Home Blog Page 2633

અમેરિકામાં ગેરકાયદે ઘૂસવાના પ્રયાસમાં ચાર ભારતીયોનાં મોત

ટોરોન્ટોઃ કેનેડાની પોલીસે ચાર ભારતીયો સહિત આઠ લોકોમાંથી બે જણનાં નામ લીધાં છે, જેમના મૃતદેહો અમેરિકા-કેનેડાની બોર્ડરના માર્શલેન્ડ વિસ્તારમાંથી મળી આવ્યા હતા. પોલીસ તેમના મોતના સંજોગોની તપાસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે નદી કિનારેથી ગયા સપ્તાહે આઠ લોકોના મૃતદેહો કબજે કર્યા કર્યા છે, જે કેનેડાથી અમેરિકામાં પ્રવેશ કરવાના પ્રયાસ કરી રહ્યા હતા. આમાં ત્રણ વર્ષથી ઓછી ઉંમરનાં બે બાળકો પણ સામેલ છે અને એમાં બે કેનેડાના નાગરિક પણ હતા.

પોલીસે કહ્યું હતું કે તેમનામાંથી કમસે કમ ત્રણ ગુજરાતના પરિવારના સભ્યો છે. બીજી બાજુ, ગુજરાતના મહેસાણા જિલ્લાના એક પરિવારે દાવો કર્યો હતો કે હાલમાં કેનેડાથી અમેરિકા જવાના પ્રયાસમાં માર્યા ગયેલા આઠ લોકોમાં સામેલ ચાર ભારતીય તેમના સંબંધી છે. તેઓ વિજાપુર તાલુકાના માનેકપુર ગામના નિવાસી જસુભાઈ ચૌધરીએ કહ્યું હતું કે તેમના ભાઈ, ભાભી અને તેમને બે બાળકો આશરે બે મહિના પહેલાં વિઝિટર વિસા પર કેનેડા ગયા હતા.

કેનેડાની પોલીસે કહ્યું હતું કે ગયા ગુરુવારે એક્વેસસ્નેની પાસે સેન્ટ લોરેન્સ નદીમાં પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં પોલીસને આઠ લોકોના મૃતદેહો મળ્યા હતા. એવું માનવામાં આવે છે કે તેઓ ભારતીય અને રોમાનિયાના મૂળના બે પરિવાર હતા, જે અમેરિકામાં ગેરકાયદે રીતે પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

મહેસામા જિલ્લા વહીવટી તંત્રના એક અધિકારીએ કહ્યું હતું કે માલેકપુરા ગામના નિવાસીઓના ચારે મૃતકોના મૃતદેહોને તેમના પૈતૃક ગામ પરત લાવવાની વ્યવસ્થા કરવાની વિનંતી સાથે જિલ્લાધિકારીથી સંપર્ક કર્યો છે.

 

 

 

સુવિચાર – 0૩ એપ્રિલ, ૨૦૨૩

સુવિચાર – 0૩ એપ્રિલ, ૨૦૨૩

SBIનું સર્વર ડાઉનઃ ઈન્ટરનેટ બેન્કિંગ, યૂપીઆઈ સેવા બંધ થતાં ગ્રાહકો પરેશાન

મુંબઈઃ દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)નું આજે સવારથી દેશભરમાં ડાઉન થતાં તેની સાથેના વ્યવહારો અટકી ગયાં છે.

ઈન્ટરનેટ બેન્કિંગ અને યૂપીઆઈ સેવાઓ ખોરવાઈ જતાં એસબીઆઈનાં ખાતેદારો, ગ્રાહકો પરેશાન થઈ ગયાં છે. દેશભરનાં એસબીઆઈ ગ્રાહકોએ સોશિયલ મિડિયા પર આની સામે આક્રોશ વ્યક્ત કર્યો છે અને ફરિયાદ કરી રહ્યાં છે.

