Home Blog Page 2613

વિરાટ કોહલીએ સોશિયલ મિડિયાની કમાણી પર મૌન તોડ્યું

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની ઇન્સ્ટાગ્રામ કમાણીની માહિતી સાવ ખોટી નીકળી છે. આ વાત ખુદ વિરાટ કોહલીએ સોશિયલ મિડિયા પર એક પોસ્ટ પર માહિતી આપી હતી. કોહલીએ એક ટ્વીટ કરીને કહ્યું હતું કે મને જીવનમાં જેકાંઈ મળ્યું છે, હું એના પ્રત્યે આભારી છું અને ઋણી છું, પણ સોશિયલ મિડિયા પર મારી કમાણી વિશે એ ન્યૂઝ ચાલી રહ્યા છે, એ સાચા નથી.

છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મિડિયા પર એક માહિતી ઝડપથી વાઇરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે વિરાટ કોહલી ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકવાના રૂ. 11.47 કરોડ ચાર્જ કરે છે. ઇન્સ્ટાગ્રામ પર કોહલીના 256 મિલિયન ફોલોઅર્સ છે. જોકે વિરાટે આવા ન્યૂઝને ફગાવ્યા છે.

ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી પ્રિયંકા ચોપડા ઇન્સ્ટાગ્રામ રિચ લિસ્ટ 2023માં સામેલ હતા. આ યાદી અનુસાર વિરાટના પ્રતિ પોસ્ટ 13.84 લાખ ડોલર ચાર્જ કરે છે, જ્યારે પ્રિયંકા પ્રતિ ઇન્સ્ટાગ્રામ 5.32 લાખ ડોલર કમાય છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 8.85 કરોડ ફોલોઅર્સ છે અને તે 29મા સ્થાને છે.

જોકે હાલમાં સ્પોર્ટિકો (Sportico) દ્વારા જારી કરવામાં આવેલી યાદીમાં કોહલીને વિશ્વના 100 સૌથી વધુ પેડ એથ્લીટની યાદીમાં સામેલ કરવામાં આવ્યો હતો. એમાં જણાવવામાં આવ્યું હતું કે તેમની નેટવર્થ રૂ. 1000 કરોડથી વધુ છે.

 

 

 

 

 

 

દિલ્હી સર્વિસ બિલને મંજૂરીઃ સરકાર ‘સુપ્રીમ’માં પડકારે એવી વકી

નવી દિલ્હીઃ દિલ્હી સર્વિસ બિલને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે. હવે એ દિલ્હીમાં કાયદો બની ગયો છે. કેન્દ્ર સરકારના નોટિફિકેશનમાં રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી સરકાર (સંશોધન) અધિનિયમ, 2023ને લાગુ કરવાની માહિતી આપવામાં આવી છે. જોકે આ કાયદાને દિલ્હી સરકાર સુપ્રીમ કોર્ટમાં પડકારે એવી શક્યતા છે.

આ બિલમાં પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે કે દિલ્હીના અધિકારીઓના સસ્પેન્શન અને તપાસ જેવી કાર્યવાહી કેન્દ્રના નિયંત્રણમાં હશે. મણિપુર હિંસા પર લોકસભા અને રાજ્યસભા- બંનેમાં હંગામાની વચ્ચે એક ઓગસ્ટે સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. ગૃહપ્રધાન અમિત શાહે પહેલી ઓગસ્ટે સંસદમાં દિલ્હી સરકાર (સંશોધન) બિલ, 2023 રજૂ કર્યું હતું. એ કાયદો રાષ્ટ્રીય રાજધાનીમાં સર્વિસિસના નિયંત્રણ પર વટહુકમની જગ્યા લેશે.

