Home Blog Page 2687

રાશિ ભવિષ્ય 19/07/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસ સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, કામકાજ અર્થે કઈ બહાર મુસાફરીના યોગ બને છે. સહકર્મચારી સાથે કામની બાબતમાં ખટપટના થાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું જ કામ કરવુ યોગ્ય છે, ભક્તિ અને દાનકર્મ કરવું સારું કહી શકાય.


આજનો દિવસ સરસ અને મસ્તીમજાક વાળો છે, તમને તમારા કામમાં અન્યનો સાથ સહકાર સારો મળે તમારા કામની પ્રશંસા થાય, નવીનકામનું આયોજન થઇ શકે છે , પ્રિયજન સાથેના કોઈપણ પ્રકારના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક મળે, વેપારના કામકાજમાં સારો પ્રતિસાદ મળી શકે છે.


આજના દિવસ તમને ઉત્સાહ વધુ જોવા મળી શકે છે, તમે કોઈના સહયોગી બનવાની સારી ભૂમિકા ભજવી શકો છો , વેપારના કામકાજમાં આયોજનથી કામ કરવામાં આવેતો સારો લાભ થઈ શકે છે, ધાર્મિકભાવના સારી જોવા મળે અને તમે કોઈને યથાશક્તિ કંઇક દાન કરવાની વૃત્તિ જાગે તેવું પણ બની શકે છે.


આજનો દિવસ કામકાજમાં વધુ વ્યસ્તતા વાળો જોવા મળી શકે તેના કારણે તમને માનસિકથાકની લાગણી વધુ લાગે, વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારના કામકાજમાં ધીરજ અને ગણતરીપૂર્વકનું નાનું કામ કરવું યોગ્ય છે, શાંતિ અને પ્રભુભકિતમાં દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવા-વાગવાના યોગ છે, વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ ખટપટી લોકોથી દુર રહેવું, તમને નકારાત્મકવિચારના આવે તેનું ધ્યાન રાખવું, વેપારના કામમાં જોખમથી દુર રહેવું, ધાર્મિકસ્થળે દર્શન કરવા જવાના અને ક્યાંક દાનકે ભેટ આપવાના યોગ પણ બની શકે છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ પડેલી હોય તેને ઉકેલી શકાય તેવા પ્રયત્નો આજે કરવા સારા કહી શકાય, મનની ઈચ્છા પૂરી થઇ શકે તેવા પણ યોગ ઉદભવી શકે છે, આજે આત્મવિશ્વાસ સારો રહે, વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય તેવું બની શકે છે.


આજનો દિવસ કામકાજની સાથે કામકાજમાં નવીનતક અપાવે તેવો છે, મિત્રો સાથે કોઈલાભની વાત આપ લે થાય તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, વેપારના કામકાજમાં લાભ પણ થઈ શકે છે, આજે ઉત્સાહ સારો જોવા મળી શકે છે, ધાર્મિકભાવના સારી જોવા મળે અને સદ્કાર્ય કરવા મન પ્રેરાય તેવું બની શકે છે.


આજનો દિવસ સરસ છે, જૂનીઓળખાણ તાજી થાય, કામની કદર થાય તેમાં તમારો ઉત્સાહ વધે, મુસાફરી દરમિયાન ખોટાખર્ચા થયાની લાગણી અનુભવાય, વેપારના કામકાજમા સારાકામની અપેક્ષા ફળી શકે, કોઈ ધાર્મિકસ્થળની મુલાકાતથી તમારું મન ખુશી અનુભવે અને મનમાં કોઈ કામની સદભાવના જાગી શકે છે.


આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈવાતથી મન અશાંત રહે, ઘરની કોઈ ચિંતા હોય તેની અસર તમારા કામકાજ પર પડે, મુસાફરી દરમિયાન કંટાળાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે, વેપારમાં ધાર્યા કામન થવાનો રંજ દિવસભર રહ્યા કરે, પ્રભુભક્તિમાં ધ્યાન રાખવાથી એકાગ્રતા અને મનની સ્થિરતા સારી રહે.


