Home Blog Page 252

ગોવિંદાએ પત્ની સુનિતાના આરોપ પર આપી પ્રતિક્રિયા

ગોવિંદાના પત્ની સુનિતા આહુજાએ અભિનેતાના અફેર વિશે એક મોટો ખુલાસો કર્યો છે. ગોવિંદાએ હવે આ આરોપો પર પોતાનું મૌન તોડ્યું છે. તેમણે તેમની સાથે કામ કરનારી અભિનેત્રીની માફી પણ માંગી છે. ગોવિંદાએ શું કહ્યું તે જાણો.

તાજેતરમાં, સુનિતા આહુજાએ એક પોડકાસ્ટમાં ગોવિંદા સાથેના તેના સંબંધો વિશે ખુલ્લેઆમ વાત કરી હતી. આ વાતચીતમાં તેણીએ ગોવિંદા પર તેની સાથે છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો હતો અને એક યુવાન અને નવી હિરોઇન સાથેના તેના સંબંધો પર કટાક્ષ કર્યો હતો. ગોવિંદા આ વાતથી ખૂબ જ નારાજ છે. ગોવિંદાએ તેની પત્ની સુનિતાના આરોપો વિશે ખુલ્લેઆમ વાત કરી છે.

ગોવિંદાએ સુનિતાના દાવાઓ વિશે શું કહ્યું?

ANI સાથેની તાજેતરની વાતચીતમાં ગોવિંદાએ કહ્યું, “મારા પર ક્યારે આ આરોપ નથી લાગ્યો? પરંતુ જે આરોપ લગાવી આવી રહ્યું છે તે મારો બાળપણનો પ્રેમ છે. હવે હું જે પ્રેમ અનુભવી રહ્યો છું, કેટલાક લોકોના મતે તે વૃદ્ધાવસ્થાનો છે.” ગોવિંદાએ વધુમાં ઉમેર્યું,”મેં ચાર સુપરસ્ટાર અને એક મિસ યુનિવર્સ હિરોઇન સાથે કામ કર્યું છે. મેં ક્યારેય તેમની તરફ જોયું નથી. મારી એક પણ હિરોઇન એવું ન કહી શકે કે મેં તેને હેરાન કરી છે. હું બધી અભિનેત્રીઓનો આભાર માનું છું. મારી ફિલ્મોની સફળતા માટે હું મારા દિગ્દર્શકો અને હિરોઇનોનો આભારી છું.”

ગોવિંદાએ કોની પાસે માફી માંગી?

ANI સાથેની વાતચીતમાં ગોવિંદાએ આગળ કહ્યું, “મેં ક્યારેય કોઈ હિરોઈન સાથે ખરાબ વર્તન કર્યું નથી. હવે તે (સુનિતા) નામ લઈ રહી છે. તેથી હું મારી સાથે કામ કરી રહેલા નવા કલાકારોની માફી માંગુ છું. હું નથી ઇચ્છતો કે તેઓ ડરે.” આ રીતે ગોવિંદાએ તેમની પત્ની સુનિતાના દાવાને આંશિક રીતે નકારી કાઢ્યો કે નવી હિરોઈનો આગળ વધવા માટે ગોવિંદા સાથે કામ કરે છે.

ગોવિંદા કારકિર્દીના મોરચે શું કરી રહ્યા છે?

ગોવિંદા કેટલાક મોટા પ્રોજેક્ટ્સમાં જોવા મળશે. એવા અહેવાલો છે કે તે સલમાન ખાનની ફિલ્મ “બેટલ ઓફ ગલવાન” માં દેખાઈ શકે છે. જોકે, નિર્માતાઓએ આ અંગે કોઈ માહિતી શેર કરી નથી. હા, સલમાન ખાને “બિગ બોસ 19” ના સ્ટેજ પર ઉલ્લેખ કર્યો હતો કે તે ગોવિંદા સાથે એક ફિલ્મ પર કામ કરી રહ્યો છે. એવું પણ જાણવા મળ્યું છે કે સુનિતા આહુજા બોલીવુડમાં ડેબ્યૂ કરશે.

કર્ણાટકમાં થશે ખેલો?: શિવકુમારને CM બનાવવા 80થી 90 વિધાનસભ્યોનું દબાણ

બેંગલુરુઃ કર્ણાટકમાં મુખ્ય મંત્રીની ખુરશી અંગે નિવેદનો અને રાજકીય ચર્ચા ફરી તેજ બની છે. કોંગ્રેસના ધારાસભ્ય ઇકબાલ હુસૈને જણાવ્યું હતું કે પાર્ટીના ઓછામાં ઓછા 80 ધારાસભ્યોએ ઉપ મુખ્ય મંત્રી ડી.કે. શિવકુમારને મુખ્ય મંત્રી બનાવવાની ભલામણ હાઈ કમાન્ડ સમક્ષ કરી છે. આ દરમિયાન કર્ણાટકના ડેપ્યુટી CM ડી.કે. શિવકુમાર બે દિવસની નવી દિલ્હી મુલાકાત માટે રવાના થયા છે, જ્યાં તેઓ પાર્ટીના ટોચના નેતાઓ સાથે મુલાકાત કરશે.

