Home Blog Page 2637

ભાઈ, અહીં- આ બમ્પનો કોઈ અર્થ નથી

અમદાવાદઃ શહેરના પશ્ચિમ વિસ્તારમાં પ્રભાત ચોક, રન્નાપાર્કથી ચાણક્યપુરી તરફ જતા ઓવરબ્રિજની નીચે આવેલી મહાનગરપાલિકાની ઓફિસ પહેલાં ઈજનેરોએ નવતર પ્રયોગ કરી પ્લાસ્ટિક રબરના બમ્પ સાથે ટાયર ફાડી નાખે એવા બમ્પ લગાડ્યા. જેથી રોંગ સાઇડમાં વાહનો અવરજવર ના કરે અને ટ્રાફિક નિયમન વ્યવસ્થિત થાય.

ઓવરબ્રિજના છેડે જ લગાડેલા ખીલાવાળા બમ્પના આ પ્રયોગને નિહાળવા પોલીસ, મનપા અને મિડિયાની સાથે લોકોનાં ટોળાં પણ ઊમટી પડ્યાં હતાં. ટ્રાફિક પોલીસની હાજરી હોવા છતાં કેટલાક વાહનચાલકોએ બિનધાસ્ત આ બમ્પ કુદાવવા, રોંગ સાઇડ જવા પ્રયાસ કર્યો, કેટલાક સફળ રહ્યા તો કેટલાકનાં ટાયર ફાટ્યાં.

આ માર્ગની વ્યવસ્થામાં સંકળાયેલા પોલીસ કર્મચારીઓ જ ખુદ બોલી ઊઠ્યા કે આ ખોટી જગ્યાએ લગાડેલા બમ્પનો કોઈ જ અર્થ નથી. લોકો ફરીને રોંગ સાઇડમાં ઘૂસી જાય છે. લોકો રોંગ સાઇડમાં ના ઘૂસે એ માટે ટાયર ફાડી નાખે એવા બમ્પ કરતાં સ્વયંભૂ ટ્રાફિક સેન્સ કેળવાય એ સારું ..!

(પ્રજ્ઞેશ વ્યાસ)

‘રોકી ઔર રાની કી પ્રેમકહાની’નો યશસ્વી કાર્યક્રમ…

ગયા મહિને રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમકહાની’એ બોક્સ ઓફિસ પર મેળવેલી સફળતાથી ખુશ થઈને નિર્માતાઓએ 3 ઓગસ્ટ, ગુરુવારે મુંબઈમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેમાં મીડિયાકર્મીઓ અને ફિલ્મના મુખ્ય કલાકારો – રણવીરસિંહ, આલિયા ભટ્ટ, ધર્મેન્દ્ર અને નિર્માતા-દિગ્દર્શક કરણ જોહર પણ ઉપસ્થિત રહ્યાં હતાં. (તસવીર અને વિડિયોઃ માનસ સોમપુરા)

અમદાવાદ આશાવલ ના પૂર્વ શાસક આશા ભીલની પ્રતિમા તૈયાર

ગુજરાત રાજ્ય નું અમદાવાદ શહેર તમામ ક્ષેત્ર માં ધમધમતું છે. જેનો વિકાસ પણ ચારેકોર થતો જાય છે. ઈતિહાસ પ્રમાણે અમદાવાદ નું એક નામ આશાવલ છે.

જૂના ઈતિહાસ, પુરાતત્વ વિભાગે સૂચવેલ વિસ્તારોમાં અમદાવાદ નો સાબરમતી નદી ની પૂર્વ તરફનો ભાગ આશાવલ હતો. આ આશાવલના ભીલ સરદાર આશા ભીલ હતા. જેમની યાદ માં અમદાવાદ ભીલ પંચ દ્વારા એક મૂર્તિ ખાનપુર વિસ્તારમાં ભીલવાસ પાસે મુકવામાં આવી છે.

