Home Blog Page 2540

કાંદિવલીની સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલયમાં જન્માષ્ટમીની ઉજવણી

“હાથી ઘોડા પાલખી…

જય કનૈયા લાલ કી… “

મુંબઈઃ અત્રેના કાંદિવલી (વેસ્ટ)સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલયમાં જન્માષ્ટમી તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.

પ્રાથમિક સ્તરના વર્તમાન અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ બાળ ગોપાલ અને રાધા બનીને આવ્યાં હતાં. શાળામાં જાણે સાક્ષાત વૃંદાવન ખડું થયાનું, ગોકુળ અવતર્યું હોય એવું દ્રશ્ય સર્જાયું હતું.

ભગવાન શ્રી કૃષ્ણના જન્મની એક નાનકડી નાટિકા પણ દ્વારા બાળકો સમક્ષ પ્રસ્તુત કરવામાં આવી હતી. એ દ્વારા એમને આપણા તહેવાર, ધર્મ અને સંસ્કૃતિનું જ્ઞાન આપવામાં આવ્યું હતું. તદુપરાંત, બાળ ગોપાળનું પારણું સજાવીને, નૈવેદ્ય ધરીને બાળકો પાસે એ પારણું ઝુલાવડાવી હિંડોળાની ઝાંખી પણ કરાવવામાં આવી હતી. જેથી સહભાગી બાળકોનાં કૂણાં મનમાં આપણી સંસ્કૃતિનાં બીજ વાવી શકાય.

આ કાર્યક્રમમાં પ્રાથમિક વિભાગનાં આચાર્યા કવિતાબહેન મારૂ, પૂર્વ પ્રાથમિક વિભાગનાં આચાર્યા મનીષાબહેન ભટનાગરનાં માર્ગદર્શન હેઠળ શિક્ષક મંડળે ઉત્સાહ અને આનંદપૂર્વક કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

દિલ્હીમાં G20 શિખર સંમેલન: મેટ્રોનો ઉપયોગ કરવાની પોલીસની નાગરિકોને અપીલ

નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાના ટોચના 20 દેશોના સમૂહ G20ના વડાઓનું બે-દિવસીય શિખર સંમેલન આવતીકાલથી રાષ્ટ્રીય પાટનગર નવી દિલ્હીમાં યોજાશે. આ કાર્યક્રમને લક્ષમાં રાખીને નવી દિલ્હી જિલ્લામાં અત્યંત કડક ટ્રાફિક નિયંત્રણો લાગુ કરી દેવામાં આવ્યા છે. G20 સંમેલનના આયોજન સ્થળ ‘ભારત મંડપમ’ અને જિલ્લામાં G20 પ્રતિનિધિઓને જ્યાં ઉતારો આપવામાં આવ્યો છે તે હોટેલોના વિસ્તારમાં દવા-ઔષધિ, એમ્બ્યુલન્સને બાદ કરતાં બીજી સેવાઓ પર બે દિવસ પૂરતો પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ઓનલાઈન ડિલિવરી સેવાઓ ઉપર પણ પ્રતિબંધ છે. સંમેલનને કારણે નવી દિલ્હી જિલ્લાને આજે સવારે પાંચ વાગ્યાથી શરૂ કરી રવિવારે રાતે 11.59 વાગ્યા સુધી ‘કન્ટ્રોલ્ડ ઝોન-1’ તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે તેઓ ચાલવા, સાઈક્લિંગ કરવા કે પિકનિક કરવા માટે ઈન્ડિયા ગેટ અને કર્તવ્ય પથ ખાતે ન આવે.

એમ્બ્યુલન્સને તથા આ વિસ્તારમાં રહેતા લોકો અને પર્યટકોને ઉચિત ઓળખપત્ર-દસ્તાવેજો બતાવવાથી પ્રતિબંધિત વિસ્તારમાં ફરવા દેવામાં આવશે. દિલ્હી મેટ્રો તમામ લાઈન પર સપ્ટેમ્બર 8, 9 અને 10મીએ સવારે 4 વાગ્યાથી સેવા શરૂ કરશે. દિલ્હી પોલીસે લોકોને અપીલ કરી છે કે ટ્રાફિક નિયમનો લાગુ કરાયા હોવાથી તેઓ શક્ય એટલો મેટ્રો ટ્રેન સેવાનો ઉપયોગ કરે.

