Home Blog Page 2651

જો તમારા ટ્વિટર પર 500 ફોલોઅર્સ છે, તો તમે મોટી કમાણી કરી શકશો, આ રીતે અરજી કરો

એલોન મસ્કે થોડા દિવસો પહેલા ટ્વિટર પર મુદ્રીકરણ સુવિધા શરૂ કરી હતી અને તેના એક અઠવાડિયા પછી તેણે ટ્વિટરનું નામ બદલીને X કરી દીધું હતું. હવે ટ્વિટર X તરીકે ઓળખાશે. ટ્વિટરના મુખ્યાલયમાંથી ટ્વિટર લોગોને પણ X સાથે બદલવામાં આવ્યો છે. આ સિવાય ઓફિસમાં પણ ટ્વિટર બર્ડને X સાથે બદલવામાં આવ્યું છે. એકંદરે, એલોન મસ્ક ટ્વિટરના નામ-ઓ-ટ્રેસને સમાપ્ત કરવા માંગે છે. તમારામાંથી ઘણા X નો ઉપયોગ કરતા હશે અને તમારી પાસે સારી સંખ્યામાં અનુયાયીઓ હશે. તમે પણ અન્ય લોકોની જેમ ટ્વિટર પરથી કમાણી કરી શકો છો. આવો જાણીએ તેની તમામ શરતો…

 

ટ્વિટર પર કઈ રીતે કમાણી થશે ? 

  • ટ્વિટરની મુદ્રીકરણ નીતિ સમગ્ર વિશ્વ માટે છે. પ્રથમ શરત એ છે કે તમારે ટ્વિટર બ્લુ સબસ્ક્રાઇબ કરવું પડશે, જેની કિંમત ડેસ્કટોપ માટે રૂ. 900 અને મોબાઇલ માટે દર મહિને રૂ. 650 છે.
  • બીજી શરત એ છે કે તમારા ઓછામાં ઓછા 500 ફોલોઅર્સ હોવા જોઈએ.
  • ત્રીજી શરત એ છે કે છેલ્લા ત્રણ મહિનામાં તમારી ટ્વિટ પર 15 મિલિયન ઈમ્પ્રેશન્સ હોવા જોઈએ.
  • આ શરતો પૂર્ણ કર્યા પછી તમે Twitter ના મુદ્રીકરણમાં જોડાઈ શકો છો.
  • $50 કમાયા પછી તમને ચૂકવણી કરવામાં આવશે.

Twitter મુદ્રીકરણ માટે કેવી રીતે અરજી કરવી?

  • સૌથી પહેલા તમારે તમારા એકાઉન્ટ સેટિંગ્સમાં જવું પડશે.
  • હવે તમારા એકાઉન્ટની નીચે જ મોનેટાઇઝેશનનો વિકલ્પ દેખાશે.
  • તેના પર ક્લિક કર્યા પછી, તમે સબ્સ્ક્રિપ્શન્સ અને જાહેરાત આવક શેરિંગના વિકલ્પો જોશો.
  • જો તમે બધી શરતો પૂરી કરો છો, તો આ બંને વિકલ્પો પર ક્લિક કરીને બેંક ખાતાની માહિતી ભરો.
  • તે પછી તમને પોસ્ટ અથવા વિડિયો સાથે જાહેરાતો દેખાશે અને તેના બદલામાં તમને પૈસા મળશે.

મહારાષ્ટ્રના એક પ્રધાન (કેસરકર)ની બીજા પ્રધાન (ભુજબળ)એ ઝાટકણી કાઢી

મુંબઈઃ ‘મેં શિર્ડીમાં જઈને ભગવાનને પ્રાર્થના કરી એટલે કોલ્હાપૂરમાં પૂર આવ્યું નહીં.’ મહારાષ્ટ્રના શાળાકીય શિક્ષણ ખાતાના પ્રધાન દીપક કેસરકરે કરેલો આ અજબગજબ દાવો ચર્ચાસ્પદ બન્યો છે. કેસરકરના આ દાવાની એમના સાથી પ્રધાન, અન્ન-નાગરી પુરવઠા પ્રધાન છગન ભુજબળે હાંસી ઉડાવી છે અને એમને ટોણો માર્યો છે.

