Home Blog Page 2554

ઉધયનિધિ સ્ટાલિનના નિવેદન પર અમિત શાહનો પલટવાર

તમિલનાડુના મંત્રી ઉધયનિધિ સ્ટાલિનની ‘સનાતન ધર્મ નાબૂદ થવો જોઈએ’ની ટિપ્પણીએ હોબાળો મચાવ્યો છે. આ નિવેદન બાદ BJP એ વિપક્ષી ગઠબંધન I.N.D.I.A. ને ઘેરી લીધું છે. હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉધયનિધિ સ્ટાલિનની ટિપ્પણીને લઈને વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. અમિત શાહે રવિવારે કહ્યું, ભારત ગઠબંધન બે દિવસથી સનાતન ધર્મનું અપમાન કરી રહ્યું છે. ભારતની બે મુખ્ય પાર્ટીઓ DMK અને કોંગ્રેસ પાર્ટીના મોટા નેતાઓ કહી રહ્યા છે કે સનાતન ધર્મને ખતમ કરી દેવો જોઈએ. લોકોએ મત આપવા માટે આપણી સંસ્કૃતિનું અપમાન કર્યું છે. બેંક અને તુષ્ટિકરણ રાજકારણ.

અમિત શાહે બીજું શું કહ્યું?

કેન્દ્રીય ગૃહમંત્રીએ વધુમાં કહ્યું કે, DMK અને કોંગ્રેસના નેતાઓ માત્ર વોટબેંકની રાજનીતિ માટે સનાતન ધર્મને ખતમ કરવાની વાત કરી રહ્યા છે. આ પહેલીવાર નથી કે તેઓએ આપણા સનાતન ધર્મનું અપમાન કર્યું છે. આ પહેલા મનમોહન સિંહે પણ કહ્યું હતું કે, સનાતન ધર્મ પર પહેલો અધિકાર છે. બજેટ લઘુમતીઓનું છે, પરંતુ અમે કહીએ છીએ કે પહેલો અધિકાર ગરીબો, આદિવાસીઓ, દલિતો અને પછાતનો છે.

રાહુલ ગાંધીએ હિંદુ સંગઠનોની તુલના લશ્કર સાથે કરી

રાજસ્થાનમાં એક જાહેર સભામાં અમિત શાહે દાવો કર્યો હતો કે, “આજે કોંગ્રેસ પાર્ટી કહે છે કે જો મોદીજી જીતશે તો સનાતન રાજ કરશે. રાહુલ ગાંધીએ કહ્યું કે હિંદુ સંગઠનો લશ્કર-એ-તૈયબા કરતા વધારે ખતરનાક છે. લશ્કર-એ-તૈયબાને.

પરિવર્તન સંકલ્પ યાત્રાને સંબોધી હતી

પરિવર્તન સંકલ્પ યાત્રાને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, આજે બેનેશ્વર ધામની આ પવિત્ર ભૂમિ પર ભાજપની ‘પરિવર્તન સંકલ્પ યાત્રા’ શરૂ થવા જઈ રહી છે. ડુંગરપુરની ભૂમિ હંમેશા વીરોની ભૂમિ રહી છે. અને આદિવાસી ભાઈઓ. ગુજરાતે વર્ષો સુધી મહારાણા પ્રતાપ સાથે રહીને લડાઈ લડી હતી અને મુઘલ સેનાના દાંત ખાટા કર્યા હતા.

