રોમઃ હિન્દી ફિલ્મ ‘સ્વદેશ’માં શાહરૂખ ખાન સાથે ચમકેલી અભિનેત્રી ગાયત્રી જોશી અને એનાં પતિ વિકાસ ઓબેરોયની કારને ઈટાલીમાં અકસ્માત નડ્યો છે. કાર ગાયત્રી ચલાવતી હતી. અકસ્માતમાં પતિ-પત્ની આબાદ રીતે બચી ગયાં છે, પરંતુ એક અન્ય ફેરારી કારમાં બેઠેલાં સ્વિસ દંપતીનું કરૂણ મૃત્યુ થયું છે.
ગાયત્રી દ્વારા જણાવાયા મુજબ, તે અને વિકાસ ઈટાલીમાં એમની કારમાં સફર કરી રહ્યાં હતાં ત્યારે એક રોડ પર અનેક વાહનોને આવરી લેતો અકસ્માત થયો હતો. એક લેમ્બોર્ગિની અને એક ફેરારી કાર સહિત કેટલીક કારોએ એક કેમ્પર વેનને ઓવરટેક કરવાનો એક સાથે પ્રયાસ કરતાં મોટો અકસ્માત સર્જાયો હતો. ટક્કર લાગતાં કેમ્પર વેન પલટી ખાઈ ગઈ હતી. ફેરારી કારમાં આગ લાગી હતી અને એમાં પ્રવાસ કરી રહેલાં દંપતીનું મૃત્યુ થયું હતું. મૃતકને મેલિસા ક્રોટ્લી (63) અને માર્કસ ક્રોટ્લી (67) તરીકે ઓળખી કાઢવામાં આવ્યા હતા.
તે અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે. ગાયત્રીએ વધુમાં કહ્યું છે કે ભગવાનની દયાથી પોતે અને વિકાસ બચી ગયાં છે.
ગાયત્રીએ અનેક પ્રોડક્ટ્સની જાહેરખબરોમાં કામ કર્યું હતું. 2000માં જાપાનમાં યોજાઈ ગયેલી ‘મિસ ઈન્ટરનેશનલ’ સૌંદર્ય સ્પર્ધામાં ગાયત્રીએ ‘મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલ’ તરીકે પ્રતિનિધિત્વ કર્યું હતું. 2004માં આવેલી ‘સ્વદેશ’ ફિલ્મમાં પણ અભિનય કર્યો હતો. મોટા પડદા પર ગાયત્રીની તે એકમાત્ર ફિલ્મ હતી. એણે ત્યારબાદ ફિલ્મલાઈન છોડી દીધી હતી અને ઉદ્યોગપતિ વિકાસ ઓબેરોય સાથે લગ્ન કર્યાં હતાં.
નવી દિલ્હીઃ કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)ના અધિકારીઓએ રાજ્યસભા ગૃહમાં આમ આદમી પાર્ટીના સદસ્ય અને વરિષ્ઠ નેતા સંજય સિંહના નિવાસસ્થાને આજે સવારે દરોડા પાડ્યા છે. આ દરોડા દિલ્હી એક્સાઈઝ નીતિ સંબંધિત મની લોન્ડરિંગને લગતા એક કેસના સંબંધમાં પાડવામાં આવ્યા છે. આ જ કેસ સાથે સંકળાયેલા કેટલાક અન્ય લોકોની સામે પણ તપાસ ચાલી રહી છે.
