Home Blog Page 2520

બમ્બઈ મેરી જાન: ઍક્ટરો બન્યા વેબસિરીઝની જાન…

1970ના દાયકામાં અમેરિકામાં ફ્રાન્સિસ ફૉર્ડ કપોલાએ ‘ગૉડફાધર’ બનાવી, જે પરથી હિંદીમાં કૂંડીબંધ ફિલ્મો બની. આમાં ફિરોઝ ખાનની ‘ધર્માત્મા’ નોંધનીય છે. પછી 1980-1990ના દાયકામાં સિનેમાવાળાનો આ એક હાથવગો વિષય થઈ પડ્યોઃ મુંબઈની અંધારી આલમ. બે ડૉન વચ્ચે વૉર. રિયલ ગેંગસ્ટરની કથામાં મરી-મસાલા ભભરાવી, એને (એક ડૉનને) ઑલમોસ્ટ મહાન બનાવીને રજૂ કરવાનો. ગરીબોનો બેલી, પરિવારપ્રેમી, નિર્બલને જુલમથી બચાવનાર, વગેરે. અંતમાં એ શા માટે અંડરવર્લ્ડમાં ગયો એનું જસ્ટિફિકેશન આપી દેવાનું- “જજ સાહબ, કોઈ ભી આદમી માઁ કે પેટ સે ગુનહગાર નહીં નિકલતા, યે જુલમી સમાજ ઉસે ડૉન બનાતા હૈ”… ફિન્નિશ.

ગઈ કાલે (14 સપ્ટેમ્બરે) રેન્સિલ ડી’સિલ્વા અને શુજાત સૌદાગરે પ્રાઈમ વિડિયો પર ક્રાઈમ સિરીઝ ‘બમ્બઈ મેરી જાન’ના 10 એપિસોડ ઠાલવ્યા, જેમાં એક સંવાદ છે, જે બોલે છે દેશના મોસ્ટ વૉન્ટેડ ડૉનની બહેનઃ “ગુના બે પ્રકારના હોય છેઃ એક, ખુદા ઔર ઉસકે બંદે કે બીચ… બીજાઃ બંદે ઔર બંદે કે બીચ… ખુદા તો બંદાને માફ કરી દે છે, પણ બંદા કંઈ ખુદા નથી હોતા. એ માફ નથી કરતા”.

આ સિરીઝ ક્રાઈમ રિપોર્ટર હુસૈન ઝૈદીના પુસ્તક ‘ડોંગરી ટુ દુબઈ’ પર આધારિત છે. પુસ્તક પરથી પટકથા લખી છે રેન્સિલ ડી’સિલ્વા અને સમીર અરોરાએ, સંવાદ અબ્બાસ, હુસૈન દલાલના છે. ક્રિયેટર છેઃ રેન્સિલ ડી’સિલ્વા અને શુજાત સૌદાગર.

1960-1970ના એ દાયકા, જેમાં કાંડાંઘડિયાળ, ગોગલ્સ, પરફ્યુમ, ટેપ રેકોર્ડર, પૅન્ટ-સફારી સુટનું સ્ટ્રેચેબલ કાપડ, શર્ટ માટે બોસ્કી કપડું, વગેરે દાણચોરીથી આવતાં. સોનાનાં બિસ્કૂટ ભરેલી લાકડાંની પેટીઓ ભરેલી બોટ કાળી રાતે વરસોવાના કિનારે નાંગરતી. અને મુંબઈ પર હાજી મસ્તાન, કરીમ લાલા, વરદરાજન્ મુદલિયાર જેવાઓ રાજ કરતા. આ સમયકાળમાં ‘બમ્બઈ મેરી જાન’ આકાર લે છે.

સિરીઝના સર્જકો ઘણું કરીને મૂળ કૃતિ (પુસ્તક)ને વળગી રહ્યા છે, ડૉનને હીરો બનાવવાના પ્રયાસમાં ખાસ છૂટછાટ લીધી નથી. હા. દાઉદ ‘ધ દાઉદ’ બન્યો એમાં એની ભૂલ નહોતી એવું ઠસાવવાનો પ્રયાસ જરૂર કરવામાં આવ્યો છે. પાત્રોનાં નામ આમતેમ કર્યાં છે, પણ ક્લિયરલી ખબર પડી જાય છે કે કોની જિકર થઈ રહી છે. હાજી ઈકબાલ છે, અઝીમ પઠાન છે અને અન્ના મુદલિયાર છે. દાઉદ અહીં દારા કાદરી છે, બહેન હસીનાને નામ મળ્યું છે હબીબા. માન્યા સુર્વેને ગણ્યા સુર્વે નામ મળ્યું છે.

