Home Blog Page 2506

શેરબજારમાં મોટો કડાકો, રોકાણકારોના લાખો ધોવાયા

બુધવારે સ્થાનિક શેરબજારમાં ઓલ રાઉન્ડ વેચવાલી જોવા મળી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને HDFC બેન્કના ભારે ઘટાડાથી શેરબજારમાં નબળાઈ પ્રવર્તી રહી છે અને ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 800 પોઈન્ટથી વધુ ઘટીને 66728ની નીચી સપાટીએ પહોંચી ગયો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને લગભગ 1.25 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા. આજે યુએસ ફેડરલ રિઝર્વની બેઠક પહેલા નબળા સેન્ટિમેન્ટના કારણે ભારતીય શેરબજારમાં ગભરાટભરી વેચવાલી જોવા મળી હતી. આજે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. BSE સેન્સેક્સ 796 પોઈન્ટ અથવા 1.18 ટકાના ઘટાડા સાથે 66,800 પર બંધ થયો હતો. NSEનો નિફ્ટી 231.90 પોઈન્ટના ઘટાડાથી 1.15 ટકા ઘટીને 19,901ના સ્તરે બંધ રહ્યો હતો. આજે BSE નું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 3,20,65,122.43 કરોડ હતું અને તે બંધ થવાના સમયે અગાઉના ટ્રેડિંગ સત્રની સરખામણીએ લગભગ રૂ. 2.5 લાખ કરોડનો ઘટાડો નોંધાયો હતો.

મિડકેપ પીએસયુ અને સ્મોલકેપ પીએસયુમાં ઘટાડો

આજે બેંકિંગ શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ મિડકેપ પીએસયુમાં તુલનાત્મક રીતે ઓછો ઘટાડો જોવા મળ્યો હતો. પાવર સ્ટોક્સમાં બહુ હલચલ જોવા મળી નથી પણ પાવર ઓક્સિલરી સ્ટોક્સમાં બહુ એક્શન જોવા મળ્યું નથી. સુગર સ્ટોક્સ અને ટેક્સટાઇલ શેરોમાં આજે વધુ મજબૂત સેન્ટિમેન્ટ જોવા મળ્યું ન હતું જેના કારણે બજારોને આ સ્ટોક્સથી ટેકો મળ્યો ન હતો.

બેન્ક નિફ્ટીમાં 700થી વધુ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો

બજારના ઘટાડા પાછળનું મુખ્ય કારણ બેન્ક નિફ્ટીમાં ઘટાડો પણ હતો. આજના ટ્રેડિંગમાં, બેંક નિફ્ટી 703 પોઈન્ટ્સ લપસી ગયો હતો અને હાલમાં 45,390 ની નીચે એટલે કે 45400 ની નીચે પહોંચી ગયો છે.

રોકાણકારોને 3 લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે

માર્કેટ કેપમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે અને 18 સપ્ટેમ્બરે ભારતીય શેરબજારનું માર્કેટ કેપ 3,23,00,115.59 કરોડ રૂપિયા હતું અને આજે તે ઘટીને 3,20,43,114.30 કરોડ રૂપિયા પર આવી ગયું છે. આનો અર્થ એ થયો કે આજના ટ્રેડિંગ સેશનમાં અત્યાર સુધીમાં માર્કેટ કેપમાં રૂ. 3 લાખ કરોડથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. આ રીતે આજે ઘટી રહેલા માર્કેટમાં રોકાણકારોના રૂ. 3 લાખ કરોડથી વધુના નાણાંનો નાશ થયો છે.

નિફ્ટીના 50માંથી 40 શેરો ઘટ્યા હતા

નિફ્ટીના 50માંથી 40 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને માત્ર 10 શેરો એવા છે જે નજીવા વધારા સાથે વેપાર કરી રહ્યાં છે. HDFC બેંક આજે નિફ્ટીમાં ટોપ લૂઝર છે જે 3.91 ટકા અને JSW સ્ટીલ 2.73 ટકા ઘટ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 2.19 ટકા અને બીપીસીએલ 2.11 ટકા નીચે ટ્રેડ કરી રહી છે. ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ 2.03 ટકાની નબળાઈ સાથે ટ્રેડ થઈ રહી છે.