ડી.કે. શિવકુમાર ખુલ્લેઆમ કંઈ બોલતા નથી

તેમની આ મુલાકાત પછી રાજ્યમાં CMપદમાં ફેરફારની અટકળોને વધુ વેગ મળ્યો છે. જોકે ડી.કે. શિવકુમાર આ પ્રવાસ વિશે ખુલ્લેઆમ કંઈ બોલતા નથી. નવી દિલ્હી જવા પહેલાં તેમણે માત્ર એટલું જ કહ્યું કે તેઓ ડેપ્યુટી CM હોવા ઉપરાંત રાજ્ય કોંગ્રેસપ્રમુખ પણ છે અને એ હિસાબે હાઈ કમાન્ડ સાથે મુલાકાત થતી જ રહે છે.

ડી.કે. શિવકુમારને તક આપવી જોઈએ — હુસૈન

ડી.કે. શિવકુમારને CM બનાવવાના પ્રશ્ન પર કોંગ્રેસ ધારાસભ્ય હુસૈને કહ્યું હતું કે અમે આ મુદ્દો હાઈ કમાન્ડ પર છોડ્યો છે. 80–90 ધારાસભ્યોએ ડી.કે. શિવકુમારને મુખ્ય મંત્રી બનાવવાની વિનંતી કરી છે. અમે એક શિસ્તબદ્ધ પાર્ટી છીએ અને શાલિનતા જાળવવી જોઈએ.

રાજકારણમાં શિસ્ત જરૂરી

તેમણે આગળ કહ્યું હતું કે અમને પસંદ નથી કે યતીન્દ્ર સિદ્ધારમૈયા વારંવાર પોતાના પિતાના સમર્થનમાં બોલીને હાઈ કમાન્ડને અસ્વસ્થ બનાવે છે. દરેક પિતા પોતાના દીકરાને પ્રેમ કરે છે અને દીકરો પિતાને, પરંતુ રાજકારણમાં શિસ્ત જરૂરી છે. આવાં નિવેદનોથી બીજાને ઉશ્કેરવા ન જોઈએ.

આ કાર્યકાળમાં જ તક આપવી જોઈએ

ઇકબાલ હુસૈને કહ્યું હતું કે અમારી સૌની ઈચ્છા છે કે ડી.કે. શિવકુમારને તક મળે. બધા એવું જ ઇચ્છે છે, પરંતુ નિવેદનબાજીથી ગેરસમજ ન ફેલાય તેથી બધા શાંત છે અને અંદરખાને ચર્ચા ચાલી રહી છે. હું ખુલ્લેઆમ કહું છું કે આ કાર્યકાળમાં જ તેમને CM બનાવવામાં આવે.

CM પદને લઈને ખેંચતાણ નવેમ્બર, 2025થી

કર્ણાટક કોંગ્રેસમાં નેતૃત્વ અંગે ખેંચતાણ નવેમ્બર, 2025થી શરૂ થઈ હતી, જ્યારે સરકારે પોતાના પાંચ વર્ષના કાર્યકાળનો અડધો સમય પૂર્ણ કર્યો. મુખ્ય મંત્રી સિદ્ધારમૈયા, ઉપ મુખ્ય મંત્રી ડી.કે. શિવકુમાર અને ગૃહમંત્રી જી. પરમેશ્વર — ત્રણેય ટોચના પદ માટે દાવેદાર માનવામાં આવે છે.

કોંગ્રેસે ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી

નવી દિલ્હીઃ કોંગ્રેસ પાર્ટીએ અન્ય વિરોધ પક્ષો સાથે મળીને લોકસભાના મહાસચિવ ઉત્પલ કુમારને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી છે. આ પ્રસ્તાવ પર તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના કોઈ નેતાના હસ્તાક્ષર નથી. કોંગ્રેસે લોકસભા અધ્યક્ષ વિરુદ્ધનો આ નોટિસ નિયમ 94(c) હેઠળ દાખલ કર્યો છે. લોકસભા સચિવાલયનાં સૂત્રોના જણાવ્યા મુજબ લોકસભા અધ્યક્ષે સચિવ જનરલને નોટિસની તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી છે.

કોંગ્રેસ દ્વારા રજૂ કરાયેલા અવિશ્વાસ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે ભારતના બંધારણના આર્ટિકલ 94(c) હેઠળ ઓમ બિરલાને લોકસભા અધ્યક્ષપદ પરથી દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી છે, કારણ કે તેઓ લોકસભાની કાર્યવાહી એકતરફી રીતે ચલાવી રહ્યા છે. અનેક પ્રસંગોએ વિરોધ પક્ષના નેતાઓને બોલવાની મંજૂરી આપવામાં આવી નથી, જે તેમનો લોકશાહી હક છે, એમ સૂત્રોએ જણાવ્યા હતું.કોંગ્રેસે જણાવ્યું હતું કે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા વિરુદ્ધના અવિશ્વાસ પ્રસ્તાવને 118 સાંસદોએ સમર્થન આપ્યું છે. કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું કે આજે બપોરે 1:14 વાગ્યે નિયમ 94(c) હેઠળ અધ્યક્ષ વિરુદ્ધ નોટિસ રજૂ કરવામાં આવી. તે પહેલાં લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી મંગળવારે સવારે 11 વાગ્યે ફરી શરૂ થઈ હતી. મંગળવારે વિરોધ પક્ષોએ લોકસભા અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ મૂક્યો, જેને કારણે સંસદીય કાર્યવાહી ચલાવવાને મુદ્દે સરકાર સાથેનો તણાવ વધુ વધી ગયો છે. સંસદનાં બંને ગૃહોમાં કેન્દ્રીય બજેટ 2026-27 પર ચર્ચા થવાની છે.