સંમેલન દરમિયાન સુરક્ષા માટે ચાંપતી દેખરેખ રાખવા માટે 50,000 પોલીસ જવાનોને શ્વાન ટૂકડીઓ સાથે તૈનાત કરવામાં આવ્યા છે.

G20 સમૂહમાં અમેરિકા, યૂરોપિયન યૂનિયન, બ્રિટન, ઈટાલી, જર્મની, ફ્રાન્સ, ચીન, ભારત, કેનેડા, બ્રાઝિલ, આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, ઈન્ડોનેશિયા, જાપાન, દક્ષિણ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, સાઉથ આફ્રિકા, તૂર્કી છે.

હાલ G20 સમૂહનું વાર્ષિક પ્રમુખપદ ભારત પાસે છે. એ હવે સમાપ્તિને આરે છે. 10 સપ્ટેમ્બરે વડા પ્રધાન મોદી પ્રમુખપદ (યજમાનપદ)નું બેટન (પ્રતિકાત્મક દંડ) બ્રાઝિલના પ્રમુખ લુલાને સુપરત કરશે. બ્રાઝિલ વિધિસર 1 ડિસેમ્બરથી G20 ગ્રુપનું પ્રમુખ બનશે.

યૂએસ પ્રમુખ બાઈડન અમેરિકાથી રવાના થઈ ગયા છે

અમેરિકાના 80 વર્ષીય પ્રમુખ જો બાઈડન નવી દિલ્હી આવવા માટે વોશિંગ્ટનથી રવાના થઈ ગયા છે. એમના 72 વર્ષીય પત્ની ફર્સ્ટ લેડી જિલ બાઈડનને કોરોના થયો હોવાનું ગયા સોમવારે માલૂમ પડ્યું હતું. બાઈડનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જિલ બાઈડન હાલ ડેલાવેર સ્થિત એમના નિવાસસ્થાને આરામ કરી રહ્યાં છે. પ્રમુખ બાઈડન ભારત બાદ વિયેટનામ જશે.

બાઈડનનું વિમાન જર્મનીના રેમસ્ટેન ખાતે નવું બળતણ પૂરાવ્યા બાદ આજે સાંજે દિલ્હી પહોંચશે. બાઈડન આજે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. યૂએસ પ્રમુખ તરીકે બાઈડન આ પહેલી જ વાર ભારત આવી રહ્યા છે.

સ્વમાન સાથેનું દાન એટલે આ વસ્ત્રદાન!

આમ તો સ્વજનોની યાદમાં કોઇક સેવાનું કામ કરવાની બધાની ઈચ્છા હોય, પણ બહુ ઓછા લોકો એવું કામ કરી શકે, જે ફક્ત સમાજ માટે ઉપયોગી નીવડે એટલું જ નહીં, પણ સમાજની એક સમસ્યાના ઉકેલ તરફ ય દોરી જાય છે. પછીથી આ કામ વ્યક્તિગત સેવાકાર્ય મટીને સમાજસેવાનો એક રસ્તો બની જાય છે.

આવો એક રસ્તો ચીંધ્યો છે મૂળ નડિયાદના અને હાલ અમેરિકાના ન્યૂજર્સીમાં રહેતા સુભાષ શાહે. સુભાષભાઈનો વતન પ્રત્યેનો એમનો લગાવ બીજા બધા એનઆરઆઈ જેટલો જ ટકોરાબંધ, પણ ગરીબ-જરૂરિયાતમંદોની વસ્ત્રની જરૂરિયાત પૂરી કરવાની એમની આ એક પ્રવૃત્તિ એમને અન્ય એનઆરઆઈ દાતાઓ કરતાં થોડી અલગ પાડે છે.