ખાલિસ્તાનીઓને મુદ્દે મોદી સરકારે કેનેડાને આપ્યો જડબાંતોડ જવાબ

નવી દિલ્હીઃ ભારત અને કેનેડા વચ્ચે સંબંધો તંગ બન્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા કેનેડામાં ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે એડવાઇઝરી જાહેર કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કેનેડામાં વધતી ભારતવિરોધી કામગીરી અને રાજકીય રૂપે દ્વેષપૂર્ણ અપરાધો અને હિંસાને જોતાં કેનેડામાં હાલ જવાનો વિચાર કરી રહેલા નાગરિકો માટે અત્યંત સાવધાન રહેવાની ચેતવણી આપવામાં આવે છે. કેનેડાએ પણ ભારતમાં રહેતા કેનેડા નાગરિકો માટે એડવાઇઝરી જાહેર કર્યા બાદ ભારતે વળતો પ્રહાર કર્યો છે.

આ એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું હતું કે હાલની ધમકીઓમાં ભારતીય રાજકારણીઓ અને ભારતીય સમાજને ટાર્ગેટ કરવામાં આવ્યો છે. આ ધમકીમાં એ લોકોને ખાસ લક્ષ્ય કરવામાં આવ્યા છે, જે ભારત વિરોધી એજન્ડાની ટીકા કરે છે. એટલે ભારતીય નાગરિકોને સલાહ છે કે તેઓ કેનેડાના એ વિસ્તારોમાં અને સંભવિત સ્થળોએ યાત્રા કરવાથી બચવાની સલાહ છે- જ્યાં એવી ઘટનાઓ થઈ છે.કેનેડાએ મંગળવારે તેના નાગરિકો માટે ભારત સંબંધિત નવી ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી છે. એડવાઇઝરી “અણધારી સુરક્ષા પરિસ્થિતિને કારણે” કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરની મુસાફરી ટાળવા નિર્દેશ આપ્યા છે. ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચે સંઘર્ષ વધી ગયો છે કેનેડાએ પણ એક ભારતીય રાજદ્વારીને હાંકી કાઢ્યા છે, જેના જવાબમાં ભારતે પણ કેનેડિયન રાજદ્વારીને દેશ છોડવાનો આદેશ આપ્યો છે.

કેનેડામાં ખાલિસ્તાન તરફી સંગઠનો જેમ કે વર્લ્ડ શીખ ઓર્ગેનાઈઝેશન (WSO), ખાલિસ્તાન ટાઇગર ફોર્સ (KTF), શીખ ફોર જસ્ટિસ (SFJ) અને બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BKI) કથિત રીતે પાકિસ્તાનના ઇશારે સ્વતંત્ર રીતે કામ કરી રહ્યા છે એમ અધિકારીઓ જણાવી રહ્યાં છે.

 

 

 

 

 

 

 

