Home Blog Page 2471

એશિયન ગેમ્સમાં ક્યારે છે ભારતીય ટીમની ક્રિકેટ મેચ?

હાંગ્ઝોઃ ચીનના આ શહેરમાં રમાતી 19મી એશિયન ગેમ્સમાં ક્રિકેટની રમતમાં ભાગ લેવા માટે ભારતીય ટીમ અત્રેના એશિયન વેિલેજમાં પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયા 3 ઓક્ટોબરે ક્વાર્ટર ફાઈનલ મેચ સાથે તેના પડકારનો આરંભ કરશે. ભારતીય ટીમનું સુકાનીપદ ઋતુરાજ ગાયકવાડને સોંપવામાં આવ્યું છે. વર્તમાન એશિયન ગેમ્સમાં દેશની મહિલાઓની ટીમે તો જોરદાર દેખાવ કર્યો છે અને ગોલ્ડ મેડલ જીત્યો છે. હવે પુરુષ ખેલાડીઓએ પરાક્રમ કરી બતાવવાનું છે. ભારતના સિનિયર ખેલાડીઓ હાલ ઘરઆંગણે આગામી ODI વર્લ્ડ કપ સ્પર્ધાની તૈયારીમાં વ્યસ્ત હોવાથી એશિયન ગેમ્સમાં યુવા ક્રિકેટરોની ટીમને મોકલવામાં આવી છે.

આ ટીમમાં પ્રભસિમરન સિંહ અને જિતેશ શર્મા જેવા ધુરંધર ખેલાડીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત રિંકૂ સિંહ અને તિલક વર્મા પણ છે. આ બંને ખેલાડી સિનિયર ટીમ વતી ટ્વેન્ટી-20 ફોર્મેટમાં રમી ચૂક્યા છે. બોલિંગ વિભાગમાં, અવેશ ખાન, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ અને મુકેશ કુમાર છે.

ભારતીય ટીમઃ યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રાહુલ ત્રિપાઠી, રિંકૂ સિંહ, તિલક વર્મા, વોશિંગ્ટન સુંદર, શાહબાઝ એહમદ, શિવમ દુબે, જિતેશ શર્મા (વિકેટકીપર), પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), રવિ બિશ્નોઈ, મુકેશ કુમાર, અવેશ સિંહ, અરિશ કુમાર, અરવિંદ ખાન, આકાશદીપ.

પૂજ્ય બાપુની જન્મતિથિની પૂર્વસંધ્યાએ પીએમ મોદીએ કર્યું શ્રમદાન

નવી દિલ્હીઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, જેઓ સ્વચ્છતાના આગ્રહી પણ હતા, એમની જન્મતિથિની પૂર્વસંધ્યાએ, આજે એમને સ્વચ્છાંજલિ અર્પણ કરવાના હેતુસર સ્વચ્છતા ઝુંબેશમાં સહભાગી થવા દેશની જનતાને કરેલી અપીલના ભાગરૂપે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શ્રમદાન કર્યું હતું. એમની સાથે ફિટનેસ ઈન્ફ્લુએન્સર અંકિત બૈયનપુરિયા પણ જોડાયા હતા.

મોદીએ X પ્લેટફોર્મ પર એક વિડિયો પોસ્ટ કર્યો છે અને જણાવ્યું છે, આજે સમગ્ર દેશ સ્વચ્છતા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે ત્યારે અંકિત બૈયનપુરિયા અને મેં એ જ સેવા બજાવી હતી. સ્વચ્છતા ઉપરાંત અમે આમાં તંદુરસ્તી અને કલ્યાણકારી ભાવનાને પણ સામેલ કર્યાં હતા. આ બધું સ્વચ્છતા અને સ્વચ્છ ભારત માટે છે.

ઉલ્લેખનીય છે કે, સ્વચ્છતા ઝુંબેશમાં સામેલ થવાની મોદીએ કરેલી અપીલને પગલે એમના સાથી પ્રધાનો, શાસક ભારતીય જનતા પાર્ટીના બીજાં અનેક નેતાઓએ દેશના જુદા જુદા ભાગોમાં સ્વચ્છતા કાર્યક્રમો હાથ ધર્યાં હતાં.

કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે અમદાવાદમાં જ્યારે ભાજપાના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાએ દિલ્હીમાં શ્રમદાનમાં ભાગ લીધો હતો.

 

મુંબઈમાં પ્રવેશવું આજથી મોંઘું: તમામ ટોલ નાકાઓ પર ચાર્જિસ વધારી દેવાયા

મુંબઈઃ આ મહાનગરમાં પ્રવેશવા માટે પાંચ એન્ટ્રી પોઈન્ટ્સ છે. આજથી આ તમામ ચેક નાકાઓ ખાતેથી શહેરમાં એન્ટ્રી કરનાર અને શહેરમાંથી બહાર જનાર વાહનચાલકો પાસેથી વસૂલ કરાતા ટોલની રકમમાં 12.50 ટકાથી લઈને 18.75 ટકા સુધીનો વધારો કરી દેવામાં આવ્યો છે. નવા દરો આજે 1 ઓક્ટોબરથી અમલમાં આવી ગયા છે. મહારાષ્ટ્ર રાજ્ય રસ્તા વિકાસ મહામંડળ (મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન-MSRDC) પાંચેય ટોલ-નાકાઓ પરના દરોમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. નિયમાનુસાર, દર ત્રણ વર્ષે ટોલ-નાકાના દર વધારવાની પરવાનગી છે.

આ છે, મુંબઈના પાંચ ટોલ નાકા: દહિસર (મુંબઈ-અમદાવાદ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે), લાલબહાદુર શાસ્ત્રી (એલબીએસ) રોડ, મુલુંડ, ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, મુલુંડ, ઐરોલી ખાડી પૂલ અને વાશી.

શું છે ટોલના નવા દર?

અગાઉ ફોર-વ્હીલર (કાર, જીપ) વાહનો માટે રૂ. 40નો ટોલ ભરવો પડતો હતો, તે હવે રૂ. 45 કરાયો છે. મિની બસ, મધ્યમ કદના વાહનોને મુંબઈમાં પ્રવેશ કરવા દેવા માટે રૂ. 65ને બદલે રૂ. 75 ભરવા પડશે. ટ્રક અથવા બસ માટેના ટોલ ચાર્જિસમાં 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે આને માટે રૂ. 150 ચૂકવવા પડશે. હેવી વાહનો માટે અગાઉ રૂ. 160નો ટોલ ભરવાનો આવતો હતો, તેમાં 30 રૂપિયા વધારવામાં આવતાં રૂ. 190નો નવો ટોલ થયો છે. માસિક પાસનો દર રૂ. 1,600 થયો છે. આમાં 100 રૂપિયાનો વધારો કરાયો છે.

દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનની ISIનો અતિરિક્ત વડો?

મુંબઈઃ ભારત સરકારે જેને ‘મોસ્ટ વોન્ટેડ ગુનેગાર’ તરીકે ઘોષિત કર્યો છે અને જે મુંબઈ પોલીસના એક કોન્સ્ટેબલનો દીકરો છે, તે દાઉદ ઈબ્રાહિમ કાસકરને પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ઈન્ટર સર્વિસીસ ઈન્ટેલિજન્સ (આઈએસઆઈ)ના માનદ્દ એડિશનલ ડાયરેક્ટર-જનરલ તરીકે નિમવામાં આવ્યો હોવાનું કહેવાય છે.

