Home Blog Page 2632

પી.ટી. ઉષા વિશ્વ કક્ષાની એથ્લેટિક્સ એકેડેમી બનાવશે

વિજયવાડાઃ દેશની ભૂતપૂર્વ ઓલિમ્પિયન અને એશિયન ગેમ્સ મેડલવિજેતા રનર પી.ટી. ઉષા હાલ ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (આઈઓએ)નાં પ્રમુખ છે.

58 વર્ષીય ઉષાએ અહીં એમનાં એક સન્માન સમારંભમાં એવી જાહેરાત કરી હતી કે પોતે દેશમાં એક એથ્લેટિક્સ એકેડેમી બનાવી રહ્યાં છે જેથી ભારત માટે વિશ્વ કક્ષાએ ચમકી શકે એવાં વધારે એથ્લીટ્સ તૈયાર કરી શકાય. એમની પોતાની એકેડેમીમાં આશરે 25 એથ્લીટ્સને એથ્લેટિક્સની તાલીમ આપવામાં આવી રહી છે.

અમેરિકન સુપરમોડેલ જીજીએ નીતા અંબાણીનો આભાર માન્યો

મુંબઈઃ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ઉદઘાટન સમારોહમાં હાજરી આપવા માટે આમંત્રિત જૂજ વિદેશી મહેમાનોમાં અમેરિકાની સુપરમોડેલ અને ટીવી અભિનેત્રી જીજી હેડિડનો પણ સમાવેશ થતો હતો. જેલેના ઉર્ફે જીજીએ પોતાને આ સમારોહમાં આમંત્રણ આપીને ભારતની સંસ્કૃતિથી વાકેફ થવા બદલ અને પોતાનાં પ્રથમ ભારત પ્રવાસને યાદગાર બનાવવા બદલ અંબાણી પરિવારનો અને ખાસ કરીને નીતા અંબાણીનો આભાર માન્યો છે.

જીજીએ તેનાં ઈન્સ્ટાગ્રામ પર લખ્યું છેઃ ‘ભારતની રચનાત્મક્તા અને વિરાસતની ઉજવણી કરતા સુંદર વર્લ્ડ-ક્લાસ કલ્ચરલ સેન્ટરમાં આયોજિત ઉદઘાટન સમારોહમાં મહેમાન તરીકે ઉપસ્થિત રહેવાનું આમંત્રણ આપવા બદલ હું અંબાણી પરિવારનો હૃદયપૂર્વક આભાર માનું છું. ફેશન શોમાં ભારતનો મહાન સંગીત જલસો નિહાળ્યાં બાદ મને આ સાંસ્કૃતિક કેન્દ્ર વિશે ઘણું જાણવા મળ્યું કે આ કેન્દ્ર દુનિયાભરનાં કલાકારોને એમની નૃત્ય, સંગીત, ફેશન ડિઝાઈનિંગ કે અન્ય કલાને પ્રસ્તુત કરવા અને એમાં પારંગત બનવા માટેનું મંચ પૂરું પાડશે. હું તો આ કલ્ચરલ સેન્ટરની મુલાકાત લેવાની અન્યોને પણ ભલામણ કરું છું. મારો ભારતપ્રવાસ યાદગાર બની રહ્યો. ખૂબ ખૂબ પ્રેમ.’

ઉલ્લેખનીય છે કે, ઉદઘાટન સમારોહના બીજા દિવસના સંગીત કાર્યક્રમ વખતે જીજી હેડિડ ભારતીય વસ્ત્રોમાં સજ્જ થઈને આવી હતી. એણે અબુ જાની – સંદીપ ખોસલાએ ડિઝાઈન કરેલી ચિકનકારી સાડી અને સોનાથી મઢેલું બ્લાઉઝ પહેર્યાં હતાં.

બોલીવુડ અભિનેતા વરુણ ધવન સ્ટેજ પર પરફોર્મ કરી રહ્યો હતો ત્યારે જીજી સ્ટેજ પર ગઈ હતી. વરુણે એને આવકારી હતી અને બંને હાથે તેડી લીધી હતી અને ગોળ ફેરવી હતી. પછી એને નીચે ઉતારતી વખતે વરુણે જીજીનાં ગાલ પર કિસ કરી હતી. વરુણની એ હરકતની ઘણા નેટયૂઝર્સે ટીકા કરી છે, પણ જીજીએ તો પોતાનાં ઈન્સ્ટાગ્રામ પર ખુશી વ્યક્ત કરી હતી અને લખ્યું છે કે વરુણે મારું બોલીવુડ સપનું સાકાર બનાવ્યું.

https://www.instagram.com/p/CqjAxXEuQSV/

રાશિ ભવિષ્ય 03/04/2023 થી 09/04/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

સપ્તાહ દરમિયાન તમને કામકાજમાં ધ્યાન ઓછુ અને અન્ય પ્રવૃત્તિમાં ધ્યાન વધુ રહે, કામકાજ દરમિયાન નકારાત્મક વિચારો આવાના કારણે તમને તમારા કામમાં રૂચી ઓછી જળવાય તેમજ કામ પરણે કરતા હોય તેવી લાગણી મનમાંને મનમાં રહ્યા કરે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે. ખરીદી કરવા પાછળ તેમજ સામાજિકપ્રવૃત્તિના કારણે નાણા અને સમયનો વ્યય થઈ શકે છે, મોસાળપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સાંભળવા મળી શકે છે, આરામ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે.


