Home Blog Page 2645

મોરારીબાપુએ ભવન્સમાં ક. મા. મુનશીની પ્રતિમાનું અનાવરણ કર્યું

અમદાવાદઃ પ્રખ્યાત રામકથાકાર સંત મોરારીબાપુએ શુક્રવારે ભારતીય વિદ્યા ભવન (ભવન્સ કોલેજ) અમદાવાદમાં ભારતીય વિદ્યા ભવનના સ્થાપક કનૈયાલાલ મુનશીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. એ સાથે જ કેમ્પસમાં નવનિર્મિત કાન્તિ ભટ્ટ સ્મારક અને વાચનાલયમાં કાન્તિભાઈ લિખિત 16,000 જેટલા લેખોના ડિજિટલ સંગ્રહનું ઉદ્‍ઘાટન પણ કર્યું હતું. ભવન્સ કેમ્પસસ્થિત હરિલાલ ભગવતી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્યુનિકેશન એન્ડ મેનેજમેન્ટની વેબસાઇટ મારફતે વાચકો માટે ઉપલબ્ધ રહેશે. કાન્તિ ભટ્ટ સ્મારક અને રીડિંગ રૂમ

જાણીતા ગુજરાતી પત્રકાર, તંત્રી, લેખક અને કટારલેખક સ્વ. કાન્તિ ભટ્ટની સ્મૃતિમાં આ એક જીવંત સ્મારક છે, જ્યાં તેમણે લખેલા 16,000 જેટલા પ્રકાશિત લેખો કટિંગ્સ (ફિઝિકલ આર્કાઇવ્ઝ) તેમ જ ડિજિટલ સ્વરૂપે સચવાયેલા છે.

એચબીઆઇસીએમની વેબસાઇટ www.hbicm.in મારફતે વાચકો તેને માણી શકે છે. લેખોને વિષયવાર, કોલમવાર, પ્રકાશનવાર તેમ જ તારીખ વાર વર્ગીકરણ કરવાની પ્રક્રિયા ચાલે છે. કાન્તિભાઈનાં પત્ની અને જાણીતા પત્રકાર શીલા ભટ્ટ અને ભવન્સનો આ સંયુક્ત પ્રોજેક્ટ છે અને કોઈ ગુજરાતી પત્રકાર માટેનું  આવું પ્રથમ સ્મારક છે.

 

 

 

 

 

‘તબીબી બેદરદારીને લગતી કાયદાની પ્રક્રિયા શું છે?’

મેડિકલ પ્રોફેશનલની બેદરકારી નજરમાં આવે તો કયાં પગલાં ભરી શકાય? કેઈએસની જયંતીલાલ પટેલ લૉ કૉલેજમાં થયો વાર્તાલાપ

મુંબઈઃ કન્ઝ્યુમર ફોરમમાં નોંધાયેલા કેસોની સંખ્યામાં થયેલા વધારાને જોતાં ભારતમાં આચરાતી તબીબી બેદરકારી એ ઊંડી ચિંતાનો વિષય દેખાય છે. આનું એક કારણ પોતાના કાયદાકીય હકો માટેની લોકજાગૃતિ છે અને બીજું કારણ એ કે વધુ ને વધુ લોકો મેડિકલ સારવાર લઈ રહ્યા હોવાથી બેદરકારીના વધુ કેસ બનવાની શક્યતા પણ વધી જાય છે. તબીબી બેદરકારીને કારણે સારવારમાં દરદીનું મૃત્યુ થઈ જવાની સ્થિતિમાં થયેલા નુકસાનને કાયદાકીય કેવી રીતે મૂલવવું એ જાણવું અગત્યનું છે.

એડ્વોકેટ અને કંપની સેક્રેટરી સૌરભ અસ્થાના

પહેલાં તો એ જાણવું જરૂરી છે કે તબીબી બેદરકારી કોને કહેવાય.

કાંદિવલી એજ્યુકેશન સોસાયટી (કેઈએસ) સંચાલિત જયંતીલાલ પટેલ લૉ કૉલેજના વિદ્યાર્થીઓએ એડ્વોકેટ અને કંપની સેક્રેટરી સૌરભ અસ્થાના સાથે આ વિષય પર ચર્ચા કરી હતી. આ સત્રનું સંચાલન આચાર્યા ડૉ.સંગીતા શ્રીવાસ્તવે કર્યું હતું.

પ્ર.૧. તબીબી બેદરકારી કોને કહેવાય?

