નવી દિલ્હીઃ અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસે કહ્યું હતું કે કંપની વિલ્મરમાં પોતાનો હિસ્સો નથી વેચી રહી. FMCG કંપની અદાણી વિલ્મરમાં સિંગાપોરમાં વિલ્મર ગ્રુપની સાથે સંયુક્ત સાહસમાંથી પોતાનો 44 ટકા હિસ્સો વેચી રહી છે, એવા અહેવાલોને અદાણીએ ખોટા ઠરાવ્યા હતા અને સ્પષ્ટીકરણ જારી કર્યું હતું.
અદાણી વિલ્મરનું માર્કેટ વેલ્યુયેશન 6.17 અબજ ડોલર છે અને એ 23 પ્લાન્ટો ધરાવે, જે 10 રાજ્યોમાં છે. અમે સ્પષ્ટતા કરવા ઇચ્છીએ છીએ કે કંપનીમાં અદાણી ગ્રુપે હિસ્યો વેચ્યાના અહેવાલો ખોટા અને ગેરમાર્ગે દોરનારા છે. આ સાથે સેબીના લિસ્ટિંગના રેગ્યુલેશન 30 મુજબ જો જરૂર જણાશે તો અમે ચોક્કસ ખુલાસો કરીશું, એમ અદાણી ગ્રુપે જણાવ્યું હતું.
અહેવાલો મુજબ અદાણી ગ્રુપ કેટલાક મહિનાઓથી અદાણી વિલ્મરમાં પોતાનો 44 ટકા હિસ્સો વેચવા માટે વિચારી રહ્યું છે. હાલ અદાણીના શેરની કિંમતો આશરે 2.7 અબજ ડોલર છે. અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે વેચાણ પછી ગૌતમ અદાણી અને પરિવાર વ્યકિતગત ક્ષમતાથી કંપનીમાં લઘુમતી હિસ્સો જાળવી રાખશે. આ ન્યૂઝ બજારમાં ફેલાતાં અદાણી શેરોમાં ભારે ચડઊતર થઈ હતી. જોકે કંપનીએ વિલ્મરમાં હિસ્સો વેચ્યાના અહેવાલોનું ખંડન કર્યું હતું.
અહેવાલ પછી અદાણી વિલ્મરના શેરો બુધવારે ચાર ટકા ઘટીને બંધ થયા હતા. એ પછી ગઈ કાલે કંપનીનો શેર વધુ 1.30 ટકા ઘટ્યો હતો. અદાણી વિલ્મર ખાદ્ય તેલથી માંડીને લોટ, ચોખા-દાળ અને મસાલા જેવી ચીજવસ્તુઓનું વેચાણ કરે છે.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 47 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,96,198 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,31,920 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,62,773 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 47 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1505એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 29,358 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.41 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,57,191 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 462 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
સંસ્કૃતિ શબ્દની વ્યાખ્યા ક્યારે બદલાય? જયારે સંસ્કૃતિના પરિમાણો બદલાવા લાગે. એક સાવ કોરા સફેદ વસ્ત્ર પર જાત જાતના રંગો ચડવા લાગે. અને અંતે પોત કેવું હતું એ શોધવાનું અશક્ય થઇ જાય. નવું પોત લઇ લેવું કે પછી જુના પોત ને જ ફરી કોરું બનાવવું એની દ્વિધામાં જીવતી વ્યક્તિ રંગબેરંગી પોત પર અવનવા અખતરા કરતી રહે. અને પોત સફેદીથી વંચિત થતું રહે. વળી જેમના મનમાં જે આવે એવા સૂચનો પણ આપતા રહે. જાણે મૂળ પોત એમણે પોતે જ ન બનાવ્યું હોય.
એક વાર અવનવા રંગે રંગાયેલું પોત પાછુ સફેદ થાય ખરું? વિચાર અદ્ભુત છે પણ એવો વિચાર કોઈ કરે છે ખરું? કે પછી સારા દેખાવા માટે રોજ નવા રંગે રંગાવું એ જ જીવન ક્રમ બની જાય છે? જીવનમાં અવનવા રંગો ચડે તો જીવન રંગીન બને પણ સંક્સ્કૃતિ પર અવનવા રંગો ચડે તો શું થાય? ફરી સંસ્કૃત સમયની સચ્ચાઈ સમજવી જ પડે. પણ શું એના માટે સમય છે ખરો? માત્ર તાળીઓ પાડવાથી પતિ જાશે ખરું?