તમારા મનમાં રહેલી કોઈ વાત જાણે અજાણે ક્યાય રજુ કરવાની તક મળી જાય, લગ્ન બાબત કોઈ જગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમાં પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે, જુના મિત્રવર્તુળ સાથે મિલન મુલાકાત દરમિયાન તમે ઉત્સાહ સારો અનુભવો, અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, વિદ્યાર્થીવર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીન જાણકારીકે શીખવાની તક મળે, તમારા પોતાનું માન જળવાય અને તમારા કામકાજમાં અન્યનો સાથ સહકાર મળે જેમાં તમે ખુશીની લાગણી અનુભવો. બજાર ના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવું પણ સંભવિત છે.


આ સપ્તાહ દરમિયાન તમને કયાંકને ક્યાંક મનમાંને મનમાં અશાંતિ અને ઉદ્વેગ જોવા મળે, તમારા કામકાજમાં ઉત્સાહ ઓછો જોવા મળે તેમજ કામની બાબતમાં નાનીનાની બાબતમાં ઉશ્કેરાઈ જવાય, ઘરમાં કે ઓફીસમાં તમારી અન્ય સાથે દલીલબાજી વધુ થવાની સમભાવના છે પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ પણ ઘણી નિયંત્રણમાં રહી શકે છે. તમારા કામકાજમાં અન્યનો સાથ સહકાર ઓછો જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને સહયોગી થવામાં થોડા ઉદાસીન બનો. બજારના કામકાજ માં તમારામાં કામકાજ કરવામાં થોડી દ્વિધા અનુભવો અને તેની અસર તમારા કામકાજમાં થઇ શકે છે.


તમારી નજીકની વ્યક્તિ જેવીકે ઘરની પાસે રહેતી હોયકે ઓફીસમાં તમારી પાસે કામકાજ કરતી હોય તેવી વ્યક્તિ સાથે કંઇક તમને ગમતી વાતકે જાણકારીની વાત અચાનક સંભાળવા મળી જાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. ઘરકે કુટુંબમાં ભાઈ બહેન સાથે કોઈ કામકાજમાં સાથ સહકાર સારો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈની સારી લાગણીરૂપી મદદ કે સારું માર્ગદર્શન પણ મળી શકે છે , તારી પસંદગીનું પાત્ર સામેથી કોઈ બાબતે વાર્તાલાપ કરે અને તમે પરોક્ષ રીતે તમારા મનની વાત કહી શકો, બજારના કામકાજ સારી વાત બની શકે છે.


આ સપ્તાહ દરમિયાન ધીરજ રાખવી જરૂરી છે, ક્ષણિક આવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યા ખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમાં તમને કોઈ મોટી સમસ્યા થાય તેવું જણાતું નથી. તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમાર કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાય મુસાફરી સંભવિત બની શકે છે તેમાં તમે કંટાળા ની લાગણી વધુ અનુભવી શકો છો. કોઈ જગ્યા એ વાતચીત દરમિયાન તકેદારી કે ચોખવટ જેવી બાબત નું ધ્યાન રાખવું સારું. બજારના કોઈ પણ પ્રકારના કામકાજમાં ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


તમારી મનની વાત તમાર હોઠ પર આવી જાય અને વાતનો પ્રતિભાવ પણ ચેહરા પર સ્પષ્ટ દેખાઈ આવે, આનંદ, ઉત્સાહ, મસ્તી જેવા પરિબળો વચ્ચે તમે હોવ પણ ક્યાંક તમારાથી કોઈની અવગણના ના થઇ જાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. લગ્ન માટે ક્યાય વાર્તાલાપ કે મિલન મુલાકાતમાં તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડીગણી સારી રીતે પડી શકે છે. તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકે છો પણ તેમ થોડું સજાગ રહેવું જેથી ક્યાય ગેરસમજના વર્તાય. બજારના કામકાજમાં તમે થોડી અપેક્ષ વધુ રાખો પણ તેમાં કેટલા ખરા ઉતારો તે બાબત તમારા ઉપરજ રહેલી છે.


