નવી દિલ્હી:કેનેડાના ન્યૂ બ્રન્સવિક પ્રાંતનું વેપારી પ્રતિનિધી મંડળ ૨ થી ૬ ફેબ્રુઆરી સુધી ભારતની મુલાકાતે છે. આ મંડળનો મુખ્ય ઉદ્દેશ વિશ્વના સૌથી ઝડપથી વિકસતા બજારોમાં વેપારી સંબંધોને મજબૂત કરવાનો અને નવી ભાગીદારીની તકો શોધવાનો છે.
આ પ્રતિનિધી મંડળને ઓપોર્ચ્યુનિટીઝ ન્યૂ બ્રન્સવિક (ONB) દ્વારા સમર્થન આપવામાં આવી રહ્યું છે. જેનું ધ્યાન આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધતા વધારવા માંગતા વ્યવસાયો પર છે, જેથી તેઓ ભારતમાં વિસ્તાર કરી શકે અને નવા વેપારી તેમજ સપ્લાય-ચેઈન ભાગીદારી વિકસાવી શકે. બિઝનેસ-ટુ-બિઝનેસ મીટિંગ્સ, માર્કેટ બ્રીફિંગ્સ અને સ્થળ પરના સમર્થન દ્વારા ભાગ લેનાર કંપનીઓને સંભવિત ખરીદદારો, ભાગીદારો અને નિર્ણય લેનારાઓ સુધી સીધી પહોંચ મેળવી આપે.
આ મંડળ ન્યૂ બ્રન્સવિકની ભારતીય બજાર પ્રત્યેની લાંબાગાળાની પ્રતિબદ્ધતાને મજબૂત કરે છે અને પ્રાંતની ભારતમાં હાજરીને નોંધ અપાવે છે. જે કંપનીઓને સ્થાનિક વ્યવસાય વાતાવરણમાં નેવિગેટ કરવામાં અને વૃદ્ધિની તકો ઓળખવામાં મદદ કરે છે. તે માર્ચ ૨૦૨૫માં ONBના ભારત પ્રતિના સફળ વેપાર મિશન પર આધારિત છે, જેમાં વેપાર સંબંધોને ઊંડા કરવા, નિકાસ વૃદ્ધિને સમર્થન આપવા અને ન્યૂ બ્રન્સવિકને વેપાર તેમજ રોકાણ માટે સ્પર્ધાત્મક અને વિશ્વસનીય ભાગીદાર તરીકે સ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
ઓપોર્ચ્યુનિટીઝ એનબી માટે જવાબદાર મંત્રી તેમજ આર્થિક વિકાસ અને નાના વ્યવસાય માટે જવાબદાર લ્યુક રેન્ડલ આ મંડળનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, “વૈશ્વિક વેપારની ગતિશીલતા ઝડપથી બદલાઈ રહી છે અને ન્યૂ બ્રન્સવિક બજારો ભારત સાથે પોતાની સંલગ્નતાને સક્રિય રીતે વધુ મજબૂત કરી રહ્યું છે. અમારો પ્રાંત ભારતમાં આર્થિક તકોને ઓળખનારા એકમાત્ર એટલાન્ટિક પ્રાંત છે, જેની પાસે ઇન-માર્કેટ ટીમ છે અને તેના પરિણામે અમે મજબૂત ભાગીદારીઓ બનાવી છે. જે લાંબાગાળાની વૃદ્ધિ, વિવિધતા અને સ્થિતિસ્થાપકતાને સમર્થન આપતી નવી તકોના દ્વાર ખોલી રહી છે.”આ મિશનમાં ન્યૂ બ્રન્સવિકની ચાર કંપનીઓ અને એક શૈક્ષણિક સંસ્થા સામેલ છે. જે અદ્યતન ઉત્પાદન, કૃષિ-ખાદ્ય, એડટેક, શૈક્ષણિક અને વ્યાવસાયિક સેવાઓ તેમજ શૈક્ષણિક સંશોધન જેવા મુખ્ય ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરે છે. આ પ્રાંતની નિકાસ તેનાં તૈયાર ઉદ્યોગોની વિવિધતા અને તાકાતને દર્શાવે છે. ઓપોર્ચ્યુનિટીઝ એનબી એ ન્યૂ બ્રન્સવિક પ્રાંતની અગ્રણી વ્યવસાય વિકાસ એજન્સી છે, જે સ્થાનિક વ્યવસાયોને સમર્થન આપે છે અને વૈશ્વિક સ્તરે નવા રોકાણને આકર્ષે છે, જેથી આર્થિક અને રોજગાર વૃદ્ધિને વેગ મળે. આ મિશન ભારત-કેનેડા વચ્ચેના આર્થિક સહયોગને વધુ મજબૂત બનાવવાનું એક મહત્વનું પગલું છે.
