અમદાવાદ : ‘એક કદમ ચંદ્રમાં કી ઔર’ અને ‘ મેરી માટી મેરા દેશ..’ ની થીમ સાથે અમદાવાદ શહેરની અંજુમને ઇસ્લામ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ ઈમારત પર વિશાળ કૃતિ તૈયાર કરી હતી. 15 ઓગષ્ટ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં શાળાને ઈમારત પર તિરંગાથી સજાવવામાં આવી હતી. તિરંગાની વચ્ચે ઈસરોની ઉપલબ્ધિ ચંદ્રયાન -3 ની 30 ×8 ની વિશાળ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી.
દેશભક્તિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
આ સાથે જ ભારત દેશના વૈજ્ઞાનિકોની સિધ્ધિઓ લોકો સુધી પહોંચે વિદ્યાર્થીઓ રચનાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લઈને આગળ વધે એ હેતુથી દેશભક્તિના આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના મધ્યમાં આવેલી અંજુમને ઇસ્લામ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે મળી દર વર્ષે શિક્ષણ સાથે રચનાત્મક કાર્યો કરે છે. જેના અંતર્ગત આ વર્ષે પણ ખાસ આયોજન કર્યુ હતું.
હાલમાં પેરિસથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જી હાં પેરિસમાં એફિલ ટાવરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. બોમ્બની માહિતી મળ્યા બાદ એફિલ ટાવરને સંપૂર્ણ રીતે ખાલી કરાવવામાં આવ્યો છે. એક ન્યૂઝ એજન્સી અનુસાર એફિલ ટાવરને આગામી આદેશ સુધી બંધ કરી દેવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. ફ્રાન્સની રાજધાની પેરિસમાં આવેલા એફિલ ટાવરને બોમ્બની ધમકી મળી છે, જેના કારણે શનિવારે એફિલ ટાવરના ત્રણ માળ ખાલી કરાવવામાં આવ્યા હતા. બોમ્બની ધમકી બાદ ત્યાં હાજર લોકોને જાણ થતાં જ હોબાળો મચી ગયો હતો. સાઇટનું સંચાલન કરતી સંસ્થા SETEએ જણાવ્યું હતું કે બોમ્બ નિકાલ નિષ્ણાતો તેમજ પોલીસ એક માળ પર સ્થિત રેસ્ટોરન્ટ સહિત સમગ્ર વિસ્તારમાં તપાસ કરી રહી છે.
The Eiffel Tower in Paris was closed to the public on Saturday after being evacuated as a precautionary measure following a bomb threat, a French police source said, reports Reuters
નવી દિલ્હીઃ દેશનાં બાળકોને રમવાનાં રમકડાંની હવે વિદેશોમાં પણ ખૂબ માગ છે. સંસદમાં માહિતી આપવામાં આવી હતી કે વર્ષ 2018-19માં રમકડાંની નિકાસ 203.46 મિલિયન ડોલરથી 60 ટકા વધીને વર્ષ 2022-23માં 325.72 મિલિયન ડોલરે પહોંચી છે, જ્યારે આયાત વર્ષ 2018-19માં 371.69 મિલિયન ડોલરથી 57 ટકા ઘટીને વર્ષ 2022માં 158.70 મિલિયન ડોલરની થઈ છે. આમ ભારતીય રમકડાં બજાર ઝડપથી વિકાસ કરી રહ્યું છે અને આયાત પરની નિર્ભરતામાં ઘટાડો થઈ રહ્યો છે.
વાણિજ્ય અને ઉદ્યોગ વિભાગના રાજ્ય કક્ષાના પ્રધાન સોમ પ્રકાશે તાજેતરમાં સંસદને માહિતી આપતાં જણાવ્યું હતું કે સરકારે લીધેલાં વિવિધ પગલાંને કારણે ભારતીય બજારમાં આયાતી રમકડાંની માત્રા ઘટી રહી છે. સરકારે આ ક્ષેત્રે જે પગલાં લીધાં છે, એનું પરિણામ છે કે ભારતીય બદારમાં રમકડાંની આયાતામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જાન્યુઆરી, 1991થી 31 જુલાઈ, 2023 સુધી મંત્રાલય હેઠળ નોંધાયેલા એકમોની સંખ્યા 1,10,525 છે. આમ રમકડાં ઉદ્યોગ ઝડપથી ગ્રોથ કરી કર્યો છે.
ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ONDC) પરના એક સવાલના જવાબમાં વાણિજ્ય અને ઉદ્યોગપ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ONDCએ રમકડાંની ઓળખ કરીને અને એમને આ ફીલ્ડમાં વેચાણાર્થે વધારવા માટે સરકાર દ્વારા ફિટ ઓન સ્ટ્રીટ (FOS) પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ નેટવર્ક સ્પર્ધકને ટેકો આપવા માટે 90 FOS સંસાધનોને સામેલ કર્યાં છે.
ઇસ્લામાબાદઃ બલૂચિસ્તાન અવામી પાર્ટી (BAP)ના સેનેટર અનવર-ઉલ-હક કાકરને પાકિસ્તાનના કાર્યવાહક વડા પ્રધાન બનાવવામાં આવ્યા છે. વડા પ્રધાન કાર્યાલયના નિવેદનમાં શનિવારે આ માહિતી આપવામાં આવી હતી. આ નિર્ણય વડા પ્રધાન શહબાઝ શરીફ અને નેશનલ એસેમ્બલીમાં વિપક્ષના નેતા રાજા રિયાઝની વચ્ચે બીજા દોરની વાતચીત પછી આવ્યો છે અને આ નિર્ણયની એક કોપી રાષ્ટ્રપતિ આરિફ અલ્વીને મોકલવામાં આવી છે. રાષ્ટ્રપતિ અલ્વીએ લખ્યું છે કે પાકિસ્તાનના બંધારણના અનુચ્છેદ 224 (1A)માં જોગવાઈ છે. વડા પ્રધાન અને હાલની સંસદમાં વિપક્ષના નેતા 12 ઓગસ્ટે કાર્યવાહક વડા પ્રધાનની નિયુક્તિ માટે ઉપયુક્ત વ્યક્તિનો પ્રસ્તાવ કરી શકે છે.
સેનેટર અનવર ઉલ હક કાકર- જેમને પાકિસ્તાનના નવા કાર્યવાહક વડા પ્રધાન બનાવવામાં આવ્યા છે, તેઓ બલૂચિસ્તાનથી એક રાજકીય વ્યક્તિ છે. તેઓ 2018માં સેનેટ માટે પસંદ કરવામાં આવ્યા હતા અને ઘણા સક્રિય રાજકીય નેતા છે. તેમણે પ્રાંતીય સરકારના પ્રવક્તા તરીકે પણ કામ કર્યું છે.
વરિષ્ઠ પત્રકાર હામિદ મીરે જણાવ્યું હતું કે કાકર દેશમાં એ બુદ્ધિજીવી વ્યક્તિ છે. તેમણે કહ્યું હતું કે BAP સેનેટર પશ્તૂન જાતીયતાની કાકર જનજાતિમાંથી છે, એટલે પશ્તૂન અને બલૂચ- બંનેનું પ્રતિનિધિત્વ કરે છે. તેમનો મુખ્ય રાજકીય પક્ષો સાથે પણ સારો સંબંધ છે. તેમણે 2008માં કાકર ક્યુ-લીગની ટિકિટ પર કેટાથી નેશનલ એસેમ્બલી માટે ચૂંટણી લડી હતી. તેમની પાસે રાજકારણ, વિજ્ઞાન, સમાજશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી મેળવી છે.
