બંગાળથી હિન્દી ફિલ્મોમાં કારકિર્દી બનાવવા આવેલા સંગીતકાર બપ્પી લાહિરી માટે સફળતા મેળવવાનું સરળ રહ્યું ન હતું. માતા બંસરી અને પિતા અપરેશ બંગાળમાં જાણીતા ગાયક રહ્યા હતા. મૂળ નામ અલોકેશ હતું પણ નાનપણથી બપ્પી તરીકે જ ઓળખ ઊભી થઈ હતી. બપ્પીએ ચાર વર્ષની ઉંમરે તબલા વગાડવાનું શરૂ કર્યું હતું. તે માતા-પિતા સાથે શૉમાં જતો હતો ત્યારે એક વખત લતા મંગેશકરે એનું કામ જોઈને વખાણ કર્યા હતા. લતાજી જ્યારે બપ્પીના પિતાના સંગીતમાં એક ગીત ‘એકબાર બિદાય દે’ ગાવા કલકત્તા આવ્યા ત્યારે એ પણ હાજર રહ્યો હતો. બપ્પીએ ૧૧ વર્ષની ઉંમરે દુર્ગા પૂજા વખતે પ્રાઈવેટ આલબમના એક ગીતમાં સંગીત આપ્યું હતું અને એમાં પિતાએ ગાયું હતું.
બપ્પી ભણતો હતો ત્યારે સંગીતકાર તરીકેની પહેલી બંગાળી ફિલ્મ ‘દાદુ’ મળી હતી. એમાં લતાજી, આશાજી અને મન્ના ડેએ ગીત ગાયા હતા. બપ્પીને ભણવામાં રસ ન હતો. એણે પિતાને સંગીતમાં કારકિર્દી બનાવવાની વાત કરી ત્યારે એમણે પહેલાં ભણવાનું પૂરું કર્યા પછી સંગીતમાં સંપૂર્ણ સમય આપવા કહ્યું હતું. ૧૯ વર્ષની ઉંમરે બપ્પીએ મુંબઈમાં કારકિર્દી બનાવવા માતા- પિતા સાથે પગ મૂક્યો ત્યારે હિન્દી ફિલ્મોમાં સંગીતકાર તરીકે શરૂઆત કરવાનું ખૂબ જ મુશ્કેલ હતું. એસ. ડી. બર્મન, આર. ડી. બર્મન, ઓ. પી. નૈયર, શંકર- જયકિશન, મદન મોહન, કલ્યાણજી- આણંદજી, લક્ષ્મીકાંત- પ્યારેલાલ વગેરે દિગ્ગજ સંગીતકારોનું રાજ હતું. પરંતુ પિતા બંગાળના જાણીતા ગાયક અને સંગીતકાર હોવાથી શરૂઆતમાં હિન્દી ફિલ્મોમાં કામ મળી ગયું.
તનૂજાના પતિ શોમુ મુખર્જીની ફિલ્મ ‘નન્હા શિકારી’ (૧૯૭૩) મળી એ નિષ્ફળ રહી. એ પછી પણ ફિલ્મો ચાલી નહીં ત્યારે પિતાએ એને સૂચન કર્યું કે હજુ થોડા વર્ષ પ્રયત્ન કરી જો. સફળતા નહીં મળે તો પાછા બંગાળ જતાં રહીશું. માતા- પિતા ગાયક તરીકે પ્રવૃત્ત હતા અને આર્થિક રીતે સંપન્ન હતા એટલે બીજો કોઈ પ્રશ્ન ન હતો. એક હિટ ફિલ્મની સતત શોધ રહેતી હતી. સમય જતાં ફિલ્મ ‘એક લડકી બદનામ સી’ (૧૯૭૪) નું લતા મંગેશકર અને કિશોરકુમારે ગાયેલું ‘રહે ના રહે ચાહે હમ ઔર તુ’ લોકપ્રિય રહ્યું અને પ્રશંસા થઈ. આ ગીત સાંભળીને તાહિર હુસેને ફિલ્મ ‘જખ્મી’ (૧૯૭૫) માં મોટો બ્રેક આપ્યો. ફિલ્મના ‘જલતા હૈ જીયા મેરા ભીગી ભીગી રાતોં મેં’ અને બીજા ગીતો બહુ લોકપ્રિય થયા પછી બપ્પીને સંગીતકાર તરીકે હિન્દી ફિલ્મોમાં કામ મળવા લાગ્યું. ફિલ્મ ‘આપ કી ખાતિર’ (૧૯૭૭) નું ‘બમ્બઇ સે આયા મેરા દોસ્ત’ ગીત સુપરહિટ રહ્યા પછી સંગીતકાર જ નહીં ગાયક તરીકે પણ બપ્પી લહેરી મુંબઈમાં જામી ગયા હતા.
