Chitralekha Gujarati – October 09, 2023
રાશિ ભવિષ્ય 29/09/2023
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
![]()
આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમા વ્યસતા વધુ રહે તેવુ બની શકે છે, વેપારમા નાનુ કામ કરવુ હિતાવહ છે, કોઈ જાહેરપ્રસંગમા જવાના યોગ છે તેમા જરૂરપુરતીજ વાર્તાલાપ કરવી યોગ્ય છે કોઈની મશ્કરીકે ખોટીદોરવણીમા ના આવી જવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, શાંતિ અને ધીરજ રાખવી સારી.
આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમા મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમારુ સારુ પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનુ આયોજન થઈ શકે છે,મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમા નાનુ કામ કરવુ યોગ્ય કહી શકાય.
આજનો દિવસ તકેદારી અને સાવચેતીસૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમા રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવુ અગત્યનુ છે, ખટપટથી દુર રહેવુ ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચન ના આપવી, વેપારમા કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવુ.
આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામા આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો બની શકે છે, વેપારમા અનુભવથી કોઈ કામ કરોતો તેમા તમને લાભ થઈ શકે છે, યુવાવર્ગને પસંદગીના કામકે વાત થાય તેવુ બની શકે છે.
આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમા નાણાકીયખર્ચ થાય તેવું બની શકે છે, ધાર્મિકકે સામાજિકકામકાજ અર્થે પ્રવાસનુ આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમા સારો ઉત્સાહ જોવા મળે, વેપારમા નાનુ કામકાજ કરવુ યોગ્ય છે.
આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગ ના બનાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, ઘરકે ઓફીસમા વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી,કોઈની સાથે વધુ દલીલબાજી ના કરવી, વેપારમા જોખમ ભર્યા કામ ન કરવા, જીવનસાથી સાથે ઉગ્રતા ના થાય તેની કાળજી રાખવી.
આજનો દિવસ સામાન્ય છે, કામમા સમયવ્યસ્તા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે અને તેને કારણે થોડી માનસિકઅશાંતિ જેવુ રહે, વાણીવર્તણુકમા ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગ ના બનવુ પડે તેનુ ધ્યાન રાખવુ, વેપારમા નાનુ કામ અનુભવના આધારેજ કરવુ યોગ્ય છે.
આજનો દિવસ સારો છે, થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરતુ કોઈની લાગણી ના દુભાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા સારો પ્રતિભાવ જોવા મળે, વેપારમા લાભ થઈ શકે છે, યુવાવર્ગને અચાનક કોઈ જૂનીઓળખાણ તાજી થવાથી ઉત્સાહી થઈ જવાય.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, ઓફીસમા પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહકર્મચારી સાથે કામની બાબતમા થોડો અસતોષ રહે, વેપારમા જોખમભર્યા કામ ન કરવા, વડીલવર્ગ આજે થોડી કામ ટાળવાની વૃત્તિ રાખે તેવુ બની શકે છે.
આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ કામની જૂની ગુચ હોય તને ઉકેલી શકાય તેવા સંજોગો બને, માંર્કેટિંગક્ષેત્રમા સારુ પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમા સમય વધુ ફાળવોતો કોઈ વિષયપર આવડત વધી શકે છે, વેપારમા લાભ થઈ શકે છે, કામમા ઉત્સાહ સારો રહે.
આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવુ શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવુ, આરોગ્યબાબતે થોડુ સાચવવુ, વેપારમા જોખમ ન કરવુ, માર્કેટિંગક્ષેત્રમા થોડી મહેનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળી શકે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવુ વધુ સારુ.
આજનો દિવસ સારો છે, તમારામા ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યાકામ થાય તેવુ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમા ઓળખાણમા કામકાજ કરવાથી સારુ ફળ મળી શકે તેમજ નવીનકાર્યની તક પણ મળી શકે છે, વેપારમા લાભ થઈ શકે છે.