સદગત પત્ની ભગવતીબહેનની યાદમાં બે-અઢી વર્ષ પહેલાં એમણે એક ઝુંબેશ શરૂ કરેલી ગરીબોને વસ્ત્રો પૂરા પાડવાની. સાધન-સંપન્ન લોકો પોતાનાં વધારાનાં વસ્ત્રો ગરીબોને દાનમાં આપી દે એ રીતે નહીં, પણ દાન આપનાર અને દાન લેનાર એ બંનેનું સ્વમાન જળવાઈ રહે એ રીતે, યુઝ્ડ ક્લોથ (વપરાયેલાં, પણ ફાટેલાં નહીં) ભેગાં કરીને ગરીબો સુધી પહોંચાડવાની સેવાનું અનોખું કામ એમણે હાથ ધર્યું છે.

સુભાષભાઈ એમની ‘શ્રી ભગવતી શાહ સેવા સંકુલ’ સંસ્થા દ્વારા દેશ-વિદેશમાં વસતા ખાધેપીધે સુખી પરિવારોને વધારાના વસ્ત્રો દાન કરવા અપીલ કરે છે. એ વસ્ત્રો એકત્ર કરીને પછી વિવિધ સેવાભાવી સંસ્થાઓ મારફતે એ જરૂરિયાત મંદોને વેચવામાં આવે છે.

અહીં ‘વેચવાના’ એ શબ્દ સાંભળીને ચોંકવાની જરૂર નથી! હા, ગરીબોને આ વસ્ત્રો નિઃશુલ્ક આપવાના બદલે રૂપિયા પચીસ ટોકન ચાર્જ લઈને આપવામાં આવે છે. દાનમાં મળેલાં વસ્ત્રો વ્યવસ્થિત ધોઈ, ઈસ્ત્રી-ટાઇટ કરીને જેમ મોલમાં વેચાણ માટે મૂકાયા હોય એમ જ પ્રદર્શિત કરાય છે. કોઈપણ વ્યક્તિ કોઈપણ કપડું માત્ર પચીસ રૂપિયા આપીને ખરીદી શકે છે.

સુભાષભાઈ ચિત્રલેખાને કહે છે, ‘ટોકન ચાર્જ રાખવાનો હેતુ કમાણી કરવાનો કે ખર્ચ કાઢવાનો નથી. ગરીબ વ્યક્તિનું પણ સ્વમાન જળવાઈ રહે, એને પોતે કંઈક મફતમાં લીધું છે એવી ગ્રંથિથી પીડાવું ન પડે અને અન્ય લોકોની માફક જ ખરીદી કરીને કપડાં પહેરવાનો ભાવ એમના મનમાં જળવાઈ રહે એ હેતુ છે. વેચાણમાંથી જે આવક થાય એ પણ જે તે સંસ્થાની અન્ય સામાજિક પ્રવૃત્તિમાં જ વાપરવામાં આવે છે.’

આની શરૂઆત કેવી રીતે થઇ?

આમ તો સુભાષભાઈ અને ભગવતીબહેન વર્ષોથી જ્યારે વતનમાં આવે ત્યારે ઢગલો કપડાં લેતા આવતા. સગાવ્હાલાંની સાથે સાથે જરૂરિયાતમંદોને પણ આપે. એકવાર, લગભગ 2018માં જ, ભગવતીબહેને આર્થિક રીતે નબળા પરિવારને કપડાં મોકલ્યા. બે દિવસ પછી એમને એ કપડાં કોઇ પાછા આપી ગયું!