પત્રકારો સાથે વાતચીત કરતાં કેસરકરે એમ કહ્યું હતું કે, ‘તમે અંધશ્રદ્ધા ગણો, શ્રદ્ધા ગણો કે બીજું કંઈ. પૂરની પરિસ્થિતિ હતી ત્યારે હું યોગાનુયોગ શિર્ડીમાં હતો. કોલ્હાપૂરના રાધાનગરી ડેમમાંથી પાણી છોડવામાં આવે તો જળસ્તર પાંચ ફૂટ વધી જાય છે. પરંતુ હું યોગાનુયોગ એ વખતે શિર્ડીમાં હતો એટલે એક ફૂટ પણ જળસ્તર વધ્યું નહોતું. હું હઠ પકડીને બેઠો હતો. મેં ભગવાનને પ્રાર્થના કરી હતી કે તમે આ જળસંકટને ટાળી દેજો. મારી પ્રાર્થનામાં તાકાત હતી. આધ્યાત્મિક્તામાં શક્તિ હોય છે.’

કેસરકરના ઉપરના નિવેદનની ભુજબળે મજાક ઉડાવી છે અને કહ્યું કે, ‘કેસરકરને કહો કે અહીંયા નાશિકમાં આવે અને ભગવાનને પ્રાર્થના કરે કે આ જિલ્લાના ડેમ ભરી આપે. અહીંયા આવો અને પ્રાર્થના કરીને નાશિકના ડેમને 50 ટકા ભરાવી આપો.’

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના દર્શકો માટે સારા સમાચાર !

નાના પડદાનો ફેમસ ફેમિલી-ડ્રામા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ તેની સ્ટોરી તેમજ તેના વિવાદોને કારણે હેડલાઇન્સમાં રહે છે. જ્યારથી દિશા વાકાણી શોમાંથી બહાર થઈ છે ત્યારથી દર્શકો તેને ખૂબ મિસ કરી રહ્યા છે. જો કે, મેકર્સે ઘણી વખત તેને શોમાં પરત લાવવાની કોશિશ કરી હતી, પરંતુ વાત સફળ થઈ ન હતી. હવે આ શોને લઈને એક સારા સમાચાર આવ્યા છે. તો જો તમે પણ ‘તારક મહેતા’ શોના ફેન છો, તો આ સારા સમાચાર ફક્ત તમારા માટે જ છે.

ટીવી ઈન્ડસ્ટ્રીના પોપ્યુલર શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના તમામ પાત્રોને દર્શકોએ ખૂબ પસંદ કર્યા છે, પરંતુ એક પાત્ર ભાગ્યે જ ભૂલી શકાય અને તે પાત્ર છે દયાબેન. જેઠાલાલ પછી દયાબેન ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના જીવન છે. ઉલ્લેખનીય છે કે દયા બેનનો રોલ કરી રહેલી દિશા વાકાણી છ વર્ષ પહેલા મેટરનિટી લીવ પર ગઈ હતી, પરંતુ તે પછી પણ તે શોમાં પાછી આવી નથી. છ વર્ષ પછી પણ માત્ર નિર્માતાઓ જ નહીં પણ દર્શકો પણ તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નિર્માતાઓએ તો ત્યાં સુધી કહ્યું હતું કે અભિનેત્રી માટે તેમના શોના દરવાજા હંમેશા ખુલ્લા છે. હવે અસિત મોદીએ કન્ફર્મ કર્યું છે કે દિશા શોમાં કમબેક કરી રહી છે.