અમદાવાદઃ કેન્દ્ર સરકારના ‘હર ઘર તિરંગા’ આઉટરિચ પ્રોગ્રામ અંતર્ગત ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર રિજિયોનલ સેન્ટર,વડોદરા સાંસ્કૃતિક મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે ‘‘હર ઘર તિરંગા’’ની ઉજવણી સારુ ચિત્ર અને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.સરકારી પ્રાથમિક શાળા સેક્ટર-૦૨માં ચિત્ર સ્પર્ધામાં અને સેક્ટર-૦૮માં રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. બંને શાળામાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ચિત્ર સ્પર્ધામાં વિવિધ સ્વાતંત્ર્યસેનાનીઓની મુખાકૃતિની અને આઝાદીના અમૃત મહોત્સવને ધ્યાનમાં રાખીને બાળકોએ ખૂબ સુંદર ચિત્રો બનાવ્યાં હતાં. ચિત્ર સ્પર્ધામાં જજ તરીકે મનોજભાઈ જોષી તથા દીક્ષિતાબહેન જોષીએ સાત બાળકોનાં ખૂબ જ સુંદર ચિત્રોને ઇનામને પાત્ર ઠેરવતા ગાંધીનગર મનપા વોર્ડ -૧૦ના કોર્પોરેટર મહેન્દ્રભાઈ પટેલને હસ્તે ઇનામો આપવામાં આવ્યાં હતા. આ ચિત્ર સ્પર્ધામાં નિશા, યુવરાજ, જય, કાવ્યા, રોશની, શ્વેતા અને ધનરાજને ઇનામો આપવામાં આવ્યાં હતાં.
અહીં રંગોળી સ્પર્ધામાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ ‘હર ઘર તિરંગા’ની થીમને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારની ખૂબ સુંદર મૌલિક રંગોળીઓ બનાવી હતી. નિફટના વિદ્યાર્થીઓ શ્રેષ્ઠા પ્રસાદ, આદિત્ય કૌશલ, રિદ્ધિ બિસ્વાસ, ઇશિતા સિંહ,દર્શન સોનાવણે, વૈષ્ણવી ગાંધી, રોશની કુમારી, ઇશા આહિરવાડીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં કામને ધ્યાનમાં રાખીને વૈવિધ્યસભર આકર્ષક રંગોળી બનાવીને પોતાની કળાની ઓળખ આપી હતી. રંગોળી સ્પર્ધામાં નિર્ણાયક તરીકે આશાબહેન સરવૈયા, નીલેશભાઈ સિદ્ધપુરા અને સંજયભાઈ થોરાટે સેવા આપી હતી. આ સ્પર્ધામાં સુંદર રંગોળી બનાવનાર સાત બાળકોને ગાંધીનગરના જાણીતા ધારાશાત્રી, નોટરી, સ્પે. પીપી અને કટાર લેખક અશ્વિનભાઈ ત્રિવેદી તથા મહાનુભાવોને હસ્તે વિજેતાઓને ઇનામો આપવામાં આવ્યા હતા. રંગોળી સ્પર્ધામાં શિફા, વૈશાલી, અનામિકા, દશરથ, કાજલ, જાનકી અને ઉમેશને ઇનામો આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ઉદગમના મેનેજિંગ ટ્રસ્ટી ડો. મયૂરભાઈ જોષીએ સ્વાગત પ્રવચનમાં ‘હર ઘર તિરંગા’ આઉટરિચ પ્રોગ્રામ વિશેની માહિતી આપી હતી. ત્યાર બાદ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ મેચોની T20 શ્રેણીની ચોથી મેચ આજે ફ્લોરિડાના સેન્ટ્રલ બ્રોવર્ડ રિજનલ પાર્ક સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ટીમ ઈન્ડિયા માટે કરો યા મરોથી ઓછી નથી, કારણ કે જો ભારતીય ટીમ આજે હારી જશે તો તે પાંચ મેચોની સીરિઝ હારી જશે. આવી સ્થિતિમાં, હાર્દિક પંડ્યાની ટીમ આ મેચ જીતીને શ્રેણી 2-2થી બરાબરી પર લાવવા માંગે છે. બીજી તરફ વેસ્ટ ઈન્ડિઝની નજર આજે જ સિરીઝ પર રહેશે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ છેલ્લા સાત વર્ષથી ભારત સામે ટી-20 શ્રેણી જીતી શકી નથી. કેરેબિયન ટીમે છેલ્લી વખત 2016માં ટીમ ઈન્ડિયા સામે ટી-20 સિરીઝ જીતી હતી. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 28 T20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ 18 મેચ જીતી છે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝે માત્ર 9 મેચ જીતી છે. જોકે એક મેચનું પરિણામ આવ્યું ન હતું.
