હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ત્યારે આ માસમાં અનેક સાતમ આઠમ રક્ષાબંધન જેવા અનેક તહેવારો આવતા હોય છે. ત્યારે આ તહેવારોની સિઝનમાં રાહતના સમાચાર સામે આવ્યા છે. સીંગતેલના ભાવમાં પ્રતિ ડબ્બે 40 રૂપિયાનો ઘટાડો થયો છે. રાજ્યમાં સાતમ આઠમના તહેવાર પહેલા રાહતના સમાચાર આવ્યા છે, સીંગતેલમાં ડબ્બે રૂપિયા 40નો ઘટાડો થતા ગૃહિણીઓને મોટી રાહત મળી છે. જોકે આ ભાવ ઘટાડા પછી હજુ પણ સીંગતેલના ડબ્બાનો ભાવ 3000 રૂપિયાને પાર છે.સીંગતેલના ભાવમાં રૂપિયા 40નો ઘટાડો થતાં સીંગતેલનો ડબ્બો 3060 રૂપિયાએ પહોંચ્યો છે.
સૌરાષ્ટ્રમાં નવી મગફળીની આવકના પગલે ભાવમાં ઘટાડો
રાજકોટમાં સીંગતેલનો ડબ્બો 3000 થી 3,040 રૂપિયા બોલાઈ રહ્યો છે.સૌરાષ્ટ્રમાં નવી મગફળીની આવક થતા ભાવમાં ઘટાડો થયો છે. સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં સતત મગફળીની આવકમાં હવે વધારો થશે જેથી સીંગતેલેના ભાવમાં આગળ પણ ઘટાડો ધવાની ધારણા છે.આમ સૌરાષ્ટ્રમાં નવી મગફળીની આવકના પગલે ભાવમાં ઘટાડો થયો છે.
દિલ્હીમાં યોજાનારા G-20ને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે 8, 9 અને 10 સપ્ટેમ્બરે રજા જાહેર કરી છે. આ માટે દિલ્હી પોલીસે સરકારને ભલામણ કરી હતી. દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનરે મુખ્ય સચિવને પત્ર મોકલ્યો હતો. હવે દિલ્હી સરકારે નિર્ણય લેતા ત્રણ દિવસની રજા જાહેર કરી છે. દિલ્હી સરકારની તમામ ઓફિસ, MCD અને સરકારી શાળાઓમાં રજા રહેશે. આ સિવાય વીઆઈપી મુવમેન્ટના કારણે અનેક માર્ગો પર પ્રતિબંધ રહેશે.
ટ્રાફિક પોલીસના સ્પેશિયલ કમિશનર એસએસ યાદવે કહ્યું કે 7 સપ્ટેમ્બરની મધ્યરાત્રિથી 12 દિવસથી દિલ્હી વિસ્તાર અને અન્ય પ્રતિબંધિત અથવા સુરક્ષા સ્થળોએ કોઈ પ્રવેશ કરી શકશે નહીં. બોર્ડર પરથી માત્ર આવશ્યક ચીજવસ્તુઓના વાહનોને જ પ્રવેશ મળશે. દૂધ, શાકભાજી, રાશન, દવાઓ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની ટ્રકોને પ્રવેશ મળશે. ડીટીસી બસોને નવી દિલ્હીને અડીને આવેલા વિસ્તારોમાં ડાયવર્ટ કરવામાં આવશે અથવા બંધ કરવામાં આવશે. ગાઝીપુર, સરાય કાલે ખાન અને આનંદ વિહારમાં પણ આંતરરાજ્ય બસો રોકાશે. હરિયાણા અને રાજસ્થાનની આંતરરાજ્ય બસોને પણ રાજોકરી બોર્ડર પર જ રોકવામાં આવશે.