ભીલવાસના અગ્રણી નિતીનભાઈ ચિત્રલેખા. કોમને કહે છે ભીલ સમાજનો ઈતિહાસ ભવ્ય છે. ભીલ સમાજના ઘણાં મહાનુભાવો એ જૂના સમય માં ભગવાન રામ થી બીજા રાજાઓ અને પ્રજાને સહયોગ આપ્યો હતો. દેશભક્તિ માટે પોતાના બલિદાન પણ આપ્યા છે. ભારતમાં બીરસા મુંડા સહિત અનેક લોકો ની પ્રતિમાઓ છે. એ વાત ને ધ્યાન પર લઈ અમદાવાદ ભીલ પંચ દ્વારા આશા ભીલ ની પ્રતિમા ખાનપુર માં મુકવામાં આવી છે.

‘ ગુડિયો ગઢ ગિરનાર સે હુયો ભાગ તીન,
એક શિવ દુજી શક્તિ તીજો ભોમધણી ભીલ.’

(પ્રજ્ઞેશ વ્યાસ)

સાબુદાણાની કટલેસ

સાબુદાણા વડા સાંભળીને સહુ કોઈના મોંઢામાં પાણી આવી જાય! સાબુદાણાની કટલેસ પણ સ્વાદમાં સાબુદાણા વડા જેવી જ સ્વાદિષ્ટ બને છે! આ કટલેસ ઓછા તેલમાં શેલો ફ્રાય કરી શકાય છે.

સામગ્રીઃ 

  • બાફેલા બટાકા  ૪ નંગ
  • સાબુદાણા 1½ કપ
  • રાજગરાનો લોટ 3 ટે.સ્પૂન
  • આદુ-મરચાં પેસ્ટ 2 ટે.સ્પૂન
  • કોપરાનું ખમણ 2 ટે.સ્પૂન
  • શેકેલા શીંગદાણા 4 ટે.સ્પૂન
  • બુરું ખાંડ
  • લીંબુનો રસ 1 ટી.સ્પૂન
  • સિંધવ મીઠું સ્વાદ મુજબ
  • ધોઈને સમારેલી કોથમીર

રીત: સાબુદાણાને 15-20 મિનિટ પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ પાણી નિતારી નાખો. શેકેલા શીંગદાણાનો ભૂકો કરી લો. બાફેલા બટાકાનો માવો લઇ તેમાં શીંગદાણાનો ભૂકો તેમજ પલાળેલા સાબુદાણા મેળવો. હવે તેમાં કોપરાનું ખમણ, આદુ-મરચાં પેસ્ટ, કોથમીર, લીંબુનો રસ મેળવી દો.

કટલેસ બનાવવના બીબાંમાં કટલેસનું પૂરણ ભરીને કટલેસ બનાવીને કાઢો. ત્યારબાદ તેને રાજગરાના લોટમાં રગદોળીને શેલો ફ્રાય કરી લો.

આ કટલેસ કોથમીર, શીંગદાણા, આદુ-મરચાં તેમજ સિંધવ મીઠું નાખીને બનાવેલી લીલી ચટણી સાથે પીરસવી.

ટામેટાં ફરી એક વાર ‘લાલ’ઘૂમ: કિલોદીઠ રૂ. 259એ પહોંચ્યા

નવી દિલ્હીઃ ટામેટાંની કિંમતો ફરી એક વાર વધી ગઈ છે. દિલ્હીમાં ટામેટાંની કિંમતો ફરી એક વાર આકાશને આંબી રહી છે. મધર ડેરીએ પોતાની સફલ દુકાનો પર ટામેટાં પ્રતિ કિલો રૂ. 259એ વેચ્ચા છે. ટામેટાંના મુખ્ય ઉત્પાદક ક્ષેત્રોમાં ભારે વરસાદને કારણે સપ્લાય ચેઇન ખોરવાવાને કારણે એની કિંમતો એક મહિનાથી વધુ સમયથી વધેલી છે. કેન્દ્ર સરકારે સ્થિતિને જોતાં 14 જુલાઈથી રાહત દરે ટામેટાંનું વેચાણ શરૂ કર્યું છે. જેથી દિલ્હીમાં એની કિંમતો ઓછી થવા લાગી હતી, પણ ઓછા પુરવઠો પૂરો પડવાને કારણે ને માગ વધુ હોવાથી કિંમતોમાં ફરી એક વાર વધારો થયો છે.