લાંબી રાહ જોયા બાદ આખરે એ દિવસ જલ્દી આવી રહ્યો છે જ્યારે દિશા તેના જૂના પાત્રમાં પાછી ફરશે અને દર્શકોને ફરી એકવાર હસાવશે. હવે અસિતે તેના ચાહકોને સરપ્રાઈઝ આપી છે કે દિશા વાકાણી શોમાં કમબેક કરી રહી છે. હાલમાં જ તારક મહેતાના 15 વર્ષ પૂરા થવા પર અસિતે મોટી જાહેરાત કરી છે. અસિતે કહ્યું, ’15 વર્ષની આ સફરમાં દરેકને હાર્દિક અભિનંદન. તે એક એવી કલાકાર છે જેને આપણે ભૂલી શકતા નથી. તે કલાકાર છે દયા ભાભી એટલે કે દિશા વાકાણી. આ દ્વારા તેણે ચાહકોનું મનોરંજન કર્યું અને અમને હસાવ્યા. ચાહકો તેના વાપસીની રાહ જોઈ રહ્યા છે અને હું તમને વચન પણ આપું છું કે દિશા વાકાણી ટૂંક સમયમાં તારક મહેતામાં પાછી આવશે.

વર્લ્ડકપમાં બોલિંગની જવાબદારી નિભાવવા સુસજ્જ થઈ રહ્યો છુંઃ હાર્દિક

બ્રિજટાઉનઃ વેસ્ટ ઈન્ડિઝ ગઈ કાલે અહીં બીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ભારતને 6-વિકેટથી હરાવી 3-મેચની સીરિઝ 1-1થી સમાન કરી ગયું. આ મેચમાં ભારતીય ટીમનું સુકાન ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ સંભાળ્યું હતું. કેપ્ટન રોહિત શર્મા અને અનુભવી વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો હતો. મધ્યમ ઝડપી બોલર તરીકે હાર્દિકે આ મેચમાં 6.4 ઓવર ફેંકી હતી જેમાં 38 રન આપ્યા હતા, પણ એકેય વિકેટ મેળવવામાં સફળતા મળી નહોતી. પહેલી વન-ડેમાં એણે ત્રણ ઓવર ફેંકી હતી અને 17 રન આપીને એક વિકેટ લીધી હતી.

એવું મનાય છે કે આવતા ઓક્ટોબર-નવેમ્બરમાં ઘરઆંગણે ODI વર્લ્ડ કપ યોજાય તે પૂર્વે ક્રિકેટ બોર્ડ હાર્દિકને બોલર તરીકે સક્ષમ બનાવવા માગે છે. હાર્દિકે પોતાની પર નાખવામાં આવેલી બોલિંગની અતિરિક્ત જવાબદારીને વધારવા ઉત્સાહી છે. ઈજા અને સર્જરીને કારણે ખાસ્સો એવો સમય સુધી મેદાનથી દૂર રહેલા હાર્દિક પર હાલ માત્ર મર્યાદિત ઓવરોવાળી ક્રિકેટમાં જ બોલિંગનો બોજો નાખવામાં આવ્યો છે. ‘મારું શરીર સરસ રીતે કામ કરી રહ્યું છે. મારે વધારે ઓવર ફેંકવી પડશે અને વર્લ્ડ કપ માટે આ જવાબદારી નિભાવવામાં વધારે જોર લગાવવાનું છે. વર્લ્ડ કપમાં હું બોલિંગમાં સફળ રહીશ એવી મને આશા છે. હાલને તબક્કે તો હું સસલું નહીં, પણ કાચબો છું અને વર્લ્ડ કપ શરૂ થાય ત્યારે હું બધી રીતે સુસજ્જ થાઉં એવી આશા રાખું છું,’ એમ તેણે કહ્યું છે.

