Home Blog Page 2518

SP નેતા આઝમ ખાનને ત્યાં દરોડાઃ રૂ. 800 કરોડની કરચોરીની શક્યતા

લખનઉઃ સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાન અને તેમની સાથે સંકળાયેલા લોકો પર ત્રણ દિવસના દરોડા પછી રૂ. 800 કરોડથી વધુની કરચોરીની આશંકા છે. આવકવેરા અધિકારીઓ, સુરક્ષા દળો શુક્રવારે સાંજે SP નેતાના નિવાસસ્થાનમાંથી બહાર નીકળ્યા હતા. ત્યાર બાદ ખાને કહ્યું હતું  કે આ આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. અધિકારીઓને આઝમ ખાનના ઘરેથી રૂ. 83.90 લાખ રોકડા મળ્યા હતા.

આવકવેરા વિભાગે ખાન વિરુદ્ધ કરચોરીની તપાસના ભાગરૂપે ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં 30થી વધુ જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. વિભાગે ઉત્તર પ્રદેશના રામપુર, સહારનપુર, લખનૌ, ગાઝિયાબાદ અને મેરઠ ઉપરાંત પડોશી રાજ્ય મધ્ય પ્રદેશમાં કેટલીક જગ્યાઓ પર દરોડા પાડ્યા છે.

ગાઝિયાબાદમાં આવકવેરા વિભાગે બુધવારે રાજનગર કોલોનીમાં એક ઘરમાં દરોડા પાડ્યા હતા. આ ઘર એકતા કૌશિકનું છે, જે ખાન પરિવારનું નજીક માનવામાં આવે છે. આ દરોડામાં આવકવેરા વિભાગના 42 લોકો સામેલ હતા. આશરે 60 કલાક IT વિભાગના અધિકારી અને સીમા સશસ્ત્ર દળના જવાન આઝમ ખાનના ઘરમાં રહ્યા હતા.

જોકે આઝમ ખાન અને પાર્ટી વિરુદ્ધ દરોડા પર SP તરફથી આકરી પ્રતિક્રિયા આપવામાં આવી હતી. પાર્ટીએ ખાનને સમર્થન આપતાં ભાજપ સરકાર પર તાનાશાહી અને કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગનો આરોપ લગાવ્યો હતો. બુધવારે દરોડા પછી પાર્ટીએ ટ્વિટર પર એક પોસ્ટમાં કહ્યું હતું કે આઝમ ખાન સાહેબ સત્યનો અવાજ છે. તેમણે બાળકોના સારા ભવિષ્યનો પાયો નાખ્યો અને શિક્ષણ માટે યુનિવર્સિટી બનાવી.જોકે, ભાજપના નેતા અને યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે કેન્દ્રીય એજન્સીઓ ભારતને ભ્રષ્ટાચારમુક્ત બનાવવા માટે તેમના અધિકારોમાં કામ કરી રહી છે.

 

 

 

 

 

 

કાદર ખાન નાટકથી ફિલ્મોમાં આવ્યા     

અભિનેતા તરીકે પણ જાણીતા રહેલા કાદર ખાનને એમના લેખનને કારણે નાટકો પછી ફિલ્મોમાં લેખક અને અભિનેતા તરીકે તક મળી હતી. કાદરને શાળા જીવનથી જ નાટક લખવાનો અને એમાં અભિનયનો શોખ જાગી ચૂક્યો હતો. જ્યારે કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યો ત્યારે કોલેજના એક નાટક માટે સ્ટેજના જાણીતા લેખક પ્રબોધ જોશી ઓડિશન લઈ રહ્યા હતા. મિત્રના સૂચનથી કાદર ઓડિશન માટે ગયા ત્યારે પહેલાં એક પાનનું લખાણ વંચાવ્યું. પછી પ્રભાવિત થઈ અનેક પાનાં વંચાવ્યા અને અગાઉ નાટકોમાં કામ કર્યું હતું એ પણ જાની લીધું. પછી ‘બહાદુરશાહ જફર’ નાટકમાં એક ફકીરની મહત્વની ભૂમિકા આપી. એમણે જ્યારે નાટકની સ્ક્રીપ્ટ વાંચવા આપી ત્યારે કાદરને થયું કે વાર્તામાં ગરબડ છે. એણે પ્રબોધ જોશીને કહ્યું ત્યારે એમને પણ એમાં કોઈ ઝોલ હોવાનો ખ્યાલ હતો પણ ક્યાં હતો એની સમજ પડતી ન હતી. કાદરે કહ્યું કે તે ફરીથી લખીને પ્રયત્ન કરી જુએ? એમણે હા પાડી દીધી.

