Home Blog Page 2486

સરકારે ઓનલાઇન ગેમિંગ કંપનીઓને રૂ. 55,000 કરોડની નોટિસ ફટકારી

નવી દિલ્હીઃ સરકાર કેસિનો અને ઓનલાઇન ગેમિંગ કંપનીઓ વિરુદ્ધ સકંજો કસી રહી છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ GST ઇન્ટેલિજન્સ (DCGI)એ આશરે 12 ઓનલાઇન રિયલ-મની ગેમિંગ કંપની વિરુદ્ધ રૂ. 55,000 કરોડનાં બાકી લેણાં માટે નોટિસ જારી કરી છે.

DCGI દ્વારા કુલ ગેમિંગ આવક પર GSTની ચુકવણી ના કરવા માટે નોટિસ જારી કરવામાં આવી રહી છે. જે કેસોની તપાસ થઈ ચૂકી છે, એમાં નોટિસને સ્પષ્ટ કરવાની જરૂર છે.

ગેમિંગ યુનિકોર્ન ડ્રીમ11 (Dream11)ને રૂ. 25,000 કરોડનાં GSTની બાકી ચુકવણી માટે નોટિસ મળી છે. આ દેશમાં સૌથી મોટી પરોક્ષ ટેક્સ નોટિસ છે. જે અન્ય કંપનીઓને નોટિસ મળી છે, એમાં હેડ ડિજિટલ વર્ક્સ અને પ્લે ગેમ્સ 24*7 સામેલ છે. ઉદ્યોગ સાથે જોડાયેલા અધિકારીઓના જણાવ્યા મુજબ આગામી સપ્તાહોમાં ગેમિંગ કંપનીઓને રૂ. એક લાખ કરોડ સુધીની નોટિસો ફટકારવામાં આવવાની શક્યતા છે. આ નોટિસ સરકારે કેસિનો અને ઓનલાઇન ગેમિંગ પર 28 ટકા GST લગાવવાના નિર્ણય પછી ફટકારી છે.

જોકે Dream11એ નોટિસ મળ્યા પછી બોમ્બે હાઈકોર્ટમાં ધા નાખી હતી. બેન્ગલુરુની ઓનલાઇન ગેમિંગ કંપની ગેમ્સક્રાફ્ટ ટેક્નોલોજી પ્રા. લિ.ને સપ્ટેમ્બર 2022માં રૂ. 21,000 કરોડની ટેક્સ નોટિસ મળી હતી.

ગોવા, સિક્કિમ અને દિલ્હી સહિત કેટલાંક રાજ્યોની અસહમતી છતાં GST કાઉન્સિલે જુલાઈની બેઠકમાં સૌથી વધુ કર લગાવવાનો નિર્ણય લીધો હતો, કેમ કે મોટા ભાગનાં રાજ્યો એ માટે તરફેણમાં હતાં. સંસદે પણ શિયાળુ સત્રમાં નવી ટેક્સ પ્રણાલીને સુવિધાજનક બનાવવા માટે કેન્દ્રીય GSTમાં પ્રસ્તાવિત સંશોધનને મંજૂરી આપી હતી.

 

 

 

 

 

 

PM મોદી વાઇબ્રન્ટ ગુજરાત સમિટની ઉજવણીમાં હાજર રહેશે

નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદી બે દિવસ માટે ગુજરાતના મુલાકાતે છે. તેઓ તેમની મુલાકાત દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનાં 20 વર્ષની ઉજવણી નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે અને રાષ્ટ્રને સંબોધન કરશે. આ સિવાય તેઓ કરોડો રૂપિયાના અનેક પ્રોજેક્ટોનો શિલાન્યાસ અને ઉદઘાટન કરશે.

વડા પ્રધાન મોદી જ્યારે રાજ્યના મુખ્ય પ્રધાન હતા, ત્યારે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2003માં શરૂ થઈ હતી. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO Office) દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 27 સપ્ટેમ્બરે સવારે 10 વાગ્યે PM મોદી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનાં 20 વર્ષ પૂરા થવાની ઉજવણીમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે. તેઓ બપોરે છોટા ઉદેપુરના બોડેલી જશે, ત્યાં તેઓ રૂ. 5200 કરોડથી વધુના પ્રોજેક્ટો રાષ્ટ્રને સમર્પિત કરશે અને શિલાન્યાસ કરશે.