શાહીન અફરિદીના લગ્ન રિસેપ્શનમાં કેપ્ટન બાબર આઝમે હાજરી આપી

કરાચીઃ પાકિસ્તાનના ડાબોડી ફાસ્ટ બોલર શાહીન શાહ અફરિદીએ ગયા શુક્રવારે અહીં અંશા અફરિદી સાથે લગ્ન કર્યા હતા. અંશા પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન શાહિદ અફરિદીની પુત્રી છે.  શાહીનના લગ્નનું રિસેપ્શન ગઈ કાલે ડીએચએ ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ યોજવામાં આવ્યું હતું. એમાં પાકિસ્તાન ટીમના કેપ્ટન બાબર આઝમે પણ હાજરી આપી હતી. છેલ્લા એક અઠવાડિયાથી એવા અહેવાલો વાંચવા મળ્યા હતા કે હાલમાં જ રમાઈ ગયેલી એશિયા કપ સ્પર્ધામાં સુપર-4 રાઉન્ડમાં શ્રીલંકા સામેની મેચમાં પાકિસ્તાનનો પરાજય થયા બાદ ટીમના ખેલાડીઓ એમના કેપ્ટન બાબર આઝમથી નારાજ થયા હતા. ખાસ કરીને બાબર અને શાહીન અફરિદી વચ્ચેના સંબંધમાં કડવાશ ઊભી થઈ છે, પરંતુ શાહીનના રિસેપ્શનમાં બાબરે હાજરી આપતાં એમની વચ્ચે કોઈ વિખવાદ થયાની અટકળોનો અંત આવી ગયો છે. બાબરે લગ્ન સમારંભમાં જઈને શાહીનને અભિનંદન આપ્યા હતા અને શાહીને બાબરને આવકાર આપ્યો હતો. આના વિડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થયા છે.

(તસવીર સૌજન્યઃ @babarazam258)

બાબર આઝમે X (ટ્વિટર) પ્લેટફોર્મ ઉપર તેના એકાઉન્ટ પર શાહીન અને અંશાને લગ્ન માટે અભિનંદન આપ્યા હતા.

રિસેપ્શનમાં પાકિસ્તાન ટીમના અમુક અન્ય ખેલાડીઓએ પણ હાજરી આપી હતી. બાબર અને શાહીન વચ્ચે કોઈ ઝઘડો થયો હતો એવા અહેવાલોને પાકિસ્તાન ટીમના એક સિનિયર સભ્યએ રદિયો આપ્યો છે.

પાકિસ્તાનના ખેલાડીઓ હવે ભારત જશે અને આઈસીસી ODI વર્લ્ડ કપમાં રમશે. પાકિસ્તાનની પહેલી મેચ 6 ઓક્ટોબરે હૈદરાબાદમાં નેધરલેન્ડ્સ સામે છે. એ પહેલાં તેઓ ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે વોર્મ-અપ મેચ રમશે.

પેટ્રોલ-ડિઝલની કાર પર પ્રતિબંધ સામે જગુઆર લેન્ડ રોવરને કોઈ વાંધો નથી

લંડનઃ બ્રિટિશ સરકાર પાંચ વર્ષ એટલે કે 2035ની સાલ સુધી નવી પેટ્રોલ અને ડિઝલ કારના વેચાણ પર પ્રતિબંધ મૂકવા વિચારતી હોવા વિશેના અહેવાલોને બ્રિટનની લક્ઝરી કાર ઉત્પાદક કંપની જગુઆર લેન્ડ રોવરે આવકાર આપ્યો છે.

ટાટા મોટર્સની માલિકીની કંપની જગુઆર લેન્ડ રોવરના એક પ્રવક્તાએ કહ્યું છે કે, અમારી યોજનાઓ તો વ્યવસ્થિત રીતે આગળ ચાલી રહી છે અને પેટ્રોલ, ડિઝલથી ચલિત મોટરકારોના વેચાણ પર પ્રતિબંધના કાયદાની નિશ્ચિતતાને અમે આવકાર આપીએ છીએ.