કાદરે નાટકની આખી સ્ક્રીપ્ટ લઈ જઈ ચાર-પાંચ કલાકમાં ફરીથી લખી નાખી અને એમને બતાવીને સંભળાવી. એ સાંભળીને એમણે કહ્યું કે આ મારું નાટક જ નથી. આખું નાટક બદલાઈ ગયું છે. એમણે એ નાટક ‘તાશ કે પત્તે’ ના લેખક તરીકેની ક્રેડિટ એને આપી. એ પછી પ્રબોધ જોશી એના ગુરુ બની ગયા હતા. એમને કોઈ વિચાર આવે ત્યારે કાદરને લખવા માટે કહેતા હતા. કાદર કોઈ વિચાર કરે તો એના પરથી એને લખવા કહેતા હતા. એટલું જ નહીં જરૂરિયાત ઊભી થાય ત્યારે કાદર એમના ગુજરાતી નાટકનું હિન્દી રૂપાંતર કરી આપતા હતા. એક વખત કાદરે હિન્દીમાં ‘તીન બંદર’ લખ્યું ત્યારે એમણે એનું ગુજરાતીમાં રૂપાંતર કરી બનાવ્યું. પ્રબોધ જોશીએ એક વખત પૂછ્યું કે તું શું વાંચે છે? અને કોનામાંથી પ્રેરણા મેળવે છે? કાદર કોઈ લેખકને વાંચતાં ન હતા એટલે એમણે મોટા લેખકોના નામ આપી વાંચવાની સલાહ આપી.

કોલેજમાં કાદરના નાટકો એટલા જાણીતા થયા કે બીજી જગ્યાએથી છોકરા- છોકરી એને જોવા આવતા હતા અને ઓટોગ્રાફ લઈ જતા હતા. એ ભણીને કોલેજમાં શિક્ષક બની ગયા હતા ત્યારે ઓલ ઈન્ડિયા નાટ્ય સ્પર્ધા જાગૃતિનું આયોજન થયું. એમાં કાદરે ઉમેદવારી ના નોંધાવી ત્યારે એના આયોજકો સામે ચાલીને આવ્યા અને પ્રવેશપત્ર ભરવા વિનંતી કરીને કહ્યું કે તમારું નામ સાંભળીને બીજી કોલેજ અને સંસ્થાવાળા પણ ભાગ લેવા આવશે. એમણે કહ્યું કે એવોર્ડ પણ મળશે.

કાદર એવોર્ડ માટે ઉત્સુક ન હતા. જ્યારે કહ્યું કે રૂ.1500 રોકડ ઈનામ છે ત્યારે શફી ઇનામદાર વગેરે મિત્રોએ પણ પ્રોત્સાહન આપ્યું અને ફી પણ ભરી દીધી એટલે તૈયાર થઈ ગયા. કેમકે શિક્ષક તરીકે રૂ.300 નો પગાર મળતો હતો. સ્પર્ધા માટે કાદરે ‘લોકલ ટ્રેન’ નામનું નાટક લખ્યું અને ભજવ્યું. એને શ્રેષ્ઠ નાટકનો જ નહીં બીજા બધા જ એવોર્ડ મળ્યા. એ નાટ્ય સ્પર્ધામાં જજ તરીકે ફિલ્મી દુનિયાની હસ્તીઓ હતી. એમાંથી નિર્દેશક નરેન્દ્ર બેદી આવ્યા અને ફિલ્મ લખવા કહ્યું. કાદરે પહેલાં તો ના પાડી દીધી પણ પછી એમના આગ્રહથી ફિલ્મ ‘જવાની દિવાની’ લખી. એ પછી ફિલ્મો મળતી ગઈ અને એ ફિલ્મોમાં લેખક સાથે અભિનેતા તરીકે જોડાતા ગયા હતા.