સરકારે જાહેરનામામાં કહ્યું હતું કે આ વટહુકમને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી સરકાર (સંશોધન) અધિનિયમ, 2023 કહેવામાં આવશે. એને 19 મે, 2023થી લાગુ માનવામાં આવશે. રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી સરકાર અધિનિયમ, 1991ની કલમ બે ખંડ (E)માં કેટલીક જોગવાઈ સામેલ છે. ઉપરાજ્યપાલનો અર્થ દિલ્હીના બંધારણના અનુચ્છેદ 239 હેઠળ નિયુક્ત વહીવટકાર અને રાષ્ટ્રપતિ દ્વારા ઉપરાજ્યપાલના રૂપે નામિત વ્યક્તિ દ્વારા કરવામાં આવશે.

 સુપ્રીમના આદેશનું ઉલ્લંઘન નથીઃ શાહ

ગૃહપ્રધાન અમિત શાહે રાજ્યસભામાં જણાવ્યું હતું કે તેઓ પુરાવા આપશે કે આ બિલ કોઈ પણ બાજુથી સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન નથી કરતું. એ બિલ દિલ્હી પર હાલની કેન્દ્ર સરકારના વટહુકમને બદલવાના પ્રયાસ છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસને લોકતંત્ર પર બોલવાનો હક નથી. AAPના ખોળામાં બેઠેલી કોંગ્રેસ આ બિલ પહેલાં લઈને આવી હતી.

 

 

 

 

 

ગૃહપ્રધાન શાહને હસ્તે ઇફ્કોના નેનો ફર્ટિલાઇઝર પ્લાન્ટનું ભૂમિપૂજન

કંડલાઃ ગૃહમંત્રી અમિત શાહ રાજ્યના બે દિવસના પ્રવાસે છે. તેમના હસ્તે ગાંધીધામમાં કંડલા ઇફ્કોના નેનો DAP પ્લાન્ટનું ભૂમિપૂજન થયું હતું. તેમણે 17 એકરમાં તૈયાર થનારો પ્લાન્ટ લગાવવા માટે ઇફ્કોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ભૂમિપૂજન કરવાના સાથે જ ખેડૂતોને આશ્વાસન આપ્યું છે કે નેનો DAPને કારણે ખેડૂતોની જમીનની બિલકુલ નુકસાન નહીં થાય.

તેમણે જણાવ્યું હતું કે આ પ્લાન્ટ થકી વિદેશોમાં પણ વિવિધ પેદાશોની નિકાસ કરવાનું લક્ષ્ય છે. રૂ. છ કરોડની DAPની બોટલ વિદેશથી કરવી પડતી અનાજની આયાતને ઘટાડી દેશે. હવે ઘઉં-ચોખા વિદેશથી આયાત કરવાની જરૂર નથી. હવે દેશભરના ખેડૂતોને સમૃદ્ધ કરવાનું લક્ષ્ય છે.

તેમણે જણાવ્યું હતું કે નેનો DAP છોડના મૂળ સુધી ઊતરતુ નથી અને છોડના ઉપરના પરત સુધી જ રહે છે. જેને કારણે જમીનને નુકસાન પહોંચતું નથી અને ખેડૂતોને સારી ઊપજ મળે છે. તેનાથી પાણી પણ પ્રદૂષિત નહીં થાય અને ઊપજ પણ વધશે. સરકારની સબસિડીનો બોજો પણ ઓછો કરશે.

તેમણે જણાવ્યું કે આજે ભારત અન્ય ક્ષેત્રમાં ભારત આત્મનિર્ભર બન્યું છે. વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં દેશને હરીત ક્રાંતિની જરૂર છે. જો કે આ હરિત ક્રાંતિ અલગ પ્રકારની હશે. માત્ર ઉત્પાદન તેનું લક્ષ્ય નથી. દુનિયાભરને પ્રાકૃતિક ખેતીનો રસ્તો ભારતે બતાવવાનો છે. પ્રાકૃતિક ખેતીની હરિત ક્રાંતિ લાવવાની છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વૈજ્ઞાનિક આયોજનના કારણે અન્ન ક્ષેત્રમાં ભારત આત્મનિર્ભર બન્યુ છે.