કથા માંડે છે રત્નાગીરીથી ટ્રાન્સફર થતાં મુંબઈ આવેલો ઈમાનદાર પોલીસ ઈન્સ્પેક્ટર ઈસ્માઈલ કાદરી (કેકે મેનન). ઈસ્માઈલ મિયાંના ત્રણ બેટા ક્રિમિનલ માનસિકતા ધરાવે છે, એક માથાભારે બેટી છે. સ્પૉટલાઈટ છે બેટા દારા કાદરી (અવિનાશ તિવારી) પર. સંજોગવશાત્ ઈસ્માઈલે અંધારી આલમમાં જવું પડે છે, પણ એ ઈચ્છે છે કે દીકરાઓ આમાં ન આવે, પરંતુ દારા જેનું નામ. એ પણ પોતાનો ચોકો રચીને ડૉન બની જાય છે.

યાદ હોય તો, દાઉદ ઈબ્રાહિમ એક પ્રામાણિક પોલીસ કૉન્સ્ટેબલનો બેટો હતો, જે દેશનો સૌથી મોટો ડૉન બન્યો. અબ્બાએ વારંવાર પ્રયાસ કર્યા એને અંધારી આલમથી બચાવવા, આમ છતાં એ માથાભારે ડૉન બનીને જ રહ્યો, દુબઈ શિફ્ટ થયો. તે પછી એણે કેવાં કેવાં કુકર્મ કર્યાં એની યાદી આપી સિરીઝની જેમ કોલમ લંબાવવાનો ઈરાદો નથી.

શું ગમ્યું? આ સિરીઝ કેકે મેનન, અવિનાશ તિવારીની છે. મસ્જિદ માટે ફાળો ઉઘરાવતા લુખ્ખામાંથી મુંબઈના સૌથી મોટા ડૉન બનવા સુધીનો એનો અભિનય વખાણવાલાયક છે. અને કેકે મેનન. કમ્માલ. આ ઉપરાંત અમાયરા દસ્તૂર, કૃતિકા કામરા, સૌરભ સચદેવ, નિવેદિતા ભટ્ટાચાર્ય જેવા કલાકારો ગમી ગયા. 1970ના દાયકાનું મુંબઈ સર્જવામાં, પ્રોડક્શન ડિઝાઈનિંગમાં લેવામાં આવેલી જહેમત પરદા પર દેખાય છે. દરેક એપિસોડમાં સર્જકો સસ્પેન્સ, ઍક્શન, ડ્રામાના ડોઝ થોડી થોડી વારે આપ્યા કરે છે, થોડી થોડી વારે કોઈ ને કોઈ ઘટના ઘટે એટલે પ્રેક્ષકનું ધ્યાન બીજે ફંટાય નહીં, કંટાળો નહીં આવે.

શું ન ગમ્યું? લંબાઈ. ઈય્યાર, પીએચ.ડી. થોડું કરવાનું છે કે આટલી લાંબી બનાવી કાઢી? અને વાયોલન્સ? ઓહોહોહો… ફૅમિલી સાથે દીવાનખંડના ફૅમિલી ટીવી પર આ સિરીઝ જોવાય નહીં એટલી મારકૂટહિંસા. બીજા રૂમમાં આખી રાત જાગીને આઈપૅડ પર જોવી પડી. ગુણાંક આપવા હોય તો પાંચમાંથી ત્રણ આપું.

કોરાનાના 60 નવા કેસો, એક પણ મોત નહીં   

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 60 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,98,035 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,32,029 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,65,465 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 50 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 541 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 26,098 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.50 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,69,631 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 161 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

અમેરિકામાં અફઘાન ક્રિકેટર રાશિદ ખાન મળ્યો રણબીર-આલિયાને

ન્યૂયોર્કઃ બોલીવુડ દંપતી આલિયા ભટ્ટ અને રણબીર કપૂર હાલ અમેરિકામાં વેકેશન માણવા ગયાં છે. ત્યાં એમની મુલાકાત થઈ હતી અફઘાનિસ્તાનના સ્ટાર ક્રિકેટર રાશિદ ખાન સાથે. રાશિદ હાલમાં જ એશિયા કપ સ્પર્ધામાં રમ્યો હતો અને તેની પસંદગી આવતા મહિનાથી ભારતમાં રમાનાર આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન ટીમમાં પણ કરવામાં આવી છે. રાશિદ આઈપીએલમાં પણ રમે છે. આલિયા-રણબીર સાથેની મુલાકાતની તસવીર રાશિદે પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. એ સાથેની કેપ્શનમાં એણે લખ્યું છે: બોલીવુડની સૌથી મોટી હસ્તીઓ સાથે… આપને મળીને બહુ જ આનંદ થયો રણબીર અને આલિયા.’

