Home Blog Page 2595

મહારાષ્ટ્રમાં સપ્ટેમ્બર સુધી CM બદલાઈ જશે?

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં બધું સમુંસૂતરું નથી ચાલી રહ્યું. રાજ્યમાં વિપક્ષના નેતા વિજય વડેટ્ટીવારે કહ્યું હતું કે રાજ્યના રાજકારણમાં જે કંઈ ચાલી રહ્યું છે, એ યોગ્ય નથી. તેમણે દાવો કર્યો હતો કે આ સરકાર વધુ સમય સુધી નહીં ચાલે.

નાગપુરમાં પત્રકારો સાથે વાત કરતાં કોંગ્રેસ નેતા વિજય વડેટ્ટીવારે કહ્યું હતું કે રાજ્યમાં મુખ્ય પ્રધાનની ખુરશી જોખમમાં છે. હું કહી શકું છું કે સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના CM બદલાઈ જશે. ભાજપ, મુખ્ય મંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના અને અજિત પવારના નેતૃત્વવાળા NCP જૂથ રાજ્ય સરકારમાં સત્તારૂઢ ભાગીદાર છે. અજિત પવાર પાછલા મહિને શરદ પવાર દ્વારા સ્થાપિત NCPથી અલગ થયા હતા અને સરકારમાં સામેલ થઈ ગયા છે.

પાછલા મહિને સત્તારૂઢ પક્ષની સાથે હાથ મિલાવ્યા પછી અજિત પવાર બીજા ડેપ્યુટી CM બન્યા હતા, જ્યારે તેમની પાર્ટીના આઠ સહયોગીઓએ મંત્રીપદના શપથ લીધા હતા. ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ CM દેવેન્દ્ર ફડણવીસ પણ ડેપ્યુટી CM છે.

જૂન, 2022માં શિંદે દ્વારા વિદ્રોહ કરીને શિવસેનાને વિભાજિત કરીને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી મહા વિકાસ આઘાડી સરકાર પડી ગઈ હતી. ત્યાર બાદ શિંદેએ ટોચના પદ પર કબજો જમાવવા માટે ભાજપની સાથે ગઠબંધન કરી લીધું હતું.

 

 

 

 

 

‘ગદર 2’એ આઠ દિવસમાં રૂ. 300 કરોડથી વધુની કમાણી કરી

નવી દિલ્હીઃ અનિલ શર્મા ડિરેક્ટેડ ફિલ્મ ‘ગદર 2’ દેશમાં રૂ. 300 કરોડની ક્લબમાં સામેલ થઈ ચૂકી છે. આ ફિલ્મે રિલીઝના બીજા શુક્રવારે ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર આશરે રૂ. 20 કરોડની કમાણી કરી છે. સની દેઓલની ‘ગદર 2’ અક્ષયકુમારની ‘OMG 2’ની સાથે 11 ઓગસ્ટે થિયેટરોમાં રિલીઝ થઈ હતી, પણ બીજી ફિલ્મને પછાડતાં ‘ગદર 2’એ બોક્સ ઓફિસ પર કબજો જમાવ્યો છે.

એક અહેવાલ મુજબ આ ફિલ્મ આઠમા દિને દેશમાં કુલ રૂ. 19.50 કરોડનો બિઝનેસ કર્યો હતો. પહેલા સપ્તાહે ‘ગદર 2’એ રૂ. 284.63 કરોડનો બિઝનેસ કર્યો હતો અને હવે અત્યાર સુધી આ ફિલ્મે રૂ. 304.13 કરોડની કમાણી કરી છે.

‘ગદર 2’ હિન્દી નેટ ફિલ્મમાં 300 કરોડની કમાણી કરનાર 12મી ફિલ્મ છે. વર્લ્ડવાઇડ કમાણી વિશે વાત કરવામાં આવે તો ‘ગદર-2’ એ વિશ્વભરમાં રૂ. 369 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મ ઓસ્ટ્રેલિયા, જર્મની, યુએસએ અને યુકે જેવા દેશોમાં સારી કમાણી કરી રહી છે. જ્યારે ફિલ્મનું બજેટ માત્ર 80 કરોડ છે.