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપણે પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલ ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ: એક ફિલ્મ આવી છે. લસ્ટ સ્ટોરીઝ. મને એમાં કોઈ સ્ટોરી જેવું ન લાગ્યું. પણ એમાંની વાર્તાઓ આપણી સંસ્કૃતિ માટે ઘાતક લાગી. એક વાર્તામાં એક દીકરીની દાદી એને સમજાવે છે કે જે પુરુષ સાથે શરીર મળે એની સાથે જ લગ્ન કરાય. પછી એ દીકરી જે છોકરો જોવા આવ્યો છે એની સાથે અલગ અલગ જગ્યાએ ટ્રાયલ લે છે. અને અંતે કહે છે કે હવે એ આકર્ષણ ઉભું થઇ ગયું છે. માનો કે પહેલા છોકરામાં એ સંતોષ ન મળ્યો. તો કેટલા ટ્રાયલ લેવાના? દીકરીની માનસિક સ્થિતિ, એનું સ્વાસ્થ્ય વિગેરેનો વિચાર જ નહિ. અન્ય એક વાર્તામાં કર્મના સિદ્ધાંતને પડકારવામાં આવ્યો છે. ચાર માંથી એક વાર્તા તો યાદ પણ નથી. આવી ફિલ્મની સફળતા આપણા સમાજની અભિરુચિ દર્શાવે છે. જે ફિલ્મનો વિરોધ કરવાનો હોય એ જ ચાલે છે. આ સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે? આપણી સંસ્કૃતિ શું માત્ર કાગળ પર જ છે? ઘરે ઘરે વ્યસન આવી રહ્યું છે. શું આવી પ્રજા ભારતનું ભવિષ્ય નક્કી કરશે?
જવાબ: સત્યની સમજણ હોવી અને ગમતી વાતને સત્ય માની લેવી એ બંનેનો ભેદ જયારે સમજાય ત્યારે સમાજને સાચી દિશા મળે છે. ફિલ્મો જોઇને જીવનના નિયમો ન બનાવાય. પણ હવે તો રીલ્સ પણ લોકોને જીવનના પાઠ ભણાવે છે. ટૂંકમાં ઊંડાણમાં જવાનો રસ ઓછો થઇ રહ્યો છે. મન મળે કે ન મળે શરીર મળવું જોઈએ એ કલ્પના કેટલી ઘાતક છે? અને જો શરીર ન રહ્યું તો? તો નવું શરીર? ભૂખ અને પ્રેમની સમજણ વિનાની વાત પણ ચાલી જાય છે. જો મન મળેલા હોય તો અર્ધા શરીર વાળી વ્યક્તિ સાથે પણ જીવન પસાર થઇ જાય. જે વ્યક્તિના જીવનસાથીની અન્ય જગ્યાએ નોકરી હોય એમનું શું? અમને શરીરની ભૂખ જાગે તો શું થાય? આપની ચિંતા યોગ્ય છે. મોર્ડન દેખાવાની ઘેલછામાં આપે આપણાપણાને ભૂલી રહ્યા છીએ. રીલ્સ બનાવવામાં વ્યસ્ત વડીલો પાસે સંસ્કાર આપવાનો સમય ઓછો થઇ રહ્યો છે. અને દિશાહીન યુવાનો એજ રીલ્સ માંથી સંસ્કાર અને સંસ્કૃતિ શોધી લે એવું પણ બને. કોઈ પણ કાયદો કે વ્યવસ્થા આમાં મદદરૂપ નહિ થાય. દરેક વ્યક્તિ પોતે પોતાની જવાબદારી સમજવા લાગશે ત્યારે જ કોઈ ચમત્કારની અપેક્ષા રાખી શકાશે. બસ આપના જેવા વિચારો ધરાવતા લોકો સમાજમાં વધતા રહે.
સવાલ: હું એક ગ્રુપમાં છું. એમાં જ્યોતિષ અને વાસ્તુના વિદ્વાનો વિમર્શ કરતા રહે છે. કોઈ પણ વિષય પર વાત થાય, અંતે ડરાવવાની વાત જ આવે. શું આપણા વિષયો માત્ર ડરાવવા માટે જ છે?