મણિપુરમાં ટોળાએ સીએમ બિરેન સિંહના પરિવારના ઘરને નિશાન બનાવ્યું
મણિપુરમાં ટોળાએ મુખ્યમંત્રી એન બિરેન સિંહના પૈતૃક ઘર પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સુરક્ષા દળોએ તેને નિષ્ફળ બનાવ્યો હતો. સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર પોલીસે જણાવ્યું કે આ દરમિયાન સુરક્ષા દળોએ ભીડને વિખેરી નાખી. જોકે, સીએમ બિરેન સિંહ તેમના પૈતૃક આવાસ પર રહેતા નથી અને તેઓ સત્તાવાર નિવાસસ્થાનમાં રહે છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “ઈમ્ફાલના હિંગંગ વિસ્તારમાં મુખ્યમંત્રીના પૈતૃક ઘર પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સુરક્ષા દળોએ ભીડને ઘરથી લગભગ 100 મીટર દૂર રોકી હતી. “હવે ઘરમાં કોઈ રહેતું નથી, જોકે તે કડક સુરક્ષા હેઠળ છે.
“A meeting of senior officers of CAPF was held at PHQ, Imphal to discuss the present law and order situation in the state. The officers were apprised of the unfortunate injuries of students as well as security personnel. The forces discussed to use minimum force in dealing with… pic.twitter.com/guBoPTSHTX
— Press Trust of India (@PTI_News) September 28, 2023
તમને જણાવી દઈએ કે સોમવારના રોજ મણિપુરમાં ફરી તણાવ ફેલાઈ ગયો જ્યારે જુલાઈથી ગુમ થયેલા બે વિદ્યાર્થીઓના મૃતદેહોની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ. બે યુવકોના મોતને લઈને વિદ્યાર્થીઓએ મંગળવાર અને બુધવારે હિંસક વિરોધ કર્યો હતો. ટોળાએ ગુરુવારની વહેલી સવારે ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં ડેપ્યુટી કમિશનરની ઓફિસમાં તોડફોડ કરી હતી અને બે ફોર વ્હીલર્સને આગ ચાંપી દીધી હતી. અધિકારીઓએ જણાવ્યું કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના જવાનોએ પરિસ્થિતિને કાબૂમાં લીધી.
ગુજરાત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી
ગુજરાત રાજ્યમાં આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા, દમણ, દાદરા-નગર હવેલી તેમજ અમદાવાદ, આણંદ, મહીસાગર, અરવલ્લી, ખેડા, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને દીવમાં હળવાથી મધ્ય પ્રકારનો વરસાદ પડી શકે છે. કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ પડશે.

સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા-નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને દીવમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે. તેમજ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. તથા રાજ્યમાં કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટા છવાયા વરસાદની આગાહી સાથે જામનગર, મોરબી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદ આવી શકે છે. તથા અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટા છવાયા વરસાદની સંભાવનાં છે.

તા. 29 સપ્ટેમ્બરે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા-નગર હવેલીના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ પડશે. રાજ્યના અન્ય વિસ્તારોમાં હવામાન સૂકું રહેશે. તા. 30 સપ્ટેમ્બર, તા. 1 ઓક્ટોબર અને તા. 2 ઓક્ટોબરે રાજ્યમાં ક્યાંય પણ હળવા કે મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ નથી. તા. 30 સપ્ટેમ્બરથી રાજ્યમાં મહદ્અંશે હવામાન સૂકું રહેશે.
વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર, અક્ષર પટેલના સ્થાને અશ્વિન
વર્લ્ડ કપ 2023 માટે ભારતીય ટીમમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. સ્ટાર સ્પિનર આર અશ્વિને ઓલરાઉન્ડર અક્ષર પટેલની જગ્યા લીધી છે. અક્ષર પટેલ ઈજાના કારણે ટીમથી દૂર હતો. તે જ સમયે, અશ્વિનને વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ODI શ્રેણી માટે ટીમનો ભાગ બનાવવામાં આવ્યો હતો, જેમાં તેણે બોલ સાથે અદ્ભુત કુશળતા બતાવીને પસંદગીકારોને પ્રભાવિત કર્યા હતા. અક્ષરની ઈજા અશ્વિન માટે તક સાબિત થઈ. અશ્વિને ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણીની બે મેચમાં 22ની એવરેજથી 4 વિકેટ ઝડપી હતી. અશ્વિને ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણી દ્વારા લાંબા સમય બાદ વનડેમાં પુનરાગમન કર્યું હતું. આ પહેલા અશ્વિને 21 જાન્યુઆરી 2022ના રોજ ભારત માટે તેની છેલ્લી ODI મેચ રમી હતી. પરંતુ હવે તેને મેગા ઈવેન્ટ માટે ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ બનાવવામાં આવ્યો છે. તેણે ભારત માટે અત્યાર સુધીમાં 115 વનડે મેચ રમી છે.
