કોલંબો: ભાગરૂપે ભગવાન બુદ્ધના પવિત્ર દેવનીમોરી અવશેષોનું પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્રદર્શન શ્રીલંકામાં યોજાય રહ્યું છે. જે ભારત સરકારના સાંસ્કૃતિક રાજદ્વારા અને આધ્યાત્મિક સંપર્કના ભાગરૂપે યોજાઈ રહ્યું છે. કોલંબોમાં આવેલા પ્રસિદ્ધ ગંગારામય મંદિરમાં હાલ આ પ્રદર્શન યોજાયું છે. જે ૪ થી ૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૬ સુધી ચાલશે અને ૧૧ ફેબ્રુઆરીએ આ અવશેષો ભારત પરત ફરશે.
આ અવશેષો હાલમાં વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે. તેમને ભારતીય વાયુસેનાના વિશેષ વિમાન દ્વારા પૂર્ણ રાજકિય સન્માન સાથે કોલંબો લઈ જવામાં આવ્યા છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ઉચ્ચસ્તરીય ભારતીય પ્રતિનિધિમંડળ તેમની સાથે જોડાયું છે. જેમાં વરિષ્ઠ બૌદ્ધ ભિક્ષુઓ અને અધિકારીઓ પણ જોડાયા છે.
આ પ્રદર્શન વડાપ્રધાનની એપ્રિલ ૨૦૨૫ની શ્રીલંકા મુલાકાત દરમિયાન વ્યક્ત કરાયેલા વિઝનના ભાગરૂપે યોજવામાં આવ્યું છે. તે ભારતને બૌદ્ધ ધર્મના જન્મસ્થાન તરીકેની સભ્યતાગત જવાબદારીને ઉજાગર કરે છે અને ભારત-શ્રીલંકા વચ્ચેના ઊંડા આધ્યાત્મિક, સાંસ્કૃતિક તેમજ લોકો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવે છે.
દેવનીમોરી અવશેષો ગુજરાતના અરવલ્લી જિલ્લામાં આવેલા શમળાજી નજીકના દેવનીમોરી પુરાતત્વ સ્થળમાંથી મળી આવ્યા છે. ૧૯૫૭માં પ્રખ્યાત પુરાતત્વવિદ્ પ્રો. એસ. એન. ચૌધરી દ્વારા ખોદકામ દરમિયાન આ અવશેષો મળ્યા હતા. સ્તૂપમાંથી મળેલું લીલા શિસ્ટનું કેસ્કેટ બ્રાહ્મી લિપિ અને સંસ્કૃત ભાષામાં અંકિત છે: “દશબલ શરીર નિલય” – એટલે બુદ્ધના શારીરિક અવશેષનું નિવાસસ્થાન. તેમાં તાંબાનું બોક્સ, રેશમી કાપડ, સોનાનો ઢોળ ચઢાવેલી ચાંદી-તાંબાની બોટલ, પવિત્ર રાખ અને અન્ય વસ્તુઓ છે. આ અવશેષો હવે એરટાઈટ કાચના ડેસિકેટરમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે.
ગંગારામય મંદિર, જે ૧૯મી સદીના અંતમાં વેનેરેબલ હિક્કાડુવે સુમંગલ નાયક થેરા દ્વારા સ્થાપિત થયું હતું. શ્રીલંકામાં બૌદ્ધ ઉપાસના, શિક્ષણ અને સાંસ્કૃતિક વિનિમયનું તે મુખ્ય કેન્દ્ર છે. આ પ્રદર્શન શ્રીલંકાના ભક્તો ઉપર ઊંડી અસર કરશે અને બંને દેશો વચ્ચેના સહભાગી બૌદ્ધ વારસાને વધુ મજબૂત કરશે.
ભારતે તાજેતરના વર્ષોમાં થાઈલેન્ડ, મોંગોલિયા, વિયેતનામ, રશિયા અને ભૂતાન જેવા દેશોમાં બુદ્ધ અવશેષોનું પ્રદર્શન કરીને લાખો ભક્તોને આકર્ષ્યા છે. આ ઘટના ભારતની સોફ્ટ પાવર અને લોક-કેન્દ્રિત વિદેશ નીતિને આગળ વધારે છે, જે અહિંસા, કરુણા અને સહઅસ્તિત્વના બુદ્ધ ધર્મના સાર્વત્રિક સંદેશને પ્રસારિત કરે છે.