સામાન્ય રીતે તબીબી પ્રોફેશનલ વિવેકીપણે જે સારવાર કરે એ રીતે બીજા કોઈ પ્રોફેશનલ સારવાર કરે નહીં અને એ નિષ્ફળતાને લીધે દરદીને કોઈ હાનિ થાય અથવા દરદીનું મૃત્યુ થાય ત્યારે એને તબીબી બેદરકારી કહેવાય.

પ્ર.૨. તબીબી બેદરકારી કહેવા માટે એમાં કયાં તત્ત્વો હોવાં જોઈએ?

તબીબી પ્રોફેશનલની ફરજ, ફરજનું પાલન કરવામાં નિષ્ફળતા, હાનિનું કારણ અને હાનિ એ બધાં તત્ત્વોનો વિચાર કરીને નક્કી કરવામાં આવે છે કે બેદરકારી રહી છે કે કેમ.

પ્ર.૩. શું તમે કૃપા કરીને વધુ સ્પષ્ટતા માટે,આ તત્ત્વોને વિગતવાર સમજાવી શકો?

જરૂર. સામાન્ય રીતે મેડિકલ પ્રોફેશનલની જવાબદારી એ જોવાની હોય છે કે દરદીના આરોગ્યને કોઈ હાનિ પહોંચે નહીં. એમની એ ફરજને ડ્યુટી ઑફ કેર (કાળજી રાખવાની ફરજ) કહેવાય છે. જ્યારે હેલ્થ પ્રોફેશનલ આ જવાબદારી નિભાવવામાં નિષ્ફળ જાય છે ત્યારે એમની આ ફરજનો ભંગ થયો એમ કહેવાય છે. કોઝેશન એટલે કે દરદીને હાનિ થઈ અથવા એમનું મૃત્યુ થયું એની પાછળનું કારણ.અમુક રીતે કામ લેવાથી શું નુકસાન થઈ શકે છે એનો અંદાજ આવે એટલો વિવેક રાખવો એને રિઝનેબિલિટી કહેવાય છે, જેને પણ ધ્યાનમાં લેવામાં આવે છે.

પ્ર.૪. શું તમારા કહેવાનો એ અર્થ છે કે ડૉક્ટરો ભૂલો કરી શકે છે અને એમને કાયદાકીય રીતે અદાલતોમાં એમના ફરજભંગ માટે જવાબદાર ઠેરવી શકાય છે?

ટૂંકો જવાબ છે, હા. જો કે, એ દરેક વ્યક્તિગત કેસ પર આધાર રાખે છે. ડૉકટરો મેડિકલ કાઉન્સિલની આચારસંહિતાનું પાલન કરવા બંધાયેલા છે એટલે સામાન્ય રીતે પોતાના દરદીને ઈજા ન થાય અને એના જીવનું જોખમ ઊભું ન થાય એ બાબતે ખૂબ જ કાળજી લેતા હોય છે. એમ છતાં પણ એવા દાખલા જોવા મળી શકે છે, જેમાં કેસની વિગતો જોતાં, ડૉક્ટરો બેદરકાર નીવડ્યા હોવાનું જણાઈ આવ્યું હોય. યોગ્ય તપાસ પછી, વકીલની મદદ લઈને એમની સામે કાયદાકીય પગલાં લઈ શકાય છે.

પ્ર.૫. કઈ અદાલતમાં કાનૂની કાર્યવાહી કરી શકાય છે અને તેનો નિકાલ કેટલા સમયમાં આવી શકે છે?

હાલમાં, તબીબી બેદરકારીના કેસો ભારતની સૌથી નીચલી ગ્રાહક અદાલતોમાં ચલાવી શકાય છે અને આ કેસની અપીલ સુપ્રીમ કોર્ટ સુધી પણ જઈ શકે છે. એ ખૂબ સમય માગી લેતી અને ખર્ચાળ પ્રક્રિયા છે. એમ છતાં આ કારણે કોઈ વ્યક્તિએ હતાશ થઈને અટકવું ન જોઈએ અને જો ખરેખર કેસ તથ્યભર્યો હોય અને હકીકતો પર આધારિત હોય તો વ્યક્તિએ કેસ કરવા માટે આગળ વધવું જોઈએ. સામાન્ય રીતે ભારતની નીચલી અદાલતમાં કેસ દાખલ કરીને ફાઈલિંગ કરવાની તારીખથી લઈને પૂર્ણ નિકાલ આવે એમાં ૧૫-૨૦ વર્ષ લાગી શકે છે.