ગૃહપ્રધાનને હસ્તે BSFના મૂરિંગ પ્લેસનું ભમિપૂજન અને વિવિદ પ્રોજેક્ટ્સનું ઈ-લોકાર્પણ થશે. આ પછી તેઓ હરામીનાળાનો પ્રવાસ કરશે અને એ પછી ભૂજના જેલના કેદીઓ સાથે અમૃત મહોત્સવ અંતર્ગત ટ્રાન્સફોર્મેશન@ 75 સમારોહમાં હાજર રહેશે.

ગૃહપ્રધાન અમિત શાહ હાલ બે દિવસ રાજ્યના પ્રવાસે છે. તેઓ ગઈ કાલે મોડી રાત્રે ભૂજ પહોંચ્યા હતા, ત્યાં તેમનું રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓએ ભવ્ય સ્વાગત કર્યું હતું. ગૃહપ્રધાનને હસ્તે આ બે દિવસમાં અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ થશે. તેઓ અનેક કાર્યક્રમોમાં પણ હાજરી આપશે. તેઓ કચ્છમાં ભારત-પાકિસ્તાન સરહદે સુરક્ષાનું નિરીક્ષણ કરશે. તેઓ પ્રવાસની પ્રારંભ કોટેશ્વર મહાદેવના દર્શન કરીને કરશે. તેઓ કચ્છના કંડલા અને ગાંધીનગરના સરઢવમાં જાહેર સભાને સંબોધશે.

પલારા જેલની લેશે મુલાકાત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કચ્છમાં દરિયાઈ સુરક્ષા સુદ્રઢ બનાવવાના હેતુસર કોટેશ્વર BSF મરીન યુનિટ માટે રૂપિયા 100 કરોડના ખર્ચે તૈયાર થનાર નવી જેટીનું ખાતમુહૂર્ત કરશે. સાથે જ તેઓ ઇક્કો દ્વારા કંડલામાં નિર્માણધીન નેને પ્લાન્ટને ખુલ્લો મુકશે. જે બાદ ભુજમાં પલારા જેલની મુલાકાત લેશે. આ ઉપરાંત અમિત શાહ ભારત-પાકિસ્તાન સરહદે સુરક્ષાનું નિરીક્ષણ કરશે.

 

 

 

કેદારનાથ માર્ગ પર ભૂસ્ખલનમાં પાંચનાં મોતઃ વરસાદનું રેડ અલર્ટ

નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં હાલના દિવસોમાં મોસમ કહેર વર્તાવી રહી છે. હવામાન વિભાગે દહેરાદૂન સહિત છ જિલ્લાઓમાં 14 ઓગસ્ટ સુધી ભારે વરસાદનું રેલ અલર્ટ જારી કર્યું છે. અહીં ભૂસ્ખલનના કાટમાળમાં દબાવાથી ગુજરાતના ત્રણ તીર્થયાત્રીઓ સહિત પાંચ લોકોનાં મોત થયાં છે. હવામાન વિભાગે આગામી કેટલાક દિવસોમાં ઉત્તરાખંડના છ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી ઉચ્ચારી હતી. વહીવટી તંત્રએ સામાન્ય જનતાને પર્યાપ્ત સાવચેતી રાખવા નિર્દેશ આપ્યા છે.

કેદારનાથ યાત્રા માર્ગ પર ફાટા ક્ષેત્રના તરસાલીમાં ગુરુવાર રાતથી ભૂસ્ખલનને કારણે કારમાં સવાર પાંચ લોકોના કાટમાળમાં દબાવાઓથી મોત થયાં હતાં, પરંતુ વરસાદને લીધે શુક્રવારે તેમના મૃતદેહો મેળવી શકાયા. આ મૃતકોમાં ગુજરાતના ત્રણ અને હરિદ્વારનો એક શ્રદ્ધાળુ સામેલ છે.