R Ashwin replaces injured Axar Patel in the 15-member squad.
We wish Axar a speedy recovery 👍 👍#TeamIndia‘s final squad for the ICC Men’s Cricket World Cup 2023 is here 🙌#CWC23 pic.twitter.com/aejYhJJQrT
— BCCI (@BCCI) September 28, 2023
અક્ષર પટેલ એશિયા કપમાં ઈજાગ્રસ્ત થયો હતો
તમને જણાવી દઈએ કે એશિયા કપ 2023ના સુપર-4 તબક્કામાં બાંગ્લાદેશ સામે રમાયેલી મેચમાં અક્ષર પટેલ ઈજાગ્રસ્ત થયો હતો. અક્ષરની ઈજાને લઈને એવી અટકળો ચાલી રહી હતી કે તે વર્લ્ડ કપ પહેલા સ્વસ્થ થઈ જશે, પરંતુ એવું બન્યું નહીં.
અશ્વિનની આંતરરાષ્ટ્રીય કારકિર્દી અત્યાર સુધી આવી રહી છે
અશ્વિન એવો ખેલાડી છે જે ભારત માટે ત્રણેય ફોર્મેટ રમે છે. અત્યાર સુધીમાં તે 94 ટેસ્ટ, 115 વનડે અને 65 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે. અશ્વિને ટેસ્ટમાં 489, વનડેમાં 155 અને T20 ઈન્ટરનેશનલમાં 72 વિકેટ લીધી છે. બોલ સિવાય અશ્વિન પાસે બેટથી પણ અજાયબી કરવાની ક્ષમતા છે. તેણે ટેસ્ટમાં 5 સદી અને 14 અડધી સદી ફટકારી છે. વનડેમાં પણ તેણે 1 અડધી સદી ફટકારી છે.
વર્લ્ડ કપ માટે ભારતની અંતિમ ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, આર અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.
અમદાવાદ: અદાણી વિદ્યા મંદિરનું 7મી NYC ગ્રીન સ્કૂલ કોન્ફરન્સ-2023માં સન્માન કરાયું
અદાણી વિદ્યા મંદિર, અમદાવાદને પર્યાવરણીય જાગૃતિ શિક્ષણ પ્રત્યેના તેના અભિગમ માટે આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત થઈ છે. (AVMA) શાળાએ 7મી NYC ગ્રીન સ્કૂલ કોન્ફરન્સમાં પ્રતિષ્ઠિત ગ્રીન સ્કૂલ એવોર્ડ જીતીને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. ન્યુયોર્કમાં યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના 78મા સત્રમાં મળેલ સન્માન ટકાઉ શિક્ષણ પ્રત્યે ભારતના સમર્પણ અને પર્યાવરણીય મુદ્દાઓને આવરી લેતા સક્રિય વલણને પ્રકાશિત કરે છે.
અદાણી વિદ્યામંદિર (AVMA) એ શિક્ષણ ખર્ચ ઘટાડવા માટે ઘણી પહેલ શરૂ કરી છે. આનાથી વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને નોંધપાત્ર લાભ થયો છે. આ પગલાં પરિવારોને બચત કરવામાં સક્ષમ કરે છે જેનો ઉપયોગ પાછળથી ઉચ્ચ શિક્ષણ અથવા કારકિર્દી ઘડતર માટે થઈ શકે છે. આખરે આ સમુદાયોમાં નોંધપાત્ર હકારાત્મક પરિવર્તનને પ્રોત્સાહન આપે છે. AVMA તેના અભ્યાસ ક્રમમાં સંકલિત વાવેતર પ્રવૃત્તિઓ દ્વારા જૈવવિવિધતા પર ભાર મૂકે છે. તે પરંપરાગત શૈક્ષણિક અભિગમથી આગળ વધે છે અને વિદ્યાર્થીઓમાં પૃથ્વી પ્રત્યેની તેમની જવાબદારીઓની ઊંડી સમજણ કેળવે છે.