ઉપભોક્તા મામલાના મંત્રાલયના આંકડા અનુસાર બુધવારે ટામેટાંની રિટેલ કિંમત કિલોદીઠ રૂ. 203એ પહોંચી છે, જ્યારે મધર ડેરીની સફળ રિટેલ દુકાનોમાં એની કિંમતો પ્રતિ કિલો રૂ. 259એ પહોંચી છે.  ડેરીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે હવામાન ખરાબ થવાને કારણે છેલ્લા બે મહિનામાં દેશમાં ટામેટાંની પુરવઠા સાંકળ ખોરવાઈ છે. છેલ્લા બે દિવસોમાં આઝાદપુર મંડીમાં ટામેટાંની આવક ઘણી ઓછી થઈ છે. ઓછા પુરવઠાને કારણે જથ્થાબંધ કિંમતો ઝડપથી વધી છે, જેની અસર રિટેલ કિંમતો પર પણ પડી છે.

એશિયાની સૌથી મોટી ફળ અને શાકભાજીની મંડી આઝાદપુરમાં ટામેટાંની જથ્થાબંધ કિંમતો ગુણવત્તાને આધારે પ્રતિ કિલોગ્રામ રૂ. 170-200એ પહોંચી છે. આઝાદપુર ટામેટાં એસોસિયેશનના અધ્યક્ષ અશોક કૌશિકે કહ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસમાં ટામેટાંની આવકમાં ઘટાડો થયો છે.

 

 

સાનિયા મિર્ઝા અને શોએબ મલિક વચ્ચે છૂટાછેડાની અટકળોએ જોર પકડ્યું

ભારતની સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા અને તેના પતિ પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શોએબ મલિક વચ્ચે ઘણા સમયથી અલગ થવાના સમાચારો આવી રહ્યા છે. જો કે થોડા દિવસ પહેલા બંનેએ આ વાતને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે બંને એકબીજાથી ખુશ છે. હવે ફરી બંનેના છૂટાછેડાની અટકળોએ જોર પકડ્યું છે. સાનિયા અને શોએબ ફરી એકવાર ચર્ચામાં છે. બંનેને એક પુત્ર પણ છે જેનું નામ ઇઝાન મિર્ઝા છે.

તાજેતરની એક ઘટનાએ સાનિયા અને શોએબ વચ્ચે છૂટાછેડાની અટકળોને વેગ આપ્યો છે. શોએબે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી એક માહિતી હટાવી દીધી છે. અગાઉ, શોએબે તેના ઇન્સ્ટાગ્રામ બાયોમાં લખ્યું હતું – એથ્લેટ અને સુપરવુમન સાનિયા મિર્ઝાનો પતિ. શોએબે હવે આ માહિતી તેના ઈન્સ્ટાગ્રામ બાયોમાંથી હટાવી દીધી છે. હવે તેના ઈન્સ્ટાગ્રામ બાયોમાં લખ્યું છે- પ્રો એથલીટ અને લાઈવ અનબ્રોકન એટલે કે પીડા વિના જીવો. ચાહકો હવે અનુમાન લગાવી રહ્યા છે કે સાનિયા અને શોએબ ટૂંક સમયમાં અલગ થઈ શકે છે.

આ પહેલા નવેમ્બર 2022માં બંનેના અલગ થવાના સમાચાર આવ્યા હતા. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે શોએબે સાનિયા સાથે છેતરપિંડી કરી છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે શોએબનું અફેર પાકિસ્તાની અભિનેત્રી આયેશા ઉમર સાથે ચાલી રહ્યું છે. જોકે બાદમાં બંનેએ તેને માત્ર અફવા ગણાવી હતી. આ પહેલા નવેમ્બર 2022માં બંનેના અલગ થવાના સમાચાર આવ્યા હતા. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે શોએબે સાનિયા સાથે છેતરપિંડી કરી છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે શોએબનું અફેર પાકિસ્તાની અભિનેત્રી આયેશા ઉમર સાથે ચાલી રહ્યું છે. જોકે બાદમાં બંનેએ તેને માત્ર અફવા ગણાવી હતી.