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ લોકસભામાં ડોકલામ મુદ્દો ઉઠાવ્યો, જેના કારણે કાર્યવાહી સ્થગિત કરવી પડી. સંસદ સંકુલમાં મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ ખેડૂતો, અદાણી અને એપ્સ્ટેઇન ફાઇલોનો ઉલ્લેખ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર અનેક આરોપો લગાવ્યા.
Delhi: LoP Rahul Gandhi says, "The trade deal, which had been suspended for four months, nothing has changed. For some reason, which I know, Narendra Modi knows, Narendra Modi signed that deal yesterday evening." pic.twitter.com/LnBM9ZhWp6
રાહુલ ગાંધીએ કહ્યું, મોદી નર્વસ છે. ચાર મહિનાથી અટકેલો વેપાર સોદો બદલાયો નથી. તેઓ એક યા બીજા કારણોસર દબાણ હેઠળ છે, જે હું જાણું છું, નરેન્દ્ર મોદી જાણે છે. મોદીએ ગઈકાલે સાંજે આ સોદા પર હસ્તાક્ષર કર્યા. તેમના પર ભારે દબાણ છે. કોંગ્રેસના સાંસદે વધુમાં કહ્યું, નરેન્દ્ર મોદીની છબી એક ફુગ્ગા જેવી છે, જે હજારો કરોડ રૂપિયાથી બનેલી છે, અને તે ફૂટી શકે છે.
Delhi: Lok Sabha LoP Rahul Gandhi says, "Speaker had said to present it according to rule, Now, I want this article to be authenticated… As I said yesterday, a very important matter in the President’s speech is national security, and our relationships with the China, and… pic.twitter.com/8BMxWiyP3c
ઇતિહાસમાં પહેલીવાર, LLP ને રાષ્ટ્રપતિના ભાષણમાં બોલવાની મંજૂરી આપવામાં આવી નથી. મોદીએ અમેરિકા સાથેના વેપાર સોદામાં ભારતીય ખેડૂતોની મહેનત અને પરસેવો વેચી દીધો છે. તેમણે કરેલા સમાધાનોને કારણે તેમણે તે વેચી દીધું. રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું, ફક્ત તમે જ વેચાયા નથી, દેશ વેચાયો છે. એટલા માટે મને ત્યાં બોલવાની મંજૂરી નહોતી. મોદી ડરી ગયા છે કારણ કે જે લોકોએ તેમની છબી બનાવી હતી તેઓ હવે તેને નષ્ટ કરવાનું શરૂ કરી રહ્યા છે.
નરેન્દ્ર મોદી પર દબાણ હોવાનો આરોપ લગાવતા રાહુલે અનેક મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, અમેરિકામાં અદાણી વિરુદ્ધ એક કેસ છે, જે મોદીના નાણાકીય માળખાને નિશાન બનાવે છે. બીજો એપસ્ટેઇન ફાઇલોનો છે. અદાણી વિરુદ્ધનો કેસ વાસ્તવમાં મોદી વિરુદ્ધનો કેસ છે. આ નરેન્દ્ર મોદી પર બે દબાણ બિંદુઓ છે.
વડોદરાના આંગણે 2 ફેબ્રુઆરી 2026ના રોજ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન ગુરુ મહંત સ્વામી મહારાજનો 92મો જન્મજયંતી મહોત્સવ અત્યંત ભક્તિભાવ અને દિવ્યતા સાથે ઉજવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહંત સ્વામી મહારાજના દિવ્ય જીવન અને ગુણો પર પ્રકાશ પાડતા વીડિયો તેમજ વરિષ્ઠ સંતોના પ્રેરક પ્રવચનોએ ઉપસ્થિત લાખો હરિભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા.
ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સમાં ભારતીય સંસ્કૃતિનો ડંકો
આ મહોત્સવમાં ભારતીય સનાતન સંસ્કૃતિના ગૌરવ સમાન એક ઐતિહાસિક સિદ્ધિની નોંધ લેવામાં આવી હતી. ‘સત્સંગ દીક્ષા’ ગ્રંથના સૌથી વિરાટ સમૂહગાન બદલ સંસ્થાને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ઈંગ્લેન્ડથી પધારેલા અધિકારીઓ દ્વારા મહંત સ્વામી મહારાજને આ બહુમાનપત્ર અર્પણ કરાયું હતું.