ત્રણ ગુજરાતીનાં મોત

શહેરના મણિનગરના રહેવાસી જિગર મોદી સહિત પાંચ લોકો હરિદ્વારથી કેદારનાથ કાર લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન ફાટા વિસ્તારમાં ભૂસ્ખલન થયું હતુ. જેમાં આ કારમાં સવાર પાંચ લોકોનાં મોત થયાં હતાં. જેમાં ત્રણ ગુજરાતીઓનાં મોત થયાં છે.

ગુપ્તકાશી-ગૌરીકુંડ ધોરીમાર્ગ પર ફાટા નજીક તરસાલી ખાતે ભૂસ્ખલન થયું હતું. જેનાથી માર્ગનો 60 મીટરનો વિસ્તાર ધોવાઈ ગયો હતો. શ્રદ્ધાળુઓ એક કારમાં કેદારનાથના પવિત્ર મંદિર જઈ રહ્યા હતા. આ દરમિયાન કાર ફાટા અને સોનપ્રયાગ વચ્ચેના પર્વત પરથી પથ્થરો નીચે પડતા કાર કચડાઈ ગઈ હતી.

મુખ્ય પ્રધાન પુષ્કર  સિંહ ધામીએ વરસાદથી પ્રભાવિત કોટદ્વાર ક્ષેત્રનું નિરીક્ષણ કર્યું હતું. રાજ્યમાં સતત વરસાદને પગલે વિવિધ ઘટનાઓમાં અત્યાર સુધી 58 લોકોનાં મોત થયાં છે અને 37 લોકો ઘાયલ થયા છે, જ્યારે અન્ય 19 લોકો લાપતા છે. આ સિવાય 1167 ઘર ક્ષતિગ્રસ્ત થયા છે, જેમાં 33 સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થયા છે.

 

 

 

 

 

કોરાનાના 52 નવા કેસો, એક પણ મોત નહીં   

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 52 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,96,198 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,920 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,62,829 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 56 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1487એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 31,552 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.41 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,57,570 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 379 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

સંપત્તિથી જ કલ્યાણ થઈ જતું નથી

અર્થમનર્થ ભાવય નિત્યં

નાસ્તિતતઃ સુખલેશઃ સત્યમ્ ।।

પુત્રાદપિ ધન ભાજાં ભીતિઃ

સર્વત્રૈષા વિહિતા રીતિઃ ।।29।।

સંપત્તિથી જ કલ્યાણ થઈ જતું નથી. ખરેખર, તેમાં કોઈ સુખ નથી. આ વાતને સદા ધ્યાનમાં રાખવી. ધનવાન વ્યક્તિને પોતાના પુત્રનો પણ ડર લાગતો હોય છે. સંપત્તિની બાબતે બધે આવું જ હોય છે.

અમેરિકાના સ્થાપકોમાંના એક – બેન્જામિન ફ્રેન્કલિને સાચે જ કહ્યું છે, ”ધનથી મનુષ્ય ક્યારેય સુખી થયો નથી અને થવાનો નથી. સુખ ઊપજાવે એવું કોઈ તત્ત્વ તેમાં નથી. મનુષ્ય પાસે જેટલું આવે તેના કરતાં વધારે જ તેને જોઈતું હોય છે. ધન શૂન્યાવકાશ ભરવાને બદલે ખાલીપો સર્જે છે.”

ભજ ગોવિંદમના શ્લોક 29માં સદીઓ પહેલાં આ વાત કહેવામાં આવી હતી. તેમાં કહેવાયા મુજબ ધન શૂન્યાવકાશ અને અસલામતી સર્જે છે.

”સંપત્તિ મારી પાસે નહીં રહે અથવા તો જો સંતાનો તેને નહીં સંભાળે તો મારું શું થશે” એવા વિચારોને પગલે અસલામતીની ભાવના જન્મે છે. ”મારી સંપત્તિ પેઢીઓ સુધી ચાલે એવું હું ઈચ્છું છું,” એમ કહેનારા ઘણા લોકો આપણે જોયા છે. તેમને જો પૂછીએ કે શું તમે વસિયતનામું બનાવશો, તો તેમાંથી ઘણા લોકો વસિયતનામું નહીં કરાવવા માટેનાં અનેક કારણો આગળ ધરશે. લોકો પેઢીઓ સુધી ધન ટકાવવા માગે છે, પરંતુ આગલી પેઢીના હાથમાં સોંપતાં ડરતા હોય છે. પોતે સંતાનો માટે ધન ભેગું કર્યા બાદ પણ તેમને ધન સોંપતા નથી. પોતાનાં બાળકો ધન સાચવવા જેટલાં પરિપક્વ, સમર્થ કે જવાબદાર થયાં નથી એવું તેમનું બહાનું હોય છે.

