Home Blog Page 2725

રાશિ ભવિષ્ય 06/07/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજે તમને કોઈ સારી આશા જન્માવે, તમે પસંદગીના કામમાં સારો સમય પસાર કરો, તમારા પરિચિત સાથે કોઈ લાભની વાત થાય, મુલાકાત દરમિયાન જૂનીયાદોના સુખદસ્મરણોથી આનંદની લાગણી અનુભવો, વેપારના કામકાજમાં નવીનતક દેખાઈ શકે છે, યુવાવર્ગને ઉત્સાહ સારો રહે.


તમારા સગાસ્નેહી, જુનાપરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે અને તેમાં તમને સારો ઉત્સાહ જોવા મળે તેમજ તમને તક મળતા તમારા મનની કોઈવાત પણ ક્યાંક રજુ કરો તેવું બની શકે છે, આરોગ્યબાબત થોડા મોજમસ્તીના મુડમાં હોવાથી કયાંક બેદરકાર પણ બનો, મુસાફરી થવાના યોગ છે.


આજે મુસાફરી દરમિયાન તમને ઉત્સાહ જોવા મળી શકે છે, તમે થોડા ધાર્મિકકે અધ્યાત્મિકવાતમાં રૂચી વધુલો અને કોઈજગ્યાએ ધાર્મિકબાબત પર નાણાનું દાનકે સદ્કાર્ય માટેનું આયોજન પણ કરો, વેપારના કામકાજમાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો હિતાવહ છે, પ્રિયજન સાથે ફરવા જવાના યોગ પણ છે.


આજે વ્યવસાયમાં થોડી વ્યસ્તતા જોવા મળે, સહકર્મચારીનો સહયોગ તમને મળી રહે અને કામપૂરું થયાનો સંતોષ પણ મળે, તમારા કોઈ જુનાઅટકેલા કામકાજમાં સમય ફાળવોતો તેમાં પણ કામ આગળ ચાલવાની શક્યતા રહે, બજારના કામમાં આકસ્મિકલાભ થઈ શકે છે, યુવાવર્ગ માટે ઉત્સાહજનક કોઈ વાત બની શકે.


આજે અચાનક તમને કોઈ સારી તક દેખાય અને તમે ખુશી અનુભવો, આજના દિવસમાં તમારામાં ધીરજનો થોડો અભાવ દેખાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે આજે કોઈ અઘરો વિષય શીખવામાં વધુ સમય ફાળવાયતો તે વિષયમાં આવડત વધી શકે છે, વેપારમાં નવું જાણવાનું મળવાથી ખુશી અનુભવાય.


આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે કેમકે તમને નાનીનાની વાતમાં ગુસ્સો આવે અને તેની અસર તમારી સાથેના અન્ય લોકો પર પડે જેથી ક્યાંક મનદુઃખના થાય તેનું ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં કોઈપણ પ્રકારનું મોટું જોખમના કરવું, પ્રિયજન સાથે ગેરસમજના થાય માટે શાંતિથી વાર્તાલાપ કરવી.


આજે તમને કોઈપણ કારણસર ઉત્સાહ જોવા મળે અને તેની અસર તમારા કામ અને અન્ય લોકો સાથેના વ્યવહાર પર પડે, તમે આજે ઉદાર અને સહયોગી વૃત્તિવાળા બનો. વેપારના કામકાજમાં તમને આત્મવિશ્વાસ સારો દેખાય. યુવાવર્ગ માટે પસંદગીના કામ થાય તેવા સંજોગો પણ બની શકે છે.


