નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે હાલમાં ચીન અને કોરિયાથી આવતા શિપમેન્ટ્સને પ્રતિબંધિત કરવા માટે લેપટોપ, ટેબ્લેટ્સ અને કેટલાંક પ્રકારનાં કોમ્પ્યુટર્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ સિવાય પ્રિન્ટર, કેમેરા, હાર્ડ ડિસ્ક્સ પર પણ આયાત્ર નિયંત્રણો લાદવામાં આવે એવી વકી છે.
આ આયાતી ચીજવસ્તુઓની સ્થાનિકમાં બહું ઊંચી માગ છે અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા તત્કાળ હસ્તક્ષેપ કરવાની જરૂર છે, એમ આ બાબતથી માહિતગાર લોકોએ જણાવ્યું હતું. જોકે ગયા સપ્તાહે મોટી-મોટી ટેક જાયન્ટ્સના ટોચના એક્ઝિક્યુટિવ્સ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન મંત્રાલયના સિનિયર અધિકારીઓને મળ્યા હતા અને તેમણે સરકાર પાસે ઉત્પાદન એકમો સ્થાપવા માટે સમય આપવા માગ કરી હતી, એમ અહેવાલ કહે છે. નાણાકીય વર્ષ 2023માં આ ચીજવસ્તુઓની આયાત 10.08 અબજ ડોલરને પાર થઈ હતી. FY23માં દેશની કુલ મર્ચન્ડાઇઝ આયાત 16.5 ટકા વધીને 714 અબજ ડોલરે પહોંચી હતી, જેનાથી દેશની ચાલુ ખાતાની ખાધ (CAD) બે ટકા વધીને GDPના 1.2 ટકા વધીને બે ટકા થઈ હતી.
આ વેબસાઇટે અગાઉ જણાવ્યું હતું કે ટોચના લેપપટોપ, પર્સનલ કોમ્પ્યુટર (PC) અને સર્વરના ઉત્પાદકો જેવા કે ડેલ, HP, એપલ, લિનોવો અને એસુસ સહિતના એકમોની સંસ્થા- મેન્યુફેક્ચર્સ એસોસિયેશનન્સ ફોર ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (MAIT)એ નવી આયાત પર મર્યાદિત કરવાના નિયમોના અમલીકરણની રજૂઆત કરી હતી.
નવી દિલ્હીઃ લોકસભામાં કોંગ્રેસ નેતા સંસદમાં અધીર રંજન ચૌધરીના સસ્પેશન મામલે વિપક્ષ આક્રમક છે. તેમના સસ્પેશનનો મુદ્દો રાજ્યસભામાં પણ ઊઠ્યો હતો. રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસાધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે ‘નીરવ મોદી’નું નામ લેવા પર અમારા સાથી નેતાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ખડગેએ કહ્યું હતું કે જરા અમથી વાતમાં સસ્પેન્ડ કોણ કરે છે? કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ સુપ્રીમ કોર્ટ જવાના સંકેત આપ્યા છે.
કોંગ્રેસાધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે સંસદમાં દલીલબાજી દરમ્યાન કોઈ સભ્ય અસંસદીય શબ્દોનો ઉપયોગ કરે છે, તો તેમને ત્યાં જ અટકાવવા જોઈએ. તેમના શબ્દો પર વાંધો ઉઠાવવો જોઈએ, પરંતુ તમે લોકસભામાં અમારા નેતાને સસ્પેન્ડ કરી દીધા છે.
PM मोदी सदन को संविधान के तहत नहीं चलाना चाहते हैं। मोदी सरकार लोकतंत्र की हत्या कर रही है और मनचाहे ढंग से विपक्ष के सांसदों को निष्कासित किया जा रहा है।
બીજી બાજુ, INDIAના સાંસદોએ લોકસભાની કાર્યવાહીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. ત્યાર બાદ સંસદની કાર્યવાહીને અનિશ્ચિતકાર માટે સ્થગિત કરવામાં આવી છે. ત્યાર બાદ વિપક્ષી સાંસદો સંસદના પ્રાંગણમાં માર્ચ કાઢી હતી. આ પ્રદર્શનમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત વિપક્ષના સાંસદ સામેલ થયા હતા.