ઈડી અધિકારીઓએ આ કેસમાં 51 વર્ષીય સંજય સિંહ અને એમના સ્ટાફના સભ્યોની અગાઉ પણ પૂછપરછ કરી હતી. એવો આક્ષેપ છે કે શરાબના વેપારીઓને લાઈસન્સ મંજૂર કરવા માટે દિલ્હી AAP સરકારે 2021-22માં ઘડેલી એક્સાઈઝ નીતિમાં કેટલાક એવા વેપારીઓને ફાયદો કરાવવામાં આવ્યો હતો જેમણે એ માટે લાંચ આપી હતી. આ આક્ષેપને જોકે આમ આદમી પાર્ટી રદિયો આપી ચૂકી છે. એ નીતિને બાદમાં રદ પણ કરી દેવામાં આવી હતી અને દિલ્હીના લેફ્ટેનન્ટ ગવર્નરે આ મુદ્દે સીબીઆઈ દ્વારા તપાસ કરવાની કેન્દ્ર સરકારને ભલામણ કરી હતી. એને પગલે ઈડી એજન્સીએ મની લોન્ડરિંગને લગતા કાયદા (PMLA) અંતર્ગત કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
સફેદ કપડાં અને હેટને કારણે મિલમાં વાડીભાઈ-વાઈટ તરીકે ઓળખાતા ગોરા, ઊંચા, વટદાર, કોંગ્રેસી અને ગાંધીવાદી વાડીલાલ શાહની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
ધનસુરા પાસે આવેલ સાહેબજીના-મુવાડામાં જન્મ. બાળપણ અને પ્રાથમિક શિક્ષણ ધનસુરામાં. એસએસસી સુધીનો અભ્યાસ ન્યુ હાઇસ્કુલ, અમદાવાદમાં, બીએસસી (એમજી સાયન્સ કૉલેજ) બોમ્બે યુનિવર્સિટીમાંથી. અભ્યાસ પછી લાલભાઈ ગ્રુપમાં ચીફ કેમિસ્ટ તરીકે જોડાયા અને ૩૮-૪૦ વર્ષ એ જ ગ્રુપમાં કામ કર્યું. મિલમાં એમનો વટ, મજબુત મનોબળ, શિસ્તના આગ્રહી અને સ્વભાવ થોડો ગરમ, એટલે લોકો ગભરાય પણ ખરા. મિલમાં વોટર-પ્યોરીફિકેશન પ્લાન્ટમાં જુદા-જુદા પ્રયોગો કરી ખર્ચામાં ઘણો ઘટાડો લાવ્યા હતા તેથી તેમના ઉપરીઓ તેમના ઉપર બહુ ખુશ હતા. અરવિંદ મિલથી શરૂઆત કરી, પછી રાયપુર મિલમાં કામ ચાલુ રાખ્યું. મિલમાંથી સમયસર ઘરે આવીને રોજ બેડમિન્ટન રમતા, જેથી તેઓ અને તેમના બાળકોને બેડમિન્ટન રમવું બહુ ગમે છે.
નિવૃત્તિની પ્રવૃત્તિ :
6:00 વાગે ઊઠે, બધાંની ચા બનાવી નાહવા જાય. પછી સાયટીમાં જ રહેતા બીજા દીકરાને ત્યાં, જાતે ગાડી ડ્રાઈવ કરીને જાય! પુષ્ટિમાર્ગીય સેવા કરે. દૂધ-નાસ્તો કરી 10:30 વાગે પાછા આવે. કલાક આરામ કરે. પછી છાપુ વાંચે. દોઢ વાગ્યે જમે. થોડો આરામ કરે. ઊઠીને ચા-પાણી કરી દીકરાઓ સાથે ઓફિસે જાય. છ-સાડા છ સુધી ઓફિસે હોય. ત્યાંથી સોસાયટીના ક્લબ-હાઉસમાં આવી મિત્રો સાથે વાતો, ધમાલ-મસ્તી કરે અને પછી ઘેર આવે. આઠ વાગે જમે. બે કલાક ટીવી જુએ અને 10:00 વાગે સૂઈ જાય.
સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહે છે : તેમના સમાજમાં પ્રમુખ છે, કેળવણી મંડળમાં પ્રમુખ છે, ઘરના ચેરીટેબલ-ટ્રસ્ટમાંથી જરૂરિયાતવાળા 40 કુટુંબોને આર્થિક મદદ કરે છે. સોસાયટીમાં પણ સક્રિય છે: હમણાં મુખ્ય-મંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ સોસાયટીમાં આવ્યા ત્યારે તેમનું સન્માન વાડીભાઈએ કર્યું હતું. દર રવિવારે સાંજે વલ્લભ-સદનમાં દર્શન અને પરિક્રમા માટે જતા. પૌત્રને જોડે લઈ જતા. બાળકને દર્શન અને સાથે સેન્ડવીચનું પ્રલોભન! ઘરમાં દાદા કહે તેમ જ થાય! કોઈ દલીલ નહીં! ઘરનાં લોકો દાદાનું બહુ ધ્યાન રાખે છે.
શોખના વિષયો :
વાંચન તેમનો મુખ્ય શોખ. બેડમિન્ટન રમવાનું ગમે. ફરવાનું ગમે. આખું ભારત ફર્યા છે. રાયપુર મિલમાં હતા ત્યારે ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ કોન્ફરન્સ માટે યુરોપમાં ઈટલી, જર્મની, સ્વીઝરલેન્ડ, લંડન વગેરે સ્થળોએ પણ જઈ આવ્યા છે.
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
તબિયત એકદમ સરસ છે. દાંત બધા સાબુદ છે. કોઈ રોગ નથી. કાયમચૂર્ણ વર્ષોથી લે છે, એ સિવાય કોઈ દવા લેતા નથી. કાનની થોડી તકલીફ છે. ખોરાક બહુ ઓછો… સવારના નાસ્તામાં દૂધ અને દસમી, બપોરના જમવામાં માત્ર દાળ-ભાત, સાંજે ખીચડી-દૂધ અને ભાખરી. થોડું ચાલે, કસરત કરે, છેલ્લા થોડા વખતથી બંધ છે, પણ વર્ષો સુધી, 10 મિનિટ શિર્ષાસન કરતા! રાયપુરથી શાહીબાગ સાયકલ પર જતા!
યાદગાર પ્રસંગ:
સાહેબજીના મુવાડામાં ધાડ પડી, ભારે લુંટ-ફાટ થઈ. જોનારામાંથી કોઈ પોલીસના સાક્ષી બનવા તૈયાર નહીં. હિંમતવાન બાળક વાડીલાલ તૈયાર હતો! ઘરના લોકો ગભરાયા. ત્યાંથી શિફ્ટ થઈ અમદાવાદ આવી ગયા! પેન્શન માટે હયાતીનું સર્ટિફિકેટ આપવાને બદલે જાતે જ બીજે માળે આવેલી વીમા કંપનીની ઓફિસ પહોંચી ગયા! વીમા કંપની વાળા ખુશ! આનાથી મોટું સર્ટિફિકેટ બીજું શું હોય?
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
મોબાઇલ અને ટીવી વાપરે. મિત્રો સાથે વાતચીત કરી શકે. ઘરમાં બીજા બધાં મોબાઈલ/ટીવીમાં વ્યસ્ત હોય તો તેમની કોઈ મગજમારી નહીં.
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
₹૫૦ના પગારથી નોકરી શરૂ કરી હતી, એમાંથી થોડું બચાવતા! કામની આવડતને લીધે તેમને ઇનામ પણ મળેલું. લોકો ત્યારે ભોળા અને ખુલ્લા દિલના હતા. અત્યારે માણસો અને વાતાવરણ બધું બદલાઈ ગયું છે!
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
બે પુત્ર, બે પુત્રી, આઠ પૌત્રો,11 પ્રપૌત્રોનું બહોળું કુટુંબ છે. કુટુંબમાં 14 પિત્રાઈ ભાઈ-બહેનો છે. નાના પ્રસંગે પણ 100 માણસો ઘરમાં ભેગા થઈ જાય! યુવાનો સાથે સંપર્કમાં છે. તેમને બાળકો ગમે છે. ચોથી પેઢીનાં બાળકો તેમની સાથે રમે છે. દાદા તેમને પોતાના વખતની વાતો કરે. બાળકો તેમનું માન પણ બહુ જાળવે.