જવાબ: એ ગ્રુપમાં સાચું જ્ઞાન ધરાવતા લોકો કેટલા છે? જે વિષય જીવન સાથે જોડાયેલા છે. એની માહિતી સાવ મફતમાં ? અને એ પણ એવા લોકોના ગ્રુપ પાસેથી જેમના જ્ઞાન વિષે આપને કોઈ માહિતી જ નથી? તમે કોઈ ડોક્ટરોના એવા ગ્રુપમાં નહિ હો એવી ઈશ્વરને પ્રાર્થના. જીવનની ઉર્જા પ્રાપ્ત કરવા માટે જે વિષય બન્યા છે એ વિષય ને સમજવા માટે પણ આવા ગ્રુપમાં જોડાવું પડે? કે પછી જેમ સ્વસ્થ રહેવા સાચા ડોક્ટરને શોધવામાં આવે છે એવું જ કાઈ કરવું પડે?
સુચન: વાસ્તુશાસ્ત્ર જીવનની ઉર્જા સાથે જોડાયેલો વિષય છે. એના માટે સલાહકાર નિષ્ણાત હોય એ ખુબ જરૂરી છે.
15 ઓગસ્ટ આવી ગઇ છે. સ્વાતંત્ર્ય દિવસની આ સવારે દેશ આખાનું ધ્યાન એક જ જગ્યા પર હોય છેઃ દિલ્હીના લાલ કિલ્લા પર. 15 ઓગસ્ટ, 1947ના રોજ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ લાલ કિલ્લાના લાહોરી ગેટ પરથી તિરંગો ફરકાવ્યો ત્યારથી લઇને આજ સુધી આ ઐતિહાસિક દિવસે, આ ઐતિહાસિક સ્થળે વડાપ્રધાન તિરંગો ફરકાવે છે, અને રાષ્ટ્રજોગસંબોધન કરે છે.
પરંતુ સ્વતંત્ર ભારતના સાર્વભૌમત્વ અને સત્તાનું પ્રતીક બની રહેલા આ લાલ કિલ્લાનું મહત્વ ફક્ત આટલું જ નથી. પાંચમા મુઘલ સમ્રાટ શાહજહાંએ સત્તરમી સદીમાં, ઇ.સ. 1638માં પોતાની રાજધાની આગ્રાથી દિલ્હી ખસેડી અને 1639માં લાલ કિલ્લાનું નિર્માણ શરૂ કર્યું એ પછીથી એ મુઘલ શાસન અને મુઘલ સ્થાપત્યનું પ્રતીક બની રહ્યો છે, પણ સ્વતંત્રતા પછી ઇતિહાસ-સ્થાપત્યના સંશોધકો-વિદ્વાનોની સાથે સાથે દેશ-વિદેશના પ્રવાસીઓ માટે પણ એ કાયમ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. દિલ્હીમાં કોઇ ફરવા આવે અને લાલ કિલ્લાની મુલાકાતે ન જાય એવું ન જ બને.
લાહોરી, મોરી, અજમેરી, તુર્કમાન, કશ્મીરી જેવા ગેટ (દરવાજા) ઉપરાંત દીવાન-એ-આમ, દીવાન-એ-ખાસ, તશીબખાના અને બક્ષબાગ જેવાં લાલ કિલ્લાના પરંપરાગત આકર્ષણોમાં હવે ઉમેરો થયો છે રેડ ફોર્ટ સેન્ટર અને જયહિંદ સાઉન્ડ-લાઇટ શોનો. જૂલાઇ 2022 માં રેડ ફોર્ટ સેન્ટર અને હમણાં જાન્યુઆરી 2023માં સાઉન્ડ-લાઇટ શોનું ઉદઘાટન થયા પછી આ પ્રાચીન વિરાસતે જાણે નવા રંગ-રૂપ ધારણ કર્યા છે.
તમને યાદ હોય તો વર્ષ 2018માં કેન્દ્ર સરકારે હેરીટેજ સ્થાપત્યોની જાળવણી-સંવર્ધન માટે પ્રવાસન મંત્રાલય અને આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા-એએસઆઇ સાથે ‘મોન્યુમેન્ટ મિત્ર’ એવી યોજના બહાર પાડી ત્યારે દિલ્હીસ્થિત જાણીતા ઉદ્યોગ જૂથ દાલમિયા ભારતને લાલ કિલ્લાની જાળવણી-સંવર્ધનનું કામ મળેલું. આ માટે નરેન્દ્ર મોદી સરકાર હવે દેશની કિંમતી ધરોહર ખાનગી ઉદ્યોગોને વેચી રહી છે એ મતલબનો બહુ મોટો વિવાદ પણ થયેલો.