જેપી નડ્ડાએ પણ નિશાન સાધ્યું હતું

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ ઉધયનિધિ સ્ટાલિનની ટિપ્પણી પર વિપક્ષી ગઠબંધન પર નિશાન સાધ્યું હતું. તેમણે રવિવારે મધ્યપ્રદેશના ચિત્રકૂટમાં કહ્યું, “ઉધયનિધિ સ્ટાલિને આ ટિપ્પણી કરી હતી જ્યારે ત્રણ દિવસ પહેલા, તેઓ (ભારત જોડાણના સભ્યો) એક વ્યૂહરચના બનાવવા માટે મુંબઈમાં મળ્યા હતા. શું તે ‘સનાતન ધર્મને સમાપ્ત કરવા’ માટે છે? આ તેમની રાજકીય વ્યૂહરચના છે. “

‘વન નેશન, વન ઈલેક્શન’ : સમિતિ કાયદા મંત્રાલયના અધિકારીઓ રામનાથ કોવિંદને મળ્યા

વન નેશન, વન ઈલેક્શન પર દેશભરમાં નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. દરમિયાન, કાયદા મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓએ રવિવારે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. કોવિંદ લોકસભા, રાજ્યોની વિધાનસભાઓ અને સ્થાનિક સંસ્થાઓ માટે એકસાથે ચૂંટણી યોજવાની શક્યતાને જોવા માટે રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિના અધ્યક્ષ છે. એક સમાચાર એજન્સી મુજબ કાયદા સચિવ નિતેન ચંદ્રા, વિધાન સચિવ રીટા વશિષ્ઠ અને અન્ય અધિકારીઓએ કોવિંદને જણાવ્યું કે તેઓ સમિતિ સમક્ષ એજન્ડા પર કેવી રીતે આગળ વધશે. નિતેન ચંદ્રા ઉચ્ચ સ્તરીય સમિતિના સચિવ પણ છે અને રીટા વશિષ્ઠનો વિભાગ ચૂંટણીના મુદ્દાઓ, લોકોનું પ્રતિનિધિત્વ અધિનિયમ અને સંબંધિત નિયમો સાથે કામ કરે છે.

‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ માટે સમિતિની રચના

કેન્દ્ર સરકારે શનિવારે લોકસભા, રાજ્ય વિધાનસભાઓ, મ્યુનિસિપલ સંસ્થાઓ અને પંચાયતોની ચૂંટણીઓ એકસાથે કરાવવાના મુદ્દા પર ધ્યાન આપવા માટે 8 સભ્યોની સમિતિની રચના કરી હતી. આ સમિતિનું નેતૃત્વ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કરશે અને તેમાં ગૃહમંત્રી અમિત શાહ, લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી, રાજ્યસભામાં પૂર્વ વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ અને ભૂતપૂર્વ નાણાં પંચના અધ્યક્ષ એનકે સિંહ સભ્યો હશે.

કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ સમિતિમાં સામેલ થવાનો ઇનકાર કરી દીધો છે. તેમણે રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેને સમિતિમાં સામેલ ન કરવા પર પણ નિશાન સાધ્યું હતું. આ વર્ષના અંતમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે કેન્દ્ર સરકારે વન નેશન, વન ઈલેક્શન પર એક સમિતિની રચના કરી છે. આ સાથે જ આગામી વર્ષે લોકસભાની ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે.કોંગ્રેસ વન નેશન, વન ઈલેક્શનને લઈને મોદી સરકાર પર પ્રહારો કરી રહી છે.

સમિતિ શું કામ કરશે?

આ સમિતિ અવિશ્વાસ પ્રસ્તાવ, પક્ષપલટા વિરોધી કાયદો અને લોકસભાની પરિસ્થિતિઓનું વિશ્લેષણ કરશે અને તે મુજબ તેના સૂચનો આપશે. આ ઉપરાંત, સમિતિ લોકસભા, વિધાનસભા, મ્યુનિસિપલ સંસ્થાઓ અને પંચાયતોની ચૂંટણીઓ એકસાથે યોજવાની સંભાવના પર વિચારણા કરશે અને ભલામણ કરશે. કમિટિનો કાર્યકાળ કેટલો રહેશે તે અંગે હાલમાં કોઈ માહિતી નથી. જો કે, કમિટીને વહેલી તકે તેનો રિપોર્ટ આપવા માટે કહેવામાં આવ્યું છે.