આજનો દિવસ સારો છે,  તમારામાં ઉત્સાહ સારો જોવા મળી રહે, ધાર્યુંકે મનનું કામ થઇ  શકે તેની તમે સારી ખુશી અનુભવી શકો, વેપારના કામકાજમાં તમારા અનુભવનો તમે સારો ઉપયોગ કરી શકો છો, પરોપકાર કરવાની વૃતી જાગે, ધાર્મિકસ્થળમાં દાન,પુણ્ય,ભક્તિ કરવા જવાની ઈચ્છા જાગે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, જુના કોઈ કામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે અને તેને કારણે તમે અશાંત બની શકો છે, વેપારના કામકાજમાં નાનું અને આયોજન પૂર્વકનું કામ કરવું સારું કહી શકાય, કોઈના કાર્યમાં મદદ કરવાથી મનને સારી ખુશી મળે.


આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરી થઈ શકે  છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારીવાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો, કોઈમાટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. વેપારમાં આજે તમને અણધાર્યો સારો પ્રતિસાદ મળી શકે છે.

નોટ આઉટ @ 85 : ધનબહેન દસ્તુર

ગુજરાતની પહેલી વિમેન્સ હોમગાર્ડ્ઝ ટીમ (નવસારી)નાં સભ્ય જેમણે લગ્ન પછી પણ હૉકી અને બાસ્કેટ-બોલની રમત ચાલુ રાખી, તેવાં ખેલાડી ધનબહેન દસ્તુરની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

જન્મ અને અભ્યાસ સુરતમાં. એસ.એસ.સી. સુધી પારસી પટેલ સ્કૂલમાં ભણ્યાં. એક ભાઈ અને એક બહેનનું નાનું કુટુંબ હતું. પિતા ખેતી કરતા. ધનબહેનની 11 વર્ષની ઉંમરે જ માતા ગુજરી ગયાં. તે સમયે તેમની નાની બહેન તો માત્ર નવ મહિનાની હતી! પણ, સુરતમાં નાના-નાની અને મામા-મામી સાથે બહુ પ્રેમથી બાળપણ વિતાવ્યું. 19 વર્ષે બહેરામગોર દસ્તુર (પ્રખ્યાત મોટીવેશનલ સ્પીકર અને રાઈટર) સાથે લગ્ન થયા. ધનબહેન પોતે પણ એકદમ પોઝિટીવ વિચારધારા ધરાવે છે. પતિ હોમગાર્ડસ અને સ્પોર્ટ્સમાં આગળ પડતો ભાગ લેતા હતા તેથી તેમની સાથે ધનબહેનને પણ સ્પોર્ટ્સમાં ભાગ લેવાનો લાભ મળતો! અમદાવાદ આવ્યાં પછી તેમણે ગર્લ્સ પોલિટેકનિકમાં પાંચ વર્ષ કામ કર્યું હતું. બાળકોના જન્મ પછી તેઓ ઘરે જ ટ્યુશન આપતાં. તેમને બે દીકરી, એક દીકરો, છ પૌત્ર-પૌત્રીઓ તથા ત્રણ પ્રપૌત્રીઓ છે.

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

સવારે નાહી-ધોઈને પ્રાર્થના કરી જાતે જ રસોઈ બનાવે છે. ઘરની સાફ-સૂફી પણ જાતે કરે છે. કસરત કે યોગ વગેરે નથી કરતાં. ઘરનું કામ-કાજ પતાવી ભરવા-ગુંથવાનું અને કટીંગ, નીટીંગ તથા સિલાઈનું કામ કરે છે. સમય મળે ત્યારે છાપું વાંચે અને છાપામાં Cross-Word તથા Sudoku રમે. દોઢ-બે વાગ્યે જમીને બપોરે આરામ કરે. ઊઠીને સાંજની રસોઈ બનાવે. સાંજે ક્યારેક નીચે ગાર્ડનમાં વોક લેવા જાય. કેમ્પસમાં બહેનો અને બાળકો સાથે હળે-મળે. તેમની એક દીકરી નજીક જ રહે છે તેથી તેની હુંફ રહે છે.