ભગવાન બુદ્ધના પવિત્ર દેવનીમોરી અવશેષો શ્રીલંકા પહોંચ્યા
રાહુલ ગાંધીએ કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુને ‘ગદ્દાર’ કહ્યા
નવી દિલ્હી: બુધવારે સંસદ પરિસરમાં લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુ વચ્ચે તીવ્ર બોલાચાલી થઈ. રાહુલ ગાંધીએ બિટ્ટુ પર આકરા પ્રહાર કરતાં તેમને “ગદ્દાર” કહ્યા હતા, જેના જવાબમાં ભાજપના નેતાએ તરત જ પ્રતિ પ્રહાર કરતાં કહ્યું હતું કે તેમની “દેશના દુશ્મનો” સાથે કોઈ લેવાદેવા નથી.
મારા ગદ્દાર મિત્ર, ચિંતા ન કરો, ફરી કોંગ્રેસમાં આવી જાઓ
પ્રાપ્ત માહિતી અનુસાર જ્યારે કેન્દ્રીય રાજ્ય મંત્રી રવનીત સિંહ બિટ્ટૂ મકર દ્વાર પર વિરોધ કરી રહેલા કોંગ્રેસના સાંસદોની બાજુમાંથી પસાર થયા, ત્યારે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જુઓ, અહીંથી એક ગદ્દાર પસાર થઈ રહ્યો છે. તેનો ચહેરો જુઓ
રાહુલ ગાંધીએ બિટ્ટુ સાથે હાથ મિલાવવાની કોશિશ કરતાં કહ્યું હતું નમસ્તે ભાઈ, મારા ગદ્દાર મિત્ર. ચિંતા ન કરો, તમે પાછા (કોંગ્રેસમાં) આવી જાઓ.રવનીત સિંહ બિટ્ટૂ અગાઉ કોંગ્રેસમાં હતા અને પંજાબ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓમાં તેમની ગણતરી થતી હતી. બાદમાં તેમણે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા અને કેન્દ્ર સરકારમાં મંત્રી બન્યા.
કેન્દ્રીય મંત્રી બિટ્ટુએ રાહુલ ગાંધીને દેશના દુશ્મન… કહીને સંબોધ્યા હતા. કોંગ્રેસ નેતા પર પ્રહાર કરતાં તેમણે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તેઓ એવા લોકો સાથે કોઈ સંબંધ રાખતા નથી, જેમને તેઓ દેશનો દુશ્મન માને છે. બંને નેતાઓ વચ્ચે ગરમાગરમ વાદવિવાદ જોવા મળ્યો અને પછી બંને આગળ વધી ગયા.
કોંગ્રેસ સાંસદોએ સંસદની સીડીઓ પર વિરોધ પ્રદર્શન કર્યું
‘PM સમજૂતી કરી ચૂક્યા છે’ લખેલાં પોસ્ટરો સાથે કોંગ્રેસના સાંસદોને ભારત-અમેરિકા વેપાર કરારને લઈને સંસદની સીડીઓ પર વિરોધ પ્રદર્શન કરતાં જોવામાં આવ્યા. મંગળવારે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ભારત-અમેરિકા વેપાર કરાર અંગે મીડિયા સાથે વાત કરતાં આ જ આરોપ લગાવ્યો હતો.
US સેક્રેટરી રુબિયોએ વિદેશ મંત્રી જયશંકર સાથે દ્વિપક્ષી મંત્રણા કરી
નવી દિલ્હીઃ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ આજે ભારતીય વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકર સાથે બેઠક કરી. આ બેઠકમાં બંને નેતાઓએ મહત્વપૂર્ણ ખનિજોના શોધ, ખાણકામ અને પ્રોસેસિંગ ક્ષેત્રે દ્વિપક્ષી સહકારને ઔપચારિક સ્વરૂપ આપવા અંગે ચર્ચા-વિચારણા કરી હતી.