PMની ડિગ્રી જાહેર કરવાની કોઈ જરૂર નથીઃ ગુજરાત હાઈકોર્ટ

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી પર સવાલ ઊભા કરવાવાળા દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને મોટો આંચકો લાગ્યો છે. ગુજરાતની હાઇકોર્ટે વડા પ્રધાનની ડિગ્રી મામલે કેજરીવાલ પર દંડ ફટકાર્યો છે. એ સાથે હાઇકોર્ટે મુખ્ય માહિતી પંચ (CIC)ના આદેશને પણ રદ કરી દીધો હતો, જેમાં વડા પ્રધાનની ઓફિસ (PMO)થી ડિગ્રીની માહિતી માગવામાં આવી હતી.

ગુજરાત હાઈકોર્ટે આજે એક ચુકાદામાં કહ્યું હતું કે વડા પ્રધાન કાર્યાલયે વડા પ્રધાન મોદીની ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી જાહેર કરવાની કોઈ જરૂર નથી. આટલું જ નહીં, હાઈકોર્ટે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા દાખલ કરાયેલી અરજીને તુચ્છ અને ભ્રામક ગણાવતાં રૂ. 25,000નો દંડ પણ ફટકાર્યો હતો. કેજરીવાલે પીએમ મોદીના ડિગ્રી સર્ટિફિકેટની વિગતો માગી હતી.

જસ્ટિસ બિરેન વૈષ્ણવે કહ્યું હતું કે વડાપ્રધાન કાર્યાલય (PMO)એ ગ્રેજ્યુએશન ડિગ્રી સર્ટિફિકેટ આપવું જરૂરી નથી. હાઇકોર્ટે કેજરીવાલને હવે નિર્દેશ આપવામાં આવ્યો છે કે ગુજરાત રાજ્યના સ્ટેટ લીગલ સર્વિસ ડિપાર્ટમેન્ટમાં આ દંડની રકમ જમા કરાવવામાં આવે. દેશના CICએ આદેશ જારી કરી PMOના જનસૂચના અધિકારી (PIO) અને ગુજરાત યુનિવર્સિટી તથા દિલ્હી યુનિવર્સિટીના PIOને પીએમ મોદીની ગ્રેજ્યુએશન તથા પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રીની વિગતો જાહેર કરવા નિર્દેશ આપ્યો હતો. હવે ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ બિરેન વૈષ્ણવની સિંગલ બેન્ચે CICના એ આદેશને રદ કરી દીધો છે.

જોકે PM નરેન્દ્ર મોદી અનુસાર તેમણે 1978માં દિલ્હી યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું અને ગુજરાત યુનિવર્સિટીથી 1983માં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું. ગયા મહિને આ કેસની સુનાવણીમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ યુનિવર્સિટીનો પક્ષ રાખતાં કહ્યું હતું કે કેસમાં છુપાવવા જેવું કંઈ નથી, પરંતુ યુનિવર્સિટી પર જાણકારી આપવાનું દબાણ ન કરી શકાય.

 

 

 

 

દિનશા પટેલ દ્વારા ચારુસેટમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે રૂ. 1.51 કરોડનું દાન

ચાંગા: ચાંગાસ્થિત ચારુસેટ યુનિવર્સિટીમાં સૂચિત ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સ્થાપના કરવા માટે દિનશા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ-નડિયાદ દ્વારા રૂ. 1.51 કરોડના સંકલ્પ દાનમાંથી રૂ. 25 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ચારુસેટ કેમ્પસમાં 31મી માર્ચે એક બેઠકમાં આ ચેક દિનશા પટેલને હસ્તે માતૃસંસ્થા-CHRFના પ્રમુખ  નગીનભાઈ પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ  સી. એ. પટેલ અને માતૃસંસ્થા-કેળવણી મંડળ-CHRFના માનદ મંત્રી ડો. એમ. સી. પટેલને અર્પણ કરવામાં આવ્યો હતો.

દિનશા પટેલે કેળવણી મંડળના ઉપપ્રમુખ  સી. એ. પટેલ, એન. એમ. પટેલ, એસ્ટેટ વિભાગની ઈજનેરી ટીમ સાથે સૂચિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી અને સલાહસૂચનો કર્યાં હતાં. સૂચિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ 12 માસમાં પૂર્ણ થવાની શક્યતા છે.

