Home Blog Page 2656

વાસ્તુ: નકારાત્મક વિચારો આવતા હોય તો સોમવારે કરો આ ઉપાય

મિત્રો કેવા હોવા જોઈએ? આપણી ભૂલો પર ઢાંક પીછોડો કરે એવા, કે પછી ભૂલો સુધારવા મદદ કરે એવા? આફતના સમયે સાથે ઉભા રહે એને મિત્રો કહેવાય, પરંતુ ગુનો કર્યા બાદ છાવરવા માટે સાથે ઉભા રહે એ મિત્રો ન જ કહેવાય. અને જો એવા લોકોને મિત્ર કહેવાય તો ભવિષ્યના સમાજની કલ્પના પણ બિહામણી લાગશે. કેટલાક લોકો કર્ણનું ઉદાહરણ પણ આપશે. કે એણે દુર્યોધનનો સાથ આપ્યો. પણ એના માટે મહાભારત વિષે પુરતી માહિતી જોઈએ. શું પાંડવોએ કે કુંતીએ કર્ણનો સ્વીકાર કર્યો હતો? શું કર્ણ દુર્યોધનની રહેમ નજરમાં જીવતો હતો? શું કર્ણ ખરાબ હતો? વળી મહાભારત એ યુદ્ધ હતું. જેમાં બંને પક્ષે ઘણું બધું એવું થયું હતું જે યોગ્ય ન ગણાય. યુદ્ધના નિયમો રોજબરોજના જીવનમાં ન જ લવાય. જે વ્યક્તિત્વને સુધારવામાં મદદ કરે એ મિત્ર કહેવાય. નહિ કે માત્ર પાર્ટીઓમાં સાથે ફરે એ.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલ ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: મારી એક મિત્ર ગરીબ ઘરની છે. એની એક મિત્રનો મિત્ર ધનવાન છે પણ એને કોઈ પસંદ નથી કરતુ. માત્ર એના પપ્પાએ મોઢે ચડાવેલ છે. એક વખત મારી મિત્ર એની મિત્ર સાથે પેલા ધનવાન માણસની પાર્ટીમાં ગઈ. જ્યાં એક ગુનાહિત કાર્ય થયું. મારી મિત્રએ રોકવા પ્રયાસ કર્યો પણ એ નિષ્ફળ રહી. એણે સાચી વાત જણાવી દીધી. હવે લોકો મહેણાં મારે છે કે એની હૈસિયત નહોતી તોએ એ આવી પાર્ટીમાં ગઈ હતી. જેના પૈસે લહેર કરતી હતી એને જ ફસાવી દીધો. મારી મિત્ર પણ તકલીફમાં છે. શું ગરીબ હોવું એ ગુનો છે? વળી એ કોઈની પાર્ટીમાં આમંત્રિત હતી. એ માણસ ગુનો કરશે એની જાણ પહેલેથી થોડી જ હોય? જેણે ગુનો કર્યો એને સહાનુભુતિ મળે છે અને મારી મિત્રને લોકો ગમે તેવું કહે છે. એનો પરિવાર પણ શરમમાં છે. મને ડર છે કે એ કોઈ ખોટું પગલું ન ભરે. એને સમજાવવા મારે શું કરવું જોઈએ.

જવાબ: કોઈની ઝાકઝમાળથી અંજાઈને મિત્રો ન બનાવાય. જોકે તમારી વાત પરથી તમારી મિત્ર સંપૂર્ણ રીતે પેલા માણસના કરતૂતોથી અજાણ હોય એવું લાગે છે. ગરીબ હોવું એ ગુનો નથી જ. માનસિક ગરીબી એ ચોક્કસ ગુનો છે. વળી ભૂલ અને ગુનો એ બંને અલગ પ્રક્રિયા છે. મિત્ર ભૂલ કરે તો ટોકવો જોઈએ. એ ફસાયો હોય તો બચાવવો જોઈએ. પણ પૈસાથી મુલ્યો તો ન જ વેંચાય. એ અત્યંત દુખદ બાબત છે કે ધન અને સત્તા એ માણસની ઓળખ બની રહ્યા છે. માનવીય મુલ્યોની સમજણ ઓછી થઇ રહી છે. એમાં કેટલાક અંશે અંગ્રેજી સાહિત્ય પણ જવાબદાર છે. સોસીયલ મીડિયા પર વાયરલ થતી વિડીયો પણ દર્શાવે છે કે લોકો ભૌતિકતાથી અંજાઈ રહ્યા છે. તમારી મિત્રને સમજાવજો કે આ વાત એના કરતા જેણે ગુનો કર્યો છે એના માટે વધારે શરમજનક છે. જીવન આમ ન જ ખોઈ દેવાય. એને મહામૃત્યુંન્જય મંત્ર કરવાની સલાહ છે.