“વસવાટના સ્થળે કોઈ શત્રુ કે રાજા હેરાન કરતો હોય અથવા ખરાબ સમય ચાલી રહ્યો હોય અને તેને લીધે પોતાની લાજ જતી હોય કે ધનનો નાશ થતો હોય કે પછી પોતાના પ્રાણનો નાશ થવાનું જોખમ હોય એવા સ્થળનો સત્સંગી ગૃહસ્થે તરત જ ત્યાગ કરી દેવો. એ સ્થળ પોતાના મૂળ ગરાસનું હોય કે વતનનું હોય તોપણ વિવેકબુદ્ધિ વાપરીને ગૃહસ્થે ત્યાંથી નીકળી જવું અને એવા દેશ કે પ્રદેશમાં જવું જ્યાં સુખેથી રહી શકાતું હોય.” શિક્ષાપત્રીના 153 અને 154મા શ્લોકનો આ સાર છે.
આ શ્લોક પરથી ‘ભાગ મિલખા ભાગ ફિલ્મ’ યાદ આવે છે. ભારતના ભાગલા વખતે મિલખાના પરિવારે પાકિસ્તાનના ભાગે આવેલા વિસ્તારમાં રહેવાનું પસંદ કર્યું અને મિલખાનાં બહેન-બનેવી તથા જે લોકો ત્યાંથી નીકળી ગયાં એ બધાં ભારતમાં આવીને બચી ગયાં. 1972માં યુગાંડાથી યુનાઇટેડ કિંગડમમાં સ્થળાંતર કરી ગયેલા મૂળ ભારતીય પરિવારોના કિસ્સામાં પણ એવું જ બન્યું હતું.
ઉપરોક્ત બન્ને કિસ્સાઓમાં કારણ રાજકીય પરિસ્થિતિનું હતું. આમ, એ ઘટનાઓ માનવસર્જિત હતી. કેટલીક વાર કોઈક કુદરતી આફત આવવાનું જોખમ હોય અથવા તો આફત આવી રહી હોય એવા સમયે પણ લોકોએ સ્થળાંતર કરી લેવું જરૂરી બને છે. ગુજરાતમાં સરદાર સરોવર બંધ બંધાતી વખતે ઘણા ગ્રામવાસીઓ પાણીને કારણે સર્જાનારી આફતનો તાગ પામીને વતન છોડીને બીજે જતા રહ્યા હતા.
સ્થળાંતર કાયમી કે કામચલાઉ હોઈ શકે છે.