બીજી બાજુ, રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડેએ આપના સાંસદ રાઘવ ચઢ્ઢાને પણ સસ્પેન્ડ કરી દીધા છે અને સાંસદ સંજય સિંહનું સસ્પેન્શન પણ વધારી દીધું છે. અધીર રંજન ચૌધરી સહિત ત્રણ સાંસદો વિશેષાધિકાર સમિતિના રિપોર્ટ આવવા સુધી સસ્પેન્ડ રહેશે. આ સાથે રાજ્યસભામાં એ સાંસદોને વિદાય આપવામાં આવી હતી, જેમનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે.
મુંબઈઃ અહીંના દાદર ઉપનગરમાં પોલીસે એક દંપતી સામે છેતરપિંડીનો કેસ કર્યો છે. આ બંને જણ સર્વાઈવલ ટેક્નોલોજી લિમિટેડ કંપનીમાં કામ કરતા હતા. દિનેશ ભાલોટિયા નામનો પતિ આ કંપનીમાં ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર (સીએફઓ) તરીકે કામ કરતો હતો અને તેણે એની પત્ની સબિતાને પણ કંપનીમાં નોકરીએ રાખી હતી, પરંતુ પત્ની એક દિવસ માટે પણ કામ કરવા આવી નહોતી.
કંપનીના એચ.આર. વિભાગના વડા જોન પરમાર તથા સ્ટાફ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધવામાં છે. એણે આરોપ મૂક્યો છે કે દિનેશ ભાલોટિયા કંપનીમાં સીએફઓ પદે હતા અને એમણે એમની પત્ની સબિતાને એક ટેક્સ એક્ઝિક્યૂટિવ તરીકે અપોઈન્ટ કરી હતી. સબિતા 2021ની 1 ફેબ્રુઆરીએ કંપનીમાં જોડાઈ હતી અને આ વર્ષના જુલાઈ સુધીમાં કર્મચારી તરીકે રૂ. 46 લાખનો પગાર લીધો હતો, પરંતુ એ ક્યારેય ઓફિસે આવી નહોતી. ફરિયાદમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે ભાલોટિયા સ્ટાફમાં દરેક જણ સાથે ઉદ્ધતાઈથી વાત કરતા હતા. ત્યારબાદ એમને ચેતવણી પણ આપવામાં આવી હતી. તે છતાં એણે પોતાનું વર્તન સુધાર્યું નહોતું. એ પછી પરમારે ભાલોટિયાના દસ્તાવેજો ચેક કર્યા હતા અને ત્યારે એમને જાણવા મળ્યું હતું કે એમણે દસ્તાવેજોમાં આપેલા નામોમાં ફરક હતો. ભાલોટિયાનો માસિક પગાર રૂ. ચાર લાખ હતો અને સબિતાનો પગાર રૂ. 1.69 લાખ હતો. પગારની તે રકમ ઉપર દંપતીએ ટીડીએસ પણ ભર્યો નહોતો. ભાલોટિયાએ કંપનીને એમ જણાવ્યું હતું કે એણે ટેક્સ ચૂકવી દીધો છે, પરંતુ એ જૂઠ્ઠું બોલ્યા હતા. આખરે એમને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. ભાલોટિયાની પત્નીને આટલા વખતમાં પગાર તરીકે રૂ. 46 લાખ ચૂકવવામાં આવ્યા હતા. કંપનીને જ્યારે આની જાણ થઈ કે તરત જ એણે પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે ભાલોટિયા દંપતી સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયા સૌપ્રથમ વાર એશિયન ગેમ્સમાં ભાગ લઈ રહી છે. વર્લ્ડ કપ 2023માં પણ હવે બે મહિનાથી ઓછો સમય બચ્યો છે. પાંચ સપ્ટેમ્બરે બધી ટીમોનું એલાન થવાનું છે, પરંતુ ટીમ ઇન્ડિયાની ચિંતા એ છે કે વર્લ્ડ કપમાં પ્લેઇંગ 11માં કયા ક્રિકેટરને જગ્યા આપવી? ટીમ ઇન્ડિયા પોતાના ‘ગબ્બર’ ક્રિકેટરને મિસ કરીને ક્યાંક મોટી ભૂલ તો નથી કરી રહી? કેમ કે એશિયન ગેમ્સમાં પણ શિખર ધવનની અવગણના કરવામાં આવી હતી.