As the #WIvIND T20I series action shifts to USA starting today ✈️
કાગળ પર વેસ્ટ ઈન્ડિઝની ટીમ યુવા ભારતીય ટીમની સામે ઘણી મજબૂત દેખાઈ રહી છે. અત્યાર સુધી મેચ વેસ્ટ ઈન્ડિઝની ધીમી પીચ પર રમાતી હતી, પરંતુ હવે મેચ અમેરિકાના ફ્લોરિડામાં છે. અહીંની પીચ રન બનાવવા માટે જાણીતી છે. આવી સ્થિતિમાં આજે આપણને હાઈ સ્કોરિંગ મેચ જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં આજની મેચમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમનું પલડું ભારે જોવા મળી રહ્યું છે.
અમદાવાદઃ દર વર્ષની જેમ આ વર્ષે પણ મહિલાઓને આર્થિક રીતે મજબૂત બનાવવાના ભાગરૂપે ટ્રેડ ફેર “સમૃદ્ધિ23″નું આયોજન કરવામાં આવ્યું છે. આ વીમેન્સ ટ્રેડ ફેરનું ઉદઘાટન મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ભવ્ય કાર્યક્રમમાં ‘વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે’ના અનુસંધાનમાં મુખ્ય મંત્રીની ઉપસ્થિતિમાં હાજર રહેલા અતિથિઓએ અંગદાન કરવા માટે સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
આ વર્ષે ટ્રેડ ફેર “સમૃદ્ધિ23″માં મહિલા ઉદ્યમીઓ દ્વારા લગભગ ૮૦થી ૧૦૦ સ્ટોલ્સ ગોઠવવામાં આવ્યા છે, જેમાં ખાદી, ક્રાફ્ટ, ડેકોર, ગારમેન્ટ, ફૂડ અને રાખડી સહિત વિવિધ ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવ્યાં છે. આ પ્રસંગે રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે અંગદાન મહાદાન છે, માહેશ્વરી સંગિની સંગઠન અને માહેશ્વરી સમાજ દ્વારા શરૂ કરવામાં આવેલી અંગદાન માટેની આ પહેલનુ અમે સ્વાગત કરીએ છીએ. આવા સમાજોપયોગી કાર્યો માટે અમે શક્ય તમામ મદદ અને પ્રોત્સાહન આપવા તત્પર છીએ. માહેશ્વરી સમાજની મહિલાઓ દ્વારા રચિત “માહેશ્વરી સંગિની સંગઠન” લગભગ છેલ્લાં દસ વર્ષથી સામાજિક, ધાર્મિક, અને મહિલા સશક્તીકરણ માટે કાર્ય કરતું એક જાગરુક સંગઠન છે.
“આઇકેડી”ના ડો. વિનિત મિશ્રાએ જણાવ્યું હતું કે એક વ્યક્તિના જુદાં-જુદાં ઓર્ગનના ડોનેશનથી આઠ વ્યક્તિઓનાં જીવન બચાવી શકાય છે. આ પ્રસંગે માહેશ્વરી સંગિની સંગઠનનાં પ્રમુખ જ્યોતિ લાહોટીએ જણાવ્યું હતું કે અંગદાન મહાદાન છે, જયારે મહિલાઓ અંગદાન માટે જાગરુક થાય છે, ત્યારે તેઓ તેમના પરિવારમાં પણ તે અંગેની જાગૃતિ લાવે છે. આજે માહેશ્વરી સંગિની સંગઠને આ દિશામાં એક મહત્વની પહેલ કરી છે.