આ ઘટના પરથી ભગવતીબહેને નક્કી કર્યું કે કપડાંની મદદ કરવી, પણ એ એવી રીતે કરવી કે એનાથી મદદ લેનારનું સ્વમાન પણ જળવાય. આ વિચાર એમણે પતિ સુભાષભાઈ રજૂ કર્યો અને કહ્યું કે, ‘અમેરિકામાં જેમ મોલમાંથી લોકો ખરીદી શકે એમ અહીં પણ ગરીબો ખરીદી શકે એવી રીતે કપડાંનું વિતરણ ન થાય?’ સુભાષભાઈને પણ આ વિચાર ગમ્યો. દંપતીએ આવું કંઈક કરવાનું નક્કી કર્યું.
કમનસીબે આ દિશામાં એ વધારે વિચારે એ પહેલા જૂન 2021માં ભગવતીબહેનનું અવસાન થયું. સુભાષભાઈ માનસિક રીતે ભાંગી પડ્યા, પણ એમના મનમાં ભગવતીબહેને કહેલી આ વાત હજુય રમતી હતી. ડિસેમ્બર, 2021માં એમણે નડિયાદની જાણીતી સામાજિક સંસ્થા બાલકન-જી બારીના સંચાલકો સમક્ષ આ વિચાર રજૂ કર્યો અને કહ્યું કે ટોકન રકમની જે આવક થશે એ સંસ્થાની બાળ પ્રવૃત્તિઓમાં જ વપરાશે. સંચાલકોને પણ આ વિચાર ગમ્યો.

બસ, એ પછી 21 જાન્યુઆરી 2022 ના રોજ સુભાષભાઈએ બાલકન-જી બારીને કપડાં મૂકવાના સ્ટેન્ડસ, હેંગર્સ, 200 જેટલાં કપડાં અને જરૂરી સામગ્રી ભેટ આપી. કપડાં ભેગા કરીને વેચવાની, કહો કે વિતરણ કરવાની શરૂઆત થઈ. આજે તો નડિયાદ, આણંદ, લાંભવેલ, ડાકોર, ખંભાત, વડોદરા, વિદ્યાનગર, અમદાવાદ અને મુંબઈ જેવા શહેરોમાં કામ કરતી 12 સેવાભાવી સંસ્થા આ કાર્યમાં જોડાઇ છે. જે સંસ્થા એમની સાથે જોડાય એમને પ્રવૃત્તિની શરૂઆત કરવા માટે સુભાષભાઈ તરફથી પચીસેક હજારની પ્રારંભિક સહાય પણ કરવામાં આવે. વસ્ત્રોના વેચાણમાંથી જ આવક થાય એ રકમ સંસ્થા પોતાની અન્ય પ્રવૃતિઓમાં વાપરી શકે.

આજ સુધીમાં સુભાષભાઇએ આ રીતે હજારો પરિવારોની વસ્ત્રની જરૂરિયાત પૂરી પાડીને વસ્ત્રદાનની પ્રવૃત્તિને એક નવો આયામ આપ્યો છે.

વર્ષ 1993માં નડિયાદથી ન્યૂજર્સી જઈને વસેલા સુભાષભાઈ બહુ મોટા હોટેલિયર કે બિઝનેસમેન નથી, પણ પોતાની પાસે જે સગવડ છે એમાંથી થોડીઘણી રકમ આવી પ્રવૃત્તિઓ માટે ફાળવતા રહે છે.

અમેરિકામાં પણ વિવિધ સામાજિક-ધાર્મિક-સાહિત્યિક સેવાકીય કાર્યો સાથે એ જોડાયેલા છે. વાંચવા-લખવાના શોખીન છે એટલે માતૃભાષાની જાળવણીની પણ એટલી જ ખેવના રાખે છે. અમેરિકામાં ગુજરાતી ભાષાનો પ્રચાર પ્રસાર થતો રહે એવા હેતુથી એ 1994થી ‘ગુજરાત દર્પણ’ નામનું સામયિક ચલાવે છે અને હજારો વાચકોને નિઃશુલ્ક મોકલે છે. વારે-તહેવારે ખરીદેલા પાંચેક હજાર પુસ્તકોની એક લાઇબ્રેરી એમણે પોતાની ઓફિસમાં શરૂ કરી છે, જ્યાં કોઇપણ આવીને વાંચી શકે છે. લાઇબ્રેરીમાં અવારનવાર સાહિત્યિક મેળાવડાઓ પણ યોજે છે.