(તસવીર સૌજન્યઃ રાશિદ ખાન ઈન્સ્ટાગ્રામ)

આલિયા અને રણબીર હાલમાં જ યૂએસ ઓપન ટેનિસ સ્પર્ધામાં મહિલાઓની સિંગલ્સ ફાઈનલ જોવા માટે આર્થર એશ સ્ટેડિયમ ખાતે ગયાં હતાં. તે મેચમાં એમણે અમેરિકાની કોકો ગોફ અને બેલારુસની એરીના સબાલેન્કાનો ઉત્સાહ વધાર્યો હતો. આખરે 19 વર્ષીય કોકો ચેમ્પિયન બની હતી. આલિયાની નવી ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ હાલમાં જ રિલીઝ થઈ હતી. તે હવે ‘જી લે જરા’ ફિલ્મમાં જોવા મળશે. એમાં તેની સાથે કેટરીના કૈફ અને પ્રિયંકા ચોપરા-જોનસ પણ હશે. રણબીર કપૂરની નવી ફિલ્મ આવી રહી છે ‘એનિમલ’, જે આ વર્ષની 1 ડિસેમ્બરે રિલીઝ થશે. એમાં તેની સાથે બોબી દેઓલ અને રશ્મિકા મંદાના અને અનિલ કપૂર પણ મુખ્ય ભૂમિકાઓમાં છે.

શ્રીલંકા 11મી વાર પહોંચ્યું એશિયા કપની ફાઈનલમાં; રવિવારે ભારત સાથે મુકાબલો

કોલંબોઃ શ્રીલંકાએ ગઈ કાલે પોતાની જ ધરતી પર રમાઈ ગયેલી વર્ચ્યુઅલ સેમી ફાઈનલ મેચમાં સહ-યજમાન પાકિસ્તાનને બે-વિકેટથી હરાવીને એશિયા કપ-2023ની ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. રવિવારની ફાઈનલમાં તેનો મુકાબલો ભારત સાથે થશે. વરસાદના વિઘ્નને કારણે ટીમદીઠ 42 ઓવરની કરી દેવાયેલી મેચ જીતવા માટે 8-વિકેટ ખોઈ ચૂકેલા શ્રીલંકાને 253 રનનો ટાર્ગેટ મળ્યો હતો. મેચની આખરી ઓવરમાં જીત માટે શ્રીલંકાને 8 રનની જરૂર હતી. ત્યારબાદ આખરી બોલમાં જીત માટે એણે બે રન કરવાના હતા. જો એક રન થયો હોત તો મેટ ટાઈ થઈ હોત અને સુપર-ઓવરનો આશરો લેવો પડ્યો હોત. પણ ચરિથ અસલંકાએ નવોદિત ફાસ્ટ બોલર ઝમાન ખાને ફેંકેલા બોલમાં સુરક્ષિત સ્થાન તરફ ફટકો મારીને બે રન દોડી લેતાં શ્રીલંકા વિજયી થયું હતું. તે બોલ નખાય એ પહેલાં જ અસલંકાએ એના સાથી મથીશા પથિરાનાને કહ્યું હતું કે ‘પૂરું જોર લગાવીને દોડજે એટલે આપણે બે રન મેળવી લઈશું.’ ઝમાન ખાને યોર્કર ફેંકવાને બદલે સ્લો બોલ ફેંકતા અસલંકાનું કામ આસાન થયું હતું. પાંચમા ક્રમનો બેટર અસલંકા 47 બોલમાં 3 ચોગ્ગા, એક છગ્ગા સાથે 49 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. ‘પ્લેયર ઓફ ધ મેચ’નો એવોર્ડ શ્રીલંકાના વન-ડાઉન બેટર અને વિકેટકીપર કુસલ મેન્ડિસને આપવામાં આવ્યો હતો, જેણે 87 બોલનો સામનો કરીને 91 રન કર્યા હતા. પાકિસ્તાનના દાવમાં મેન્ડિસે કેપ્ટન બાબર આઝમને સ્ટમ્પ આઉટ કર્યો હતો અને શાદાબ ખાનનો કેચ પકડ્યો હતો.