સંદેશો :
વેરભાવ રાખવો નહીં. એકબીજા માટે કામ કરી છુટશો તો સુખી થશો. સંયુક્ત-કુટુંબમાં રહેશો તો પ્રગતિ ચોક્કસ થશે. તેમની પ્રગતિ સંયુક્ત-પરિવારને કારણે છે, તેવું તેઓ માને છે.
આજના દિવસ સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, કામકાજ અર્થે કઈ બહાર મુસાફરીના યોગ બને છે. સહકર્મચારી સાથે કામની બાબતમાં ખટપટના થાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું જ કામ કરવુ યોગ્ય છે, ભક્તિ અને દાનકર્મ કરવું સારું કહી શકાય.
આજનો દિવસ સરસ અને મસ્તીમજાક વાળો છે, તમને તમારા કામમાં અન્યનો સાથ સહકાર સારો મળે તમારા કામની પ્રશંસા થાય, નવીનકામનું આયોજન થઇ શકે છે , પ્રિયજન સાથેના કોઈપણ પ્રકારના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક મળે, વેપારના કામકાજમાં સારો પ્રતિસાદ મળી શકે છે.
આજના દિવસ તમને ઉત્સાહ વધુ જોવા મળી શકે છે, તમે કોઈના સહયોગી બનવાની સારી ભૂમિકા ભજવી શકો છો , વેપારના કામકાજમાં આયોજનથી કામ કરવામાં આવેતો સારો લાભ થઈ શકે છે, ધાર્મિકભાવના સારી જોવા મળે અને તમે કોઈને યથાશક્તિ કંઇક દાન કરવાની વૃત્તિ જાગે તેવું પણ બની શકે છે.
આજનો દિવસ કામકાજમાં વધુ વ્યસ્તતા વાળો જોવા મળી શકે તેના કારણે તમને માનસિકથાકની લાગણી વધુ લાગે, વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારના કામકાજમાં ધીરજ અને ગણતરીપૂર્વકનું નાનું કામ કરવું યોગ્ય છે, શાંતિ અને પ્રભુભકિતમાં દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવા-વાગવાના યોગ છે, વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ ખટપટી લોકોથી દુર રહેવું, તમને નકારાત્મકવિચારના આવે તેનું ધ્યાન રાખવું, વેપારના કામમાં જોખમથી દુર રહેવું, ધાર્મિકસ્થળે દર્શન કરવા જવાના અને ક્યાંક દાનકે ભેટ આપવાના યોગ પણ બની શકે છે.
આજનો દિવસ તમારા માટે સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ પડેલી હોય તેને ઉકેલી શકાય તેવા પ્રયત્નો આજે કરવા સારા કહી શકાય, મનની ઈચ્છા પૂરી થઇ શકે તેવા પણ યોગ ઉદભવી શકે છે, આજે આત્મવિશ્વાસ સારો રહે, વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય તેવું બની શકે છે.
આજનો દિવસ કામકાજની સાથે કામકાજમાં નવીનતક અપાવે તેવો છે, મિત્રો સાથે કોઈલાભની વાત આપ લે થાય તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, વેપારના કામકાજમાં લાભ પણ થઈ શકે છે, આજે ઉત્સાહ સારો જોવા મળી શકે છે, ધાર્મિકભાવના સારી જોવા મળે અને સદ્કાર્ય કરવા મન પ્રેરાય તેવું બની શકે છે.
આજનો દિવસ સરસ છે, જૂનીઓળખાણ તાજી થાય, કામની કદર થાય તેમાં તમારો ઉત્સાહ વધે, મુસાફરી દરમિયાન ખોટાખર્ચા થયાની લાગણી અનુભવાય, વેપારના કામકાજમા સારાકામની અપેક્ષા ફળી શકે, કોઈ ધાર્મિકસ્થળની મુલાકાતથી તમારું મન ખુશી અનુભવે અને મનમાં કોઈ કામની સદભાવના જાગી શકે છે.
આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈવાતથી મન અશાંત રહે, ઘરની કોઈ ચિંતા હોય તેની અસર તમારા કામકાજ પર પડે, મુસાફરી દરમિયાન કંટાળાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે, વેપારમાં ધાર્યા કામન થવાનો રંજ દિવસભર રહ્યા કરે, પ્રભુભક્તિમાં ધ્યાન રાખવાથી એકાગ્રતા અને મનની સ્થિરતા સારી રહે.
આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ સારો જોવા મળી રહે, ધાર્યુંકે મનનું કામ થઇ શકે તેની તમે સારી ખુશી અનુભવી શકો, વેપારના કામકાજમાં તમારા અનુભવનો તમે સારો ઉપયોગ કરી શકો છો, પરોપકાર કરવાની વૃતી જાગે, ધાર્મિકસ્થળમાં દાન,પુણ્ય,ભક્તિ કરવા જવાની ઈચ્છા જાગે.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, જુના કોઈ કામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે અને તેને કારણે તમે અશાંત બની શકો છે, વેપારના કામકાજમાં નાનું અને આયોજન પૂર્વકનું કામ કરવું સારું કહી શકાય, કોઈના કાર્યમાં મદદ કરવાથી મનને સારી ખુશી મળે.
આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરી થઈ શકે છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારીવાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો, કોઈમાટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. વેપારમાં આજે તમને અણધાર્યો સારો પ્રતિસાદ મળી શકે છે.
નબળા વૈશ્વિક વલણ વચ્ચે સોમવારે રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં સોનું રૂ. 650 ઘટીને રૂ. 57,550 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું હતું. HDFC સિક્યોરિટીઝે આ માહિતી આપી હતી. અગાઉના ટ્રેડિંગ સેશનમાં સોનું રૂ. 58,200 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદીનો ભાવ પણ રૂ. 1,800 ઘટીને રૂ. 71,500 પ્રતિ કિલો પર આવી ગયો હતો. મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસના કોમોડિટી રિસર્ચના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટે જણાવ્યું હતું કે સોમવારે સ્થાનિક બજાર બંધ રહેવાને કારણે કોમેક્સ પર સોના અને ચાંદીના ભાવ છેલ્લા સત્રમાં ઘટ્યા હતા.
વૈશ્વિક બજારમાં પણ ઘટાડો નોંધાયો હતો
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ઘટીને 1,825 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. ચાંદીનો ભાવ પણ ઘટીને 21.10 ડોલર પ્રતિ ઔંસ થયો હતો. એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક (કોમોડિટીઝ) સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા લાંબા સમય સુધી વ્યાજદર ઊંચા રહેશે તે પછી ટ્રેઝરી બોન્ડ યીલ્ડ નવી ઊંચાઈએ પહોંચી છે.
સોનાની કિંમત 7 મહિનાની સૌથી નીચી સપાટીએ પહોંચી
સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં આજે સોનાની કિંમત 7 મહિનાની સૌથી નીચી સપાટીએ પહોંચી ગઈ છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ડિસેમ્બર 2023 માટે ગોલ્ડ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ રૂ. 57,426 પ્રતિ 10 ગ્રામની નીચી સપાટીએ ખૂલ્યો હતો અને રૂ. 56,565ની ઇન્ટ્રાડે નીચી સપાટીએ પહોંચ્યો હતો. આજે એમસીએક્સ પર સોનાનો ભાવ શુક્રવારના રૂ. 57,600ના બંધ ભાવ કરતાં લગભગ 1.50 ટકા ઓછો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત ઔંસ દીઠ $1,815ની આસપાસ છે, જે સોમવારના બંધ ભાવથી 0.35 ટકાની ઇન્ટ્રા-ડે નુકશાન દર્શાવે છે.
