Home Blog Page 2728

૦૫ જૂલાઈ, ૨૦૨૩

૦૫ જૂલાઈ, ૨૦૨૩

નોટ આઉટ @ 84 : સુનિતા ચોપડા

“હરબાર મુકદ્દરકો દોષ દેના ઠીક નહીં, કભી-કભી હમ ભી હદ સે જ્યાદા માંગ લેતે હૈં!” કહી આજનો સંવાદ શરૂ કરનાર સુનીતા ચોપડાની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે :  

જન્મ કલકત્તામાં, પિતાને ટ્રાન્સપોર્ટનો ધંધો. માતાની તબિયત શહેરમાં સારી ન રહેવાથી જલંધર નજીકના નૂરમહેલ સરાઈમાં રહેવા ગયાં. બે ભાઈ અને એક બહેનનું નાનું કુટુંબ. નાના ગામમાં છોકરીઓના ભણતર માટે કોઈ વ્યવસ્થા નહીં! પાંચ છોકરીઓને ભેગી કરી અને ભણાવવાનું શરૂ કર્યું! 11 ધોરણ સુધી ગામમાં ભણ્યાં, પછી જલંધર જઈ બીએ વિથ પોલિટિકલ સાયન્સ કર્યું. 1962માં લગ્ન થયા, પતિ ઓએનજીસીમાં નોકરી કરતા હતા. દેશ-વિદેશમાં બદલી થયા કરે. કલકત્તા, દેહરાદુન, રશિયા, આસામ, રાજમુંદરી, અંકલેશ્વર, અમદાવાદ….એમ ઘણું ફર્યા છે, પણ સુનિતાબહેન બાળકો સાથે અમદાવાદ જ રહ્યાં.

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

સવારે વહેલા 05:00 વાગે ઊઠે. રસોડામાં થોડું ઊંચું-નીચું કરી છાપુ વાંચવા બેસે. સવાર-સવારમાં બે-ત્રણ વાર ચા થઈ જાય. નાહી-ધોઈને પ્રાર્થના કરે. પ્રાર્થનામાં વધારે તો કંઈ નહીં, પણ ભગવાનનો ખૂબ-ખૂબ આભાર માને કે આટલું સરસ, સુખી કુટુંબ અને સંતોષકારક જીવન આપ્યું! બપોરે બે કલાક આરામ કરે. જુવાનીમાં યોગ-કસરત કરતાં, પણ હવે ઘરનું નાનું-મોટું કામ જ કસરત છે એમ માને છે. તેમને ઘરકામમાં મદદ કરવા એક ભાઈ આવે છે અને રાતના કંપની આપવા રાત-રખી આવે છે. બાકી ઘરમાં એકલાં રહે છે. દીકરો વડોદરા રહે છે, ગુજરાતી દેસાઈની દીકરી સાથે લગ્ન કર્યા છે. દીકરી હૈદરાબાદ રહે છે, આર્મી-ઓફિસર સાથે લગ્ન કર્યા છે. દૂર રહ્યાં-રહ્યાં પણ બાળકો બહુ ધ્યાન રાખે છે. સુનિતાબહેનને અંગ્રેજી પુસ્તકો વાંચવાનું બહુ ગમે છે. તેમના તકિયા પાસે ચોપડીઓ પડી જ હોય. જાણે મીઠાઈ મળી હોય તેવું લાગે! ઓટોબાયોગ્રાફી એટલે આત્મકથાઓ અને ઐતિહાસિક પુસ્તકો વાંચવા બહુ ગમે. હમણાં છેલ્લે દીપ્તિ નવલની આત્મકથા વાંચી. છાપા-મેગેઝીનમાંથી સારા આર્ટીકલ્સ વાંચી તેના કટીંગ કરી સાચવે.