વડા પ્રધાન સાયન્સ સિટીમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે.  આ ઉપરાંત આ કાર્યક્રમમાં ઉદ્યોગ સંગઠનો, વેપાર અને વાણિજ્ય ક્ષેત્રની અગ્રણી હસ્તીઓ, યુવા સાહસિકો, ઉચ્ચ અને તક્નિકી શિક્ષણ કોલેજોના વિદ્યાર્થીઓ સહિત અન્ય લોકો પણ હાજર રહેશે.

વડા પ્રધાન મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ કાર્યક્રમ હેઠળ રૂ. 4500 કરોડથી વધુના કેટલાક પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે અને એની આધારશિલા મૂકશે. વડા પ્રધાન રાજ્યની સ્કૂલોમાં બનાવવામાં આવેલા હજારો નવા ક્લાસરૂમ, સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ, STEM-  સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ- અને અન્ય પાયાના માળખાને રાષ્ટ્રને સમર્પિત કરશે.

વડા પ્રધાન વિદ્યા સમીક્ષા કેન્દ્ર 2ની આધારશિલા મૂકશે. આ કેન્દ્રોની બધા જિલ્લાઓમાં સ્થાપના કરાશે. વડા પ્રધાન વડોદરામાં નબળા વર્ગના લોકો માટેના આશરે 400 નવાં ઘરો સહિત રાજ્યનાં 7500 ગામોમાં વાઇફાઇ પ્રોજેક્ટ અને નવાં ઘરો રાષ્ટ્રને સમર્પિત કરશે.

 

 

 

ચીંથરે વીટાળ્યું પણ રતન

         

          ચીંથરે વીટાળ્યું પણ રતન

 

અત્યંત સામાન્ય દેખાતી વ્યક્તિ અથવા ગરીબનું ખૂબ જ તેજસ્વી સંતાન (દીકરો અથવા દીકરી), એમાં પણ ખાસ કરીને દીકરી હોય ત્યારે આ કહેવત વપરાય છે.

જેનો અર્થ અતિ સામાન્ય અથવા ગરીબ વ્યક્તિના ત્યાં અત્યંત સ્વરૂપવાન કન્યા અથવા મેઘાવી બુદ્ધિ ધરાવતો પુત્ર પેદા થયો છે એવો અર્થ થાય. ‘ચીંથરે વીંટ્યું રતન’ આની સમાનાર્થી કહેવત છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

કોરાનાના 41 નવા કેસો, એક પણ જણનું મોત નહીં      

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 41 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,98,565 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,32,031 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,66,109 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 31 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 463 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 20,860 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.53 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,71,149 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 173 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

જાવેદના ‘એક દો તીન…’ ગીતની બે વાતો

માધુરી દીક્ષિત પર ફિલ્માવવામાં આવેલું ‘તેજાબ’ (૧૯૮૮) નું જાવેદ અખ્તરે લખેલું ગીત ‘એક દો તીન…’ સંગીતકારને જ નહીં ગાયિકાને પણ પહેલાં પસંદ આવ્યું ન હતું. નિર્દેશક એન. ચંદ્રાએ ‘તેજાબ’ ના સંગીત માટે સંગીતકાર લક્ષ્મીકાન્ત -પ્યારેલાલ અને ગીતકાર જાવેદ અખ્તર સાથે એક બેઠક યોજી અને કહ્યું કે આ ગીત સ્ટેજ પર નૌટંકીના માહોલમાં ગવાય એવું બનવું જોઈએ. લક્ષ્મીકાન્તે જાવેદને એક ધૂન આપી અને એક પધ્ધતિ મુજબ ડમી શબ્દો ‘એક તો તીન… તેરા’ આપ્યા. જેથી ગીતકારને ખ્યાલ રહે કે કયા મીટર અને ધૂનમાં ગીત લખવાનું છે.