આ ઉપરાંત, અમેરિકામાં વસતા વૈષ્ણવ સંપ્રદાયની 84 જ્ઞાતિના લોકોને એક મંચ પર લાવી ‘સ્વજન’ નામની સંસ્થા ઊભી કરવી કે પછી સિનિયર સિટિઝન્સ માટે મહિલા વિંગ કાર્યરત કરવી જેવી અનેક પ્રવૃત્તિઓ પણ કરતા રહે છે.

સમાજમાં દાન આપવાનું કામ તો ઘણા શ્રેષ્ઠીઓ કરે છે, પણ સુભાષભાઇએ ગરીબોને અપાતા દાનમાં ‘સ્વમાનનું મેળવણ’ ઉમેરીને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે.

(કેતન ત્રિવેદી)

સુભાષભાઇની આ પ્રવૃત્તિની વિડીયો સ્ટોરી માટે ક્લિકઃ 

 

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૦૮ સપ્ટેમ્બર, ૨૦૨૩

૦૮ સપ્ટેમ્બર, ૨૦૨૩

Chitralekha Gujarati – September 18, 2023

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

રાશિ ભવિષ્ય 08/09/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સારો અને ઉત્સાહ વાળો જણાય છે, તમારા ધાર્યાકામ થવાથી તમે આનંદની લાગણી અનુભવો, પ્રિયજન તરફથી સારો પ્રેમભાવ જોવા મળી શકે છે, અગત્યની મિલનમુલાકાત ફળદાયક બની શકે,વેપારમાં નાનુંકામ કરવુજ યોગ્ય છે, કોઈના કામમાં સહયોગ આપો તેવી વૃત્તી જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, તમારા કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત થઇ શકે, પ્રવાસનું ક્યાંક આયોજન પણ થઈ શકે છે અને તેમાં ક્યાંક અણધર્યા નાણાકીયખર્ચ થાય, માર્કેટિંગક્ષેત્રમાં તમારો સારો પ્રભાવ જોવા મળે, પ્રિયજન તરફથી ખુશીની લાગણીનો અનુભવ થાય, ધાર્મિકભાવના વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈની સાથે કોઈપણ પ્રકારનું ગેરવર્તનના થાય તેનું ધ્યાન રાખવું, પ્રિયજન સાથે વાર્તાલાપ દરમિયાન ઉગ્રતાના આવે તેનું ધ્યાન રાખવું, તમારે આજે સમાધાનકારી નીતિ અપનાવાથી પરિસ્થિતિ હળવી બની રહશે. મનમાં કોઈવાતનો તમને ઉદ્વેગ રહ્યા કરે તેવું બની શકે.


આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસતા જોવા મળી શકે છે અને માનસિકથાકની લાગણી વધુ જોવા મળે જેના કારણે તમારા સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, આજે કોઈને વણમાગી સલાહન આપવી તેમજ વાર્તાલાપમાં ક્યાય દલીલબાજીન કરવી, વેપારમાં જોખમન લેવું યોગ્ય છે.


આજનો દિવસ સરસ છે, તમે આત્મવિશ્વાસથી કામ કરતા જોવા મળો, તમારા ભૂતકાળના કોઈકામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે વધુ મહેનત યોગ્ય છે, જૂનીકોઈ ઓળખાણ તાજી થાય અને તેમાં તમે સારી વાર્તાલાપ કરી ખુશીની લાગણી અનુભવો. થોડા મજાકવૃત્તિવાળા બનો.


આજનો દિવસે થોડી સાવચેતી રાખવી તેમજ વાણીસંયમ રાખવો પણ જરૂરી છે, હિતશત્રુથી સજાગ રહેવું, વાહન ધીમે ચલાવવું, કોઈપણ પ્રકારની મિલનમુલાકાત દરમિયાન વાર્તાલાપમાં કોઇપણ પ્રકારની ગેરસમજ ના થાય તેનું ધ્યાન રાખવું અગત્યનું કહી શકાય, ભક્તિમાં દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.


