Home Blog Page 2644

દિવાળીઃ 62 ટકા કોર્પોરેટ કર્મચારીઓને પગારવધારો મળ્યો

નવી દિલ્હીઃ નોકરીની અનિશ્ચિતતાની વચ્ચે વર્ષ 2023 કર્મચારીઓ માટે આશા વધારનારું વર્ષ છે. અનેક વર્ષોનો અનુભવ અને કેટલીય ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરી ચૂકેલા આશરે 62 ટકા કર્મચારીઓની સેલરીમાં આ વર્ષે વધારો કરવામાં આવ્યો છે, એમ એપ્રાઇઝલ ટ્રેન્ડ રિપોર્ટ કહે છે.

અહેવાલ કહે છે કે બિન મેટ્રો શહેરોમાં કમસે કમ 13 ટકા પ્રોફેશનલ્સને 20 ટકાથી વધુનો વધારો મળ્યો છે. મેટ્રો શહેરોમાં 11 ટકા પ્રોફેશનલ્સના પગારમાં વધારો કરવામાં આવ્યો છે. આ ડેટા બિન મેટ્રો વિસ્તારમાં ટેલેન્ટની વધતી તકો તરફ ઇશારો કરે છે. એસોસિયેટ સ્તરના પ્રોફેશનલ્સ (4-6 વર્ષ)ની આ વર્ષે વધુ સેલરી વધી છે. જોકે એન્ટ્રી લેવલના અડધાથી વધુ કર્મચારીઓની સેલરીમાં થોડોક પણ વધારો નથી થયો. 17 ટકા કર્મચારીઓને 5-10 ટકા વધારો મળ્યો છે અને 15 ટકાને 10-15 ટકા પગારવધારો મળ્યો છે. મિડ-સિનિયર સ્તરના 23 ટકા કર્મચારીઓ (7-10 વર્ષના અનુભવી)ને 5-10 ટકાની રેન્જમાં એપ્રેઝલ મળ્યું છે. લીડરશિપ પોઝિશન એટલે કે ઉચ્ચ સ્તરે કાર્યરત આશરે 19 ટકા અધિકારીઓ (16 વર્ષથી વધુ અનુભવ)ને 5-10 ટકાનો પગારવધારો મળ્યો છે.

સૌથી વધુ મધ્યમ સ્તરના એટલે મધ્ય હરોળના કર્મચારીઓને 13 ટકાને 20 ટકા સુધીને વધારો મળ્યો છે. ફાઉન્ડિટના CEO શેખર ગરિસાએ કહ્યું હતું કે બિન મેટ્રો શહેરોમાં કર્મચારીઓની સેલરીમાં ઉત્સાહજનક પગારવધારો જોવા મળ્યો છે. આજે વર્કપ્લેસ કલ્ચર, સ્કિલિંગ તક, અને ટીમ લીડિંગની તક કર્મચારીના મનોબળ પર વધુ અસર કરે છે. હેલ્થકેર અને BPO-ITES ક્ષેત્રએ આ વર્ષે 90 ટકાથી વધુ કર્મચારીઓની સેલરી વધારવાની રજૂઆત કરી છે.

 

 

 

‘…આખા દેશમાં નફરતનું કેરોસીન ફેલાવી દીધું છે’ : રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે જયપુર-મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસમાં ગોળીબાર અને હરિયાણામાં નૂહ હિંસા પર ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે મંગળવારે કહ્યું હતું કે, ભાજપ, મીડિયા અને તેમની સાથે ઉભેલા દળોએ સમગ્ર દેશમાં નફરતનું કેરોસીન ફેલાવ્યું છે. ઘટનાઓનો ઉલ્લેખ કર્યા વિના કોંગ્રેસ નેતાએ કહ્યું કે દેશમાં આ આગ માત્ર પ્રેમ જ ઓલવી શકે છે. સોમવારે હરિયાણાના નૂહ જિલ્લામાં ધાર્મિક સરઘસ દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. આ પછી હિંસા શરૂ થઈ. આ હિંસામાં પાંચ લોકોના મોત થયા છે. નૂહ જિલ્લામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. હરિયાણાના ગૃહ પ્રધાન અનિલ વિજે આરોપ લગાવ્યો હતો કે હિંસા ષડયંત્ર હેઠળ કરવામાં આવી હતી. પોલીસે કહ્યું કે નૂહથી ફાટી નીકળેલી હિંસા ગુરુગ્રામમાં પણ ફેલાઈ ગઈ હતી.