પસંદગીકર્તાઓએ સિનિયર બેટ્સમેન શિખર ધવનને નજરઅંદાજ કરી રહ્યા છે, કેમ કે શિખર ધવન લાંબા સમયથી ટીમથી દૂર છે. ટીમ ઇન્ડિયાના ‘ગબ્બર’ શિખર ધવનનો રેકોર્ડ ઘણો સારો છે. વર્લ્ડ કપની ટીમ માટે પણ તેની અવગણના કરવામાં આવે એવી શક્યતા છે. ધવન એવો બેટ્સમેન છે, જે ટીમમાં હોવાથી ટીમ ઇન્ડિયાને લાભ જ લાભ છે. આવો જાણીએ શિખર વર્લ્ડ કપની ટીમમાં કેમ હોવો જોઈએ?
શિખર ધવનને ઇન્ટરનેશનલ ક્રિકેટનો 10 વર્ષથી વધુનો અનુભવ છે. તેણે 2010માં ડેબ્યુ કર્યું હતું. તેની મદદથી ટીમ ઇન્ડિયા ઘણી મેચો જીતી છે. વળી, તેણે ICC ઇવેન્ટમાં હંમેશાં સારો દેખાવ કર્યો છે. તેનો રેકોર્ડ જબરદસ્ત છે. તેણે 2013 અને 2017ની ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં કુલ 10 મેચ રમી હતી, જેમાં તેણે 77.88ની સરેરાશથી 701 રન બનાવ્યા હતા. તેના નામે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ત્રણ સદી અને ત્રણ અર્ધસદી છે. એ સિવાય 2015 અને 2019- બંને વર્લ્ડ કપ મળીને ધવને 10 મેચમાં 53.70ની સરેરાશે 537 રન બનાવ્યા છે. વનડે વર્લ્ડ કપમાં તેણે ત્રણ સદી અને એ ફિફ્ટી ફટકાર્યા છે.
ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના વિદાય લેતા વડા પ્રધાન શાહબાઝ શરીફે કબૂલ કર્યું છે કે એમની સરકાર પણ શક્તિશાળી એવા દેશના લશ્કરના ટેકા વગર ચલાવી શકાય એમ નથી. શરીફનું આ વિધાન પાકિસ્તાનના રાજકારણમાં લશ્કરની મહત્ત્વની ભૂમિકાનું પ્રતિબિંબ પાડે છે.
આ જ શરીફ જ્યારે વિપક્ષી નેતા હતા ત્યારે એમના પુરોગામી વડા પ્રધાન ઈમરાન ખાનની ટીકા કરતા હતા કે એમની સરકાર હાઈબ્રિડ (વર્ણસંકર) છે અને દેશના લશ્કરના ટેકા પર ચાલે છે. પરંતુ હવે જ્યારે પોતે સત્તા પર આવ્યા છે ત્યારે એમણે પણ ઈમરાનવાળી જ પેટર્નને અપનાવી છે. જિયો ન્યૂઝને આપેલી મુલાકાતમાં શરીફે કહ્યું કે, ઈમરાન ખાનને પણ એમની મુદત દરમિયાન લશ્કરનો ટેકો મળ્યો હતો. દેશની દરેક સરકારને લશ્કરના ટેકાની આવશ્યક્તા રહે છે.
“ઈસ સ્ટોરી મેં ઈમોશન હૈ, રોમાન્સ હૈ, ટ્રેજેડી હૈ…”
રામગઢવાસીઓનાં ઘરમાં વૉટર સપ્લાય કરતી ટાંકી ઉપર ચડીને વીરુ આવું કહી રહ્યો હોય છે ત્યારે નીચે એનો દોસ્તદાર જય ઠંડા કલેજે રકાબીમાંથી ચા પી રહ્યો છે.
15 ઑગસ્ટ નજીક આવે ને દેશની આઝાદી, સ્વાતંત્રવીરોનાં બલિદાન બાદ યાદ આવે શોલે. આ 15 ઑગસ્ટે ‘શોલે’ને 48મું બેસશે. 48-48 વર્ષ પછી પણ નરેશકુમાર, પ્રફુલ્લકુમાર, જયવંતકુમાર, રઘુકુમારથી લઈને પરદેશમાં હેમલકુમાર, નિમેષકુમાર જેવા સિનેમાપ્રેમી એના વિશે ચર્ચા કરે એ કેવું, નહીં?