જે. પી. દત્તાની ફિલ્મ – ‘બોર્ડર’માં પાકિસ્તાની હુમલાથી તારાજ થવાનું જોખમ ધરાવતા વિસ્તારમાંથી ગ્રામવાસીઓને દૂર મોકલી દેવાયા હતા, જેથી જાનહાનિ થાય નહીં. આ સ્થળાંતર કામચલાઉ સ્વરૂપનું કહેવાય. આ બધાં શિક્ષાપત્રીમાં કહેલી વાતને લાગુ પડતાં ઉદાહરણો છે. જ્યાં માનવસર્જિત કે કુદરતી આપદાઓ હોય ત્યાંથી પોતાના પરિવાર સાથે તથા સંપત્તિ સાથે સ્થળાંતર કરી લેવું જોઈએ. “આ તો મારું જન્મસ્થળ છે, હું અહીંથી ક્યાંય જઈશ નહીં” એવી જિદ કરીને સ્થળાંતર કરવાનું ટાળવાની માનસિકતા પણ જોવા મળી શકે છે. આથી જ શિક્ષાપત્રીમાં બોધ આપવામાં આવ્યો છે કે પોતાના જન્મસ્થળની કે વતનની પ્રીત છોડીને પણ બીજે ચાલ્યા જવું જરૂરી છે. એવા સમયે લાગણીશીલ બનવાને બદલે વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું છે.
આપણે યાદ રાખવું જોઈએ કે મોટાભાગની મનુષ્ય જાતિઓ પહેલેથી ભટકતી જાતિઓ જ રહી છે. આપણા પૂર્વજો મધ્ય એશિયાથી આવ્યા હતા. પારસીઓ છેક ઇરાનથી ગુજરાતના સંજાણમાં આવીને વસ્યા હતા. આર્યો અને મોગલો પણ બીજેથી જ આવ્યા હતા. ફક્ત ભારતમાં આવું થયું છે એમ નથી. અમેરિકા તો આખેઆખું વસાહતીઓથી જ ભરેલું છે. મૂળ અમેરિકન લોકો તો ઘણા ઓછા છે.
આપણા વડવાઓ પોતપોતાનાં જન્મસ્થળ છોડીને સ્થળાંતર કર્યું તેનાં ફળ આજે આપણે ચાખી રહ્યા છીએ. શિક્ષાપત્રીની ઉક્ત બાબત નાણાકીય ક્ષેત્રે કઈ રીતે લાગુ પડે છે એ હવે જોઈએ. ફાઇનાન્શિયલ પ્લાનરો હંમેશાં કન્ટિન્જન્સી ફંડ રાખવાનું કહેતા હોય છે. તાકીદના સમયે કામ આવે એવું આ ભંડોળ હોય છે. આપણે પહેલેથી નક્કી કરીને કે પછી અચાનક સ્થળાંતર કરી જવું હોય ત્યારે રોજિંદા ખર્ચ પૂરા કરવા માટે એ રકમ ઉપયોગી થાય છે. સામાન્ય રીતે ત્રણથી પાંચ મહિનાનો ઘરખર્ચ નીકળી જાય એટલું ભંડોળ રાખવાની ભલામણ કરવામાં આવે છે. કોઈ પણ આફતને પહોંચી વળવા કે તેમાંથી કળ વળવા માટે 90 દિવસનો સમય પૂરતો હોય છે. અંગ્રેજીની કહેવત છે કે ટાઇમ ઇઝ ધ ગ્રેટ હીલર અર્થાત્ સમય જતાં ઘા રૂઝાઈ જાય છે. કોઈ પણ મોટી દુર્ઘટના બને ત્યારે તત્કાળ વ્યવહારુ નિર્ણય લઈ શકાતા નથી. 90 દિવસની અંદર કળ વળે પછી માણસ વ્યવહારુ-તર્કબદ્ધ નિર્ણય લેવાની સ્થિતિમાં આવી જાય છે.
તાકીદના ભંડોળમાં ઘરમાં એક અઠવાડિયું ચાલે એટલી રોકડ રાખવી અને બાકીની રકમ ફિક્સ્ડ ડિપોઝિટ સાથે સંકળાયેલા સેવિંગ્સ બૅન્ક અકાઉન્ટમાં રાખવી. આ નાણાં સહેલાઈથી મળી શકવાં જોઈએ. પરિવારના સભ્યોને એટીએમ કે ડેબિટ કાર્ડની સુવિધાની જાણ હોવી જોઈએ તથા તેમને તેનો ઉપયોગ કરતાં આવડવું જોઈએ. ઘણા લોકોને રિયલ એસ્ટેટ પ્રત્યે ઘણી પ્રીતિ હોય છે. અહીં એ યાદ રાખવું કે રિયલ એસ્ટેટ સ્થાયી સંપત્તિ છે. વખાના માર્યા બીજે ક્યાંય જવું પડે તો રિયલ એસ્ટેટ સાથે લઈને જવાનું શક્ય હોતું નથી. આથી ફક્ત રિયલ એસ્ટેટમાં રોકાણ કરતાં જવાનું હિતાવહ નથી. અલગ અલગ પ્રકારની અસેટ્સમાં રોકાણ કરવાની સલાહ આપવા પાછળનું આ પણ એક કારણ છે.