બેંકો પણ બંધ રહેશે
આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં તમામ ખાનગી ઓફિસો અને સંસ્થાઓ પણ બંધ રહેશે. દિલ્હી પોલીસના નવી દિલ્હી જિલ્લા હેઠળ આવતી બેંકો અને નાણાકીય સંસ્થાઓ પણ બંધ રહેશે. દિલ્હી પોલીસના નવી દિલ્હી જિલ્લામાં પૂર્વ-નિર્ધારિત નકશા મુજબ દુકાનો અને વ્યવસાયિક પ્રસ્થાન પણ બંધ રહેશે. જી-20 સમિટ દરમિયાન રસ્તાના બદલે મેટ્રો દ્વારા મુસાફરી કરી શકાશે. એરપોર્ટ, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, હોસ્પિટલ જેવા સ્થળો માટે મેટ્રોનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ, ખાન માર્કેટ, મંડી હાઉસ, કેન્દ્રીય સચિવાલય જેવા કેટલાક મેટ્રો સ્ટેશન બંધ રાખવામાં આવી શકે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15મી BRICS સમિટમાં ભાગ લેવા માટે મંગળવારે સાંજે લગભગ 5.15 વાગ્યે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ પહોંચ્યા હતા. આ દરમિયાન એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. PM મોદી અહીં રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાના આમંત્રણ પર આવ્યા છે અને 22 થી 24 ઓગસ્ટ સુધી રોકાશે. પીએમ મોદીના સ્વાગત માટે મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકો એરપોર્ટ પર હાજર હતા. આ દરમિયાન મોદીએ લોકોનું અભિવાદન કર્યું અને હાથ મિલાવ્યા. દક્ષિણ આફ્રિકા જતા પહેલા પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સમિટ સભ્ય દેશોને ભાવિ સહયોગના ક્ષેત્રોને ઓળખવા અને સંસ્થાકીય વિકાસનો હિસ્સો લેવા માટે ઉપયોગી તક પૂરી પાડશે. બ્રિક્સ સમૂહમાં ભારત ઉપરાંત રશિયા, ચીન, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. 2019 પછી બ્રિક્સ નેતાઓની આ પ્રથમ સામ-સામે સમિટ છે.
પીએમ મોદીએ ‘X’ પર લખ્યું, હું ‘બ્રિક્સ-આફ્રિકા આઉટરીચ’ અને ‘બ્રિક્સ પ્લસ ડાયલોગ’ કાર્યક્રમોમાં પણ ભાગ લઈશ. બ્રિક્સ સમિટ ‘ગ્લોબલ સાઉથ’ અને વિકાસના અન્ય ક્ષેત્રોની ચિંતાના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે. મોદીએ કહ્યું કે તેઓ ઘણા મહેમાન દેશો સાથે વાતચીત કરવા ઉત્સુક છે જેમને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે હું જોહાનિસબર્ગમાં હાજર કેટલાક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરવા માટે પણ ઉત્સુક છું.
PM Modi receives traditional South African welcome in Johannesburg
બ્રિક્સ સંમેલન દરમિયાન પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે શું ચર્ચા થશે? આ પ્રશ્ન પર વિદેશ સચિવ ક્વાત્રાએ સોમવારે (21 ઓગસ્ટ) કહ્યું કે પીએમ મોદીની દ્વિપક્ષીય બેઠકો હજુ નક્કી કરવામાં આવી રહી છે.
શું છે એજન્ડા?
બ્રિક્સના વિસ્તરણ અંગે ક્વાત્રાએ કહ્યું, “જ્યારે બ્રિક્સના વિસ્તરણની વાત આવે છે ત્યારે અમારો હેતુ સકારાત્મક છે. બ્રિક્સનું વિસ્તરણ એ સમિટનો મહત્વનો એજન્ડા છે. લગભગ 23 દેશોએ આ ગ્રુપના સભ્યપદ માટે અરજી કરી છે.
બ્રિક્સનું યોગદાન શું છે?
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, બ્રિક્સમાં સમાવિષ્ટ દેશોની કુલ વસ્તી વિશ્વની વસ્તીમાં 41 ટકા, વૈશ્વિક જીડીપીમાં 31.5 ટકા અને વૈશ્વિક વેપારમાં 16 ટકા યોગદાન આપે છે. બ્રાઝિલ, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા 2022માં 166 BRICS ઇવેન્ટમાં રશિયા સાથે જોડાશે અને કેટલાક સભ્યો રશિયા માટે મહત્વપૂર્ણ નિકાસ બજારો બનશે.
દક્ષિણ આફ્રિકાના પ્રવાસ બાદ PM મોદી ક્યાં જશે?