ચર્ચા દરમિયાન વિરોધ પક્ષોએ કેટલીક મુખ્ય માગ મૂકી — જેમ કે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને બોલવાની મંજૂરી આપવી, સસ્પેન્ડ કરાયેલા સાંસદોને પુનઃસ્થાપિત કરવું અને મહિલા સાંસદો વિશે કરવામાં આવેલી ટિપ્પણીઓ પાછી ખેંચવી.  4 ફેબ્રુઆરી 2026એ લોકસભામાં થયેલા હંગામા બાદ ભાજપની મહિલા સાંસદોએ અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખીને વિરોધ પક્ષના સાંસદો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. પત્રમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે વિરોધ પક્ષના સભ્યો વેલમાં ઘૂસી ગયા, અધ્યક્ષની મેજ પર ચડી ગયા અને સંસદીય કાર્યવાહી ખોરવી હતી.

પરંપરાગત ભવનાથના મેળાનો બુધવારથી વિધિવત પ્રારંભ

જૂનાગઢ: પવિત્ર ભવનાથ ગિરનારની તળેટીમાં પરંપરાગત રીતે વિશ્વ પ્રસિદ્ધ ‘મહાશિવરાત્રી મેળો’ યોજાવાનો છે. આ વર્ષે ભવનાથ મંદિર પર ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મેળાનો ૧૧ ફેબ્રુઆરીથી વિધિવત પ્રારંભ થશે. પાંચ દિવસ યોજાતા આ અલૌકિક મેળાની ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા વિવિધ સુવિધાઓ સાથે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.જૂનાગઢના સુપ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળામાં આ વર્ષે પ્રથમવાર ભવ્ય ‘ડમરુ યાત્રા’નું આયોજન કરાયું છે. જેમાં, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહેવાના છે. ઇતિહાસમાં પ્રથમવાર સર્વ સમાજની દીકરીઓ કળશ ધારણ કરી સંતોનું સ્વાગત કરશે. આ ભવ્ય ડમરુ યાત્રા મેળાના પ્રથમ દિવસે, એટલે કે ૧૧મી ફેબ્રુઆરીના રોજ સાંજે ૭:૦૦ કલાકે ભવનાથ પ્રવેશ દ્વારથી શરૂ થઈ ભવનાથ મંદિર સુધીના અંદાજિત ૪૦૦ મીટરના માર્ગ પર ભક્તિમય માહોલમાં નીકળશે. યાત્રાના સમાપન બાદ ભવનાથ મંદિર ખાતે ભવ્ય મહાઆરતીનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સાંસ્કૃતિક કાર્યક્રમો, લાઈટ એન્ડ સાઉન્ડ શો અને સુરક્ષા માટે બેરીકેટીંગની વ્યવસ્થા કરવામાં આવી છે. મહાશિવરાત્રીની રાત્રે યોજાનારી સાધુ-સંતોની શાહી રવેડી અને મૃગીકુંડમાં શાહી સ્નાન મેળાનું મુખ્ય આકર્ષણ રહેશે.ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રિકોના રોકાણ માટે ૮૦૦-૮૫૦ ભાવિકોની ક્ષમતા ધરાવતો વિશાળ જર્મન ડોમ તૈયાર કર્યો છે. ૨,૦૦૦ ચો.મી.માં ફેલાયેલા આ ડોમમાં ૭૦૦ પલંગ અને ૧૫૦ ફ્લોર બેડિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે તેમને ૨૪*૭ હાઉસકીપિંગ, મેડિકલ સહાય, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ્સ અને સામાન રાખવા માટે અલગ લગેજ રેક જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.

મેળામાં આવતા નાગરિકોના વાહનોના વ્યવસ્થાપન માટે ઉ૫રકોટ, પાંજરાપોળ, વાઘેશ્વરી મંદિર, જેવા ૨૫ અલગ-અલગ સ્થળોએ વિશાળ પાર્કિંગ પ્લોટ્સ બનાવવામાં આવ્યા છે. નાગરિકોના વાહનોની સુરક્ષા માટે દરેક પાર્કિંગમાં સીસીટીવી કેમેરા, પીવાનું પાણી અને શૌચાલયની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.સમગ્ર ભવનાથ મેળા વિસ્તારને ‘ભગવાન ભોલેનાથ’ની થીમ પર શણગાર કરવામાં આવશે. ભવનાથ મંદિરનું ફૂલોથી સુશોભન અને સમગ્ર રવેડી રૂટ પર આકર્ષક રોશની કરવામાં આવશે. ભવનાથ મંદિર, અખાડાઓ, દામોદર કુંડ અને ૬ મુખ્ય પ્રવેશદ્વારોને આકર્ષક રોશનીથી ઝળહળતા કરવામાં આવશે. મેળાના રસ્તામાં ૦૬ – સેલ્ફી પોઇન્ટ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ઉપરાંત સમગ્ર મેળા વિસ્તારમાં ભગવાન શંકરના કલાત્મક ચિત્રો પણ કંડારવામાં આવ્યા છે. ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર સુધીના રસ્તા ઉપર સુશોભન અને લાઇટિંગ પણ કરવામાં આવી છે.

