ઈસ્લામાબાદઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ દેશના વડા પ્રધાન શાહબાઝ શરીફ અને કેન્દ્રિય ગૃહ અને વિદેશ મંત્રાલયોને લેખિતમાં વિનંતી કરી છે કે તેઓ પાકિસ્તાન ટીમને આવતા ઓક્ટોબર-નવેમ્બરમાં આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ-2023માં રમવા માટે ભારત જવાની મંજૂરી આપે. પત્રમાં પીસીબીને એવી સલાહ આપવાની વિનંતી કરવામાં આવી છે કે શું પાકિસ્તાની ટીમે ભારતના પ્રવાસે જવું જોઈએ? અને જો જવું જોઈએ તો, શું ત્યાંના પાંચ સ્થળોમાંથી ભારતીય ટીમ જ્યાં રમવાની હોય એવા કોઈ સ્થળને માટે વાંધો દર્શાવવો જોઈએ કે નહીં?
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન-પ્રેરિત આતંકવાદી સંગઠનો દ્વારા છેલ્લા અનેક વર્ષોથી ભારતમાં આતંકવાદી હુમલાઓ અને ભારત-વિરોધી આતંકી પ્રવૃત્તિઓ કરતી હોવાથી ભારતે આ પડોશી દેશ સાથેના દ્વિપક્ષી ક્રિકેટ સંબંધો પર પ્રતિબંધ મૂકી દીધો છે.
આઈસીસી દ્વારા જાહેર કરવામાં આવેલા ભારત આયોજિત વર્લ્ડ કપ-2023ના કાર્યક્રમ અનુસાર, પાકિસ્તાન ટીમે ભારતમાં પાંચ શહેરોમાં 9 મેચ રમવાની રહેશે. આમાંની એક હશે, 15 ઓક્ટોબરે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત સામેની મેચ.
પાકિસ્તાન ક્રિકેટ ટીમ 2016 પછી ભારતમાં ફરી રમવા આવી નથી. 2016માં તે મેન્સ ટ્વેન્ટી-20 વર્લ્ડ કપમાં રમવા આવી હતી.
પાકિસ્તાનની હાલની સરકારની મુદત આવતા ઓગસ્ટ મહિનામાં પૂરી થાય છે. તેથી એ પાકિસ્તાન ટીમના ભારત પ્રવાસ અંગે સત્તાવાર નિર્ણય લેવાનું મોટે ભાગે ટાળવાનું પસંદ કરશે અને નવી સરકાર સત્તા પર આવે તેની પર છોડશે. 2016માં, તે વખતના વડા પ્રધાન નવાઝ શરીફની સરકારે તેમના દેશની ટીમને ભારતમાં ટ્વેન્ટી-20 વર્લ્ડ કપમાં રમવા જવાની છેલ્લી ઘડીએ પરવાનગી આપી હતી. આ વખતે પણ કદાચ એવું જ થઈ શકે છે.
હવામાન વિભાગે આગામી પાંચમી જુલાઈ સુધી દરેક જિલ્લમાં હળવાથી મધ્યમ તથા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં પાછલા બે દિવસથી ખુબ જ સારો એવો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર, બનાસકાંઠા જિલ્લામાં એકથી ત્રણ જુલાઈ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. જ્યારે ચાર અને પાંચ તારીખે વરસાદની કોઈ ચેતવણી નથી. પાટણમાં પણ એકથી ત્રણ જુલાઈ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. જ્યારે ચાર અને પાંચ તારીખે વરસાદની કોઈ ચેતવણી નથી.
કેટલાક વિસ્તારોમાં તો ઓછા સમયમાં વધારે વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ગઇકાલ સાંજે વરસાદે ધમધમાટી બોલાવતા ઠેર-ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સહિત ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પણ અમદાવાદમાં આખો દિવસ વરસાદી માહોલ બનેલો રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વિસાવદર અને જૂનાગઢમાં ધોધમાર વરસાદના કારણે જીવનની દોરીમાં ખલેલ પડી છે. તેમજ નદીનાળા પાણીથી છલકાઈ ગયાં છે. નદીઓ પણ હવે બે કાંઠે વહેતી થઈ ગઈ છે.
મહેસાણામાં એકથી ત્રણ જુલાઈ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે પાંચમી જુલાઈએ પણ વરસાદી માહોલ બનેલો રહી શકે છે.
સાબરકાંઠા જિલ્લામા પણ એકથી ત્રણ જુલાઈ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત પાંચ તારીખ સુધી વરસાદી વાતાવરણથી લોકોની આંખોને ઠંડક મળતી રહી શકે છે. બીજી તરફ ગાંધીનગર જિલ્લામાં પણ પાંચ તારીખ સુધી હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે.