ઉલ્લેખનીય છે કે, 3 થી 13 વર્ષની વયના 15,666 બાળકોએ માત્ર એક વર્ષમાં મહંત સ્વામી મહારાજ રચિત 315 શ્લોકોવાળા આ ગ્રંથનો મુખપાઠ કર્યો હતો, જેમાંથી 12,723 બાળકોની સત્તાવાર નોંધણી આ રેકોર્ડ માટે કરવામાં આવી હતી.
શિક્ષણ અને આધ્યાત્મિકતાના નવા પ્રકલ્પોનો શુભારંભ
સમાજ ઉત્થાનના કાર્યોને વેગ આપતા મહંત સ્વામી મહારાજે આ અવસરે આદિવાસી વિસ્તારો માટે ‘મોબાઈલ પાઠશાળા’નો પ્રારંભ કરાવ્યો હતો, જેનો હેતુ ‘હર ઘર શિક્ષણની જ્યોત’ જલાવવાનો છે. આ ઉપરાંત, બાળકોના સંસ્કાર સિંચન માટે વિશિષ્ટ યુટ્યુબ ચેનલ ‘BAPS Kids’ લોન્ચ કરવામાં આવી હતી. તેમજ મહંત સ્વામી મહારાજ દ્વારા લિખિત નવા ગ્રંથ ‘ઈન્સાઈટ્સ ફ્રોમ ધ સત્સંગ દીક્ષા’નું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
મહાનુભાવોની ઉપસ્થિતિ અને શુભેચ્છા સંદેશ
આ અવસરે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા પાઠવવામાં આવેલા શુભેચ્છા પત્રનું વાંચન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી અને મોહન યાદવે મહંત સ્વામી મહારાજના આશીર્વાદ લીધા હતા. મોહન યાદવે ખાસ મહંત સ્વામી મહારાજના જન્મસ્થાન જબલપુર (મધ્ય પ્રદેશ)નો ઉલ્લેખ કરી ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. મહંત સ્વામી મહારાજે પોતાના આશીર્વચનમાં આ ગિનિસ વર્લ્ડ રેકોર્ડનું સન્માન બાળકોની મહેનત અને તમામ ગુરુઓને સમર્પિત કરતા ‘સંપ’ અને ‘સમજણ’નો સંદેશ આપ્યો હતો.
લાખો ભક્તોની હાજરી અને સ્વયંસેવકોની સેવા
આ મહોત્સવમાં અંદાજે બે લાખ જેટલા હરિભક્તો અને 800થી વધુ સંતો સહભાગી થયા હતા. કાર્યક્રમના અંતે લાખો દીવડાઓ સાથે થયેલી સમૂહ આરતીએ સમગ્ર વાતાવરણને અલૌકિક બનાવી દીધું હતું.
આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે છેલ્લા ત્રણ મહિનાથી 14 હજાર સ્વયંસેવકો અને સંતોએ 34 સેવા વિભાગોમાં રાત-દિવસ જહેમત ઉઠાવી હતી. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ સુરક્ષા અને વ્યવસ્થામાં સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો હતો. દેશ-વિદેશના ભક્તોએ આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના સાંસદોએ જોરદાર હોબાળો મચાવ્યો અને અધ્યક્ષ તરફ પેપર ફેંકવાને મામલે આઠ સાંસદને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ મામલે હિબી ઈડન, અમરિંદર સિંહ રાજા વરિંગ, માણિકમ ટાગોર, ગુરજિત સિંહ ઔજલા, પ્રશાતં પોડોલે, એસ. વેન્કટેશ્વરન, ડીન કુરિયોકોસ અને કિરણ કુમાર રેડ્ડી સહિત આઠ વિપક્ષી સાંસદોને સત્રના બાકી સમય માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લોકસભાની કાર્યવાહી આજ માટે સ્થગિત કરી દેવામાં આવી છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે ફરી લોકસભામાં ચીનનો મુદ્દો ઉઠાવ્યો. લોકસભામાં બોલતાં તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રપતિના ભાષણમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષાને લગતો છે — પાકિસ્તાન, ચીન અને અમારા વચ્ચેના સંબંધો. આ લેખમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે, જેને મેં ચકાસ્યો છે. તેમાં વડા પ્રધાનની પ્રતિક્રિયા વિશે વાત કરવામાં આવી છે.
Amid heavy disruptions, the government moved a motion to suspend eight Congress MPs from the Lok Sabha for the remainder of the Budget Session for throwing papers at the Chair.