સવાલ: મારા એક મિત્રે લગ્નની લાલચ આપીને મારા પર દુષ્કર્મ કર્યું. હું હવે પવિત્ર નથી. મારી જાત પર ગુસ્સો આવે છે. ખુબ નકારાત્મક વિચારો આવે છે. પેલો માણસ છુટથી ફરે છે. મને શરમ આવે છે. કશું જ સમજાતું નથી.

જવાબ: શારીરિક સંબંધ બન્ને એ બાંધ્યો છે. તો શરમાવાનું તમારે એકલા કેમ? વળી કૌમાર્ય ભંગ થવાથી તમે હતાશામાં જતા રહો એ પણ ખોટું છે. વ્યક્તિનું સ્વમાન એના મનમાં હોય છે. માત્ર કૌમાંર્યમાં નહિ. કોઈના પર પણ આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ. પણ કોઈ દગો દે તો એના માટે પોતાને ગુનેહગાર ન સમજાય. આખી ઘટનાને ભૂલી અને નવેસરથી જીવવાનું શરુ કરો. જીવન સાચેજ ખુબ સુંદર છે. સમય જતા એ વ્યક્તિ અને ઘટના એની મેળે મનમાંથી નીકળી જશે. પણ, હા, હવે પછી આમ વિચાર્યા વિના કોઈને સમર્પિત ન થશો. બીજું કે ચાર જાણીતી વ્યક્તિઓની હાજરીમાં લગ્ન કર્યા હોય તો કશું પણ ખોટું થાય એની સંભાવના ઘટે. શિવલિંગ પર કેવડા અને ચંદનના અત્તરથી અભિષેક કરો.

સુચન: સોમવારે ઉપવાસ કરવાથી નકારાત્મક વિચારો ઓછા આવે છે.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)

 

દક્ષિણ, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદઃ પૂર્ણા નદી ભયજનક સપાટીએ

અમદાવાદઃ રાજ્યમાં ફરી એક વાર દક્ષિણ ગુજરાતમાં જળબંબોળની સ્થિતિ છે. નવસારીમાં એક જ રાતમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે વહીવટી તંત્ર સાબદું થયું છે. નવસારીમાં ભારે વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારના 153 માર્ગો અને સ્ટેટ હાઇવેના બે માર્ગો બંધ કરવામાં આવ્યા છે. નવસારી જિલ્લામાં અંબિકા, પૂર્ણા અને કાવેરી નદીની જળસપાટીમાં વધારો થયો છે. ખાસ કરીને પૂર્ણા નદીની જળસપાટી 24 ફૂટ થતાં નવસારી પાલિકાનું તંત્ર એલર્ટ થયું છે. પૂર્ણા હાલ ભયજનક સપાટીથી એક ફૂટ ઉપર છે. સુરત, તાપી, ડાંગ જિલ્લામાં વરસાદને કારણે નદીઓમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. શહેરમાં ભારે વરસાદને લીધે ૧૬૦ અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

આ સાથે  ચીખલીની કાવેરી નદી ભયજનક 19 ફૂટ છે. હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં રાજ્યના 50 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં આઠ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ છોટા ઉદેપુરના પાવી જેતપુરમાં સવા છ ઇંચ ખાબક્યો છે. તો રાત્રે પડેલા ધોધમાર વરસાદમાં નવસારી બેટમાં ફેરવાઈ ગયું છે.

બસ ફસાઈ

વડોદરાના માંગલેજ-નારેશ્વર રોડ ઉપર ગણપતપુરા રેલવે ઓવરબ્રિજ નીચે ભરાયેલા વરસાદી પાણીમાં વડતાલ સંત્સગીઓની બસ ફસાઈ ગઈ હતી. બસ હેમખેમ બહાર નીકળતા સંત્સગીઓને હાશ થઈ હતી.