રશિયા યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા સાઉદી અરેબિયા આવ્યું આગળ, બોલાવી મહત્વની બેઠક

યુક્રેનમાં શાંતિ સ્થાપવા માટે સાઉદી અરેબિયા પણ આગળ આવ્યું છે. આગામી મહિને આ મુદ્દે મોટી બેઠક યોજવામાં આવી છે. ભારતને શાંતિ પુનઃસ્થાપન પર વાતચીત માટે પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બેઠકમાં 30 દેશો ભાગ લે તેવી શક્યતા છે. આ બેઠક 5-6 ઓગસ્ટના રોજ યોજાનાર છે. જેમાં સંબંધિત દેશોના રાજદૂતો હાજરી આપશે. રશિયાને બેઠકથી દૂર રાખવામાં આવ્યું છે. ખાસ કરીને પશ્ચિમ તરફી દેશોને આમંત્રણ આપવામાં આવ્યું છે.  ઈન્ડોનેશિયા, ઈજિપ્ત, મેક્સિકો, ચિલી, જર્મની અને ઝામ્બિયા સહિતના ડઝનબંધ દેશોના રાજદૂતો આ બેઠકમાં ભાગ લેશે. એવું માનવામાં આવે છે કે સાઉદી અરેબિયાની આ બેઠક યુક્રેનમાં શાંતિની પુનઃસ્થાપના માટે મદદરૂપ સાબિત થશે. રશિયા પણ યુક્રેનની શાંતિ પુનઃસ્થાપિત કરવાના પક્ષમાં છે પરંતુ તેની કેટલીક શરતો છે, જેને સ્વીકારવાનો યુક્રેન ઇનકાર કરે છે. રશિયાએ યુક્રેનના મોટા ભાગને કબજે કરી લીધો છે, અને પુતિન વહીવટીતંત્ર કહે છે કે જો જોડાણને માન્યતા આપવામાં આવે તો તે શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે તૈયાર છે.

બેઠકમાં અમેરિકા, બ્રિટન સામેલ થશે

હવે મોટો પ્રશ્ન એ છે કે આ બેઠકમાં કેટલા દેશ ભાગ લેશે. આ પહેલા કોપનહેગનમાં શાંતિ પર એક બેઠક પણ યોજાઈ હતી. આ બેઠકમાં ઘણા દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બ્રિટન, દક્ષિણ આફ્રિકા, પોલેન્ડ અને યુરોપિયન યુનિયને બેઠકમાં હાજરી આપવાની પુષ્ટિ કરી છે. શાંતિ પર આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે યુક્રેન રશિયાની રાજધાની મોસ્કો પર બે ડ્રોન હુમલા કરી ચૂક્યું છે. આનાથી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ચોંકી ગયા છે. નાટો સાથે યુદ્ધ માટે તૈયાર હોવાની જાહેરાત કરી છે.

રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ શાંતિના પક્ષમાં છે

રશિયા-આફ્રિકા સમિટમાં યુક્રેનમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા અંગે પણ ચર્ચા થઈ છે. ખુદ રાષ્ટ્રપતિ પુતિને પણ કહ્યું હતું કે તેઓ તેની તરફેણમાં છે પરંતુ યુક્રેન આક્રમક બની રહ્યું છે. જો યુક્રેન તેની આક્રમકતા બતાવશે તો અમે પણ કાર્યવાહી કરીશું. હાથ જોડીને બેસી શકાતું નથી. ખરેખર, આફ્રિકાના નેતાઓએ પુતિનને શાંતિ યોજના સોંપી છે. આમાં માત્ર રશિયાના હિતની વાત કરવામાં આવી છે. યુક્રેનના હિતની અવગણના કરવામાં આવી છે.

અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં ભીષણ આગ લાગી

અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં ભીષણ આગ લાગી છે.આગ મોટી હોવાથી મેજર કૉલ જાહેર કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા જ તાત્કાલીક ધોરણે ફાયર બ્રિગેડની 30 ગાડી ઘટના સ્થળે હાજર પોંહચી છે. આગ મોટી હોવાથી મેજર કૉલ જાહેર કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા જ તાત્કાલીક ધોરણે ફાયર બ્રિગેડની ગાડી ઘટના સ્થળે હાજર પોંહચી છે. અને આગ બુજાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.  બેઝમેન્ટમાં ભંગાર મુક્યો હોવાથી આગની ઘટના બની હોય તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે. તેમજ બેઝમેન્ટમાં 50 જેટલા વાહનો પણ છે. ધુમાડો દૂર કરવા સમોક વેન્ટીલેશન મશીનની મદદ લેવામાં આવી રહી છે.