‘અતિથિ દેવો ભવ:’ની ભાવના સાથે રાજ્ય સરકાર મહાશિવરાત્રી મેળાને ભક્તિ, શક્તિ અને સુવિધાનો ત્રિવેણી સંગમ બનાવી શ્રદ્ધાળુઓને આવકારવા સંપૂર્ણ સજ્જ છે.

નરવણે ખોટું બોલી રહ્યા અથવા પેંગ્વિનઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે કહ્યું હતું કે ભૂતપૂર્વ સેનાપ્રમુખ જનરલ એમ. એમ. નરવણેએ લખેલું પુસ્તક અંગે એક પ્રકાશક કહી રહ્યો છે કે પુસ્તક હજુ પ્રકાશિત થયું નથી, પરંતુ ખુદ નરવણેએ 2023માં ટ્વીટ કરીને પુસ્તક ખરીદવા માટે લિંક શેર કરી હતી. સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કહ્યું કે તેમને જનરલ નરવણે પર વિશ્વાસ છે અને તેમની પુસ્તકમાં એવી કેટલીક વાતો છે, જે સરકાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે અસુવિધાજનક હોઈ શકે છે.

રાહુલ ગાંધીએ નરવણેનો જૂનો ટ્વીટ બતાવ્યો

ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ નરવણે (નિવૃત્ત)ના અપ્રકાશિત પુસ્તકની કથિત સર્ક્યુલેશનની તપાસ માટે દાખલ થયેલી FIR મુદ્દે રાહુલ ગાંધીએ મિડિયાને નરવણેનો એક જૂનો ટ્વીટ બતાવ્યો. તેમાં નરવણેએ લખ્યું હતું કે મિત્રો, મારું પુસ્તક હવે ઉપલબ્ધ છે. આ લિંક ફોલો કરો. હકીકતમાં, જનરલ મનોજ નરવણેએ 15 ડિસેમ્બર, 2023એ ટ્વીટ કર્યું હતું. તેમણે પેંગ્વિનનો ટ્વીટ પણ શેર કર્યો હતો, જેમાં પુસ્તકને પ્રી-ઓર્ડર કરી શકાય તેવી માહિતી આપવામાં આવી હતી.

રાહુલ ગાંધી બોલ્યા, મને જનરલ નરવણે પર વિશ્વાસ છે

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મને પેંગ્વિન કરતાં નરવણે પર વધારે વિશ્વાસ છે. તમને કોના પર વિશ્વાસ છે? મને લાગે છે કે નરવણેના પુસ્તકમાં એવી કેટલીક બાબતો છે જે ભારત સરકાર અને વડા પ્રધાન માટે અસુવિધાજનક હોઈ શકે છે. એટલે નક્કી કરવું પડશે કે સાચું કોણ બોલે છે — પેંગ્વિન કે ભૂતપૂર્વ આર્મી ચીફ.

પેંગ્વિન ઇન્ડિયાની સ્પષ્ટતા

પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયાએ નિવેદન જારી કરીને જણાવ્યું કે ભૂતપૂર્વ સેનાપ્રમુખ જનરલ એમ. એમ. નરવણેના પુસ્તકના પ્રકાશનના અધિકાર તેમની પાસે છે. પ્રકાશકે કહ્યું હતું કે પુસ્તક હજી પ્રકાશિત થયું નથી અને તેની કોઈ પણ પ્રિન્ટ અથવા ડિજિટલ નકલ પ્રકાશિત, વહેંચાયેલી કે વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી નથી.

દિલ્હી પોલીસ કરી રહી છે તપાસ

દિલ્હી પોલીસે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ અને ન્યૂઝ ફોરમ પર મળેલી માહિતીની નોંધ લીધી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ‘ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની’ પુસ્તકની પ્રી-પ્રિન્ટ નકલ શેર કરવામાં આવી રહી છે. સ્પેશિયલ સેલે “હજુ મંજૂરી ન મળેલા પ્રકાશનના કથિત લીક/ભંગ મામલે કેસ દાખલ કર્યો છે. પોલીસે પ્રી-પ્રિન્ટ નકલ મળવાના દાવાઓની તપાસ શરૂ કરી છે.

રોહિત શેટ્ટી ગોળીબાર કેસમાં ખુલાસો, આરોપીનું બિશ્નોઈ ગેંગ સાથે કનેક્શન

રોહિત શેટ્ટીના ઘરે ગોળીબારની ઘટનામાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે હવે એક મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. આરોપી અને હથિયાર સપ્લાયર બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલો હોવાની માહિતી આપી છે.