નૂહમાં હિંસા દરમિયાન ઘાયલ થયેલા 23 લોકોમાં 10 પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. પોલીસે રમખાણોના સંબંધમાં જિલ્લામાં 11 FIR નોંધી છે અને 27 લોકોની અટકાયત કરી છે. જિલ્લામાં હિંસા દરમિયાન ઓછામાં ઓછા 120 વાહનોને નુકસાન થયું હતું. જેમાંથી પોલીસકર્મીઓના આઠ વાહનો સહિત 50 વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી.

જયપુર-મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસમાં ફાયરિંગનો મામલો

બીજી તરફ, રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના કોન્સ્ટેબલ ચેતન સિંહે સોમવારે મહારાષ્ટ્રના પાલઘર રેલવે સ્ટેશન નજીક ચાલતી જયપુર-મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ ટ્રેન પર ગોળીબાર કર્યો હતો. મૃતક મુસાફરોની ઓળખ આરપીએફના આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર ટીકા રામ મીના, પાલઘરના નાલાસોપારાના અબ્દુલ કાદરભાઈ મોહમ્મદ હુસૈન ભાનપુરવાલા (48), બિહારના મધુબનીના અસગર અબ્બાસ અલી (48) અને સદર મોહમ્મદ હુસૈન તરીકે કરવામાં આવી છે.

ઓગસ્ટ મહિનામાં પણ મેઘરાજા બોલાવશે બઘડાટી, અંબાલાલ પટેલે કરી આગાહી

રાજ્યમાં હાલ વરસાદનો માહોલ બરોબર જામ્યો છે. જેના કારણે અનેક જગ્યાએ મેઘતાંડવ જોવા મળ્યું હતું. છેલ્લા બે દિવસથી રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. ત્યારે આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઓગસ્ટમાં વરસાદને લઈને આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આ વખતે ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદ પડી શકે છે.અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આજથી 9મી ઓગષ્ટ સુધી ભારે પવન સાથે ભારે વરસાદ વરસી શકે છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 30 કી.મી પ્રતિ કલાક કરતા વધુની ઝડપનો પવન ફુંકાઈ શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આ મહિનામાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું હતુ કે સોમાલિયા તરફથી આવતા પવન ભારે ભેજ લઇને આવશે એટલે વરસાદનું વાહન ભારે રહેશે. જેના કારણે આ મહિનમાં સાબરમતી અને નર્મદા નદીના વિસ્તારમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે સુરત અને નવસારી વિસ્તારમાં પણ ભારે વરસાદ પડી શકે છે.


ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદની આગાહી

આજથી ઓગસ્ટ મહિનાનો શરુ થઈ ગયો છે.ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ઓગસ્ટ મહિનામાં વરસાદને લઈને આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદની આગાહી કરી છે. આમ જોઈએ તો મોટેભાગે ઓગસ્ટ મહિનામાં વરસાદ પ્રમાણમાં ઓછો રહેતો હોય છે.પરંતુ આ વર્ષે ભારે ભેજના કારણે ગુજરાતમાં ભારે વરસાદ પડશે તેવું અંબાલાલ પટેલે અનુંમાન વ્યક્ત કર્યું છે.

 

દાલ સરોવરમાં ‘સેલ્યૂટ તિરંગા શિકારા રેસ’

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ અંતર્ગત કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરના શ્રીનગર શહેરના દાલ (અથવા ડલ) સરોવરમાં 1 ઓગસ્ટ, મંગળવારે શિકારા બોટચાલકોએ એમની શિકારા સાથે રેસમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ રેસનું નામ આપવામાં આવ્યું હતું ‘સેલ્યૂટ તિરંગા શિકારા રેસ’. સૌ શિકારાચાલકોએ એમની બોટ પર રાષ્ટ્રીય તિરંગાને લહેરાવ્યો હતો. આ રેસ જોવા માટે સ્થાનિક તેમજ પર્યટકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

આ રેસનું આયોજન નવી દિલ્હીસ્થિત સેવાભાવી સંસ્થા ‘સેલ્યૂટ તિરંગા’ દ્વારા કરવામાં આવ્યું હતું. રેલી નેહરુ પાર્કથી ચાર ચિનારી થઈ SKICC સુધી યોજવામાં આવી હતી. તેમાં 150 જણે ભાગ લીધો હતો.