પરંતુ એ યાદ રહે કે દાલમિયા ભારત જૂથ પાસે લાલ કિલ્લાની જાળવણીનું કામ છે, એનો કબજો નથી. સ્વતંત્રતા પછી છેક વર્ષ 2003 સુધી તો એનો કબજો ભારતીય લશ્કર પાસે જ હતો. એ પછી આ કિલ્લો એએસઆઇને સોંપવામાં આવ્યો. આજે પણ કિલ્લો એએસઆઇ પાસે જ છે, દાલમિયા ભારત જૂથ તો 2018 પછી જ ચિત્રમાં આવ્યું છે. જૂથના નવીદિલ્હીસ્થિત કમ્યુનિકેશન વિભાગના ડેપ્યુટી જનરલ મેનેજર પૂજા ભારદ્વાજ ચિત્રલેખા સાથેની વાતચીતમાં કહે છે કે, ‘અમારા માટે આ બિઝનેસ નથી. લાલ કિલ્લામાં જે કાંઇ પ્રકલ્પો ગ્રુપ દ્વારા હાથ ધરાયા છે એ ગ્રુપના સભ્યતા ફાઉન્ડેશનની સીએસઆર પ્રવૃત્તિનો ભાગ છે.’
આ પ્રકલ્પો એટલે રેડ ફોર્ટ સેન્ટર અને સાઉન્ડ-લાઇટ શો. કિલ્લામાં 19મી સદીમાં બ્રિટીશરોએ એક બેરેક બનાવેલી. જર્જરીત થઇ ચૂકેલી આ બેરેક બિલ્ડીંગનું પુરાતત્વીય અને પર્યાવરણના નિયમોનો ભંગ ન થાય એ રીતે રિસ્ટોરેશન (સમારકામ) હાથ ધર્યા પછી આ સેન્ટર બનાવવામાં આવ્યું છે. લાલ કિલ્લાની મુલાકાતે જતી વખતે તમે સૌ પ્રથમ આ સેન્ટરની મુલાકાત લ્યો એટલે આખો લાલ કિલ્લો શું છે અને એનું મહત્વ શું છે એનો ખ્યાલ આવી જાય.
સેન્ટરમાં અતિઆધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એને શક્ય એટલું ઇન્ટએક્ટીવ બનાવવામાં આવ્યું છે, જેથી આપણા જૂના-પુરાણા મ્યુઝીયમ જેવો કંટાળો ન આવે. પહેલા માળે જે પ્રદર્શની છે એ સફર, જિંદગી, તારીખ અને હમ એક હૈ એમ જૂદા જૂદા વિભાગમાં વહેંચી નખાયેલ છે. સફર વિભાગમાં લાલ કિલ્લા અને શાહજહાંએ શાહજહાંબાદ વસાવ્યું એ પહેલાંનું દિલ્હી કેવું હતું એની ઓડિયો-વિઝ્યુઅલ ઝાંખી મળે છે. જિંદગી વિભાગમાં આવો એટલે કિલ્લાનું સ્થાપત્ય, મુગલ પરિવારની રહેણીકહેણી અને પરંપરાઓની સાથે કિલ્લાની વૈભવી જીવનશૈલીનો અંદાજ મળે. તારીખ વિભાગમાં ભારતીય ઇતિહાસની કેટલીક મહત્વની ઘટનાઓ વિશે જાણવા મળે તો હમ એક હૈ વિભાગમાં રેડ ફોર્ટ ભારતના એક કિલ્લા તરીકે અને ભારતીય વિવિધતાની એકતાના પ્રતીક તરીકે સરસ રીતે દર્શાવાયો છે. અહીં તમે ભારતીય એકતા-સંવાદિતાનું અદભૂત આર્ટ ઇન્સ્ટોલેશન જોઇ શકો અને આ એકતા માટે શપથ પણ લઇ શકો એવી વ્યવસ્થા છે!
આ સેન્ટરમાં ફરતાં ફરતાં જ તમે કિલ્લાના મુખ્ય નવ સ્થળની મુલાકાત લેતા હો એવું અનુભવી શકો. ઓગમેન્ટેટેડ રિઆલિટીની મદદથી ફોટોગ્રાફ લઇ શકો અને જાણે એ જ સ્થળ, એ જ કાળમાં તમે વિહરી રહ્યા હો એવું ફીલ કરી શકો.