શોખના વિષયો : 

ભરત, ગુંથણ અને કલા-કારીગીરીની વસ્તુઓ બનાવવાની સાથે-સાથે ઘરને શણગારવાનું બહુ ગમે છે. પોતાનાં કપડાં અને ઘરની બધી દીકરીઓનાં કપડાં જાતે જ સીવે છે! તે ઉપરાંત જાત-જાતની કળા-કારીગરીવાળી ફ્રેમ બનાવે છે, સ્વેટર બનાવે છે…વાંચવાનું પણ બહુ ગમે છે. છાપામાંથી દરરોજ ક્રોસ વર્ડ અને સુડોકુ ગેમ ચોક્કસ રમે છે. પ્રિન્ટેડ છાપાં અને મેગેઝીનને બદલે વાંચવા માટે ટેબલેટનો ઉપયોગ કરે છે.

 ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત સારી છે. વજન ઘણું ઓછું છે અને એકવડો બાંધો છે જેથી શરીરમાં સ્ફૂર્તિ રહે છે અને ઘણું કામ કરી શકે છે. દર બે ત્રણ વર્ષે અમેરિકા દીકરાને ઘેર જાય છે. પાંચેક વર્ષ પહેલા કિડનીની તકલીફ થતાં એક કિડની કાઢી નાખી છે, એટલે અત્યારે એક જ કિડનીથી કામ ચાલે છે. બીપીનો પ્રોબ્લેમ રહે છે. બીપી વધી જાય તો આંખમાં તકલીફ થાય છે. પણ એકંદરે તંદુરસ્ત છે.

યાદગાર પ્રસંગ:  

પૌત્ર-પૌત્રીઓ સાથે સમય ગાળવા દીકરાને ઘેર વડોદરા ચાર વર્ષ રહ્યાં. બાળકો સાથે ગાળેલો તે સમય બહુ યાદગાર બની ગયો છે. નાની દીકરીને ઘરે દીકરીનો જન્મ થતાં, બધી બહેનો માટે એક સરખા ડ્રેસ બનાવ્યા! એક દીકરી માટે તો ચાલે જ નહીં! દીકરાને ઘેર અમેરિકા છ મહિના રહે તો ત્યાં પણ તેમનું ભરત-ગુંથણનું કામ ચાલુ જ હોય!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

તેઓ ટેકનોલોજી માટે એકદમ પોઝિટિવ છે. છાપાં અને મેગેઝીન વાંચવા ટેબલેટનો ઉપયોગ કરે છે. વાતોચીતો કરવા અને WHAT’SAPP માટે મોબાઈલ વાપરે છે.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

તેઓ વર્તમાનમાં જ જીવે છે અને એટલે તેમને લોકોમાં કે લોકોની વર્તણુકમાં કોઈ ફેર લાગતો નથી! દેશ-પરદેશ ફરતાં રહે છે અને જાતજાતનાં લોકોને મળતાં રહે છે અને જીવનનો આનંદ માણતાં રહે છે!

આજની પેઢી સાથે સંકળાયેલા છો?  

ઘરમાં જ ચાર પેઢીનાં બાળકો છે! કુટુંબનાં બાળકો અને દીકરા-દીકરીઓ સાથે સારો સંપર્ક છે. બધાંને મનગમતા પોશાકો જાતે સીવી-બનાવી આપે છે, તેથી બધાંને દાદી ઉપર ખૂબ પ્રેમ છે! અમેરિકા નિયમિત જાય છે અને ત્યાંના બાળકોને પણ મળતાં રહે છે જેથી સંપર્ક બની રહે છે.

સંદેશો : 

સીવણ-ભરત-ગુંથણ એ પણ એક કળા છે. બધું જ તૈયાર લેવા કરતાં જાતે આ કળા શીખો અને મનગમતી વસ્તુઓ જાતે જ બનાવો!

વાહ ભાઈ વાહ! – ૧૯ જૂલાઈ, ૨૦૨૩

વાહ ભાઈ વાહ! – ૧૯ જૂલાઈ, ૨૦૨૩

૧૯ જૂલાઈ, ૨૦૨૩

૧૯ જૂલાઈ, ૨૦૨૩

પંચાંગ 19/07/2023

PM મોદી અને CM યોગીને જાનથી મારી નાખવાની ધમકી, 26/11 જેવા આતંકી હુમલાનો કર્યો ઉલ્લેખ