 બ્લોકબસ્ટર સાબિત થયેલી આ ફિલ્મમાં સની દેઓલ અને અમિષા પટેલ મુખ્ય ભૂમિકામાં છે. ‘ગદર ર’ની ટીમે ફિલ્મને મળેલી સફળતા વિશે ફેન્સનો આભાર વ્યક્ત કર્યો હતો.‘ગદર-2’ આ વર્ષની બીજી સૌથી મોટી હિન્દી ફિલ્મ બની ગઈ છે. હવે માત્ર શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાન’ (543.05 કરોડ) તેનાથી આગળ છે. આ વર્ષે ‘ધ કેરલ સ્ટોરી’ જેવી નાના બજેટની ફિલ્મે સારો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મે રૂ. 238 કરોડના કલેક્શન સાથે બીજા નંબર પર રહી હતી.

 

 

પત્રકાર વિમલ યાદવના હત્યાકેસમાં ચાર આરોપીની ધરપકડ

પટનાઃ પત્રકાર વિમલની હત્યાને મામલે નીતીશ સરકાર ફરી એક વાર વિરોધ પક્ષોના નિશાના પર છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે બિહાર સરકારને આડે હાથ લેતાં જણાવ્યું હતું કે એવું લાગે છે કે નીતીશબાબુનાં મુંગેરીલાલના સપનાં બિહાર માટે એક દુઃસ્વપ્ન બની ગયાં છે. જોકે બિહારના અરરિયામાં પત્રકાર વિમલ યાદવ હત્યાકાંડ મામલે ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. આ હત્યાકાંડને લઈને મૃતકના પિતાની ફરિયાદને આધારે આઠ આરોપીઓની વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી, જેમાંથી ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, એમાં બે આરોપી પત્રકાર વિમલની હત્યા કરવામાં સામેલ હતા.

ઉપેન્દ્ર કુશવાહાએ પણ મુખ્ય મંત્રી નીતીશકુમાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. વિપક્ષના આરોપો પર બિહારના ભવન નિર્માણ મંત્રી અશોક ચૌધરીએ કહ્યું હતું કે મુખ્ય મંત્રીએ ખુદ આને દુખદ ઘટના ગણાવી છે. હવે તેમની USP છે કે કેવી રીતે સામાન્ય જનતા સુરક્ષિત રહે. કઈ પરિસ્થિતિમાં બિહાર નીતીશકુમારને મળ્યું હતું અને આજે બિહારના હાલ શા છે?

પરોઢિયે ઘટનાને અંજામ

શુક્રવારે સવારે 4.30 કલાકે બદમાશોએ પત્રકાર વિમલના ઘરનાં દ્વાર ખટખટાવ્યાં હતાં. તે જેવો બહાર નીકળ્યો કે તરત જ બદમાશો તેના પર ગોળીઓ ધરબી દીધી હતી. વિમલની પત્ની ગોળીઓના અવાજથી બહાર આવી અને તેણે પતિને લોહીથી લથબથ હાલતમાં જમીન પર પડેલો જોયો હતો. લોકોએ તત્કાળ રાણીગંજ પોલીસ સ્ઠેશનને સૂચના આપી હતી અને પોલીસ, વિમલને હોસ્પિટલ લઈ ગઈ હતી, પરંતુ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

 

 

 

 

 

કોરાનાના 53 નવા કેસો, એક જણનું મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 53 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,96,476 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,925 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,63,171 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 45 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1452એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 32,844 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.43 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,60,356 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 781 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

ઉદીત નારાયણે ‘કયામત…’ સુધી સંઘર્ષ કર્યો

પાર્શ્વગાયક તરીકે સફળ શરૂઆત કરવામાં ઉદીત નારાયણને દસ વર્ષ લાગી ગયા હતા. વર્ષોના સંઘર્ષ પછી એણે મુંબઇ છોડવાનો નિર્ણય લઈ લીધો હતો ત્યારે જ કારકિર્દીમાં સફળતાનો ઉદય થયો હતો. ઉદીતને ગાવાનો શોખ હતો અને હોટલમાં ગાવાનું કામ કરતો હતો. એ ભારત- નેપાળની સીમા પર એમ્બેસી માટેના કાર્યક્રમમાં પણ નિયમિત ગાતો હતો. ઉદીતે એમ્બેસીના અધિકારીઓને વિનંતી કરીને સંગીત માટેની સ્કોલરશીપ મેળવી ૧૯૭૮ માં ગાયક બનવા મુંબઇ આવવામાં પહેલી સફળતા મેળવી લીધી હતી.