સરકારે સોશિયલ મિડિયાના ઉપયોગ માટે વયમર્યાદા નક્કી કરવી જોઈએઃ HC

બેંગલુરુઃ સોશિયલ મિડિયાના ઉપયોગ કરવા માટે ઉંમરને લઈને કર્ણાટક હાઇકોર્ટે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે દેશમાં સોશિયલ મિડિયાના ઉપયોગ કરવામાટે વયમર્યાદા નક્કી કરવા પર વિચાર કરવો જોઈએ. હાઇકોર્ટે એક મૌખિક ટિપ્પણીમાં કહ્યું હતું કે સોશિયલ મિડિયાના ઉપયોગ માટે લોકોની વય કમસે કમ 21 હોવી જોઈએ.
કર્ણાટક હાઇકોર્ટમાં બે જસ્ટિસની ખંડપીઠે કહ્યું હતું કે જો યુવકો અને ખાસ કરીને સ્કૂલનાં બાળકો માટે સોશિયલ મિડિયાનો પ્રતિબંધ મૂકવામાં આવે તો એ દેશ માટે સારું હશે. એ સાથે કોર્ટે સલાહ આપતાં કહ્યું હતું કે જે ઉંમરમાં તેમને મત આપવાનો અધિકાર મળે છે, ત્યારે તેમને સોશિયલ મિડિયાનો ઉપયોગ કરવાની તક મળવી જોઈએ. આ વય 21 અથવા 18 હોઈ શકે છે.
વાસ્તવમાં જસ્ટિસ જી. નરેન્દ્ર અને જસ્ટિસ વિજયકુમાર એ. પાટિલની ખંડપીઠે X કોર્પ (ટ્વિટર)ની અપીલની સુનાવણી કરી રહી હતી. ખંડપીઠે કહ્યું હતું કે સ્કૂલ જવાવાળાં બાળકોને સોશિયલ મિડિયાની લત લાગી ચૂકી છે.

શું છે મામલો?

સોશિયલ મિડિયા પ્લેટફોર્મ તરફથી સિંગલ જજની પીઠના આદેશને પડકાર આપતી અપીલ પર સુનાવણી કરતાં હાઇકોર્ટે ઉપર મુજબની ટિપ્પણી કરી હતી. કોર્ટે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયના વિવિધ આદેશોની વિરુદ્ધ એક્સની અરજી ફગાવી દીધી હતી.
મંત્રાલયે બીજી ફેબ્રુઆરી, 2021 અને 28 ફેબ્રુઆરી, 2022ની વચ્ચે ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના અધિનિયમની કલમ 69 A હેઠળ 10 સરકારી આદેશ જારી કર્યા હતા. ટ્વિટરે એમાં 39 URLથી જોડાયેલા આદેશોને પડકાર આપ્યો હતો.

 

X યુઝર્સે હવે માસિક ફી ચૂકવવી પડે એવી શક્યતા

નવી દિલ્હીઃ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X (ભૂતપૂર્વ ટ્વિટર)ના માલિક એલન મસ્કનો ઇરાદો Xના ઉપયોગ કરનારા યુઝર્સ પાસેથી માસિક ફીસ વસૂલવાનો છે. મસ્કનું કહેવું છે કે X પ્લેટફોર્મ પર હાલ બોટ્સ (Bots)ની સમસ્યાના ઉકેલ માટે આવું કરવું જરૂરી છે. જોકે તેમણે એ વાતે સ્પષ્ટતા નહોતી કરી કે તેઓ મન્થલી ફીસ લેવાનું ક્યારથી શરૂ કરશે. સ્પેસએક્સ અને ટેસ્લા માલિકે ગયા વર્ષે ટ્વિટરને ખરીદી હતી. ત્યાર બાદ તેમણે આમાં અનેક ફેરફાર કર્યા છે.

મસ્કે ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુની સાથે કરેલી વાતચીતમાં કહ્યું હતું કે પ્લેટફોર્મ પર બોટ્સની સંખ્યા વધી ગઈ છે. બોટ્સ એટલે નકલી અકાઉન્ટ્સની સમસ્યાથી નિપટવા એકમાત્ર ઉપાય સ્મોલ મન્થલી પેમેન્ટ જ છે. તેમણે કહ્યું હતું કે Xના હાલના 55 કરોડ માસિક યુઝર્સ છે, જે પ્રતિ દિન 100-200 મિલિયન પોસ્ટ કરે છે અને એમાં કેટલાક બોટ્સ પણ સામેલ છે, જેના ઉપાય રૂપે પ્રતિ દિન કેટલીક ફી લેવામાં આવશે.