અમારા રાષ્ટ્રપતિનું ભાષણ આજે ભારત જે માર્ગ પર ચાલવું જોઈએ તે પર કેન્દ્રિત હતું. વૈશ્વિક સ્તરે આંતરરાષ્ટ્રીય મામલાઓમાં મુખ્ય મુદ્દો ચીન અને અમેરિકા વચ્ચેનો સંઘર્ષ છે. આ જ અમારા રાષ્ટ્રપતિના ભાષણનું કેન્દ્રબિંદુ છે. હું માત્ર એટલું જ કહી રહ્યો છું કે ચીન અને ભારત વચ્ચે જે થયું અને તેના પર અમારા વડા પ્રધાનની શી પ્રતિક્રિયા હતી, તેના પર મને બોલવા દેવામાં આવે. મને કેમ અટકાવવામાં આવી રહ્યો છે?
રાહુલ ગાંધીના આ મુદ્દે બોલવા પર ભાજપના સાંસદોએ વાંધો ઉઠાવ્યો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સંસદ બહાર આવીને ટ્રેડ ડીલ અંગે મિડિયાથી વાત કરી. તેમણે કહ્યું હતું કે વિપક્ષના નેતાને રાષ્ટ્રપતિના ભાષણ પર બોલવાની પરવાનગી આપવામાં આવી નથી. નરેન્દ્ર મોદીજીએ આ વેપાર કરારમાં તમારી મહેનત વેચી દીધી છે, કારણ કે તેમની છબિ ખરાબ થઈ ગઈ છે. તેમણે દેશને વેચી દીધો છે.
ફરીદાબાદ: શહેરમાં આયોજિત સુરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તશિલ્પ મેળો 2026 (39મો વર્ષ)માં ઇથોપિયાનું પેવેલિયન દર્શકો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મેળામાં ભાગ લેનાર ઇથોપિયાના 20 સભ્યોના સાંસ્કૃતિક તેમજ કારીગર પ્રતિનિધિમંડળ દ્વારા રજૂ કરાયેલા હસ્તનિર્મિત કોસ્ટર, પારંપરિક ડિઝાઇનવાળી ટી-શર્ટ, સજાવટી કલાકૃતિઓ અને અન્ય શિલ્પ ઉત્પાદનોને જોવા અને ખરીદવા માટે સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓની મોટી સંખ્યામાં ભીડ ઉમટી રહી છે.31 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી ચાલી રહેલા આ વિશ્વપ્રસિદ્ધ મેળામાં લગભગ 1200 સ્ટોલ અને 50થી વધુ દેશના કારીગરો પોતાની પારંપરિક કળા અને સંસ્કૃતિનું પ્રદર્શન કરી રહ્યા છે. જેમાં ઇથોપિયન કારીગરોની બારીક કારીગરી, અનોખી ડિઝાઇન અને પારંપરિક રંગોએ સ્થાનિકોનું ખાસ ધ્યાન ખેંચ્યું છે, જેના કારણે સ્ટોલ પર દિવસભર ભીડ જોવા મળી રહી છે.
ઇથોપિયન પ્રતિનિધિમંડળ માત્ર હસ્તશિલ્પ સુધી મર્યાદિત નથી, પરંતુ મેળા દરમિયાન તાલબદ્ધ પારંપરિક નૃત્ય, લોકસંગીત અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા ઇથોપિયાની પ્રાચીન સભ્યતા, સમૃદ્ધ પરંપરાઓ અને જીવંત સર્જનાત્મક વારસાને પણ રજૂ કરી રહ્યું છે. આ પ્રસ્તુતિઓ ભારત અને ઇથોપિયા વચ્ચેના સાંસ્કૃતિક સંવાદ અને પરસ્પર સમજને વધુ મજબૂત બનાવી રહી છે.
સુરજકુંડ મેળો ભારતીય સંસ્કૃતિ, હસ્તશિલ્પ અને વૈશ્વિક સાંસ્કૃતિક સંવાદને પ્રોત્સાહન આપવાનું એક મહત્વનું મંચ માનવામાં આવે છે. ઇથોપિયાની ભાગીદારી આ મેળામાં ભારત-ઇથોપિયા વચ્ચે લોકોથી લોકોના જોડાણ (People-to-People Connect) અને સાંસ્કૃતિક રાજદ્વારને મજબૂતી આપે છે. કળા, સંગીત અને હસ્તશિલ્પ દ્વારા આ સહભાગિતા વિવિધતાના ઉત્સવને મનાવવા અને બંને દેશોના ઐતિહાસિક તેમજ સભ્યતાગત સંબંધોને વધુ ગાઢ કરવાની તક આપે છે.