આ સપ્તાહ દરમિયાન તમે કોઈપણ કામકાજમાં વ્યસ્ત વધુ રહો, સામાજિક કે ધાર્મિક કાર્યક્રમમાં તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમાં તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીન કામકાજ થાય તેવી પણ સભાવના રહેલી છે. અણધાર્યા નાણાકીય ખર્ચ થાય તેવું પણ બની શકે છે, તમે કોઈના કામકાજમાં સારી રીતે સહભાગી બની શકે છે અને તમારા કામની સારી નોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જુની વાતકે કામ ક્યાય અટકેલું હોય તેમાં પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમાં કામકાજ દરમિયાન ધીરજ અને ગણતરી પૂર્વકવર્તવું યોગ્ય છે.


તમારી અપેક્ષા તમારામાં રહેલી ધીરજની થોડી પરીક્ષા કરાવે માટે તમારી આશાને સફળતા દેખાવાની સમભાવના તો રહેલી છે પણ તેમાં તમારી થોડી મેહનત અને યોગ્ય ગણતરીની પણ એટલીજ જરૂરિયાત છે. મિત્રો કે સગા સ્નેહી સાથે મિલન મુલાકાતમાં તમે ખુશીની લગાણીની સાથે થોડીક માનસિક થાક અને કંટાળાનો પણ અનુભવ કરો. જુના કોઈ અટકેલા કામકાજમાં મેહનત કરોતો તેમાં પણ થોડી ગતિ જોવા મળી શકે છે. સ્વાસ્થ બાબત થોડી કાળજી રાખવી તેમાં પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમાં ચાલતી હોય, બજારમાં નાનું અને આયોજન પૂર્વકનુજ કામ કરવું સારું.


આ સપ્તાહ દમિયાન તમને કામની બાબતમાં થોડું અધીરાપણું વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમાં તમને કોઈનો સાથ સહકાર પણ સારો મળી શકે છે જેમાં તમને તમાર કામના અધીરપણ નું ભાન કરાવે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમાં કે ઓફીસમાં તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહાર કુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમાં લાવીદો. બજારના કામકાજમાં તમને નિર્ણયશક્તિ નો અભાવ વર્તાય અને તેની અસર તમાર કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરી પુર્વાક્જ કામ કરવું જોઈએ.


તમારામાં કોઈ કારણસર ઉત્સાહ જોવા મળે અને તેમાં પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારી વાતની આપ લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈ જગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયું હોય તેવા લોકો તરફથી પણ સારો આદર કે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગના કરે તેનું ધ્યાન રાખવું જરૂરી છે, લગ્નની વાત કોઈ જગ્યાએ ચાલતી હોય તેમાં પણ તમને સારો પ્રતિભાવકે જાણવા જેવી વાત સંભાળવા મળી શકે છે. તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવું પણ બની શકે છે, બજારના કામકાજમાં તમાર અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરી લાભ મેળવી શકો છો.


નાની નાની વાતમાં ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવું તે મુજબનું વર્તન તમારામાં જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિક નાણાકીય કે કોઈ બાબતે ખુશી થવાય તેવો લાભ પણ સંભવિત બની શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તે લોકો એ થોડી તકેદારી રાખવી જરૂરી છે. સગા સ્નેહી સાથેની વાર્તાલાપમાં તમને ગમતી કોઇ વાત સંભાળવા મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈ વાતું ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમાં પસંદગીના જ નાના કામ કરવા યોગ્ય છે.


જાહેર પ્રસંગમાં તમારી પ્રતિભા સારી ઉપસી આવે, તમારા કામકાજમાં અન્યનો સારો સાથ સહકાર મળી શકે છે, તમારા ધરેલા કામમાં તમે ગણતરી અને મેહનત કરોતો સારું ફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોય તો વાર્તાલાપ અને મિલન મુલાકાતમાં તમને સારો પ્રતિભાવ અને ઉત્સાહ જોવા મળી શકે છે ફક્ત એટલું ધ્યાન રાખવું કે ઈર્ષાળુ કોઈ ખટપટના કરી જાય, યાત્રા પ્રવાસ પણ તમને ઉત્સાહપૂર્વકનો રહે, મિત્ર વર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમાં તમને સારું કરવાની લાગણી જન્મી શકે છે આયોજન પૂર્વક કામ કરોતો લાભ સંભવિત બની શકે છે.

રાશિ ભવિષ્ય 03/04/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસે થોડી ધીરજ રાખવી સારી છે, મનમાં કોઈક વાતનો ઉદ્વેગ રહ્યા કરે, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા,આંખ,હાડકાની તકલીફથી સાચવવું, બિઝનેસમાં જોખમથી દુર રહેવુ, પ્રિયજન સાથે વાર્તાલાપમાં ધીરજ અને શાંતિ રાખવી, સહકર્મચારી સાથે કામકાજમાં સહકારનો અભાવ જોવા મળી શકે છે.


આજે ઉત્સાહ સારો જોવા મળી શકે જેના કારણે તમે કામકાજ પ્રત્યે પ્રોત્સાહી બનો, કોઈ પ્રસંગમાં તમારી હાજરીની સારી નોંધ લેવાય અને તમારી ક્યાંક પ્રસંશા પણ થાય, લગ્નબાબતની વાતચીતકે મિલન મુલાકાતમાં તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર સારી પડે અને તમે તેની સારી લાગણી અનુભવો.