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે હવે પ્રખ્યાત બોલિવૂડ નિર્માતા-દિગ્દર્શક રોહિત શેટ્ટીના ઘરે ગોળીબારની ઘટના અંગે મહત્વપૂર્ણ ખુલાસાઓ કર્યા છે. ક્રાઈમ બ્રાન્ચે સ્પષ્ટતા કરી છે કે શૂટર્સનો હેતુ રોહિત શેટ્ટી પર જ હુમલો કરવાનો હતો. વધુમાં, ક્રાઈમ બ્રાન્ચે આરોપી હથિયાર સપ્લાયર અને બિશ્નોઈ ગેંગ વચ્ચેના જોડાણ અંગે સ્પષ્ટતા કરી છે. રોહિત શેટ્ટીના ઘરે ગોળીબારમાં વપરાયેલા હથિયારો સપ્લાયરે કેવી રીતે પહોંચાડ્યા તે પણ ખુલાસો થયો છે.

તપાસમાં આ વાત બહાર આવી

આ કેસની તપાસ કરતા મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ખુલાસો કર્યો કે રોહિત શેટ્ટીના ઘરે ગોળીબારની ઘટનામાં આરોપી આસારામ ફાસલે છેલ્લા ચાર વર્ષથી બિશ્નોઈ ગેંગ માટે ગેરેજ મિકેનિક તરીકે કામ કરતો હતો. તે બાબા સિદ્દીકી હત્યા કેસ અને રોહિત શેટ્ટી ગોળીબારના કથિત માસ્ટરમાઇન્ડ શુભમ લોંકરના પ્રભાવ હેઠળ ગેંગમાં જોડાયો હતો. ક્રાઈમ બ્રાન્ચનો દાવો છે કે શુભમ લોંકરના નિર્દેશ પર આસારામ ફાસલેએ સ્વપ્નિલ સકટને હથિયારો પૂરા પાડ્યા હતા, જેનો ઉપયોગ પાછળથી રોહિત શેટ્ટીના ઘરે ગોળીબારમાં અજાણ્યા શૂટર દ્વારા કરવામાં આવ્યો હતો.

પોલીસ તપાસ કરી રહી છે કે હથિયારો ક્યાંથી મેળવવામાં આવ્યા હતા

5 ફેબ્રુઆરીના રોજ પોલીસે આ કેસના આરોપી આસારામ ફસાલેની ધરપકડ કરી હતી. અગાઉ ધરપકડ કરાયેલા ચાર આરોપીઓમાંથી આસારામ ફસાલે સ્વપ્નિલ સકટ સાથે સીધા જોડાયેલા હતા, જે શુભમ લોંકર દ્વારા ગોઠવવામાં આવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચને એ પણ જાણવા મળ્યું છે કે આસારામના કેટલાક નજીકના સાથીઓ ગેંગ સાથે તેની સંડોવણીથી વાકેફ હતા. જોકે, પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ વ્યક્તિઓ કોણ છે અને શું તેમનો લોરેન્સ ગેંગ સાથે કોઈ સીધો સંબંધ છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આસારામે આ ગુના માટે હથિયારો ક્યાંથી મેળવ્યા હતા અને તેના બદલામાં તેમને કેટલા પૈસા મળ્યા હતા.

31 જાન્યુઆરીની રાત્રે મુંબઈના જુહુ વિસ્તારમાં સ્થિત ફિલ્મ નિર્દેશક રોહિત શેટ્ટીના ઘરની બહાર ગોળીબારની ઘટના બની હતી.

કેવી રીતે U-ટર્ન લઈને ભારત સામે મેચ રમવા સંમતિ આપી પાકિસ્તાને

નવી દિલ્હીઃ પાકિસ્તાને 15 ફેબ્રુઆરીએ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારત સામે થનારી T20 વર્લ્ડ કપ 2026ની મેચનો બહિષ્કાર કરવાનો પોતાનો નિર્ણય સંપૂર્ણપણે પાછો ખેંચી લીધો છે. પાકિસ્તાન સરકારે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે તેઓ પોતાનો નિર્ણય બદલી રહ્યા છે અને બંને કટ્ટર પ્રતિસ્પર્ધી રવિવારે ક્રિકેટના મેદાનમાં આમનેસામને આવશે. આ ગ્રુપ સ્ટેજની સૌથી મોટી મેચ ગણાઈ રહી છે. આ નિર્ણય ICC, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) વચ્ચે લાહોરમાં થયેલી ચર્ચા પછી લેવામાં આવ્યો છે.

પાકિસ્તાને કેવી રીતે લીધો U-ટર્ન

પાકિસ્તાન સરકારે અંતે મોડી રાત્રે U-ટર્ન લઈને પોતાની ટીમને 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં ભારત સામે મેચ રમવા માટે સૂચના આપી. પાકિસ્તાન સરકારે પ્રેસ રિલીઝ જાહેર કરીને પોતાના નિર્ણય બદલવાનાં કારણો પણ જણાવ્યાં. સરકારે કહ્યું છે કે વૈશ્વિક ક્રિકેટના હિતમાં તેમ જ શ્રીલંકા અને બાંગ્લાદેશનાં હિતોને ધ્યાનમાં રાખીને ભારત સામે મેચ રમવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસિન નકવીએ PCB, ICCના પ્રતિનિધિઓ અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ વચ્ચે થયેલી ઉચ્ચ સ્તરીય બેઠકનાં પરિણામોની સત્તાવાર માહિતી આપી હતી.