મેળા આયોજકો અને હરિયાણા પર્યટન વિભાગના જણાવ્યા અનુસાર, આ વર્ષે મેળામાં મુલાકાતીઓની સંખ્યા ગત વર્ષોની તુલનામાં વધુ રહેવાની અપેક્ષા છે. જેનાથી સુરજકુંડ મેળો એક વખત ફરી કળા, સંસ્કૃતિ અને પર્યટનના વૈશ્વિક ઉત્સવ તરીકે પોતાની ઓળખને મજબૂત કરી રહ્યો છે. ઇથોપિયન સાંસ્કૃતિક દળને સુરજકુંડ મેળા 2026માં એક યાદગાર ભાગીદારી અને સફળ પ્રસ્તુતિ માટે શુભેચ્છાઓ આપવામાં આવી છે.
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતએ વોટ્સએપ (WhatsApp–Meta) ડેટા શેરિંગ મામલે અત્યંત કડક વલણ અપનાવતા ટેક કંપનીઓને મોટી ચેતવણી આપી છે. નાગરિકોની ખાનગી માહિતી (પ્રાઇવસી) બાબતે કોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે કોઈ પણ કિંમતે પ્રાઇવસી સાથે સમજૂતી કરવામાં નહીં આવે. CJIએ મેટાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જો કોઈ કંપની ભારતના બંધારણ અને કાયદાઓનું પાલન કરી શકતી ન હોય, તો તેના માટે રસ્તો ખૂબ સ્પષ્ટ છે — તે ભારત છોડીને જઈ શકે છે. કોર્ટે જણાવ્યું હતું કે પ્રાઇવસીનો અધિકાર કોઈ વૈકલ્પિક બાબત નથી, પરંતુ બંધારણ દ્વારા આપવામાં આવેલો મૂળભૂત અધિકાર છે.
આ મામલે સુપ્રીમ કોર્ટે ભારતીય સ્પર્ધા પંચ (CCI) દ્વારા લાદવામાં આવેલા દંડ અંગે પણ સૂચનાઓ આપી છે. કોર્ટે કહ્યું હતું કે મેટા દ્વારા જમા કરાયેલો દંડ હાલ જમા રહેશે, પરંતુ આગામી આદેશ સુધી તે ઉપાડી શકાશે નહીં. કોર્ટે તમામ પક્ષોને તેમની દલીલો રજૂ કરવા માટે ચાર સપ્તાહનો સમય આપ્યો છે. જોકે સંદેશ સ્પષ્ટ છે કે ભારતમાં વ્યવસાય કરતી કોઈ પણ ટેક કંપનીએ અહીંના નાગરિકોના ડિજિટલ અધિકારોનો આદર કરવો જ પડશે.
આ દલીલ પર CJI ભડકી ઉઠ્યા
આ સુનાવણી દરમિયાન જ્યારે મેટાના વકીલે ‘ઓપ્ટ-આઉટ’ એટલે કે સેવામાંથી બહાર નીકળવાના વિકલ્પની દલીલ રજૂ કરી, ત્યારે CJI નારાજ થઈ ગયા. તેમણે સવાલ કર્યો કે શું આ કોઈ વિકલ્પ કહેવાય કે યુઝર સેવા છોડે અને તેમ છતાં તેનો ડેટા શેર કરવામાં આવે? કોર્ટે કડક શબ્દોમાં કહ્યું કે અમે ભારતીય નાગરિકોની એક પણ માહિતી શેર કરવાની પરવાનગી આપવાના નથી. કોર્ટે મેટાને સ્પષ્ટ રીતે ડેટા શેર ન કરવાની ખાતરી આપવા આદેશ આપ્યો છે, નહિતર કડક કાર્યવાહી કરવામાં આવશે.
આગામી સુનાવણી પર સૌની નજર
હવે આ મહત્વપૂર્ણ મામલો ત્રણ ન્યાયાધીશોની વિશેષ બેન્ચ પાસે અંતિમ સુનાવણી માટે મોકલવામાં આવ્યો છે. આગામી સુનાવણીમાં ડેટા ગોપનીયતા અને ટેક કંપનીઓની જવાબદારી અંગે ઐતિહાસિક ચુકાદો આવવાની સંભાવના છે. સુપ્રીમ કોર્ટનું આ વલણ દર્શાવે છે કે ભારત સરકાર અને ન્યાયતંત્ર હવે ડેટા સુરક્ષા મુદ્દે અત્યંત ગંભીર છે.
રણવીર સિંહની સુપરહિટ ફિલ્મ ધુરંધરનો બીજો ભાગ આવી ગયો છે. આજે બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘ધુરંધર 2’ નું ટીઝર રિલીઝ થયું છે. ચાહકો ફિલ્મના ટીઝરની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ગત રોજ ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ થયું હતું અને આજે ‘ધુરંધર: ધ રીવેન્જ’ નું ટીઝર રિલીઝ થઈ ગયું છે.