આજનો દિવસ સામાન્ય છે, કોઈકની પાછળ નાણાકીયખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય, માર્કેટિંગ ક્ષેત્રમાં સારી કામગીરી થવાથી ખુશી અનુભવો, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, ક્યાય કોઇ બાબત પર મુલાકાત દરમિયાન વાર્તાલાપમાં જરૂરિયાત પુરતી વાર્તાલાપ તમારા માટે યોગ્ય કહી શકાય.


આજનો દિવસ માનસિકદ્વિધા વાળો છે, કોઇપણ પ્રકારના વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, કફ, છાતી, બ્લડપ્રેશર જેવી તકલીફથી સાચવવું, વેપારમાં જોખમવાળા નિર્ણયથી દુર રહેવું, સહકર્મચારી સાથે કામની બાબતમાં અસંતોષ જોવા મળી શકે પરંતુ કામકાજ શાંતિથી પૂર્ણ થાય..


આજનો દિવસ કામકાજમાં વ્યસ્તતાવાળો અને અજંપાવાળો છે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી, સોના ઝવેરાત,ફાર્મા ક્ષેત્રમાં કામ કરનારને માનસિકથાકની લાગણી રહે, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, ક્યાય વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું, ઉતાવળિયા નિર્ણયના લેવાયતે બાબતની તકેદારી રાખવી.


આજનો દિવસ સારો છે, ભૂતકાળમાં કરેલા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થવાથી તમે સારી લાગણીનો અનુભવ કરો. પ્રિયજન તમને કોઈ પસંદગીની વાત કરેને તમેં ખુશી અનુભવો તેવા સંજોગો પણ બને છે. લગ્નબાબતની વાર્તાલાપમાં તમારી પસંદગી વધુ જળવાય તેવું પણ બનવાથી તમે સારી ખુશી અનુભવો.


આજનો દિવસ શાંતિથી પસાર કરવો, કામકાજમાં ધીરજનો અભાવ વર્તાય, તમારા ઉચ્ચઅધિકારી તમારી સાથે આજે થોડા નાખુશકે ઉગ્ર હોઈ શકે છે. વાતવાતમાં ગુસ્સો આવવો આજે સહજ વાત જેવું બની શકે છે. પરંતુ ગણતરીપૂર્વક અને અનુભવથી કામકાજ કરવાથી તમે પરિસ્થિતિને ઘણી હળવી બનાવી પણ શકો છો.


આજનો દિવસ સારો છે, પ્રિયજન સાથે જૂની વાતો અને યાદો દ્વારા તમારા મનને ઘણી ખુશી મળે, લગ્ન માટે મિલનમુલાકાતમાં તમારો આત્મવિશ્વાસ અને પ્રભાવ તમારા પ્રભાવમાં વધારો કરી શકે છે, વેપારમાં ગણતરીપૂર્વક કામ કરવાથી લાભની કોઈ વાત બને, આજે કોઈ સારાસમાચાર પણ સંભાળવા મળી શકે.


આજના દિવસે ધીરજ રાખવી, આજે કોઇપણ કામ પરાણે કરતા હોવ તેવી લગાણીનો અનુભવ થાય, કામકાજમાં ઉતાવળ કરવી નકામી છે. વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું સારું, વેપારમાં જોખમી પરિબળોથી સાચવવું, મજાકમસ્તી કરનારવર્ગથી આજે દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે, ઉત્સાહ સારો રહે, તમને કોઈ પસંદગીની વાત સંભાળવા મળે અને તેની ખુશી તમને ઘણી રોમાંચિત કરી દે, લગ્નબાબતની વાતચિત તમારા માટે ક્યાંક ફળદાયી બની શકે છે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ નવીવસ્તુ શીખવા માટે આજે સમય ફાળવોતો સારું પરિણામ મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, આજે આરામ કરવાની વૃતિ વધુ જાગે, કામકાજને ત્વરિત પૂર્ણ કરવા માટે થોડા ઉતાવળિયા પણ બનતા જોવા મળો, ક્યાંક ગણતરી કરતા વધુ ખરીદી થવાથી નાણાખર્ચાયાની ખોટી લાગણી પણ ઉભી થાય, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામ કરવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામમાં વધુ વ્યસ્ત જોવા મળી શકો છે, નાનીનાની વાતમાં થોડો ગુસ્સો જોવા મળે, ક્યાંક તમારી લાગણી કોઇ જલ્દી સમજીના શકે તેવું બની શકે છે. સહકર્મચારીને સહકાર આપવાની તમાંરી ભાવના તમારા માટે કોઈ પ્રશ્નો ઉભાના કરે તેનું ધ્યાન રાખવું જરૂરી છે.