તમારી વાણીનો પ્રભાવ અન્ય પર સારો પડે અને તમે તમારા શબ્દો વડે તમારી વાતને કોઈની આગળ સારી રીતે રજુ કરી શકો, કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય તેવું પણ બની શકે છે, પરિચિત સાથેની મિલનમુલાકાત તમને યાદગાર બની શકે છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજે સગાસ્નેહી સાથે ક્યાંક લાભની વાત આપલે થઇ શકે તેમજ કોઈની સાથે જુના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક પણ મળી શકે છે, વેપારના કામકાજમાં થોડી હિંમત અને અનુભવના ઉપયોગથી સારું કામ થઈ શકે છે, વ્યસ્તતા વચ્ચે પણ કામમાં ઉત્સાહ રહે અને અન્યનો સારો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે.


આજે કોઈ જૂનીવાતને યાદ આવવાથી મન થોડું અશાંત રહે, ખટપટકરનાર વ્યક્તિથી દુર રહેવું યોગ્ય છે, નજીકના સગાસંબંધી સાથે વાર્તાલાપ દરમિયાન તમને કોઈ નાપસંદ વાત સાંભળવાથી માનસિકઅશાંતિની લાગણી અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનુજ કામ કરવું સલાહ ભર્યું છે.


આજે તમારી લાગણી અને તમારા ભૂતકાળમાં કરેલા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થઇ શકે છે, તમારા અનુભવ અને માર્ગદર્શનનો લાભ અન્યના સારા હિતમાં આપો તેવું પણ બની શકે છે, વેપારના કામકાજમાં લાભની વાત બની શકે છે, પ્રિયજન તરફથી સારો પ્રતિસાદ મળવાથી સારી ખુશી અનુભવાય.


જાહેરજીવનના કાર્યમાં તમારી પ્રતિભા સારી ઉપસી આવે, તમારા કામમાં અન્યનો સાથ સહકાર મળતા તમે કામ બાબતે સારા ઉત્સાહી બનો, ભાગીદાર,પત્ની સાથે કોઈ અગત્યની વાર્તાલાપમાં પણ તમને સારો પ્રતિભાવ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગ માટે ઉત્સાહજનક પ્રસંગના એંધાણ મળે.

પંચાંગ 06/07/2023

IND vs WI: વેસ્ટ ઈન્ડિઝ સામે T20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત

વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી20 સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. હાર્દિક પંડ્યાને ટીમની કમાન મળી છે. સૂર્યકુમાર યાદવ વેસ્ટ ઈન્ડિઝ શ્રેણીમાં ટીમના ઉપ-કેપ્ટનની ભૂમિકામાં હશે. યશસ્વી જયસ્વાલ અને તિલક વર્મા ટીમનો ભાગ છે. પરંતુ રિંકુ સિંહને સ્થાન મળ્યું નથી. આ સિવાય રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.

 

ટીમ ઈન્ડિયા

ઈશાન કિશન (wk), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, સૂર્ય કુમાર યાદવ (vc), સંજુ સેમસન (wk), હાર્દિક પંડ્યા (c), અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, અવેશ ખાન અને મુકેશ કુમાર


અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિ દ્વારા પસંદ કરવામાં આવેલી આ પ્રથમ ટીમ છે. હકીકતમાં, બુધવારે અજીત અગરકરને BCCI પસંદગી સમિતિના મુખ્ય પસંદગીકાર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. હવે આ પસંદગી સમિતિએ પોતાની પ્રથમ ટીમ પસંદ કરી છે. નોંધપાત્ર વાત એ છે કે, ટેસ્ટ મેચ સિવાય ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર ODI અને T20 શ્રેણી રમશે. ભારત-વેસ્ટ ઈન્ડિઝ ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 12 જુલાઈથી ડોમિનિકામાં રમાશે. તે જ સમયે, ટેસ્ટ શ્રેણી પછી, બંને ટીમો ODI અને T20 શ્રેણીમાં આમને-સામને હશે.

‘ડંકી’ અને ‘જવાન’એ બનાવ્યા રેકોર્ડ, શાહરૂખની ફિલ્મોએ રિલીઝ પહેલા જ 480 કરોડની કમાણી કરી!

બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન આ દિવસોમાં દરેક જગ્યાએ છે. અભિનેતા તાજેતરમાં જ તેની ફિલ્મ જવાનનું શૂટિંગ કરીને યુએસથી પરત ફર્યો હતો. ગયા દિવસે સમાચાર આવ્યા હતા કે સ્ટંટ કરતી વખતે શાહરુખના નાકમાં ઈજા થઈ છે, જેની સર્જરી કરવામાં આવી છે. જો કે, જ્યારે શાહરૂખ પાછો ફર્યો, ત્યારે આ અહેવાલોને સંપૂર્ણ રીતે ફગાવી દેવામાં આવ્યા હતા. એવું જાણવા મળ્યું છે કે અભિનેતાને કોઈ ઈજા થઈ નથી. શાહરૂખના ચાહકો તેની આગામી ફિલ્મ જવાન ઔર ડંકીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બંને ફિલ્મો દ્વારા અભિનેતા ફરી એકવાર ધૂમ મચાવવા માટે તૈયાર છે. અહેવાલ છે કે જવાન અને ડંકી બંને ફિલ્મોએ રિલીઝ પહેલા જ કરોડોનો બિઝનેસ કરી લીધો છે.

અહેવાલ છે કે શાહરૂખ ખાનની ફિલ્મ જવાન અને ડંકીના સેટેલાઇટ, ડિજિટલ અને મ્યુઝિક રાઇટ્સ વેચી દેવામાં આવ્યા છે. આ એક મહાન સોદો બહાર આવ્યું છે. તમને જણાવી દઈએ કે જવાન અને ડંકીના રાઈટ્સ સિનેમાઘરોમાં રિલીઝ થયા પહેલા જ વારિદ પ્લેયર્સે ખરીદી લીધા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ડીલ લગભગ 400-500 કરોડમાં થઈ છે. જણાવી દઈએ કે જવાન 7 સપ્ટેમ્બરે મોટા પડદા પર રિલીઝ થવાની છે. તેનું ટીઝર હોલીવુડની એક્શન ફિલ્મ મિશન ઈમ્પોસિબલ સાથે રિલીઝ કરવામાં આવશે.

ડંકીની રિલીઝ તારીખને લઈને કોઈ સત્તાવાર માહિતી જારી કરવામાં આવી નથી. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં સામે આવ્યું છે કે આ ફિલ્મ ડિસેમ્બર 2023માં રિલીઝ થઈ શકે છે. જવાનની વાત કરીએ તો એટલા કુમાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં શાહરૂખ એક્શન અવતારમાં જોવા મળશે. થોડા સમય પહેલા ફિલ્મના અભિનેતાનો પટ્ટીવાળો લુક શેર કરવામાં આવ્યો હતો.

ડિજિટલ વ્યક્તિગત ડેટા સંરક્ષણ ખરડાને કેન્દ્રિય કેબિનેટે આપી મંજૂરી

નવી દિલ્હીઃ કેન્દ્રિય પ્રધાનમંડળે ડિજિટલ વ્યક્તિગત ડેટા સંરક્ષણ (ડીપીડીપી) ખરડા, 2023ના મુસદ્દાને આજે મંજૂરી આપી દીધી છે. આ સાથે સંસદના આગામી ચોમાસું સત્રમાં તેને રજૂ કરવાનો માર્ગ મોકળો થયો છે.

આ ખરડામાં તેના નિયમોના પ્રત્યેક ઉલ્લંઘન બદલ સંબંધિત કંપનીને રૂ. 250 કરોડ સુધીની પેનલ્ટી ફટકારવાની જોગવાઈ છે. આ ખરડો કાયદાનું સ્વરૂપ ધારણ કરશે તે પછી નાગરિકોને એમના અંગત ડેટાની ચોરી કરનાર કંપનીને સિવિલ કોર્ટમાં ઢસડી જઈને એની પાસેથી વળતર માગવાનો અધિકાર મળશે.