આ વાત પરથી શ્રેયા અને આકાશનું ઉદાહરણ યાદ આવે છે. ત્રીસીના છેવાડાના ભાગમાં પહોંચેલું આ યુગલ હતું. તેઓ બિઝનેસ પરિવારનાં હતાં. તેમણે ઘણું જટિલ વસિયતનામું બનાવ્યું હતું. પહેલી વાત તો એ કે તેમણે બધી જ રિયલ એસ્ટેટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં રાખી હતી. એ કંપનીની બીજી એક હોલ્ડિંગ કંપની હતી. હોલ્ડિંગ કંપનીના શેર આંશિક રીતે પ્રાઇવેટ ટ્રસ્ટ પાસે હતા. તેમાંય વળી બીજી કેટલીક જટિલતાઓ હતી. તેમનાં સગીર વયનાં બે પુત્રો એ ટ્રસ્ટના લાભાર્થી હતા. ટ્રસ્ટ ડીડમાં લખવામાં આવ્યું હતું કે આ બાળકો વીસ વર્ષનાં થાય ત્યારે ટ્રસ્ટીઓએ તેમને સંપત્તિ વહેંચી આપવી. જોકે, એ વહેંચણી વખતે એટલું ધ્યાન રાખવું કે તેમની સંપત્તિ 35 વર્ષની ઉંમર સુધી ટકી રહે. 35મા વર્ષે ટ્રસ્ટીઓએ પોતાની મેળે નક્કી કરવું કે તમામ સંપત્તિ આ પુત્રોને આપી દેવી કે પછી તેમની 50 વર્ષની વય સુધી વહીવટ પોતાના જ હાથમાં રાખવો.

મારું માનવું છે કે જો આવું જ જટિલ વસિયતનામું બનાવવું પડતું હોય તો કરોડોની સંપત્તિ ભેગી કર્યાનો કોઈ અર્થ નથી. આ વસિયતનામામાં માનસિક અસલામતીનું પ્રતિબિંબ નજરે પડે છે. આ દંપતીને ડર હતો કે ક્યાંય તેમનો મોટો પુત્ર બધું ધન પચાવીને નાના ભાઈને રસ્તે રઝળતો ન કરી દે.

પોતાનું ધન ભાવિ પેઢીને નહીં સોંપવાનો નિર્ણય અસલામતીની ભાવનામાંથી જન્મે છે. વળી, અહીં આપણે વસિયતનામાની વાત કરી રહ્યા છીએ જે પોતાના મૃત્યુ પછી અમલમાં આવે છે. ‘આપ મુઆ પીછે ડૂબ ગઈ દુનિયા’ એવી કહેવત હોવા છતાં લોકો પોતાની સંપત્તિ પોતાના મૃત્યુ પછીય સંતાનોના નામે કરતાં ડરે છે.

આ ડરની પાછળ આપણા મનમાં ઘર કરી ગયેલી એક માન્યતા છે. એ માન્યતા એવી છે કે ધનથી આપણી બધી સમસ્યાઓનો હલ આવી શકે છે. ધન પ્રત્યેની આસક્તિ આપણા પોતાના અસ્તિત્વનો પ્રશ્ન બની જાય છે.