 જમ્મુ અને કશ્મીરમાં આ પહેલી જ વાર તિરંગા શિકારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

 આ રેસ યોજવા પાછળનો હેતુ કશ્મીરના યુવાધનમાં રાષ્ટ્રીય એકતા, દેશભક્તિ અને જુસ્સાના ગુણોનું સિંચન કરવા માટે તેમજ પર્યટકોને કશ્મીરની મુલાકાત માટે આકર્ષિત કરવાનો છે.

લેક્સ કન્ઝર્વેશન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટીએ દાલ સરોવરમાં ચાર વ્યૂહાત્મક સ્થાનો ખાતે ફ્લોટિંગ જેટ્ટી બાંધી હતી.

એપ્રિલ-મેમાં રૂ. 14,302 કરોડની GST ચોરી પકડાઈ, 28ની ધરપકડ

નવી દિલ્હીઃ ચાલુ નાણાકીય વર્ષના પહેલાં બે મહિનામાં રૂ. 14,302 કરોડની GST ચોરીના 2784 કેસ પકડાયા હતા. આ સમયગાળામાં રૂ. 5716 કરોડની વસૂલાત કરવામાં આવી છે એમ નાણાપ્રધાન સીતારામને લોકસભામાં એક લેખિત ઉત્તરમાં જણાવ્યું છે. આંકડા અનુસાર વર્ષ 2020-21 અને 2023-24 (એપ્રિલ-મે) દરમ્યાન 43,516 કેસોમાં રૂ. 2.68 લાખ કરોડથી વધુની GST ચોરી માલૂમ પડી હતી. આ દરમ્યાન રૂ. 76,333 કરોડની વસૂલાત કરવામાં આવી છે. 1020 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

નાણાપ્રધાન નિર્મલા સીતારામને GST અને આવકવેરાની ચોરી સાથે બોર્ડર કસ્ટમ વિભાગ દ્વારા ચોરી માલૂમ કરવાની વિગતો શેર કરતાં જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષ એપ્રિલ-મેમાં રૂ. 14,302 કરોડની ચોરી 2784 કેસ પકડવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમ્યાન 28 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને રૂ. 5716 કરોડ જપ્ત કરવામાં આવ્યા હતા.

પાછલાં પાંચ વર્ષોમાં આવકવેરા વિભાગ દ્વારા કરવામાં આવેલાં સર્વેક્ષણો, તપાસ અને જપ્તી ઝુંબેશના આંકડા અનુસાર 3946 ગ્રુપોની તપાસ કરવામાં આવી હતી, જ્યારે રૂ. 6662 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. નાણાકીય વર્ષ 2022-23માં 741 ગ્રુપોની તપાસ કરવામાં આવી હતી અને રૂ. 1765.56 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી.

છેલ્લાં ચાર વર્ષોમાં બોર્ડર કસ્ટમ વિભાગે ચોરીના 42,754 કેસ પકડાયા હતા, જેની કિંમત રૂ. 46,000 કરોડ છે. ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ-મેના સમયગાળામાં બોર્ડર કસ્ટમ વિભાગ દ્વારા રૂ. 1031 કરોડના મૂલ્યના માલસામાનની ચોરીના 2986 કેસો માલૂમ પડ્યા હતા, જ્યારે પાછલાં ચાર વર્ષોમાં વેપાર-વ્સવસાયની છેતરપિંડીના આશરે 12,259 કેસો પણ સામે આવ્યા છે.

 

 

 

 

જુલાઈમાં રેકોર્ડ GST કલેક્શન, 5મી વખત રૂ.1.60 લાખ કરોડથી વધુની વસૂલાત

GSTથી સરકારનું રેવન્યુ કલેક્શન સતત સારું થઈ રહ્યું છે. આ સળંગ પાંચમી વખત છે જ્યારે આ મહિને રેવન્યુ કલેક્શન 1.6 લાખ કરોડથી ઉપર ગયું છે. જુલાઈ મહિનામાં GST કલેક્શન વાર્ષિક ધોરણે 11 ટકા વધીને રૂ. 1,65,105 કરોડ થયું છે. નાણા મંત્રાલયે મંગળવારે આ માહિતી આપી. પરોક્ષ કર પ્રણાલીની શરૂઆત બાદ પાંચમી વખત જીએસટી કલેક્શન રૂ. 1.6 લાખ કરોડને વટાવી ગયું છે.

નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે જુલાઈ 2023માં ગ્રોસ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શન 1,65,105 કરોડ રૂપિયા હતું. જેમાં સેન્ટ્રલ જીએસટી રૂ. 29,773 કરોડ, સ્ટેટ જીએસટી રૂ. 37,623 કરોડ, ઇન્ટીગ્રેટેડ જીએસટી રૂ. 85,930 કરોડ (માલની આયાત પર એકત્ર કરાયેલ રૂ. 41,239 કરોડ સહિત)નો સમાવેશ થાય છે. આ સિવાય, સેસ રૂ. 11,779 કરોડ હતો (માલની આયાત પર એકત્ર કરાયેલ રૂ. 840 કરોડ સહિત).

 

મંત્રાલયના જણાવ્યા અનુસાર, જુલાઈ 2023માં રેવન્યુ કલેક્શન ગયા વર્ષના સમાન મહિના કરતાં 11 ટકા વધુ હતું. સમીક્ષા હેઠળના મહિના દરમિયાન સ્થાનિક વ્યવહારો (સેવાઓની આયાત સહિત)ની આવકમાં વાર્ષિક ધોરણે 15 ટકાનો વધારો થયો છે. જૂન મહિનામાં જીએસટીની આવક 1,61,497 કરોડ રૂપિયા હતી. ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીએ જુલાઈમાં, સ્થાનિક વ્યવહારોમાંથી આવકમાં 15 ટકાનો ઉછાળો આવ્યો છે, જેમાં સેવાઓની આયાતનો સમાવેશ થાય છે.

જુલાઈ 2023 માં GST કલેક્શન થયું જ્યાં તે 1,65,105 કરોડ રૂપિયા રહ્યું જે જૂન 2023 કરતાં વધુ છે. જૂનમાં જીએસટી કલેક્શન રૂ. 1,61,497 કરોડ હતું. જ્યાં ચાલુ નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ મહિનામાં એપ્રિલ 2023માં GSTનું રેકોર્ડ કલેક્શન જોવા મળ્યું હતું, એપ્રિલ 2023માં GST કલેક્શન 1,87,035 કરોડ રૂપિયા હતું. GST કાઉન્સિલની બેઠક પણ ઓનલાઈન ગેમિંગ અંગેના કાયદા અંગે ચર્ચા કરવા માટે 2 ઓગસ્ટે યોજાવા જઈ રહી છે.

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવા પાકિસ્તાનની હોકી ટીમનું ભારતમાં આગમન

અમૃતસરઃ ચેન્નાઈમાં આવતા ગુરુવારથી શરૂ થનાર એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી સ્પર્ધામાં રમવા માટે પાકિસ્તાનના પુરુષોની ટીમ અટ્ટારી-વાઘા સરહદેથી આજે ભારતમાં આવી પહોંચી છે. એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી સ્પર્ધા દર બે વર્ષે રમાય છે. આ ફિલ્ડ હોકી સ્પર્ધામાં એશિયાની ટોચની 6 ટીમ રમે છે. મેચો રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાય છે. પાકિસ્તાન ટીમનો કેપ્ટન છે મુહમ્મદ ઉમર ભુટ્ટા. હિરો મોટોકોર્પ કંપની પ્રાયોજિત સ્પર્ધા 3 ઓગસ્ટથી 12 ઓગસ્ટ સુધી રમાશે. સ્પર્ધાની અન્ય ચાર ટીમ છેઃ સાઉથ કોરિયા, મલેશિયા, ચીન અને જાપાન.

2011ની સાલથી રમાતી આ સ્પર્ધાના ઈતિહાસમાં ભારત અને પાકિસ્તાન સંયુક્ત રીતે સૌથી સફળ ટીમો છે. 2018ની સ્પર્ધામાં બંને ટીમને સંયુક્ત વિજેતા તરીકે ઘોષિત કરવામાં આવી હતી. પાકિસ્તાને 2012, 2013 અને 2018, એમ ત્રણ વખત આ સ્પર્ધા જીતી છે. ભારતે 2011, 2016 અને 2018માં ટાઈટલ જીત્યું હતું. 2021માં આ સ્પર્ધા સાઉથ કોરિયાએ જીતી હતી.