ગયા વર્ષે પૅન નલિનની દર્જેદાર ફિલ્મ ‘છેલ્લો શો’ના પ્રીમિયરમાં ‘શોલે’ના સર્જક રમેશ સિપ્પી મળી ગયા ત્યારે એમને મેં સવાલ કરેલોઃ “શૂટિંગ વખતે એવું લાગતું હતું કે તમે ઈતિહાસ સર્જી રહ્યા છો?”
જવાબમાં રમેશજી કહે, “અમે એક સરસ ફિલ્મ બનાવી રહ્યા છીએ એટલી ખબર હતી, પણ એ આવી હિસ્ટોરિકલ બની જશે એવો અંદેશો નહોતો.”
ઈન્ટરેસ્ટિંગ્લી, 1975માં 15 ઑગસ્ટે, રિલીઝના પહેલા જ દિવસે ‘શોલે’ ફ્લૉપ ડિકલેર થઈ. કારણ શોધતાં ખબર પડી કે અંતમાં જય ગુજરી જાય છે એ પ્રેક્ષકોને ગમ્યું નહેતું. લોકો ઈચ્છતા હતા કે રમેશ સિપ્પી વિધવા પુનર્વિવાહ જેવો પ્રગતિશીલ ટ્વિસ્ટ લાવશે. એમાં પાછું એ જ વર્ષે જાન્યુઆરીમાં આવેલી, સલીમ-જાવેદ લિખિત ‘દીવાર’માં પણ અમિતાભનું અવસાન થાય છે. એ અંત પણ પ્રેક્ષકોને ગમ્યો નહોતો ત્યાં સાત મહિના બાદ ‘શોલે’માં પણ પ્યારા ઍક્ટર-કૅરેક્ટરનું ડેથ થાય એ તેઓ ચલાવી લેવા માગતા નહોતા.
રિલીઝના બીજા દિવસે, શનિવારે મળેલી મહત્વની મિટિંગમાં આવી ચર્ચા થતાં અમિતાભે કહ્યું, “ચાલો, ક્લાઈમેક્સ પાછી શૂટ કરીએ, હું જીવતો રહીને ઠાકૂરની વિધવા પુત્રવધૂ રાધા સાથે સુખી સંસાર માંડું છું એવું દેખાડીએ.”
બધાંએ ડિરેક્ટર સામે જોયું. એ કહેઃ “આપણે સોમવાર સુધી રાહ જોઈએ. સોમવારે પણ આમ જ ચાલ્યું તો જેવી ફિલ્મની નિયતિ…”
-અને સોમવારે જે બન્યું એ કલ્પનાતીત હતું. પ્રેક્ષકોએ ટિકિટબારીના ભૂકા કાઢી નાખ્યા.
રામગઢના જમીનદાર ઠાકૂર બલદેવસિંહ (સંજીવકુમાર) ડાકુ ગબ્બરસિંહ (અમજદ ખાન)ને પકડવા બે યુવાનોને ભાડે રાખે એ આઈડિયા સલીમ-જાવેદે 1954માં જપાની ડિરેક્ટર અકીરા કુરોસાવાની ‘સેવન સમુરાઈ’ પરથી લીધેલો. ‘સેવન સમુરાઈ’ પરથી હોલિવૂડમાં ‘મેગ્નિફિસન્ટ સેવન’ (1960) બની, જેમાં નરાધમને પકડવા સાત જણને રોકવામાં આવે છે. રમેશ સિપ્પી-સલીમ-જાવેદે બેથી કામ ચલાવી લીધું.
જો કે ‘સેવન સમુરાઈ’નાં મૂળ-કુળવાળી ‘શોલે’ એકમાત્ર હિંદી ફિલ્મ નથી. અમિતાભની પહેલી ફિલ્મ ‘સાત હિંદુસ્તાની’નાં મૂળ પણ જપાનીસ ફિલ્મમાં હતાં. ખ્વાજા અહેમદ અબ્બાસ લિખિત વાર્તામાં ગોવાનાં મારિયા (શેહનાઝ વહાણવટી)ના કહેણ પર બિહારનો શાયર અન્વર અલી (અમિતાભ બચ્ચન) તથા વિવિધ ધર્મ, પ્રાંતના પાંચ બહાદુર યુવાનો ગોવામાં પોર્તુગીઝોએ કબજે કરેલા કિલ્લા તથા અન્ય મકાનો પર તિરંગો લહેરાવા પહોંચે છે.