સેક્રેટરી રૂબિયો અને વિદેશ મંત્રી જયશંકરે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે થયેલી વેપાર સંધિનું સ્વાગત કર્યું હતું. બંને નેતાઓએ એ બાબત પર ભાર મૂક્યો કે નવી આર્થિક તકો ખોલવા અને સંયુક્ત ઊર્જા સુરક્ષા લક્ષ્યોને આગળ વધારવા માટે લોકશાહી દેશોએ સાથે મળીને કામ કરવું જરૂરી છે.આ બેઠકના અંતે સેક્રેટરી રુબિયો અને વિદેશ મંત્રી જયશંકરે ક્વાડ (Quad) મારફતે દ્વિપક્ષી અને બહુપક્ષી સહકાર વધારવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે સ્વીકાર્યું હતું કે સમૃદ્ધ ઇન્ડો-પેસિફિક વિસ્તાર અમારા સંયુક્ત હિતોને આગળ વધારવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકા દ્વારા ભારત પર લગાવવામાં આવેલા 50 ટકા ટેરિફને મંગળવારે ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ છેલ્લા લગભગ છ મહિનાથી બંને દેશો વચ્ચે ચાલતી તણાવપૂર્ણ સ્થિતિમાં ઘટાડો થવાની અને સંબંધોમાં સુધારાની આશા વધી છે. અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોએ આ મુલાકાતને દ્વિપક્ષી સંબંધોને મજબૂત બનાવવાની દિશામાં મોટું પગલું ગણાવ્યું છે.
Met with Indian External Affairs Minister @DrSJaishankar to discuss our bilateral cooperation on critical minerals exploration and work together to unlock new economic opportunities between our two countries. We also commended the trade deal between the United States and India. pic.twitter.com/Wji6P3v5ZE
— Secretary Marco Rubio (@SecRubio) February 3, 2026
માર્કો રૂબિયોએ X પર લખ્યું હતું કે ભારતીય વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર સાથે મુલાકાત કરી. આ દરમિયાન અમે મહત્વપૂર્ણ ખનિજોની શોધ સંબંધિત દ્વિપક્ષીય સહકાર પર ચર્ચા કરી અને બંને દેશો વચ્ચે નવી આર્થિક તકો ખોલવા માટે સાથે મળીને કામ કરવા અંગે વાત કરી. અમે અમેરિકા અને ભારત વચ્ચે થયેલી વેપાર સંધિનું પણ સ્વાગત કર્યું. બંને દેશો વચ્ચે નવી આર્થિક તકો અનલૉક કરવા માટે સંયુક્ત પ્રયાસો પર ભાર મૂક્યો હતો.
Delighted to meet US @SecRubio this afternoon.
A wide ranging conversation that covered our bilateral cooperation agenda, regional and global issues.
Facets of India – US Strategic Partnership discussed included trade, energy, nuclear, defence, critical minerals and… pic.twitter.com/1rbXJHgEQY
— Dr. S. Jaishankar (@DrSJaishankar) February 3, 2026
વિદેશ મંત્રી એસ. જયશંકરે X એકાઉન્ટ પર લખ્યું હતું કે આજે બપોરે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોને મળીને ખૂબ આનંદ થયો. એક વ્યાપક ચર્ચા થઈ, જેમાં અમારા દ્વિપક્ષી સહકાર એજન્ડા, તેમ જ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. ભારત-અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારીના વિવિધ પાસાઓ પર વાત થઈ, જેમાં વેપાર, ઊર્જા, પરમાણુ, રક્ષા, મહત્વપૂર્ણ ખનિજ અને ટેકનોલોજીનો સમાવેશ થાય છે. અમારા સંયુક્ત હિતોને આગળ વધારવા માટે વિવિધ તંત્રોની વહેલી બેઠક યોજવા પર સહમતી થઈ હતી.
બંગાળમાં SIR પર સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ પહોંચ્યાં CM મમતા બેનર્જી
નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને મતદાર યાદીની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા મુદ્દે ભારે વિવાદ ઊભો થયો છે. આ જ મુદ્દા સંબંધિત એક કેસમાં મુખ્ય મંત્રી મમતા બેનર્જી આજે સુપ્રીમ કોર્ટમાં હાજર થવાની છે. મમતા બેનર્જી આ કેસ પોતે જ લડી રહ્યાં છે અને આ મામલે પોતે જ અરજદાર પણ છે. સંસદના બજેટ સત્રનો આજે છઠ્ઠો દિવસ છે.
મમતા સુપ્રીમ કોર્ટમાં પોતાનો કેસ પોતે લડનાર દેશની પ્રથમ હાલની મુખ્ય મંત્રી બની શકે છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેન્ચ મોસ્ટારી બાનુ તેમ જ TMCના સાંસદ ડેરેક ઓ’બ્રાયન અને ડોલા સેન દ્વારા દાખલ કરાયેલી ત્રણ અરજીઓ પર સુનાવણી કરશે.