શ્રીલંકા આ 11મી વાર એશિયા કપની ફાઈનલમાં પહોંચ્યું છે. એશિયા કપમાં મેચના આખરી બોલમાં કોઈ ટીમે જીત મેળવી હોવાનું આ બીજી વાર બન્યું છે. 2018ની ફાઈનલમાં (દુબઈ) ભારતે બાંગ્લાદેશને 3-વિકેટથી પરાજય આપ્યો હતો.

શ્રાવણી અમાસ નિમિત્તે પીંડારામાં દેશી મલ કુસ્તી મેળાનું આયોજન

સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જિલ્લાના પીંડારા ગામનો દેશી મલ્લ કુસ્તીનો મેળો શારીરિક સ્વસ્થતા, શોર્યતા અને ખેલદિલીનો પ્રતીક બન્યો છે. દ્વારકા નજીકનું પીંડારા ગામ મહાભારતની કથા સાથે જોડાયેલું છે. કથા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણના ગુરુ દુર્વાસા ઋષિનો આશ્રમ પિંડારા ગામમાં હતો. આજે પણ આ કુંડ અને દુર્વાસા ઋષિ જ્યાં બેસતા હતા તે રાણનું ઝાડ શ્રદ્ધાનું પ્રતીક છે.  અહીં કુંડમાં મોક્ષ માટે પિંડ તારવામાં આવ્યા હતા એવી શ્રદ્ધા છે. આ સ્થળે દરિયાના કાંઠે રેતીનું મેદાન છે ત્યાં વર્ષોથી આસપાસના ગામ અને તાલુકાના યુવાનો શ્રાવણી અમાસના દિવસે કુસ્તી રમવા માટે મેળા રૂપે એકઠા થાય છે.

દેશી મલ કુસ્તી મેળાનું આયોજન

આજે તા. 15 સપ્ટેમ્બર ના રોજ શ્રાવણી અમાસ નિમિત્તે પીંડારામાં દેશી મલ કુસ્તી મેળાનું એક દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. જુદા જુદા ગ્રુપમાં યુવાનો સામસામે કુસ્તી રમે છે અને અનેરો આનંદ માણે છે. આ મેળો જોવા ખાસ કરીને યુવાનોની કુસ્તીમાં સહભાગી થવા માટે આબાલ વૃદ્ધ સહીત મોટી સંખ્યામાં અહીં આવી લોક ઉત્સવને સફળ બનાવે છે.

પીંડારાનો મેળો એક વિશિષ્ટ મેળો

પીંડારાનો મેળો એક વિશિષ્ટ મેળો છે. શારીરિક ખડતલતા સાથે યુવાનોમાં ઉત્સાહ પ્રેરે છે. ભગવાન શ્રીકૃષ્ણના જીવન સાથે જોડાયેલું પિંડારા અને બાજુનું ટુપણી ગામ ચરણ ગંગા ધામ અને દુર્વાસા ઋષિનો આશ્રમ આ બધા સ્થળો સાંસ્કૃતિક વિરાસત છે અને આ અહીં યોજાતો મેળો એક આગવી પરંપરા ધરાવતો હોવાથી પ્રથમ વખત ગુજરાત સરકારના પ્રવાસનમંત્રી  મુળુભાઈ બેરાની પ્રેરણાથી સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ જિલ્લા વહીવટી તંત્ર અને રમતગમત વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

(નરેશ મહેતા)