આ સિવાય અન્ય ફિલ્મોઃ ‘શોલે’ રિલીઝ થઈ એના આગલા વર્ષે આવેલી ‘ખોટે સિક્કે’. એ પહેલાં 1971માં આવેલી રાજ ખોસલાની ‘મેરા ગાંવ મેરા દેશ’, સુભાષ ઘાઈની ‘કર્મા’ (1986), રાજકુમાર સંતોષીની ‘ચાઈના ગેટ’ (1998). બીજી પણ ઘણી હશે, પણ મારી પર્સનલ ફેવરીટ છે ‘ખોટે સિક્કે’.
ઐતિહાસિક ‘શોલે’ની જેમ ઍક્શન-ઈમોશન-કૉમેડી-ટ્રેજેડી ધરાવતી નરેન્દ્ર બેદી દિગ્દર્શિત ‘ખોટે સિક્કે’માં ચોરીચપાટી કરતા પાંચ મવાલીઃ ડૅની-રણજિત-નરેન્દ્રનાથ-સુધીર-પેન્ટલ મુંબઈથી કોઈ ગામડે જાય છે, ખૂનખાર ડાકુ જંગા (અજિત)થી ગામવાસીઓને બચાવવા. એમની સાથે જોડાય છે નામ વિનાનો એક બહાદુર યુવાન (ફિરોઝ ખાન). યસ. એમના કૅરેક્ટરનું નામ જ નહોતું. “કાળાં કપડાંમાં સજ્જ ઘોડેસવાર” એવું નામાવલિમાં આવતું.
અમદાવાદઃ શહેરની નજીક બાવળા-બગોદરા હાઇવે પર ગોઝારો અકસ્માત થયો છે, જેમાં 10 લોકોનાં મોત થયાં છે. બાવળા- બગોદરા રસ્તા પર મીઠાપુર પાસે ટ્રક પાછળ મિની ટ્રક ઘૂસી જતાં 10 લોકોનાં મોત થયાં છે, જેમાં પાંચ મહિલા, ત્રણ બાળક સહિત 10 લોકોનાં મોત થયાં છે, જ્યારે ગંભીર રીતે ઘાયલ ત્રણ લોકોને સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. આ અકસ્માત બાવળા-બગોદરા વચ્ચે અને અમદાવાદથી આશરે 50 કિમી દૂર અકસ્માત થયો છે.
આ અકસ્માતમાં માર્યા ગયેલા લોકો- કપડવંજ અને બાલાસિનોરના 17 લોકો છોટા હાથીના લોડિંગ ટેમ્પોમાં બેસીને ચોટીલા દર્શન કરવા માટે ગયા હતા. ત્યાંથી તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે બાવળા-બગોદરાની વચ્ચે એક ટ્રક પંચર થયેલી ઊભી હતી. આ ટ્રકની પાછળ આ લોડિંગ ટેમ્પો ઘૂસી જતાં ઘટનાસ્થળે 10 લોકોનાં મોત થયાં હતાં. આ વિશે અમદાવાદ જિલ્લા ડીએસપી અમિત વસાવાએ જણાવ્યું હતું કે હાલ તમામ મૃતકોના પોસ્ટમોર્ટમ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અમદાવાદ જિલ્લામાં બાવળા-બગોદરા હાઈવે પર થયેલ અકસ્માતની ઘટના હૃદયવિદારક છે. ઈશ્વર આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માને શાંતિ આપે અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. મારી સંવેદના મૃતકોના પરિવારજનોની સાથે છે.
આ અકસ્માતના પગલે હાઇવે પર લાંબો ટ્રાફિકજામ થયો છે તેમ જ લોકોનાં ટોળેટોળાં જમા થયાં છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.
બીજી તરફ ગઈકાલે અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની છે. આ ઘટના ગઈ કાલે મોડી રાત્રે એલિઝબ્રિજ પર બની હતી. જેમાં એક અજાણ્યા કારચાલકે એક ઇઈકસવાર યુવકને ટક્કર મારી હતી. આ ઘટનામાં જમાલપુરના ટોકરસાની પોળમાં રહેતા સાહિલ અજમેરી નામના યુવકનું મોત થયું છે.
પુણેઃ ઓનલાઇન છેતરપિંડીના નિતનવા કેસ અવારનવાર સાંભળવા મળે જ છે. હવે નવો મામલો સામે આવ્યો છે. એક વિદ્યાર્થીને છેતરપિંડીનો શિકાર બનાવવામાં આવ્યો છે. વિદ્યાર્થીની માતાના બેન્ક એકાઉન્ટમાંથી રૂ. 53 લાખ કાઢી લેવામાં આવ્યા છે. વાસ્તવમાં ઠગોએ દવાઓના નકલી પાર્સલનો સહારો લીધો છે. હવે ઓનલાઇન છેતરપિંડીનો નવી રીત કાઢી છે.