કપરો સમય દરેક મનુષ્યના જીવનમાં આવતો જ હોય છે. એવા વખતે માણસ લાગણીઓમાં તણાઈ જાય છે. આથી જ, શાસ્ત્રોમાં કહેલી વાતને ધ્યાનમાં લઈને આપણે યોગ્ય નિર્ણય લઈ શકીએ છીએ. આપણાં શાસ્ત્રો ફક્ત મનની શાંતિ માટે નથી, વ્યવહારમાં અમલી બનાવાયા એવાં પણ છે. ઉક્ત શ્લોક દ્વારા શિક્ષાપત્રી “સર સલામત તો પગડી હજાર”નો બોધ આપે છે.
(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)
મુંબઈ અને ચોમાસાની મોસમ અને તેના ધોધમાર વરસાદ વચ્ચે ખટમીઠો સંબંધ રહ્યો છે. દર વર્ષે જૂન-સપ્ટેમ્બરના મહિનાઓમાં નૈઋત્યનું ચોમાસું આ મહાનગરમાં 100થી પણ વધારે ઈંચ વરસાદ ખાબકી જાય છે. આ સંબંધ-સમીકરણની ઉજવણી સ્વરૂપ શહેરમાં એક અનોખું તસવીર-પ્રદર્શન યોજવામાં આવ્યું છે. શહેરના પ્રચારમાધ્યમોના કેટલાક નામાંકિત ફોટોજર્નાલિસ્ટ્સ દ્વારા મુંબઈમાં છેલ્લા અનેક વર્ષોમાં વરસાદની મોસમ દરમિયાન જુદા જુદા વિસ્તારોમાં ભારે તકલીફ વેઠીને, કઠિન-પડકારજનક સંજોગોમાં ખેંચવામાં આવેલી લગભગ 100 જેટલી શ્રેષ્ઠતમ તસવીરોને આ પ્રદર્શનમાં મૂકવામાં આવી છે. આ પ્રદર્શન દક્ષિણ મુંબઈના નરીમાન પોઈન્ટ વિસ્તારમાં NCPA સ્થિત દિલીપ પિરામલ આર્ટે ગેલેરી ખાતે 8 જુલાઈના શનિવારથી શરૂ થશે અને 23 જુલાઈ સુધી ચાલશે. પ્રદર્શન જોવા માટેનો સમય છેઃ બપોરે 12થી રાતે 8 વાગ્યા સુધીનો. આ પ્રદર્શન ઉક્ત ગેલેરીના ક્યૂરેટર અને ભૂતપૂર્વ ફોટોજર્નાલિસ્ટ મુકેશ પારપિયાની દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનનું શિર્ષક છે ‘મુંબઈ મોન્સૂન બીયોન્ડ 24×7’. પ્રદર્શનમાં મુંબઈના નિચાણવાળા ભાગોમાં ભરાતા પાણી, એને કારણે કામ-ધંધે જતાં નાગરિકોને નડતી હાડમારી, પૂરની સ્થિતિ વગેરે દ્રશ્યોની એક્સક્લુઝિવ તસવીરો જોવા મળશે.