એ પછી ડિસેમ્બર, 2022થી અહીં માતૃભૂમિ નામે એક નવો શો ઉમેરાયો છે. પ્રોજેક્શન મેપિંગની મદદથી આ શો મુલાકાતીઓને પ્રાચીન હરપ્પનકાળથી શરૂ કરીને વેદિક યુગ, મૌર્ય-ચૌલા અને ગુપ્તા વંશના ભારતની ઝલક આપે છે. સ્પિરિચ્યુઆલિટી, ફિલોસોફી, ગણિત, વિજ્ઞાન અને અર્થશાસ્ત્રમાં ભારતે કરેલી પ્રગતિનો અહેસાસ પણ આ શો કરાવે છે. સાથે સાથે ભારતીય હોવાનું ગૌરવ પણ થાય.
લાલ કિલ્લામાં ઉમેરાયેલું છેલ્લું નવું નક્કોર આકર્ષણ એટલે જયહિંદ સાઉન્ડ એન્ડ લાઇટ શો. આમ તો અગાઉ પણ અહીં સાઉન્ડ-લાઇટ શો હતો, પણ મર્યાદિત અર્થમાં. આ શોમાં સત્તરમી સદીથી લઇને અત્યાર સુધીના ભારતના ઇતિહાસનું કલાત્મક ચિત્રણ રજૂ કરાયું છે. પ્રોજેક્શન મેપિંગ, ફિલ્મ્સ, સાઉન્ડ ઇફેક્ટ, સ્ટેજ પર કલાકારોનું જીવંત પરફોર્મન્સ, નૃત્ય અને પપેટ્રી જેવા કલાના વિવિધ માધ્યમોનું યોગ્ય સંયોજન અહીં અદભૂત રીતે કરવામાં આવ્યું છે. દારા શિકોહ અને ઔરંગઝેબ વચ્ચેનું યુધ્ધ, મરાઠા સામ્રાજ્યનો ઉદય અને લાલ કિલ્લા પર એમનો કબજો, ઇ.સ. 1857નો વિપ્લવ, સ્વાતંત્ર્ય સંગ્રામ અને આઝાદી પછી ભારતે સતત સાધેલી પ્રગતિનું સરસ નિરુપણ કરાયું છે એમાં.
આ શોનું સૌથી મોટું આકર્ષણ એ છે કે એની કમેન્ટરી માટે અવાજ અમિતાભ બચ્ચને આપ્યો છે. વિખ્યાત નૃત્યાંગના અને કોરિયોગ્રાફર મૈત્રેયી પહારીએ ડિરેક્ટ કરેલા આ શોમાં વક્ત એટલે કે સમયની ભૂમિકામાં બચ્ચનસા’બ દર્શકોને નોબતખાના, દીવાન-એ-આમ, દીવાન-એ-ખાસમાં ખેંચી જાય છે અને પછી પપેટ્રી આર્ટીસ્ટ તમારી સામે ઇ.સ. 1648માં લાલ કિલ્લાનું ઉદઘાટન થયું એ દ્રશ્ય ખડું કરે છે. કથક નૃત્ય તમને એ જમાનાની ઉજવણીમાં ખેંચી જાય છે, તો એ પછી સ્ટેજ પર તમારી સામે દીવાન-એ-ખાસ જીવંત થાય છે. વાયોલિનવાદક શરદચંદ્ર શ્રીવાસ્તવનું સંગીત, પપેટિયર દાદી પુદુમજી સહિત સાંઇઠ કલાકારો એક કલાકના આ શોથી મુલાકાતીઓને મંત્રમુગ્ધ કરી દે છે. જાન્યુઆરી, 2023માં જ ગૃહમંત્રી અમિત શાહે આ શોનું ઉદઘાટન કર્યું હતું.
દાલમિયા ભારતના મેનેજિંગ ડિરેક્ટર પુનિત દાલમિયા કહે છે, ‘કલાકારોના જીવંત પરફોર્મન્સ અને હાઇ-ટેક પ્રોજેક્શન મેપિંગ ટેકનોલોજીના સમન્વયથી બનેલો ભારતની કોઇપણ હેરીટેજ સાઇટ પરનો આ પહેલો શો છે. ભારતના સમૃધ્ધ અને ગૌરવશાળી ઇતિહાસનું જીવંત નિદર્શન કરતો આ શો જોવા હું ખાસ કરીને દેશની સ્કૂલોના વિદ્યાર્થીઓને અપીલ કરું છું.’