કેવી રીતે જીતીશું વર્લ્ડકપ? સ્વિંગ, ફાસ્ટ બોલરો સામે ભારતીય બેટર્સની ખૂલી ગઈ પોલ

કેન્ડીઃ એશિયા કપ ક્રિકેટ-2023 સ્પર્ધામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ગ્રુપ મેચ ગઈ કાલે વરસાદને કારણે અનિર્ણિત રહી. વરસાદે બે વખત કરેલા વિઘ્ન બાદ ભારતનો દાવ 266 રનમાં પૂરો થયો હતો. તે પછી પાકિસ્તાનનો દાવ શરૂ જ થઈ ન શક્યો. ગ્રુપ-Aની આ બંને ટીમને 1-1 પોઈન્ટ ફાળવી દેવાયો. આ મેચમાં ભારતની બેટિંગ કમજોરી ઊડીને આંખે વળગી છે. ટીમ પૂરી 50 ઓવર રમી શકી નહીં અને ટોપ ઓર્ડર સુપર-ફ્લોપ ઠર્યો. મિડલ ઓર્ડરમાં વિકેટકીપર ઈશાન કિશન અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને બાજી સંભાળવી પડી હતી.

એશિયા કપ સ્પર્ધા પૂરી થાય એ પછી આવતા મહિનાના પહેલા જ અઠવાડિયાથી ભારતમાં આઈસીસી ODI વર્લ્ડ કપ સ્પર્ધા શરૂ થશે. પરંતુ, ગઈ કાલે એશિયા કપની પહેલી જ મેચમાં ભારતના નબળા બેટિંગ દેખાવે દેશના ક્રિકેટચાહકોને નિરાશ કરી દીધા. કેપ્ટન અને ઓપનિંગ બેટર રોહિત શર્મા 22 બોલ રમ્યો હતો અને માત્ર 11 રન કરીને બોલ્ડ થયો હતો. એ પછી બીજો સ્ટાર બેટર અને ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી માત્ર 7 બોલ રમીને 4 રન કરીને બોલ્ડ થઈ ગયો હતો. આ બંને વિકેટ પાકિસ્તાનના ડાબોડી કાતિલ ફાસ્ટ બોલર શાહીન અફરિદીએ લીધી હતી. અન્ય ઓપનર શુભમન ગિલ અને શ્રેયસ ઐયર પણ નિષ્ફળ ગયા હતા. ઐયર શોર્ટ બોલ પર વિકેટ ફેંકીને 14 રન કરીને આઉટ થયો હતો જ્યારે ગિલે 32 બોલમાં માત્ર 10 રન કર્યા હતા અને તે અન્ય ફાસ્ટ બોલર હારિસ રઉફની બોલિંગમાં બોલ્ડ થયો હતો.

ટોપના બેટર્સનો આ શરમજનક દેખાવ દર્શાવે છે કે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની તૈયારી હજી અધૂરી છે. શાહીન અફરિદી અને જમોડી ફાસ્ટ બોલરો – નસીમ શાહ તથા રઉફની સ્વિંગ અને ઝંઝાવાતી બોલિંગનો સામનો કરવામાં ભારતના ટોચના બેટર્સની નિષ્ફળતાની સોશિયલ મિડિયા પર ખૂબ હાંસી ઉડાવાઈ છે. ભારતીય ક્રિકેટ બોર્ડ આ જ અઠવાડિયે વર્લ્ડ કપ માટેની ટીમ ઘોષિત કરવાનું છે. એના 15 ખેલાડીઓ તો એ જ હશે જે હાલ એશિયા કપમાં રમી રહ્યા છે.