શોએબ અને સાનિયાની લવસ્ટોરી રસપ્રદ હતી. 2009થી બંને વચ્ચે નિકટતા વધવા લાગી. આ પછી બંનેએ 2010માં લગ્ન કરી લીધા. આ લગ્ન હૈદરાબાદમાં જ થયા હતા. 2018માં સાનિયા અને શોએબ પેરેન્ટ્સ બન્યા હતા. બંને છેલ્લા 13 વર્ષથી સાથે છે. બંનેને ચાર વર્ષનો પુત્ર ઇઝાન મિર્ઝા મલિક પણ છે, જેનો જન્મ 30 ઓક્ટોબર, 2018ના રોજ થયો હતો. શોએબે સાનિયા પહેલા હૈદરાબાદમાં આયેશા સિદ્દીકી સાથે લગ્ન કર્યા હતા.

ગુજરાત રેડ ક્રૉસને સૌથી વધુ બ્લડ કલેક્શન કરવા માટે મળ્યો નેશનલ એવોર્ડ

ઇન્ડિયન રેડ ક્રૉસ સોસાયટી, ગુજરાત રાજ્ય શાખાએ દેશમાં સૌથી વધારે સ્વેચ્છિક રક્તદાન એકત્રિત કરવા બદલ શિલ્ડ મેળવ્યુ છે.

17 જલાઇ 2023ના દિવસે રાષ્ટ્પતિ  ભવન, નવી દિલ્હી ખાતે આયોજિત દેશના રાષ્ટ્રપતિ અને ઇન્ડિયને રેડ ક્રૉસ સોસાયટીની વાર્ષિક સામાન્ય સભામાં ભારતના રાષ્ટ્રપતિ અને ઇન્ડિયન રેડ ક્રૉસ સોસાયટીના પ્રમુખ દ્રૌપદી મુર્મૂના હસ્તે ભારતના કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને ઇન્ડિયન રેડ ક્રૉસ સોસાયટીના ચેરમેન મનસુખભાઇ માંડવિયાની ઉપસ્થિતિમાં બ્લડ ડૉનેશન શિલ્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

ઇન્ડિયન રેડ ક્રૉસ સોસાયટી, ગુજરાત રાજ્ય શાખા વતી ગુજરાત રેડ ક્રૉસના વાઇસ ચેરમેન અજયભાઇ દેસાઇ દ્વારા આ શિલ્ડ સ્વીકારવામાં આવ્યો હતો. ગુરજરાત રેડ ક્રૉસના ચેરમેન અજયભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, ગુજરાત રેડ ક્રૉસે સ્વૈચ્છિક બ્લડ ડૉનેશન સેવાઓમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી છે, અને અન્ય તમામ રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યુ છે. ગુજરાતના રક્ત દાતાઓએ બ્લડ ડૉનેશન ઝૂંબેશમાં જે સાથ અને સહકાર આપ્યો છે તે અભૂતપૂર્વ છે તેઓના ગુજરાત રેડ ક્રૉસ વતી હુ હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરું છુ. આવનારા દિવસોમાં ગુજરાત રેડ ક્રૉસ બ્લડ ડૉનેશન ક્ષેત્રે અને સાથો સાથે અન્ય સેવાકીય ક્ષેત્રોમા હજુ વધારે સારી કામગીરી કરશે.

ગોવિંદા હિંદુઓ પર ટ્વિટ કરીને બરોબરના ભરાયા, ડિલીટ કરવું પડ્યું એકાઉન્ટ

આ દિવસોમાં હરિયાણા રમખાણોથી ઝઝૂમી રહ્યું છે, જેના પર ઘણા કલાકારો તેને ખતમ કરવા અંગે ટ્વિટ કરી રહ્યા છે. આ યાદીમાં ગોવિંદાનું નામ પણ સામેલ છે. ગોવિંદાએ મુસ્લિમોની દુકાન સળગાવવા બદલ હિંદુઓ પર આકરા પ્રહારો કર્યા હતા, જેના પછી તરત જ ટ્વિટર પર ટ્રોલ થવાનું શરૂ થયું હતું. ગોવિંદા પર આની મોટી અસર થઈ, અભિનેતાએ તરત જ તેના ટ્વિટર હેન્ડલનું નામ બદલી નાખ્યું, જ્યારે આની વધુ અસર ન થઈ, ત્યારે તેણે પોતાનું ટ્વિટ ડિલીટ કરી દીધું અને હેન્ડલનું નામ પણ બદલી નાખ્યું, પરંતુ ત્યાં સુધી તેના ટ્વિટનો સ્ક્રીનશોટ વાયરલ થઈ ગયો. ચૂકવ્યા હતા આવી સ્થિતિમાં તેણે એક વીડિયો પોસ્ટ કરીને જાણકારી આપી કે તેનું ટ્વિટર એકાઉન્ટ હેક થઈ ગયું છે. હવે તેણે પોતાની પોસ્ટ પણ ડિલીટ કરી દીધી છે.