રસ્તા બંધ

સુરત જિલ્લામાં ભારે વરસાદના પગલે 32 જેટલા રસ્તાઓ પર પાણી ફરી વળતાં બંધ થઈ ગયા છે. જેમાં સૌથી વધુ બારડોલીના 17 રસ્તા બંધ છે. જયારે મહુવાના 10 રસ્તા બંધ છે. આ સાથે પલસાણાના ચાર અને માંડવીનો એક રસ્તો બંધ થઈ ગયો છે. ભારે વરસાદને પગલે બારડોલી નગરના જલારામ મંદિરની પાછળથી 13 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.  ડી.એમ નગર અને એમ. એન પાર્ક નગરમાંથી પણ 11 લોકોનું રેસ્ક્યુ કરાયું હતું.

નવસારી જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત

નવસારીમાં 11 ઇંચ વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. શહેરના અનેક વિસ્તારો જળમગ્ન બનતા જનજીવન ઠપ થયું છે. શહેરમાં વરસાદી પાણી ભરાઈ જતા અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. થયા છે. તો ભારે વરસાદના કારણે ચીખલીથી હરણ ગામ જતો માર્ગ અવર-જવર માટે બંધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના 153 માર્ગો અને સ્ટેટ હાઇવેને બંધ કરવામાં આવ્યો છે.

21 લોકોનું રેસ્ક્યુ કરાયું

મધુબન ડેમમાંથી દર કલાકે એક લાખ ક્યુસેટથી વધુ પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું હતું. જેને લઈને દાદરાનગર હવેલીના ખાનવેલના વિલ તલાવલી ખાતે ખાડીના તટ વિસ્તારમાં 21 લોકો ફસાઈ ગયા હતા.  જેથી સ્થાનિક ફાયર અને અન્ય ટીમો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

હવામાન વિભાગ દ્વારા આજે વલસાડ, નવસારી અને કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ, દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ સિવાય સાબરકાંઠા અને અરવલ્લીમાં આવતી કાલે ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં 45થી 60 કિમીની ઝડપે પવન ફૂકાશે તેમજ આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

 

 

 

 

રૂહાની રહમની અગત્યતા

આ મહાસાગરનો કિનારો કરુણા છે. માટે જ કલ્યાણ અને કરુણાનો આપસમાં ગાઢો સંબંધ છે. કરુણા ભાવ ઉત્પન્ન થયા વગર કોઈનું કલ્યાણ થઇ શકતુ નથી. જેનામાં જેટલી કરુણા અર્થાત રહમ ભાવ છે તેઓ એટલા જ શિવ (ભગવાન) સમાન છે. આજે વિશ્વમાં નાના પદ થી લઈને મોટી સત્તાઓ સુધી દરેકમાં ઉત્તેજના તથા શું થશે તેની ચિંતા દેખાઈ રહી છે. ક્યાંક શાંતિની સ્થાપનાનો પ્રશ્ન તો ક્યાંક ભૂખ અને ગરીબીથી બેહાલ લોકોનો સમૂહ છે. ક્યાંક સ્વાર્થની બોલબાલા છે તો ક્યાંક પ્રેમ માટે વ્યાકુળતા છે. ક્યાંક નાણાનો અભાવ છે તો ક્યાંક વ્યર્થનું પૂર છે. આ દુઃખ-દર્દ ભર્યા દ્રશ્યને મુસ્કુરાહટમાં બદલવાનો એકમાત્ર ઉપાય પરમાત્મા પિતા દ્વારા આપવામાં આવેલ રૂહાની જ્ઞાન છે, પોતાના સાચા આત્મિક રૂપની ઓળખાણ તથા સૃષ્ટિ ચક્રના જ્ઞાનની સાચી ઓળખ છે. પરંતુ જે રીતે કોઈપણ પ્રકારના શરીરના ઘા ઉપર પહેલા મલમ લગાવવામાં આવે છે ત્યારબાદ પટ્ટી લગાવવામાં આવે છે, તે જ રીતે રૂહાની જ્ઞાન આપતા પહેલા રુહાની રહમની જરૂરત હોય છે.