કોંગ્રેસે આજે સવારે સંસદ કાર્યાલયમાં બોલાવી સાંસદોની બેઠક, કાળા કપડા પહેરીને આવવા સૂચના

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ થયા બાદ પાર્ટીએ પોતાનો મોરચો ખોલી દીધો છે અને સતત તેની ગતિવિધિઓ તેજ કરી છે. આ ક્રમમાં, સોમવારે  પાર્ટીના લોકસભા અને રાજ્યસભા સાંસદોની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠક સંસદના સીપીપી કાર્યાલયમાં સવારે 10.30 કલાકે યોજાવાની છે. સાંસદોને કાળા કપડા પહેરીને બેઠકમાં આવવા માટે કહેવામાં આવ્યું છે. બેઠક પૂરી થયા બાદ આગળની રણનીતિ ઘડવામાં આવશે. આ પહેલા રાહુલ ગાંધી બુધવારેના રોજ સંસદની સદસ્યતા ભંગ થયા બાદ પ્રથમ વખત સંસદ પહોંચ્યા હતા. તેઓ અહીં કોંગ્રેસના સાંસદોની બેઠકમાં ભાગ લેવા આવ્યા હતા.

સાંસદોએ કાળા કપડા પહેર્યા હતા

આ દિવસે પણ કોંગ્રેસના સાંસદોએ કાળા કપડા પહેરીને વિરોધ કર્યો હતો, જ્યારે બેઠકમાં હાજરી આપવા આવેલા રાહુલ સફેદ ટી-શર્ટમાં આવ્યા હતા. કોંગ્રેસ અદાણી જૂથના મુદ્દા પર સંયુક્ત સંસદીય સમિતિની સ્થાપનાની માંગ કરી રહી છે અને રાહુલ ગાંધીને લોકસભામાંથી સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવાના વિરોધમાં પણ આગેવાની કરી રહી છે. રાહુલ ગાંધીના સમર્થનમાં અને તેમની ગેરલાયકાતના વિરોધમાં કોંગ્રેસના સાંસદો, નેતાઓ અને કાર્યકરોએ લાલ કિલ્લા પાસે ‘લોકતંત્ર બચાવો મશાલ શાંતિ માર્ચ’ પણ કાઢી હતી, જ્યાં પોલીસે પક્ષના અનેક નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી હતી.

કોંગ્રેસ ઓમ બિરલા વિરુદ્ધ ઠરાવ લાવી શકે છે

દરમિયાન, કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળો લોકસભાના સ્પીકર ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનું વિચારી રહ્યા છે કારણ કે વિપક્ષી સભ્યોને બોલવા દેવામાં આવી રહ્યા નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ સાંસદોની બેઠકમાં આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. વિપક્ષી પાર્ટીઓ લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે. માનહાનિના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યાના એક દિવસ પછી, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને અદાણીનો મુદ્દો ઉઠાવવાની વિપક્ષને તક ન મળી રહી હોવાનો દાવો કરતી સૂચના સાથે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.

યુપીના વિદ્યાર્થીઓ હવે મુઘલોનો ઈતિહાસ નહીં ભણે, યોગી સરકારે અભ્યાસક્રમ બદલ્યો

ઉત્તર પ્રદેશ સરકારે યુપી બોર્ડ અને સીબીએસઈ બોર્ડના અભ્યાસક્રમમાં મોટા ફેરફારો કર્યા છે. ખરેખર, હવે શાળાઓમાં મુઘલોનો ઈતિહાસ નહીં ભણાવવામાં આવશે. શૈક્ષણિક સત્ર 2023-24માં, ધોરણ 12માં અભ્યાસ કરવા માટેના ઈતિહાસના પુસ્તકમાંથી મુગલ પ્રકરણ હટાવી દેવામાં આવ્યું છે. આ સિવાય 11મા પુસ્તકમાંથી રાઈઝ ઓફ ઈસ્લામ, ક્લેશ ઓફ કલ્ચર, ઈન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન, બિગીનીંગ ઓફ ટાઈમના પાઠો કાઢી નાખવામાં આવ્યા છે.

શૈક્ષણિક સત્ર 2023-24માં ઈન્ટરમીડિયેટમાં ભણાવવામાં આવનાર ઈતિહાસના પુસ્તકમાં ‘ભારતીય ઈતિહાસ-2ના કેટલાક વિષયો’માંથી શાસક અને મુઘલ દરબારને દૂર કરવામાં આવ્યા છે. આ સાથે નાગરિકશાસ્ત્રના પુસ્તકમાંથી અમેરિકન સર્વોપરિતા અને શીત યુદ્ધનો પાઠ પણ હટાવી દેવામાં આવ્યો છે.