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૩

૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૩

Chitralekha Gujarati – September 25, 2023

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

રાશિ ભવિષ્ય 15/09/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, કોઈપણ કામમાં ધાર્યા કરતા વધુ વ્યસતા રહે તેને કારણે થોડી અસ્વસ્થા જેવું લાગ્યા કરે, સહકર્મચારી સાથે થોડો ઓછો સહયોગ પ્રાપ્ત થાય તેવી લાગણી અનુભવાય, કોઈ કામકાજ માટે ટીકા કરે અને તમે ઉશ્કેરટની સ્થિતિમાં આવી શકે પણ સયમ જરૂરી છે વેપારમાં નાનુંકામ હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય છે, તમને મિત્રોનો સહકાર મળી શકે છે, માર્કેટિંગક્ષેત્ર આયોજનથી કામકરવાથી કામ કર્યાનો સંતોષ મળે, નાનાકે મોટાપ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની કોઈ ઈચ્છા હોયતે પૂરી થાય તેવું પણ બનવા જોગ છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, ધીરજ રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ થોડો પ્રતિકુળતાવાળો કહી શકાય, તમારી લાગણીની કદરના થતી હોય તેવું વધુ લાગે, મન પરાણે મોટું રાખવું પડતું હોય તેવી લાગણીઓ રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ખોટા શબ્દપ્રયોગના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે તમારામાં આત્માવિશ્વાસ સારો જોવા મળે, કોઈ પ્રસંગમાં તમારી હાજરી તમારી શોભા વધારી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં જૂનીયાદી મુજબ કામકાજ કરવામાં આવેતો સારી સફળતા મળે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય છે, તમારી વાણી અને શબ્દપ્રયોગથી લોકો પ્રભાવિત થઇ શકે છે પરંતુ કટાક્ષ ભાષાન બોલવી. ઘણા વખતથી કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોય કે ક્યાય પોતાની વાત રજુ કરવાની હોયતો તે તક પણ ઝડપી શક્ય તેવા સંજોગો બની શકે છે. વેપારમાં નાનું કામ જ યોગ્ય છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, ઈર્ષાળુલોકો થી દુર રહેવું. આજે વિચારો વધુ આવે તેના કારણે માનસિકથાક વધુ લાગે, કામટાળવાની વૃતિ જોવા મળે કોઈની સાથે વિવાદમાં ન ઉતરવું, માર્કેટિંગમાં મહેનત વધુ પડે, વેપારના કામકાજમાં જોખમ ન કરવું.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયની વ્યસ્તા અને માનસિકઅશાંતિ રહે, રોજબરોજનું કામ કરનારને થોડી સાવચેતી રાખવી, ધીરજનો અભાવ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપકે કામકાજ દરમિયાન ક્યાય ઉગ્રતાના થાય તેની તકેદારી રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ સારો છે, તમારા પસંદગીના કાર્ય કરવાની તક મળે કે કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય.કોઈ સામાજિકકે ધામિક કામકાજમાં તમે તમારું યોગદાન આપી શકો. નોકરીકે વ્યવસાયમાં જરૂરી માર્ગદર્શન માટેકે ભલામણ માટે જવાનું હોયતો તેમાં પણ પ્રતિસાદ સારો મળી શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો , કામકાજમાં થાકની લાગણી વધુ જોવા મળે, સહકર્મચારી સાથે કામકાજમાં સુમેળ થોડો ઓછો જોવા મળી શકે. કામકાજમાં થોડો વિલંબ જોવા મળે પરંતુ છેવટે કામકાજ પૂર્ણ થયાનો સંતોષ પણ મળે. વેપારના કામકાજમાં કોઇપણ પ્રકારનું જોખમન કરવું.


આજનો દિવસ સારો છે, પરિચિતો સાથે વાર્તાલાપ દરમિયાન તમારી કોઈ સારીવાત પણ જાણવા મળી જાય તેવા સંજોગો બની શકે છે. જાહેરપ્રસંગોમાં તમારો પ્રભાવ અલગજ દેખાઈ આવે અને તમને આનંદની લાગણીનો સારો અનુભવ કરી શકો. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમારી ક્યાય ખટપટ થાય પણ તેમાં તમને કોઈ મોટી તકલીફન થઇ શકે.પગ,સાંધા,સ્નાયુ,ગેસ,જેવી આરોગ્યબાબતથી તકેદારી રાખવી. માર્કેટિંગક્ષેત્રમાં થોડી નિરાશા જોવા મળી શકે. વેપારમાં જોખમન કરવું, પ્રિયજનની લાગણી દુભાઈના જાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, ફરવા અને ખરીદી કરવાના યોગ બને છે. વડીલવર્ગને ભૂતકાળમાં કોઈ સામાજીક કે ધાર્મિકકાર્યમાં યોગદાન આપેલ હોય તેની કદર થાય તેવું બનવા જોગ છે. નોકરીકે વ્યવસાયમાં ફેરબદલી ઇચ્છનારને યોગ્ય માર્ગદર્શન મળે રહે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.