ભાવનગરમાં ‘સમર્થ સમકાલીન સર્જક પરિસંવાદ’ યોજાયો

ભાવનગરઃ ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતી ભાષા-સાહિત્ય ભવનના સંયુક્ત ઉપક્રમે  ૨૭ માર્ચે સોમવારે ભાવનગરના ઝવેરચંદ મેઘાણી સભાગૃહમાં ‘સમર્થ સમકાલીન’ સિતાંશુ યશશ્ચન્દ્રની સર્જકતા એક દિવસીય પરિસંવાદ યોજાયો હતો. સિતાંશુ યશશ્ચન્દ્રની સર્જકતા વિશેના આ પરિસંવાદની ભૂમિકા ગુજરાતી ભવનના અધ્યક્ષ મહેન્દ્રસિંહ પરમારે કરી હતી. પ્રારંભે સિતાંશુ યશશ્ચંદ્રની કવિતા ‘એક ખરી વાત’નો સમૂહપાઠ ભવનના વિદ્યાર્થીઓ દ્વારા થયો. કવિ સિતાંશુ યશશ્ચન્દ્રે એમની કવિતાનો પાઠ કર્યો.

સિતાંશુ યશશ્ચંદ્રની કવિતા વિશે સમીર ભટ્ટે અને સંશોધન વિશે હેમંત દવેએ રસપ્રદ વક્તવ્યો આપ્યાં. બીજી બેઠકમાં સિતાંશુ યશશ્ચન્દ્રના વિવેચન વિશે શિરીષ પંચાલનું વક્તવ્ય થયું. ત્રીજી બેઠકમાં સિતાંશુ યશશ્ચન્દ્રનાં નાટકોને રંગભૂમિની દ્રષ્ટિએ મહેન્દ્રસિંહ પરમાર અને સાહિત્યિક દ્રષ્ટિએ મહેશ ચંપકલાલે મૂલવ્યાં. ‘ભાઈબંધ સિતાંશુ’ વિશે પ્રબોધ પરીખનાં વક્તવ્ય પછી એમણે સાહિત્ય અકાદમી દિલ્હી માટે બનાવેલી ફિલ્મ ‘આ માણસ ગુજરાતી લાગે છે’નું નિદર્શન થયું.

‘સમર્થ સમકાલીન’ સિતાંશુ યશશ્ચન્દ્રની સર્જકતા વિશેના પરિસંવાદના સભાગૃહના પરિસરમાં, ભોજનકક્ષમાં કવિની કવિતાઓ ‘પ્રહલાદની પ્રાર્થના’, ‘લક્કડબજાર’, ‘હનુમાનની એકોક્તિ’ તથા ‘જટાયુ’ની એકોક્તિઓ ભવનનાં છાત્રો ફાલ્ગુની, શ્રદ્ધા, દીપક અને આકાશે રજૂ કરી એ કાર્યક્રમનું આકર્ષણ બની રહી. કવિ અને અધિકારી ભાવકોની હાજરીમાં ભજવાતી આ એકોક્તિઓ સૌએ વધાવી લીધી હતી.

આ કાર્યક્રમના પહેલાં રવિવારે ભાષાભવનમાં ‘કવિતાનું કેસર’ શીર્ષકથી આ કવિઓ અને ભવનના છાત્રોનું મિલન યોજાયું હતું. ભાષા સાહિત્યના વિદ્યાર્થીઓને સાહિત્ય સાથે અનુબંધ રચવામાં આવા વિશિષ્ટ કાર્યક્રમોનો મહિમા સૌ સાહિત્યપ્રેમીઓએ અનુભવ્યો. શિરીષ પંચાલ, પ્રબોધ પરીખ, સિતાંશુ યશશ્ચન્દ્ર જેવા અગ્રણી સાહિત્યકારોની હાજરીમાં જાણે એક સેતુબંધ રચાયો. ભવનનાં છાત્રોએ કરેલી સજાવટ તથા ભૂમિ, પાયલ, અંકિતા અને માનસીએ કરેલાં સભાસંચાલનો પણ પ્રશંસનીય રહ્યાં. પરિષદ મંત્રી સમીર ભટ્ટે સૌનો આભાર માન્યો હતો.