મુખ્ય મંત્રી મમતા બેનર્જીએ પણ આ મુદ્દે એક અલગ અરજી દાખલ કરી છે. જોકે તેમની અરજી હાલ બુધવારની કોઝ લિસ્ટમાં સામેલ નથી. મુખ્યમંત્રી બેનર્જી પાસે LLBની ડિગ્રી છે. તેઓ SIR મુદ્દે પોતાના તર્ક રજૂ કરી શકે છે.
19 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે અનેક નિર્દેશો આપ્યા હતા. તેમાં જણાવવાયું હતું કે પશ્ચિમ બંગાળમાં SIR પ્રક્રિયા પારદર્શક હોવી જોઈએ અને કોઈને પણ અસુવિધા ન થવી જોઈએ. મમતા બેનર્જીએ મંગળવારે આરોપ લગાવ્યો હતો કે SIRથી પ્રભાવિત લોકોને પોતાનો બચાવ કરવાની તક આપવામાં આવી રહી નથી. તેમણે વિધાનસભાની ચૂંટણીથી થોડા સમય પહેલાં રાજ્યોમાં આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી હોવા પર પણ સવાલ ઉઠાવ્યો હતો.
ઓનલાઈન ગેમિંગની લતને કારણે ત્રણ સગી બહેનોએ કરી આત્મહત્યા
ગાઝિયાબાદઃ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં ત્રણ સગીર સગી બહેનોએ નવમા માળેથી કૂદી આત્મહત્યા કરી લીધી છે. ત્રણેય બહેનો ઓનલાઈન ગેમિંગની લતની શિકાર હતી. જણાવવામાં આવે છે કે પરિવાર સતત તેમને ઓનલાઈન ગેમ રમવાથી રોકતો હતો, જેને કારણે ત્રણેય બહેનોએ આત્મહત્યા કરી લીધી. આ ઘટના ગાઝિયાબાદના ટિલા મોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ભરત સિટી સોસાયટીની છે. પોલીસ કેસની તપાસ કરી રહી છે.
ઓનલાઈન ટાસ્ક-બેઝ્ડ ગેમ રમતી હતી ત્રણેય બહેનો
ત્રણેય બહેનોની ઉંમર અનુક્રમે 16, 14 અને 12 વર્ષ હોવાનું જણાવવામાં આવ્યું છે. ત્રણેય બહેનો ઓનલાઈન ટાસ્ક-બેઝ્ડ કોરિયન લવ ગેમ રમતી હતી. બહેનોનાં નામ નિશિકા, પ્રાચી અને પાખી છે. ઘટનાના બાદ તેમના પિતા ચેતન કુમાર ગંભીર આઘાતમાં છે. જણાવવામાં આવે છે કે કોરોના કાળ દરમિયાન જ ત્રણેય બહેનોને મોબાઈલ ગેમની લત લાગી હતી અને ત્યાર બાદ તેમણે ટાસ્ક-બેઝ્ડ ગેમ રમવાનું શરૂ કર્યું હતું.
કોરોના દરમિયાન જ તેમણે અભ્યાસ પણ છોડી દીધો હતો અને તેમની સ્કૂલ નિયમિત નહોતી. આ ઘટના મંગળવારે રાત્રે લગભગ બે વાગ્યે બની હતી. ત્રણેય બહેનો સાથે મળીને કામ કરતી હતી અને સાથે જ ગેમ પણ રમતી હતી. જોકે પોલીસે કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે, એમ અહેવાલ કહે છે.

વધી રહ્યા છે આત્મહત્યાના કેસો
દેશમાં યુવાઓમાં આત્મહત્યાના કેસો ઝડપથી વધી રહ્યા છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB)ના આંકડા અનુસાર 1995થી 2021 દરમિયાન 1,34,735 યુવાઓએ આત્મહત્યા કરી છે. ચોંકાવનારી વાત એ છે કે દેશમાં 26 વર્ષોમાં કુલ અંદાજે 33 લાખ લોકોએ આત્મહત્યા કરી છે, જેમાંથી 40 ટકા યુવા અને સગીર હતા. NCRBના આંકડા મુજબ 2022માં દેશમાં 1,70,924 આત્મહત્યાઓ નોંધાઈ હતી, જે 2021ની તુલનામાં 4.2 ટકા વધુ છે.