ડાબોડી ફાસ્ટ બોલરો સામે રોહિત-વિરાટ ફરી ફ્લોપ

શાહીન અફરિદી સામે રોહિત શર્મા અને વિરાટ કોહલી ફરી નિષ્ફળ ગયા છે. અફરિદીના આગ વરસાવતા બોલનો સામનો કેવી રીતે કરવું તે આ બંને બેટર્સને સમજાતું નથી. 2021ની ટ્વેન્ટી-20 વર્લ્ડ કપમાં પણ રોહિત અને વિરાટ શાહીનનો સામનો કર્યો હતો. એમાં રોહિતની વિકેટ અફરિદીએ લીધી હતી. વર્લ્ડ કપમાં શાહીન ઉપરાંત ન્યૂઝીલેન્ડના ટ્રેન્ટ બોલ્ટ અને ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્કનો સામનો કેવી રીતે કરવો એ ભારતના ટોચના બેટર્સે શીખવું પડશે.

લોન પાછી ન ચૂકવનારને કોર્ટે ફટકારી જેલની સજા, રૂ.24 લાખનો દંડ

મુંબઈઃ લીધેલી લોનની રકમ પરત ન કરનાર એક જણને પડોશના થાણે જિલ્લાની એક કોર્ટે ત્રણ મહિનાની સાદી જેલની સજા ફટકારી છે અને રૂ. 24 લાખનો દંડ પણ ફટકાર્યો છે. એડિશનલ ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ જે.આર. મુલાનીએ આ કેસની સુનાવણીમાં આરોપી સૂરજ ભાગવત લોંધેને નેગોશિએબલ ઈન્સ્ટ્રૂમેન્ટ્સ એક્ટ, 1881 હેઠળ કસુરવાર ઠેરવ્યો હતો અને આદેશ આપ્યો હતો કે તેણે દંડની રૂ. 24 લાખની રકમમાંથી રૂ. 23.75 લાખ મંદા આસારામ બહિર નામક મહિલા ફરિયાદીને વળતર પેટે ચૂકવા. મંદા બહિર મીરા-ભાયંદર વિસ્તારનાં રહેવાસી છે. એમની પાસેથી સૂરજે 2017ના ડિસેમ્બરમાં રૂ. 12 લાખની રકમની ફ્રેન્ડ્લી લોન લીધી હતી.

ત્યારબાદ અનેકવાર યાદ કરાવ્યા બાદ, આરોપીએ એમને એક ચેક આપ્યો હતો, પણ તે અપૂરતા ભંડોળને કારણે બેન્કે અમાન્ય કર્યો હતો. તે પછી ફરિયાદીએ આરોપીને કાનૂની નોટિસ મોકલી હતી, પણ તે છતાં એમને લોનની રકમ પાછી મળી નહોતી. આખરે તેમણે કોર્ટમાં કેસ કર્યો. જજે કહ્યું, આ સોદો ફરિયાદી અને આરોપી વચ્ચે એક ફ્રેન્ડ્લી લોનનો હતો. પરંતુ રકમ પરત ન કરતાં ફરિયાદીને પાંચ વર્ષ સુધી આર્થિક ખોટ ભોગવવી પડી હતી. તેથી કોર્ટ દંડની રકમને ચેકની રકમ રૂ. 12 લાખ કરતાં બમણી કરે છે.