રણવીર સિંહની બહુપ્રતિક્ષિત ફિલ્મ “ધુરંધર 2” નું ટીઝર આજે રિલીઝ થયું છે. ગઈકાલે રણવીર સિંહે ટીઝરનો સંકેત આપ્યો હતો અને આજે સવારે તેમણે ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ કર્યું. હવે,’ધુરંધર: ધ રીવેન્જ’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે.
ટીઝરની શરૂઆત રણવીર સિંહના ટૂંકા વાળવાળા લુકથી થાય છે. ભૂરા રંગની આંખો, ટૂંકા વાળ અને હાથમાં બંદૂક સાથે, તે ખૂબ જ ભયાનક લાગે છે. ત્યારબાદ રણવીર લાંબા વાળ સાથે હમઝા અલી મજારીની ભૂમિકામાં ફરી દેખાય છે. આ ભાગમાં રણવીર ‘ધુરંધર’ કરતા પણ વધુ ખતરનાક દેખાય છે. એક્શન અને હિંસાથી ભરપૂર આ ટીઝર, હમઝાની વધેલી શક્તિ અને વધુ આક્રમક વર્તન દર્શાવે છે. ટીઝર દર્શાવે છે કે વાર્તાને બે ભાગમાં વહેંચવામાં આવશે, જેમાં રણવીર સિંહની ગુપ્તચર એજન્ટ બનવાથી લઈને પાકિસ્તાનમાં તેના આગમન સુધીની સફર દર્શાવવામાં આવશે. ટીઝરમાં અર્જુન રામપાલ, સંજય દત્ત અને આર. માધવનની ઝલક પણ છે. અંતે, રણવીર સિંહનું પાત્ર કહે છે, “આ નવું ભારત છે. તે ઘરોમાં ઘૂસીને મારશે.”
અગાઉ રણવીર સિંહે ‘ધુરંધર: ધ રીવેન્જ’નું પહેલું પોસ્ટર રિલીઝ કર્યું હતું, જેમાં તે હમઝા અલી મજારીના શક્તિશાળી પાત્રને રજૂ કરે છે. લાલ પૃષ્ઠભૂમિ સામે ભારે વરસાદ પડે છે, અને રણવીર સિંહ વચ્ચે ઉભો છે, જે એક તીવ્ર દેખાવ ધરાવે છે. પોસ્ટર શેર કરતા રણવીરે તેને કેપ્શન આપ્યું, “હવે ખરાબ થવાનો સમય છે.” ધુરંધર: ધ રીવેન્જ 19 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે.ફિલ્મનું શૂટિંગ હજુ ચાલુ છે. ફિલ્મના બીજા ભાગમાં પણ અર્જુન રામપાલ અને સંજય દત્ત જોવા મળશે.
ગયા વર્ષે રિલીઝ થયેલી ‘ધુરંધર’ ફિલ્મે બોક્સ ઓફિસ પર અનેક રેકોર્ડ તોડ્યા હતા. આ ફિલ્મે ભારતમાં 800 કરોડથી વધુ અને વિશ્વભરમાં 1300 કરોડથી વધુની કમાણી કરી હતી. રણવીર સિંહ ઉપરાંત, આ ફિલ્મમાં અક્ષય ખન્ના, સંજય દત્ત, અર્જુન રામપાલ, સારા અલી ખાન અને આર. માધવન પણ હતા.
મથુરાઃ ઉત્તર પ્રદેશના મથુરામાં આવેલી એક સરકારી શાળાના પ્રિન્સિપલ પર વિદ્યાર્થીઓને ધર્મ પરિવર્તન કરીને ઇસ્લામ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો અને શાળામાં રાષ્ટ્રગાન કરાવવાથી રોકવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આ મામલે જિલ્લા બેઝિક શિક્ષણ અધિકારી (BSA)એ પ્રિન્સિપલને સસ્પેન્ડ કરીને તપાસના આદેશ આપ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ આ મામલો મથુરાના નૌઝીલ વિકાસ ખંડની એક પ્રાથમિક શાળાનો છે, જ્યાં પ્રિન્સિપલ જાન મોહમ્મદ પર ધર્મ પરિવર્તન કરાવવાનો પ્રયાસ કરવાના આરોપો છે. સસ્પેન્શન સાથે તેમને મંત વિકાસ ખંડની એક પ્રાથમિક શાળામાં સ્થાનાંતરિત પણ કરવામાં આવ્યા છે.
