક ફેરારી કારમાં સફર કરી રહેલાં એક સ્વિસ દંપતીનું કરૂણ રીતે મૃત્યુ થયું હતું. સાન ગિઓવાની સુએરગુ નગર નજીક સ્ટેટ રોડ નંબર 195 પર અનેક વાહનોની એકસાથે ટકરામણવાળો તે અકસ્માત થયો ત્યારે સ્પોર્ટ્સ કારના ઉત્સાહીઓના એક ગ્રુપમાં ગાયત્રી અને વિકાસ પણ એક હિસ્સો હતાં.

અહેવાલો અનુસાર, જો વિકાસ ઓબેરોય સામે અકસ્માતમાં સંડોવણીનો આરોપ મૂકાશે અને તે સાબિત થશે તો એમને સાત વર્ષની જેલની સજા થઈ શકે છે. વિકાસ જાણીતા ભારતીય રીયલ એસ્ટેટ ડેવલપર છે. તેઓ ઓબેરોય રિયાલ્ટી કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર છે. ભારતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં આ એક અગ્રગણ્ય કંપની છે. તે મુંબઈમાં અનેક લક્ઝરી રહેણાંક અને કમર્શિયલ પ્રોજેક્ટો બનાવે છે. તે ખૂબ મોંઘા રહેણાંક ટાવર, લક્ઝરી એપાર્ટમેન્ટ્સ અને કમર્શિયલ ઓફિસ ઈમારતો બનાવે છે.

ઈટાલીમાં થયેલા તે કમનસીબ અકસ્માતનો વિડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થયો છે. તેમાં ફેરારી કાર એક કેમ્પર વેનને ઓવરટેક કરવા જતાં તેની સાથે અથડાઈ પડે છે અને તેમાં આગ લાગે છે. ફેરારી કાર ગાયત્રી અને વિકાસ જે કારમાં હતાં તે લેમ્બોર્ગિની કાર સાથે પણ અથડાઈ હતી. કેમ્પર વેનમાં અનેક સ્થાનિક ઈટાલીયન પર્યટકો હતાં. ગાયત્રી-વિકાસની લેમ્બોર્ગિની કાર અથડાતાં કેમ્પર વેન ઊંધી વળી ગઈ હતી અને લેમ્બોર્ગિની કાર તેની નીચે જતી રહી હતી. ફેરારી કારમાં આગ લાગી હતી અને તેમાં સફર કરી રહેલા સ્વિટ્ઝરલેન્ડ નિવાસી દંપતીનું કરૂણ રીતે મરણ થયું હતું. ગાયત્રી અને વિકાસ આબાદ રીતે બચી ગયાં હતાં.

ગાયત્રી અને વિકાસ રજા માણવા માટે ઈટાલી ગયાં છે. ગાયત્રીએ અકસ્માતના બીજા દિવસે એક અખબારને ફોન પર કહ્યું હતું કે, ‘હું અને વિકાસ ઈટાલીમાં આવ્યાં છીએ. અહીં અનેક વાહનોની ટક્કરવાળા એક અકસ્માતમાં અમે પણ શિકાર બન્યા હતાં, ભગવાનની દયાથી હું અને વિકાસ સંપૂર્ણપણે બચી ગયાં છીએ.’

સ્વામિનારાયણ અક્ષરધામમાં ‘તડાગ ઉત્સર્ગ’ વિધિ યોજાઈ

તા 3 ઓક્ટોબરના રોજ BAPS સ્વામિનારાયણ અક્ષરધામમાં ભારતીય અમેરિકન મહિલાઓના અમેરિકન સમાજમાં પ્રદાન વિષયક કાર્યક્રમ યોજાઇ ગયો.

આ કાર્યક્રમ તા,8 ઓક્ટોબર, 2023 ના રોજ અક્ષરધામ મહામંદિરના ભવ્ય ઉદ્ઘાટન સમારોહ નિમિત્તે, 30 સપ્ટેમ્બરથી ઉજવાઇ રહેલાં વિશિષ્ટ કાર્યક્રમોની હારમાળાના એક ભાગ રૂપે યોજવામાં આવ્યો હતો.

સમાજમાં સંસ્કાર,સેવા અને સંસ્કૃતિ જાળવી રાખવામાં નારીશક્તિના અમૂલ્ય પ્રદાન અને તે માટે અક્ષરધામ કઈ રીતે પ્રેરણારૂપ બની રહ્યું છે, તે કેન્દ્રવર્તી વિચાર સાથે અનેકવિધ પ્રસ્તુતિઓ અને સ્વાનુભવો રજૂ કરવામાં આવ્યા હતા.