બીજા દિવસે જાવેદ ગીત લખીને લઈ ગયા અને લક્ષ્મીકાન્તને કહ્યું કે ‘એક થી તેરા’ શબ્દો એમ જ રહેવા દેશો. જાવેદની વાત સાંભળીને એ ચોંકી ગયા અને આશ્ચર્ય વ્યક્ત કરીને કહ્યું કે ‘એક દો તીન’ સુધી બરાબર છે પણ ‘તેરા’ ના આંકડા સુધી બોલવાનું બહુ અજીબ લાગશે. એમણે તો માત્ર ગીતની ધૂન સમજવા એકથી તેરા શબ્દો આપ્યા હતા. જાવેદે સ્પષ્ટતા કરી કે બાકીનું ગીત એવી રીતે લખ્યું છે કે એ એની સાથે મેળ ખાય એવું છે. એ ગીતમાં એક વાર્તા જેવી બનાવી છે જેમાં છોકરી ઇંતજાર કરે છે. અને આગળની તારીખોએ શું થાય છે એનું વર્ણન કરે છે. વળી આ નૌટંકીનું ગીત હોવા છતાં ક્યાંય અશ્લીલતા નથી. એમાં એક સાદગી છે જે લોકગીતોમાં સાંભળવા મળે છે.

જાવેદની વાતથી અને આગળના અંતરા ‘ચૌદહ કો તેરા સંદેશા આયા, પન્દ્રહ કો આઉંગા યે કહલાયા…’ વાંચ્યા પછી લક્ષ્મીકાન્તને વિશ્વાસ બેઠો અને ગીત રેકોર્ડ કરવાનું નક્કી કરી લીધું. જ્યારે ગાયિકા તરીકે અલકા યાજ્ઞિકને બોલાવવામાં આવ્યા ત્યારે એ પણ ‘એક તો તીન…’ થી સળંગ તેરા સુધીના શબ્દો સાંભળી ચમકી ગયા. એ નિરાશ થઈ ગયા કે આ કેવું ગીત બનાવ્યું છે? એમની સાથે મજાક થઈ રહી છે કે શું? પણ લક્ષ્મીકાન્તનો એમને ડર હતો. એમને કંઇ કહી શકે એમ ન હતા. એમણે મોંમાં પાન સાથે અલકાને ગાવા માટે ગીત લખાવ્યું. પણ જ્યારે અલકાએ બીજી લાઇન અને ત્રીજી લાઇન પછી અંતરા લખ્યા ત્યારે બધી નિરાશા જતી રહી અને ખ્યાલ આવ્યો કે કમાલનું ગીત છે. ગાતી વખતે પણ અલકાને મજા આવી ગઈ હતી.

આ ગીતમાં લક્ષ્મીકાન્ત- પ્યારેલાલે ૬૦ જેટલા કોરસનું આયોજન કર્યું હતું. મહેબૂબ સ્ટુડિયોમાં જગ્યા ઓછી હોવાથી અલકાએ દીવાલ સાથે અડીને ઊભા રહી ગીત ગાવું પડ્યું હતું. ગીતનું રેકોર્ડિંગ થઈ ગયા પછી અલકાને થયું હતું કે એ હજુ વધુ સારી રીતે ગાઈ શકી હોત. તેથી લક્ષ્મીકાન્તને ફરીથી રેકોર્ડિંગ કરવા સૂચન કર્યું પણ એ માન્યા નહીં. અલકાને આજે પણ એમાં ખામી રહી ગઈ હોવાનો અફસોસ સતાવે છે. અલકા યાજ્ઞિક સ્વીકારે છે કે ‘એક દો તીન…’ ગીતથી માધુરીની જ નહીં એની કેરિયર પણ આગળ વધી હતી. એ પછી માધુરીના મોટાભાગના ગીતો અલકાએ જ ગાયા હતા.