સંસદનું ચોમાસું સત્ર 20 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી યોજાવાનું છે.

રૂપિયાના આંતરરાષ્ટ્રીયકરણ તરફ RBIનું મોટું પગલું

ભારતીય રિઝર્વ બેંકે કહ્યું છે કે તે ભારતીય ચલણ રૂપિયાના આંતરરાષ્ટ્રીયકરણ અંગે આંતર-વિભાગીય જૂથના અહેવાલનો અભ્યાસ કરશે. આરબીઆઈએ તેની વેબસાઈટ પર રિપોર્ટ અપલોડ કર્યો છે. જોકે, આરબીઆઈએ ઈન્ટર-ડિપાર્ટમેન્ટલ ગ્રૂપના પોતાના અભિપ્રાય તરીકે રૂપિયાના આંતરરાષ્ટ્રીયકરણને લઈને રિપોર્ટમાં કરેલી બાબતો અને સૂચનો જણાવ્યું છે. આરબીઆઈનું કહેવું છે કે તેને આ રિપોર્ટ સાથે સત્તાવાર રીતે કોઈ લેવાદેવા નથી.

આરબીઆઈએ રૂપિયાના આંતરરાષ્ટ્રીયકરણ પર વિચારણા કરવા માટે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રાધા શ્યામ રાઠોની અધ્યક્ષતામાં આંતર-વિભાગીય જૂથની રચના કરી હતી. આ જૂથ બનાવવાનો હેતુ આંતરરાષ્ટ્રીય ચલણ તરીકે રૂપિયાનું સ્થાન નક્કી કરવાનો તેમજ રૂપિયાના આંતરરાષ્ટ્રીયકરણ માટે રોડમેપ તૈયાર કરવાનો હતો. તેના અંતિમ સૂચનો ધરાવતો અહેવાલ આંતર-વિભાગીય જૂથને સુપરત કર્યો છે.

રૂપિયાના આંતરરાષ્ટ્રીયકરણ પર આંતર-વિભાગીય જૂથની ભલામણોને ધ્યાનમાં રાખીને, સમિતિએ ભલામણ કરી છે કે દ્વિપક્ષીય અને બહુપક્ષીય વેપાર માટે ઇન્વોઇસિંગ, સેટલમેન્ટ અને ચુકવણી રૂપિયા અને સ્થાનિક ચલણમાં થવી જોઈએ. સમિતિએ એસીયુ જેવી હાલની બહુપક્ષીય મિકેનિઝમ્સમાં રૂપિયાને વધારાના સેટલમેન્ટ ચલણ તરીકે સ્થાપિત કરવાની ભલામણ કરી છે. દ્વિપક્ષીય વ્યવહારોમાં સ્થાનિક ચલણ ઉપરાંત, કાઉન્ટરપાર્ટી દેશો સાથે સ્થાનિક ચલણમાં વેપારને પ્રોત્સાહન આપવાની ભલામણ કરવામાં આવે છે.

આંતર-વિભાગીય જૂથે ભારત અથવા વિદેશમાં બિન-નિવાસી લોકો માટે રૂપિયા ખાતા ખોલવાનું વિસ્તરણ સૂચવ્યું છે. ક્રોસ બોર્ડર ટ્રાન્ઝેક્શન માટે ભારતીય પેમેન્ટ સિસ્ટમને એકીકૃત કરવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે. સમિતિએ વૈશ્વિક 24*5 રૂપિયાના બજારને પ્રોત્સાહન આપવા માટે નાણાકીય બજારને મજબૂત કરવા પર ભાર મૂક્યો છે અને ભારતને રૂપિયાના વ્યવહારોનું હબ બનાવવા અને તેને વધુ સારી કિંમત શોધ તરીકે સ્થાપિત કરવા પ્રોત્સાહન આપવાનું સૂચન કર્યું છે. નિકાસકારોને રૂપિયામાં વેપાર સેટલમેન્ટ માટે પ્રોત્સાહન આપવાનું સૂચન કરવામાં આવ્યું છે.