મુંબઇ આવ્યા પછી નેપાળના એક મિત્ર મુરલીધરની મદદથી ભારતીય વિદ્યાભવનમાં પંડિત દિનકરજી પાસે શાસ્ત્રીય સંગીત શીખવાનું શરૂ કર્યું હતું. દિવસ દરમ્યાન ઉદિત વિવિધ સ્ટુડિયોના ચક્કર મારતો હતો અને સાંજે સંગીત શીખવા જતો હતો. ઘણા સંગીતકારો સાથે એને પરિચય થઈ ગયો હતો. એમાં સંગીતકાર રાજેશ રોશને બે વર્ષ પછી મોહમ્મદ રફીની સાથે એક ગીતમાં બીજા પુરુષ સ્વરની જરૂર હતી ત્યારે બોલાવ્યો. ઉદીતે રફીસાહેબ સાથે એક જ માઇક પર એક જ ટેકમાં ગીત ગાયું હતું. એ પછી નેપાળી ફિલ્મ ‘સિંદુર’ માં ગાયું. ૧૯૮૧ માં રાજેશે ‘સન્નાટા’ માં અલકા યાજ્ઞિક સાથે ફરી એક ગીત ગવડાવ્યું. આર. ડી. બર્મને ‘ગેહરા જખ્મ’ માં તક આપી. ૧૯૮૩ માં ઘણા ગીતો ગાયા. રામ-લક્ષ્મણે ‘સુન મેરી લૈલા’ માં ટાઇટલ ગીત ગવડાવ્યું. બપ્પી લહેરીએ ‘કેહ દો પ્યાર હૈ’ ના એક ગીતમાં કિશોરકુમાર અને સુરેશ વાડેકર સાથે ઉદીતને ગવડાવ્યું.

ઉદીતને ફિલ્મો અને ગીત મળતા રહ્યા પણ સફળતા મળતી ન હતી. સંગીતકાર ચિત્રગુપ્તે ભોજપુરી ફિલ્મોમાં ગાવાની તક આપી એ પણ ઝડપી લીધી. ચિત્રગુપ્તને હિન્દી ફિલ્મો મળતી ન હતી એટલે એમના પુત્રો આનંદ- મિલિન્દને ભલામણ કરી હિન્દી ફિલ્મોમાં તક આપવા કહ્યું. નિર્દેશક પંકજ પરાશરે ફિલ્મ ‘અબ આયેગા મજા’ (૧૯૮૪) માં આનંદ- મિલિન્દને સંગીતકાર તરીકે પહેલી તક આપી ત્યારે ‘૪૪૦ વોલ્ટ કી લડકી’ ગીતમાં ઉદીતને તક આપી. હિન્દી ફિલ્મોમાં ગાયક તરીકે સંઘર્ષ ચાલુ હતો ત્યારે ૧૯૮૫ માં મિત્રોના આગ્રહથી નેપાળી ફિલ્મ ‘કુસુમે રૂમાલ’ માં અભિનય અને ગાયન બંને કર્યું. ફરી ૧૯૮૬ માં આનંદ- મિલિન્દે ‘તન-બદન’ માં સોલો ગીત ‘મેરી નઇ બંસી કી ધૂન’ (કૃષ્ણ કૃષ્ણ) ગવડાવ્યું. એ પછી આનંદ- મિલિન્દે એક વિડીયો ફિલ્મમાં બંને ગીત ઉદીત નારાયણ પાસે ગવડાવ્યા હતા. એને સાંભળીને નિર્દેશક મંસૂર ખાન પ્રભાવિત થયા હતા અને કહ્યું હતું કે એમના પરિવારના આમિર ખાન સાથે એક ફિલ્મ બનાવવાનું તે વિચારી રહ્યા છે. એમાં તારો અવાજ જોઈશે. તું ક્યાંય જતો નહીં.