અફકોર્સ, લાલ કિલ્લાની એન્ટ્રી ફી ચૂકવ્યા પછી તમારે આ સેન્ટર કે શો જોવા માટે અલગથી ફી ચૂકવવી પડે છે, પણ આ આવકમાંથી અમુક રકમ એએસઆઇને ચૂકવવામાં આવે છે, જ્યારે બાકીની રકમ એની જાળવણી-સંભાળ પાછળ ખર્ચવામાં આવે છે.
વેલ, આપણે ત્યાં એએસઆઇ હેઠળ આવતી મોટાભાગની હેરીટેજ સાઇટ્સની સ્થિતિ વિશે કાંઇ કહેવા જેવું તો નથી જ. બજેટ અને દેખભાળ ઉપરાંત નવી આઇડિયાઝના અભાવે સરકારી પેન્શન (એટલે કે ગ્રાન્ટ)થી નભતી આ સાઇટ્સ સ્થાપત્ય અને કલાની દ્રષ્ટિએ બેનમૂન હોવા છતાં ઉકરડાઓ સમાન રહી ગઇ હતી. આ સંજોગોમાં એનું ટેકનોલોજીની મદદથી નવીનીકરણ થાય અને પ્રવાસીઓ આવતા થાય તો એમાં ખોટું નથી.
વાત જ્યાં સુધી લાલ કિલ્લાની છે, તો લાલ કિલ્લો એ ફક્ત હેરીટેજ સાઇટ કે ફરવાનું સ્થળ નથી. એ ભારતની સ્વતંત્રતા અને શૌર્યનું પ્રતીક છે. એમાં સ્થાપત્યકલા ઉપરાંત એવું કાંઇક તત્વ છે, જે એને અન્ય પુરાતત્વીય સ્થાપત્યોથી અલગ ઓળખ આપે છે.
કદાચ એટલા માટે જ લાલ કિલ્લા માટે કવિઓએ ગાયું છેઃ
‘મેરા લાલ રંગ હિન્દ કે શહીદોં કી કુરબાની હે, મેરી શિખા પે લગા તિરંગા વીરોં કો મેરી સલામી હે હિન્દ દુલારોં લાલ રંગ મેરા આબાદ હી રહને દો, દીવારોં પર કાલિખ મત પોતો મુજકો આઝાદ હી રહને દો મૈં લાલ કિલા હૂં સિંઘાસન નહીં રાજ દરબારોં કા, મૈં પ્રતીક હૂં માતૃભૂમિ કા, ભારત કે રાજ દુલારોં કા...’
ચાલો ત્યારે, લાલ કિલ્લા પરથી સૌને સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છાઓ!
કેતન ત્રિવેદી (નવી દિલ્હી)
લાલ કિલ્લાના સાઉન્ડ-લાઇટ શોની એક ઝલક માટે કરો ક્લિકઃ
Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.
આજના દિવસે શાંતિ જાળવવી , ખોટાવિચારો પર કાબુ રાખવો, પાડવા,વાગવાથી સાચવવું, બ્લડપ્રેશરની તકલીફ વાળાએ સાચવવું, કામકાજ અર્થે સહકર્મચારી સાથે ઉગ્રતાના થાય તેનું ધ્યાન રાખવું, આકસ્મિક ખર્ચ થઈ શકે છે, વેપારમાં નાનું કામજ કરવુ યોગ્ય છે, યુવાવર્ગ માટે ગેરસમજથી બચવું યોગ્ય છે.
આજનો દિવસ સારો છે, તમારા કામમાં સારીપ્રતિભા બતાવી શકો અને તેથી તમને કામ કરવાનોનો સંતોષ પણ થાય નવીનકામનું આયોજન થઇ શકે છે, કોઈ સારાસમાચાર સંભાળવા પણ મળી જાય તેવું બની શકે છે, વેપારના કામકાજમાં સારોપ્રતિસાદ મળે અને તેમાં તમે સારી લાગણી અનુભવો.
આજનો દિવસ સામાન્ય છે, માનસિકઅશાંતિ જેવું રહે, નાનીનાની વાતમાં ગુસ્સો આવી જાય તેવું બની શકે છે માટે ધીરજ અને શાંતિ રાખવી, ક્યાંક પરાણે કામકરતા હોવ તેવી લાગણી જોવા મળે, વેપારના કામમાં ધીરજ રાખવી સારી, કોઈની દોરવણીથી દોરવાઈને ઉતાવળિયોકે ખોટો નિર્ણયના લેવાય તેવું ધ્યાન રાખવું.