NYC ગ્રીન સ્કૂલ કોન્ફરન્સમાં સન્માનિત વાઇબ્રન્ટ ઇકો-ક્લબ્સ અને કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓને વૃક્ષારોપણ, કચરો વ્યવસ્થાપન, પર્યાવરણીય જાગૃતિ, ટકાઉ તકનીકો, આબોહવા પરિવર્તન અને પર્યાવરણીય સંરક્ષણ, ઇકો ક્લબ, FSCI માન્યતા અને ખાદ્ય સુરક્ષા સમિતિ વગેરે વિશે શિક્ષિત કરવાનો સમાવેશ થાય છે. શાળાએ સૌર ઉર્જા, વરસાદી પાણીનો સંગ્રહ અને કચરો વ્યવસ્થાપનનો સમાવેશ કરીને તેના કેમ્પસને પર્યાવરણ-મૈત્રીપૂર્ણ ઓએસિસમાં પરિવર્તિત કર્યું છે. AVMA વરસાદી પાણીના સંગ્રહ અને કાર્યક્ષમ કચરા વ્યવસ્થાપનનો ઉપયોગ પાણીને બચાવવા અને લેન્ડફિલની અસર ઘટાડવા અને લીલા બગીચાઓ અને જૈવવિવિધતાને બચાવવા માટે કરે છે.
AVMA ટકાના ટકાઉ ભવિષ્યને આગળ વધારવા માટે વિશ્વવ્યાપી પ્રયાસો અને વૈશ્વિક ભાગીદારીમાં સક્રિયપણે ફાળો આપે છે. તે વિવિધ વિષયો પર યુનિસેફ સાથે ભાગીદારી ધરાવે છે. સહયોગનો હેતુ વૈશ્વિક પર્યાવરણીય પડકારોનો સામનો કરવા માટે શ્રેષ્ઠ પ્રથાઓ, જ્ઞાનની વહેંચણી અને સામૂહિક પ્રયાસોના આદાનપ્રદાનને સરળ બનાવવાનો છે.
ધોધમાર વરસાદના વિઘ્ન વચ્ચે ભક્તોએ વિઘ્નહર્તાને આપી ભાવભરી વિદાય
મુંબઈઃ આજે બપોર પછી ગાજવીજ સાથે ભારે વરસાદે ગણપતિ વિસર્જન પ્રસંગમાં ગણેશભક્તોના ઉત્સાહને થોડોક મંદ પાડી દીધો હતો, તે છતાં વરસાદ અટકી જતાં વિસર્જન રેલીઓ આગળ વધી હતી. ‘ગણપતિ બાપા મોરયા, પૂઢચ્યા વર્ષી લવકર યા’, ‘ગણપતિ બાપા મોરયા, મંગલમૂર્તિ મોરયા’, ‘ગણપતિ ગેલે ગાવાલા, ચેન પડે ના આમ્હાલા’ જેવા ગગનભેદી નારાઓ લગાવતા, ઢોલ-નગારા, શરણાઈ પર ધૂન વગાડતા આગળ વધતા ભક્તો ગણપતિજીની વિવિધ આકાર અને રંગરૂપની મૂર્તિઓ સાથે મુંબઈના તમામ નાના, મોટા રસ્તાઓ પરથી સરઘસાકારે જતાં જોવા મળ્યા હતા.
આજે ‘અનંત ચતુર્દશી’ દિવસે ગણપતિ વિસર્જન સાથે 10 દિવસથી ચાલતા ‘ગણેશોત્સવ’નો અંત આવશે. શહેરની ગિરગાંવ, જુહૂ, માહિમ, વર્સોવા, ગોરાઈ, માર્વે ચોપાટીઓ ખાતે ગણપતિની મૂર્તિઓના વિસર્જન માટે ભક્તોની અપાર ભીડ જામી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસ તંત્રએ જડબેસલાક સુરક્ષા તથા મહાપાલિકા તંત્રોએ સુવિધા-સવલતોની પૂરી વ્યવસ્થા કરી હતી.