અરવલ્લી અને ખેડા જિલ્લામાં પણ પાંચ તારીખ સુધી હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આગામી આજે વરસાદનું યલો એલર્ટ છે પણ આવતીકાલથી પાંચમી જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ અનુસાર, આણંદ અને વડોદરામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. દાહોદ, મહિસાગર, પંચમહાલ અને છોટા ઉદેપુરમાં પણ આગામી પાંચમી જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે લોકો મજા માણી શકે છે. નર્મદા જિલ્લામાં આજે યલો એલર્ટ છે પણ આવતીકાલથી હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથેની આગાહી છે.
ભરૂચ અને સુરતમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. તો 2 જૂલાઇએ સુરતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો ત્રણથી પાંચ તારીખ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં 2 જૂલાઇએ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય ત્રણ જુલાઈથી પાંચમી જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે. તાપી જિલ્લામાં આવતી કાલથી હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે. દાદરા નગર હવેલી અને દમણમાં 2 જૂલાઇથી યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સુરેન્દ્રનગરમાં આગામી પાંચ દિવસમાં હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી કરાઇ છે.
રાજકોટમાં આગામી ચાર દિવસ હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે. જામનગરમાં આવતી કાલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. પોરબંદરમાં આગામી બે દિવસ યલો એલર્ટ જાહેર કરાયું છે. ત્યાર બાદ પાંચમી જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે.
જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં આવતીકાલે યલો એલર્ટ છે. પાંચમી જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે. ભાવનગરમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે આગામી પાંચ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે.
મોરબીમાં આગામી ચાર દિવસ હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે. દેવભૂમી દ્વારકામાં આવતીકાલે યલો એલર્ટ છે. જ્યારે પાંચમી જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે. ગીર સોમનાથમાં આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે.
બોટાદમાં પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે. કચ્છમાં ત્રણ તારીખ સુધી હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે. જ્યારે ચારથી પાંચ જુલાઈ સુધી વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી.
ગુજરાતમાં પાછલા બે દિવસથી ખુબ જ સારો એવો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર, બનાસકાંઠા જિલ્લામાં એકથી ત્રણ જુલાઈ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. ગુજરાતમાં આ વખતે 9 વર્ષમાં જૂન માસનો રેકોર્ડ બ્રેક વરસાદ થયો છે. જેમાં રાજ્યમાં સરેરાશ 9.71 ઈંચ વરસાદ આવ્યો છે. તેમજ હાલ રાજ્યમાં ભારે વરસાદની આગાહી યથાવત છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાતા ખેડૂતોમાં હવે ચિંતાનો માહોલ વ્યાપ્યો છે.
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
અમરેલી, જૂનાગઢ, વલસાડ સહિતમાં જિલ્લાઓમાં વરસાદ આવશે. તથા બનાસકાંઠા જિલ્લામાં એકથી ત્રણ જુલાઈ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે. આ સાથે ચાર અને પાંચ જુલાઇના રોજ રાજ્યમાં વરસાદની કોઈ ચેતવણી આપવામાં આવી નથી. પાટણમાં પણ એકથી ત્રણ જુલાઈ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. જ્યારે ચાર અને પાંચ તારીખે વરસાદની કોઈ ચેતવણી નથી.
દરેક જિલ્લમાં હળવાથી મધ્યમ તથા ભારેથી અતિભારે વરસાદની આગાહી
મહેસાણામાં એકથી ત્રણ જુલાઈ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. જ્યારે ચાર તારીખે વરસાદની શક્યતાઓ નથી પણ પાંચમી જુલાઈએ હળવો વરસાદ થઈ શકે છે. છેલ્લા બે દિવસથી ગુજરાતને વરસાદે ધમરોળ્યુ છે. અમદાવાદ સહિતના વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વિસાવદર અને જૂનાગઢમાં વરસાદના પાણી ભરાઈ જવાથી જનજીવન ખોરંભાયુ છે. તેમજ નદીનાળા પાણીથી છલકાઈ ગયાં છે. નદીઓ પણ હવે બે કાંઠે વહેતી થઈ ગઈ છે. ત્યારે હવામાન વિભાગે આગામી પાંચમી જુલાઈ સુધી દરેક જિલ્લમાં હળવાથી મધ્યમ તથા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
કેન્દ્રીય ગૃહ બાબતો અને સહકાર મંત્રી અમિત શાહે આજે અમદાવાદમાં અક્ષર ટ્રાવેલ્સ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે અક્ષર નદી ક્રુઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું હતું. અમિત શાહ પણ આવશે.162-ક્ષમતાવાળી ક્રૂઝ મુસાફરોને ભોજન સાથે દોઢ કલાકની મુસાફરી કરશે. ફ્લોટિંગ રેસ્ટોરન્ટમાં આગ સામે છંટકાવની સુવિધા, લાઇફ બોટ, લાઇફ જેકેટ્સ અને સલામતી માટે અન્ય સુવિધાઓ છે. ઉદ્ઘાટન સમારોહને વર્ચ્યુઅલ રીતે સંબોધતા અમિત શાહે કહ્યું કે તેઓ પણ આ ક્રુઝ પર તેમના પરિવાર સાથે ભોજન કરવા માંગે છે. તેણે કહ્યું કે તેણે નક્કી કર્યું છે કે જ્યારે તે અમદાવાદ આવશે ત્યારે તે અમદાવાદના લોકો સાથે આ ક્રુઝ પર ડિનર કરશે.