કશ્મીર, અરૂણાચલપ્રદેશ અંગે ચીનના વાંધાવચકાને પીએમ મોદીએ ફગાવ્યા

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા અઠવાડિયે સમાચાર સંસ્થા પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા (પીટીઆઈ)ને એક મુલાકાત આપી હતી. એમાં તેમણે અનેક મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. એમને એક સવાલ એ પૂછવામાં આવ્યો હતો કે, ચીન G20 સમૂહનું સભ્ય છે પણ પાકિસ્તાન સભ્ય નથી. આ બંને દેશે G20 શિખર સંમેલન અંતર્ગત કશ્મીરમાં યોજવામાં આવેલા કાર્યક્રમો અંગે વાંધો ઉઠાવ્યો છે અને કશ્મીરને વિવાદાસ્પદ પ્રદેશ તરીકે ઓળખાવ્યો છે. ચીને તો વળી અરૂણાચલ પ્રદેશ ઉપર ભારતના સાર્વભૌમત્વ સામે પણ તેનો વિરોધ વ્યક્ત કર્યો છે. તો આ વિશે તમારું શું માનવું છે?  તેના જવાબમાં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે, ‘આ સવાલ ત્યારે ઉચિત ગણાત જો આપણે કશ્મીર અને અરૂણાચલ પ્રદેશમાં G20 બેઠકો યોજી ન હોત. આપણો દેશ વિશાળ, સુંદર અને વિવિધતામાં એકતાથી સભર છે. હાલ આપણા દેશના દરેક ભાગમાં G20 સંમેલનો યોજાઈ રહ્યા છે એ કુદરતી જ કહેવાય. ભારતના યજમાનપદની મુદત પૂરી થશે ત્યારે આપણો દેશ તમામ 28 રાજ્યો અને આઠ કેન્દ્રશાસિત પ્રદેશોના 60 શહેરોમાં 220થી વધારે G20 બેઠકો યોજી ચૂક્યું હશે. 125 દેશોના એક લાખથી વધુ સહભાગીઓ ભારતના લોકોનું કૌશલ્ય નિહાળશે.’

ઉલ્લેખનીય છે કે, ભારત હાલ એક વર્ષ માટે G20 દેશોના શિખર સંમેલનો માટેનું યજમાનપદ ધરાવે છે. ગઈ 22 મેથી શ્રીનગરમાં ત્રણ દિવસ માટે G20 વર્કિંગ ગ્રુપના સભ્યોની પર્યટન વિષય પર બેઠક યોજવામાં આવી હતી. તે કાર્યક્રમમાં ચીનને બાદ કરતાં તમામ G20 દેશોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. એવી જ રીતે પ્રતિનિધિઓએ ગયા માર્ચમાં અરૂણાચલ પ્રદેશમાં આયોજિત બેઠકમાં પણ ભાગ લીધો હતો.

‘ગદર 2’ની સક્સેસ પાર્ટીમાં ત્રણેય ખાન અભિનેતાએ પણ હાજરી આપી

મુંબઈઃ સની દેઓલ અને અમિષા પટેલ અભિનીત હાલમાં જ રિલીઝ થયેલી અને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહેલી હિન્દી ફિલ્મ ‘ગદર 2’ની સફળતાની ઉજવણી કરવા સની દેઓલે મુંબઈમાં યોજેલી પાર્ટીમાં તેના અનેક સહ-કલાકારોએ હાજરી આપી હતી.

પાર્ટીમાં ત્રણ ટોચના ખાન અભિનેતાઓએ પણ હાજરી આપી હતી – શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન. શાહરૂખ તેની પત્ની ગૌરી ખાન સાથે આવ્યો હતો. સલમાન પાર્ટીમાંથી વહેલો જતો રહ્યો હતો. શાહરૂખ અને આમિરે બાદમાં સની દેઓલ સાથે ફોટા પડાવ્યા હતા.

એનબીટીની 73મી વર્ષગાંઠના ઉજવણી કાર્યક્રમમાં બોલીવુડ કલાકારોની ઉપસ્થિતિ

જાણીતા હિન્દી અખબાર નવભારત ટાઈમ્સની 73મી વર્ષગાંઠ નિમિત્તે 1 સપ્ટેમ્બર, શુક્રવારે મુંબઈમાં યોજાઈ ગયેલા કાર્યક્રમ ‘એનબીટી ઉત્સવ-2023’માં બોલીવુડનાં અનેક કલાકારોએ હાજરી આપી હતી. અનેક બોલીવુડ હસ્તીઓનું આ પ્રસંગે એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરની તસવીરમાં નજરે પડે છેઃ (ડાબેથી જમણે) કાજોલ, કાર્તિક આર્યન અને અદિતી રાવ હૈદરી (તસવીર અને વીડિયોઃ માનસ સોમપુરા)

કાજોલ

મનિષ પૌલ

વાણી કપૂર

જાવેદ અખ્તર

અદિતી રાવ હૈદરી

કાર્તિક આર્યન

વરુણ ધવન

અપારશક્તિ ખુરાના

સાન્યા મલ્હોત્રા

કૃતિ સેનન

શું કેવાયસીના પૂર્ણ વેલિડેશન વિના સોમવારથી શેર સોદા કરવા નહીં મળે?