આ વિશે તેમણે જણાવ્યું હતું કે ચારુસેટ કેમ્પસમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સુવિધા ઊભી કરવા માટે સી. એ. પટેલ દ્વારા મને માહિતી આપવામાં આવી હતી યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓ માટે વિવિધ રમતગમતની સુવિધા સ્થપાય એ વાત જાણી મને આનંદ થયો છે અને મેં રૂબરૂ ચર્ચામાં જરૂરી રમતગમતની સુવિધા ઊભી કરવા અને નવનિર્મિત ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના નામકરણ અંગે રૂ. 1.51 કરોડનું દાનની જાહેરાત કરી છે. જેના અનુસંધાનમાં  દિનશા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટનડિયાદ તરફથી આજે રૂ. 25 લાખનો ચેક એનાયત કરવામાં આવ્યો છે. બે વર્ષમાં આ સંકલ્પ પરિપૂર્ણ કરવામાં આવશે.

ત્રણ માળના અદ્યતન સુસજ્જ ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર બેડમિન્ટન, ટેબલ ટેનિસ, જિમ્નેસ્ટિક્સ, કબડ્ડી, બાસ્કેટબોલ અને વોલિબોલ જેવી રમતો રમી શકાશે તેવો મલ્ટી પર્પઝ હોલ, ફર્સ્ટ ફ્લોર પર જિમ્નેશિયમ, એરોબિક્સ એક્સરસાઇઝ માટે સેન્ટર, સેકન્ડ ફ્લોર પર યોગા એન્ડ મેડિટેશન સેન્ટર, એડમિન ઓફિસ, લોકર રૂમ, સ્ટોર રૂમ, ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ ક્લિનિક અને  રિફ્રેસમેન્ટ સ્ટોલની સુવિધા ઉપલબ્ધ થશે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ દિનશા પટેલ દ્વારા ચારુસેટ કેમ્પસને 1.32 કરોડનું માતબર દાન આપવામાં આવ્યું હતું.

 

 

ગુડ ફ્રાયડેઃ વર્ષના અંતે સેન્સેક્સમાં 1030 પોઇન્ટનો ઉછાળો

નવી દિલ્હીઃ મજબૂત વૈશ્વિક સંકેતોને પગલે અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આગેવાની હેઠળ શેરોમાં સતત બીજા દિવસે તેજી સાથે બંધ થયા હતા. સેન્સેક્સ 1030 પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો. જેથી સેન્સેક્સ સતત બીજા દિવસે 1030 પોઇન્ટ ઊછળ્યો હતો. જ્યારે નિફ્ટી 300 પોઇન્ટ વધીને 17,350ને પાર પહોંચ્યો હતો. BSE મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ ક્રમશઃ 0.96 ટકા અને 1.35 ટકાની તેજી સાથે બંધ રહ્યા હતા. બજારના ટ્રેડિંગ સેશન દરમ્યાન IT, ટેક, બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસિઝ, એનર્જી, ઓઇલ એન્ડ ગેસ, રિયલ્ટી અને ટેલિકોમ્યુનિકેશન્સ શેરોમાં તેજી થઈ હતી. બજારમાં સાર્વત્રિક તેજીને પગલે રોકાણકારોની સંપત્તિમાં આશરે 3.42 લાખ કરોડનો વધારો થયો હતો.

બજાર બંધ થયા પછી BSE સેન્સેક્સ 1031.43 પોઇન્ટ ઊછલી 58,991.52 પર બંધ થયો હતો, જ્યારે NSEનો નિફ્ટી ઇન્ડેક્સ 279.05 પોઇન્ટ ઊછળી 17,359.75ના સ્તરે બંધ થયો હતો.

રોકાણકારોની સંપત્તિમાં 3.42 લાખ કરોડનો વધારો

BSE માં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ 29 માર્ચથી વધીને 258.13 લાખ કરોડે પહોંચ્યું હતું, જે અગાઉના 28 માર્ચે રૂ. 254.71 લાખ કરોડ હતું. આ પ્રકારે BSEમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ આશરે રૂ. 3.42 લાખ કરોડ વધ્યું હતું.

સેન્સેકસમાં સમાવિષ્ટ 30માંથી 26 શેર વધીને બંધ રહ્યા હતા. BSE સેન્સેક્સ પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સૌથી વધુ 4.29 ટકા ઊછળીને બંધ રહ્યો હતો જ્યારે નેસ્લે 3.30, ઇન્ફોસિસ 3.19 ટકા ICICI બેન્ક 3.08 ટકા, તાતા મોટર્સનો શેર 2.80 ટકા અને TCS 2.16 ટકા ઊછળ્યો હતો.