આથી મનુષ્યે ગુજરાન ચલાવવા માટેનાં ધન-સંપત્તિ અને અસ્તિત્વ માટેનાં ધન-સંપત્તિ એ બન્ને વચ્ચેનો ભેદ જાણી લેવો જોઈએ. આપણને રોટી, કપડાં અને મકાન, વગેરે માટે પૈસાની જરૂર પડે છે. તેમાં કોઈ મોટી ઘટ પડતી નથી. આમ છતાં, જ્યારે અસ્તિત્વ માટે નાણાંની જરૂર હોવાનું માનવામાં આવે છે ત્યારે સમસ્યા સર્જાય છે. એ તબક્કે મનમાં અસલામતી જાગે છે અને મગજ બરોબર કામ કરતું બંધ થઈ જાય છે.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)

અમરીશ પુરી શશિની ‘વિજેતા’ માં રહ્યા

ફિલ્મ ‘વિજેતા’ (૧૯૮૨) ના ઘણા કલાકારો બદલાયા હતા પણ અમરીશ પુરી એમની ભૂમિકામાં નક્કી રહ્યા હતા. અભિનેતા શશિ કપૂરે નિર્માતા તરીકે ઇન્ડિયન એર ફોર્સ પર ફિલ્મ ‘વિજેતા’ બનાવવાનું નક્કી કર્યું ત્યારે નિર્દેશક તરીકે ગોવિંદ નિહલાનીને લીધા હતા. ફિલ્મમાં પહેલાં શશિએ પોતાની પત્નીની ભૂમિકા માટે શબાના આઝમીને નક્કી કર્યા હતા. પરંતુ એક વિગત મુજબ બંને વચ્ચે નજદીકી વધી રહી હોવાનું જાણતી અસલ પત્ની જેનીફરે શબાના સાથે કામ ન કરવાની સૂચના આપી હતી. એ પછી ફિલ્મમાં રેખા આવી હતી. એ જ રીતે કુણાલ કપૂરને દેબશ્રી રૉય સાથે મિત્રતાથી વિશેષ સંબંધ હોવાનું જાણવા મળ્યા પછી એના સ્થાને સુપ્રિયા પાઠકને લેવામાં આવી હતી. ફિલ્મમાં ગૃપ કેપ્ટનની ભૂમિકા માટે જ્યારે ગોવિંદ નિહલાનીએ અમરીશ પુરીનું નામ નક્કી કર્યું ત્યારે શશિએ ના પાડી હતી.

આ વાત અમરીશ પુરીએ એમની આત્મકથામાં કહી છે. અમરીશને લેવામાં શશિને જરા પણ રસ ન હતો. એમને વિશ્વાસ ન હતો કે એ આ ભૂમિકા ભજવી શકશે. જ્યારે ગોવિંદને પૂરો વિશ્વાસ હતો. શ્યામ બેનેગલ અને સત્યજીત દુબેએ પણ અમરીશને લેવા ભલામણ કરી દીધી હતી અને મનાવવા લાગ્યા હતા. શશિનું કહેવું હતું કે અમરીશની જે છબી છે એ આ ભૂમિકા માટે યોગ્ય નથી. કદાચ આ પહેલાં એ ‘નસીબ’ (૧૯૮૧) માં ડોન બન્યા હતા અને વિલનની ભૂમિકાઓ ભજવી હતી. ત્યારે ગોવિંદે એમને જવાબ આપ્યો હતો કે કોઈ કલાકારની છબીને આધારે ફિલ્મ બનાવવામાં આવતી નથી. શશિએ છેલ્લે હારીને હા પાડી હતી પણ એમની ઈચ્છા બિલકુલ ન હતી કે અમરીશ આ ભૂમિકા કરે. અમરીશની વેશભૂષા એવી બનાવવામાં આવી હતી કે એ વાયુસેના અધિકારી લાગે. ભૂમિકાને આત્મસાત કરવા અમરીશ શૂટિંગ ના હોય ત્યારે પણ કમાન્ડરની વર્દી પહેરીને આમતેમ ફરતા રહેતા હતા. એમને કોઈએ જણાવ્યું કે આ રીતે સેટ સિવાય ક્યાંય વર્દી પહેરીને ફરવાની મંજૂરી નથી. ત્યાર પછી એ કારમાં સેટ પર જવા લાગ્યા હતા.