અખબારી અહેવાલે ગુપ્તચર વિભાગના સૂત્રોના હવાલાથી માહિતી આપી છે કે, દાઉદે આઈએસઆઈ સંસ્થાને છેલ્લા અનેક દાયકાઓથી આપેલી ‘સેવા’ની કદરરૂપે એને આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યો છે. દાઉદ હાલ 68 વર્ષનો થયો છે. એ 80ના દાયકાના અંતભાગમાં ભારતમાંથી દુબઈ ભાગી ગયો હતો. ત્યાં આઈએસઆઈ સંસ્થાએ એને આશરો આપ્યો હતો અને દાઉદે જાસૂસી સંસ્થાને 1993ની 12 માર્ચે મુંબઈમાં કરવામાં આવેલા ભયાનક શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોના ષડયંત્રને અમલમાં મૂકવામાં મદદ કરી હોવાનું મનાય છે. તે પછી દાઉદ કરાચી શિફ્ટ થયો હતો અને ત્યાં આઈએસઆઈ સંસ્થાએ એને રક્ષણ પૂરું પાડ્યું હતું. ત્યારથી દાઉદ પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો અને દુનિયાભરમાં એમને સંલગ્ન જૂથો માટે કામ કરતો આવ્યો છે.

દાઉદને સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા અને અમેરિકાની સરકારે ‘આંતરરાષ્ટ્રીય આતંકવાદી’ તરીકે ઘોષિત કર્યો છે. તે અલ કાયદા, ઓસામા બિન લાદેન અને તાલિબાન સાથે સંકળાયેલો હતો. કેફી દ્રવ્યોની દાણચોરીનું જંગી અને વ્યાપક સામ્રાજ્ય ચલાવવા માટે તે આતંકવાદીઓના નેટવર્કનો ઉપયોગ કરે છે. એમાંથી એને જે કમાણી થાય એનો થોડોક હિસ્સો એ આઈએસઆઈના ગાઢ માર્ગદર્શન હેઠળ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે આર્થિક મદદ કરવા માટે આપે છે.

વાહ ભાઈ વાહ! – ૦૧ ઓક્ટોબર, ૨૦૨૩

વાહ ભાઈ વાહ! – ૦૧ ઓક્ટોબર, ૨૦૨૩

૦૧ ઓક્ટોબર, ૨૦૨૩

૦૧ ઓક્ટોબર, ૨૦૨૩

રાશિ ભવિષ્ય 01/10/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસ સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવુ, તાવ, માથા, આંખ, હાડકાની તકલીફથી સાચવવુ, વાર્તાલાપમા ક્યાય ગેરસમજ ના થાય તેનુ ધ્યાન રાખવુ, પ્રિયજન સાથેની ખરીદી પાછળકે ફરવામા ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય.


આજનો દિવસ સરસ રીતે પસાર થાય કારણકે તમને ઉત્સાહ સારો રહે અને નવીનકામનુ આયોજન થાય, પ્રિયજન સાથે પસંદગીની કોઈ વાત આપલે થાય, ધાર્મિકકાર્ય હેતુ ક્યાય મુસાફરી થાય અને તેમા તમને ખુશીની લાગણી અનુભવાય, તમે આજે કોઈને મદદ કરવાની સદભાવના રાખો તેવુ બની શકે.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સમય સારી રીતે પસાર થાય, ક્યાંક બિનજરૂરી નાણાકીય ખર્ચ થઈ શકે છે, પ્રિયજન સાથે હરવાફરવામા ઉત્સાહ સારો જોવા મળે, તેમને કોઇ પરિચિત સાથેના સંપર્ક દ્વારા તમારા કોઈ કામની સારી વાત સાંભળવા મળી શકે કે લાભની વાત થઈ શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો ખાસ કરીને વાદવિવાદથી દુર રહેવુ જરૂરી છે જેથી ખોટો અજંપો ટાળી શકાય, વાહન ધીમે ચલાવવુ, કફ, છાતી, પ્રેસર જેવી તકલીફથી સાચવવુ, કામકાજમા મહેનત કરતા ઓછુફળ મળે, જીવનસાથી સાથે ખોટીવાર્તાલાપ ના થાય તેનુ ધ્યાન રાખવુ.