 

 

‘ખાદી મહોત્સવ-2023’માં 50 ખાદી સંસ્થાઓ સહભાગી થઈ

કેન્દ્ર સરકાર સંચાલિત ખાદી અને ગ્રામોદ્યોગ કમિશનના ઉપક્રમે અને NIFT ગાંધીનગરના સહયોગમાં અમદાવાદમાં સાબરમતી રીવરફ્રન્ટ ખાતે હાલમાં જ ‘ખાદી મહોત્સવ-2023’નું આયોજન કરવામાં આવ્યું હતું.

તેમાં દેશભરની 50 ખાદી સંસ્થાઓ તથા 75 એકમોએ ભાગ લીધો હતો.

આ મહોત્સવ દરમિયાન એક ફેશન શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોડેલ યુવક-યુવતીઓએ ખાદીનાં વસ્ત્રોમાં સજ્જ થઈને ખાદી ફેશનનું પ્રદર્શન કર્યું હતું.

સમગ્ર શોને છ મહત્ત્વની સીક્વન્સમાં વહેંચી દેવામાં આવ્યો હતો.

આ શોમાં ભાગ લેવાની એનઆઈએફટી-ગાંધીનગરના વિદ્યાર્થીઓને ભાગ લેવાની સંસ્થાના ડાયરેક્ટર ડો. સમીર સૂદે પરવાનગી આપી હતી.

આ મહોત્સવ દરમિયાન સિલ્ક લૂમ, હની બી બોક્સ, પોટર વ્હીલ, લેધર ફૂટવેર અને અગરબત્તીઓ જેવી ચીજવસ્તુઓને પણ પ્રદર્શનાર્થે મૂકવામાં આવી હતી.

આ મહોત્સવમાં ગુજરાત સરકાર પ્રધાન, NIFTના અધિકારીઓ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ગંભીર બીમારીઓની સારવાર માટેની દવાઓને કસ્ટમ-ડ્યુટીમાંથી સંપૂર્ણ મુક્તિ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે એક મોટું ભગલું ભરતાં બધા પ્રકારની ગંભીર બીમારીઓની સારવાર માટે ખાનગી ઉપયોગમાં આયાત કરવામાં આવતી બધી દવાઓ અને ખાદ્ય પદાર્થો પરથી કસ્ટમ ડ્યુટીમાં પૂરી છૂટ આપી દીધી છે. નાણા મંત્રાલયે કહ્યું હતું કે ગંભીર બીમારીઓ માટે નેશનલ પોલિસી ફોર રેર ડિસીઝ 2021 હેઠળ યાદીમાં સમાવિષ્ટ ગંભીર બીમારીઓ માટે દવાઓ પર આ છૂટ લાગુ પડશે. એનાથી અસાધ્ય અને ગંભીર બીમારીઓની સારવાર કરી રહેલા દર્દીઓને લાભ થશે. એ સાથે સરકારે કેન્સરની દવાને પણ કસ્ટમ ડ્યુટીમાંથી છૂટ આપી છે.

સામાન્ય રીતે દવાઓ પર 10 ટકા કસ્ટમ ડ્યુટી લાગે છે, જ્યારે કેટલીક જીવનરક્ષક દવાઓ અને રસીઓ પર છૂટની સાથે પાંચ ટકા ટેક્સ લાગે છે અથવા એને સંપૂર્ણ રીતે ડ્યૂટી ફ્રી રાખવામાં આવે છે. આ રોગોની સારવાર માટે જરૂરી દવાઓ અથવા વિશેષ ખાદ્ય પદાર્થ મોંઘાં હોય છે અને એને આયાત કરવાની જરૂરી હોય છે. એક અંદાજ લગાવવામાં આવે છે કે 10 કિલો વજનવાળા બાળક માટે કેટલીક ગંભીર બીમારીઓની સારવારની વાર્ષિક ખર્ચ રૂ. 10 લાખથી પ્રતિ વર્ષ રૂ. એક કરોડથી વધુ હોવાની શક્યતા છે, જેમાંથી સારવાર આજીવન અને દવાનો ડોઝ અને ખર્ચ, ઉમર અને વજનની સાથે વધતો રહે છે.

આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે  આ છૂટથી ગણી ખર્ચમાં બચત થશે અને દર્દીઓને રાહત મળશે. સરકારે વિવિધ કેન્સરની સારવારમાં ઉપયોગમાં લેવાતી પેમ્બ્રોલિજુમાબ (કિટુડા)ને પણ બેઝિક કસ્ટમ ડ્યૂટીમાંથી સંપૂર્ણ છૂટ આપવામાં આવી છે.

 

 

 

‘ઓડિસી વેડર’: એન્ડ્રોઈડ ડિસ્પ્લે-સંચાલિત, એપ-નિયંત્રિત ઈલેક્ટ્રિક મોટરસાઈકલ

મુંબઈસ્થિત ઓડિસી ઈલેક્ટ્રિક વેહિકલ્સ પ્રા.લિ. કંપનીએ ભારતના પ્રથમ ઈલેક્ટ્રિક મોટરબાઈક ‘વેડર’ને દેશના માર્ગો પર લોન્ચ કર્યું છે જે 7-ઈંચના એન્ડ્રોઈડ ડિસ્પ્લે દ્વારા સંચાલિત છે અને કંપનીની એપ દ્વારા તેમજ બ્લૂટૂથ કનેક્ટિવિટી દ્વારા નિયંત્રિત છે. ઓડિસીના સીઈઓ નેમિન વોરા અને ચેરમેન તથા એડવાઈઝર વિરેન્દ્ર વોરાએ 31 માર્ચ, શુક્રવારે મુંબઈમાં મિડિયાકર્મીઓ સમક્ષ ‘વેડર’ મોટરસાઈકલને પ્રસ્તુત કરી હતી. ‘ઓડિસી વેડર’ સંપૂર્ણપણે ભારતમાં નિર્મિત મોટરસાઈકલ છે. તેની કિંમત રૂ. 1,09,999 (એક્સ-શોરૂમ) છે.

આ મોટરસાઈકલની વિશેષતાઓ છેઃ તે ઈકો મોડમાં 125 કિ.મી.ની રેન્જ આપે છે. તે ઓડિસી EV એપથી સંચાલિત છે અને એન્ડ્રોઈડ પર ઉપલબ્ધ છે. તેની લિથિયમ-આયન બેટરી ચાર કલાકમાં ફૂલ્લી ચાર્જ થાય છે. 3000 વોટ્સ ઈલેક્ટ્રિક મોટર દ્વારા સંચાલિત આ બાઈક 85 કિ.મી.ની ટોપ સ્પીડ ધરાવે છે.

આ મોટરસાઈકલ પાંચ રંગમાં ઉપલબ્ધ છેઃ મિડનાઈટ બ્લૂ, ફિયરી રેડ, ગ્લોસી બ્લેક, વેનમ ગ્રીન અને મિસ્ટી ગ્રે.

ઓડિસી વેડરની ડિલિવરી આ વર્ષના જુલાઈથી શરૂ થશે.

(તસવીરઃ દીપક ધુરી)

યુકે સરકાર દ્વારા એસ્સાર પ્રોજેક્ટની પસંદગી થઈ

લંડનઃ એસ્સાર ડિપાર્ટમેન્ટ ફોર એનર્જી સિક્યોરિટી એન્ડ નેટ ઝીરોઝ (DESNZ) ક્લસ્ટર સિક્વન્સિંગ ફેઝ-2 ઘોષણાનું સ્વાગત કરે છે, જેમાં પુષ્ટિ કરવામાં આવી છે કે EETના વર્ટેક્સ હાઇડ્રોજન પ્રોજેક્ટને બે હાઇડ્રોજન પ્લાન્ટમાંથી એકના ભાગ તરીકે પસંદ કરવામાં આવ્યો છે, જે યુકેની હાઇડ્રોજન અર્થવ્યવસ્થાને બનાવવામાં મદદ કરશે.

આ જાહેરાત તેની આબોહવા પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવામાં મદદ કરવા માટે કાર્બન કેપ્ચર, ઉપયોગ અને સંગ્રહ (CCUS)ની વહેલી તહેનાતી માટે 20 અબજ પાઉન્ડ સુધીનું ભંડોળ પૂરું પાડવાની યુકે સરકારની પ્રતિબદ્ધતાને અનુસરે છે. આ ફંડિંગ એસ્સારનું યુકે હોમ ઇંગ્લેન્ડના નોર્થ-વેસ્ટ સહિતનાં સ્થળોએ ખાનગી રોકાણ અને રોજગાર સર્જનને સમર્થન આપે છે. આ ગતિવિધિ યુકે સરકારની નેટ ઝીરો મહત્વાકાંક્ષાઓના સમર્થનમાં યુકેમાં મોટા રોકાણ માટે એસ્સારની પ્રતિબદ્ધતાને સમર્થન આપે છે.