આ ગણપતિ મંદિરમાં દાદા રિદ્ધિ-સિદ્ધિ સાથે છે બિરાજમાન

ગુજરાતમાં ગણપતિ બાપ્પાના અનેક મંદિરો છે જે ક્યારેક દાદાની મૂર્તિના કારણે તો ક્યારેક બાપ્પાના આગવા અસ્તિત્વને લઈને ભાવિકોમાં પૂજનીય છે. જેમાં એક નામ છે ઉત્તર ગુજરાતમાં આવેલા દેત્રોજના રૂદાતલ ગામ. જ્યાં ગણપતિ દાદાનું 1200 વર્ષ જૂનું પ્રાચીન મંદિર આવેલું છે.

આ મંદિરમાં ભક્તો દાદાને ઘઉંના લાડુ ધરાવે છે

ગણપતિ દાદા આ મંદિરમાં રિદ્ધિ-સિદ્ધિ સાથે બિરાજમાન છે. દૂર દૂરથી લોકો બાપ્પાના દર્શન કરવા આવે છે. ભાવિકોની ગણેશ ઉત્સવમાં અહીં ભીડ જામે છે. તો અનેક ભક્તો ભક્તો ગણેશજીની ચતુર્થી ભરવા નિયમીત આવે છે. આમ તો દાદાને મોદક અને લાડુ ખુબ પ્રિય છે ત્યારે ગણપતિના આ મંદિરમાં ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા ઘઉંના લાડુ ધરાવે છે.

પેશ્વાઓ સમયથી પણ જૂનું છે મંદિર

 

કહેવાય છે કે આ મંદિર પેશ્વાઓના સમયથી પણ જૂનું છે. એક દંતકથા પ્રમાણે રૂદાતલની પાસે સીતાપુરના પટેલોને એક પથ્થર મળ્યો હતો જે ગાડામાં મૂક્યા બાદ ગાડું આગળ ચાલી શક્યું ન હતું. ત્યારે એક પટેલને થયું કે, આ ગાડું પથ્થરનાં કારણે આગળ જતું નથી. એમણે જેવો પથ્થર નીચે મૂક્યો અને ગાડું ચાલવા લાગ્યું હતું. ત્યાર બાદ અહીં ગણપતિના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.

દુંદાળા દેવને ગામના લોકો લાડુની જાતર ધરાવે છે

દાદાને રીઝવવા ભક્તો બધુય કરી છુટવા તૈયાર હોય છે. આમ તો મોટાભાગે ગણેશ મંદિરોમાં દાદાને બુંદીના લાડુ ધરાવતા હોય છે, પરંતુ આ ગણેશ મંદિરમાં લોકો પોતાની માનતા પૂર્ણ થાય એ માટે ઘઉંના લાડુનો પ્રસાદ અર્પણ કરે છે. એટલુ જ નહીં દર વર્ષે આ મંદિરમાં દુંદાળા દેવને ગામના લોકો લાડુની જાતર ધરાવે છે.

રાત્રે સંતવાણી અને ભજનનું આયોજન થાય છે

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા મંદિરના મુખ્ય આચાર્ય મહંતશ્રી બાબુગીરી ગોસ્વામી કહે છે કે, અમે ચાર પેઢીથી દાદાની સેવા કરીએ છીએ. હાલમાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે બાપ્પાના દર્શન કરવા લાંબી કતારો લાગે છે. રોજ રાત્રે સંતવાણી અને ભજનનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત વૈશાખ સુદ ચોથના દિવસે અહીં ભવ્ય મેળાનું આયોજન થાય છે. જેમાં હજારો લોકો દર્શન કરવા આવે છે. મંદિરમાં દાદાનું વાહન મુષક રાજાની પણ પ્રતિમા સ્થાપિત છે. અહીં બિરાજમાન ગણપતિ દાદા ચમત્કારી છે.

 

હેતલ રાવ

પ્રજ્ઞેશ વ્યાસ

વર્લ્ડ કપઃ ભારત સરકારે પાકિસ્તાન ટીમને વિઝા આપ્યા

નવી દિલ્હીઃ લાંબા સમયના વિલંબ બાદ અને પાકિસ્તાનમાંથી રવાના થવાના માત્ર 48 કલાક પૂર્વે પાકિસ્તાન ક્રિકેટ ટીમને આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપમાં રમવા ભારત આવવા દેવા માટે ભારત સરકારે વિઝા આપ્યા છે. પાકિસ્તાન ટીમ દુબઈ માર્ગે હૈદરાબાદ આવશે.