મુંબઈના ટ્રાફિક કંટ્રોલ રૂમને ધમકીભર્યો મેસેજ મળ્યો છે. ધમકીમાં બે મોટા નેતાઓને મારી નાખવાની વાત કહેવામાં આવી છે. એટલું જ નહીં, આરોપીઓએ 26/11 જેવા આતંકવાદી હુમલા માટે તૈયાર રહેવાની ધમકી પણ આપી હતી.મુંબઈ પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે ટ્રાફિક કંટ્રોલ રૂમમાં ધમકીભર્યો સંદેશ મળ્યો હતો. આરોપીઓએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ નિશાના પર છે. અધિકારીએ વધુમાં કહ્યું કે માત્ર બંને નેતાઓને જ નિશાન બનાવાયા નથી, પરંતુ આરોપીઓએ 26/11ના આતંકી હુમલા માટે તૈયાર રહેવાની ધમકી પણ આપી હતી. પોલીસે જણાવ્યું કે અજાણ્યા વિરુદ્ધ આઈપીસીની કલમ 509 (2) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તપાસ કરવામાં આવી રહી છે.

22 મેના રોજ ધમકીભર્યો મેસેજ પણ આવ્યો હતો

આ પહેલા આ વર્ષની 22 મેના રોજ પણ મુંબઈ પોલીસને એક ધમકીભર્યો મેસેજ મળ્યો હતો, જેમાં એક અજાણ્યા વ્યક્તિએ લખ્યું હતું કે તે જલ્દી જ મુંબઈમાં વિસ્ફોટ કરવા જઈ રહ્યો છે. આ ધમકીભર્યા મેસેજથી પોલીસ એલર્ટ થઈ ગઈ હતી અને વ્યક્તિની ઓળખ કરી કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી.

ચોમાસુ સત્ર પહેલા સરકારે બોલાવી સર્વપક્ષીય બેઠક, PM મોદી પણ હાજરી આપશે

સરકારે ચોમાસુ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠક બોલાવી છે. સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થશે. આ એક ઔપચારિક બેઠક હશે જે સંસદનું સત્ર શરૂ થવાના એક દિવસ પહેલા સાંજે થશે. આ બેઠકમાં સરકારના વરિષ્ઠ મંત્રીઓ સાથે વડાપ્રધાન મોદી પણ ભાગ લેશે.

આ બેઠક પહેલા મંગળવારે મળવાની હતી

ઉલ્લેખનીય છે કે આ પહેલા મંગળવારે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે આ સર્વપક્ષીય બેઠક બોલાવી હતી પરંતુ મોટાભાગના પક્ષોના નેતાઓની ગેરહાજરીને કારણે આ બેઠક સ્થગિત કરવામાં આવી હતી. આ વર્ષે અનેક રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અને આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સત્તાધારી પક્ષ અને વિપક્ષ પોતપોતાની રણનીતિ ઘડવામાં વ્યસ્ત છે. મંગળવારે જ્યારે વિપક્ષની બેંગલુરુમાં બેઠક થઈ રહી છે, તો NDAની બેઠક દિલ્હીમાં થઈ રહી છે.

ચોમાસુ સત્ર તોફાની રહેશે

ચોમાસુ સત્ર તોફાની રહેવાની ધારણા છે. આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિપક્ષ સરકાર સામે આક્રમક વલણ અપનાવશે. આ સાથે વિપક્ષ મોંઘવારી, મણિપુર સંકટ જેવા મુદ્દાઓ પર પણ સરકાર પર નિશાન સાધી શકે છે. ઉલ્લેખનીય છે કે સંસદનું શિયાળુ સત્ર પણ હંગામાથી ધમધમતું રહ્યું હતું.

યશસ્વી જયસ્વાલને વર્લ્ડકપ ટીમમાં સામેલ કરવો જ જોઈએ: સૌરવ ગાંગુલી

કોલકાતાઃ ગયા અઠવાડિયે ડોમિનિકાના વિન્ડસર પાર્ક મેદાન પર વેસ્ટ ઈન્ડિઝ સામે રમાઈ ગયેલી ભારતની પહેલી ટેસ્ટ મેચમાં યુવાન વયના ડાબોડી બેટર યશસ્વી જયસ્વાલે ડેબ્યૂ કર્યું હતું અને પહેલા જ દાવમાં 387 બોલમાં 171 રન ફટકાર્યા હતા. આ દેખાવ બદલ એને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. બે-મેચની શ્રેણીમાં ભારતે 1-0ની સરસાઈ મેળવી છે. બીજી અને આખરી ટેસ્ટ મેચ 20 જુલાઈથી ટ્રિનિડાડના પોર્ટ ઓફ સ્પેનના ક્વીન્સ પાર્ક ઓવલ મેદાન પર રમાશે.