ઇઝરાયલના PM નેતાન્યાહુએ જ્યારે મસ્કને પૂછ્યું હતું કે X બોટ્સ પર કેવી રીતે કાબૂ મેળવશે, જે નફરત ફેલાવવા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મસ્કે એના જવાબમાં કહ્યું હતું કે બધા યુઝર્સ પાસેથી માસિક ફી વસૂલવાની યોજના છે. જોકે તેમણે ખુલાસો નહોતો કર્યો કે યુઝર્સે Xના ઉપયોગ માટે કેટલા પૈસા ચૂકવવા પડશે. X પ્રીમિયમ માટે હાલ અમેરિકામાં પ્રતિ મહિને આઠ ડોલર ચૂકવવા પડે છે. આ ફીસ અલગ-અલગ દેશોમાં અલગ-અલગ છે. તેઓ યુઝર્સ માટે સસ્તો વિકલ્પ લાવવા પર વિચાર કરી રહ્યા છે, એમ મસ્કે કહ્યું હતું.

 

 

 

 

 

 

 

 

કોરાનાના 51 નવા કેસો, એક જણનું મોત      

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 51 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,98,294 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,32,031 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,65,783 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 90 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 480 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 18,909 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.51 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,70,296 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 088 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

નોટ આઉટ @ 85 : ઈલા આરબ મહેતા

ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાત સાહિત્ય પરિષદના પુરસ્કારથી પુરસ્કૃત, ગુજરાતી ભાષામાં 20 થી વધુ પુસ્તકો લખનાર તથા રેડિયોની અને ટીવીની ઘણી ગુજરાતી શ્રેણીઓ લખનાર જાણીતા લેખિકા ઈલા આરબ મહેતાની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

જન્મ મુંબઈમાં. તેમનો પ્રાથમિક અભ્યાસ જામનગર, રાજકોટ અને મુંબઈમાં થયો. બી.એ. તથા એમ.એ. રુહિયા  કોલેજ, મુંબઈમાં. શરૂઆતનાં થોડાં વર્ષો રુહિયા કોલેજમાં પ્રાધ્યાપક તરીકે કામ કર્યું અને ત્યારબાદ લાંબો સમય સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે કામ કર્યું. તેમના પતિ વ્યસ્ત  ડોક્ટર હતા અને બાળકોની જવાબદારી ઈલાબહેન પર હતી. તેમને એક પુત્ર,એક પુત્રી છે, તથા એક પૌત્રી, એક દોહિત્ર અને એક દોહિત્રી છે. પ્રખ્યાત લેખક ગુણવંત આચાર્ય તેમના પિતા અને જાણીતી લેખિકા વર્ષા અડાલજા તેમની નાની બહેન. શરૂઆતમાં અખંડાનંદ, નવનીત અને સ્ત્રી સામાયિકોમાં લેખ લખતાં અને આમ ધીમે-ધીમે લખવાનું શરૂ થયું. પિતા ગુણવંત આચાર્યના અચાનક મૃત્યુ વખતે એક સામયિકમાં તેમની ધારાવાહિક નવલકથા પબ્લિશ થતી હતી. તે નવલકથા આગળ ચલાવવા સામાયિકના તંત્રીએ ઈલાબહેનને વિનંતી કરી અને તેમણે લખવાનું શરૂ કર્યું તે પછી ક્યારેય પાછું જોયું નથી!

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

સવારે ઊઠીને એક કપ ચા પીએ. છાપુ લઈ સમાચાર વાંચે. જરૂરી દવાઓ લે અને આઠેક વાગ્યે પૌત્રી શાળાએ જાય તે પછી તેમની કસરત વગેરેનું કામ શરૂ કરે જે 11 વાગ્યા સુધી ચાલે. પછી થોડો આરામ કરે. આખો દિવસ વાંચન-લેખનનો પ્રોગ્રામ ચાલે. થોડો સમય ટીવી ઉપર ન્યુઝ જુએ. પિક્ચર પણ જુએ. પ્રોગ્રામો જોવા પણ ગમે ….જો કે હવે અંધેરીથી બહુ દૂર જતાં નથી. વાંચવું અને લખવું એ તેમની મુખ્ય પ્રવૃત્તિ.

