Home Blog Page 2635

UPA સરકાર સમયે CBI નરેન્દ્ર મોદીને ફસાવવા માટે મારા પર દબાણ કરતી હતી : અમિત શાહ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારે કહ્યું હતું કે કોંગ્રેસના નેતૃત્વ હેઠળની સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ) સરકાર દરમિયાન સીબીઆઈએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કથિત નકલી એન્કાઉન્ટર કેસમાં ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. ગુજરાતમાં આ માટે તેમના પર ‘દબાણ’ કરવામાં આવ્યું હતું. બુધવારે એક કાર્યક્રમ દરમિયાન અમિત શાહે વિપક્ષના આરોપના પ્રશ્નના જવાબમાં આ વાત કહી હતી કે નરેન્દ્ર મોદી સરકાર વિપક્ષી નેતાઓને નિશાન બનાવવા માટે કેન્દ્રીય એજન્સીઓનો ‘દુરુપયોગ’ કરી રહી છે.

નરેન્દ્ર મોદીને ફસાવવા માટે કરાયું દબાણ

તેમણે કહ્યું કે CBI મારા પર કોંગ્રેસ સરકાર દરમિયાન કથિત નકલી એન્કાઉન્ટર કેસમાં મોદીજીને ફસાવવા દબાણ કરી રહી હતી. તેમણે કહ્યું કે તેમ છતાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ ક્યારેય હંગામો કર્યો નથી.

રાહુલ ગાંધી કોર્ટમાં જવાના બદલે હંગામો મચાવે છે : અમિત શાહ

સુરતની કોર્ટ દ્વારા બદનક્ષીના કેસમાં રાહુલ ગાંધીને દોષિત ઠેરવવા પર ગૃહમંત્રીએ કહ્યું કે કોંગ્રેસના નેતા એકમાત્ર એવા વ્યક્તિ નથી કે જેમને કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા હોય અને તેમણે લોકસભાની સભ્યતા ગુમાવી હોય. તેમણે કહ્યું કે, રાહુલ હાઈકોર્ટમાં જવાને બદલે હોબાળો મચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને પોતાના ભાગ્ય માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જવાબદાર ઠેરવી રહ્યા છે.

આરોપો સામે લડવા માટે ઉચ્ચ અદાલતમાં જવું જોઈએ : અમિત શાહ

અમિત શાહે કહ્યું કે, રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર દોષનો ટોપલો ઢોળવાને બદલે પોતાના આરોપો સામે લડવા માટે ઉચ્ચ અદાલતમાં જવું જોઈએ. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું, રાહુલ ગાંધીએ તેમની સજા પર સ્ટે માટે અપીલ કરી નથી. આ કેવો ઘમંડ છે. તમે સાંસદ તરીકે ચાલુ રાખવા માંગો છો અને કોર્ટમાં પણ નથી જવું.

ગેટવે ઓફ ઈન્ડિયા-બેલાપુર વોટર ટેક્સી સેવા સસ્પેન્ડ

મુંબઈઃ હજી તાજેતરમાં જ દક્ષિણ મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયા અને પડોશના નવી મુંબઈ શહેરના બેલાપુર ઉપનગર વચ્ચે શરૂ કરવામાં આવેલી વોટર ટેક્સી સેવા એક ટેક્નિકલ ખામી ઊભી થવાને કારણે હાલ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. દક્ષિણ મુંબઈ અને નવી મુંબઈ વચ્ચે રોજ અપ-ડાઉન કરતાં લોકોની સુવિધા ખાતર આ વધારે ઝડપી અને વધારે આરામદાયક ટ્રાન્સપોર્ટેશન સેવા શરૂ કરવામાં આવી હતી. પરંતુ હવે એ સસ્પેન્ડ થતાં ઘણાં લોકો અટવાઈ ગયાં છે અને તકલીફ ભોગવી રહ્યાં છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલ મુજબ, એક બોટમાં કોઈક ટેક્નિકલ ખામી ઊભી થતાં આ સેવા હાલ સ્થગિત કરી દેવામાં આવી છે.