આ પાઠ પુસ્તકોમાંથી દૂર કરવામાં આવ્યા હતા

તમને જણાવી દઈએ કે યુપી સરકારના આ નિર્ણયને શૈક્ષણિક સત્ર 2023-24થી લાગુ કરવામાં આવી રહ્યો છે. ઈતિહાસના પુસ્તક ઉપરાંત અન્ય વિષયોમાં પણ આ ફેરફાર જોવા મળ્યો છે. સૌથી પહેલા 12માના અભ્યાસક્રમની વાત કરીએ. ધોરણ 12ના ઈતિહાસના પુસ્તકમાંથી મુઘલોનો ઈતિહાસ હટાવી દેવામાં આવ્યો છે.

અગાઉ, ધોરણ 12ના ઈતિહાસના પુસ્તકમાં ‘ભારતીય ઈતિહાસ-2ના કેટલાક વિષયો’થી લઈને શાસકો અને મુઘલ દરબાર સુધીના પ્રકરણો હતા, જે હવે તમે જોઈ શકશો નહીં. આ સાથે 11મા ધોરણના અભ્યાસક્રમમાં ફેરફાર કરતી વખતે ઈસ્લામનો ઉદય, ઔદ્યોગિક ક્રાંતિ, સંસ્કૃતિના સંઘર્ષ અને સમયની શરૂઆતના પ્રકરણો પણ ઈતિહાસના પુસ્તકમાંથી હટાવી દેવામાં આવ્યા છે.

આ સાથે નાગરિકશાસ્ત્ર પુસ્તકમાં પણ ફેરફારો જોવા મળ્યા છે. તે જ સમયે, સ્વતંત્ર ભારતમાં રાજનીતિના પુસ્તકમાંથી જનઆંદોલન અને એક પક્ષના વર્ચસ્વના સમયગાળાના પ્રકરણને પણ દૂર કરવામાં આવ્યું હતું. આ સિવાય 10મી ડેમોક્રેટિક પોલિટિક્સ 2ના પુસ્તકમાંથી લોકશાહી અને વિવિધતા, પીપલ્સ સ્ટ્રગલ એન્ડ મૂવમેન્ટ, લોકશાહીના પડકારોના પાઠો દૂર કરવામાં આવ્યા હતા.

RCB vs MI,: બેંગ્લોરે મુંબઈને 8 વિકેટે હરાવ્યું

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 સીઝનની 5મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં RCBની ટીમને 172 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ અને વિરાટ કોહલીની ઓપનિંગ જોડીએ પ્રથમ વિકેટ માટે 148 રનની ભાગીદારી કરીને સંપૂર્ણપણે એકતરફી રહી હતી. આરસીબીની ટીમે આ લક્ષ્યાંક 16.2 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર હાંસલ કર્યો હતો, જેમાં કોહલીએ અણનમ 82 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

172 રનના સ્કોરનો પીછો કરવા ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમની ઇનિંગ્સ શરૂ કરવાની જવાબદારી કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ અને વિરાટ કોહલીએ સંભાળી હતી. બંનેએ સાથે મળીને પ્રથમ 6 ઓવરમાં ટીમનો સ્કોર 53 રન સુધી પહોંચાડ્યો હતો. આ પછી ડુ પ્લેસિસ અને કોહલીએ પોતાની આક્રમક શૈલી ચાલુ રાખતા ઝડપી ગતિએ રન બનાવવાનું ચાલુ રાખ્યું હતું.

કોહલી અને ડુ પ્લેસિસની જોડીએ 11મી ઓવરમાં જ ટીમના સ્કોરને 100 રનની પાર પહોંચાડી દીધો હતો. ફાફ ડુ પ્લેસિસે આ મેચમાં માત્ર 30 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી, જ્યારે કોહલીએ પણ અડધી સદીની ઇનિંગ સાથે સિઝનની શરૂઆત કરી હતી અને 38 બોલમાં 50 રનનો આંકડો પૂરો કર્યો હતો. આ મેચમાં RCB ટીમને 148 રનના સ્કોર પર પહેલો ફટકો ફાફ ડુ પ્લેસિસના રૂપમાં લાગ્યો હતો, જે 43 બોલમાં 73 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યા હતા.

આ મેચમાં આરસીબીની ટીમે 2 વિકેટના નુકસાને 16.2 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. વિરાટ કોહલીએ આ મેચમાં વાપસી કરીને 49 બોલમાં 82 રનની શાનદાર અણનમ ઇનિંગ રમીને ટીમને જીત અપાવી હતી. મુંબઈ તરફથી બોલિંગમાં અરશદ ખાન અને કેમરન ગ્રીને 1-1 વિકેટ લીધી હતી.