દક્ષિણ આફ્રિકા પછી પીએમ મોદી તેમના ગ્રીક સમકક્ષ કિરિયાકોસ મિત્સોટાકિસના આમંત્રણ પર 25 ઓગસ્ટે એથેન્સની મુલાકાત લેશે. તેમણે કહ્યું, મને છેલ્લા 40 વર્ષમાં ગ્રીસની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન બનવાનું સન્માન મળશે.
ન્યૂયોર્કઃ સની દેઓલ અને અમિષા પટેલ અભિનીત ‘ગદર 2’ ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર રીતે સફળ થઈ છે. અનિલ શર્મા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ 2001માં આવેલી અને હિટ થયેલી ગદર ફિલ્મની સીક્વલ છે. અમેરિકન સિંગર નિક જોનસને પરણીને અમેરિકામાં સ્થાયી થયેલી બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ ‘ગદર 2’ ફિલ્મની સફળતા બદલ અનિલ શર્માને અભિનંદન આપ્યાં છે. પ્રિયંકા અને તેનાં પતિ નિક જોનસે હસ્તલિખિત નોંધ મારફત શર્માને અભિનંદન આપ્યાં છે.
જોનસ દંપતીએ નોંધની સાથે શર્માને એક પુષ્પગૂચ્છ મોકલ્યો છે. નોંધમાં લખ્યું છેઃ ‘મુરબ્બી અનિલ સર, ‘ગદર 2’ની સુપર સફળતા માટે આપને અભિનંદન. ભાવિ યોજનાઓ માટે પણ શુભેચ્છા. પ્રિયંકા અને નિક.’
અનિલ શર્માએ આ શુભચેષ્ટા બદલ પ્રિયંકા અને નિકનો આભાર માન્યો છે. પ્રિયંકા હાલ અમેરિકામાં તેનાં અંગ્રેજી ફિલ્મ, ટીવી સીરિઝ પ્રોજેક્ટોમાં વ્યસ્ત છે.
સચિન તેંડુલકર. આ નામને કોઈ પરિચયની જરૂર નથી. હવે આવા વ્યક્તિત્વને કોણ પોતાની સાથે જોડવા માંગતું નથી. ભારતના ચૂંટણી પંચે પણ આવું જ કર્યું છે. ભારતના ચૂંટણી પંચે સચિન તેંડુલકરને પોતાની સાથે સાંકળી લીધો છે. ભારતના ચૂંટણી પંચે એક મોટો નિર્ણય લેતા વિશ્વ ક્રિકેટમાં માસ્ટર બ્લાસ્ટર તરીકે જાણીતા સચિન તેંડુલકરને પોતાનો નેશનલ આઈકોન બનાવ્યો છે. સચિન તેંડુલકર જેવી ઈમેજ ધરાવે છે, આ રોલમાં તેના કરતા સારો વિકલ્પ ભાગ્યે જ હોઈ શકે.
મતલબ કે ભારત રત્નથી સન્માનિત સચિન તેંડુલકર હવે સમગ્ર દેશમાં ચૂંટણી પંચનો ચહેરો બનશે. તમને જણાવી દઈએ કે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વ ક્રિકેટમાં પણ સચિનની છબી એક સ્વચ્છ અને નિષ્કલંક ક્રિકેટરની રહી છે. 24 વર્ષ સુધી ક્રિકેટમાં રહીને એક જ છબી જાળવી રાખવી સરળ નથી. પરંતુ, સચિને આમ કરીને બતાવ્યું. અને હવે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી પણ તેની એ છબી એવી જ છે.
સચિન તેંડુલકર પણ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. અહીં તેના ઘણા ફોલોઅર્સ છે. અને આ પણ એક મોટું કારણ છે, જેના કારણે ચૂંટણી પંચે તેમને પોતાનો નેશનલ આઇકોન બનાવવાનો નિર્ણય લીધો હશે. સચિન આવનારા દિવસોમાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરતો પણ જોવા મળી રહ્યો છે. પછી તે માત્ર ક્રિકેટર જ હોય તે જરૂરી નથી. તેણે ચેસ ખેલાડી પ્રજ્ઞાનંદને સૌથી યુવા વર્લ્ડ કપ ફાઇનલિસ્ટ બનવા બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા.