શ્રેયસ ઐયરે WTCની ફાઇનલ માટે બેક સર્જરી ટાળી

નવી દિલ્હીઃ શ્રેયસ ઐયર આગળની સારવાર અને પીઠની ઇજાથી ઊભરવા માટે NCA ગયા અને તેઓ ઇન્જેક્શન લેશે. તેની ફિટનેસ ટેસ્ટ જાણ્યા પછી તેના રમવા અગરનો નિર્ણય લેવામાં આવશે. ઐયર જૂનમાં WTCની ફાઇનલ માટે પસંદગી માટે ઉપલબ્ધ રહેવા ઇચ્છે છે, એમ ક્રિકબઝના રિપોર્ટ કહે છે. તેણે નિષ્ણાત અને NCAના અધિકારીઓ સાથે મુલાકાત કરી છે. બધા એ વાતે સહમત હતા કે ઓપરેશન ટાળી શકાય છે. એ નિષ્ણાતોની સલાહને અનુસરશે. જોકે ઐયર IPL માટે પણ તૈયાર છે. મુખ્ય કોચ ચંદ્રકાંત પંડિતે સ્વીકાર કર્યો હતો કે કપ્તાન શ્રેયસ ઐયર ટીમ માટે એક મહત્ત્વનો ક્રિકેટર છે.

શ્રેયસની ગેરહાજરી ખટકશે.  તે ટીમમાં બહુ જલદી પરત ફરશે અને ટીમમાં તેની હાજરીથી બહુ ફરક પડશે. જોકે પંડિતે નીતીશ રાણા પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અમે એ ક્રિકેટરોની પસંદગી કરીએ છીએ, જે જવાબદારી સમજે છે. તે ઘણા લાંબા સમયથી KKRની સાથે છે અને તેનો ઘરેલુ રેકોર્ડ પણ મજબૂત છે.

28 વર્ષીય ઐયરે ભારત માટે 49 T-20, 42 વન-ડે અને 10 ટેસ્ટ મેચ રમી છે. T-20માં અય્યરે 30.7ની સરેરાશ અને 136ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરતાં તેણે 1043 રન બનાવ્યા છે જેમાં તેણે સાત અર્ધ સદી પણ ફટકારી છે. ઐયરે વન-ડેમાં 46.6ની સરેરાશથી બે સદી અને 14 અર્ધ સદીની મદદથી 1631 રન બનાવ્યા છે. તેના ઉપરાંત ટેસ્ટમાં તેણે 41.6ની સરેરાશથી 666 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં તેના બેટમાંથી એક સદી અને પાંચ અર્ધ સદી જોવા મળી છે.

 

 

 

 

 

નવાઝુદ્દીન, ભૂતપૂર્વ પત્ની, બંને સંતાનને હાજર થવાનું કોર્ટનું ફરમાન

મુંબઈઃ મુંબઈ હાઈકોર્ટે બોલીવુડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી અને એમના ભૂતપૂર્વ પત્ની ઝૈનબ સિદ્દીકીનાં તરૂણ વયનાં બે સંતાનનાં ભવિષ્યને ખાતર દંપતી વચ્ચેનાં વિવાદોનો સુમેળપૂર્વક અંત લાવવાના પ્રયાસ રૂપે દંપતીને તથા એમનાં બંને સંતાનને પોતાની સમક્ષ હાજર થવાનું જણાવ્યું છે. ન્યાયમૂર્તિઓ – રેવતી મોહિતે ડેરે અને શર્મિલા દેશમુખની વિભાગીય બેન્ચે આ ચારેય જણને આવતી ત્રીજી એપ્રિલે હાજર થવા કહ્યું છે.

સિદ્દીકી દંપતીને 12 વર્ષની પુત્રી અને 7 વર્ષનો પુત્ર છે. આ બંને સંતાનને ક્યાં રાખ્યાં છે તે જણાવવાનો ઝૈનબને કોર્ટ આદેશ આપે એ માટે નવાઝુદ્દીને હેબિયસ કોર્પસ પીટિશન નોંધાવી છે. તેના પરની સુનાવણી કરતી વખતે બંને મહિલા જજે ઉપર મુજબ આદેશ આપ્યો હતો. એમણે કહ્યું છે કે નવાઝુદ્દીન, ઝૈનબ તથા એમનાં સંતાનોએ 3 એપ્રલે જજની ચેમ્બરમાં હાજર થવું, જે સુનાવણી બંધબારણે યોજવામાં આવશે.