તિલક વર્માએ બેટથી પાવર બતાવ્યો હતો

આ મેચમાં RCBની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ મુંબઈ ઈન્ડિયન્સની ટીમે માત્ર 20ના સ્કોર સુધી પોતાની 3 મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી યુવા ડાબોડી બેટ્સમેન તિલક વર્માએ એક છેડેથી ઇનિંગ્સને સંભાળીને રનની ગતિ જાળવી રાખીને ટીમને ફાઇટીંગ સ્કોર સુધી લઇ જવાનું કામ કર્યું. તિલક વર્માના બેટમાં 46 બોલમાં 84 રનની શાનદાર અણનમ ઇનિંગ જોવા મળી, જેના કારણે મુંબઈની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 171 રન સુધી પહોંચાડવામાં સફળ રહી. આરસીબી તરફથી બોલિંગમાં કર્ણ શર્માએ 4 ઓવરમાં 32 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.

હાસ્યકાર જગદીશ ત્રિવેદી દ્રારા નિર્મિત આઠમી સરકારી શાળાનું ભવ્ય લોકાર્પણ

દેવભૂમિ દ્રારકા જીલ્લાના જામખંભાળીયામાં હાસ્યકાર જગદીશ ત્રિવેદીએ તદ્દન નવી સરકારી પ્રાથમિક શાળા બનાવીને સરકારને સુપ્રત કરી હતી.  આ પ્રસંગે ભાગવત કથાકાર પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરા, શિક્ષણમંત્રી ડો. કુબેર ડીંડોર, નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ગીરીશભાઈ ભીમાણી, તથા નરસિંહ મહેતા યુનિવર્સિટીના ઉપકુલપતિ ચેતનભાઈ ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ જગદીશ ત્રિવેદી દ્રારા નિર્મિત આઠમી સરકારી શાળા

આ શાળાના લોકાર્પણ સાથે જગદીશ ત્રિવેદીના વ્યક્તિગત દાનની રકમ પાંચ કરોડને પાર કરી ગઈ છે. એમણે આરોગ્ય અને શિક્ષણ પાછળ કુલ અગિયાર કરોડ રૂપિયાનું દાન કરવાનો મનોરથ કરેલ છે અને એ માટે ૧૨/૧૦/૨૦૧૭ થી પોતાના દેશ-પરદેશના તમામ કાર્યક્રમોની સંપૂર્ણ આવક તેઓ દાન કરી રહ્યા છે.

આ કાર્યક્રમમાં પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ, જીતુભાઈ દ્રારકાવાળા, વસંત પરેશ બંધુ , પરસોત્તમપરી ભજનીક , વિનુ ચાર્લી, મિલન ત્રિવેદી, ગુણવંત ચુડાસમા , તેજસ પટેલ, ચંદ્રેશ ગઢવી અને મનન રાવલ જેવા ઘણાં કલાકારો, લેખકો, કવિઓ અને મોટી સંખ્યામાં જામખંભાળીયાના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

GCMMFL: ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશને નોંધાવ્યું 55,055 કરોડનું ટર્નઓવર

આણંદ ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિમિટેડે 185 ટકા વૃધ્ધિ સાથે નાણાકીય વર્ષ 202223માં 55055 કરોડનું ટર્નઓવર નોંધાવ્યું છે જીસીએમએમએફની 185 ટકાની ટર્નઓવર વૃધ્ધિ મહદ્દ અંશે બ્રાન્ડેડ કન્ઝ્યુમર પ્રોડક્ટની માંગમાં વધારાના કારણે જોવા મળી છે 185 ટકા વૃધ્ધિ અમૂલ ફ્રેશ પ્રોડક્ટ કેટેગરીએ 21 ટકાના દરે વૃધ્ધિ નોંધાવીને જીસીએમએમએફના ટર્નઓવરમાં 50 ટકાનું યોગદાન આપ્યું છે અને આઈસ્ક્રીમ રેન્જ 41 ટકાના દરે વૃધ્ધિ પામી છે. અમૂલ ગ્રુપના સભ્ય સંઘોનું પ્રોવિઝનલ ટર્નઓવર 72000 કરોડનો આંક વટાવી ગયું છે. વસ્તીની દ્રષ્ટિએ ટોચના 400 શહેરોમાં વિતરણ નેટવર્ક વધારવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને જીસીએમએમએફે તેની 82 શાખાઓ અને ગોદામોની માળખાકિય સુવિધા વધારીને વર્ષ 202324માં 100થી વધુ કરી છે.