આ ઉપરાંત “સમૃદ્ધિ23″માં આ વખતે આઝાદીનાં 75 વર્ષ અને અમૃત મહોત્સવ નિમિત્તે ખાદીને વિશેષ રીતે પ્રદર્શિત કરવામાં આવી છે. આ ઉપરાંત સિવિક રાઇટ્સ એન્ડ ડ્યુટીસ, હેલ્થ અવેરનેસ, ફ્રી હેલ્થ ચેકઅપ અંગેના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાએ તેમની પત્નીને ચૂંટણી લડવાની હિમાયત કરી છે. તેણે કહ્યું, ‘મને લાગે છે કે પ્રિયંકા સંસદમાં હોવી જોઈએ. તેમણે ચોક્કસપણે લોકસભામાં હોવું જોઈએ. તેની પાસે એવા તમામ ગુણો છે જે એક સારા નેતામાં હોવા જોઈએ. તેણી ત્યાં સારી નોકરી કરશે. તેણી ત્યાં રહેવા લાયક છે. તેથી હું ચોક્કસપણે ઈચ્છું છું કે કોંગ્રેસ પાર્ટી તેના પર વિચાર કરે અને તેના માટે વધુ સારી તૈયારી કરે.
સ્મૃતિ ઈરાની પર નિશાન સાધ્યું
ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની વિશે કહ્યું કે જ્યાં પણ નકારાત્મક વિચારધારાવાળા લોકો હશે ત્યાં તેઓ નકારાત્મકતા જ ફેલાવશે અને સંસદમાં પણ આવા લોકો છે તે દુર્ભાગ્યપૂર્ણ છે. તેમની પાસે એક મંત્રાલય છે જે મહિલાઓ અને બાળકોની સુધારણા માટે કામ કરે છે. તેમ છતાં તે સંસદમાં નકારાત્મકતા ફેલાવવા સિવાય મણિપુર વિશે શું બોલે છે. તેઓ તે વ્યક્તિ વિશે કંઈક કહે છે જે ત્યાં પણ નથી. હું સંસદથી દૂર રહું છું. તેમણે કહ્યું કે હું રાજનીતિ સાથે જોડાયેલી કોઈપણ વાત ત્યારે જ બોલું છું જ્યારે સરકાર મારું નામ લે છે. આ સરકારને સત્તામાં આવ્યાને 9 વર્ષ થઈ ગયા છે, જ્યારે પણ સરકાર કોઈ પણ મુદ્દે ઘેરાઈ છે, ત્યારે તેઓએ હંમેશા મારા નામનો ઉપયોગ કર્યો છે. તેઓએ મહત્વપૂર્ણ મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા માટે મારા નામનો ઉપયોગ કર્યો. એટલા માટે હું તેની સામે લડીશ.
કોંગ્રેસને દેશની ઘણી પાર્ટીઓનું સારું સમર્થન મળ્યું
તેમણે કહ્યું કે મને લાગે છે કે કોંગ્રેસને દેશની ઘણી પાર્ટીઓનું સારું સમર્થન મળ્યું છે અને અમે 2024માં ભાજપને સખત ટક્કર આપી શકીશું. લોકો દેશમાં પરિવર્તન અને પ્રગતિ ઈચ્છે છે. તેમની પાસે સ્મૃતિ ઈરાનીની બકવાસ સાંભળવાનો સમય નથી.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની ઇન્સ્ટાગ્રામ કમાણીની માહિતી સાવ ખોટી નીકળી છે. આ વાત ખુદ વિરાટ કોહલીએ સોશિયલ મિડિયા પર એક પોસ્ટ પર માહિતી આપી હતી. કોહલીએ એક ટ્વીટ કરીને કહ્યું હતું કે મને જીવનમાં જેકાંઈ મળ્યું છે, હું એના પ્રત્યે આભારી છું અને ઋણી છું, પણ સોશિયલ મિડિયા પર મારી કમાણી વિશે એ ન્યૂઝ ચાલી રહ્યા છે, એ સાચા નથી.
છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મિડિયા પર એક માહિતી ઝડપથી વાઇરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે વિરાટ કોહલી ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકવાના રૂ. 11.47 કરોડ ચાર્જ કરે છે. ઇન્સ્ટાગ્રામ પર કોહલીના 256 મિલિયન ફોલોઅર્સ છે. જોકે વિરાટે આવા ન્યૂઝને ફગાવ્યા છે.