સંસ્કાર, કર્મ અને વાસ્તુ

માનવ જીવનની શરૂઆત થઇ પછી જેમ જેમ ઉત્ક્રાંતિ થતી ગઈ એની જરૂરિયાતો બદલાતી ગઈ. વિવિધ અભિવ્યક્તિ માટે વિવિધ ઇન્દ્રિયોને સજાગ કરવાનું એને સુજ્યું. વખત જતા એને ભાષાની જરૂરિયાત સમજાઈ. શરૂઆતમાં એ ચિત્રની મદદ લેતો હતો. ધીમે ધીમે એણે લીપી વિકસાવી. હવે એ પોતે શોધેલા નિયમોને વધારે સારી રીતે અભિવ્યક્ત કરી શકતો. અવનવી લિપીઓ વિકસતી ગઈ. હવે ભાષાને લઈને વિવાદો શરુ થયા. માનવો વધતા ગયા અને વિવાદો પણ. જીવન જીવવાના નિયમો સમજવા લખાણની જરૂર પડી. એના માટે ભાષા શોધી. અને અત્યારે એ જ ભાષાના લીધે વિવાદો થાય અને માનવતાના નિયમો ન સમજાય એવી પણ ઘટના બને ત્યારે લાગે કે જો લીપી ન શોધી હોત તો? તો વિવાદોથી બચી શકાત?

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપણે કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર ચોક્કસ પૂછી શકો છો.

સવાલ: તમને વાંચવામાં ખુબ મજા આવે છે. જેટલા માથા એટલા માનવી જેવું જ છે. સવાલો ખુબ મજેદાર હોય છે. જોકે મારો સવાલ પણ ચટપટો છે. જવાબ આપજો. તમે એક આર્કિટેક્ટ છો. વાસ્તુનું પણ તમને ગહન અને સચોટ જ્ઞાન છે. તમે સારા વક્તા છો અને વિવધ વિષય પર તમારી ઊંડાણ પૂર્વકની વાતો દર્શાવે છે કે તમારું વાંચન ખુબ સારું છે. ટૂંકમાં તમે ઘણા બધા વિષયોને આત્મસાત કરી લીધા છે. અરે ના ના, તમારી પ્રસસ્તી નથી કરતી. મારો સવાલ હવે જ આવે છે. આ બધું કરવાનો તમને સમય ક્યાંથી મળે છે? અને જો મારે તમારા જેવું થવું હોય તો એના માટે કયા વાસ્તુ નિયમો મદદ કરે?

જવાબ: બહેન શ્રી. તમારી વાત સાચી છે મારું વાંચન સારું છે. એનો શ્રેય મારા ઘરના વાતાવરણને જાય છે. હું મનથી હજુ પણ બાળક જેવી જીજ્ઞાશા ધરાવું છું. નવું શીખવામાં શરમ શાની? વળી શીખવાની કોઈ ઉમર નથી હોતી. મુસાફરી, નવા લોકોને મળવાનું અને જે મળે એમાં રાજી થવાનું એ બધું જ મારા જીવન ઘડતરનો ભાગ છે. સંસ્કાર, કર્મ અને વાસ્તુ આ ત્રણેય સકારાત્મક હોય તો વ્યક્તિને ગમતું કરવું ગમે અને એ પણ અન્યને ગમતું પણ. સમય દરેકની પાસે હોય જ છે. બસ એને સમજવો પડે છે. સત્તા અને સંપતિ ક્ષણિક છે. એ જરૂર પડે કામ લાગે. પણ અંતે તો વ્યક્તિત્વ જ સાથે રહે છે. ઈશ્વરમાં પૂરી શ્રદ્ધા રાખો. શિવ પૂજા અને ગાયત્રી ઉપાસના કરો. ચોક્કસ લાભ થશે.

સવાલ: મારી બહેનને કોઈ છોકરા ગમતા નથી. લગ્ન માટે ના પાડે છે. જેટલા ફોટા જુએ એ બધામાં એને કોઈ ને કોઈ ભૂલ દેખાય. કયારેક વિચાર આવે છે કે એને છોકરીઓ તો નહિ ગમતી હોય ને? જલ્દી લગ્ન થઇ જાય એવો કોઈ ઉપાય બતાવો ને.

જવાબ: લગ્ન થયા એટલે પતિ ગયું એવું હોય ખરું? એ શરૂઆત છે. એક અજાણી વ્યક્તિ સાથે આખી જિંદગી કાઢવાની. વિચારવું તો પડે ને? વળી તમે વારંવાર ફોટા બતાવ્યા કરો તો એ એને ન પણ ગમે. તમે એને કોણ ગમે છે એવું પૂછ્યું છે? જો જવાબ ના છે. તો પૂછો. માત્ર તર્ક કરીને દુખી ન થાવ. એમને યોગ્ય રીતે ગાયત્રી મંત્ર કરવાનું કહો.

સુચન: ગણેશ ઉત્સવ દરમિયાન દરરોજ ગોળનો પ્રસાદ ધરાવી ને લેવો જોઈએ.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)