કોરાનાના 63 નવા કેસો, એક પણ મોત નહીં  

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 63 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,98,035 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,32,029 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,65,524 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 50 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 554 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 26,510 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.51 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,69,777 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 146 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

ગુલકંદ – ૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૩

ગુલકંદ – ૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૩

૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૩

૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૩

રાશિ ભવિષ્ય 16/09/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સારો અને સરળ છે, જુનાઅટકેલા કામને વેગ આપવા માટેકે સુધારવામાટેની તક મળી શકે છે ,યાત્રા દરમિયાન પણ તમારામાં ઉત્સાહ ઉમંગ જોવા મળી શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે નવી જાણકારી પ્રાપ્ત થઇ શકે છે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજે થોડીધીરજ અને સાવચેતી રાખવી રાખવી જરૂરી બને છે , અર્થવગરની વાર્તાલાપથી દુર રહેવું યોગ્ય છે  કામકાજ દરમ્યાન અન્ય સાથે ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું, વધુવિચારોને કારણે થાકની લાગણી અનુભવો. તમારું મન કામમાં પરોવાય તેની તકેદારી રાખવી, વેપારમા જોખમવાળા કામથી દુર રહેવુ.


આજે તમારું મન થોડી મસ્તીના મૂડ હોય અને ગમ્મત કરવાનું વધુ સુઝે. મનમા રહેલી કોઈવાત ક્યાંક પુરી થઈ શકે તેવા એંધાણ પણ જોવા મળી શકે છે મિત્રોનો સાથસહકાર સારો જોવા મળી શકે છે, નોકરી કે વ્યવસાયમાં ફેરબદલી અંગે પ્રયત્ન કરવાથી પણ લાભ થઈ શકે છે. કોઈક સારો અનુભવ પણ થાય.


આજે થોડી સાવચેતી રખાવી જરૂરી છે તમારામાં થોડા નકારાત્મકવિચારો વધુ આવે અને તેની પ્રતિકુળતા તમારા કામ અને વર્તન પર પણ પડી શકે છે, કોઈ અગત્યના કામકાજમાં ધીરજ અને સલાહસુચન ને ધ્યાનમાં રાખી આગળ વધવું જરૂરી છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું સારું.


આજનો દિવસ તમાર માટે સારી આશા દેખાડે અને ઉત્સાહ વધારે તેવો છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને કોઈ નવીનજાણકારી કે શીખવાની તક મળે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય તેવું બની શકે છે, આજે તમે કોઈના કામકાજમાં મદદગાર પણ બની શકો છે. ઉત્સાહદાયક દિવસ કહી શકાય.


આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામકાજમાં વ્યસ્ત રહો અને થોડા ઉત્સાહી પણ રહો, મિત્રોથી લાભ ની વાત સંભાળવાની તક મળે, તમારા વાણી અને વિચારોથી આજે તમે કોઈને પ્રભાવિત પણ કરી શકો છે, નજીકના પરિચિત જોડે કોઈ સામાજિકકે ધાર્મિક બાબતમાં સારું યોગદાન પણ આપોતે વું બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, રાબેતા મુજબ દિવસ પસાર થાય, કોઈ જગ્યાએ કોઈપણ કામકાજ અર્થે મુસાફરી થાય તેવા યોગ પણ છે, મિત્રો અને ભાઈ-બહેન સાથે તમારી વાર્તાલાપનો પ્રભાવ અને સારું માન જળવાય તેવા સંજોગો પણ બની શકે છે. તમને કોઈનું કામ કરવાનો સંતોષ પણ જોવા મળે.


આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે, કોઈને કોઈ વાતનો ઉદ્વેગ અને કોઈ વાતનો ડર તમને સતાવે. આજે તમેને કોઈની પણ વાત સાંભળવીના ગમે અને તમે થોડી શાંતિની અપેક્ષા રાખો, વધુ પડતા વિચારો અને લાગણીને કારણે કામ અને વર્તનપર અસર જોવા મળે, પ્રભુભક્તિમાં ધ્યાન રાખવું સારું.