મુંબઈઃ કેપિટલ માર્કેટની નિયમન સંસ્થા ‘સેબી’એ કેઆરએ (કેવાયસી રજિસ્ટ્રેશન એજન્સી) અને બ્રોકરોને તમામ ગ્રાહકો અને સંબંધિત વર્ગના તમામ ફિલ્ડ્સના કેવાયસી (નો યોર ક્લાયન્ટ્સ) ડેટા પૂર્ણપણે વેલિડેટ થયા હોવાની ખાતરી મેળવવા કહ્યું હોવાનો અહેવાલ છે. આમ તો આ પ્રોસેસ કેઆરએ અને એક્સચેંજના મેમ્બર્સ બ્રોકર્સ વચ્ચે ઘણાં મહિનાથી ચાલુ છે, પરંતુ હવે ‘સેબી’ના આ આદેશનું પાલન નહીં કરનારને તા. ૪ સપ્ટેમ્બરથી શેરબજારમાં સોદા કરવા મળશે નહીં, અર્થાત જે રોકાણકારનું એકાઉન્ટ પૂર્ણપણે વેલિડેટ થયું નહીં હોય તેમના એકાઉન્ટ્સમાં સોદા થઈ શકશે નહીં.

કેઆરએ અને બ્રોકરોએ તેમના ગ્રાહકોનાં બધાં ફિલ્ડ્સના ડેટા રેગ્યુલેશન મુજબ વેલિડેટ થયા હોવાની ખાતરી કરવા સંયુક્ત રીતે કાર્ય કરવું જોઈશે. આ વિષયમાં એક્સચેંજ અને ડિપોઝિટરીઝ કેઆરએ, બ્રોકર્સ અને ડીપી (ડિપોઝિટરી પાર્ટિસીપન્ટ્સ)ને સુવિધા માટે સહાય કરશે. જેથી ગ્રાહકોનું ટ્રેડિંગ અટકે નહીં.

રાશિ ભવિષ્ય 03/09/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસ સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવુ, તાવ, માથા, આંખ,હાડકાની તકલીફથી સાચવવુ, વાર્તાલાપમા ક્યાય ગેરસમજ ના થાય તેનુ ધ્યાન રાખવુ, પ્રિયજન સાથેની ખરીદી પાછળકે ફરવામા ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય.


આજનો દિવસ સરસ રીતે પસાર થાય કારણકે તમને ઉત્સાહ સારો રહે અને નવીનકામનુ આયોજન થાય, પ્રિયજન સાથે પસંદગીની કોઈ વાત આપલે થાય, ધાર્મિકકાર્ય હેતુ ક્યાય મુસાફરી થાય અને તેમા તમને ખુશીની લાગણી અનુભવાય, તમે આજે કોઈને મદદ કરવાની સદભાવના રાખો તેવુ બની શકે.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સમય સારી રીતે પસાર થાય, ક્યાંક બિનજરૂરી નાણાકીય ખર્ચ થઈ શકે છે, પ્રિયજન સાથે હરવાફરવામા ઉત્સાહ સારો જોવા મળે, તેમને કોઇ પરિચિત સાથેના સંપર્ક દ્વારા તમારા કોઈ કામની સારી વાત સાંભળવા મળી શકે કે લાભની વાત થઈ શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો ખાસ કરીને વાદવિવાદથી દુર રહેવુ જરૂરી છે જેથી ખોટો અજંપો ટાળી શકાય, વાહન ધીમે ચલાવવુ, કફ, છાતી, પ્રેસર જેવી તકલીફથી સાચવવુ, કામકાજમા મહેનત કરતા ઓછુફળ મળે, જીવનસાથી સાથે ખોટીવાર્તાલાપ ના થાય તેનુ ધ્યાન રાખવુ.