ફિલ્મના એક દ્રશ્યમાં અમરીશે નવા ભરતી થયેલા યુવાનોને સંબોધન કરવાનું હતું. ત્યારે એમને એવી લાગણી થઈ હતી કે એ ખરેખર અધિકારી છે. અમરીશની સેનામાં જવાની ઈચ્છા પૂરી થઈ ન હતી પણ આ વર્દી પહેરીને જાણે એ ઈચ્છા પૂરી થઈ ગઈ હતી. અમરીશે સેનામાં ભરતી માટે આવેદન કર્યું હતું. પરંતુ જ્યારે ઇન્ટરવ્યુનો પત્ર મળ્યો ત્યારે એની તારીખ જતી રહી હતી. બીજા વર્ષે એ સૈનિક તરીકે ભરતી થવા આવેદન કરી શક્યા નહીં. કેમકે એમની ઉંમર એક વર્ષ વધારે હતી. ભારતીય વાયુ સેનાના સુવર્ણ જયંતિ વર્ષ ૧૯૮૨ માં ફિલ્મ ‘વિજેતા’ નો દિલ્લીમાં ઉચ્ચાધિકારીઓ માટે પ્રીમિયર શૉ થયો ત્યારે વિંગ કમાન્ડર સહિતના અધિકારીઓએ એમને ઘેરી લીધા હતા અને પ્રશંસા કરતા કહ્યું હતું કે તમે કોઈ અધિકારીથી વધુ સારા લાગો છો! એમણે અનુભવ્યું કે અમરીશે ભૂમિકાને જીવી જાણી છે. એ એમના અભિનયનો વિજય હતો.

ગુલકંદ – ૧૨ ઓગસ્ટ, ૨૦૨૩

ગુલકંદ – ૧૨ ઓગસ્ટ, ૨૦૨૩

૧૨ ઓગસ્ટ, ૨૦૨૩

૧૨ ઓગસ્ટ, ૨૦૨૩

રાશિ ભવિષ્ય 12/08/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસમાં તમને ઉત્સાહ જોવા મળી શકે છે, અંગતમિત્રો સાથેની વાર્તાલાપમાં સારોસમય પસાર થાય તેમાં જુનાસ્મરણ તાજા થાય અને તમને આનંદ,ખુશીની લાગણીનો અનુભવ થાય, આજે આરામ કરવાની અને થોડેક અંશે આળસવૃતિ પણ જોવા મળે, ધાર્મિકસ્થાનની મુલાકાત થઈ શકે છે.


આજે સગાસ્નેહી,જુનાપરિચિત સાથે મિલનમુલાકાતકે કોઈ તેમની સાથેના અગત્યના કામકાજ થાય તેવા યોગ છે, કામકાજકે ઈતરપ્રવૃત્તિના કારણે આરોગ્યબાબતે થોડા બેદરકાર પણ બનો, કોઈ વ્યવહારુ અભિગમ અપનાવા જાવતો તમે ક્યાંક કોઈના થોડા રોષના ભોગ પણ બની શકો છે.


આજે તમારા માટે કોઇપણ પ્રકારના કામકાજ હેતુ નાનીકે મોટી મુસાફરીના યોગ બની રહ્યા છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, તમારાકે અન્ય માટેના શુભપ્રસંગઅંગે ચર્ચા વિચારણા પણ થાય, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખવું.


:   આજે તમને થોડો માનસિકથાકકે કારણવગરનો ઉશ્કેરાટની લાગણીનો અનુભવ થાય, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છે, આકસ્મિકખર્ચા પણ કોઈ કારણસર થઈ શકે છે. શરદી,ખાંસી,તાવ જેવી નાનીનાની તકલીફથી તમે થોડી બેચીની વધુ અનુભવો. શાંતિથી દિવસ પસાર કરવો.