શોખના વિષયો : 

આમ તો આદર્શ ગૃહિણી એટલે ઘરને શણગારવાનો બહુ શોખ, તૈયાર થઈ બહાર જવાનું પણ ગમે. કાયમ સુંદર સાડી પહેરે. ક્રોકરીનો બહુ શોખ. જેવા પૈસા મળે કે બજારમાં જઈ ક્રોકરી લઈ આવે! બજારમાં ફરવાનો અને ખરીદીનો પણ શોખ. અંગ્રેજી પુસ્તકો, ખાસ કરીને આત્મકથાઓ અને ઐતિહાસિક પુસ્તકો વાંચવા ગમે. જુદાજુદા સુંદર મોટીવેશનલ વાક્યો લખેલી પિતાની ડાયરી સાચવીને રાખી છે. રોજ તેમાંથી તેઓ કંઈને કંઈ વાંચે છે અને જૂનો જમાનો યાદ કરે છે.

 

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત બહુ સારી નથી રહેતી. કઈને કંઈ ચાલ્યા કરે. ઘણી બધી દવાઓ લેવી પડે છે. પણ દીકરો અને દીકરી ઘણી સંભાળ લે છે. પતિનું 2018માં અવસાન થયા બાદ જીવન થોડું નીરસ લાગે છે.  

યાદગાર પ્રસંગ: 

દીકરાના લગ્ન ગુજરાતી ડોક્ટર દેસાઈની દીકરી સાથે ધામધૂમથી કર્યા. પંજાબી દીકરો અને ગુજરાતી દીકરીના લગ્ન રંગે-ચંગે પાર પાડ્યા તેનો બહુ આનંદ! દીકરીના લગ્ન મિત્રના પુત્ર અને આર્મી-મેન સાથે કર્યા એમાં પણ બહુ મજા કરી તે પણ યાદ છે! કોલેજના દિવસોમાં એકવાર જલંધરમાં ફોટા પડાવવા ગયા. ફોટાના પૈસા આપ્યા તો પર્સ ખાલી થઈ ગયું! હવે શું કરવું? પણ હારે તો સુનિતા શેની? નજીકમાં રહેતાં સંબંધીને ઘેર પહોંચી ગઈ. થોડી વાર વાતોચીતો કરી ઘેર જવા નીકળી એટલે રીવાજ પ્રમાણે વડીલે હાથમાં પાંચ રૂપિયા આપ્યા અને તેનું કામ થઈ ગયું!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

ટેકનોલોજીનો માર્યાદિત ઉપયોગ કરે છે. બાળકો સ્માર્ટફોન લેવા માટે ઘણો આગ્રહ કરે છે, પણ તેમને બહુ પસંદ નથી. એકદમ સાદો ફોન વાપરે છે અને બાળકો તથા મિત્રો સાથે સંપર્કમાં રહે છે.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

પહેલાના જમાનામાં વાતાવરણ ઘણું પવિત્ર હતું, લોકો સીધા-સાદા હતા અને જીવનમાં એક મોકળાશ હતી. હવે એ બધું જોવા મળતું નથી.

આજની પેઢી સાથે સંકળાયેલા છો?   

પીડીપીયુમાં ભણેલો પૌત્ર બહુ પ્રેમથી તેમની વાતો સાંભળે છે. બિટ્સમાં ભણેલો દોહિત્ર તેમની પાસે રહીને જ મોટો થયો છે એટલે તેની સાથે પણ સારો સંપર્ક છે. યુવાનોને મળવાનું ગમે છે પણ એવા પ્રસંગો ઓછા બને છે.

સંદેશો :  

ઈશ્વરને ફક્ત પ્રાર્થના કરો : BMW

Bless My Work!

Bring Me Wisdome!

Burry My Worries!