પહેલા મલમ અને પછી પટ્ટીનો અવિનાશી સાથ ઘાની પીડાને રાહત પહોંચાડે છે. આ રીતે વિશ્વને પણ રહમનો મલમ જોઈએ છે. રહમની કિરણો, રહમ ભરી દુઆઓ જોઈએ છે. રૂહાની જ્ઞાન દ્વારા ત્રીજું નેત્ર ખોલવા માટે સર્વપ્રથમ બધી આત્માઓને રહમના ભાવથી ભરપૂર કરો તેનાથી તેમના હૃદય નિર્મળ બનશે અને ત્યારેજ વિશ્વ સમસ્યા મુક્ત બની શકશે. રહમભરી દ્રષ્ટિ તથા વાણીમાં ખૂબ શક્તિ છે. “બધાનું ભલું થાવ, કલ્યાણ થાવ” આ પ્રકારના ફેલાવતી રૂહાની દૃષ્ટિ તથા વાણી પથ્થર હૃદયને અને ના બદલવા વાળા અને વિરોધી આત્માઓના હૃદયને પણ મીણ જેવું મુલાયમ તથા શીતળ બનાવી દે છે. તેમની મરી પરવાડેલ સદભાવનાઓને આશાનું અમૃતપાન કરાવી અમરતા તરફ લઈ જાય છે. આ વિધિ વિરોધીયોને પણ ગળાનો હાર બનાવી દે છે. આ રહમભાવ જ શ્રેષ્ઠ ધર્મનું મૂળ છે. માટે જ કહેવાય છે – “દયા ધર્મનું મૂળ છે”. આજ ધર્મસ્થાપકનું તેજ-બળ છે. કોઈપણ શરીરધારી ભગવાન નથી બની શકતા પરંતુ આ કરુણાની શુદ્ધ ભાવનાથી મહાત્મા બુદ્ધ ભગવાન તો નહીં પણ ભગવાન સમાન બની ગયા. તેમને ભગવાનના અવતાર માનવા લાગ્યા.

જ્યારે આત્મા રુહાનિયતના રૂઆબથી ભરપૂર હોય છે ત્યારે કરુણા કે રહમની ભાવના ઉત્પન્ન થાય છે. જ્ઞાનયુક્ત રહમદિલ આત્મા ક્યારેય પણ કોઈના ઉપર પ્રભાવિત નથી થતી. જ્યારે કોઈ શ્રેષ્ઠ આત્મા દ્વારા સહયોગ મળે છે ત્યારે સહયોગ લો પરંતુ દાતા કોણ છે તે ભૂલવું ન જોઈએ.

રહમની શરૂઆત પોતાના ઉપર રહમ થી થાય છે . પરંતુ આ કાર્ય તલવારની ધાર પર ચાલવા જેવું છે. કારણકે જ્યારે વ્યક્તિ પોતાના ઉપર રહમ કરતા કરતા પોતાના ઉપર પ્રભાવિત થવા લાગે છે ત્યારે તે પોતાની પ્રગતિના દરવાજા બંધ કરી દે છે. પોતાના ઉપર રહમ કરતા સમયે પોતાની દરેક સફળતાનો યશ રહમ દિલ પ્રભુ પિતાને આપીએ.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

કોરાનાના 45 નવા કેસો, એકનું પણ મોત નહીં   

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 45 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,95,434 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,915 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,62,116 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 49 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1455એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 40,446 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.36 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,52,273 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 303 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

90 દેશોની જેલોમાં 8,330 ભારતીયો પૂરાયેલા છે

નવી દિલ્હીઃ કેન્દ્રના નાયબ વિદેશ પ્રધાન વી. મુરલીધરને રાજ્યસભામાં લેખિતમાં આપેલી જાણકારી મુજબ, 8,330 જેટલા ભારતીય નાગરિકો 90 દેશોમાં જેલમાં પૂરાયેલા છે. આમાંના 1,611 જણ સંયુક્ત આરબ અમિરાતની જેલમાં છે.