શોખના વિષયો : 

ઈલાબહેનને સિરિયસ વાંચન કરવું બહુ ગમે. અને લેખન કરવું પણ ઘણું ગમે. હિન્દી અને અંગ્રેજી પિક્ચરો જોવાનો શોખ. ફિલ્મી સંગીત સાંભળવાનું પણ ગમે. ઘરમાં કૂક હોવાથી 40 વર્ષથી રસોડામાં ગયાં જ નથી.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત આમ તો સારી છે. કોવિડ પછી પગમાં થોડી તકલીફ થઈ છે. નિયમિત ફિઝીઓ થેરેપી કરાવવી પડે છે. 2000 ની સાલમાં બાયપાસ ઓપરેશન થયું હતું. હાલ ઘરમાં હરતાં-ફરતાં છે. હમણાં જ ભવન્સમાં પ્રોગ્રામમાં હાજરી આપી હતી, પણ હવે પ્રોગ્રામ માટે બહુ દૂર જતાં નથી.

યાદગાર પ્રસંગ:  

એક વાર અમદાવાદ રેડિયો તરફથી યોજએલ વકૃત્વ સ્પર્ધામાં તેમણે ભાગ લીધો હતો. તેમના પિતાજી પણ તેમની સાથે અમદાવાદ આવ્યા હતા તે તેમને યાદ છે. આ રીતે તેઓ રેડિયો આર્ટિસ્ટ તરીકે નાટકોમાં ભાગ લેતાં થયાં જેમાં તેમના  પિતાજી કાયમ તેમને સાથ આપતા. રેડિયો પર રૂપકો અને ચર્ચા-વિચારણાના સંવાદો વગેરેમાં પણ ભાગ લેતાં થયાં અને ધીરે ધીરે રેડિયોની સાથે સાથે તેમણે ટીવીમાં પણ ભાગ લેવાનું શરૂ કર્યું. 1972માં દિલ્હીથી પ્રસારિત થતાં ગુજરાતી પ્રોગ્રામ માટે ઝવેરચંદ મેઘાણીની “તુલસી ક્યારો” તેમણે 13 એપિસોડમાં તૈયાર કરી હતી. ટીવી નાટકો પર હથોટી સારી બેસી ગઈ. તે પછી તો તેમણે “રાધા”, “વારસદાર” જેવી ઘણી શ્રેણીઓ લખી.

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

ટેકનોલોજી માટે તેઓ ઘણાં પોઝિટિવ છે, પણ કાગળો સાથે તેમને વધુ ફાવે છે! whatsapp, ઇમેલ તથા ઝૂમ મીટીંગોનો સારી રીતે ઉપયોગ કરી જાણે છે. હસતાં-હસતાં ઉમેરે છે: “મારી 11 વર્ષની પૌત્રી કદાચ મારા કરતાં ટેકનોલોજી વધારે જાણતી હશે!”

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

આજનો માણસ “કંઈક” મેળવવા માટે જબરી દોટ લગાવે છે! માતા-પિતા પણ બાળકને આ માટે પુશ કરે છે! મહત્વકાંક્ષા પૂરી કરવા કુટુંબ આખું મથી પડે છે! ઘણાં ક્ષેત્રમાં બાળકને ધકેલે, તેને પરદેશ જવા માટે ક્લાસની ફી ભરે, વગેરે વગેરે. બાળકો પર એટલું બધું પ્રેશર આવી જાય છે વાત આત્મહત્યા સુધી પહોંચી જાય છે! શું આ બધું જરૂરી છે?