સમિતિએ મસાલા બોન્ડ પરના ટેક્સની મધ્યમ ગાળામાં સમીક્ષા કરવાનું સૂચન કર્યું છે. ક્રોસ બોર્ડર ટ્રેડ ટ્રાન્ઝેક્શન માટે RTGSનો આંતરરાષ્ટ્રીય ઉપયોગ અને રૂપિયાની સીએલએસ (કંટીન્યુઅસ લિન્ક્ડ સેટલમેન્ટ) સિસ્ટમમાં ડાયરેક્ટ સેટલમેન્ટ કરન્સી તરીકે રૂપિયાનો સમાવેશ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. ઉપરાંત, સમિતિએ વિદેશમાં ભારતીય બેંકોની ઓફ-શોર શાખાઓમાં બેંકિંગ સેવાઓ રૂપિયામાં ઉપલબ્ધ કરાવવાની ભલામણ કરી છે.

શરદ પવારને હટાવીને અજિત પવાર બન્યા NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં જારી રહેલા મહાભારતમાં હવે એક નવો રાજકીય ઘટનાક્રમ સામે આવ્યો છે. અજિત જૂથે દાવો કર્યો છે કે અજિત પવારે શરદ પવારને NCPના ચીફ પદેથી દૂર કર્યા છે અને ખુદ NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ બની ગયા છે. અજિત જૂથે દાવો કર્યો છે કે 30 જૂને મુંબઈમાં રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક થઈ હતી, જેમાં  એને લઈને પ્રસ્તાવ પસાર થયો હતો.

પાર્ટીની આ બેઠક પ્રફુલ્લ પટેલે બોલાવી હતી, જેમાં શરદ પવારને NCP ચીફ પદેથી દૂર કરવા અને અજિત પવારને ચીફ બનાવવાનો નિર્ણય થયો હતો. અજિત જૂથે એ પણ દાવો કર્યો હતો કે આ બેઠકમાં 31 વિધાનસભ્યો હાજર હતા. એ સાથે ચાર MLC પણ હતા. પવાર જૂથના નેતા અનિલ દેશમુખે કહ્યું હતું કે 83 વર્ષના શેર હજી જિંદા છે.

આ પહેલાં અજિત પવાર જૂથની બેઠકમાં કાકા પવાર પર પૂરી ભડાસ કાઢ્યો હતો. તેમણે શરદ પવારને વયનો હવાલો આપતાં રાજકારણ છોડી દેવાની સલાહ આપી હતી. એ સાથે તેમણે ભાજપના નેતાઓની સાથે NCPની સિક્રેટ મીટિંગને લઈને અનેક રાજ બહાર પાડ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે દિલ્હીમાં પવાર સાહબ અને તટકરેએ ભાજપ હાઇ કમાન્ડની સાથે મુલાકાત કરી હતી. ભાજપ, શિવસેના અને NCP મળીને સરકાર બનાવવાના મુદ્દે તેઓ સહમત નહોતા. આપણે શિવસેના સાથે સરકાર નહીં બનાવી શકીએ આ રીતે ગઠબંધ નહોતું થયું તો પછી શિવસેનાની સાથે સરકારમાં કઈ રીતે સામેલ થયા? એવો તેમણે સવાલ કર્યો હતો. અજિત પવારે ચૂંટણી પંચને પત્ર લખીને NCPનું નામ અને નિશાન માગ્યું હતું.