નવાઝુદ્દીનનો દાવો છે કે એની પત્ની પોતાને જાણ કર્યા વગર બંને સંતાનને દુબઈથી ભારત લઈ આવી છે. એને કારણે સંતાનો શાળામાં હાજરી આપી શકતાં નથી પરિણામે એમનાં શિક્ષણને માઠી અસર પડી છે. બંને જજે સિદ્દીકીને કહ્યું છે, ‘અમને તમારા સંતાનો વિશે ચિંતા થાય છે… ચાલો, તમારી વચ્ચે કોઈક સુમેળભર્યું સમાધાન શોધી કાઢવાનો પ્રયાસ કરીએ.’

રાહુલ ગાંધીના સાંસદપદની અયોગ્યતા પર જર્મનીએ પ્રતિક્રિયા આપી

બ્રસેલ્સઃ સંસદથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અયોગ્યતા પર પ્રતિક્રિયા આપતાં જર્મનીએ કહ્યું હતું કે એણે આ મામલે ધ્યાન આપ્યું છે. જર્મની દ્વારા કહેવામાં આવ્યું છે કે એ આશા કરે છેક  ન્યાયિક સ્વતંત્રતા અને મૌલિક લોકતાંત્રિક સિદ્ધાંતોના માપદંડ લાગુ પડશે. આ મામલે જર્મનીની પ્રતિક્રિયા અમેરિકા દ્વારા અપનાવવામાં આવેલા વલણના થોડા દિવસો પછી આવી છે. અમેરિકા દ્વારા આ મામલે કહેવામાં આવ્યું હતું કે કાનૂનનું શાસન અને ન્યાયિક સ્વતંત્રતા માટે સન્માન કોઈ પણ લોકતંત્રની આધારશિલા છે.

જર્મન વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પત્રકારોને સંબોધવા દરમ્યાન રાહુલ ગાંધીથી જોડાયેલા વિવાદ પર નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમે ભારતીય વિપક્ષી નેતા રાહુલ ગાંધીની સામે પહેલાંના ઉદાહરણોની સાથે-સાથે તેમના સંસદીય જનાદેશને સસ્પેન્ડ પર ધ્યાન આપ્યું છે.

 

અમારી માહિતી અનુસાર રાહુલ ગાંધી નિર્ણયની સામે અપીલ કરવાની સ્થિતિમાં છે. એક અપીલ એ જણાવશે કે શુ નિર્ણય કાયમ છે અને સસ્પેન્શનનો આધાર શો છે? અમે અપેક્ષા કરીએ છીએ કે ન્યાયિક સ્વતંત્રતા અને લોકતાંત્રિક સિદ્ધાતોના માપદંડો લાગુ કરવામાં આવશે.

 

 

 

 

પ્રભુનાં અવતરણની દિવ્ય સ્મૃતિ…

આજે ગુરુવાર, 30 એપ્રિલ, 2023. આજનો દિવસ એટલે ચૈત્ર સુદી નવમીનો દિવસ. આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામે પોતાના પવિત્ર અવતરણની ધરા બનાવી અયોધ્યાનગરીને. એ જ રીતે પુરુષોત્તમ નારાયણ શ્રીસ્વામિનારાયણ ભગવાને પણ આ જ તિથિએ અયોધ્યા નજીક આવેલા છપૈયા ગામમાં જન્મ ધારણ કર્યો.

હિન્દુ સનાતન ધર્મની એક સૌથી મોટી વિશેષતા એ છે કે યદા યદા હી ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ્ અધર્મસ્ય તદાત્માનં…અર્થાત્ જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર ધર્મની ગ્લાનિ થાય છે, ત્યારે ત્યારે એકાંતિક ધર્મનું સ્થાપન કરવા માટે ભગવાન સ્વયં આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે છે. ભગવાન સ્વયં આપણા જેવા થઈને આપણી વચ્ચે પધારે ત્યારે જ આપણે તેમને ઓળખી શકીએ, દિવ્યભાવપૂર્વક તેઓની ભક્તિ કરી શકીએ.