 

 

 

 

 

મોદી સરનેમ કેસઃ ચુકાદાને સુરત કોર્ટમાં પડકારશે રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 2019ના માનહાનિ કેસમાં બે વર્ષની સજાની સામે અપીલ કરવા માટે ગુજરાતની એક કોર્ટમાં હાજર થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અપમાનના રૂપમાં જોવામાં આવેલી એક ટિપ્પણી માટે માનહાનિ મામલામાં તેમને દોષી ઠેરવ્યાના મેજિસ્ટ્રેટના આદેશને રદ કરવા માટે રાહુલ ગાંધીની સુરત સેશન્સ કોર્ટના આગ્રહ કરવા માટે અરજી દાખલ કરવા માટે પહોંચ્યા છે. સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ દોષસિદ્ધિ પર વચગાળાનો પ્રતિબંધ મૂકવા માટે માગ કરશે, જેથી તેમની લોકસભા સદસ્યતા બહાલ થઈ જશે.

રાહુલ ગાંધીને ગુજરાતની કોર્ટે આદેશ પછી સાસંદ તરીકે અયોગ્ય ઘોષિત ઠેરવવામાં આવ્યા હતા. તેમનાં બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા અને ત્રણ કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્ય મંત્રીઓ-અશોક ગહેલોત, ભૂપેશ બઘેલ અને સુખવિંદર સુક્ખુની સાથે સુરત જશે. કોર્ટમાં હાજર થતાં પહેલાં રાહુલ ગાંધીએ માતા સોનિયા ગાંધી સાથે પણ મુલાકાત કરી હતી. 52 વર્ષીય રાહુલ ગાંધીને 2019ના મામલે માનહાનિના દોષી ઠેરવવામાં આવ્યા હતા, જેમાં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરનેમ પર વિવાદિત ટિપ્પણી કરી હતી. જોકે તેમને કોર્ટે સજા મળ્યા પછી તરત જામીન આપ્યા હતા અને તેમને ચુકાદા સામે અપીલ કરવા માટે 30 દિવસો સુધી તેમની સજાને ટાળી કરી દીધી હતી.  

ભાજપના વિધાનસભ્ય અને ગુજરાતના ભૂતપૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધીની સામે માનહાનિ કેસ દાખલ કર્યો હતો. કેરળમાં રાહુલ ગાંધીની વાયનાડ સીટ તેમને પદ પરથી હટાવ્યા પછી હવે ખાલી છે. ચૂંટણી પંચ હવે આ બેઠક માટે વિશેષ ચૂંટણીની ઘોષણા કરી શકે છે.

 

 

 

 

 

મામૂલી ઝઘડામાં એક શખસે ચાલતી ટ્રેનમાં યાત્રીને લગાડી આગઃ ત્રણનાં મોત

કોઝિકોડઃ કેરળના કોઝિકોડમાં રવિવારે એક્સપ્રેસ ટ્રેનમાં ચઢવા માટે થયેલા મામૂલી ઝઘડા પછી એક વ્યક્તિએ અન્ય યાત્રીને આગ લગાડી દીધી હતી. જેથી ત્રણ લોકોનાં કરુણ મોત થયાં હતાં અને અન્ય આઠ લોકો ઘાયલ થયા હતા. આગ લાગ્યાની ઘટનાના કેટલાક કલાકો પછી કેરળના ઇલાથુર રેલવે સ્ટેશનની પાસે પાટા પર એક વર્ષના બાળક અને એક મહિલા સહિત ત્રણ લોકો મૃત હાલતમાં મળી આવ્યા હતા.