PM મોદી છત્તીસગઢ, રાજસ્થાન, UP અને તેલંગાણાની મુલાકાત લેશે, ઘણા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 7 અને 8 જુલાઈએ ચાર રાજ્યોમાં પ્રવાસ પ્રસ્તાવિત છે. PM મોદી 7-8 જુલાઈના રોજ છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, તેલંગાણા અને રાજસ્થાનની મુલાકાત લેશે. 36 કલાક દરમિયાન પીએમ મોદી લગભગ એક ડઝન કાર્યક્રમોમાં ભાગ લેશે. ચાર રાજ્યોની મુલાકાત દરમિયાન પીએમ મોદી લગભગ 50 હજાર કરોડ રૂપિયાના લગભગ 50 પ્રોજેક્ટ્સ પણ ગિફ્ટ કરશે. નોંધપાત્ર વાત એ છે કે, ઉત્તર પ્રદેશને બાદ કરતાં બાકીના ત્રણ રાજ્યોમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, તેથી પીએમ મોદીની આ પ્રસ્તાવિત મુલાકાત ભાજપ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ પાંચ મોટા શહેરોમાં પીએમ મોદીના કાર્યક્રમો

પીએમ મોદી ચાર રાજ્યોના પાંચ મોટા શહેરો – રાયપુર (છત્તીસગઢ), ગોરખપુર (ઉત્તર પ્રદેશ), વારાણસી (ઉત્તર પ્રદેશ), વારંગલ (તેલંગાણા), બીકાનેર (રાજસ્થાન)માં એક ડઝન કાર્યક્રમોમાં હાજરી આપશે, જ્યાં તેઓ પ્રોજેક્ટ્સ, ઉદ્ઘાટન અને ઉદ્ઘાટન કરશે. શિલાન્યાસ કરવામાં આવશે.

PM મોદીનું 7 જુલાઈનું શેડ્યૂલ

7 જુલાઈના રોજ પીએમ મોદી સૌથી પહેલા દિલ્હીથી રાયપુર જશે, જ્યાં તેઓ શિલાન્યાસ કરશે અને અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. તેમાં રાયપુર-વિશાખાપટ્ટનમ કોરિડોરના વિવિધ છ-લેન વિભાગોનો શિલાન્યાસનો સમાવેશ થાય છે. આ પછી તેઓ જનસભા કરશે.

આ પછી પીએમ મોદી ગોરખપુર જશે, જ્યાં તેઓ ગીતા પ્રેસના કાર્યક્રમમાં ભાગ લેશે. તે પછી તેઓ 3 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપશે. તેઓ ગોરખપુર રેલ્વે સ્ટેશનના પુનઃવિકાસ માટે શિલાન્યાસ પણ કરશે.

ગોરખપુર બાદ પીએમ મોદી તેમના મતવિસ્તાર વારાણસી જશે. અહીં અનેક મોટી યોજનાઓના ઉદ્ઘાટન અને શિલાન્યાસ ઉપરાંત, તેઓ પંડિત દીન દયાલ ઉપાધ્યાય જંક્શનથી સોન નગર સુધીના ફ્રેટ કોરિડોરની નવી લાઇનનું ઉદ્ઘાટન કરશે. તેઓ NH-56 (વારાણસી-જૌનપુર)ના પહોળાીકરણનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી મણિકર્ણિકા ઘાટ અને હરિશ્ચંદ્ર ઘાટના નવીનીકરણનો શિલાન્યાસ પણ કરશે.

 

8 જુલાઈના રોજ પીએમ મોદીનો કાર્યક્રમ

8 જુલાઈએ, પીએમ મોદી વારાણસીથી તેલંગાણાના વારંગલ પહોંચશે, જ્યાં તેઓ નાગપુર-વિજયવાડા કોરિડોરના મુખ્ય વિભાગ સહિત વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. તેઓ NH-563 ના કરીમનગર-વારંગલ સેક્શનને ચાર-માર્ગીય બનાવવાનો શિલાન્યાસ પણ કરશે. આ પછી તેઓ વારંગલમાં જનસભા કરશે.