આજનો દિવસ સારો છે આજે તમારા પસંદગીના કામ થઇ શકે, તમારી લાગણીની કદર થાય, પરિચિત સાથે કોઈબાબતનો સાથસહકાર સારો જોવા મળી શકે અને તેની ખુશી અનુભવાય, ધાર્મિકભાવના વધુ જોવા મળે અને મન ભક્તિકે સદ્કાર્ય કરવા પ્રેરાય તેવું પણ બનવા જોગ છે. મન પ્રફુલ્લિત રહેશે.


આજના દિવસે શાંતિ અને સાવચેતી રાખવી, વાણીસયમ અને ગુસ્સાને કાબુમાં રાખવો, મજાકમસ્તી કરનાર લોકોથી થોડું અંતર રાખવું તેમજ તેમની વાતોને જરૂરિયાત પુરતુજ ધ્યાન આપવું. ક્યાંક જુનાપ્રસંગો યાદ આવવાથી મન અશાંત વધુ રહી શકે છે, માટે વ્યવહારુ અભિગમ અપનાવો સારો કહી શકાય.


આજનો દિવસ સરસ છે, પ્રિયજન સાથેના જુનામતભેદ ભૂલવાની તક મળે, વિદ્યાર્થીવર્ગ માટે હરવાફરવા માં સારો સમય પસાર થાય, અગત્યની વાર્તાલાપકે મિલનમુલાકાત માટેના પ્રયત્ન કરતા હોવતો તેમાપણ તમને અન્યનો સારો સાથ-સહકાર અને માર્ગદર્શન મળે તેવું બની શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.


આજનો દિવસ સામાન્ય છે, નાનાકામમાં દિવસ પસાર થઇ જાય, જુનાસ્મરણો તાજા થાય જેમાં તમને સારી ખુશીની લાગણી થાય, વાતચિત દરમિયાન ખોટો ઉશ્કેરટના આવે તેનું ધ્યાન રાખવું જેથી તમે કદાચ કોઈની મજાકના પાત્રના બનો. બિનજરૂરી ખરીદી થવાથી તમારું મન થોડું બેચેન બને તેવું બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રવર્તુળ સાથે બિનજરૂરી સમય અને નાણાનો વ્યય થાય અને તેનું ભાન તમને દિવસને અંતે થવાથી મનમાં ગુસ્સાની લાગણી અનુભવો પરંતુ તમારા પ્રિયજનની યોગ્યવર્તણુક અને વાતચીતથી તમે પ્રભાવિત થઇ ખુશીની લાગણી અનુભવી રાહત પામો, મનમાં દ્વિધા રહ્યા કરે.


આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈને કોઈબાબતમાં નકારત્મકવિચારની અસર તમારી દિનચર્યા પર પણ પડે માટે તમારે આજે કોઈ કામમાં વ્યસ્ત રહેવું, હરવુંફરવુંકે ભક્તિમાં મન પોરવવું યોગ્ય કહી શકાય. કોઈ પણ અગત્યના કામકાજ કરવામાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો ઇચ્છનીય છે.

વાસ્તુ: બાંધકામમાં ફેરફાર કરવાથી ઘરની ઉર્જા બદલાઈ જાય

ડીલ્યુઝન ડીસઓર્ડર એક એવો રોગ છે જેમાં દર્દીને એની ભ્રમણાઓ સાચી લાગે. એના વિચારોને એ વાર્તાઓમાં પરિવર્તિત કરે અને પછી એ જ હકીકત છે એવું માનવા લાગે. આવું થવાના ઘણાં કારણો હોઈ શકે. એકલતા, આત્મવિશ્વાસનો અભાવ, સમાજ તરફથી અપેક્ષા મુજબ ન મળેલું મહત્વ, વિગેરે. સત્ય અને ભ્રમણા વચ્ચેનો ભેદ ક્યારે વ્યક્તિને ન સમજાય ત્યારે એ પોતાની ભ્રમણાઓને સાચી ઠેરવવા મહેનત કરવા લાગે. જે અન્ય વ્યક્તિઓ માટે નુકશાનકારક હોઈ શકે છે. જો કે આ રોગની સારવાર શક્ય છે. આ પરિસ્થિતિને વાસ્તુના સંદર્ભમાં જોઈએ તો ક્યારેક કશુક નવું બાંધકામ થાય કે પછી બાંધકામમાં ફેરફાર થાય પછી આવું કશુક થવા લાગે તો એ જગ્યાનું વાસ્તુ નકારાત્મક થયું છે એવું માની શકાય. જાણકાર વ્યક્તિની સલાહ દ્વારા એ ઉર્જાને સકારાત્મક બનાવી શકાય.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે દર્શાવેલ ઈમેલ પર પૂછી શકો છો.