સાઉદી અરેબિયાની જેલોમાં 1,461 ભારતીયો, નેપાળની જેલોમાં 1,222, કતરમાં 696, કુવૈતમાં 446, મલેશિયામાં 341, પાકિસ્તાનમાં 308, અમેરિકામાં 294, બેહરીનમાં 277, બ્રિટનમાં 249, ચીનમાં 178, ઈટાલીમાં 157, ઓમાનમાં 139 ભારતીયો જેલમાં પૂરાયેલા છે. આ ભારતીયોને છોડી મૂકવા અને એમને ભારત પાછા મોકલી દેવાના મુદ્દે વિદેશસ્થિત ભારતીય દૂતાવાસના અધિકારીઓ સંબંધિત દેશોના સત્તાવાળાઓ સાથે નિયમિત રીતે રજૂઆત કરી રહ્યા છે. ઘણા દેશોના ગોપનીયતાને લગતા કડક કાયદાઓને લીધે સ્થાનિક સત્તાવાળાઓ કેદીઓ વિશે માહિતી શેર કરતા નથી. કોઈ કેદી એવી માહિતી આપવા સહમત થાય તો જ આપવામાં આવે છે.

પ્રભાસના ફેસબુક પેજ સાથે હેકર્સની છેડછાડ

ચેન્નાઈઃ બે ‘બાહુબલી’ ફિલ્મ બાદ ભારતભરમા સુપરસ્ટાર બની ગયેલા દક્ષિણી ફિલ્મોના અભિનેતા પ્રભાસ સોશિયલ મિડિયા પર અન્યો જેટલો સક્રિય નથી. તે માત્ર પોતાની ફિલ્મો વિશે અપડેટ્સ શેર કરવા માટે જ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટનો ઉપયોગ કરે છે. અંગત જીવનને લગતી માહિતી તે ભાગ્યે જ શેર કરતો હોય છે. ગઈ કાલે રાતે એના ફેસબુક પેજને હેક કરવામાં આવ્યું હતું. હેકર્સે તેમાં બે વાઈરલ વિડિયો શેર કર્યા હતા અને તેની કેપ્શન્સમાં આવું લખ્યું હતું; ‘અનલકી હ્યુમન્સ’ અને ‘બોલ ફેલ્સ અરાઉન્ડ ધ વર્લ્ડ.’

પોતાના ફેસબુક પેજ સાથે છેડછાડ કરવામાં આવી હોવાનો પ્રભાસે એકરાર કર્યો છે અને એક ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ કરી છે જેમાં આવું વંચાય છેઃ ‘દરેકને હેલ્લો. મારા ફેસબુક પેજ સાથે છેડછાડ કરવામાં આવી છે. ટીમ આનો ઉકેલ શોધી રહી છે.’

પ્રભાસના હેક્ડ કરાયેલા ફેસબુક પેજ વિશે ઘણા નેટયૂઝર્સે મજાકીયા કમેન્ટ્સ લખી છે. એક જણે લખ્યું છે, ‘અનલકી હ્યુમન્સ (કમનસીબ માનવીઓ) એ છે જેમણે આદિપુરુષ ફિલ્મ જોઈ છે.’ (ઉલ્લેખનીય છે કે ઓમ રાઉત દ્વારા દિગ્દર્શિત ‘આદિપુરુષ’ ફિલ્મ બકવાસ સંવાદો અને વિઝ્યુઅલ્સ તેમજ પાત્રોના કંગાળ ચિત્રણને કારણે બોક્સ ઓફિસ પર પીટાઈ ગઈ છે. પ્રભાસની ઉપરાછાપરી ત્રણ ફિલ્મ ફ્લોપ ગઈ છે – સાહો, રાધે શ્યામ અને આદિપુરુષ)

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૨૮ જૂલાઈ, ૨૦૨૩

૨૮ જૂલાઈ, ૨૦૨૩

Chitralekha Gujarati – August 07, 2023

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

રાશિ ભવિષ્ય 28/07/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસે સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકા ની તકલીફથી સાચવવું, વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, ખરીદી પાછળકે ફરવામાં ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય અને તેનો થોડો અજંપો તમારી શાંતિને ખલેલ પોહ્ચાડી શકે છે.