સૌથી મોટું આકર્ષણ મધ્ય મુંબઈના લાલબાગ વિસ્તારના ‘લાલબાગચા રાજા’ ગણપતિના વિસર્જન સરઘસનું રહ્યું હતું. ગણપતિની વિરાટ કદની મૂર્તિને શ્રોફ બિલ્ડિંગસ્થિત મંડપમાંથી વિસર્જન માટે લઈ જવામાં આવી હતી અને મૂર્તિ પર સતત ફૂલોની પાંખડીઓનો વરસાદ વરસાવવામાં આવી રહ્યો હતો. મૂર્તિને લાલબાગથી દક્ષિણ મુંબઈના ગિરગાંવ ચોપાટી તરફ લઈ જવામાં આવી હતી. સમગ્ર રૂટ પર ચિક્કાર માનવમેદની જોવા મળી હતી. રૂટ પર અન્ય ગણેશ મૂર્તિના વિસર્જન સરઘસ પણ પસાર થતા જોવા મળ્યા હતા.
ગણેશ ગલીના ગણપતિનું સરઘસ મોડી સાંજે ગિરગાંવ ચોપાટી ખાતે પહોંચ્યું હતું. ‘ચિંચપોકલીચા ચિંતામણી’ ગણપતિનું સરઘસ મોડી રાતે પહોંચશે. ‘લાલબાગચા રાજા’ ગણપતિ આવતીકાલે સવારે ચોપાટી પહોંચશે અને મૂર્તિનું દરિયામાં વિસર્જન કરાશે.
મહાપાલિકાના જણાવ્યાનુસાર, શહેરમાં સાર્વજનિક મંડળો તથા ઘરેલૂ કક્ષાની હજારો મૂર્તિઓનું દરિયામાં તેમજ કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરાશે.
અમદાવાદમાં વિઘ્નહર્તાનું વિસર્જન
અમદાવાદઃ રાજ્યમાં લોકો ગણેશજીને વાજતે-ગાજતે વિસર્જન કરી રહ્યા છે. દસ દિવસ સુધી વિઘ્નહર્તાને રંગચંગે પૂજી, આરાધના કરી લોકો ધામધૂમપૂર્વક ગણેશ વિસર્જન કરી રહ્યા છે. શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગણપતિ વિસર્જન માટે ગણેશ કુંડ બનાવ્યા છે. AMCએ ગણેશ વિસર્જન માટે 46 કુંડ બનાવ્યા છે.
અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ઢોલ-નગારાં સાથે ગણપતિ વિસર્જન કરવામાં આવી રહ્યું છે, જેમાં સૌથી વધુ કુંડ પશ્ચિમ ઝોનમાં બનાવવામાં આવ્યા છે. કોર્પોરેશન દ્વારા શહેરના તમામ વિસ્તારોમાં ગણપતિ વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે. આ સાથે AMCએ સાતથી નવ ફૂટ જેટલી મોટી મૂર્તિઓના વિસર્જન માટે 10 જેટએ જગ્યાએ ક્રેનની સુવિધા પણ રાખવામાં આવી છે.
ગણેશ વિસર્જનના પગલે શહેરના તમામ માર્ગો પર ટ્રાફિક નિયમન અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે એ માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વધારે ટ્રાફિક હોય એવા વિસ્તારોના માર્ગો બંધ કરવામાં આવ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટ ઉપર જતાં સુભાષ બ્રિજથી રિવરફ્રન્ટ દધિચી બ્રિજ તરફ જવાનો રોડ પોલીસે બંધ કરી દીધો છે. જેના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બંધ માર્ગો પર વાહનચાલકોને બેથી ત્રણ કિલોમીટર સુધી ફરીને જવાની ફરજ પડી છે. ગણપતિની મૂર્તિ વિસર્જન કરનારા લોકો માટે જ રિવરફ્રન્ટના રોડ ખુલ્લો રાખવામાં આવ્યો હતો. 
આજે ગણેશ વિસર્જનના પગલે શહેર માંથી લોકો રિવરફ્રન્ટ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા કુંડ તરફ પહોંચી રહ્યા છે. ઘર, સોસાયટી, મહોલ્લાની નાની મોટી મૂર્તિઓ સાથે ગણેશ ભગવાનને લોકો વાજતે-ગાજતે વિદાય આપી રહ્યા છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)