 

અમદાવાદમાં બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે. ફાયર બ્રિગેડના તમામ સ્ટાફ અને સાધનોની મદદથી આગને કાબુમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. હોસ્પિટલ તરફનો 500મીટરના રોડ રસ્તા બંધ કરવામાં આવ્યો છે. આગ સાથે ધુમાડો ખૂબ જ હોવાથી ફાયરના જવાના અંદર ગયા હતા, પરંતુ ધુમાડાને કારણે લાંબો સમય અંદર રહી શક્યા નહિ. આગ ઓછી છે પરંતુ ધુમાડો વધારે હોવાથી અંદર જઈ શકાય તેવી સ્થિતિ નથી. ફેન વડે ધુમાડો બહાર કાઢવામાં આવી રહ્યો છે. જરૂર પડે હોસ્પિટલના પાર્કિગની છત તોડવામાં આવી શકે છે.


આ ઘટનાની જાણ થતા ગૃહમંત્રી અમિત શાહે દુખ વ્યક્ત કર્યું છે. આ સાથે તેમને મુખ્યમંત્રી સાથે વાત કરી સ્થિતિનો તાગ મેળવ્યો છે. તેમણે આ માહિતી ટ્વિટ કરી આપી હતી. તેમજ કર્મચારી અંદર ન જઈ શકતા અને રોબોની પણ મદદ લેવામાં આવી રહી છે. ઓક્સિજન સાધન સાથે કર્મચારીઓ આગ બુજાવવા જહેમત કરી રહ્યા છે. આગ લાગવાની ઘટનામાં દર્દીઓને હાલ કોઈ અસર થઈ નથી.

ગાયક સોનૂ નિગમે ઉજવ્યો 50મો જન્મદિવસ

હિન્દી ફિલ્મોના પાર્શ્વગાયક સોનૂ નિગમ 30 જુલાઈ, રવિવારે એમનો 50મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. જન્મદિવસની પૂર્વસંધ્યાએ, શનિવાર, 29 જુલાઈએ એમણે મુંબઈમાં એમના ખાસ મિત્રો, પરિચિતો માટે પાર્ટી યોજી હતી. તેમાં સાથી ગાયક મિકા સિંહ, ટી-સીરિઝ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર અને ફિલ્મ નિર્માતા ભૂષણકુમાર, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પાર્ટીના વડા રાજ ઠાકરે અને એમના પત્ની શર્મિલા, તથા અન્ય આમંત્રિતોએ હાજરી આપી હતી.

ગાયક મિકા સિંહ સાથે

ટી-સીરિઝના ભૂષણકુમાર સાથે

ભાજપના રાષ્ટ્રીય ઉપપ્રમુખપદે મુસ્લિમ ચહેરોઃ જાણો તારિક મન્સૂર વિશે…

નવી દિલ્હીઃ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભૂંડો પરાજય થયા બાદ ભારતીય જનતા પાર્ટીએ સંગઠન કક્ષાએ ફેરફારોની શરૂઆત કરી દીધી છે. હવે મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પાર્ટીએ તેની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિમાં અનેક નવા ચહેરાઓને તક આપવાનો નિર્ણય લીધો છે. આમાં એક છે, ભાજપના ઉત્તર પ્રદેશ વિધાન પરિષદના સભ્ય તારિક મન્સૂર, જેમને ભાજપના રાષ્ટ્રીય ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

મન્સૂર ઉત્તર પ્રદેશ સ્થિત દેશની પ્રતિષ્ઠિત અલીગઢ મુસ્લિમ યૂનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ છે. તેઓ પસમંદા નામક પછાત મુસ્લિમ સમાજમાંથી આવે છે. તેથી 2024ની લોકસભા ચૂંટણીમાં પસમંદા સમાજના મતદારો તથા અન્ય લઘુમતી મતદારોને  આકર્ષિત કરવા માટે ભાજપે આ રાજકીય દાવ ખેલ્યો હોવાનું મનાય છે.