પીએમ મોદી વારંગલથી બિકાનેર જશે. અહીં પણ તેઓ અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને ઉદ્ઘાટન કરશે. તેઓ અમૃતસર-જામનગર એક્સપ્રેસ વેના અનેક વિભાગોનું ઉદ્ઘાટન કરશે. તેઓ ગ્રીન એનર્જી કોરિડોર ફેઝ-1 માટે આંતર-રાજ્ય ટ્રાન્સમિશન લાઇનનું પણ ઉદ્ઘાટન કરશે. તેઓ બિકાનેર રેલ્વે સ્ટેશનના પુનઃવિકાસ માટે શિલાન્યાસ કરશે અને ત્યારબાદ એક જાહેર સભાને સંબોધશે.

પંચાંગ 05/07/2023

રાશિ ભવિષ્ય 05/07/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસમાં તમને થોડો વધુ ઉત્સાહ જોવા મળી શકે છે અને તેમાં પણ તમે વાર્તાલાપમાં સારો સમય પસાર કરીદો તો નવાઈ નહિ, તમારી કોઇ જૂનીઓળખાણ તાજી થાય અને તે મિલનમુલાકાત દરમિયાન જૂનીયાદોના સુખદસ્મરણોથી આનંદની લાગણી તમારામાં વધુ જોવા મળે તેવું બની શકે છે.


તમારા સગાસ્નેહી, જુનાપરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે અને તેમાં તમને સારો ઉત્સાહ જોવા મળે તેમજ તમને કોઈ તક મળતા તમારા મનની કોઈવાત પણ ક્યાંક રજુ કરો તેવું બની છે, આરોગ્યબાબત થોડા મોજમસ્તીના મુડમાં હોવાથી કયાંક બેદરકાર પણ બનો, યુવાવર્ગને પસંદગીના કામ થઈ શકે.


નાનીમોટી મુસાફરીના યોગ છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખ્વવું, આકસ્મિકખર્ચા થવાથી તમને મનમાં ખર્ચ થયાનો રંજ રહ્યા કરે, કામકાજ દરમિયાન થોડી અશાંતિનો સામનો કરવો પડે.


લોકોમાં તમારો અલગ પ્રભાવ જોવા મળશે, તેમાંપણ તમારા કામકાજકે વાર્તાલાપ દરમિયાન તમારી વાતને યોગ્યપ્રતિસાદ મળી શકે છે, કઈક લાભની વાત આપલે થઇ શકે છે, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છો અને કોઈની મદદ કરવાની તમારામાં થોડી વૃતિ પણ જાગી શકે છે.


મિત્રો સાથે સમય વધુ ફાળવાય અને કયાંક કોઈકારણસર મુસાફરીના યોગ બની શકે છે, કોઈની પાછળ કોઈ કારણસર  આકસ્મિકખર્ચકે ધાર્યા કરતા વધુ ખર્ચા થઇ શકે છે, કોઈજગ્યાએથી મનને ગમતી વાત સંભાળવા મળે અને તેમાં તમારી ખુશીની કોઈ સીમાના રહે તેવું બની છે.


આજના દિવસે નાનીનાની વાતમાં ગુસ્સો આવી શકે છે માટે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી બને છે, કોઈ મશ્કરી કરેતો વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું ઈચ્છાનીય છે, કામકાજમાં તેમજ અંગત વ્યવહારમાં કોઈની સાથે મતભેદના થાય તેની કાળજી રાખવી, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.


આજના દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે અને તેના કારણે તમને કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, તમારા કોઈ કામકાજમાં અન્યનો સાથસહકાર અને માર્ગદર્શન પણ સારું મળી શકે છે, કોઈની સાથે થયેલ આકામિક મિલનમુલાકાત આનંદદાયી અને યાદગાર બની રહે તેવું પણ બનવા જોગ છે.


આજે તમે મજાક કરવાની વૃતિમાં જોવા મળો અને તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું વડીલ કે પરિચિત સાથે ફરવાના યોગ પણ બને છે તેમાં તમારા માટે કોઈ લાભકારી વાતચિત થાય અને તેનો તમને ક્યાંક ફાયદો પણ થઈ શકે છે, તમારા અટકેલા કોઈકામ આગળ વધારવાની કોશિશ કરવી સારી.