આજનો દિવસ ઉત્સાહપૂર્વક પસાર થાય,તમારી લાગણી અને વિચારો લોકો સારી રીતે સમજી શકે, ક્યારેક કોઈએ તમારી લાગણી દુભાવી હોય તેવા લોકો તરફથી પણ આજે સહાનુભુતિવાળું વર્તન પણ જોવા મળી શકે છે. તમારા લાભની વાત ક્યાંક રજુ કરવાથી પણ તમને સારો પ્રતિભાવ જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, જુનાપરિચિત સાથે મિલનમુલાકાત થઈ શકે છે અને તેમાં તમને સારી વાત સંભાળવા મળી શકે છે. ખટપટી લોકોની વાતચીતમાં આવીના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેમજ ક્યાય ગેરસમજ જેવુંના થાય તેનું ધ્યાન પણ રાખવું યોગ્ય કહી શકાય. આજે ધીરજ રાખવી સારી.


આજના દિવસ દરમિયાન તમને અન્ય લોકો તરફથી સાથ અને સહકાર સારો જોવા મળી શકે છે. લોકો વચ્ચે તમારો આત્મવિશ્વાસ અને કામ પરનું પ્રભુત્વ સારું જોવા મળે. કોઈ અગત્યના કામ કરવાના હોયતો તેમાં પણ તમને સારી સૂઝ આજના દિવસે જોવા મળી શકે છે, વિવાહયોગ્ય વાર્તાલાપ કરવી સારી.


આજે દિવસભર શાંતિ અને તકેદારી રાખવી અગત્યની છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું, વાતચીત દરમ્યાન કોઈની વાતથી દોરવાઈને ખોટો નિર્ણયના લેવાય તેનું પણ ધ્યાન રાખવું, આજે તમને ધીરજનો અભાવ જણાય માટે કામકાજ સિવાય અન્ય વિચારકે ખોટા વાર્તાલાપના કરવા જરૂરી છે.

પંચાંગ 16/09/2023

આઇસી15 ઇન્ડેક્સ 351 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં બીજા દિવસે પણ વૃદ્ધિનું વાતાવરણ રહ્યું હતું. યુરોપિયન સેન્ટ્રલ બેન્કે વ્યાજદરમાં વધારાનું ચક્ર હવે પૂરું થયું હોવાનો સંકેત આપ્યો એને પગલે બજારમાં માનસ સુધર્યું છે. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.03 ટકા (351 પોઇન્ટ) વધીને 34,428 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 34,077 ખૂલીને 34,672ની ઉપલી અને 34,014 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના તમામ કોઇન સુધર્યા હતા, જેમાંથી ટ્રોન, એક્સઆરપી, સોલાના અને શિબા ઇનુ 1થી 4 ટકાની રેન્જમાં વધ્યા હતા.

દરમિયાન, ભારતીય રિઝર્વ બેન્કના એક અધિકારીએ જણાવ્યું છે કે રિટેલ સીબીડીસી (સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી)ની ચકાસણીમાં ડિજિટલ રૂપીના વ્યવહારોનું પ્રમાણ આશરે 15,000 થઈ ગયું છે. હવે એનું પ્રમાણ વધારીને 10 લાખ કરવાનું છે.

એક અહેવાલ મુજબ હોંગકોંગ ક્રીપ્ટોકરન્સી માટેની સજ્જતા ધરાવતાં રાષ્ટ્રોની યાદીમાં મોખરે રહ્યું છે. દેશમાં ક્રીપ્ટોને અનુકૂળ વાતાવરણ રચવામાં આવ્યું હોવાથી એનું સ્થાન ટકી રહ્યું છે.

બીજી બાજુ, જર્મનીની ડોઈશ બેન્કે ક્રીપ્ટો કસ્ટડી અને ટોકનાઇઝેશન સેવાઓ પૂરી પાડવા માટે સ્વિટઝરલેન્ડની ક્રીપ્ટોકરન્સી કંપની ટોરસ સાથે સહકાર સાધ્યો છે.

મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયા અન્ય બ્રાન્ડ્સના ગ્રાહકોને પણ EV ચાર્જિંગ નેટવર્કનો લાભ આપશે

મુંબઈઃ જર્મનીની લક્ઝરી કાર ઉત્પાદક મર્સિડીઝ-બેન્ઝની બેંગલુરુસ્થિત ભારતીય પેટાકંપની મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયાએ આજે જાહેરાત કરી છે કે તે અન્ય બ્રાન્ડ્સની મોટરકારોના ગ્રાહકોને પણ પોતાના ઈલેક્ટ્રિક વેહિકલ ચાર્જિંગ નેટવર્કનો લાભ આપશે. આમ કરવા પાછળ કંપનીનો હેતુ ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોના વપરાશમાં તેજી લાવવાનો હોય એવું લાગે છે.

(ફાઈલ તસવીર)

કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ સંતોષ ઐયરે કહ્યું છે કે એમની કંપની પાસે લક્ઝરી કારો માટે સૌથી મોટું ચાર્જિંગ નેટવર્ક છે. તેની પાસે જુદા જુદા સ્થળોએ 140 ચાર્જર્સ છે. એમાંના 40 ચાર્જર્સ 180 કિલોવોટ્સ અને 60 કિલોવોટ્સના છે. મતલબ કે ફાસ્ટ ચાર્જર્સ છે.

Mercedes-Benz India To મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયાએ આ સાથે ભારતમાં તેની આધુનિક ઢબની EQE 500 4MATIC ઈલેક્ટ્રિક SUV કાર પણ લોન્ચ કરી છે. તેની કિંમત રૂ. 1 કરોડ 39 લાખ (એક્સ-શોરૂમ) છે.

મહાદેવ ‘સટ્ટેબાજ’ એપ કૌભાંડઃ EDએ દરોડામાં રૂ. 417 કરોડ જપ્ત કર્યા

મુંબઈઃ ઓનલાઇન સટ્ટેબાજી પ્લેટફોર્મ મહાદેવ બુક એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકરનાં લગ્ન UAEમાં થયાં હતાં. ત્યાં એ લગ્ન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેનો વિડિયો ભારતીય એજન્સીઓને હાથ લાગ્યો છે. એ સમારોહમાં અનેક બોલીવૂડ ગાયકો અને અભિનેતાઓને પર્ફોર્મ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા અને હવાલા દ્વારા રૂ. 200 કરોડથી વધુની ચુકવણી કરવામાં આવી હતી.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ હાલમાં મુંબઈ, ભોપાલ, કોલકાતાના એ હવાલા ઓપરેટરોને ત્યાં દરોડા પાડ્યા હતા. આ દરોડામાં રૂ. 417 કરોડ જપ્ત કરવામાં આવ્યા છે. આ ઓનલાઇન બુક બેટિંગ એપ ગેરકાયદે સટ્ટેબાજ વેબસાઇટોને સક્ષમ કરવા માટે ઓનલાઇન પ્લેટફોર્મની વ્યવસ્થા કરવાવાળી મુખ્ય સિન્ડિકેટ છે. એના દ્વારા બેનામી બેન્ક એકાઉન્ટ્સમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે. સટ્ટાથી થતી આવતને વિદેશી ખાતાંઓમાં મોકલવા માટે મોટા પાયે હવાલા ઓપરેશન કરવામાં આવે છે.

જેમણે એ UAEની ઇવેન્ટ માટે રકમ મુંબઈની ઇવેન્ટ કંપનીઓને મોકલી હતી. EDને તપાસમાં માલૂમ પડ્યું હતું કે મહાદેવ બુક એપ અને સટ્ટાબાજીનો આ મામલો છત્તીસગઢના કેટલાક રાજકારણીઓ, તેમના સહયોગીઓ અને પોલીસ અધિકારીઓ સાથે જોડાયેલો છે. આ સટ્ટાબાજી એપનું ટર્નઓવર આશરે રૂ. 20,000 કરોડ છે.

UAEમાં આયોજિત એ લગ્ન સમારંભમાં પર્ફોર્મ કરનારી યાદીમાં વિશાલ દદલાણી, ટાઇગર શ્રોફ, ભારતી, સિંહ સની લિયોની, ભાગ્યશ્રી, કૃષ્ણા અભિષેક, નેહા કક્કડ, એલી એવરામ, પુલકિત, કીર્તિ ખરબંદા, અલી અસગર, નુસરત ભરૂચા અને રાહત ફેતહ અલી ખાન અને આતિફ અસલમનો સમાવેશ થાય છે.