 

 

ઇપ્સિતા સેનગુપ્તાને જર્મનીમાં આંતરરાષ્ટ્રીય શિષ્યવૃત્તિ “FEMTEC” એનાયત કરાઇ

ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્નોલોજી, રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ (IITRAM) ખાતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ (બેચ 2017- 2021)ની BTechની ભૂતપૂર્વ વિદ્યાર્થી ઇપ્સિતા સેનગુપ્તાને જર્મનીમાં સ્ટેમમાં મહિલાઓ માટે અત્યંત પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય શિષ્યવૃત્તિ “FEMTEC” એનાયત કરવામાં આવી છે. STEM ક્ષેત્રમાં શ્રેષ્ઠતા માટે આ શિષ્યવૃત્તિ હાંસલ કરવા માટે જર્મનીની ટોચની નવ શ્રેષ્ઠ યુનિવર્સિટીઓના 50 વિદ્યાર્થીઓમાં ઇપ્સિતા એક છે.

જર્મનીની યુનિવર્સિટી ઓફ સ્ટુટગાર્ટમાં અનેક વિદ્યાર્થિઓએ શિષ્યવૃતિ માટે કતારમાં હતા. ઇપ્સિતા આ પ્રતિષ્ઠિત શિષ્યવૃત્તિ માટે પસંદ કરાયેલા પાંચ વિદ્યાર્થીઓમાંથી એક છે. મૂળ બંગાળની અને અમદાવાદમાં અભ્યાસ કરતી ઇપ્સિતા હાલ જર્મનીમાં ભારતનું નામ રોશન કરી રહી છે. આ પસંદગી પ્રક્રિયામાં કઠોર દ્વિ-સ્તરીય પદ્ધતિનો સમાવેશ થાય છે.  ઇન્ટરવ્યુમાં એમેઝોન, મર્સિડીઝ, પોર્ચે વગેરે જેવી અગ્રણી ઔદ્યોગિક કંપનીઓ તેમજ વિશ્વની ટોચની યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓ દ્વારા પ્રશ્નોતરી કરવામાં આવી હતી. આ હાર્ડ ઇન્ટરવ્યુમાં ઇપ્સિતા પાસ થઇને પાંચ બેસ્ટ વિદ્યાર્થિઓમાં સામેલ થઇ હતી. ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ઇપ્સિતા સેનગૃપ્તાએ કહ્યું કે મને ગર્વ છે કે મારી પસંદગી આ શિષ્યવૃત્તિ માટે કરવામાં આવી છે. જૂન મહિનાથી શરૂ થતી આ સ્કોલરશીપ આગામી એક વર્ષ સુધી મળશે.

નોંધનીય છે કે આ પ્રતિષ્ઠિત FEMTEC શિષ્યવૃત્તિ STEM ડોમેનમાં અસાધારણ તાલીમ કાર્યક્રમો, અનન્ય ઔદ્યોગિક મુલાકાતો અને અમૂલ્ય નેટવર્કિંગ તકો પ્રદાન કરે છે. આ શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરીને, ઇપ્સિતા અને તેની સાથેના અન્ય વિદ્યાર્થિઓને કારકિર્દીની ઉચ્ચ તક મળશે.

વિદ્યા બાલન ઉપસ્થિત રહી ‘નીયત’ ફિલ્મના પ્રચારકાર્યક્રમમાં

બોલીવુડ અભિનેત્રી વિદ્યા બાલને તેની આગામી નવી હિન્દી ફિલ્મ ‘નીયત’ના પ્રચાર માટે 5 જુલાઈ, બુધવારે મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી હતી અને તસવીરકારોને વિવિધ પોઝ પણ આપ્યાં હતાં. મર્ડર મિસ્ટ્રી, રહસ્ય વાર્તાવાળી ‘નીયત’ ફિલ્મ 7 જુલાઈના શુક્રવારથી થિયેટરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મમાં વિદ્યાએ તપાસનીશ એજન્સી સીબીઆઈની ઓફિસર મીરા રાવની ભૂમિકા ભજવી છે. અનુ મેનન દિગ્દર્શિત આ ફિલ્મમાં વિદ્યા બાલન ઉપરાંત રામ કપૂર, રાહુલ બોઝ, દિપન્નિતા શર્મા, નીરજ કાબી, અમ્રિતા પુરી, પ્રાજક્તા કોલી જેવા અન્ય કલાકારો પણ છે.