મુસાફરી દરમિયાન બહુ જૂનીઓળખાણકે યાદતાજી થાય તેવું બને, નજીકના સગાકે પડોસી સાથે વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી જેથી કોઈ બાબતપર કોઈ ગેરસમજ ટાળી શકાય, મનમાંને મનમાં કોઈ વાત રહેલી હોય તેનો ક્યાયક ખુલાસો કરવાની તક મળી શકે છે, વેપારમાં ધીરજ રાખી કામકાજ કરવું યોગ્ય છે.


થોડી માનસિક અશાંતિ રહી શકે છે કારણકે તમને મનમાં કોઈક વાતનો અજંપો પરેશાન કરતો હોય, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, દિવસ દરમિયાન કામમાં એકાગ્રતા રાખવી, વેપારમાં ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું ઇચ્છનીય છે.


ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે, સંતાન સાથે વાર્તાલાપકે ખરીદી કરવાના યોગ બની શકે છે, આજે પોતાની પસંદગીની કોઈવાત સંભાળવા મળે તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય અને તમને  કોઈ સારા કામમાટેની ઈચ્છા થાય અને તમારા મનના રહેલા દુખ ભુલાઈ જાય.


તમને કોઈનો સાથ સહકાર મળે જેણે કારણે તમે થોડા ઉત્સાહી બનો અને જુનાઅટકેલા કામ બાબત કોઈ વાત આગળ વધે તેવા સંજોગ બની શકે છે, તમારામાં રહેલી લાગણીની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થવાથી તમારામાં થોડી પરોપકારી વૃતિ પણ જાગે તેવા સંજોગો બની શકે છે, આનંદમય દિવસ બની શકે છે.

સ્પાઈસજેટની દુબઈ-કોચી ફ્લાઈટનું લેન્ડિંગ દરમિયાન ટાયર ફાટ્યું

મંગળવારે કોચીમાં લેન્ડ કરતી વખતે સ્પાઈસ જેટના એક વિમાનનું ટાયર ફાટ્યું હતું. દુબઈની આ ફ્લાઈટને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવી હતી. સ્પાઈસજેટ એરલાઈન્સના પ્રવક્તાએ મંગળવારે જણાવ્યું કે 4 જુલાઈના રોજ સ્પાઈસજેટ બોઈંગ-737એ દુબઈથી કોચી માટે ઉડાન ભરી હતી.

 

તેણે કહ્યું કે ફ્લાઇટ પછી NO-2 ની આસપાસ ફરતી વખતે ખબર પડી કે ટાયર ફાટી ગયું છે. ફ્લાઇટ દરમિયાન અને પછી સિસ્ટમના તમામ પરિમાણો સામાન્ય હતા અને લેન્ડિંગ સલામત હતું. તમામ મુસાફરો સુરક્ષિત છે.

અજીત અગરકર એશિયા કપ, વર્લ્ડ કપ માટે ભારતની ટીમની પસંદગી કરશે, બન્યા મુખ્ય પસંદગીકાર

પૂર્વ ભારતીય ક્રિકેટર અજીત અગરકર હવે એશિયા કપ, વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની પસંદગી કરશે. તે ટીમ ઈન્ડિયાના મુખ્ય પસંદગીકાર બની ગયા છે. બીસીસીઆઈએ મંગળવારે આની જાહેરાત કરી હતી. સુલક્ષણા નાઈક, અશોક મલ્હોત્રા અને જતિન પરાનીપેની બનેલી 3-સદસ્યની CAC સમિતિએ બધાની મુલાકાત લીધી હતી અને પછી અગરકરના નામની ભલામણ કરી હતી.