સમય, મન, ઘટનાઓ અને મોક્ષ
સમય આપણા જીવનનું સૌથી ગૂઢ રહસ્ય છે. તે ફક્ત ઘટનાઓનો ક્રમ નથી, પરંતુ એક મૌન સાક્ષી છે જે દરેક ક્ષણને પરોવે છે. બાહ્ય દૃષ્ટિકોણથી સમય વસ્તુગત લાગે છે, પરંતુ આંતરિક અનુભવમાં તે દરેક વ્યક્તિ માટે અલગ છે. કેટલાક માટે સમય શુભ હોય છે, કેટલાક માટે મુશ્કેલીઓથી ભરેલો હોય છે. વાસ્તવમાં, સમય ફક્ત બે ઘટનાઓ વચ્ચેનું અંતર છે પરંતુ તેની ગતિ અને અસર વ્યક્તિની માનસિક સ્થિતિ પર આધાર રાખે છે.

એક તરફ, બધું નિરંતર બદલાતું રહે છે, બીજી તરફ, કંઈ જ બદલાતું નથી. આ વિરોધાભાસી લાગે છે, પરંતુ બંને સત્ય છે. સમય, મન અને ઘટનાઓ વચ્ચે એક અદ્રશ્ય જોડાણ છે. ઘટનાઓ અને સમય મનને અસર કરે છે, પરંતુ મોક્ષ એ એવી સ્થિતિ છે જ્યાં મન આ બધાથી મુક્ત થઈ જાય છે. માણસ તેની આસપાસ બનતી ઘટનાઓથી અસ્પૃશ્ય રહી શકતો નથી, પરંતુ તે ચોક્કસપણે તેનાથી અપ્રભાવિત રહેવાની ક્ષમતા વિકસાવી શકે છે.

બ્રહ્મજ્ઞાન સમયથી પરે છે. તે પરિવર્તનનો સાક્ષી છે, પરંતુ ક્યારેય સ્વયંને પરિવર્તિત કરતો નથી. જ્યારે મન શાંત હોય છે ત્યારે જ આપણે સમયની વાસ્તવિકતા સમજી શકીએ છીએ. જો આપણે ઘટનાઓને ચોક્કસ દ્રષ્ટિકોણથી જોઈએ તો તે એક સંગઠિત ક્રમમાં હોય તેવું લાગે છે, અન્યથા તે ફક્ત સંયોગો જ લાગે છે. સમયને ઘટનાઓથી અલગ કરી શકાતો નથી, પરંતુ સમય અને ઘટનાઓને મનથી અલગ કરી શકાય છે. ધ્યાન એ આ વિભાજનને સમજવાનો શ્રેષ્ઠ માર્ગ છે.
બાહ્ય પ્રવૃત્તિઓમાંથી મેળવેલો આનંદ ક્ષણિક હોય છે, જ્યારે સ્વ-નિરીક્ષણમાંથી મેળવેલો આનંદ ગહન અને સ્થાયી હોય છે. આ બંને પ્રકારના ઉત્સાહનું સંતુલન હોય ત્યારે જીવન શ્રેષ્ઠ કહેવાય છે. આધ્યાત્મિકતા કંટાળાજનક નથી, પરંતુ તે એક રહસ્યમય નૃત્ય છે, જ્યાં જીવનના વિરોધાભાસ સમાયેલા છે. જ્યારે આપણે ‘હા’ અને ‘ના’ બંનેને જેમ છે એ રીતે સ્વીકારીએ છીએ, ત્યારે આપણા માટે જીવનના નવા આયામો ખુલે છે.

અગણિત વર્ષોમાં અસંખ્ય ઘટનાઓ બની છે, અસંખ્ય લોકો આવ્યા અને ગયા છે. આપણે પણ આ વહેતી ધારાનો એક ભાગ છીએ. પરંતુ જે જાગૃત છે તે જ જીવનને ખરા અર્થમાં ઉજવી શકે છે. સમય કોઈના માટે રોકાતો નથી, પરંતુ શાશ્વત સત્યને ઓળખનારને સમય પણ પ્રભાવિત નથી કરી શકતો.
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)
મગની આખી દાળ અને રવાની ઈડલી
આ ઈડલીના નાસ્તા માટે દાળ કે રવો વધુ સમય પલાળવા કે પીસવાની કોઈ કળાકૂટ નથી, આ નાસ્તો ઈન્સ્ટન્ટ બની જાય છે!