આજનો દિવસ સારી રીતે પસાર થાય કારણકે તમને ઉત્સાહ રહે તેવા સંજોગો બને અને નવીનકામનું આયોજન થાય, જુનામતભેદ ભૂલવાની તક મળે, ધાર્મિકકાર્ય હેતુ ક્યાક મુસાફરી થાય અને તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય, તમે કોઈને મદદ કરવાની સદભાવના રાખો તેવું બની શકે.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સારી રીતે સમય પસાર થાય, ક્યાંક બિનજરૂરી નાણાકીય ખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય, હરવાફરવામાં ઉત્સાહ સારો જોવા મળે,  માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિતકે જુનાસંપર્ક દ્વારા તમને તમારા કામમાં સારો પ્રતિસાદ જોવા મળી શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો ખાસ કરીને વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે જેથી ખોટો અજંપો ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું, પાડવા,વાગવા,કફ,છાતી,પ્રેસરજેવી તકલીફથી સાચવવું, માર્કેટિંગક્ષેત્રમાં મહેનત કરતા ઓછું ફળ મળે તેવું બની શકે છે, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસ્તતા જોવા મળી શકે છે, મનમાં થોડી અશાંતિ જોવા મળી શકે છે, સરકારીકામ,યુનિફોર્મવાળી નોકરી,સોનાઝવેરાત,ફાર્મા જેવા ક્ષેત્રમાં કામકરનારને માનસિકથાકની લાગણી અનુભવાય. માર્કેટિંગક્ષેત્રમાં તમને સમયનો વ્યય વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સારી રીતે પસાર થઇ શકે છે અને જો જુના કામની કોઈ ગુંચ પડેલી હોયતો તેને ઉકેલી શકાય તેવા યોગ બની શકે છે, તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય કે તેમાં તમને કોઇ મદદ કરતા મળે તેવું પણ બની શકે છે, વેપારમાં યોગ્ય ગણતરીપૂર્વક કામકાજ કરવાથી લાભ થઈ શકે છે.


આજનો દિવસ તમારે સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે , વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, હિતશત્રુ અને ખટપટી લોકોથી દુર રહેવાની જરૂર છે , ક્યાય કોઇપણ બાબતની મિલનમુલાકાત કરવાની હોય તે દરમિયાન વાર્તાલાપમાં ધ્યાન આપવું કે જેથી કોઇપણ પ્રકારની ગેરસમજ ટાળી શકાય.


આજનો દિવસ સરસ છે અને તેમાં પણ જો કોઈ જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી અને લાગણીમાં ખુબજ વધારો થાય, તમારા કોઈકામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય. વેપારમાં લાભની વાત સંભાળવા મળી શકે છે. પ્રિયજન તરફથી સારો આદરભાવ જોવા મળે અને ક્યાંક નાનાઅંતરની યાત્રા પણ થઈ શકે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું જેથી બિનજરૂરી વિવાદ ટાળી શકાય, યુવાવર્ગ માટે મશ્કરીમજાક જેવી બાબતથી દુર રહેવાની સલાહ છે. વેપારમાં કોઈ મોટાનિર્ણય લેતા પહેલા વાતને ચકાસવી યોગ્ય કહી શકાય.


આજનો દિવસ સારો છે, તમને તમારા કામકાજમાં ઉત્સાહ સારો રહે, ક્યાંક મુસાફરી થઈ શકે છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવા યોગ પણ છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો  યોગ્ય છે, પ્રિયજન સાથે કોઈ ખરીદીકે ફરવાના પ્રસંગ બને અને તેમાં તમને સારી લાગણીનો અનુભવ થાય.


આજનો દિવસ સામાન્ય છે, તમારા કામમાં વ્યસ્ત વધુ રહેવાય તેવા સંજોગો બની શકે છે, જુના કોઈ કામમાં અટવાવતો તેમાં જલ્દીથી ઉકેલન આવે અને સમયનો વ્યય થાય તેવું બની શકે છે, માનસિક થાકની લાગણી તમે વધુ અનુભવો. વેપારમાં નાનું કામ કરવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, તમારા મિત્રો સાથે કામની કોઈ લાભકારી ચર્ચા થાય અને તેમાં તમારી ગણતરી મુજબ કામ થાય તેવું બની શકે છે, મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં રેફરન્સથી કામ કરોતો લાભ થાય, આજે તમારામાં ધાર્મિકભાવના સારી રહે અને કોઈક જાત્રા કરવા જવાના વિચાર વધુ જાગે.