 

છેલ્લા ઘણા દિવસોથી પસંદગીકાર પદ માટે પણ તેમના નામની ચર્ચા ચાલી રહી હતી. હવે બોર્ડે તેને મંજૂરી આપી દીધી છે. તેઓ ચેતન શર્માના સ્થાને જવાબદારી સંભાળશે. થોડા સમય પહેલા ચેતન શર્મા એક સ્ટિંગ ઓપરેશન બાદ વિવાદમાં આવ્યા હતા, જેના કારણે તેમણે પોતાનું પદ છોડવું પડ્યું હતું.

શું પવન કલ્યાણના ત્રીજી વખત છૂટાછેડા થવાના છે?

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મેગાસ્ટાર પવન કલ્યાણના અંગત જીવનમાં આ દિવસોમાં ઘણી ઉથલપાથલ જોવા મળી રહી છે. હકીકતમાં, કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે પવન તેની ત્રીજી પત્ની અન્ના લેઝનેવાને છૂટાછેડા આપવા જઈ રહ્યો છે. સમાચાર મુજબ, તે હાલમાં તેની અભિનેતા પત્ની સિવાય તેના બાળકો સાથે વિદેશમાં રહે છે.

પવન ત્રીજી પત્નીથી અલગ થઈ રહ્યો છે?

સાઉથ ઈન્ડસ્ટ્રીને ઘણી સુપરહિટ ફિલ્મો આપનાર પવન કલ્યાણે ત્રણ લગ્ન કર્યા છે. તેના ત્રીજા લગ્ન વર્ષ 2013માં રશિયન મોડલ અન્ના લેઝનેવા સાથે થયા હતા. પરંતુ હવે અભિનેતાના આ લગ્નમાં પણ ખટાશ આવી ગઈ છે. કેટલાક અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પવન કલ્યાણની ત્રીજી પત્ની અન્ના આ દિવસોમાં અભિનેતા સિવાય સિંગાપોર અથવા દુબઈમાં બાળકો સાથે રહે છે. જો કે આ અહેવાલોમાં કેટલું સત્ય છે તે કહેવું મુશ્કેલ છે.

પવન કલ્યાણે ત્રણ લગ્ન કર્યા છે

જણાવી દઈએ કે પવનના પહેલા લગ્ન વર્ષ 1997માં નંદિની સાથે થયા હતા. ત્યારબાદ વર્ષ 2008માં આ કપલ અલગ થઈ ગયું. જે બાદ અભિનેતાએ વર્ષ 2009માં રેણુ દેસાઈ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ અભિનેતાના આ લગ્ન પણ લાંબા સમય સુધી ટકી શક્યા નહીં અને વર્ષ 2012માં બંનેના છૂટાછેડા થઈ ગયા.

ત્યારબાદ પવન કલ્યાણનું દિલ અન્ના લેઝનેવા પર આવી ગયું અને બંનેએ વર્ષ 2013માં લગ્ન કરી લીધા. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે આ બંને અલગ થવાના છે. અન્ના લેઝનેવા સાથે લગ્ન કર્યા હતા. હવે પવન કલ્યાણ અને અન્ના લેઝનેવાના અલગ થવાના સમાચાર સામે આવી રહ્યા છે.તમને જણાવી દઈએ કે તેમના અલગ થવાની અફવાઓ ત્યારે સામે આવી જ્યારે અન્ના ઘણા ફેમિલી ફંક્શનમાં ગાયબ રહ્યા. રામ ચરણ અને ઉપાસનાની પુત્રીના પારણા સમારોહમાં પણ અણ્ણા જોવા મળ્યા ન હતા.