ભાજપના ટોચના નેતાઓએ પસમંદા સમાજના અનેક આગેવાનોનો સંપર્ક કર્યો હતો અને બાદમાં તારિક મન્સૂર પર પસંદગી ઉતારી છે. ભાજપે ગયા વર્ષે મન્સૂરને ઉ.પ્ર. વિધાનપરિષદના સદસ્ટ નિયુક્ત કર્યા હતા. હવે એમને સીધા પક્ષના રાષ્ટ્રીય ઉપપ્રમુખ પદે જ નિયુક્ત કરી દીધા છે. આમ કરીને ભાજપે અલ્પસંખ્યક લોકોને પ્રતિનિધિત્વ આપવાની શરૂઆત કરી દીધી છે.

આજે રવિવારે પણ ITR ફાઈલ કરી શકાશે

મુંબઈઃ નાણાકીય વર્ષ 2023-24 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાની આખરી તારીખ 31 જુલાઈ છે. 27 જુલાઈ સુધી માત્ર 73 ટકા ITR ફાઈલ થયા હતા. અનેક કરદાતાઓએ ITR ફાઈલ કરવામાં તકલીફ પડતી હોવાની ટ્વિટર અને ઈમેલના માધ્યમથી આવકવેરા વિભાગને ફરિયાદ કરી છે. તેથી વિભાગે હેલ્પલાઈન નંબર, ચેટબોટ્સ અને ઈમેલ 24×7 જારી કર્યા છે.

આ છે હેલ્પલાઈન નંબરોઃ

 

1800 103 0025

1800 419 0025

+91-80-61464700

+91-80-46122000

કરદાતાઓ orm@cpc.incometax.gov.in પર અને તેના મોબાઈલ નંબરો પર માહિતી દઈને સંબંધિત ફરિયાદનો ઈમેલ કરી શકે છે.

7 વિદેશી સેટેલાઈટ્સને ભ્રમણકક્ષામાં મૂકવામાં સફળ થયું રોકેટ PSLV-C56

શ્રીહરિકોટા (આંધ્ર પ્રદેશ): ભારતની અવકાશ સંશોધન સંસ્થા ‘ISRO’એ સિંગાપોરના રડાર ઈમેજિંગ સેટેલાઈટ DS-SAR તથા બીજા છ કૃત્રિમ ઉપગ્રહોને નિર્ધારિત ભ્રમણકક્ષામાં મૂકવામાં સફળતા મેળવી છે. ઈસરોનાં વિજ્ઞાનીઓએ બનાવેલું રોકેટ PSLV-C56 (પોલર સેટેલાઈટ લોન્ચ વેહિકલ) અહીંના સતિષ ધવન સ્પેસ સેન્ટરના લોન્ચ પેડ ખાતેથી સવારે 6.30 વાગ્યે અંતરિક્ષભણી રવાના થયું હતું અને ધીમે ધીમે આકાશમાં ઊંચે આગળ વધ્યું હતું. 44.4 મીટર લાંબા આ રોકેટે કુલ 228.6 ટન વજનના સેટેલાઈટ્સને ઊંચક્યા હતા. સિંગાપોરનો મૂળ સેટેલાઈટ 352 કિલોગ્રામ વજનનો હતો. આ સાથે ઈસરો સંસ્થાએ 1999ની સાલથી અત્યાર સુધીમાં 39 દેશોનાં કુલ 431 સેટેલાઈટ્સને ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક મૂકી આપ્યા છે.

(તસવીર સૌજન્યઃ @isro)

ઈસરોના ચેરમેન એસ. સોમનાથે આજની સિદ્ધિ વિશે આનંદ વ્યક્ત કર્યો હતો અને કહ્યું કે ઈસરો હવે ઓગસ્ટમાં કે સપ્ટેમ્બરના આરંભમાં એક વધુ રોકેટ મિશન હાથ ધરવાનું છે.