સવાલ: અમે સંયુક્ત પરિવારમાં રહીએ છીએ. ઘર પણ વિશાળ છે. સમયાંતરે કેટલાક લોકો છુટા પડ્યા તો પણ બહોળો પરિવાર છે. અમારા ઘરમાં બધું જ બરાબર ચાલતું હતું. અમે ઘરમાં કેટલાક ફેરફાર કરાવ્યા પછી અચાનક એક વડીલને એવું લાગે છે કે એ ભગવાન સાથે વાતો કરે છે. એ અમને પણ દેખાડે કે જુઓ ભગવાન અહી બેઠા છે. દરરોજ નવા નવા નામના ભગવાન આવે છે એવું એ માને છે. કેટલાક ભગવાનના તો અમે નામ પણ નથી સાંભળ્યા. વળી હવે નવું શરુ થયું છે. એ એવું કહે છે કે જુઓ ભગવાન આપણા માટે ખાવાનું લાવ્યા છે એટલે આજે બધાએ એ જ ખાવાનું છે. એ પોતે બહાર જઈને ખાઈ લે છે પણ અમને રોકે છે. અમે સમજાવવા જઈએ તો ગુસ્સે થઇ જાય છે. કાલે એમણે કહ્યું કે ભગવાન બધા માટે કપડા લાવ્યા છે. દિવાળી પર બધાએ આ જ પહેરવાનું છે. જે કપડા છે જ નહિ એ પહેરવા કેવી રીતે? અમે કંટાળી ગયા છીએ. કોઈ ઉપાય હોઈ શકે ખરો?

જવાબ: આ આખી બાબતને આપણે બે રીતે વિચારી શકીએ. બાંધકામમાં ફેરફાર થયા એટલે ઘરની ઉર્જા બદલાઈ. બ્રહ્મમાં ફેરફાર થયા એની અસર દેખાય છે. બીજું કે જે વડીલને એવું લાગે છે એ એકલા પડી ગયા છે. ક્યારેક ભર્યા પરિવારમાં પણ વ્યક્તિને એકલું લાગે. પોતાને પુરતું મહત્વ ન મળતું હોય  ત્યારે ઘણા લોકો આવું વિચારી શકે. આપણા દેશમાં ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધાને ડર સાથે પણ ક્યાંક જોડાઈ છે. વડીલને સમજાવો કે અમને ખાવાનું કે કપડા દેખાતા નથી એટલે અમે એમાં વિશ્વાસ નહિ કરીએ. તમે જેટલું વધારે મહત્વ આપશો એટલો એમનો પ્રયત્ન વધશે. કોઈ જાણકાર ડોક્ટરને પણ બતાવો. ઘરમાં મહામૃત્યુંન્જય મંત્રના બને તેટલા વધારે જાપ યોગ્ય રીતે કરો.  આપને સારું લાગશે.

સવાલ: મારો સ્વભાવ પહેલા ખુબ જ સારો હતો. છેલ્લા કેટલાક વરસોથી મને બસ કોઈકની આવડતનો ઉપયોગ કરીને આગળ આવવાના જ વિચારો આવે છે. વળી એ લોકો અંદર અંદર એક બીજાને ન મળે એના માટે પણ મેં અલગ વાતાવરણ ઉભું કરીને રાખ્યું છે. કોઈ મારી વિરુદ્ધ જવા જાય તો એને રોકવા હવે મારી પાસે પૂરતા પૈસા છે. પણ રાત્રે ઊંઘ નથી આવતી. ક્યારેક મને મારી જ દયા આવે છે. પણ અંતે હરી ફરીને મારો વિચાર બદલાઈને અન્યનો લાભ લેવાની વૃત્તિ આવી જ જાય છે. મારે શું કરવું જોઈએ?