ચીનના હાંગઝોઉ શહેરમાં રમાઈ રહેલી એશિયન ગેમ્સ 2023માં ભારતીય ખેલાડીઓનો જલવો યથાવત રહ્યો છે. 10માં દિવસે અત્યાર સુધીમાં ભારતે કુલ 2 ગોલ્ડ મેડલ જીત્યા છે. પારુલ ચૌધરીએ પ્રથમ 5000 મીટર મહિલાઓની દોડ જીતી હતી. હવે ભારતની વધુ એક તેજસ્વી એથ્લેટ અનુ રાનીએ ભાલા ફેંકમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. એશિયન ગેમ્સમાં અનુ રાનીએ ભારતને તેનો 15મો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. તેના ચોથા પ્રયાસમાં તેણે તેની સિઝનનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું અને 62.92 મીટરના અંતરે બરછી ફેંકી. શ્રીલંકાની નદીશા દિલહાન બીજા ક્રમે રહીને સિલ્વર મેડલ જીત્યો હતો. જીત બાદ અનુએ ભારતીય તિરંગો લઈને દોડવાનું શરૂ કર્યું. તે પણ ખૂબ જ ખુશ દેખાતી હતી.
PHOTO | India’s Annu Rani waves the national flag after winning the gold medal in the Women’s Javelin Throw Final event at the 19th Asian Games, in Hangzhou, China.
તમને જણાવી દઈએ કે અનુ મેરઠની રહેવાસી છે. તેણે 2019ની નેશનલ ચેમ્પિયનશિપમાં 62.34 મીટર ભાલો ફેંકીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. અનુએ પોતાનો જ રાષ્ટ્રીય રેકોર્ડ ચાર વખત તોડ્યો છે. તે વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પણ પહોંચી ચૂકી છે. અનુ એક ખેડૂત પરિવારમાંથી આવે છે. બાળપણથી જ તે આમાં પોતાનું કરિયર બનાવવા માંગતી હતી. પરંતુ તેના પિતા આ માટે તૈયાર ન હતા. જો કે, તેણે તેના પિતાને સમજાવવાનું ચાલુ રાખ્યું
વાંસમાંથી ભાલો બનાવ્યો
અનુ પાસે ભાલો ખરીદવા પૂરતા પૈસા નહોતા. આ પછી, તેણે વાંસને ભાલાનો આકાર આપ્યો અને તેની સાથે પ્રેક્ટિસ શરૂ કરી. જિલ્લા કક્ષાએ રમતી તે હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી ગઈ છે. તેમના માટે આનાથી મોટી વાત શું હોઈ શકે?
હાંગ્ઝોઃ ભારતની પારુલ ચૌધરી આજે ઈતિહાસ સર્જ્યો છે. એણે એશિયન ગેમ્સમાં મહિલાઓની 5,000 મીટરની દોડમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. આ રેસ જીતનાર તે પહેલી ભારતીય મહિલા બની છે. વર્તમાન એશિયાડમાં પારુલનો આ બીજો મેડલ છે. એણે 3,000 સ્ટીપલચેઝ દોડમાં રજત ચંદ્રક જીત્યો હતો. પારુલે 15:14.75 ના સમય સાથે ગોલ્ડ જીત્યો છે. સિલ્વર જાપાનની અને બ્રોન્ઝ કઝાખસ્તાનની રનરે જીત્યો હતો.
અન્નુ રાનીએ ગોલ્ડ મેડલ જીત્યો
ભારતની અન્નુ રાનીએ મહિલાઓની ભાલાફેંક રમતમાં 62.92 મીટર દૂરના અંતર સુધી ભાલો ફેંકીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને સુવર્ણ ચંદ્રક જીત્યો છે.
ભારતે આજના દિવસે બે સુવર્ણ, બે રજત અને પાંચ કાંસ્ય ચંદ્રક જીત્યા છે. ભારતીય સંઘ કુલ 15 સુવર્ણ, 26 રજત, 28 કાંસ્ય સહિત કુલ 69 મેડલ્સ સાથે યાદીમાં ચોથા ક્રમે છે. ચીન, જાપાન અને કોરિયા પછી ભારત આવે છે.