આશંકા છે કે અલપ્પ્ઝા-કન્નુર એક્ઝ્ક્યુટિવ એક્સપ્રેસના યાત્રીઓ દ્વારા ઇમરજન્સી ચેઇન ખેંચ્યા પછી ટ્રેન ધીમી થયા બાદ તે વ્યક્તિ ફરાર થઈ ગઈ હતી. હજી આરોપીઓની ઓળખ નથી થઈ શકી. આ ઘટના રાત્રે 9.45 કલાકે થઈ હતી, જ્યારે ટ્રેન કોઝિકોડ શહેરને પાર કર્યા પછી કોરાપુઝા રેલવે પૂલ પર પહોંચી હતી. યાત્રીઓએ રેલવે સુરક્ષા દળ (RPF)ને સૂચના આપી અને આગને કાબૂમાં લેવામાં આવી હતી, એમ સૂત્રોએ કહ્યું હતું.

રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પ્રારંભિક સૂચના અનુસાર આગ લગાવનાર વ્યક્તિ ઘટના પછી ફરાર થઈ ગઈ હતી. જોકે આ આગમાં દાઝી જનાર ત્રણ લોકોને RPFના જવાનોએ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા અને આવશ્યક નિરીક્ષણ પછી ટ્રેન રવાના થઈ ગઈ હતી.

પ્રારંભિક અહેવાલો મુજબ બે વ્યક્તિઓ વચ્ચે ચણભણ થતાં આ ઘટના બની હતી, જેમાં બે વ્યક્તિમાં ઝઘડા પછી એક વ્યક્તિએ બીજા યાત્રી પર જ્વલનશીલ પદાર્થ નાખીને આગ લગાડી દીધી હતી. આ ઘટનાને કારણે ભાગદોડ થઈ હતી અને આ આગમાં દાઝેલા ત્રણ લોકોનાં મોત થયાં હતાં અને આઠ લોકો ઘાયલ થયા હતા.

 

 

 

 

 

કોરાનાના 3824 નવા કેસો, 11નાં મોત  

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 3824 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે 11 જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.66 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,47,22,605 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,30,892 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,41,75,135 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 1800 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 20,219એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.05 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.76 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 59,512 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 92.13 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 2.09 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 2.03 ટકા છે.

દેશમાં 220.66 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,66,11,814 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 2799 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

સકારાત્મક વિચારોનું સત્ય

લોકો પોતાના જીવનના ઊંડાણને ગુમાવી બેઠા છે, કારણકે તેઓ ફક્ત પોતાનું ધ્યાન તેમના માટે જે અનુકુળ છે, એ વાતને સકારાત્મક ગણી, તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાથી અર્થહીન બની ગયા છે. તેમને દરેક વસ્તુઓ એકદમ ઝડપથી પ્રાપ્ત કરવી હોય છે. કોઈપણ વસ્તુ માટે અર્પણની ભાવનાનો અભાવ છે. ધારો કે કોઈને વૈજ્ઞાનિક બનવું છે. તો તેણે ઘણાં વર્ષો સુધી અભ્યાસ કરવો પડશે. કદાચ તે પોતાની પત્ની, કે બાળકો કે બીજું બધું ભૂલીને પોતાની જાતને સમર્પિત કરી દેશે. તો જ તેની માટે શક્યતાઓ ખુલશે, ભૌતિક સ્તર પર પણ આમ બને છે.

આવા સ્થિર કેન્દ્રિત ધ્યાનનો આધુનીક જગતમાં અભાવ છે, કારણકે આ પ્રકારનું શિક્ષણ ખુબ વ્યાપક છે: “ચિંતા કરશો નહીં, ખુશ રહો. બધું બરાબર છે. બસ મજા કરો” આ પ્રકારનું સુખ હંમેશા પડી ભાંગશે અને લોકો માનસિક રીતે બીમારીની સ્થિતિમાં મુકાશે. એક ખાસ લોકપ્રિય નિવેદન જે મને પશ્ચિમમાં ઘણું સંભાળવા મળે છે અને હવે તે ભારતમાં પણ પોતાની ઘણી પકડ જમાવી રહ્યું છે, તે એ છે, “ખુશ રહો અને વર્તમાન ક્ષણમાં જીવો.” કૃપા કરીને બીજી કોઈ ક્ષણમાં જીવીને મને બતાઓ. એમ પણ તમે આ ક્ષણમાં છો, તો તમે બીજે ક્યાં હોવાના છો? બધા લોકો આવું રટણ કરે છે કારણકે આ વિષે ઘણાં બધા પુસ્તકો લખાયેલા છે અને ઘણાં લોકો, કે જેમને કોઈજ અનુભવ કે સમજણ નથી તેઓ આવા અઢળક કાર્યક્રમો યોજે છે.