આ પ્રદર્શનમાં ‘ચિત્રલેખા’ ગ્રુપના ચેરમેન મૌલિક કોટકે પાડેલી એક તસવીરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ઉક્ત તસવીરમાં ડાબી બાજુની તસવીર મૌલિકભાઈ દ્વારા લેવામાં આવેલી છે. જુહૂ વિસ્તારમાં લીધેલી આ તસવીર કહે છેઃ ધોધમાર વરસાદને કારણે રસ્તો જળબંબાકાર થઈ ગયો હોવા છતાં વહેલી સવારે એક દૂધવાળો તેની સેવા બજાવવા રાબેતા મુજબ નીકળ્યો છે અને તેની મોટરબાઈકને પાણી વચ્ચેથી પસાર કરાવી રહ્યો છે. સાથોસાથ બીજા હાથમાં મોબાઈલ ફોન પણ બ્રાઉઝ કરી રહ્યો છે… ભારે હિંમતબાજ…! ઉલ્લેખનીય છે કે મૌલિકભાઈ એક અચ્છા ફોટોગ્રાફર પણ છે અને તેમની ફોટોગ્રાફી કળા પુસ્તક રૂપે પ્રગટ કરવામાં આવી છે. એમણે મુંબઈના સ્થળોએ ફરતાં ફરતાં પાડેલી ઉત્કૃષ્ટ તસવીરોની કોફી ટેબલ બુક ‘લાઈફ ઓન જુહૂ બીચ’નું 2019માં મુંબઈમાં વિમોચન કરવામાં આવ્યું હતું.
મુકેશ પારપિયાનીએ કહ્યું છે કે, આ પ્રદર્શન ત્રણ દિગ્ગજ ફોટોજર્નાલિસ્ટ – વિવેક બેન્દ્રે, પ્રશાંત નાડકર અને મહેન્દ્ર પરીખને શ્રદ્ધાંજલિ રૂપે છે, જેઓ આ ફાની દુનિયાને છોડી ગયા છે.
મુંબઈઃ “ગુજરાતી ભાષાનાં અભ્યાસનું મહત્ત્વ અને રોજગારની તકો” વિષય પર એક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 8 જુલાઈ, 2023ના શનિવારના રોજ યોજવામાં આવનાર આ કાર્યક્રમમાં વક્તા તરીકે એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટી, મુંબઈનાં ગુજરાતી વિભાગનાં પ્રોફેસર કવિત પંડ્યા ઉપસ્થિત રહેશે.
સ્થળ: જોગર્સ પાર્ક, જિમ્નેશિયમ પાછળ, ચિકુવાડી, શિમ્પોલી મેટ્રો સ્ટેશન નજીક, બોરીવલી (વેસ્ટ). સમયઃ સાંજે ચાર થી પાંચ
નવી દિલ્હીઃ વૈશ્વિક સ્તરે તંબાકુના સેવનથી વર્ષેદહાડે આશરે 80 લાખ લોકોનાં મોત થાય છે, જેમાં ભારતમાં એકલા 13 લાખ લોકો એનો શિકાર થાય છે. દેશમાં પુરુષો ને મહિલાઓમાં થતા કેન્સરનો ક્રમશઃ અડધાથી વધુ એક ચતુર્થાંશ કેન્સર તંબાકુ અને એને લગતા પદાર્થોના સેવનથી થાય છે, એમ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો ડેટા કહે છે.
ભારતમાં આશરે 26.7 કરોડ યુવા-જેમની વય 15 વર્ષથી વધુ છે અને દેશની વસતિની યુવા જનસંખ્યા 29 ટકા છે – તંબાકુ ઉત્પાદનોનું સેવન કરે છે. તંબાકુ અને એના સંબંધિત ઉત્પાદનોના અંધાધૂધ ઉપયોગે ભારતને વિશ્વમાં ચીન (30 કરોડ) પછી બીજા સૌથી મોટા તંબાકુ ઉપભોક્તા દેશની શ્રેણીમાં આવે છે. અત્યાર સુધી સંશોધનો મુજબ તંબાકુમાં બેન્ઝિન, નિકોટિન, હાઇડ્રોડજન સાઇનાઇડ, એલ્ડિહાઇડ સીસું, આર્સેનિક ટાર અને કાર્બન મોનોઓક્સાઇડ વગેરે જેવા 70 ખતરનાક તત્ત્વ સામેલ હોય છે, જેનાથી આપણા આરોગ્ય પર પ્રતિકૂળ અસર પડે છે.