જવાબ: સંપત્તિ અને સત્તાનો નશો જો એક વાર ચડે તો એને ઉતારવામાં વાર જ લાગે. એટલું સારું છે કે તમારો અંતરાત્મા હજુ પણ જાગૃત છે. સવારે યોગ્ય રીતે ગાયત્રી મંત્ર કર્યા બાદ મહામૃત્યુંન્જય મંત્ર કરો.

સુચન: ગાયત્રી મંત્ર માત્ર સૂર્યનો મંત્ર નથી. તેથી તેને સમજી અને યોગ્ય રીતે કરવો ખુબ જ જરૂરી છે.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)

નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી… ભાવનગરના ભાદ્રોડ ગામે જન્માષ્ટમીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ

સમગ્ર દેશમાં કૃષ્ણ જન્મોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ભક્તો શ્રી કૃષ્ણની ભક્તિના રંગમાં રંગાયા હતા. ત્યારે ભાવનગર જિલ્લાના ભાદ્રોડ ગામે પણ કૃષ્ણ જન્મોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર ગામના લોકો કૃષ્ણ ભક્તિમાં રંગાયા હતા. ભાદ્રોડ ગામમાં આવેલી બાળકૃષ્ણ હવેલી, રાધાકૃષ્ણ મંદિર અને રામજી મંદિર અને ગામના જૂના ઠાકર મંદિરે જન્માષ્ટમીનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું.

કૃષ્ણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું

ભાદ્રોડ ગામના મંદિરોમાં ભક્તોની ભારે જોવા મળી હતી. તો કેટલીક જગ્યાએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તો સાથે સાથે કૃષ્ણ ભક્તો દ્વારા કૃષ્ણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા આખા ગામમાં કાઢવામાં આવી હતી. જેમાં ગામના વિવિધ વિસ્તારમાં અને દરેક ચોકમાં કાના દ્વારા મટકી ફોડી જન્માષ્ટમીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. તો ગામના વિવિધ મંદિરે અલગ અલગ શણગાર કરીને કૃષ્ણ જન્મોત્સવને શાનદાર બનાવવામાં આવ્યો હતો.

ભદ્રેશ્વર મહાદેવ મંદિરે કેદારનાથનો ખાસ શણગાર કરવામાં આવ્યો

ભાદ્રોડ ગામમાં શ્રાવણ માસ દરમિયાન ગામના ભદ્રેશ્વર મંદિર ખાતે દરરોજ બપોરે મહાપૂજાનું આયોજન કરવામાં આવે છે. તો આ કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગે ભદ્રેશ્વર મહાદેવ મંદિરે મહાપૂજા દરમિયાન કેદારનાથનો ખાસ શણગાર કરવામાં આવ્યો હતો અને કૃષ્ણ જન્મોત્સવની પણ ઉજવણી કરવામાં આવી હતી.

દ્વારકા, ડાકોર અને શામળાજીમાં અનેરો ઉત્સાહ

આ સિવાય ગુજરાતના દ્વારકા અને ડાકોર સહિત સમગ્ર રાજ્યમાં જન્માષ્ટમીની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી. દ્વારકામાં જન્માષ્ટમી પર્વને લઇ ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. દ્વારકામાં ગોમતીઘાટ સહિતના કિનારે બહોળી સંખ્યામાં યાત્રિકો પહોંચી પવિત્ર ગોમતીમાં સ્નાન કરી ભક્તો પોતાને નજાણ્યે થયેલ પાપોને ધોઈ નાખ્યા હતા. યાત્રાધામ શામળાજી ખાતે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

પંચાંગ 08/09/2023