કર્મની કમાન (સ્પ્રિંગ)

જો તમે આવા લોકો જે હંમેશા “આનંદિત રહો”ની વાતો કરે છે તેમને જુઓ તો તેમની જીવનશૈલી પ્રમાણે થોડા વર્ષોમાં તેઓ હતાશ થઇ જશે. તમને આ વસ્તુ ઘણી ઊંડાણમાં પ્રહાર કરશે કારણકે તમારા કર્મનાં બંધારણ પ્રમાણે તમારી ઉર્જા જુદી જુદી શક્યતાઓ માટે ફાળવેલી છે. તે તમારી પીડા, તમારા દુઃખ, તમારી ખુશી, તમારા પ્રેમ, તેમ ઘણી રીતે વહેંચાયેલી છે, જેને પ્રારબ્ધ કહેવાય છે. તે માત્ર તમારા મનમાં નથી. કર્મ એ માહિતીનો સંગ્રહ અથવા ડેટા છે. તમારી ઉર્જા આ માહિતી સંગ્રહના પ્રમાણે કાર્ય કરી રહી છે. પ્રારબ્ધ દબાવેલી કમાન કે સ્પ્રિંગ જેવું છે જેણે પોતાની અભિવ્યક્તિ શોધવી પડશે. જો તે પોતાને વ્યકત નહીં કરી શકે અને તમે તેને વ્યકત થવાની મંજુરી નહીં આપો તો તે કોઈ અલગ જ રીતે પ્રગટ થશે.

દરેક વસ્તુ જેવી છે તેને તે જ રીતે જોવી, એ ઘણું અનિવાર્ય છે. તમે કોઈ વસ્તુ નામંજૂર ન કરો. જો દુઃખ આવે તો દુઃખ, ઉદાસી આવે તો ઉદાસી, ખુશી આવે તો ખુશી અને પરમાનંદ આવે તો પરમાનંદ, પણ એને મંજુર કરો. જયારે તમે આમ કરો છો તો તમે કોઈ વસ્તુને નકારતા કે તેને રોકવાનો પ્રયાસ નથી કરતા. આ સમયે બધું બની રહ્યું છે, પરંતુ તમે આ બધાથી મુક્ત છો.

(સદગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્‍ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્‍ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે 3.9 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.

0૩ એપ્રિલ, ૨૦૨૩

0૩ એપ્રિલ, ૨૦૨૩

પી.ટી. ઉષા વિશ્વ કક્ષાની એથ્લેટિક્સ એકેડેમી બનાવશે

વિજયવાડાઃ દેશની ભૂતપૂર્વ ઓલિમ્પિયન અને એશિયન ગેમ્સ મેડલવિજેતા રનર પી.ટી. ઉષા હાલ ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (આઈઓએ)નાં પ્રમુખ છે.

58 વર્ષીય ઉષાએ અહીં એમનાં એક સન્માન સમારંભમાં એવી જાહેરાત કરી હતી કે પોતે દેશમાં એક એથ્લેટિક્સ એકેડેમી બનાવી રહ્યાં છે જેથી ભારત માટે વિશ્વ કક્ષાએ ચમકી શકે એવાં વધારે એથ્લીટ્સ તૈયાર કરી શકાય. એમની પોતાની એકેડેમીમાં આશરે 25 એથ્લીટ્સને એથ્લેટિક્સની તાલીમ આપવામાં આવી રહી છે.