તાજેતરમાં એસ્સારે એસ્સાર એનર્જી ટ્રાન્ઝિશન (EET) લોન્ચ કર્યું છે જેથી આગામી પાંચ વર્ષમાં લો કાર્બન એનર્જી ટ્રાન્ઝિશન પ્રોજેક્ટ્સની શ્રેણી વિકસાવવા માટે 3.6 બિલિયન અમેરિકી ડોલરનું રોકાણ કરવામાં આવશે, જેમાંથી 2.4 બિલિયન અમેરિકી ડોલરનું રોકાણ લિવરપૂલ અને માન્ચેસ્ટર વચ્ચે એલેસ્મેરી પોર્ટમાં સ્ટેનલો સાઇટ પર કરવામાં આવશે. આ યોજનામાં વર્ટેક્સ હાઇડ્રોજનનો સમાવેશ થાય છે, જે 2026થી લગભગ 350MW હાઇડ્રોજનનું ઉત્પાદન કરશે, જે તેને યુકેના અગ્રણી લો કાર્બન હાઇડ્રોજન વ્યવસાયોમાંનું એક બનાવશે. હાઇનેટના કાર્બન-કેપ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને લગભગ 600 હજાર ટન CO2 કેપ્ચર અને સ્ટોર કરવામાં આવશે – જે લગભગ 2,50,000 કારને રસ્તા પરથી દૂર કરવાની સમકક્ષ છે.

વર્ટેક્સનું ઉત્પાદન પ્લાન્ટમાં સીધું રોકાણ લગભગ 500 મિલિયન પાઉન્ડનું હશે અને વર્ટેક્સ ફ્રન્ટ-એન્ડ-એન્જિનિયરિંગ-ડિઝાઇનમાં 700MW માટે બીજા પ્લાન્ટ (HPP2)ને પણ ઝડપથી આગળ વધારી રહ્યું છે. આ 2023માં પૂર્ણ થશે અને ઉત્તર-પશ્ચિમમાં વ્યાપક હાઇડ્રોજન અર્થતંત્રના સક્ષમ તરીકે વર્ટેક્સનું સ્થાન મજબૂત કરશે

એસ્સાર કેપિટલના ડિરેક્ટર પ્રશાંત રુઈયાએ જણાવ્યું હતું કે અમારા રોકાણને સમર્થન આપવા બદલ યુકે સરકારનું હું સ્વાગત કરું છું અને આભાર માનું છું. આનાથી અમને EETમાં અમારી સ્ટેનલો રિફાઇનરીની આસપાસ લંગરાયેલા યુકેના ઉત્તર-પશ્ચિમમાં પ્રીમિયર એનર્જી ટ્રાન્ઝિશન હબ બનાવવાની અમારી યોજનાઓ સાથે વિશ્વાસપૂર્વક આગળ વધવા માટે સક્ષમ બનાવે છે.

EETમાં નીચેની બાબતોનો સમાવેશ થશે

  • એસ્સાર ઓઇલ યુકે, નોર્થ વેસ્ટ ઇંગ્લેન્ડમાં કંપનીનો રિફાઇનિંગ અને માર્કેટિંગ બિઝનેસ
  • વર્ટેક્સ હાઇડ્રોજન, જે યુકે માર્કેટ માટે એક ગિગાવોટ (જીડબ્લ્યુ) લો કાર્બન હાઇડ્રોજનનો વિકાસ કરી રહ્યું છે, જેની ફોલો-ઓન ક્ષમતા 3.8GW સુધી પહોંચશે.
  • EET ફ્યુચર એનર્જી, જે ભારતમાં એક ગિગાવોટ ગ્રીન એમોનિયા વિકસાવી રહી છે. યુકે અને આંતરરાષ્ટ્રીય બજારો પર લક્ષ્યાંકિત છે.
  • સ્ટેનલો ટર્મિનલ્સ લિમિટેડ, જે સક્ષમ સ્ટોરેજ અને પાઇપલાઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવી રહી છે અને
  • EET બાયોફ્યુઅલ, જે એક MT લો કાર્બન બાયોફ્યુઅલના વિકાસમાં રોકાણ કરે છે.