આ શહેરોમાં વિતરકો અને રિટેઈલ વેચાણમાં પણ વધારો થયો છે. 20 ડેરી કંપનીઓમાં 8મું સ્થાન ઈન્ટરનેશનલ ફાર્મ કમ્પેરિઝન નેટવર્કના આંકડા મુજબ GCMMFL દુનિયાની ટોચની 20 ડેરી કંપનીઓમાં 8મું સ્થાન ધરાવે છે. બ્રાન્ડ ફાયનાન્સ 2022ના યુકેના રિપોર્ટમાં જણાવ્યા મુજબ અમૂલ સૌથી સબળ ડેરી બ્રાન્ડ હોવાની સાથે સાથે ભારતમાં વિવિધ પ્રોડકટના વાર્ષિક 2000 કરોડ પેકેટનું વિતરણ કરે છે 18 સભ્ય સંઘોનું બનેલું GCMMFL ગુજરાતના 18600 ગામોમાં 36 લાખથી વધુ ખેડૂત સભ્યો પાસેથી દૈનિક સરેરાશ 270 લાખ લીટર દૂધ એકત્ર કરે છે. ભારતના ટોચના મહાનગરોની દૂધ અને દૂધની પેદાશોની માંગ સંતોષવા માટે GCMMFLના સભ્ય સંઘોએ 98 ડેરી પ્લાન્ટનું નેટવર્ક સ્થાપ્યું છે.13 વિશિષ્ટ ફ્લેવરનો સ્વાદ ઓર્ગેનિક ફૂડ હાઈ પ્રોટીન પ્રોડક્ટ પ્રોબાયોટીક રેન્જ અને તાજી મિઠાઈઓની નવી પ્રોડક્ટ કેટેગરીમાં GCMMFL રોકાણ કરી રહ્યું છે કે જેથી આપણી ભાવિ પેઢીના ગ્રાહકો આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ પ્રોડક્ટમાંથી પોષણ મેળવી શકે.

આ દરેક પ્રોડક્ટ કેટેગરી મારફતે અમૂલ ભારતની સૌથી મોટી ડેરી બ્રાન્ડમાંથી ભારતની સૌથી મોટી ફૂડ એન્ડ બેવરેજીસ એફએમસીજી કેટેગરી બનવા તરફ આગળ ધપી રહી છે. આંતરરાષ્ટ્રિય ગ્રાહકોની સ્વાદ ગ્રંથિઓને ધ્યાનમાં રાખીને GCMMFLએ પૂનામાંઈન્ટરનેશનલ આઈસ્ક્રીમ લોન્જ રજૂ કરી છે કે જ્યાં 13 વિશિષ્ટ ફ્લેવરનો સ્વાદ માણી શકાય છે. 1 લાખ કરોડનું ટર્નઓવર હાંસલ કરવાનું આયોજન GCMMFLના ચેરમેન શામળભાઈ પટેલે જણાવ્યું હતું કે “અમૂલની પ્રોડક્ટની બજાર માંગમાં અંદાજીત વૃધ્ધિ તથા અમારા ભવિષ્યના માર્કેટીંગના આયોજનો ને અનુલક્ષીને GCMMFL વર્ષ 2025 સુધીમાં 1 લાખ કરોડનું ટર્નઓવર હાંસલ કરવાનું આયોજન ધરાવે છે.

નવા બજારોમાં ઉમેરો કરીને તથા નવી પ્રોડક્ટસ રજૂ કરતા રહીને તથા દેશભરમાં નવી મિલ્ક પ્રોસેસીંગ ક્ષમતાનો ઉમેરો કરીને આગામી 7 વર્ષમાં 20 ટકાથી વધુ એકંદર વાર્ષિક વૃધ્ધિ દર પ્રાપ્ત કરવાનું ધ્યેય ધરાવે છે સર્વોચ્ચ ટર્નઓવર ધરાવતી પ્રોડક્ટ જીસીએમએમએફના ઇન્ચાર્જ મેનેજીંગ ડિરેક્ટર જયેન મહેતાએ જણાવ્યું હતું કે “અમે તમામ પ્રોડક્ટ કેટેગરીના વેચાણ જથ્થામાં વૃધ્ધિ હાંસલ કરી છે પાઉચમાં વેચાતું દૂધ કે જે સર્વોચ્ચ ટર્નઓવર ધરાવતી પ્રોડક્ટ બની છે તે પ્રોડક્ટે બે આંકડાનો વૃધ્ધિ દર દર્શાવ્યો છે. આ ઉપરાંત બટર ઘી આઈસ્ક્રીમ યુએચટી મિલ્ક ફ્લેવર્ડ મિલ્ક પનીર અને ફ્રેશ ક્રીમમાં પણ બે આંકડાનો વૃધ્ધિ દર જોવા મળ્યો છે.

36 લાખથી વધુ દૂધ ઉત્પાદક

ગુજરાતના 36 લાખથી વધુ દૂધ ઉત્પાદક સભ્યો વતી વાત કરતાં જીસીએમએમએફના વાઈસ ચેરમેન વલમજીભાઈ હુંબલે દૂધ ઉત્પાદકો સાથે સંકળાયેલી વિવિધ યોજનાઓ મારફતે સતત અને સમયસર સહયોગ આપવા બદલ ગુજરાત સરકાર અને ભારત સરકારનો આભાર માન્યો હતો અહીં એ નોંધવું મહત્વનું છે કે જીસીએમએમએફ દૂધ ઉત્પાદકોને ગ્રાહકોના રૂપિયાનો 80 થી 85 ટકા હિસ્સો સુપ્રત કરે છે અને તે રીતે વધુ દૂધ ઉત્પાદન માટે પ્રોત્સાહન પૂરૂં પાડે છે.