સામગ્રીઃ મગની ફોતરાવગરની દાળ ½ કપ, રવો 1 કપ, રાઈ 1 ટી.સ્પૂન, હીંગ ¼ ટી.સ્પૂન, મીઠું સ્વાદ મુજબ, ધોઈને સમારેલી કોથમીર ½ કપ, કળીપત્તાના પાન 4-5, ઈનો સેચેટ 1, ખાટું દહીં ½ કપ, તેલ 2 ટે.સ્પૂન, કાજુના ટુકડા 7-8 (optional)
ચટણીઃ ટામેટું 1. તેલ 1 ટે.સ્પૂન, રાઈ 1 ટી.સ્પૂન, ચણાની દાળ 1 ટી.સ્પૂન¸ અળદની દાળ 1 ટી.સ્પૂન, ચણાનો લોટ 1 ટી.સ્પૂન, લસણની કળી 4-5, આદુનો ટુકડો 1 ઈંચ, લીલા મરચાં 2, કાશ્મીરી મરચાં પાઉડર 1 ટી.સ્પૂન, ધોઈને સમારેલી કોથમીર 2 ટે.સ્પૂન
રીતઃ મગની દાળને ધોઈને ગરમ પાણીમાં દસ મિનિટ માટે પલાળી રાખો. ત્યારબાદ તેમાંનું પાણી નિતારી લો.
એક પેનમાં તેલ ગરમ કરી રાઈનો વઘાર કરી, રાઈ તતડે એટલે લીલા મરચાંને ગોળ નાના ટુકડામાં ઝીણાં સમારીને ઉમેરી દો. કળી પત્તાના પાન પણ સમારીને ઉમેરી દો. ત્યારબાદ મગની દાળને થોડીવાર સાંતળી લીધા બાદ રવો ઉમેરી, થોડીવાર શેકી લીધા બાદ ગેસ બંધ કરી દો. તેમાં સમારેલી કોથમીર મેળવી દો. હવે તેમાં અડધો કપ દહીંમાં અડધો કપ પાણી મેળવીને વલોવીને ઉમેરી દો. મિશ્રણ વધુ પડતું ઘટ્ટ હોય તો અડધો કપ પાણી મેળવી દો.
ઈડલી બાફવાના વાસણમાં પાણી ગરમ કરવા મૂકો. ઈડલીનું મોલ્ડ અથવા નાની સ્ટીલની વાટકીઓમાં તેલ લગાડી રાખો. અને એક-એક કાજુનો ટુકડો પણ ગોઠવી દો.
ઈડલીના મિશ્રણમાં ઈનો પાઉચ ઠાલવીને તેની ઉપર એક ચમચી પાણી મેળવીને એક ચમચી વડે મિશ્રણ એકસરખું મિક્સ કરી લીધા બાદ તેમાંથી એક-એક ચમચા જેટલું મિશ્રણ ઈડલી મોલ્ડ અથવા વાટકીમાં રેડીને વાટકીઓ ઈડલી બાફવા માટેના વાસણમાં સ્ટીલની જાળી મૂકીને તેની ઉપર ગોઠવી દો.
વાસણ ઢાંકીને 10-15 મિનિટ ઈડલી બફાવા દો. ત્યારબાદ ગેસ બંધ કરીને ઈડલીની વાટકીઓ બહાર કાઢીને તે ઠંડી થાય એટલે ચમચી વડે ઈડલી કાઢી લો.
તે દરમ્યાન બીજા એક પેનમાં તેલ ગરમ કરી તેમાં ચણાની તેમજ અળદની દાળ સહેજ સોનેરી રંગની સાંતળી લો અને લસણ, આદુનો ટુકડો તેમજ મરચાંના ટુકડા નાખીને ચણાનો લોટ પણ સોનેરી રંગનો શેકી લીધા બાદ ટામેટું સમારીને ઉમેરી દો, ટામેટું નરમ થાય એટલે લાલ મરચાં પાઉડર તેમજ કોથમીર ઉમેરીને અડધો કપ જેટલું પાણી મેળવીને ગેસ બંધ કરી દો. મિશ્રણ ઠંડું થાય એટલે મિક્સીમાં આ ચટણી પીસી લો.
એક વઘારીયામાં તેલ ગરમ કરી રાઈનો વઘાર કરી, વઘાર ચટણીમાં મેળવીને આ ચટણી ઈડલી સાથે પીરસો.



હેરિટેજ શહેર અમદાવાદમાં ઐતિહાસિક સ્થાપત્યોનુ આગવું મહત્વ છે. શહેરના વાડજથી નવા વાડજ તરફ જતા માર્ગની વચ્ચે આવેલી મહેસાણા સોસાયટીના નાકા ઉપર એક સુંદર વાવ આવેલી છે.