શું હતું ટ્વિટ?

હરિયાણામાં ચાલી રહેલા રમખાણો વિશે સેલેબ્સ ટ્વીટ કરી રહ્યા છે, તેથી જ્યારે ગોવિંદાએ લોકોને સમજાવવા માટે હિંદુઓ વિશે ટ્વિટ કર્યું ત્યારે તે ટ્રોલિંગનો શિકાર બન્યો. આ ટ્વીટમાં એક વીડિયો શેર કરતા તેણે લખ્યું, “આપણે ક્યાં પહોંચી ગયા છીએ? જેઓ પોતાને હિંદુ કહે છે અને આવા કૃત્યો કરે છે તેમને શરમ આવે છે. શાંતિ અને શાંતિ બનાવો. આપણે લોકશાહી છીએ, આપખુદશાહી નથી.”!

 

 

View this post on Instagram

 

A post shared by Govinda (@govinda_herono1)

વીડિયો શેર કરીને આ વાત કહી

જોકે ગોવિંદા સોશિયલ મીડિયાથી અંતર રાખે છે, પરંતુ કેટલીકવાર તે આ ચર્ચાઓનો ભાગ બની જાય છે. આવી સ્થિતિમાં જ્યારે તેને આ માટે ટ્રોલ કરવામાં આવ્યો ત્યારે તે નર્વસ થઈ ગઈ. આ પછી તેણે પોતાનો એક વીડિયો શેર કરતા કહ્યું કે તેનું એકાઉન્ટ હેક થઈ ગયું છે. તેણે આ વીડિયોમાં કહ્યું છે કે, “કૃપા કરીને હરિયાણાની ટ્વીટને મારી સાથે લિંક કરશો નહીં. કારણ કે મેં આ કર્યું નથી. કોઈએ મારું એકાઉન્ટ હેક કર્યું છે. હું આ અંગે સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી રહ્યો છું. હું આ મામલાની તપાસ કરીશ. હરિયાણાને હું ઈચ્છું છું. મારા બધા ચાહકો, મિત્રો અને ચાહકોને જણાવવા માટે કે આ ટ્વિટર કોઈએ હેક કર્યું છે. હું વર્ષોથી તેનો ઉપયોગ નથી કરતો. હું તેનો ક્યાં ઉપયોગ કરું છું. મારી ટીમ પણ આ બાબતથી વાકેફ છે. તે ના પાડી રહી છે. તે લોકો એવા નથી. કે તેઓ મને પૂછ્યા વગર ટ્વીટ કરશે.હું આ મામલો સાયબર ક્રાઈમને સોંપી રહ્યો છું, તેઓ આ મામલે વધુ તપાસ કરશે.આપ સૌને ખૂબ પ્રેમ.

 

સાયન્સ સિટીમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટીમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

SAC- ISRO અને  ગુજકોસ્ટના સંયુક્ત ઉપક્રમે ‘WASTE TO WEALTH’ વિષય પર આયોજિત આ કાર્યક્રમમાં બે દિવસ માટે કલરિંગ, ડ્રોઈંગ, પેઈન્ટિંગ, મોડેલ મેકિંગ અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું. જેમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

કાર્યક્રમના ઉદ્ઘટાન સમારંભમાં ઈસરોના ગ્રૂપ ડાયરેક્ટર ડો. ડી. રામ રજક, સીનિયર સાયન્ટિસ્ટ ડો. રવિકુમાર વર્મા અને રીચા શ્રીવાસ્તવ, ગુજકોસ્ટના સાયન્ટિફિક ઓફિસર પાવિત શાહ અને સાયન્સ સિટીના જનરલ મેનેજર ડો. વ્રજેશ પરીખ ઉપસ્થિત રહ્યા. ઉપસ્થિત મહાનુભાવોએ વેસ્ટમાંથી વેલ્થ કેવી રીતે બનાવી શકાય તે અંગે બાળકોને માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત બાળકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા તેમજ ઓછામા ઓછું વેસ્ટ થાય તે અંગે સમજાવવામાં આવ્યું હતું.