ખળખળ વહેતી પવિત્ર નદી સરયુના તટે વસેલી નગરી અયોધ્યામાં ઈશ્વાકુ વંશના સમ્રાટ દશરથ અને કૌશલ્યાના પુત્ર રઘુકુલપતિ ભગવાન શ્રીરામ એટલે એક આદર્શ ચરિત્ર. વાલ્મીકિ રામાયણ, ઉત્તરરામચરિત, રામચરિતમાનસ જેવા ગ્રંથોએ ભગવાન શ્રીરામની કૃપાળુતા, શરણાગત વત્સલતા, પ્રજાવત્સલતા, ધર્મવીરતા, તેમનું ઉદાર ચરિત્ર, વગેરે અનેક અવતારલીલાની કંઈકેટલીયે ગાથાઓ ગાઈ છે, પરંતુ ભારતીય અને વૈશ્વિક ઈતિહાસના આ મહાન અવતારી પુરુષ માટે કેટલાક લોકોને હજીયે શંકા રહેતી હોય છે કે, શું ભગવાન શ્રીરામ એક વાસ્તવિક ઈતિહાસ છે? કે માત્ર કલ્પનાકથા-દંતકથાનું પાત્ર? શું રામ ખરેખર જન્મ્યા હતા? શું રામ અયોધ્યામાં જ જન્મ્યા હતા? આવા તથ્યહીન સવાલો સાથે ભારતીય પૌરાણિક ઈતિહાસને માઇથોલૉજી કહીને હિન્દુ ધર્મના ઈતિહાસને મરોડવાનો પ્રયાસ કરનારા શ્રીરામને કાલ્પનિક પાત્ર દર્શાવીને નવી પેઢીને શ્રદ્ધાથી વિમુખ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ નવાં સંસાધન-ટેક્નોલોજીએ વાતને નવો વળાંક આપ્યો છે.

ભગવાન શ્રીરામનો જન્મ એક ઐતિહાસિક અને વાસ્તવિક સત્ય છે એ વાત હવે આધુનિક સંશોધનો દ્વારા સિદ્ધ થઈ ચૂકી છે. પુણે સ્થિત પ્રખર સંશોધક ડૉ. પ્રભાકર વિશ્ર્ણુ (પી. વી.) વર્તકે રામાયણમાં આપેલાં ગ્રહ-નક્ષત્ર, વગેરેના ઉલ્લેખના આધારે શ્રીરામના જીવનના મુખ્ય પ્રસંગોનો સમય નિશ્ચિત કર્યો છે. 2019માં જેમનું 86 વર્ષની વયે નિધન થયું એ ડૉ. વર્તકના ‘વાસ્તવ રામાયણ’ અને ‘સાયન્ટિફિક ડેટિંગ ઈન મહાભારત વૉર’ જેવા સંશોધનાત્મક ગ્રંથ ખૂબ વંચાયા છે. અને ડૉ. પી. વી. વર્તક જ નહીં, બીજા અનેક વિદ્વાનોએ પણ આર્કિયો-એસ્ટ્રોનોમીના આધારે તથ્યો રજૂ કરીને શ્રીરામને એક વાસ્તવિક ઈતિહાસ તરીકે દર્શાવ્યા છે.

ભગવાન શ્રીસ્વામિનારાયણનો જન્મ સામવેદી બ્રાહ્મણકુળમાં ધર્મદેવ અને ભક્તિદેવી થકી વિ. સં. ૧૮૩૭ની ચૈત્ર સુદ નવમી, ૩ એપ્રિલ ઈ.સ.૧૭૮૧ના રોજ ઘનશ્યામ સ્વરૂપે થયો. ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા ત્યારે સર્વત્ર આધ્યાત્મિક, રાજનૈતિક, સામાજિક આદિ સર્વ ક્ષેત્રે અંધકાર હતો. એ અંધકારમય વિશ્વને ઉજાસથી ભરી દઈને આત્યંતિક કલ્યાણની અવિરત ધારા વહાવવાનું અજોડ કાર્ય ભગવાન સ્વામિનારાયણે કર્યું. તેઓનાં દિવ્ય પ્રદાનને બ્રિટિશ ઈતિહાસકારોથી માંડીને આધુનિક લેખકો સુધી અનેક લોકોએ પોતાની પહોંચ પ્રમાણે બિરદાવ્યાં છે.