ભારત સરકારે પાકિસ્તાન ટીમને વિઝા આપ્યાને આઈસીસી સંસ્થાએ સમર્થન આપ્યું છે. એ પહેલાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આઈસીસીને પત્ર લખ્યો હતો અને તેની ટીમને ભારત સરકાર દ્વારા વિઝા આપવામાં વિલંબ થયેલા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

પાકિસ્તાન ટીમ ભારતમાં આવી પહોંચ્યા બાદ 29 સપ્ટેમ્બરે હૈદરાબાદમાં ન્યૂ ઝીલેન્ડ સામે પહેલી વોર્મ-અપ મેચ રમશે. વર્લ્ડ કપમાં પાકિસ્તાનની પહેલી મેચ 6 ઓક્ટોબરે હૈદરાબાદમાં રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં નેધરલેન્ડ્સ સામે છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બાબર આઝમના નેતૃત્ત્વ હેઠળ 15-સભ્યોની ટીમની જાહેરાત કરી છે.

ફાસ્ટ બોલર નસીમ શાહને ઈજાને કારણે વર્લ્ડ કપ ટીમમાં સામેલ કરાયો નથી. એની જગ્યાએ અન્ય ફાસ્ટ બોલર હસન અલીનો સમાવેશ કરાયો છે. ટીમના અન્ય ફાસ્ટ બોલરો છે – શાહીન શાહ અફરિદી, હારિસ રઉફ અને મોહમ્મદ વસીમ જુનિયર.

પાકિસ્તાન ટીમઃ બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન (વાઈસ કેપ્ટન), ફખર ઝમાન, ઈમામ-ઉલ-હક, અબ્દુલ્લા શફીક, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), સઉદ શકીલ, ઈફ્તિખાર એહમદ, સલમાન અલી આગા, મોહમ્મદ નવાઝ, ઉસામા મીર, હારિસ રઉફ, હસન અલી, શાહીન અફરિદી અને મોહમ્મદ વાસીમ (જુનિયર).

કેનેડામાં ખાલિસ્તાનીઓએ ભારતીય દૂતાવાસની બહાર દેખાવો કર્યા

વેનકૂવરઃ અનેક ખાલિસ્તાની સમર્થકો ગઈ કાલે કેનેડાના વેનકૂવર શહેરમાં આવેલી ભારતીય દૂતાવાસની બહાર એકત્ર થયા હતા અને ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરના કરાયેલા ખાત્મા સામેના વિરોધમાં દેખાવો કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ એવો આક્ષેપ કર્યો છે કે નિજ્જરના ખાત્મામાં ભારત સરકારનો હાથ છે.

દેખાવકારોએ ખાલિસ્તાની ધ્વજ ફરકાવ્યા હતા, સંગીત વગાડ્યું હતું અને નારા લગાવ્યા હતા. એમાંના કેટલાકે ભારતીય દૂતાવાસની બહાર ભારતનો ધ્વજ સળગાવ્યો હતો. દેખાવોના વિડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થયા છે. એક વિડિયોમાં એક દેખાવકાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કટઆઉટને જૂતા મારતો દેખાય છે. આવા જ દેખાવો ખાલિસ્તાનીઓએ ટોરોન્ટો શહેરમાં પણ કર્યા હતા.

નિજ્જર ખાલિસ્તાન ટાઈગર ફોર્સ સંગઠનનો વડો હતો. એને ગઈ 18 જૂને કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના સરે શહેરમાં એક ગુરુદ્વારાની બહાર ઠાર મારવામાં આવ્યો હતો. ભારત સરકારે નિજ્જરને આતંકવાદી તરીકે ઘોષિત કર્યો હતો. નિજ્જરને મારવામાં ભારત સરકારનો હાથ હોવાના આક્ષેપોને ભારત સરકાર રદિયો આપી ચૂકી છે અને કહ્યું છે કે આ આક્ષેપ વાહિયાત અને ઉપજાવી કાઢેલા છે.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૩

૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૩