ત્રણ અલગ અલગ કેટેગરીમાં કલરિંગ અને ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ કેટેગરીમાં ધોરણ-1થી 3ના વિદ્યાર્થીઓ માટે, બીજી કેટેગરીમાં ધોરણ-4થી ધોરણ-6ના વિદ્યાર્થીઓ માટે કલરિંગ કોમ્પિટિશન તથા ત્રીજી કેટેગરીમાં ધોરણ-7 અને 8ના વિદ્યાર્થીઓ માટે ડ્રોઈંગ, પેઈન્ટિંગ અને વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી.

ગુજરાત સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જે.બી. વદર, ગુજકોસ્ટના સલાહકાર નરોત્તમ સાહુ, ઈસરોના ડાયરેક્ટર નીલેશ દેસાઈ સહિતના મહાનુભાવોએ પ્રથમ ત્રણ નંબરે વિજેતા  થયેલા બાળકોને પુરસ્કાર તેમજ સ્પર્ધામાં સહભાગી થનારા દરેક બાળકોને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા. સાથે સાથે પ્રથમ નંબરે આવનારા વિદ્યાર્થીઓને ભેટસ્વરૂપે ટેલિસ્કોપ પણ આપવામાં આવ્યા હતા.

હેલને ક્યારેય પરિવારને અલગ કર્યો નથીઃ અરબાઝ ખાન

મુંબઈઃ બોલીવૂડનો ખાન પરિવાર ફિલ્મ ‘હમ સાથ-સાથ હૈ’ની જેમ છે. ભલે સલીમ ખાનની બે પત્નીઓ હોય, તેમ છતાં તેમના ઘરમાં બહુ પ્રેમ અને સ્નેહ છે. દરેક તહેવારમાં આ પરિવાર એકસાથે નજરે ચઢે છે. આ બોલીવૂડનો એક એવો પરિવાર છે, જ્યાં બે પત્નીઓની એકસાથે હોવા છતાં વિના કંકાસ હળીમળી રહે છે. આવામાં સલીમ ખાનના પુત્ર અરબાઝ ખાને એની બીજી માતા હેલેનની સાથે પોતાના સંબંધોને લઈને ખુલાસો કર્યો હતો.

અરબાઝે કહ્યું હતું કે મારા પિતાએ ક્યારેય પણ હેલેન આંટીને અમારી પર થોપી નથી. તેઓ જાણે છે કે તેમનાં બાળકો માટે તેમની માતા કેટલી જરૂરી છે. મારી જિંદગીમાં એક વધુ ઔરત છે, પણ એ તેની જગ્યાએ છે. હેલેન આંટીએ પણ ક્યારેય પરિવારને અલગ કરવાના પ્રયાસ નથી. તેઓ બસ એ વાતથી ખુશ હતાં કે તેમના જીવનમાં કોઈક હતી, તેઓ જાણતાં હતાં કે તેમનો પોતાનો પરિવાર, પત્ની બાળકો છે અને તેઓ એમાં દખલ નહીં કરે.

તેણે કહ્યું હતું કે મારી માતા સાથે એ સમય મુશ્કેલ હતો, એ કોઈ પણ કારણ હોય, પરંતુ તેમણે સંભાળી લીધું. તેઓ બાળકો અને પરિસ્થિતિ સાથે સમજૂતી કરીને તેમણે નક્કી કર્યું હતું કે મારે આ વ્યક્તિ સાથે જ રહેવું છે. તેઓ મુશ્કેલીના દોરમાંથી પસાર થયા છે, અમે પણ અમારાં બાળપણના દિવસોમાં એ બધું જોયું છે, પણ એ સમય વીતી ગયો છે.

સલીમ ખા અને સલમાનાં ચાર બાળકો છે- સલમાન ખાન, અરબાઝ ખાન, સોહેલ ખાન અને પુત્રી અલવીરા અગ્નિહોત્રી. સલીમ અને હેલનનાં કોઈ બાળકો નથી, પરંતુ તેમણે અર્પિતાને દત્તક લીધી છે. પરિવાર બર્થડે પર કે તહેવારો એક સાથે ઊજવે છે.