આજના દિવસે કામકાજમાં ઉતાવળ જોવા મળી શકે તેના કારણે તમને કામકાજમાં થોડી અકળામણની લાગણી અનુભવો, મિત્રો,પરિચિતો સાથેના વ્યવહાર તમને થોડા રોમાંચિત અને ઉત્સાહિત રાખે.વેપારના કામકાજમાં થોડી શાંતિ જાળવવી, વડીલવર્ગે આજે કોઈને વણમાંગી સલાહના આપવી ઇચ્છનીય છે.
આજના દિવસે થોડી શાંતિ અને ધીરજનો અભાવ દેખાય, બેદરકારી તમને તકલીફ આપી શકે છે, કોઈની સાથે કામની બાબતે ઉગ્રતાના થાય તેનું ધ્યાન રાખવું, વાણીસયમ રાખવો અગત્યનો બને છે, કામસિવાય કોઈની સાથે વધુ વાર્તાલાપના કરવો, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવાની સલાહ છે.
આજનો દિવસ સારો છે, તમને કામબાબત ઉત્સાહ સારો જોવા મળે તેના કારણે કઈક વધુ શીખવાની જીજ્ઞાસા પણ વધે, કામની કદર થાયની લાગણી પણ અનુભવો, તમને ક્યાંક નસીબ સાથ આપતું હોય તેવું જણાય વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય,પ્રિયજન સાથે સારો સમય પસાર થાય.
આજનો દિવસ કામકાજમાં આકસ્મિક વ્યસ્તતા અપાવે તેવો છે, અણધાર્યા કોઈકામ આવી પડે તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, કામની બાબતમાં ક્યાય વાણીવિલાસના થાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે, પસંગીની કોઈવાત સંભળાવ પણ મળી જાય, વેપારના કામકાજ નાનુંજ કામ કરવું હિતાવહ છે.
આજનો દિવસ સામાન્ય છે, પરિચિતોને મળવાથી તમારો ઉત્સાહ વધે, મુસાફરીના યોગ ઉભા થઇ શકે છે, સ્પર્ત્ધાત્મકપરીક્ષા આપનાર માટે પોતાના વિષયમાં રૂચી ઓછી અને ઈતરપ્રવૃત્તિમાં ધ્યાન વધુ રહે તેવું પણ બની શકે છે, વેપારના કામકાજ ઉતાવળિયો નિર્ણયકે જોખમના લેવાઈ જાય તેનું ધ્યાન રાખવું.
આજના દિવસે કામ ટાળવાની અને ઈતરપ્રવૃત્તિ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે છે, તમારી લાગણી કોઈ સમજે નહિ તેવી મનમાં ફરિયાદ રહે અને ક્યાંક તમે કોઈ ગ્યાએ અતિ ગણીશીલ પણ બની જાવ. કોઈ વિચારોની દ્વિધા તમને થોડા નરમ પણ બનાવી શકે છે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહભર્યું છે.
આજનો દિવસ જૂનીયાદોથી ભરપુર બની શકે છે, તમારા મનનું કોઈ કામ પણ થઇ શકે, કોઈ ધાર્મિક પ્રસગમાં જવાના પણ યોગ છે તેમાં તમને ઉત્સાહ અને મનની શાંતિ પણ મળે, તમે કોઈને તેના કામમાં સાથસહકાર પણ આપો અને તેમ કરવાનો સંતોષ પણ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
આજનો દિવસ શાંતિથી પસાર કરવો, બિનજરૂરી કામકાજમાં સમયનો વ્યય થાય, કોઈની દોરવાણીથી દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું, મુસાફરી કંટાળાજનક અને માનસિકથાક અપાવે, મજાકમસ્તીથી તમે થોડા ઉશ્કેરાઈના જાવ તેનું ધ્યાન રાખવું, વેપારમાં શાંતિથી નિર્ણય લઈ કામ કરવું જરૂરી છે.