સાઇબર ગુનેગારોએ 25 વર્ષના એક વિદ્યાર્થીને કોલ કર્યો હતો. તેને જણાવવામાં આવ્યું હતું કે તેના નામે તાઇવાનથી એક પાર્સલ આવ્યું છે. આ પાર્સલમાં ડ્રગ્સ અને નકલી પાસપોર્ટ જપ્ત થયો છે. આ પાર્સલને પોલીસે જપ્ત કરી લીધું છે. જે પછી ઠગે ખુદને પોલીસ અધિકારી બતાવીને વિદ્યાર્થીને ડરાવીને કાનૂની કાર્યવાહી કરવા માટે કહ્યું હતું. જેનાથી વિદ્યાર્થી ડરી ગયો હતો. જોકે તેણે જણાવ્યું હતું કે એ પાર્સલ તેનું નથી, તેણે આવું કોઈ પાર્સલ નથી મગાવ્યું. આ વિદ્યાર્થીને ફસાવવા માટે ખોટા પુરાવા ઠગો દ્વારા આપવામાં આવ્યા કે પાર્સલ પર તેની વિગતવાર માહિતી છે. પાર્સલ પર તેનું નામ અને નંબર છે. કુરિયર અને પોલીસ કર્મચારી બતાવીને એ વાત વિદ્યાર્થીને ખૂબ ડરાવ્યો.
ત્યાર બાદ સાયબર ઠગોએ વિદ્યાર્થીને જણાવ્યું હતું કે તેઓ મુંબઈના એન્ટિ-નાર્કોટિક્સ સેલમાં કામ કરી રહ્યા છે અને IPS અધિકારી છે. ત્યાર બાદ વિદ્યાર્થી પર ધરપકડનું કરવાનું દબાણ બનાવવામાં આવ્યું હતું અને આ કેસને બંધ કરવા માટે પૈસાની માગ કરવામાં આવી, જેમાં વિદ્યાર્થી પૈસા આપવા તૈયાર થયો હતો.
વિદ્યાર્થીએ ધરપકડના ડરથી કેટલાક કલાકોમાં માતાના બેન્ક ખાતામાંથી આશરે 34 વ્યવહારો થકી કુલ રૂ. 53.63 લાખ ટ્રાન્સફર કર્યા હતા. થોડા સમય પછી તેને સમજવામાં આવ્યું કે તેની સાથે છેતરપિંડી થઈ છે અને તેણે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.
જ્યારે “તમે” ના બદલે “હું” આવી જાય છે ત્યારે વ્યક્તિ વિચારવા લાગે છે હું સારો વક્તા, હું સારો સેવક, હું સારો આયોજક…. હું સારો….. હું સારો…. અહીંથી જ ઈર્ષા, ઘૃણા, પ્રભાવિત થવું તથા અલબેલાપન ચાર યમદૂત આત્માને દબાવવાનું શરૂ કરી દે છે, જેનાથી મુક્તિનો એક જ ઉપાય છે કે હું-હું કરવાના બદલે પ્રભુ મહિમા રૂપી ધૂણી જગાવીને રાખીએ. ઘણીવાર એ વિચાર પણ રહમદિલ બનવાથી રોકી દે છે કે અત્યારે ચારે તરફ અહમ ફેલાયેલ છે તો પછી હું રહમદિલ કેવી રીતે બની શકું! પરંતુ વિચારવા જેવી વાત છે કે ઉનાળાના દિવસોમાં જ્યારે બહારનું તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ થી વધવા લાગે છે ત્યારે આપણે ઘરમાં ઠંડકના અનુભવ માટે ઉપાયો કરીએ છીએ. એ જ રીતે બહાર ગમે તેટલી ક્રૂરતા હોય પરંતુ મનની કરુણા ક્યારેય પણ ઓછી ન થાય. બહાર ગમે તેટલો અંધકાર હોય છતાં પણ મનનો દિપક હંમેશા પ્રજ્વલિત રહે. બહાર ભલે અગ્નિ ભભૂકે પરંતુ અંદર શીતળતાની લહેર ચાલતી રહે. સાચા દિલનો રહમ એ જ છે તે જે ગુણ-દોષ નથી જોતો. આગળ પાછળની વ્યર્થ બાબતોથી દૂર રહે છે. બદલાની આશા નથી રાખતો. બીજાનું દુઃખ દર્દ તેને દ્રવિત કરી દે છે.