અસલમાં ઉદીત લગભગ દસ વર્ષથી સંઘર્ષ કરતો હતો અને સફળતા મળી ન હોવાથી ઘરે પાછો જતો રહેવાનો હતો. મંસૂરે ફિલ્મ ‘કયામત સે કયામત તક’ (૧૯૮૮) ના ગાયક તરીકે ઉદીતની પસંદગી કરી હતી. રાજ કપૂરે ફિલ્મના મુર્હુત માટે ક્લેપ આપ્યો ત્યારે ત્યાં અંદરોઅંદર એવી ચર્ચા થતી હતી કે બધા જ નવા છે. આમિર કદમાં નીચો છે અને હીરોઈન જુહીની પહેલી ફિલ્મ ‘સલ્તનત’ ફ્લોપ રહી હતી. તેથી આ ફિલ્મ ચાલશે નહીં એવી શંકા વ્યક્ત થઈ હોવાનું ઉદીતે એક મુલાકાતમાં કહ્યું છે. ફિલ્મ ખરેખર પહેલા અઠવાડિયે ચાલી ન હતી. ત્યારે ઉદીત ફરી પોતાના દેશ જતા રહેવાનું વિચારતો હતો. પણ રજૂઆતના બીજા સપ્તાહમાં ફિલ્મ એવી ઉપડી કે એના ‘પાપા કેહતે હૈ બડા નામ કરેગા’ વગેરે બધા જ ગીતોએ પણ ધૂમ મચાવી દીધી હતી અને ઉદીતનું ગાયક તરીકે મોટું નામ થઈ જતાં સંઘર્ષ પૂરો થયો હતો.

બ્રહ્મમુહૂર્તે ઉઠીને ધનવાન અને ગુણવાન બનવા માટેનું ચિંતન કરવું

બ્રાહ્મે મુહૂર્તે બુધ્યેત ધર્માર્થી ચાનુચિન્તયેત્ ।

કાયક્લેશાંશ્ચ તન્મૂલાન્ વેદતત્ત્વાર્થમેવ ચ ।।92।।

માણસે બ્રાહ્મણો માટેના પવિત્ર સમયે (બ્રહ્મમુહૂર્તમાં) ઉઠવું અને ગુણવાન અને ધનવાન બનવા માટેનું ચિંતન કરવું, તેના માટે આવશ્યક મહેનતનો વિચાર કરવો તથા વેદના તત્ત્વાર્થનું પણ ચિંતન કરવું.

ઉક્ત શ્લોક મનુસ્મૃતિનો ચોથા અધ્યાયનો 92મો શ્લોક છે. તેના પરથી ફરી એક વાર જોઈ શકાય છે કે શાસ્ત્રોમાં ક્યાંય સંપત્તિસર્જનની ના પાડવામાં આવી નથી. તેમાં અનેક જગ્યાએ કહેવામાં આવ્યું છે કે અર્થની સાથે સાથે ધર્મનું પણ સંપાદન થવું જોઈએ.

સંસારીઓ માટે કહેવામાં આવ્યું છે કે તેઓ માત્ર ધર્મનો વિચાર કરી શકે નહીં. એ તો સાધુ-સંતો અને સંન્યાસીનું કામ છે. જોકે, સંસારીએ ફક્ત ધનનો જ વિચાર કરવો નહીં, કારણકે એમ કરવાની વૃત્તિ અસુરી કહેવાય છે. આમ, સંસારીઓ માટે ધર્મ અને અર્થને સાથે રાખવાનું અગત્યનું છે.

અહીં ઋગ્વેદની એ વાતનો વધુ એક વાર ઉલ્લેખ કરીએ કે સદગુણી માણસે સંપત્તિ એકઠી કરીને જનકલ્યાણ માટે તેનો ઉપયોગ કરવો, અન્યથા એ સંપત્તિ અસુરી લોકો લઈ જશે અને મનુષ્યજાતિના વિનાશ માટે તેનો ઉપયોગ કરશે.

હવે પાછા મનુસ્મૃતિ પર આવીએ. મનુએ કહ્યું છે કે ધર્મ અને અર્થનું ચિંતન કર્યા બાદ તેની પ્રાપ્તિ માટે લાગનારા પ્રયાસનો વિચાર કરવો જોઈએ. આ બોધ ઘણો જ મહત્ત્વનો છે. આપણે અવિચારીપણે કંઈ જ કરવું જોઈએ નહીં. દરેક પ્રવૃત્તિ માટે આયોજન-વ્યૂહ હોવાં જરૂરી છે.

કોઈ પણ કામમાં મગજ અને શરીર બન્નેનો ઉપયોગ કરવાનો હોય છે. આયોજન કરીને આગળ વધવાનું કારણ એ છે કે એ રીતે આપણા સ્રોતો અને શક્તિનો યોગ્ય ઉપયોગ થઈ શકે છે.

એક જપાની મિત્રે મને સરસ મજાની કહેવત કહી હતી. તેનો ભાવાર્થ આ હતોઃ અમલ વગરનું આયોજન એ માત્ર દીવાસ્વપ્ન છે અને આયોજન વગરનો અમલ એ દુઃસ્વપ્ન છે.