ભગવાન સ્વામિનારાયણનું જીવન અને કાર્ય નિહાળતાં આપણને ચોક્કસ અહોભાવ જન્મે છે, કારણ કે ભગવાન શ્રીસ્વામિનારાયણે વૈદિક તત્ત્વજ્ઞાનને સામાન્ય જનસમુદાય સુધી પહોંચાડ્યું, દલિતોના ઉદ્ધારની સર્વપ્રથમ જ્યોત પ્રગટાવી, સ્ત્રીઓના ઉત્કર્ષ દ્વારા તેમના શીલ અને ગૌરવને પુનઃ સ્થાપિત કર્યું. મંત્ર-તંત્ર અને અંધશ્રદ્ધા-વહેમના જાળામાંથી સમાજને મુક્ત કર્યો, ગુર્જર અને સંસ્કૃત સાહિત્યના નવસર્જનનો નવ્યયુગ પ્રવર્તાવ્યો, ધર્મયુક્ત ભક્તિની શુદ્ધ પરંપરાની સ્થાપના કરી, તહેવારો-ઉત્સવોમાં પ્રવેશેલી બદીઓને તેઓએ દૂર કરી, ગુણાતીત સંત દ્વારા મોક્ષની વૈદિક વિભાવનાને સાકાર કરી, મંદિરો અને પ્રાચીન સ્થાપત્યની પવિત્ર પરંપરાનો પુનરોદય કર્યો, સમાજમાં રહીને ત્યાગ નિભાવનારા સેવાશીલ આદર્શ સંતોની ભેટ આપી.

આ લખાઈ રહ્યું છે ત્યારે સમાચાર આવે છે કે શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં રામમંદિરનું નિર્માણકાર્ય પૂરઝડપે ચાલી રહ્યું છે, 70 ટકા કામ પૂરું થઈ ગયું છે અને 2024ના જાન્યુઆરીમાં ભગવાન શ્રીરામની મૂર્તિની સ્થાપના થશે.

તો ચાલો, આજના રામનવમીના પર્વે, આવા અવતારી મહાપુરુષોમાં શ્રદ્ધા ધરાવીએ, એમને આપણા આદર્શ બનાવીએ અને તેમના શ્રીચરણોમાં યથાર્થ અંજલિ અર્પીએ.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

ચિત્રલેખા’નો ૭૨ વાર્ષિક ડિજિટલ અંક

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.
This post is only available to members.

કોરાનાના 3016 નવા કેસો, 14નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 2148 નવા કેસ નોંધાયા છે, જે છેલ્લા 24 કલાકની તુલનાએ  40 ટકા સૌથી વધુ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે 14 જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.65 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,47,12,692 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,30,862 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,41,68,321 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 1346 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 13,509એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.03 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.78 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 1,10,522 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 92.13 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 2.7 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 1.71 ટકા છે.

દેશમાં 220.65 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,65,92,481 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 15,784 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

H-1B વિઝાધારકોનાં જીવનસાથીઓ અમેરિકામાં નોકરી કરી શકેઃ જજનો ફેંસલો

વોશિંગ્ટનઃ અમેરિકામાં એક ન્યાયાધીશે ચુકાદો આપ્યો છે કે એચ-1બી વિઝાધારકોનાં જીવનસાથીઓ અમેરિકામાં નોકરી-કામકાજ કરી શકે છે. તેમના આ નિર્ણયને લીધે અમેરિકાના ટેક્નોલોજી ક્ષેત્રમાં વિદેશી કામદારોને મોટી રાહત થશે, જેઓ અમેરિકામાં ગુજરાન ચલાવવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં ગુજરાતીઓ સહિત ભારતીયો ખાસ્સી એવી મોટી સંખ્યામાં રહે છે.

આ કેસ ‘સેવ જોબ્સ યૂએસએ’ નામની સંસ્થાએ કર્યો હતો. તેણે કોર્ટમાં એવી માગણી કરી હતી કે એચ-1બી વિઝાધારકોની અમુક કેટેગરીઓનાં જીવનસાથીઓને અમેરિકામાં નોકરી કરવાની સત્તા આપતા ભૂતકાળની ઓબામા સરકારના નિયમને તે રદબાતલ કરે. પરંતુ, ડિસ્ટ્રીક્ટ જજ તાન્યા ચટકને આ પીટિશનને ફગાવી દીધી છે.

એચ-1બી વિઝા એક પ્રકારના નોન-ઈમિગ્રન્ટ વિઝા છે, જે અંતર્ગત સૈદ્ધાંતિક અથવા ટેક્નિકલ વિશેષજ્ઞતાની આવશ્યક્તા હોય એવા પદ પર વિદેશી કર્મચારીઓને નિયુક્ત કરવાની અમેરિકાની કંપનીઓને છૂટ આપવામાં આવી છે. ટેક્નોલોજી ક્ષેત્રની કંપનીઓને દર વર્ષે ભારત અને ચીન જેવા દેશોમાંથી હજારો કર્મચારીઓને નોકરીએ રાખવા માટે આ કાયદાકીય રાહતનો સહારો લેવો પડતો હોય છે.