ક્રૂરતા વ્યક્તિને નબળો, મનોબળ વગરનો તથા ભયભીત કરી દે છે. વિશ્વના ઇતિહાસમાં ક્રૂરતા વાળી મોટાભાગની વ્યક્તિઓએ પોતાનો અંત આત્મહત્યા દ્વારા અથવા રીબાઈને પોતાના પાપોની પીડા ભોગવતા-ભોગવતા, પોતે કરેલ પાપોનો પસ્તાવો કરતા-કરતા કરેલ છે. ઇતિહાસ દ્વારા કોઈ વ્યક્તિ જો બોધ ગ્રહણ નથી કરતો તો તે પોતાના હાથે ખોટા કાર્યોની કાંટો થી ભરેલ પથારી તૈયાર કરે છે અને લોહીલુહાણ થાય છે. આ ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના માતાઓ-બહેનો અને કેટલાક ભાઈઓની પાસે એવા હજારો ઉદાહરણ છે કે જેઓએ અનેક અત્યાચારો સહન કર્યા. પરંતુ આ ભાઈ-બહેનોએ અંતિમ ઘડી સુધી પોતાના ઉપર અત્યાચાર કરવા વાળા પ્રત્યે નફરત ન કરી. રહમ દિલ બની તેમના પ્રત્યે શુભ ભાવના રાખી. તેમના પાપ કર્મોને ભૂલીને તમને માફ પણ કર્યા.
ઈશ્વરીય અભ્યાસ (પઢાઈ) ના લક્ષ મુજબ શ્રીલક્ષ્મીદેવી કે શ્રીનારાયણ દેવ તો અભ્યાસ પૂરો થયા બાદ બનીશું. પરંતુ વર્તમાન સમયે તો કરુણા દેવી, રહમ કુમાર બની જઈએ. પોતાની અંદર ચેક કરો કે મારામાં બીજા કોના-કોના પ્રત્યે કેટલી નફરત-ઈર્ષ્યા છે? કોની સાથે બદલો લેવાની મનમાં ગાંઠ વાળેલી છે?
રહમ ભાવ આ બધા દુષણોને સમાપ્ત કરી દે છે. દેશના રાષ્ટ્રપતિ જો રીઢા ગુનેગારને માફ કરી શકે છે તો શું શુભ ભાવનાથી ભરપૂર ભગવાનના બાળકો પોતાની આધ્યાત્મિક શક્તિનો પ્રયોગ કરીને, મન મોટાવ ભૂલીને પોતાના ભાઈઓને માફ ન કરી શકે! અન્નદાન, વસ્ત્રદાન, જ્ઞાનદાન આ બધાથી મોટું છે ક્ષમાદાન, રહમ તથા કરુણા દાન. ભગવાન શિવ કહે છે – ‘અજાણી દુઃખી આત્માઓ ઉપર રહમદિલ બનો. સાથે સાથે આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ માટે પણ રહમદિલ બનાવવાની આવશ્યકતા છે. દિલથી રહમની ભાવના અલબેલાપનને સમાપ્ત કરી દે છે. સાચા ભક્ત રહમ દિલ હોય છે, તેઓ પાપ કરવાથી ડરે છે. રહમની ભાવના પ્રેમ તથા દયા થી ભરપૂર હોય. જે ભગવાન ને સારું નથી લાગતું તેનાથી દિલ નો વૈરાગ્ય કરો.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)
આજે 11 ઓગસ્ટ, શુક્રવારથી થિયેટરોમાં રિલીઝ થયેલી નવી હિન્દી ફિલ્મ ‘ઓ માય ગોડ 2’ના નિર્માતાઓએ 10 ઓગસ્ટ, ગુરુવારે મુંબઈમાં ફિલ્મના પ્રચાર માટે રેડ કાર્પેટનું આયોજન કર્યું હતું. તેમાં ફિલ્મનાં મુખ્ય કલાકારો – યામી ગૌતમ, પંકજ ત્રિપાઠી તથા અન્ય કલાકારો અને મિડિયાકર્મીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. (તસવીર, વિડિયોઃ માનસ સોમપુરા)