એ જ સાંજે વડા પ્રધાને શ્રીલંકાના રાષ્ટ્રપતિ એચ.ઈ. અનુર કુમાર દિસાનાયકે સાથે ટેલિફોન પર વાતચીત કરી. બંને વચ્ચે ઉષ્માભરી અને મિત્રતાપૂર્વક ચર્ચા થઈ, જેમાં તેમણે યાદ કર્યું કે પાકિસ્તાન અને શ્રીલંકા મુશ્કેલ સમયમાં હંમેશાં સાથે ઊભા રહ્યા છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિએ વર્તમાન અટકેલી સ્થિતિને સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલવા માટે ગંભીરતાથી વિચારવા વિનંતી કરી.

બહુપક્ષીય ચર્ચામાં પ્રાપ્ત થયેલાં પરિણામો અને મિત્ર દેશોની વિનતિને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન સરકારે પોતાની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમને 15 ફેબ્રુઆરી 2026S ICC મેન્સ T20 વર્લ્ડ કપમાં નિર્ધારિત મેચ માટે મેદાનમાં ઊતરવા સૂચના આપી છે.

સીદી ભાઈને સદકાં વહાલાં

 

સીદી ભાઈને સદકાં વહાલાં

પોતાનું બાળક કોઈ પણ માને દુનિયાનું સુંદરમાં સુંદર બાળક દેખાય. સીદી અથવા શીદી ભારતીય ઉપમહાદ્વિપમાં વસતો એક માનવ સમુદાય છે, જેમનુ મુળ વતન આફ્રિકા છે. ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક તથા આંધ્રપ્રદેશ તેઓની વસ્તીનાં મુખ્ય કેન્દ્ર છે.

ગુજરાતમાં મુખ્યત્વે જુનાગઢ જિલ્લાનાં તાલાલા વિસ્તારમાં તેઓની ઘણી વસતી છે. ‘હબસી’ તરીકે પણ ઓળખાતા સીદીઓ રંગેરૂપે બહુ કદરૂપા દેખાય છે.

આ બહારી દેખાવ આપણા માટે છે પણ જ્યાં પ્રેમ હોય, સાચા હ્રદયની લાગણી હોય ત્યાં આ કદરૂપા હોવું એ ગૌણ બની જાય છે. ગાંડાઘેલાં હોય તોપણ પોતાનાં બાળકો માવતરને વહાલાં હોય છે, પ્રેમ અને વાત્સલ્યને લીધે દરેક માતપિતાને પોતાનાં સંતાન રૂપાળાં લાગે છે.

સીદીને મન પણ પોતાનું બાળક સૌથી રૂપાળું હોય છે. આમ પોતાનું ખરાબ હોય તે પણ પોતાને ગમતું હોય ત્યારે આ કહેવત વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