બિહાર : પટના હાઈકોર્ટે વસ્તી ગણતરીને મંજૂરી આપી

ગયા મહિને હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી તારીખની અંદર બિહારમાં જાતિની વસ્તી ગણતરી અંગે ઉભા થતા પ્રશ્નોની સુનાવણી કરી હતી. ચીફ જસ્ટિસ વિનોદ ચંદ્રન અને જસ્ટિસ પાર્થ સારથીની ડિવિઝન બેન્ચે સતત પાંચ દિવસ અરજીકર્તા અને બિહાર સરકારની દલીલો સાંભળી. કોર્ટે જાતિ આધારિત વસ્તી ગણતરી કરનારાઓની સંપૂર્ણ દલીલ પણ સાંભળી અને પછી સરકારના દાવાની બાજુ પણ સાંભળી, જે મુજબ તે જાતિ આધારિત સર્વે છે. આજે પટના હાઈકોર્ટે સીએમ નીતિશ કુમારના ડ્રીમ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી દીધી છે. કોર્ટે તેને સર્વેની જેમ કરવાની પરવાનગી આપી છે. ટૂંક સમયમાં બિહાર સરકાર ફરીથી જાતિ ગણતરી શરૂ કરશે. જોકે, અરજદારો કોર્ટના આ નિર્ણયથી નારાજ છે. તેમનું કહેવું છે કે હવે તેઓ આ મામલે સુપ્રીમ કોર્ટમાં જશે.

નવ કે છ – આ કહેવત બિહારમાં ઘણી ચાલે છે. પટના હાઈકોર્ટ મંગળવારે તેના વચગાળાના આદેશ પહેલા તેના અંતિમ નિર્ણયમાં આ શું કરશે. ગયા મહિને, હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી તારીખની અંદર બિહારમાં જાતિની વસ્તી ગણતરી અંગે ઉભા થતા પ્રશ્નોની સુનાવણી કરી હતી. ચીફ જસ્ટિસ વિનોદ ચંદ્રન અને જસ્ટિસ પાર્થ સારથીની ડિવિઝન બેન્ચે સતત પાંચ દિવસ (3 જુલાઈથી 7 જુલાઈ સુધી) અરજીકર્તા અને બિહાર સરકારની દલીલો સાંભળી. કોર્ટે જાતિ આધારિત વસ્તી ગણતરી કરનારાઓની સંપૂર્ણ દલીલ પણ સાંભળી અને પછી સરકારના દાવાની બાજુ પણ સાંભળી, જે મુજબ તે જાતિ આધારિત સર્વે છે. આજે પટના હાઈકોર્ટે સીએમ નીતિશ કુમારના ડ્રીમ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી દીધી છે. કોર્ટે તેને સર્વેની જેમ કરવાની પરવાનગી આપી છે. ટૂંક સમયમાં બિહાર સરકાર ફરીથી જાતિ ગણતરી શરૂ કરશે. જોકે, અરજદારો કોર્ટના આ નિર્ણયથી નારાજ છે. તેમનું કહેવું છે કે હવે તેઓ આ મામલે સુપ્રીમ કોર્ટમાં જશે.

ઓપનહાઇમર ‘કલેક્શન’ની દ્રષ્ટિએ રોકી ઔર રાનીથી આગળ

નવી દિલ્હીઃ આ કદાચ પહેલી વાર છે કે એક હોલીવૂડ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાણીની દ્રષ્ટિએ બોલીવૂડની મલ્ટિસ્ટારર ફિલ્મથી આગળ છે. વળી, આ હોલીવૂડની ફિલ્મ કોઈ સુપરહીરોની ફેન્ટસી સંબંધિત નથી કે નથી એની જાહેરાત કરવામાં આવી.

ક્રિસ્ટોફર નોલનની ‘ઓપનહાઇમર’ કે જે એટમ બોમ્બ વિકસિત કરવા માટે ભૌતિક વિજ્ઞાની જે. રોબર્ટ ‘ઓપનહાઇમર’ની શોધ કરવા માટેની ફિલ્મ છે, જે ફિલ્મે પહેલા ત્રણ દિવસોમાં રણવીર સિંહ, આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મની તુલનામાં મબલક નાણાં કમાયાં છે.