આજનો દિવસ સારો છે, તમારું વર્તન અને વ્યવહાર લોકો આગળ સારું જોવા મળે અને તેના દ્વારા તમને ક્યાંક લાભ પણ અપાવી શકે છે. તમે કોઈને તેના કામમાં સહભાગી પણ બનો, સ્પર્ધાત્મક પરીક્ષા આપનારને કોઈ વિષય શીખવામાં સમય વધુ ફાળવવો યોગ્ય છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમે હંમેશા મણિપુર પર ચર્ચા કરવા તૈયાર હતા, પરંતુ વિપક્ષ ભાગતો રહ્યો. આ દરમિયાન તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પણ પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું, અમે કહ્યું કે મણિપુર પર ચર્ચા કરો. ગૃહમંત્રી અમિત શાહે પત્ર લખીને પણ આ વાત કરી હતી, પરંતુ તેમનામાં હિંમત અને ઈરાદો નહોતો. પેટમાં પાપ હતું. પેટમાં દુખાવો થઈ રહ્યો હતો અને માથું ફાટી રહ્યું હતું. તેમણે આગળ કહ્યું, દેશના ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારે લોકસભામાં મણિપુર વિશે કોઈપણ રાજકારણ વિના બે કલાક સુધી વિગતવાર સમજાવ્યું. સરકાર અને દેશની ચિંતા વ્યક્ત કરી. જેમાં જનતાને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આમાં ગૃહ દ્વારા મણિપુરના લોકોને વિશ્વાસનો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દેશની સુધારણા અને મણિપુરની સમસ્યા માટે માર્ગ શોધવાનો પ્રામાણિક પ્રયાસ થયો, પરંતુ તેમની પાસે રાજકારણ સિવાય બીજું કંઈ જ નથી.
#WATCH | PM Narendra Modi speaks on Manipur; says, “Both the state and central governments are doing everything possible to ensure that the accused get the strictest punishment. I want to assure the people that peace will be restored in Manipur in the coming time. I want to tell… pic.twitter.com/cgI7RqSWs4
પીએમ મોદીએ કહ્યું કે મણિપુરને લઈને કોર્ટનો નિર્ણય આવ્યો છે. તેના પક્ષમાં અને વિરોધમાં પરિસ્થિતિ બગડી અને હિંસાનો સમયગાળો શરૂ થયો. આમાં ઘણા પરિવારોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, મહિલાઓ પર ગંભીર ગુનાઓ આચરવામાં આવ્યા હતા. આ ગુનો અક્ષમ્ય છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર ગુનેગારોને સખત સજા થાય તે સુનિશ્ચિત કરવા સાથે મળીને કામ કરી રહી છે. હું જનતાને ખાતરી આપવા માંગુ છું કે નજીકના ભવિષ્યમાં રાજ્યમાં શાંતિનો સૂરજ ચોક્કસપણે ઉગશે. મણિપુરની જનતાને વિનંતી કરતા પીએમ મોદીએ કહ્યું કે દેશ અને ગૃહ તમારી સાથે છે. આપણે સાથે મળીને આ પડકારનો ઉકેલ શોધીશું. હું મણિપુરના લોકોને ખાતરી આપું છું કે તેઓ ફરીથી વિકાસ તરફ આગળ વધવાના આ પ્રયાસમાં કોઈ કસર છોડશે નહીં.
#WATCH | PM Modi says, “People of the country have no confidence in Congress. Due to arrogance, they are not able to see the reality. In Tamil Nadu, they won in 1962 and since 1962 the people of Tamil Nadu are saying ‘No Congress’. In West Bengal they won in 1972, people of West… pic.twitter.com/8xHvTcIIKm
રાહુલ ગાંધીનું નામ લીધા વિના પીએમ મોદીએ કહ્યું કે મા ભારતી વિશે ગૃહમાં જે કહેવામાં આવ્યું તેનાથી દરેક ભારતીયની ભાવનાઓને ઠેસ પહોંચી છે. સત્તા વગરની કોઈની આ હાલત છે. શક્તિ અને સુખ વિના જીવી શકાતું નથી. ખબર નહીં કેમ કેટલાક લોકો ભારત માતાની હત્યાની ઈચ્છા વ્યક્ત કરતા જોવા મળે છે. તેઓ એવા લોકો છે જેઓ ક્યારેક બંધારણ અને લોકશાહીની હત્યા કરવાની વાત કરે છે. હું આશ્ચર્યચકીત થઇ ગયો. તેણે વધુમાં કહ્યું કે આવી વાતો કરનારા લોકો કોણ છે? આ લોકો જેમણે મા ભારતીના ત્રણ ટુકડા કર્યા.