એક મહિનામાં આવશે તપાસ રિપોર્ટ
બેઝિક શિક્ષણ અધિકારી રતન કીર્તિએ મામલાની વિગતવાર તપાસ માટે બે સભ્યોની તપાસ સમિતિ રચી છે, જે એક મહિનાની અંદર પોતાની તપાસ રિપોર્ટ રજૂ કરશે. આ કાર્યવાહી ભાજપ મંડલ એકમના અધ્યક્ષ દુર્ગેશ પ્રધાન દ્વારા 30 જાન્યુઆરીએ દાખલ કરાયેલી ફરિયાદ બાદ કરવામાં આવી છે.
રાષ્ટ્રગાન ગાવાથી રોકવાનો આરોપ
ભાજપના નેતાએ આરોપ લગાવ્યો છે કે પ્રિન્સિપલ વિદ્યાર્થીઓને ઇસ્લામ તરફ પ્રેરિત કરી રહ્યા હતા અને કથિત રીતે તેમને નમાજ પઢવા માટે ઉશ્કેરતા હતા. ફરિયાદમાં આ પણ કહેવામાં આવ્યું છે કે પ્રિન્સિપલે હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કર્યું અને શાળાની પ્રવૃત્તિઓ દરમિયાન રાષ્ટ્રગાન ગાવા પર વિદ્યાર્થીઓને ઠપકો આપ્યો હતો.
ઇસ્લામ અપનાવવા માટે પ્રેરણાનો આરોપ
દુર્ગેશ પ્રધાને પોતાની ફરિયાદમાં આરોપ મૂક્યો કે પ્રિન્સિપલે હિન્દુ ધર્મ વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરી અને વિદ્યાર્થીઓને પોતાનાં માતા-પિતાને ઇસ્લામ ધર્મ અપનાવવા કહેવા માટે કહ્યું હતું. તેમણે આ પણ દાવો કર્યો કે વિદ્યાર્થીઓને કથિત રીતે એક મસ્જિદમાં જવા માટે કહેવામાં આવ્યું અને એક ઇસ્લામી સંગઠનના સભ્યો આ બાબતે પ્રેરણા આપવા માટે શાળામાં આવ્યા હતા.
પ્રિન્સિપલનો ઇનકાર
બીજી તરફ પ્રિન્સિપલ જાન મોહમ્મદે તમામ આરોપો નકારી કાઢ્યા છે અને કાર્યવાહી જે ઝડપથી થઈ તેના પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.
નોઇડાઃ ઉત્તર પ્રદેશના નોઇડામાં સાયબર છેતરપિંડીનો એક વધુ ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. અહીં સેક્ટર-15માં રહેતા એક નિવૃત્ત IAS અધિકારીને ઠગોએ નિશાન બનાવ્યા. ઓવરસ્પીડિંગ ચલણને બહાનું બનાવી ઠગોએ માત્ર 500 રૂપિયાનો દંડ હોવાનું કહ્યું, પરંતુ અધિકારીના ખાતામાંથી લગભગ 1.96 લાખ રૂપિયા ઉડાવી લીધા. આ આખી છેતરપિંડી એક નકલી APK ફાઇલ મારફતે કરવામાં આવી હતી, જેને ચલણની નકલ હોવાનું કહીને મોકલવામાં આવી હતી.
પીડિત અધિકારીના મોબાઇલ પર વોટ્સએપ દ્વારા એક મેસેજ આવ્યો હતો, જેમાં લખેલું હતું કે તેમને નામે ઓવરસ્પીડિંગ માટે ચલણ છે અને 500 રૂપિયાનું દંડ ભરવાનો છે. મેસેજમાં APK ફાઇલ ડાઉનલોડ કરવા અને આપેલી લિંક દ્વારા ઓનલાઇન ચુકવણી કરવાની વાત હતી. મેસેજ બિલકુલ સત્તાવાર ચલણ જેવો લાગતો હોવાથી અધિકારીને કોઈ શંકા ગઈ નહોતી અને તેમણે લિંક ખોલી દીધી.
ક્રેડિટ કાર્ડથી 1.96 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન
તેમણે લિંક દ્વારા ચુકવણી પ્રક્રિયા શરૂ કરી, ત્યારે તેમની પાસે ક્રેડિટ કાર્ડની વિગતો માગવામાં આવી હતી. અધિકારીએ પોતાનું અમેરિકન એક્સપ્રેસ કાર્ડની માહિતી ભરી અને ચુકવણી માટેનો ઓનલાઇન પાસવર્ડ પણ દાખલ કર્યો. ત્યાર બાદ ફાઇલ અચાનક બંધ થઈ ગઈ. શરૂઆતમાં તેમને લાગ્યું કે કોઈ ટેક્નિકલ ખામીને કારણે પ્રક્રિયા પૂર્ણ થઈ નથી, પરંતુ થોડા સમય બાદ તેમના મોબાઇલ પર મેસેજ આવ્યો કે તેમના ક્રેડિટ કાર્ડમાંથી લગભગ 1.96 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થઈ ગયું છે. ત્યારે તેમને સમજાયું કે તેઓ સાયબર છેતરપિંડીનો શિકાર બની ગયા છે.