 

યુકેમાં 2.4 બિલિયન અમેરિકી ડોલરના રોકાણ ઉપરાંત, EET ભારતમાં ઓછા કાર્બન ઇંધણ માટે કિફાયતી વૈશ્વિક સપ્લાય હબ વિકસાવવા માટે 1.2 બિલિયન અમેરિકી ડોલરનું પણ રોકાણ કરશે.

 

 

 

 

MICAનાં વિદ્યાર્થીઓએ ગ્રામીણ વિસ્તારમાં રહીને કામગીરી બજાવી

અમદાવાદઃ અત્રેની MICA સંસ્થાનાં દ્વિતીય વર્ષના વિદ્યાર્થીઓએ ‘રૂરલ ઈમર્સન કોર્સ’ના ભાગરૂપે દેશના જુદા જુદા ગ્રામીણ વિસ્તારોમાં રહીને સામાજિક અસર ઉપજાવનાર યોજનાઓ પર કામગીરી બજાવી હતી. આ રોકાણને કારણે એમને ગ્રામીણ જીવન અને સંસ્કૃતિ વિશેનો કિંમતી અનુભવ પ્રાપ્ત થયો હતો. વિદ્યાર્થીઓએ માનસિક આરોગ્ય અંગે જાગૃતિનો પ્રસાર કરવા, આદિવાસીજનોમાં સાહસવૃત્તિ કેળવવા, લિંગ સંવેદના, મહિલા સક્ષમીકરણ, આર્થિક સાક્ષરતા, ગ્રામીણ માર્કેટિંગ વગેરે વિષયોની યોજનાઓ પર કામ કર્યું હતું.

MICAના સહ-ચેરપર્સન (રૂરલ ઈમર્સન કોર્સ) પ્રો. કલ્લોલ દાસે કહ્યું છે કે, ભારતના ગ્રામીણ વિસ્તારોમાં કામ કરતી ગુજરાત ફોરેસ્ટ્સ, આગા ખાન રૂરલ સપોર્ટ પ્રોગ્રામ, સ્વદેસ ફાઉન્ડેશન, જયપુર રગ્સ, સંવેદના ફાઉન્ડેશન, અદાણી ફાઉન્ડેશન, નેશનલ લાઈવલીહુડ્સ રીસોર્સીસ ઈન્સ્ટિટ્યૂટ, SEWA જેવી શ્રેષ્ઠતમ સંસ્થાઓ સાથે સહયોગ કરવા બદલ અમે ગૌરવની લાગણીનો અનુભવ કરીએ છીએ. છ મહિનાના કોર્સ અંતર્ગત 179 વિદ્યાર્થીઓએ દેશના જુદા જુદા ગામડાઓમાં જઈને 10 દિવસ વીતાવ્યા હતા. એ દરમિયાન તેમણે ગ્રામજનો સાથે વાતચીત કરી હતી અને એમની પાયાની સમસ્યાઓ અને ચિંતાજનક બાબતો અંગે જાણકારી મેળવી હતી.

વિદ્યાર્થીઓની એક ટૂકડીએ સંવેદના ફાઉન્ડેશનના સહયોગમાં એક ગ્રામીણ શાળા પરના પ્રોજેક્ટ પર કામગીરી બજાવી હતી. તેમણે ગુજરાતના ધોળકા નજીકના લાના ગામમાં જઈ, ત્યાં 10 દિવસ સુધી રહીને ત્યાંના લોકોમાં શિક્ષણના મૂલ્ય અંગે લોકજાગૃતિ પ્રસારનું કામ કર્યું હતું. સાથોસાથ, એમણે સ્થાનિક સંસ્કૃતિ અને જીવનશૈલી વિશેની જાણકારી પણ મેળવી હતી.

યુવરાજ મહેતા નામના એક વિદ્યાર્થીએ બ્લાઈન્ડ પીપલ્સ એસોસિએશન (બીપીએ) સાથે મળીને કામ કર્યું હતું. તેણે કહ્યું, અમારા પ્રોજેક્ટનો હેતુ એક એવા માર્કેટિંગ સહયોગનું નિર્માણ કરવાનો છે. અમે ઠાસરા ગામનાં લોકોને હતાશા, અન્ય માનસિક બીમારીઓ થાય તો બીપીએ સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવતી મફત મેડિકલ સેવાઓનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કર્યાં હતાં.