‘ઓપનહાઇમર’માં ‘રોકી અને રાની’ જેવું નથી મ્યુઝિક કે નથી યશ ચોપરા જેવો શિફોન સાડીઓનો જાદુ કે નથી એમાં અનુભવી શબાના આઝમી અને ધર્મેન્દ્ર જેવી એક્ટિંગ – તેમ છતાં આ ફિલ્મ ધૂમ કમાણી કરી રહી છે. ‘ઓપનહાઇમર’ની વાર્તા એક ગંભીર થિમ આધારિત છે અને ભારતીય ફિલ્મપ્રેમીઓને પસંદ પડી રહી છે. આ ફિલ્મે પહેલા સપ્તાહમાં રૂ. 13.5 કરોડ (શુક્રવાર), રૂ. 16.5 કરોડ (શનિવાર) અને રૂ. 17.5 કરોડ (રવિવારે) કમાણી કરી હતી. આ પ્રકારે આ ફિલ્મે આશરે બોક્સ ઓફિસ કલેક્શન રૂ. 48 કરોડ કર્યું હતું. જોકે આ પ્રોડક્શન હાઉસના આંકડા છે.

બ્રિટન પછી ભારત ‘ઓપનહાઇમર’ માટે સૌથી મોટું આંતરરાષ્ટ્રીય માર્કેટ બની ગયું છે. આ ફિલ્મની 10 દિવસની કુલ કમાણી રૂ. 91.05 કરોડે પહોંચી છે. ‘ઓપનહાઇમર’ દેશમાં 1200 સ્ક્રીન્સ પર ચાલી રહી છે, જ્યારે ‘રોકી અને રાની’ ફિલ્મ દેશની 3200 સ્ક્રીન્સ પર ચાલી રહી છે. એમ છતાં ભારતમાં એનું પ્રારંભિક કલેક્શન સૌથી શ્રેષ્ઠ હોલીવૂડ ફિલ્મની પહેલા દિવસની કમાણી સાતમા સ્થાન પર છે.

 

 

 

 

31 જુલાઈ સુધીમાં 2,000 રૂપિયાની 88% નોટો બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી

આરબીઆઈએ માહિતી આપી છે કે 31 જુલાઈ 2023 સુધીમાં 2000 રૂપિયાની કુલ 88 ટકા નોટો બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે. RBI અનુસાર, 19 મે, 2023 સુધી, 3.56 લાખ કરોડ રૂપિયાની કુલ 2,000 રૂપિયાની નોટો ચલણમાં હતી. 31 જુલાઈ 2023 સુધીમાં 3.14 લાખ કરોડ રૂપિયાના મૂલ્યની 2000 રૂપિયાની નોટો બેંકોમાં પાછી આવી ગઈ છે. હવે 42,000 કરોડ રૂપિયાની નોટો ચલણમાં બાકી છે. 30 સપ્ટેમ્બર, 2023 2,000ની નોટો જમા કરાવવા અથવા બદલવાની છેલ્લી તારીખ છે.

 

આરબીઆઈએ કહ્યું કે બેંકો પાસેથી મળેલા ડેટા મુજબ 31 જુલાઈ 2023 સુધીમાં 3.14 લાખ કરોડ રૂપિયાની નોટો ચલણમાંથી બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી છે. RBIએ કહ્યું કે હવે માત્ર 42,000 કરોડ રૂપિયાની નોટ ચલણમાં બચી છે. આવી સ્થિતિમાં, 19 મે, 2023 ના રોજ આરબીઆઈની 2,000 રૂપિયાની નોટો પાછી ખેંચવાની જાહેરાત બાદથી, 88 ટકા નોટ પાછી આવી છે. આરબીઆઈએ જણાવ્યું કે જે 2000 રૂપિયાની નોટો પાછી આવી છે તેમાંથી 87 ટકા નોટો બેંક ખાતામાં જમા થઈ ગઈ છે. જ્યારે 13 ટકા 2000 રૂપિયાની નોટો અન્ય નોટો સાથે એક્સચેન્જ કરવામાં આવી છે.