પિરામલ ફાઇનાન્સે તમામ મહિલાઓ સાથેની પાંચ શાખાઓ શરૂ કરી

મુંબઈઃ પિરામલ ફાઇનાન્સ તરીકે વ્યાપકપણે ઓળખાતી અને પિરામલ એન્ટરપ્રાઇઝ લિમિટેડ (PEL)ની સંપૂર્ણ માલિકીની પેટા કંપની પિરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડે આજે ​​ તમામ મહિલાઓ સાથેની પાંચ શાખાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે. ‘મૈત્રેયી’ નામ ધરાવતી આ શાખાઓ વિવિધતાને ઉત્તેજન આપવા અને મહિલાઓને કાર્યબળમાં સમાન તકો પ્રદાન કરવા માટે કંપનીની અતૂટ પ્રતિબદ્ધતાનું ઉદાહરણ આપે છે.

કંપનીની પ્રથમ તમામ મહિલા શાખાનું ઉદ્ઘાટન કરી રહેલા MD જયરામ.

શ્રીધરનપિરામલ ફાઇનાન્સની વ્યૂહાત્મક વિસ્તરણ યોજનાના ભાગરૂપે, રાજસ્થાનમાં અજમેર રોડ, નવી દિલ્હીમાં છત્તરપુર, પંજાબમાં મોહાલી, મહારાષ્ટ્રમાં મુંબઈ અને કેરળમાં ત્રિપુનિથુરામાં આવેલી આ ફુલ સર્વિસ બ્રાન્ચીસમાં સાતથી 15 મહિલા કર્મચારીઓની સમર્પિત ટીમ હશે.

‘મૈત્રેયી’ શાખાઓ ગ્રાહકોની માગ અને પસંદગીઓને આધારે વધારાની સુવિધાઓની સંભવિતતા સાથે હોમ લોન અને MSME લોન સહિતની શ્રેણીબદ્ધ સેવાઓ પ્રદાન કરે છે. આ સ્થાનો ગ્રાહકોની જરૂરિયાતો અને પસંદગીઓ સાથે સુસંગત છે તેની ખાતરી કરવા તેમ જ પિરામલ ફાઇનાન્સની સર્વોચ્ચ વ્યવસાય વ્યૂહરચનાને સમર્થન આપવા અને અમારા લક્ષ્ય બજારોને પૂર્ણ કરવા માટે વિચારપૂર્વક પસંદ કરવામાં આવ્યા છે.

‘મૈત્રેયી’ શાખાના ઉદઘાટન અંગે પિરામલ ફાઇનાન્સના મેનેજિંગ ડિરેક્ટર જયરામ શ્રીધરને જણાવ્યું હતું કે અમને ‘મૈત્રેયી’ શાખાઓનું ઉદ્ઘાટન કરતાં આનંદ થાય છે, જે લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવા અને નાણાકીય સેવા ક્ષેત્રમાં મહિલાઓના સશક્તીકરણ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. અમારી શાખાઓ દ્વારા અમારો ઉદ્દેશ્ય સરળ, કાર્યક્ષમ અને અસરકારક ધિરાણ ઉકેલો પૂરો પાડવાનો છે, જે ઉપભોક્તા ધિરાણની જરૂરિયાતોને પૂરી કરે છે.

31મી માર્ચ 2023 સુધીમાં કંપની પાસે ભારતના 26 રાજ્યોમાં 404 શાખાઓ અને 30 લાખથી વધુ ગ્રાહકોનું નેટવર્ક છે. તે આગામી પાંચ વર્ષમાં 500થી 600 શાખાઓ દ્વારા 1000 સ્થળોએ હાજરી ધરાવવાનું લક્ષ્ય ધરાવે છે.