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

“લેખિની” જેવી સાહિત્યની સંસ્થાઓને લીધે યુવાનો સાથે સંપર્કમાં છે. 2000ની સાલ સુધી તો કોલેજમાં આધ્યાપક હતાં એટલે યુવાનો સાથે નિયમિત સંપર્કમાં રહેતાં. હજુ પણ એમ.ફીલ. અને પીએચડીનાં વિદ્યાર્થીઓ સાથે નિયમિત ટચમાં છે.

સંદેશો :  

યુવાનો માટે ખાસ સંદેશ છે: સારું વાંચન કરો. ઉપર-છલ્લા દેખાવો છોડો. દેખાડા છોડી મા-બાપના પ્રશ્નો સમજો અને ગંભીરતાપૂર્વક જીવન જીવો.

અંબાણી પરિવારના નિવાસે ગણેશોત્સવની શાનદાર ઉજવણી

ટોચના ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન-MD મુકેશ અંબાણીના મુંબઈસ્થિત નિવાસસ્થાન એન્ટિલિયા ખાતે 19 સપ્ટેમ્બર, મંગળવારે ગણેશ ચતુર્થી તહેવાર નિમિત્તે ગણેશોત્સવ ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં માધુરી દીક્ષિત-નેને, આલિયા ભટ્ટ, રણવીરસિંહ-દીપિકા પદુકોણ, સિદ્ધાર્થ મલ્હોત્રા અને તેની પત્ની કિયારા અડવાની સહિતનાં બોલીવુડ સિતારાઓ તેમજ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને એમના પત્ની અમૃતા ફડણવીસ, શિવસેના (યૂબીટી)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને એમના પત્ની રશ્મી ઠાકરે સહિત અનેક નામાંકિત વ્યક્તિઓએ હાજરી આપી હતી. માધુરી દીક્ષિત-નેનેએ તેનાં પતિ ડો. શ્રીરામ નેને સાથે કાર્યક્રમમાં હાજરી આપી હતી. એમણે ભગવાન ગણપતિજીનાં દર્શન કર્યાં હતાં અને સેલ્ફી લીધી હતી. (તસવીર અને વીડિયોઃ મૌલિક કોટક)

અનંત મુકેશ અંબાણી
અભિનેતા રિતેશ દેશમુખ અને એની પત્ની જેનેલિયા ડિસોઝા-દેશમુખ

રિલાયન્સ ફાઉન્ડેશનનાં સ્થાપક અધ્યક્ષા નીતા અંબાણી એમની પુત્રવધુઓ – શ્લોકા મહેતા (જમણે) અને રાધિકા મરચંટ (ડાબે) સાથે

રેખા

હેમામાલિની

જિતેન્દ્ર એમની પુત્રી એકતા સાથે

અનિલ કપૂર

શ્રદ્ધા કપૂર

રશ્મિકા મંદાના

સલમાન ખાન એની ભાણેજ અલિઝેહ અગ્નિહોત્રી સાથે

વરુણ ધવન એની પત્ની નતાશા સાથે

અનન્યા પાંડે

રણવીરસિંહ અને દીપિકા પદુકોણ

ઉદ્ધવ ઠાકરે, એમના પત્ની રશ્મી અને પુત્ર આદિત્ય સાથે

રાજ ઠાકરે, એમના પત્ની શર્મિલા અને મુકેશ અંબાણી

સચીન તેંડુલકર એમના પત્ની અંજલિ, પુત્ર અર્જુન અને પુત્રી સારા સાથે

સારા તેંડુલકર

શાહરૂખ ખાન એની પત્ની ગૌરી, પુત્રી સુહાના અને પુત્ર અબ્રામ સાથે

આયુષ્માન ખુરાના એની પત્ની તાહિરા કશ્યપ સાથે

કિયારા અડવાની અને અભિનેતા પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા

આલિયા ભટ્ટ

ઐશ્વર્યા રાય-બચ્ચન પુત્રી આરાધ્યા સાથે

જુહી ચાવલા

દિશા પટની

ક્રિકેટર કે.એલ. રાહુલ અને એની પત્ની અથિયા શેટ્ટી

પૂજા હેગડે

સારા અલી ખાન

જ્હાન્વી કપૂર

ખુશી કપૂર

અજય દેવગન અને દિગ્દર્શક રોહિત શેટ્ટી

શાહિદ કપૂર

અમદાવાદના આ ગણેશોત્સવમાં છે અનોખી થીમ

ગણેશ મહોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી શરૂ થઈ ગઈ છે. ત્યારે આજે આ ધર્મના ઉત્સવની બીજા દિવસની વાત કરીએ.. અમદાવાદના મણીનગર સ્થિત દક્ષિણી સોસાયટી ખાતે શિવશક્તિ યુવક મંડળ દ્ધારા સ્થાપિત ગણેશ પંડાલની.

વિશેષ થીમ આધારિત દાદાનો પંડાલ

છેલ્લા સાડા છ દાયકાથી દક્ષિણી સોસાયટીમાં ગણેશમહોત્સવની ઉજવણી થાય છે. દર વર્ષે વિશેષ થીમ આધારિત દાદાનો પંડાલ સજાવવામાં આવે છે. આમ તો સમગ્ર અમદાવાદમાં જુદા-જુદા પંડાલ જોવા મળે છે. પરંતુ અહીં બિરાજમાન ગણપતિના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જામે છે.

 રોજના 25 હજાર ભાવિકો કરે છે દર્શન

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા પંડાલના આયોજક અને છેલ્લા 35 વર્ષથી દાદાની આરાધના કરતા પરાગ નાઈક કહે છે, અમારા પંડાલમાં દર વર્ષે જુદી-જુદી થીમ જોવા મળે છે. પરંતુ દેશના સ્વાભિમાન આધારિત થીમ જ વધુ હોય છે. આ વર્ષે અમે ભારત હી ભાગ્ય વિધાતા આધારિત થીમ રાખી છે. દર્શનાર્થીઓની વાત કરુ તો બાપ્પાના દર્શન કરવા રોજના અંદાજે 25 હજાર લોકો આવતા હશે. દુંદાળા દેવનો રાજીપો મેળવવા વહેલી સવારથી મોડી રાત સુધી ભાવિકોની ભીડ જોવા મળે છે. દસ દિવસના આ ગણેશોત્સવમાં અંદાજે ચારથી પાંચ લાખ લોકો બાપ્પાના દર્શન કરશે.

જૂની પ્રતિમામાંથી જ નવી થીમ

વધુમાં પરાગ નાઈક કહે છે, અમારા ત્યાં જે દાદાની મૂર્તિ સ્થાપિત છે એ ફાઈબરની છે. ગણેશ મહોત્સવ પૂર્ણ થયા પછી ફાઈબરની મૂર્તિને મુકી રાખવામાં આવે છે અને બીજા વર્ષે આ જૂની પ્રતિમામાંથી જ નવી થીમ બનાવી ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત ફાઈબરી 17 ફૂટની પ્રતિમા ઉપરાંત માટીની નાની પ્રતિમાઓનું પણ સ્થાપન કરવામાં આવે છે. જેનું વાજતે ગાજતે વિસર્જન કરાય છે.

ભક્તો દાદાની ભક્તિમાં સદાય રહે છે લીન

બાપ્પાના પંડાલ હોય અને કાર્યક્રમ ન હોય એ વાત માનવામાં ન આવે પરંતુ પરાગભાઈ કહે છે, અમારા ત્યાં દાદાના દર્શન કરવા એટલી મોટી સંખ્યામાં લોકો આવે છે એની કતારો માઇલો સુધી હોય છે. જેનું આયોજન સરળ રીતે પાર પાડવાની જહેમત કરવી પડે છે.  આ કારણે  અન્ય કોઈ કાર્યક્રમ કરવાનું આયોજન કરી શકાતુ નથી. જોકે આખાય વિસ્તારના લોકો દાદાની ભક્તિમાં સદાય લીન રહે છે.

હેતલ રાવ

પ્રજ્ઞેશ વ્યાસ