ભોપાલઃ મધ્ય પ્રદેશમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે. વિધાનસભા ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ પાર્ટીએ કમર કસી છે. કોંગ્રેસાધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાજ્યની જનતાને ચૂંટણીવચનો આપ્યાં છે. તેમણે કહ્યું હતું કે જો MPમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોનાં દેવા માફ કરવામાં આવશે. રાજ્યની મહિલાઓને પ્રતિ મહિને રૂ. 1500 આપવામાં આવશે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે જો કમલનાથ CM બનશે તો મધ્ય પ્રદેશના ખેડૂતોનું દેવું માફ કરી દેવામાં આવશે. રાજ્યમાં રૂ. 500માં LPG સિલિન્ડર ઉપલબ્ધ કરાવવામાં આવશે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે 100 યુનિટ સુધીનાં વીજ બિલ માફ કરવામાં આવશે. જૂની પેન્શન યોજના સરકારી કર્મચારીઓ માટે લાગુ થશે. આ ઉપરાંત તેમણે રાજ્યમાં જાતિગત વસતિ ગણતરી કરવાનું વચન પણ આપ્યું છે. તેમણે કહ્યું હતું કે આનાથી પછાત વર્ગોને ફાયદો થશે. તેમણે કહ્યું કે આ કારણે જ અમે પછાત વર્ગના છ યુવાનોને વર્કિંગ કમિટીનો હિસ્સો બનાવ્યો છે.
मध्य प्रदेश से कांग्रेस का वादा
🔹गैस सिलेंडर: 500 रुपए 🔹हर महिला को 1,500 रुपए प्रति महीना 🔹बिजली: 100 यूनिट माफ, 200 यूनिट हाफ 🔹किसानों का कर्ज माफ 🔹पुरानी पेंशन योजना लागू होगी 🔹जातिगत जनगणना करवाएंगे pic.twitter.com/4jpE9cIUZT
તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે મધ્ય પ્રદેશની આ સરકાર ગેરકાયદે છે. તેમણે અમારા ધારાસભ્યોની ચોરી કરી, બીજી તરફ તેઓ કહે છે કે તેમણે પોતાના સિદ્ધાંતો પર સરકાર બનાવી છે. તેઓ હંમેશાં પૂછે છે કે કોંગ્રેસે 70 વર્ષમાં શું કર્યું. અમે બંધારણને બચાવ્યું તેથી તેઓ વડા પ્રધાન બન્યા છે.
દક્ષિણના પ્રખ્યાત અભિનેતા પ્રકાશ રાજ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. તાજેતરમાં જ પ્રકાશ રાજે ચંદ્રયાન 3 અંગે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટને લઈને હોબાળો થયો હતો અને આરોપ લગાવવામાં આવ્યો હતો કે પ્રકાશ રાજે ચંદ્રયાન-3 મિશનની મજાક ઉડાવી હતી. આ મામલામાં હવે તેની સામે બાગલકોટના બનાહટ્ટી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે, રવિવારે પ્રકાશ રાજે ટ્વિટર પર શર્ટ અને લુંગી પહેરેલા એક વ્યક્તિની કાર્ટૂન તસવીર શેર કરી હતી, જેમાં તે ચા રેડી રહ્યો હતો. આ તસવીર પોસ્ટ કરતાં પ્રકાશ રાજે લખ્યું, ‘હમણાં જ ચંદ્રયાનનો પહેલો વ્યૂ મળ્યો.’ પ્રકાશ રાજે લખ્યું, જેઓ માત્ર નેગેટિવ વસ્તુઓ જ જુએ છે તે જ જુએ છે. હું આર્મસ્ટ્રોંગના સમયમાં અમારા કેરળના ચાવાળાને ઉજવણી કરતા બતાવી રહ્યો હતો – ટ્રોલ્સે કયા ચાવાળાને જોયા? જો તમને કોઈ મજાક સમજાતી નથી, તો આ તમારા પર મજાક છે.