ભારતના રાષ્ટ્રીય કેન્સર રજિસ્ટ્રેશનના આંકડા અનુસાર 2012-16ની વચ્ચે કેન્સરના કુલ કેસોમાં 27 ટકા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તંબાકુથી સંબંધિત છે. તંબાકુથી કાર્ડિયોવેસ્ક્યુલર બીમારીઓ અને હાર્ટ અટેકની આશંકા વધી જાય છે. એ આપણી કલ્પના શક્તિ, માનસિક ચેતના અને સ્થિરતાને અસર કરે છે, જેનાથી સુસ્તીને પણ પ્રભાવિત કરે છે, જેનાથી સુસ્તી અને લકવા જેવી બીમારી પણ થઈ શકે છે.દેશમાં એકલા રાજસ્થાનમાં વર્ષેદહાડે રૂ. 22,000 કરોડની તંબાકુ ખાવામાં આવે છે.
મુંબઈઃ અમેરિકામાં વ્યાજદરમાં વધારો કરાવાની શક્યતા હજી ઊભી છે અને દેશના વૃદ્ધિદર બાબતે પણ ચિંતા પ્રવર્તે છે એવી સ્થિતિમાં શુક્રવારે વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ઘટાડો થયો હતો. માર્કેટના બેન્ચમાર્ક આઇસી15 ઇન્ડેક્સના તમામ ઘટક કોઇનમાં ઘટાડો નોંધાયો હતો, જેમાંથી લાઇટકોઇન, શિબા ઇનુ, ચેઇનલિંક અને ઈથેરિયમ ચારથી આઠ ટકાની રેન્જમાં સૌથી વધુ ઘટનારા કોઇન હતા. બિટકોઇનમાં ફરીથી ઘટાડો થતાં ભાવ 31,000 ડોલરની નીચે પહોંચી ગયો હતો.
દરમિયાન, નામીબિયાની સંસદે ક્રીપ્ટોકરન્સી, ડિજિટલ એસેટ્સના નિયમન માટે ખરડો પસાર કર્યો છે, જેથી ગ્રાહકોનું રક્ષણ કરી શકાય. યુનાઇટેડ આરબ એમીરેટ્સે બિટકોઇન માઇનિંગનું કેન્દ્ર બને એ માટેના પ્રયાસ સ્થાનિક સરકારે શરૂ કર્યા છે. એના માટે ભરપૂર પ્રમાણમાં ઊર્જા, કરવેરાના લાભ અને માઇનર્સ માટે બિઝનેસ ફ્રેન્ડલી વાતાવરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે.
3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 2.11 ટકા (864 પોઇન્ટ) ઘટીને 40,012 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 40,876 ખૂલીને 40,988ની ઉપલી અને 39,670 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
અમદાવાદઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની અરજી પર હાઇકોર્ટે આપેલા ચુકાદા પર પ્રતિક્રિયા આપતાં પાર્ટીના નેતા અમિત ચાવડાએ કહ્યું હતું કે ચુકાદાની વિરુદ્ધ કોંગ્રેસ પાર્ટી સુપ્રીમ કોર્ટમાં જશે ને કાનૂની લડાઈ લડશે. તેમણે આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે જ્યારથી રાહુલ ગાંધી સવાલ પૂછી રહ્યા છે- મોદીજી અને અદાણી વચ્ચે શો સંબંધ છે.