છેતરપિંડીની જાણ થતાં જ અધિકારીએ તરત જ કાર્ડ સર્વિસ સેન્ટર પર ફોન કરીને પોતાનું ક્રેડિટ કાર્ડ બ્લોક કરાવ્યું. એ સાથે જ રાષ્ટ્રીય સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી અને સાયબર પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી. જોકે, તાત્કાલિક કાર્યવાહી છતાં રકમ પરત મળી શકી નહીં. કાર્ડ જારી કરનારી કંપનીએ એવું કહીને રિફંડ આપવાનો ઇનકાર કર્યો કે આ લેવડદેવડ ગ્રાહકની સંમતિથી કરવામાં આવી છે, તેથી તેને ફ્રોડ ટ્રાન્ઝેક્શન ગણાવી શકાય નહીં.
નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી ટ્રેડ ડીલ અને ટેરિફ અંગેની ચર્ચા સફળ રહી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મિડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા એક વેપાર કરાર પર સહમત થયા છે, જેના હેઠળ વોશિંગ્ટન ભારતીય ઉત્પાદનો પરનો ટેરિફ હાલના 50 ટકા પરથી ઘટાડીને 18 ટકા કરશે. નવા ટેરિફ નિયમો ભારતની કૂટનીતિક સફળતાના સંકેત પણ આપે છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રેડ ડીલની જાહેરાત સાથે એ પણ કહ્યું હતું કે ભારત રશિયા પાસેથી તેલની ખરીદી બંધ કરશે અને વેપાર અવરોધો ઘટાડશે. આ મુદ્દે ટ્રમ્પે ફોન પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત પણ કરી હતી. ટ્રમ્પે જણાવ્યું છે કે હવે ભારત વેનેઝુએલા પાસેથી તેલ ખરીદશે.
ટ્રમ્પની સરકાર દ્વારા ખૂબ ઓછો ટેરિફ લગાવવામાં આવ્યો છે. ચીન, પાકિસ્તાન, ઈન્ડોનેશિયા, બાંગ્લાદેશ અને વિયેતનામ જેવા દેશોની તુલનામાં અમેરિકા ભારત પાસેથી સૌથી ઓછો ટેરિફ વસૂલશે.
ચીન, પાકિસ્તાન કરતાં વધુ ટેરિફ વસૂલે છે અમેરિકા
અમેરિકા ચીન પર 34 ટકા ટેરિફ લગાવે છે. બીજી તરફ બાંગ્લાદેશ પર 20 ટકા, પાકિસ્તાન પર 19 ટકા અને શ્રીલંકા પર 20 ટકા ટેરિફ લાગુ કર્યો છે. અમેરિકા દ્વારા ભારત કરતાં વધુ ટેરિફ ચૂકવતા દેશોની યાદી નીચે આપવામાં આવી છે.
Wonderful to speak with my dear friend President Trump today. Delighted that Made in India products will now have a reduced tariff of 18%. Big thanks to President Trump on behalf of the 1.4 billion people of India for this wonderful announcement.
દક્ષિણ એશિયાઈ દેશો બાંગ્લાદેશ અને વિયેતનામ પર 20 ટકા ટેરિફ છે, જ્યારે મલેશિયા, કમ્બોડિયા, થાઈલેન્ડ અને પાકિસ્તાનના ઉત્પાદનો પર 19 ટકા ટેરિફ વસૂલવામાં આવે છે. આ દેશોની સરખામણીએ ભારત પર લાગતો ટેરિફ ઓછો છે, જે દર્શાવે છે કે અમેરિકા દક્ષિણ એશિયામાં દિલ્હીને પ્રાથમિકતા આપી રહ્યું છે.
મજબૂત આર્થિક સંબંધોનો માર્ગ ખૂલ્યો – શાહ
ભારત-અમેરિકા વેપાર કરારની પ્રશંસા કરતાં ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે બન્ને દેશોના સંબંધોમાં આ એક મોટો દિવસ છે, કારણ કે ટેરિફ ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે. આથી મજબૂત આર્થિક સંબંધો અને પરસ્પર વિકાસનો માર્ગ ખૂલ્યો છે.