આજનો દિવસ સામાન્ય છે, કામકાજમા થોડી વ્યસ્તતા જોવા મળી શકે છે, મનમા થોડી અશાંતિ જોવા મળી શકે છે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી, સોના-ઝવેરાત, ફાર્મા જેવા ક્ષેત્રમા કામકરનારને માનસિક થાકની લાગણી વધુ અનુભવાય. માર્કેટિંગક્ષેત્રમા તમને સમયનોવ્યય વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સારી રીતે પસાર થઇ શકે છે અને જો  જુનાકામની કોઈ ગુંચ પડેલી હોયતો તેને ઉકેલી શકાય તેવા યોગ છે, તમારા મનમા રહેલી કોઈ ઈચ્છા પૂરી થાયકે તેમા તમને કોઇ મદદ કરતા મળે તેવુ પણ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમા ઉત્સાહ સારો જોવા મળે, પ્રિયજનસાથે ફરવા જવાના યોગ પણ છે.


આજનો દિવસ તમારે સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે , વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, હિતશત્રુ અને ખટપટીલોકોથી દુર રહેવાની જરૂર છે, ચામડી,એલર્જી,,ડાયાબીટીસ, સ્ત્રીદર્દ ભોગવતા લોકોએ થોડી તકેદારી રાખવી, માર્કેટિંગક્ષેત્રમા માનસિકથાક અને કામ ટાળવાની વૃતિ જોવા મળી શકે છે.


આજનો દિવસ સરસ છે અને તેમા પણ જો કોઈ જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી અને લાગણી તમારા મુખ પર સ્પષ્ટ દેખાઈ આવે, તમારા કોઈ કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, જમીન, બાંધકામ, વાહનવ્યવહાર, ધાતુ, જેવા ક્ષેત્રમા કામકરનારને નવીનતક ઝડપવાના યોગ બને છે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો, વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવુ જેથી બિનજરૂરી વિવાદ ટાળી શકાય, પેટ, આંતરડા, ડાયાબીટીસના દર્દીએ તકેદારી રાખવી, થોડી આરામકરવાની વૃતી રહે, આજે ધીરજ, પ્રભુભક્તિમા સમય પસાર કરવો શ્રેષ્ઠ છે.


આજનો દિવસ સારો છે, તમને તમારા કામકાજમા ઉત્સાહ સારો રહે,  પ્રિયજન સાથે ક્યાંક મુસાફરી થઈ શકે  છે, તમારા ધાર્યાકામ થઇ શકે તેવા યોગ બની રહ્યા છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમા વધુ સમય ફાળવવો યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા મહેનત કાર્યનો સંતોષ જોવા મળી શકે છે, મિલનમુલાકાત સફળ રહે.


આજનો દિવસ સામાન્ય છે, તમારા કામમા વ્યસ્તતા વધુ રહે તેવા સંજોગો બની શકે છે, લાકડા,ચામડા, ધાતુ, ઓઈલ,પેટ્રોલ, કોમ્પુટરક્ષેત્રમા કામ કરનારવર્ગમા નવીનતા જોવા મળે,  તમે જુનાકામમા અટવાવતો તેમા જલ્દીથી ઉકેલ ન આવે અને સમયનો વ્યય થાય, હરવાફરવામા બિનજરૂરી ખર્ચાકે ખરીદી થાય.


આજનો દિવસ સામાન્ય છે, તમારા મિત્રો સાથે કામની કોઈ લાભકારી ચર્ચા થાય અને તેમા તમારી ગણતરીમુજબ કામ થાય તેવુ બની શકે છે, મુસાફરીના યોગ છે, માર્કેટિંગક્ષેત્રમા રેફરન્સથી કામ કરોતો લાભ થાય, આજે તમારામા ધાર્મિકભાવના પણ સારી જોવા મળે અને ધાર્મિકસ્થળની મુલાકાત પણ થાય.

પંચાંગ 03/09/2023