આ તસવીર સામે આવ્યા બાદ પ્રકાશ રાજની સોશિયલ મીડિયા પર ટીકા થવા લાગી હતી. લોકોએ કહ્યું કે ચંદ્રયાન-3 મિશન દેશના ગૌરવ સાથે જોડાયેલું છે, જેની પ્રકાશ રાજ મજાક ઉડાવી રહ્યા છે. ઈસરોના જણાવ્યા અનુસાર, ચંદ્રયાન-3 આવતીકાલે એટલે કે 23 ઓગસ્ટે ભારતીય સમય અનુસાર લગભગ 18:04 કલાકે ચંદ્ર પર ઉતરવા માટે તૈયાર છે. અભિનેતા પ્રકાશ રાજના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેતા ‘સિંઘમ’થી લઈને ‘વોન્ટેડ’ અને ‘દબંગ’ સુધીની હિટ ફિલ્મોમાં જોવા મળ્યો છે. પ્રકાશ રાજ દક્ષિણના જાણીતા અભિનેતા છે. બોલિવૂડ ફિલ્મોમાં તેને વિલનની ભૂમિકામાં સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. તેના જોરદાર અભિનયના લાખો ચાહકો છે.
અમદાવાદઃ દર વર્ષે ચોમાસાની સીઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરતો હોય છે. છે. હાલ અમદાવાદ સહિત રાજ્યનાં કેટલાંક શહેરોમાં રોગચાળાએ ભરડો લીધો છે. જેને લઈને ઘેરેઘેર માંદગીના વાવડ છે. વાદળછાયા વાતારણ અને ભારે વરસાદ બાદ ભરાયેલા પાણીને લઈને મચ્છરનો ઉપદ્રવ વધતાં મચ્છરજન્ય રોગચાળો વધ્યો છે. બીજી બાજુ, ચોમાસાની ઋતુને લઇને પાણીજન્ય રોગચાળાએ પણ હાલ અમદાવાદમાં કાળો કહેર વર્તાવ્યો છે. અમદાવાદમાં ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના 407 કેસ નોંધાયા છે.
અમદાવાદમાં ડેન્ગ્યુ અને મલેરિયાનો કાળો કહેર વર્તાયો છે. મચ્છરજન્ય અને પાણીજન્ય કેસમાં વધારો નોંધાયો છે. ચાલુ મહિના ઓગસ્ટની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુના 407 કેસ સાદા મલેરિયાના 111 કેસ, ઝેરી મલેરિયાના 7 કેસ, ચિકનગુનિયાના નવ કેસ, ઝાડા-ઊલટીના 619 કેસ, ટાઈફોઈડના 467 કેસ નોંધાયા છે. ઓગસ્ટમાં કમળાના 114, કોલેરાના 20 કેસ નોંધાયા છે.
આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું
આરોગ્ય તંત્ર હવે પણ સફાળું જાગ્યું છે અને AMC દ્વારા મચ્છરોની બ્રિડિંગ સાઇટને લઇને ચેકિંગ હાથ ધરાયુ હતું. બાંધકામ સાઇટ, શાળા, હોસ્પિટલો સહિતના સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. બીબી બાજુ, સુરતમાં રોગચાળો બેકાબૂ બન્યો છે. રોગચાળાથી ચાલુ સીઝનમાં વધુ 2 લોકોનાં મોત સાથે કુલ 30થી વધુ લોકોનાં મોત થતાં હાહાકાર મચી ગયો છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો જીવલેણ બની ગયો છે.
યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, રશિયન વાયુસેનાએ સ્નેક આઇલેન્ડ પર એક અમેરિકન લશ્કરી બોટને તોડી પાડી છે. યુક્રેનિયન સૈનિકો હાઇ સ્પીડ મિલિટરી બોટમાં સવાર હતા. રશિયાના સંરક્ષણ મંત્રાલયે આની જાહેરાત કરી છે. ભારતીય સમય અનુસાર બપોરે દોઢ વાગ્યે આ ઘટના બની હતી. સ્નેક આઇલેન્ડ એ કાળા સમુદ્રમાં યુક્રેનનો એક વિસ્તાર છે. અગાઉ, બ્લેક સી ફ્લીટના Su-30 એરક્રાફ્ટ (રશિયન એરક્રાફ્ટ) એ યુક્રેનિયન બોટને નિશાન બનાવ્યું હતું.