While I am grateful and indebted to all that I’ve received in life, the news that has been making rounds about my social media earnings is not true. 🙏
ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી પ્રિયંકા ચોપડા ઇન્સ્ટાગ્રામ રિચ લિસ્ટ 2023માં સામેલ હતા. આ યાદી અનુસાર વિરાટના પ્રતિ પોસ્ટ 13.84 લાખ ડોલર ચાર્જ કરે છે, જ્યારે પ્રિયંકા પ્રતિ ઇન્સ્ટાગ્રામ 5.32 લાખ ડોલર કમાય છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 8.85 કરોડ ફોલોઅર્સ છે અને તે 29મા સ્થાને છે.
જોકે હાલમાં સ્પોર્ટિકો (Sportico) દ્વારા જારી કરવામાં આવેલી યાદીમાં કોહલીને વિશ્વના 100 સૌથી વધુ પેડ એથ્લીટની યાદીમાં સામેલ કરવામાં આવ્યો હતો. એમાં જણાવવામાં આવ્યું હતું કે તેમની નેટવર્થ રૂ. 1000 કરોડથી વધુ છે.
નવી દિલ્હીઃ દિલ્હી સર્વિસ બિલને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે. હવે એ દિલ્હીમાં કાયદો બની ગયો છે. કેન્દ્ર સરકારના નોટિફિકેશનમાં રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી સરકાર (સંશોધન) અધિનિયમ, 2023ને લાગુ કરવાની માહિતી આપવામાં આવી છે. જોકે આ કાયદાને દિલ્હી સરકાર સુપ્રીમ કોર્ટમાં પડકારે એવી શક્યતા છે.
આ બિલમાં પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે કે દિલ્હીના અધિકારીઓના સસ્પેન્શન અને તપાસ જેવી કાર્યવાહી કેન્દ્રના નિયંત્રણમાં હશે. મણિપુર હિંસા પર લોકસભા અને રાજ્યસભા- બંનેમાં હંગામાની વચ્ચે એક ઓગસ્ટે સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. ગૃહપ્રધાન અમિત શાહે પહેલી ઓગસ્ટે સંસદમાં દિલ્હી સરકાર (સંશોધન) બિલ, 2023 રજૂ કર્યું હતું. એ કાયદો રાષ્ટ્રીય રાજધાનીમાં સર્વિસિસના નિયંત્રણ પર વટહુકમની જગ્યા લેશે.
🚨The President of India has granted assent to the Government of National Capital Territory of Delhi (Amendment) Act 2023.
સરકારે જાહેરનામામાં કહ્યું હતું કે આ વટહુકમને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી સરકાર (સંશોધન) અધિનિયમ, 2023 કહેવામાં આવશે. એને 19 મે, 2023થી લાગુ માનવામાં આવશે. રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી સરકાર અધિનિયમ, 1991ની કલમ બે ખંડ (E)માં કેટલીક જોગવાઈ સામેલ છે. ઉપરાજ્યપાલનો અર્થ દિલ્હીના બંધારણના અનુચ્છેદ 239 હેઠળ નિયુક્ત વહીવટકાર અને રાષ્ટ્રપતિ દ્વારા ઉપરાજ્યપાલના રૂપે નામિત વ્યક્તિ દ્વારા કરવામાં આવશે.
સુપ્રીમના આદેશનું ઉલ્લંઘન નથીઃ શાહ
ગૃહપ્રધાન અમિત શાહે રાજ્યસભામાં જણાવ્યું હતું કે તેઓ પુરાવા આપશે કે આ બિલ કોઈ પણ બાજુથી સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન નથી કરતું. એ બિલ દિલ્હી પર હાલની કેન્દ્ર સરકારના વટહુકમને બદલવાના પ્રયાસ છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસને લોકતંત્ર પર બોલવાનો હક નથી. AAPના ખોળામાં બેઠેલી કોંગ્રેસ આ બિલ પહેલાં લઈને આવી હતી.