આ વાત પરથી પૈસાની પાછળ આંધળી દોટ મૂકનારા હાલના ઘણા યુવાનોની યાદ આવી જાય છે. તેઓ આખરે થાકી-હારી જાય છે. તેમને જાતજાતની બીમારીઓ લાગુ પડી જાય છે. કોઈકને ડિપ્રેશન તો કોઈકને હાયપરટેન્શન અને કોઈકને એંગ્ઝાઈટી-સ્ટ્રેસ.

છૂટાછેડા અને અન્ય સામાજિક સમસ્યાઓનાં ઉદાહરણ પણ આપણને જોવા મળે છે. ધર્મનો વિચાર અને અમલ કર્યા વગર અને આયોજન કર્યા વગર ફક્ત પૈસાની પાછળ દોડવાનું આ પરિણામ છે.

મારા એક પરિચિત યુવાને મને કહ્યું હતું, ”અમે આખો દિવસ નોકરી-ધંધામાં દોડાદોડ કરીને તેનાથીય વધારે જોશથી પાર્ટી કરવામાં માનીએ છીએ.” એ યુવાન 28 વર્ષનો હતો. બીજા શબ્દોમાં કહીએ તો તેમની પ્રવૃત્તિ આખો દિવસ ગધેડાની જેમ કામ કરીને રાત્રે વાંદરાની જેમ પાર્ટી કરવાની હોય છે. આમ, તેઓ પ્રાણીઓની જેમ જ વર્તે છે.

ઘણા સંસારીઓ કામકાજ છોડીને ધર્મ કે અધ્યાત્મની પાછળ દોટ મૂકતા જોવા મળે છે. આવું થવાનું કારણ એ છે કે તેઓ ગદ્ધાવૈતરું કરી-કરીને થાકી ગયા હોય છે અને તેમને માનસિક શાંતિની જરૂર હોય છે. એ શાંતિ મેળવવા માટે તેઓ મંત્રોચ્ચાર કે મેડિટેશન, વગેરેનો આશરો લેતા હોય છે.

છેવટે એક વાત કહેવાનું મન થાય છે કે ધર્મનો ઉપયોગ દુન્યવી કર્તવ્યોથી દૂર ભાગવા માટે કરવો નહીં. પૈસાની પાછળ એટલું દોડવું નહીં કે થાકી-હારી જવાય અને માનસિક તાણ પડે. સંતુલિત જીવન જ શ્રેયસ્કર માર્ગ છે.

આપણે એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે આપણે એવા દેશમાં રહીએ છીએ જ્યાં અગાધ અને ઊંડું જ્ઞાન સુપ્રાપ્ય છે. દૈનિક જીવન માટેનો તેમાં બોધ છે. આપણે પોતાના તથા આસપાસના લોકોના કલ્યાણ અર્થે તેનો ઉપયોગ કરવો જોઈએ.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)

 

ગુલકંદ – ૧૯ ઓગસ્ટ, ૨૦૨૩

ગુલકંદ – ૧૯ ઓગસ્ટ, ૨૦૨૩

૧૯ ઓગસ્ટ, ૨૦૨૩

૧૯ ઓગસ્ટ, ૨૦૨૩

રાશિ ભવિષ્ય 19/08/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સારો અને સરળ છે, જુનાઅટકેલા કામને વેગ આપવા માટેકે સુધારવામાટેની તક મળી શકે છે ,યાત્રા દરમિયાન પણ તમારામાં ઉત્સાહ ઉમંગ જોવા મળી શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે નવી જાણકારી પ્રાપ્ત થઇ શકે છે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજે થોડીધીરજ અને સાવચેતી રાખવી રાખવી જરૂરી બને છે , અર્થવગરની વાર્તાલાપથી દુર રહેવું યોગ્ય છે  કામકાજ દરમ્યાન અન્ય સાથે ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું, વધુવિચારોને કારણે થાકની લાગણી અનુભવો. તમારું મન કામમાં પરોવાય તેની તકેદારી રાખવી, વેપારમા જોખમવાળા કામથી દુર રહેવુ.


આજે તમારું મન થોડી મસ્તીના મૂડ હોય અને ગમ્મત કરવાનું વધુ સુઝે. મનમા રહેલી કોઈવાત ક્યાંક પુરી થઈ શકે તેવા એંધાણ પણ જોવા મળી શકે છે મિત્રોનો સાથસહકાર સારો જોવા મળી શકે છે, નોકરી કે વ્યવસાયમાં ફેરબદલી અંગે પ્રયત્ન કરવાથી પણ લાભ થઈ શકે છે. કોઈક સારો અનુભવ પણ થાય.