થોડા દિવસો પહેલા નોવોરોસિયસ્કમાં યુક્રેનિયન સી ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. રશિયન નેવલ શિપ ઓલેનેગોર્સ્કી ગોર્નાયક પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. છેલ્લા 2 મહિનાથી યુક્રેને કાળા સમુદ્રમાં નેવલ અને ડ્રોન હુમલામાં ત્રણ ગણો વધારો કર્યો છે. બીજી તરફ મોસ્કોની ઉત્તર પશ્ચિમ સરહદને અડીને આવેલા ક્રાસ્નોગોર્સ્કમાં ભારે તારાજી સર્જાઈ છે. યુક્રેનિયન ડ્રોન વિસ્ફોટથી ક્રાસ્નોગોર્સ્કમાં રહેણાંક મકાનને નુકસાન થયું છે. યુક્રેનિયન ડ્રોનના કાટમાળથી અથડાયા બાદ એપાર્ટમેન્ટની બારીઓ તૂટી ગઈ હતી. ડ્રોન સાથે અથડાયા બાદ બિલ્ડીંગની નજીકના સેંકડો વાહનોને નુકસાન થયું છે. ડ્રોન વિસ્ફોટ બાદ ક્રાસ્નોગોર્સ્કમાં ગભરાટનો માહોલ છે.
23 ઓગસ્ટે ભારતના ચંદ્રયાન-3ના સોફ્ટ લેન્ડિંગ પહેલા તેના લેન્ડરમાં લાગેલા કેમેરાએ ચંદ્રની તસવીરો લીધી છે. ISROએ એક નાનો વીડિયો ટ્વીટ કરીને ‘લેન્ડર ઇમેજર કેમેરા 4’માંથી લીધેલી તસવીરો જાહેર કરી છે. વીડિયોમાં ચંદ્રની સપાટી ખૂબ જ ચમકદાર દેખાઈ રહી છે, જેમાં ઘણી જગ્યાએ ક્રેટર (ખાડા) પણ દેખાય છે. ISRO અનુસાર, આ તસવીરો રવિવાર (20 ઓગસ્ટ, 2023)ના રોજ લેવામાં આવી હતી.
Chandrayaan-3 Mission:
The mission is on schedule.
Systems are undergoing regular checks.
Smooth sailing is continuing.
The Mission Operations Complex (MOX) is buzzed with energy & excitement!
The live telecast of the landing operations at MOX/ISTRAC begins at 17:20 Hrs. IST… pic.twitter.com/Ucfg9HAvrY
દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3ના સોફ્ટ લેન્ડિંગ પર સમગ્ર વિશ્વની નજર છે
ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે. આ ભારતનું ત્રીજું ચંદ્ર મિશન છે, જેના પર સમગ્ર વિશ્વની નજરો કેન્દ્રિત છે કારણ કે આ પહેલા 20 ઓગસ્ટ, રવિવારના રોજ રશિયન ચંદ્ર મિશન ‘લુના-25’ અકસ્માતને કારણે નિષ્ફળ ગયું હતું. તેણે પણ દક્ષિણ ધ્રુવ પર ઉતરવું પડ્યું. અત્યાર સુધી કોઈ દેશ ચંદ્રના આ ભાગ સુધી પહોંચી શક્યો નથી. જો ચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિંગ સફળ થશે તો ભારત દક્ષિણ ધ્રુવ પર ઉતરાણના મામલે આ સિદ્ધિ મેળવનાર પ્રથમ દેશ બની જશે.
ઈસરોના વડા એસ સોમનાથે કહ્યું છે કે હાલમાં તમામ બાબતો યોગ્ય રીતે કામ કરી રહી છે. તેમણે નિર્ધારિત સમય પર ચંદ્રયાન-3ના સોફ્ટ લેન્ડિંગ અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ઈસરોના વડા સોમનાથે કહ્યું કે ચંદ્રયાન-3ની અત્યાર સુધીની સફરમાં એવું કંઈ થયું નથી, જે ન થવું જોઈએ. તેમણે કહ્યું કે તમામ સિસ્ટમોએ અત્યાર સુધી ઈસરોની જરૂરિયાત મુજબ કામગીરી કરી છે. ચંદ્રયાન-3ના સોફ્ટ લેન્ડિંગ અંગે ઈસરોના વડાએ કહ્યું કે તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.