યશસ્વીના દેખાવની ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને બીસીસીઆઈના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલીએ ખૂબ પ્રશંસા કરી છે અને કહ્યું છે કે આ બેટરની પસંદગી આગામી ODI વર્લ્ડ કપ સ્પર્ધામાં કરવી જ જોઈએ. કોઈ પણ ખેલાડી એની કારકિર્દીની પહેલી જ મેચમાં સદી ફટકારે એ બહુ મોટી સિદ્ધિ ગણાય. મેં પણ એ સિદ્ધિ હાંસલ કરી હતી. તેથી મને ખબર છે કે તે કેટલી બધી વિશિષ્ટ હોય છે. બેટિંગ ટેક્નિકની દ્રષ્ટિએ પણ યશસ્વી ઘણો જ ઉત્તમ જણાય છે. ટીમમાં ડાબોડી બેટ્સમેનની હાજરી હંમેશાં મદદરૂપ થતી હોય છે. તેથી એને વર્લ્ડ કપ ટીમમાં પણ સામેલ કરવો જ જોઈએ.

ગુજરાતી ગૌરવ: નિમિલ પારેખને સિંગાપોરની સંસદમાં સંસદસભ્ય તરીકે નોમિનેટ કરાયા

અમદાવાદ: નિમિલ પારેખને સિંગાપોરની સંસદમાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ (એમપી) તરીકે નોમિનેટ કરવામાં આવ્યા છે. 60 વર્ષની વયના નિમિલ પારેખ સિંગાપોરના નાગરિક છે અને ત્યાં 17 વર્ષથી વસવાટ કરે છે. બિઝનેસ ક્ષેત્રે અપવાદરૂપ સિદ્ધિઓ અને ફાઈનાન્સિયલ સાક્ષરતા ક્ષેત્રે પ્રદાન બદલ એમપી તરીકે નોમિનેટ કરીને એમનું બહુમાન કરાયું છે.

નિમિલ પારેખ કોર્પોરેટ ક્ષેત્રના અગ્રણી સુનિલ પારેખના નાના ભાઈ છે અને તેમની સમગ્ર કારકિર્દી દરમ્યાન તે ફાઈનાન્સ ઈન્ડસ્ટ્રીમાં યોગદાન આપતા રહ્યા છે. હાલમાં તે ટિકેહાઉ કેપિટલમાં એશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડના પાર્ટનર અને હેડ તરીકે કામ કરી રહ્યા છે. આ ઉપરાંત તે સિંગાપોર એક્સચેન્જમાં લિસ્ટેડ, સ્પેશ્યલ પર્પઝ એકવિઝિશન કંપની પેગાસસ, એશિયાના સીઈઓ તરીકે કામ કરી રહ્યા છે.

નેતૃત્ત્વ અને નિપુણતા માટે પ્રસિદ્ધ નિમિલ પારેખ સિંગાપોરની વિવિધ સંસ્થાઓમાં સક્રિય છે. તેઓ સિંગાપોર ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીમાં ચેરમેન છે. સિંગાપોર બિઝનેસ ફેડરેશનમાં કાઉન્સિલ મેમ્બર તરીકેની કામગીરી સંભાળે છે. તેઓ મોનેટરી ઓથોરિટી ઓફ સિંગાપોરે સ્થાપેલા એલિવનડી પ્લેટફોર્મમાં જાહેર અને ખાનગી ક્ષેત્ર વચ્ચે સંવાદમાં સહાયક બની ડિજિટલ ઈકોનોમીમાં ફીનટેકને આગળ ધપાવી રહ્યા છે.

સિંગાપોરની સંસદમાં પોતાના ભાઈની નિયુક્તિ સિદ્ધિ અંગે વાત કરતાં સુનિલ પારેખ જણાવ્યું કે “આપણા સૌના માટે આ ગૌરવની ક્ષણ છે. તેઓ ફાઈનાન્સ ઈન્ડસ્ટ્રીમાં વ્યાપક જ્ઞાન અને અનુભવ ધરાવે છે અને સિંગાપુરની સંસદમાં પણ અમૂલ્ય પ્રદાન કરશે.