દેશમાં મહિલાઓની વિરુદ્ધ અત્યાચાર, બળાત્કાર થઈ રહ્યા છે, દેશમાં રાહુલજીએ રોજગારી મુદ્દે સવાલ કર્યા છે, દેશની સરહદ ચીન અને પાકિસ્તાન દ્વારા કબજો કરવામાં આવી રહ્યો છે. આમ કરીને રાહુલજીનો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
सत्य का सूरज एक दिन निकलेगा जरूर कोर्ट का फैसला भी एक दिन बदलेगा जरूर
समय है सरकार, हमेशा बदलता है कालचक्र का पहिया भी एक दिन घूमेगा जरूर
कितना भी कुचल ने की कोशिश कर लो तुम हमारी आत्माओ को कांग्रेस के योद्धाओं का दिल है साहब देश और राहुल जी के लिए धड़केगा जरूर
કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલજીએ કહ્યું છે કે ડરો નહીં. તમે સંસદમાંથી કાઢો, ઘર ખાલી કરાવી દો, જેલમાં નાખો, પરંતુ દેશના લોકોનો અવાજ ઉઠાવવાથી મને કોઈ અટકાવી શકે. રાહુલજી એકમાત્ર એવા નેતા છે, જે દેશના લોકોની સાથે છે તેમના નેતૃત્વમાં લોકોને આશા છે, એમ કોંગ્રેસના પાર્ટીના નેતા અમિત ચાવડાએ કહ્યું હતું.
દેશની અલગ-અલગ શહેરોની કોર્ટમાં તેમની વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે, પરંતુ આવા કેસોમાં દરેક પ્રકારની જોગવાઈ હોવા છતાં એક પછી એક ચુકાદા એવા અપાઈ રહ્યા છે, જેનાથી લાગે છે દેશમાં લોકશાહી ખતમ કરીને તાનાશાહનું શાસન આવી ગયું છે. આ નવી આઝાદીની લડાઈ છે અને રસ્તાથી માંડીને સુપ્રીમ કોર્ટ સુધી આ લડાઈ અમે લડીશું.
અમદાવાદઃ અહીં ચાલી રહેલા ‘U20 મેયરલ સમીટ’ના ચર્ચા સત્રોના ચાર વિષયો પૈકી એક છે – “વિકાસના મુખ્ય પ્રવાહમાં મહિલાઓનો સમાવેશ”. આ હેતુને ચરિતાર્થ કરતો પ્રશંસનીય પ્રયાસ અમદાવાદના જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવેએ કર્યો છે.
આ જ શૃંખલામાં તેઓ સાણંદ તાલુકાના ચેખલા ગામે પહોંચ્યા હતા. જ્યાં ગામમાં ઉપલબ્ધ વિવિધ સરકારી સુવિધાઓ તેમજ નિર્માણ કાર્યોની સમીક્ષા કરી તેમણે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા. આ ઉપરાંત તેમણે ‘સખી મંડળ’ની બહેનો સાથે પણ વિચારવિમર્શ કર્યો હતો. સખી મંડળના માધ્યમથી મહિલાઓ ઊનની હાથવણાટની વિવિધ વસ્તુઓ બનાવે છે. આ પ્રવૃત્તિને કારણે મહિલાઓ આર્થિક ઉપાર્જન તો કરી જ રહી છે. સાથોસાથ આત્મવિશ્વાસમાં વધારો થવાની સાથે તેમને પગભર પણ બનાવે છે. દવેએ સખીમંડળની બહેનો દ્વારા હાથવણાટથી બનાવાયેલા ઊનના રૂમાલની ખરીદી કરી હતી અને બહેનોને વધુ આર્થિક પ્રવૃત્તિ કરવા માટે પ્રેરિત કરી હતી.
ચેખલા ગામે કુલ ૪૮ સખી મંડળો કાર્યરત છે. જેમાં ૫૧૦થી વધુ મહિલાઓ જોડાઈ છે. આ મહિલાઓ સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત મળતા ધિરાણનો ઉપયોગ કરીને ચોખાનાં પાપડ, તોરણ, હાથવણાટની વિવિધ વસ્તુઓ, કટલરી સ્ટોર સહિતની આર્થિક પ્રવૃત્તિઓ સાથે જોડાઈ છે.