૨૦૪૭માં સાંસ્કૃતિક અખંડ ભારતનો સંકલ્પ કરીએ – ડૉ. મોહન ભાગવત

મુંબઈ:ભારત પર ૮૦૦ કરતાં પણ વધારે વર્ષોનાં પરકીય શાસન છતાં ભારતનું અસ્તિત્વ ટકી રહ્યું છે. હવે ૨૦૪૭માં સાંસ્કૃતિક અખંડ ભારત સાકાર કરવાનો સંકલ્પ કરવો જોઈએ. આ મુજબનો પડકાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે શ્રોતાઓ સમક્ષ મૂક્યો હતો. સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે આયોજિત ‘સંઘ યાત્રાના ૧૦૦ વર્ષો : નવી ક્ષિતિજ’ નામના બે દિવસીય કાર્યક્રમમાં તેમણે મુંબઈના ૯૦૦થી વધુ મહાનુભાવો સાથે સંવાદ સાધ્યો. નહેરુ સેન્ટર, વર્લી ખાતે કાર્યક્રમના બીજા દિવસે યોજાયેલા પ્રશ્નોત્તરી સત્રમાં ડૉ. મોહનજી ભાગવતે રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, સામાજિક તથા સાંસ્કૃતિક વિષયો પર પૂછાયેલા વિવિધ પ્રશ્નોના જવાબ આપ્યા. આ પ્રસંગે મંચ પર પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક ડૉ. જયંતીભાઈ ભાડેસિયા, કોકણ પ્રાંત સંઘચાલક અર્જુન ચાંદેકર અને મુંબઈ મહાનગર સંઘચાલક સુરેશ ભગેરિયા ઉપસ્થિત હતા.ઉપસ્થિતોએ પૂછેલા કુલ ૧૪૩ પ્રશ્નોને ૧૪ શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવ્યા હતા. સંઘની નીતિ, હિંદુત્વ, રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય, શિક્ષણ, અર્થતંત્ર, રાજકારણ, વિદેશ નીતિ, રાષ્ટ્રીય સુરક્ષા, સંસ્કૃતિ, કલા, ક્રીડા, ભાષા, જીવનશૈલી, પર્યાવરણ વગેરે વિષયોના પ્રશ્નો પર સરસંઘચાલકે સચોટ ઉત્તરો આપ્યા.બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચાર અંગે બોલતાં સરસંઘચાલકે ત્યાંના સવા કરોડ હિંદુઓને સંગઠિત થવા આહ્વાન કર્યું. એવું બનશે તો અત્યાચાર આપમેળે અટકશે, એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો.બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર નહીં પરંતુ હિંદુ જ સંઘનો સરસંઘચાલક બને છે, એમ સ્પષ્ટ કરતાં તેમણે કહ્યું કે સરસંઘચાલક બનવા માટે જાતિ એ કોઈ માપદંડ નથી. જે કામ કરે એ કોઈ પણ સ્વયંસેવક પોતાની ક્ષમતાના આધારે સરસંઘચાલક બની શકે. ભવિષ્યમાં અનુસૂચિત જાતિ કે જનજાતિના કાર્યકર્તા પણ સરસંઘચાલક બની શકે છે, એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો.સમાજમાં પ્રચલિત ઊંચ-નીચ નાં ભેદભાવના કારણે જેમની સાથે પેઢી દર પેઢી અન્યાય કે અત્યાચાર થયો છે તેઓનો સર્વાંગી વિકાસ ન થાય ત્યાં સુધી સંવિધાન પ્રદત્ત આરક્ષણ ચાલુ રહેવું જોઈએ — એવી સંઘની સ્પષ્ટ ભૂમિકા તેમણે સ્પષ્ટ કરી.સંઘના સ્વયંસેવકોએ ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનો અને પ્રયાસોમાં ભાગ લેવો જોઈએ, પરંતુ માત્ર કાયદા બનાવી ભ્રષ્ટાચાર નાબૂદ થતો નથી; તેના માટે સંસ્કારયુક્ત સમાજનું મન ઘડવું પણ એટલું જ જરૂરી છે. કોઈ પણ વ્યવસ્થા મૂળભૂત રીતે ભ્રષ્ટ નથી; તેમાં કામ કરનાર વ્યક્તિનું મન ભ્રષ્ટ બને ત્યારે જ વ્યવસ્થા ભ્રષ્ટ બને છે — એ બાબત તરફ પણ તેમણે ધ્યાન દોર્યું.બળજબરી કે લાલચ આપી થતું ધર્માંતરણ નિંદનીય છે અને તેનો જવાબ ‘ઘરવાપસી’ હશે, એમ સ્પષ્ટ કરતાં તેમણે કહ્યું કે જો કોઈ વ્યક્તિ સ્વેચ્છાએ કે સ્વપ્રેરણાથી ધર્માંતરણ કરે તો તેનો વિરોધ નથી. વસ્તીનું પ્રમાણ ફક્ત જન્મદર ઘટાડાથી નહીં, પરંતુ ધર્માંતરણ અને ગેરકાયદેસર ઘુસણખોરીથી પણ બદલાય છે અને ગેરકાયદેસર ઘુસણખોરી બાબતે ‘ડિટેક્ટ એન્ડ ડિપોર્ટ ’ની નીતિ કડક રીતે અમલમાં લાવવાની જરૂર છે. વિદેશી ગેરકાયદે ઘુસણખોરોને રોજગાર આપવાને બદલે આપણા દેશના હિંદુ કે મુસ્લિમોને કેમ ન આપવો? એવો પ્રશ્ન પણ તેમણે ઉઠાવ્યો.હિંદુ અને શીખ અગાઉથી એક જ હતા અને આજે પણ રોટી-બેટીનો વ્યવહાર છે અને લોહીના સંબંધો છે. પૂજાપદ્ધતિ અલગ હોઈ શકે, તેમની વિશેષતાને માન્યતા આપવી જોઈએ, પરંતુ તેઓ અલગ નથી. આપણે બધા એક જ પરંપરામાંથી આવ્યા છીએ. ગુરુ ગ્રંથ સાહેબમાં ફક્ત શીખ ગુરુઓની નહીં, પરંતુ સમગ્ર ભારતના સંતોની વાણી સંકલિત છે. શીખોનાં નવમ ગુરુ શ્રી ગુરૂ તેગ બહાદુર જી કે જેઓ ‘હિન્દની ચાદર’ તરીકે ઓળખાતા તેમણે પોતાનું બલિદાન કાશ્મીરી પંડિતોની રક્ષા માટે આપ્યું હતું એ ભૂલવું ન જોઈએ. સમાજ તરીકે આપણે બધા એક છીએ, એ યાદ રાખવું જોઈએ. હિંદુ નામે અલગ કોઈ ધર્મ નથી; આજે જેને હિંદુ ધર્મ કહે છે, તે જ પ્રાચીન સનાતન ધર્મ છે. તથાગત બુદ્ધે પોતાના પ્રવચનો દ્વારા સનાતન ધર્મમાં સમયસુસંગત સુધારા કર્યા અને આધુનિક કાળમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરે તેનો પુનરોચ્ચાર કર્યો, એમ તેમણે જણાવ્યું.આ કાર્યક્રમમાં ઉદ્યોગપતિઓ, ફિલ્મ જગતનાઅભિનેતાઓ, ડૉક્ટરો, વૈજ્ઞાનિકો, શિક્ષણવિદો, કાનૂની નિષ્ણાતો, ખેલાડીઓ, મીડિયા પ્રતિનિધિઓ, સામાજિક સંસ્થાઓના સભ્યો, ધર્મગુરુઓ, લેખકો, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ અને જાહેરાત ક્ષેત્રના વ્યાવસાયિકો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ માટે સંઘે વ્યાપક સંપર્ક કર્યો હતો જેના ફળસ્વરૂપે આ કાર્યક્રમમાં ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કા, સજ્જન જિંદલ, અજય પિરામલ, કુમાર મંગલમ બિરલા, અનન્યા બિરલા, એલ & ટી ના સીઇઓ એસ. સુબ્રમણ્યન, HDFC બેંકના સીઇઓ શશીધર જગદીશન, મોર્ગન સ્ટેનલીના રિધમ દેસાઇ, અભિનેતા અક્ષય કુમાર, વિકી કૌશલ, અનન્યા પાંડે, સંગીતકાર પ્રીતમ, હૃદયનાથ મંગેશકર, કરણ જોહર, રવિના ટંડન, શિલ્પા શેટ્ટી, સુબોધ ભાવે, મહેશ માંજરેકર, જેકી શ્રોફ, વિનીત કુમાર સિંઘ, રવિ દૂબે, રૂપાલી ગાંગુલી, અક્ષય વિધાની સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં.