આજનો દિવસ સામાન્ય છે, કામકાજમા થોડી વ્યસ્તતા જોવા મળી શકે છે, મનમા થોડી અશાંતિ જોવા મળી શકે છે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી, સોના-ઝવેરાત, ફાર્મા જેવા ક્ષેત્રમા કામકરનારને માનસિક થાકની લાગણી વધુ અનુભવાય. માર્કેટિંગક્ષેત્રમા તમને સમયનોવ્યય વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સારી રીતે પસાર થઇ શકે છે અને જો  જુનાકામની કોઈ ગુંચ પડેલી હોયતો તેને ઉકેલી શકાય તેવા યોગ છે, તમારા મનમા રહેલી કોઈ ઈચ્છા પૂરી થાયકે તેમા તમને કોઇ મદદ કરતા મળે તેવુ પણ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમા ઉત્સાહ સારો જોવા મળે, પ્રિયજનસાથે ફરવા જવાના યોગ પણ છે.


આજનો દિવસ તમારે સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે , વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, હિતશત્રુ અને ખટપટીલોકોથી દુર રહેવાની જરૂર છે, ચામડી,એલર્જી,,ડાયાબીટીસ, સ્ત્રીદર્દ ભોગવતા લોકોએ થોડી તકેદારી રાખવી, માર્કેટિંગક્ષેત્રમા માનસિકથાક અને કામ ટાળવાની વૃતિ જોવા મળી શકે છે.


આજનો દિવસ સરસ છે અને તેમા પણ જો કોઈ જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી અને લાગણી તમારા મુખ પર સ્પષ્ટ દેખાઈ આવે, તમારા કોઈ કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, જમીન, બાંધકામ, વાહનવ્યવહાર, ધાતુ, જેવા ક્ષેત્રમા કામકરનારને નવીનતક ઝડપવાના યોગ બને છે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો, વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવુ જેથી બિનજરૂરી વિવાદ ટાળી શકાય, પેટ, આંતરડા, ડાયાબીટીસના દર્દીએ તકેદારી રાખવી, થોડી આરામકરવાની વૃતી રહે, આજે ધીરજ, પ્રભુભક્તિમા સમય પસાર કરવો શ્રેષ્ઠ છે.


આજનો દિવસ સારો છે, તમને તમારા કામકાજમા ઉત્સાહ સારો રહે,  પ્રિયજન સાથે ક્યાંક મુસાફરી થઈ શકે  છે, તમારા ધાર્યાકામ થઇ શકે તેવા યોગ બની રહ્યા છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમા વધુ સમય ફાળવવો યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા મહેનત કાર્યનો સંતોષ જોવા મળી શકે છે, મિલનમુલાકાત સફળ રહે.


આજનો દિવસ સામાન્ય છે, તમારા કામમા વ્યસ્તતા વધુ રહે તેવા સંજોગો બની શકે છે, લાકડા,ચામડા, ધાતુ, ઓઈલ,પેટ્રોલ, કોમ્પુટરક્ષેત્રમા કામ કરનારવર્ગમા નવીનતા જોવા મળે,  તમે જુનાકામમા અટવાવતો તેમા જલ્દીથી ઉકેલ ન આવે અને સમયનો વ્યય થાય, હરવાફરવામા બિનજરૂરી ખર્ચાકે ખરીદી થાય.


આજનો દિવસ સામાન્ય છે, તમારા મિત્રો સાથે કામની કોઈ લાભકારી ચર્ચા થાય અને તેમા તમારી ગણતરીમુજબ કામ થાય તેવુ બની શકે છે, મુસાફરીના યોગ છે, માર્કેટિંગક્ષેત્રમા રેફરન્સથી કામ કરોતો લાભ થાય, આજે તમારામા ધાર્મિકભાવના પણ સારી જોવા મળે અને ધાર્મિકસ્થળની મુલાકાત પણ થાય.