આજે થોડી સાવચેતી રખાવી જરૂરી છે તમારામાં થોડા નકારાત્મકવિચારો વધુ આવે અને તેની પ્રતિકુળતા તમારા કામ અને વર્તન પર પણ પડી શકે છે, કોઈ અગત્યના કામકાજમાં ધીરજ અને સલાહસુચન ને ધ્યાનમાં રાખી આગળ વધવું જરૂરી છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું સારું.


આજનો દિવસ તમાર માટે સારી આશા દેખાડે અને ઉત્સાહ વધારે તેવો છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને કોઈ નવીનજાણકારી કે શીખવાની તક મળે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય તેવું બની શકે છે, આજે તમે કોઈના કામકાજમાં મદદગાર પણ બની શકો છે. ઉત્સાહદાયક દિવસ કહી શકાય.


આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામકાજમાં વ્યસ્ત રહો અને થોડા ઉત્સાહી પણ રહો, મિત્રોથી લાભ ની વાત સંભાળવાની તક મળે, તમારા વાણી અને વિચારોથી આજે તમે કોઈને પ્રભાવિત પણ કરી શકો છે, નજીકના પરિચિત જોડે કોઈ સામાજિકકે ધાર્મિક બાબતમાં સારું યોગદાન પણ આપોતે વું બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, રાબેતા મુજબ દિવસ પસાર થાય, કોઈ જગ્યાએ કોઈપણ કામકાજ અર્થે મુસાફરી થાય તેવા યોગ પણ છે, મિત્રો અને ભાઈ-બહેન સાથે તમારી વાર્તાલાપનો પ્રભાવ અને સારું માન જળવાય તેવા સંજોગો પણ બની શકે છે. તમને કોઈનું કામ કરવાનો સંતોષ પણ જોવા મળે.


આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે, કોઈને કોઈ વાતનો ઉદ્વેગ અને કોઈ વાતનો ડર તમને સતાવે. આજે તમેને કોઈની પણ વાત સાંભળવીના ગમે અને તમે થોડી શાંતિની અપેક્ષા રાખો, વધુ પડતા વિચારો અને લાગણીને કારણે કામ અને વર્તનપર અસર જોવા મળે, પ્રભુભક્તિમાં ધ્યાન રાખવું સારું.


આજનો દિવસ ઉત્સાહપૂર્વક પસાર થાય,તમારી લાગણી અને વિચારો લોકો સારી રીતે સમજી શકે, ક્યારેક કોઈએ તમારી લાગણી દુભાવી હોય તેવા લોકો તરફથી પણ આજે સહાનુભુતિવાળું વર્તન પણ જોવા મળી શકે છે. તમારા લાભની વાત ક્યાંક રજુ કરવાથી પણ તમને સારો પ્રતિભાવ જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, જુનાપરિચિત સાથે મિલનમુલાકાત થઈ શકે છે અને તેમાં તમને સારી વાત સંભાળવા મળી શકે છે. ખટપટી લોકોની વાતચીતમાં આવીના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેમજ ક્યાય ગેરસમજ જેવુંના થાય તેનું ધ્યાન પણ રાખવું યોગ્ય કહી શકાય. આજે ધીરજ રાખવી સારી.


આજના દિવસ દરમિયાન તમને અન્ય લોકો તરફથી સાથ અને સહકાર સારો જોવા મળી શકે છે. લોકો વચ્ચે તમારો આત્મવિશ્વાસ અને કામ પરનું પ્રભુત્વ સારું જોવા મળે. કોઈ અગત્યના કામ કરવાના હોયતો તેમાં પણ તમને સારી સૂઝ આજના દિવસે જોવા મળી શકે છે, વિવાહયોગ્ય વાર્તાલાપ કરવી સારી.


આજે દિવસભર શાંતિ અને તકેદારી રાખવી અગત્યની છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું, વાતચીત દરમ્યાન કોઈની વાતથી દોરવાઈને ખોટો નિર્ણયના લેવાય તેનું પણ ધ્યાન રાખવું, આજે તમને ધીરજનો અભાવ જણાય માટે કામકાજ સિવાય અન્ય વિચારકે ખોટા વાર્તાલાપના કરવા જરૂરી છે.

પંચાંગ 19/08/2023