સંસદ ચાલશે કે થશે હંગામો?: રાહુલ ગાંધીએ કહ્યું, એક સમજૂતી થઈ

નવી દિલ્હીઃ સંસદમાં ચર્ચા અને તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાય એવી શક્યતા છે. વિપક્ષી પક્ષો લોકસભાના સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે. સ્પીકર વિરુદ્ધ નોટિસ ક્યારે આપવી તે અંગે આજે નિર્ણય લેવામાં આવશે. ભાજપની મહિલા સાંસદોએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને વિનંતી કરી છે કે સસંદમાં અયોગ્ય અને શરમજનક વર્તન કરનાર વિપક્ષી સાંસદો સામે નિયમો મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે, કારણ કે આવાં કૃત્યો લોકતંત્રની સંસ્થાઓની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે.

લોકસભાની કાર્યવાહી સતત અવરોધિત થઈ રહી છે. રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ ચર્ચા અને વડા પ્રધાનના ભાષણ વગર જ હંગામા વચ્ચે ધ્વનિમતથી પસાર થયો. બજેટ પર ચર્ચા પણ હજી શરૂ થઈ શકી નથી. ચાલુ ગતિવિધિઓમાં અવરોધ વચ્ચે સ્પીકર ઓમ બિરલાએ પરિસ્થિતિ સુધારવા માટે તમામ પક્ષોના ફ્લોર લીડરોની બેઠક બોલાવી હતી. આ બેઠક પછી સંકેત મળ્યા છે કે 10 ફેબ્રુઆરીએ સદનની કાર્યવાહી સુચારુ રીતે ચાલી શકે છે.લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સંકેત આપ્યો કે સંસદ ચાલી શકે છે. તેમણે જણાવ્યું હતું કે 10 ફેબ્રુઆરીએ કાર્યવાહી સુચારુ રીતે ચાલે તે અંગે હાલ સહમતી બની છે. એક સમજૂતી થઈ છે અને અમને સંસદમાં જે બોલવું છે તે બોલવાની મંજૂરી મળશે.

રાહુલ ગાંધીએ જણાવ્યું કે સ્પીકર સાથેની બેઠકમાં અમે કેટલાક મહત્વના મુદ્દાઓ રજૂ કર્યા. પ્રથમ, મને બોલવાની મંજૂરી આપવામાં આવી નહોતી. બીજું, અમારા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ત્રીજું, ભાજપના એક સભ્યે સતત બોલવાનું ચાલુ રાખ્યું અને એક પુસ્તકમાંથી ઉલ્લેખ પણ કર્યો, છતાં તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ નહોતી.

વડા પ્રધાનમંત્રી સત્યનો સામનો કરી શકતા નથી: રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ સોમવારે દાવો કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંસદમાં આવવાથી ડરે છે, કારણ કે તેઓ તે સત્યનો સામનો કરી શકતા નથી, જેને તેઓ પૂર્વ સેનાપ્રમુખ એમ. એમ. નરવણેની પુસ્તકના એક અંશના ઉલ્લેખ દ્વારા રજૂ કરવા માગતા હતા. તેમણે એ પણ કહ્યું હતું કે વડા પ્રધાન પર કોઈ વિપક્ષી સભ્ય દ્વારા હુમલો કરવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. જો કોઈ આવી હરકત કરે તો તેની સામે FIR નોંધાવીને તરત જ ધરપકડ કરવી જોઈએ.