આઇસી15 ઇન્ડેક્સમાં 293 પોઇન્ટનો નોંધપાત્ર વધારો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં બિટકોઇનના ઈટીએફ લાવવા માટે થયેલી અરજીઓને પગલે રોકાણકારોમાં ઉત્સાહ વધ્યો છે, જેની અસર હેઠળ માર્કેટમાં વધારો થયો છે. માર્કેટના બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15ના ઘટકોમાંથી પોલીગોન, બિટકોઇન, એક્સઆરપી અને ટ્રોન ત્રણેક ટકા સુધી વધ્યા હતા. યુનિસ્વોપ, લાઇટકોઇન, બીએનબી અને ચેઇનલિંકમાં ત્રણ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

દરમિયાન, યુનાઇટેડ કિંગડમમાં કાયદા પંચ ડિજિટલ એસેટ્સની ખાસિયતોનું રક્ષણ કરવા માટે પર્સનલ પ્રોપર્ટીમાં નવી અલગ શ્રેણી બનાવી રહ્યું છે. બીજી બાજુ, થાઇલેન્ડના સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશને રોકાણકારોના રક્ષણ માટે વર્ચ્યુઅલ એસેટ સર્વિસ પ્રોવાઇડર્સ અર્થે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.73 ટકા (293 પોઇન્ટ) વધીને 40,751 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 40,458 ખૂલીને 41,071ની ઉપલી અને 40,407 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’નું ટ્રેલરઃ બોલીવુડ હસ્તીઓએ વખાણ કર્યાં

મુંબઈઃ નિર્માતા કરણ જોહરે ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ ફિલ્મ દ્વારા દિગ્દર્શક તરીકે પુનરાગમન કર્યું છે. એમણે આજે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું છે. બોલીવુડની અનેક હસ્તીઓને તે ગમ્યું છે અને ફિલ્મ જોવાની આતુરતા વ્યક્ત કરી છે. ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ના ટ્રેલરનાં સોશિયલ મિડિયાના માધ્યમથી વખાણ કરનાર બોલીવુડ સિતારાઓમાં અનિલ કપૂર, કરીના કપૂર-ખાન, ભૂમિ પેડણેકર, શનાયા કપૂર, રકુલપ્રીત સિંહ, નિમ્રત કૌરનો સમાવેશ થાય છે.

કરીના કપૂરે લખ્યું છેઃ ‘આવી રહી છે બ્લોકબસ્ટર ફિલ્મ. ઘણી જ રમૂજી છે.’

નિમ્રત કૌરે લખ્યું છેઃ ‘ધમ્માલ. રાહ જોઈ શકાય એમ નથી. ભરપૂર મજા.’

ભૂમિ પેડણેકરે લખ્યું છેઃ ‘બહુ જ ગમ્યું. ધમ્માલ, મજા. ફિલ્મ જોવા આતુર થઈ છું.’

અનિલ કપૂર લખે છેઃ ‘પ્રેમ અને સંબંધ વિશે કરણ જોહર કરતાં વધારે સારી રીતે બીજું કોઈ દર્શાવી શકે એવું હું માનતો નથી. ટ્રેલર એક સપના જેવું લાગે છે.’

રણવીર સિંહ અને આલિયા ભટ્ટ અભિનીત રોમેન્ટિક ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ 28 જુલાઈએ થિયેટરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મમાં જયા બચ્ચન, ધર્મેન્દ્ર, શબાના આઝમી પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.

ફિલ્મમાં રણવીરે પંજાબી યુવક રોકી અને આલિયાએ બંગાળી યુવતી રાનીનો રોલ ભજવ્યો છે. બંને જણ એકબીજાંનાં પ્રેમમાં પડે છે અને લગ્ન કરવા પણ ઈચ્છે છે, પણ એમને એવું લાગે છે એમના પરિવારો એમના લગ્ન માટે સહમત નહીં થાય. તેથી બંને જણ નક્કી કરે છે કે તેઓ એકબીજાની જીવનશૈલી અને ઉછેરને સમજવા માટે એકબીજાનાં પરિવાર સાથે આવીને રહેશે. પરંતુ એવું લાગે છે કે બંનેની માતાઓ રોકી-રાનીનાં સંબંધને સ્વીકારશે નહીં. ટ્રેલરમાં રમૂજનો ડોઝ પણ છે.