આજના દિવસે તમને કંઇકને કંઇક કરવાની જીજ્ઞાસા વધુ જોવા મળે અને કામકાજ કરવામાં થોડી ઉતાવળ કરવાની વૃતિ પણ જોવા મળે, કોઈ જુનાઅટકેલા કામ પુરા કરવા માટે પ્રયત્ન કરવો સારો કહી શક્ય જેમાં સારો પ્રતિભાવ જોવા મળી શકે છે, ક્યાય દાનદક્ષિણા આપવાના યોગ પણ બની રહ્યા છે.


આજે કુટુંબના સભ્યો સાથે મિલનમુલાકાત થાયકે કોઈ સામાજિકકે ધાર્મિકપ્રસંગમાં હાજરી આપવાના યોગ બને છે અને તેમાં તમારું વર્ચસ્વ અને મોભો જળવાય તેવું પણ બની શકે છે. તમને કોઈની મજાકમશ્કરી કરવાની વૃતિ જાગે પરંતુ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


આજ દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, નાનાઅંતરની મુસાફરી થઈ શકે છે. તમે આજે મિત્રોના કોઈ કામકાજમાં ક્યાંક સહભાગી બનો તેવું પણ બની શકે છે, ધાર્મિકસ્થળની મુલાકાત થાય અને તેમાં તમારું મન સારું પ્રસન્ન રહે તેવું બની શકે છે.


આજે થોડી માનસિકચિંતાકે અશાંતિ જેવું લાગે કારણકે કોઈકને કોઈક વિચાર આબાબતે તમને અસ્વસ્થ કરી શકે છે. મિત્રોકે ઘરમાં વડીલવર્ગ સાથે વિચારમતભેદના થાય તેનું ધ્યાન રાખવું, પ્રભુભક્તિમાં સમય વધુ પસાર કરવાની ઈચ્છા થાય અને ધાર્મિકસ્થળની મુલાકાત કરવાથી મનને શાંતિ પણ મળે.


આજે મિત્રો સાથે સારો સમય પસાર થાય, તમે કોઈને કોઈકામમાં સહભાગી બનો તેવી લાગણી તમારામાં જોવા મળે, ધાર્મિકઆસ્થા થોડી વધુ જોવા મળી શકે. લાગણીભર્યા જુનાસંબંધ અચાનક યાદ આવી શકે છે. કોઈ કાર્ય બાબતની ક્યાય મિલનમુલાકાત થવાથી તમને સારો પ્રતિભાવ જોવા મળે તેવું બની શકે છે.


આજે થોડાક માનસિકવિચારોથી તમે અશાંતિ અનુભવો, મનમાંને મનમાં કોઈક વાતનો અજંપો રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, શક્ય એટલું ઓછુ બોલવું સારું, કોઈ જરૂરિયાત વાળી વ્યક્તિને યથાશક્તિ દાન આપવું ઇચ્છનીય છે, પ્રભુમાં ચિત્ત રાખવું યોગ્ય કહી શકાય.


આજે કોઈ ધાર્મિકસ્થળકે સામાજિકપ્રસંગ માટેની મુલાકાત થઈ શકે છે, જાહેરજીવનમાં તમારો મોભો સારો વર્તાય, આજે તમારું વર્ચસ્વ તમાર કામ અને આવડત પર સારું જોવા મળે. યુવાવર્ગને પોતાની પસંદગીની કોઈ વાત સંભાળવા મળે કે જાણવા મળી શકે છે, નાનાઅંતરની મુસાફરી પણ થઈ શકે છે.


આજે એકલા હાથે ઘણા કામ કરવાના આવે તેવું બની શકે છે તેમાં તમને અન્યનો સાથ ઓછો જોવા મળે તેના કારણે તમે કામ ટાળવાની વૃતિ જાગે અને આરામ કરવાનું મન વધુ થાય, ક્યાંક આકામિકનાણાકીય ખર્ચ આવી શકે છે, મિલનમુલાકાતકે હરવાફરવામાં ઉમંગનો અભાવ જોવા મળી શકે છે.