વિવિધ વયની લગભગ 43 મહિલાઓ દ્વારા રજૂ  કરવામાં આવેલી સિમ્ફની સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી, ત્યારબાદ 200 થી યુવતીઓ અને મહિલાઓ દ્વારા નૃત્ય પ્રસ્તુતિ કરવામાં આવી હતી, જેમાં ભારતીય નૃત્યના ઉત્તમ સ્વરૂપ ભરતનાટ્યમનો પણ સમાવેશ થાય છે.

અક્ષરધામમાં સેવા કરનાર અનેકવિધ મહિલાઓએ સેવા દ્વારા દ્વારા સહાનુભૂતિ, નમ્રતા, સામાજિક ઉત્તરદાયિત્વ જેવી અનેક ઉદાત્ત ભાવનાઓના સિંચન સાથે જીવનઘડતરની સ્વાનુભૂતિ રજૂ કરી.

આ મહિલા દિન વિવિધ વય અને અનેકવિધ પ્રોફેશનલ બેકગ્રાઉન્ડ ધરાવતી અનેકવિધ મહિલાઓ માટે એક ઉત્કૃષ્ટ મંચ બની રહ્યો હતો, જેના દ્વારા તેમણે કેવી રીતે મહિલાઓ એકબીજાને મદદ દ્વારા, પોતાના કુટુંબમાં અને સામાજિક જીવનમાં સંવાદિતા સાધીને પ્રગતિ કરી શકે તેનું માર્ગદર્શન મેળવ્યું હતું. મહિલાઓએ જણાવ્યું કે અક્ષરધામ દ્વારા  ભક્તિને રોજિંદા જીવનમાં વિવિધ આહનિક જેવા કે આરતી, ભજન, થાળ દ્વારા સમૃદ્ધ કરી, હિન્દુ ધર્મ અને ભારતીય વારસાને જાળવવાની પ્રેરણા મળી છે.

એલર્જી એન્ડ અસ્થમા એસોસિએટ્સના મેડિકલ ડિરેક્ટર ડૉ. પૂર્વી પરીખે તેઓના સંબોધનમાં જણાવ્યું,

“ગાંધીજીએ કહ્યું હતું કે આપણાં પૃથ્વી પરના અસ્તિત્વનું ઋણ આપણે સેવા દ્વારા ચૂકવવું જોઈએ. આજે અહીં  આવીને, આ અદભૂત સંકુલમાં સર્જનમાં સેવાકાર્ય કરનારી વ્યક્તિઓએ ગાંધીજીની આ ઉક્તિને આજે પુનઃ યાદ કરાવી છે.”

HoliCHIC by Meghaના સ્થાપક અને ડિઝાઇનર મેઘા રાવે જણાવ્યું,

“મેં અહીં 20 વર્ષની યુવાન છોકરીઓને જોઈ, જેઓ સેવા કરવા માટે અને આપણી આવનારી અનેક પેઢીઓને પ્રેરણારૂપ કાર્ય કરવા માટે, થોડા વર્ષો માટે કોલેજ છોડીને આવી છે! આપણી સંસ્કૃતિને જાળવવા માટે તેઓએ જે કાર્ય કર્યું છે તે ખરેખર નારીશક્તિનું શ્રેષ્ઠ સ્વરૂપ છે.”

રેકોર્ડેડ વિડિયો સંદેશ દ્વારા, BAPS સંસ્થાના સદ્ગુરુ સંત પૂજ્ય સ્વયંપ્રકાશદાસ (ડૉક્ટર) સ્વામીએ જણાવ્યું,

“એક સદ્ગુણી માતા દસ લાખ સારા શિક્ષકો જેટલી  અસર કરી શકે છે. “ તેમણે પ્રાચીન ઋષિઓના શાણપણ પર ભાર મૂકતાં જણાવ્યું કે ‘જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય ત્યારથી જ મૂલ્યોનો પાયો શરૂ થાય છે.’

રેકોર્ડેડ વિડિયો સંદેશ દ્વારા, BAPS સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય આનંદસ્વરૂપદાસ સ્વામીએ જણાવ્યું કે ‘માતાપિતાની સૌથી મોટી સંપત્તિ બાળકો છે, અને બાળકોમાં ઉત્તમ મૂલ્યો પ્રસારિત કરવાનું ઉત્તરદાયિત્વ વાલીઓનું છે.’

આ  સમગ્ર મહિલા દિન કાર્યક્રમનો સંદેશ હતો  કે  અક્ષરધામ, માત્ર વર્તમાન જ નહીં પરંતુ ભાવિ પેઢીઓને તેમના સાંસ્કૃતિક વારસા અને કાલાતીત મૂલ્યોને જાળવવા માટે પ્રેરણા આપવા માટેનું એક અદભૂત સ્થાન છે.