પંચાંગ 01/10/2023

તમિલનાડુંમાં ગમખ્વાર અકસ્માત, બસ ખીણમાં ખાબક્તા 8 લોકોના મોત, અનેક ઘાયલ

તમિલનાડુમાં ચારેબાજુ હાહાકાર મચી ગયો હતો જ્યારે એક પ્રવાસી બસ અચાનક ખાડામાં પડી ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં આઠ લોકોના મોત થયા હતા. તમિલનાડુના પહાડી જિલ્લા નીલગિરીમાં શનિવારે એક પ્રવાસી બસ ખાઈમાં પડી જતાં ઓછામાં ઓછા 8 પ્રવાસીઓના મોત થયા હતા અને અનેક ઘાયલ થયા હતા. પોલીસે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે મૃતકોમાં ચાર મહિલાઓ અને એક સગીરનો સમાવેશ થાય છે. એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર પીડિતો તેનકાસી જિલ્લાના કદાયમના રહેવાસી હતા અને જ્યારે આ ઘટના બની ત્યારે તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા. ડ્રાઇવરે વાહન પરનો કાબૂ ગુમાવી દેતાં બસ ખાઈમાં પડી હતી અને સ્થાનિક લોકો, પોલીસ અને ફાયર અને રેસ્ક્યૂ સર્વિસના સભ્યો પીડિતોને મદદ કરવા અને ઘાયલોને બચાવવા દોડી ગયા હતા. મોટાભાગના ઘાયલ લોકોને તબીબી સારવાર માટે નજીકના કોઈમ્બતુર મોકલવામાં આવ્યા છે.

ટૂરિસ્ટ બસ ખાઈમાં પડતાં 35 લોકો ઘાયલ થયા હતા

કોઈમ્બતુર ઝોનના ડીઆઈજી સરવના સુંદરે કહ્યું કે આ અકસ્માતમાં અત્યાર સુધીમાં લગભગ આઠ લોકોના મોત થયા છે, જ્યારે કેટલાક ગંભીર રીતે ઘાયલ થયા છે. વધુ તપાસ ચાલુ છે. આ ઘટના કુન્નૂર નજીક મારાપાલમ પાસે બની હતી. ટૂરિસ્ટ બસ ખાઈમાં પડતાં 35 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી 8 લોકોએ જીવ ગુમાવ્યો હતો. ઉટીથી મેટ્ટુપલયમ જઈ રહેલી બસમાં 55 પ્રવાસીઓ મુસાફરી કરી રહ્યા હતા. સીએમ સ્ટાલિને મૃતકોના પરિવારજનોને 8 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલ દરેકને 1 લાખ રૂપિયા અને નાના ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે 25 ઘાયલ હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પ્રાથમિક તપાસ મુજબ ડ્રાઈવરે અચાનક બસ પરનો કાબુ ગુમાવી દીધો અને બસ લગભગ 100 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગઈ. હાલમાં ઘાયલો અને મૃતકોની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયા બાદ હવે જેઠાલાલ પણ નહી જોવા મળે

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 14 વર્ષથી ચાહકોનું મનોરંજન કરી રહી છે. આવા વ્યસ્ત શેડ્યૂલ વચ્ચે કલાકારોને ભાગ્યે જ બ્રેક મળે છે અને આ વખતે જેઠાલાલ એટલે કે દિલીપ જોશીએ તેમના શેડ્યૂલમાંથી થોડો બ્રેક લીધો છે.  દરેક જગ્યાએ ચર્ચા ચાલી રહી છે કે તે શો છોડશે કે નહીં, તો તેની પાછળનું સાચું કારણ શું છે તેના વિશે એક ખાસ માહિતી સામે આવી છે. મળતી માહિતી મુજબ દિલીપ જોશીએ તેમના શોમાંથી બ્રેક લીધો છે અને હાલમાં તેઓ તેમના પરિવાર સાથે તાંઝાનિયાના ટૂંકા ધાર્મિક પ્રવાસ પર છે.’

અભિનેતા સ્વામિનારાયણ મંદિરમાં આયોજિત એક ખાસ પ્રસંગ માટે દરેસલામમાં છે. ચાહકો જાણે છે તેમ, દિલીપ જોશી સોશિયલ મીડિયાના એટલા શોખીન નથી, તેથી તેમણે હજી સુધી તેમની સફરની કોઈ તસવીરો પોસ્ટ કરી નથી. પરંતુ દિલીપની છેલ્લી પોસ્ટ હજુ પણ તેની ધાર્મિક યાત્રાઓ વિશે ઘણું બધું કહે છે.