નિમિલ પારેખ જેમ્સ કૂક યુનિવર્સિટી (સિંગાપોર)ની એડવાઈઝરી કાઉન્સિલના સભ્ય છે અને સિંગાપોરમાં ફાઈનાન્સિયલ સાક્ષરતા (લિટ્રસી) વધારવાના ધ્યેયથી કામ કરી રહ્યા છે. તેઓ કોમર્સમાં બેચલર ડીગ્રિ (ઓનર્સ) ધરાવે છે અને માસ્ટર્સ ડિગ્રી પણ ધરાવે છે. આ ઉપરાંત તેમણે  નોર્થ-ઈસ્ટર્ન યુનિવર્સિટીમાંથી એમબીએની ડિગ્રી પણ હાંસલ કરી છે.

સાચવજો.. ગુજરાતમાં વધી રહ્યો છે આંખનો રોગ, ઠેર ઠેર કેસ નોંધાયા

ગુજરાતમાં આંખોનો રોગ વધ્યો છે. જેમાં વાઈરલ કન્ઝક્ટિવાઈટિસને લઈ આરોગ્ય વિભાગે સલાહ આપી છે કે આંખ આવે, લાલાશ થાય તો મેડિકલ સ્ટોર પરથી ટીપાં લઈને નાખવા નહીં. આરોગ્ય કેન્દ્રો, હોસ્પિટલોમાં સારવાર માટે વ્યવસ્થા ઊભી કરાઈ છે.

ડોક્ટરની સલાહ વિના મેડિકલ સ્ટોરમાંથી આંખના ટીપા લઈને નાખવા નહિ

રાજ્યના વિવિધ શહેર-જિલ્લામાં આંખો આવવાના એટલે કે વાઈરલ કન્ઝક્ટિવાઈટિસના કેસો સામે આવ્યા છે, જેને ધ્યાને લઈ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સબ જિલ્લા હોસ્પિટલ, જિલ્લા કક્ષાની હોસ્પિટલ તેમજ મેડિકલ કોલેજ-હોસ્પિટલ ખાતે સારવાર માટે યોગ્ય વ્યવસ્થા ઊભી કરી છે, સરકારે માર્ગદર્શિકા જાહેર કરતાં કહ્યું કે, આંખમાં લાલાશ, દુખાવો થાય તો નજીકના આંખના તબીબ પાસે જ સારવાર લેવી જોઈએ, ગભરાવાની જરૂર નથી પણ યોગ્ય સારવાર, સાવચેતી રાખવી જરૂરી છે, આંખો આવે તો તબીબની સલાહ વિના આંખમાં ટીપાં, દવા નાખવી નહિ. ચેપ ધરાવતા દર્દીએ ચશ્મા પહેરવાની સાથે સ્વચ્છતા રાખવી તેમજ ભીડ-ભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ.

ડોક્ટરે દર્શાવેલા ટીપા નાખતા પહેલાં અને પછી સાબુથી હાથ ધોવા જરૂરી

આરોગ્ય વિભાગે સલાહ આપી છે કે, આંખો આવે, લાલ થાય, દુખે તેવી સ્થિતિમાં સૌથી મહત્ત્વની બાબત વ્યક્તિગત સ્વચ્છતા છે, પોતાના હાથ અને મોં ચોખ્ખા રાખવા, સાબુથી સમયાંતરે હાથ અને મોં ધોવા, હોટેલ, હોસ્ટેલ, મેળાવડા, થિયેટર, એસટી સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, મોલ વગેરે જાહેર સ્થળોએ સ્વચ્છતા બાબતે ખાસ ધ્યાન રાખવું અને શક્ય હોય તો આવા સ્થળોએ અવર-જવર ટાળવી જોઈએ. આંખોમાં લાલાશ દેખાય, દુખાવો થાય કે ચેપડા વળે તો નજીકના નેત્રસર્જન પાસે જઈ સારવાર કરાવવી, જાતે ડોક્ટરની સલાહ વિના મેડિકલ સ્ટોરમાંથી આંખના ટીપા લઈને નાખવા નહિ. ડોક્ટરે દર્શાવેલા ટીપા નાખતા પહેલાં અને પછી સાબુથી હાથ ધોવા જરૂરી છે.