Launched a proud made-in-India initiative the ‘Aksar River Cruise,’ at the Sabarmati Riverfront in Ahmedabad, virtually today.
અમદાવાદના પ્રવાસન માટે આજનો દિવસ મહત્વનો છે. @AmdavadAMC અને @SRFDCL દ્વારા ₹15 કરોડના ખર્ચે ભારતમાં બનેલ સાબરમતી રિવરફ્રન્ટ પર ‘અક્ષર રિવર ક્રૂઝ’નો… pic.twitter.com/BYjt5ZjgCN
મોદીજી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સમગ્ર ભારતમાં એમણે જ સૌ પ્રથમ રિવરફ્રન્ટની કલ્પના કરી નિર્માણ કર્યો. આજે સાબરમતી રિવરફ્રન્ટ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત થઈ ચૂક્યો છે. pic.twitter.com/yRUks2rVlq
સાબરમતી નદીમાં શરૂ કરવામાં આવેલી રિવર ક્રૂઝ આગામી 10 જુલાઈથી લોકો માટે ખુલ્લુ મુકવામાં આવશે. રિવર ક્રૂઝમાં લંચનો 1800 અને ડિનરના 2000 ભાવ નકકી કરવામાં આવ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટ પર અટલબ્રિજથી દધિચીબ્રિજ સુધી જશે.રૂપિયા 10 કરોડના ખર્ચે આ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ક્રૂઝ તૈયાર કરવામાં આવી છે. નદીના ઉપયોગ બદલ અક્ષર ટ્રાવેલ્સ દ્વારા વાર્ષિક રૂ. 45 લાખની લાઇસન્સ ફી પણ સાબરમતી રિવરફ્રન્ટ તંત્રને ચૂકવવામાં આવશે. ગત ફેબ્રુઆરી મહિનામાં વલસાડના ઉમરગામથી આ ક્રૂઝને સાબરમતી રિવરફ્રન્ટ પર લાવવામાં આવી હતી. ત્રણ મહિના સુધી રેસ્ટોરન્ટ ક્રૂઝને બનાવવા માટેની કામગીરી કરવામાં આવી હતી.
હવે મહારાષ્ટ્રના રાજકારણમાં રાજકીય ઉથલપાથલ પર NCP ચીફ શરદ પવારનું નિવેદન સામે આવ્યું છે. ભત્રીજા અજિત પવારના બળવા પર શરદ પવારે રવિવારે (2 જુલાઈ) કહ્યું કે બે દિવસ પહેલા વડાપ્રધાન મોદીએ (PM મોદી) NCP વિશે કહ્યું હતું કે NCP એક સમાપ્ત પાર્ટી છે. તેમણે ભ્રષ્ટાચારના આરોપોનો ઉલ્લેખ કર્યો. મને ખુશી છે કે મારા કેટલાક સાથીદારોએ આજે શપથ લીધા છે. તેમના સરકાર (મહારાષ્ટ્ર)માં સામેલ થવાથી સ્પષ્ટ છે કે તેમને તમામ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
It is the right of the speaker to decide about of the leader of the Opposition. In the next two-three days, we will sit with Congress and Uddhav Thackeray to access the situation. Our main strength is the common people, they have elected us: NCP chief Sharad Pawar pic.twitter.com/KljYJILnEa
શરદ પવારે કહ્યું કે પીએમ મોદીએ NCPને ભ્રષ્ટ પાર્ટી ગણાવી છે. આજે તે જ NCP પાર્ટીના ધારાસભ્યોએ ભાજપ સરકારમાં શપથ લીધા છે. અજિત પવારે બળવો કર્યો છે. તેણે મારી સાથે વાત ન કરી. મેં આ વખતે કોઈ ગુગલી ફેંકી નથી. તેમણે કહ્યું કે પ્રેસ કોન્ફરન્સ માટે અહીં આવતા પહેલા દેશના ખૂણે-ખૂણેથી ફોન આવ્યા હતા અને એકતાનો સંદેશ મળ્યો હતો.
શરદ પવારે શું કહ્યું?
તેમણે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને અન્ય લોકોએ મને ફોન કર્યો છે. આજે જે કંઈ થયું તેની મને ચિંતા નથી. 2024ની ચૂંટણી સાથે મળીને લડીશું અને જીતીશું. કાલે હું Y.B. ચવ્હાણ (મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી)ના આશીર્વાદ લેશે અને જાહેર સભા કરશે. દલિત સમાજના એક કાર્યક્રમમાં હાજરી આપવા જશે. આ મારો આવતીકાલનો કાર્યક્રમ છે.
I am receiving several calls from a lot of people, Congress president Mallikarjun Kharge, WB CM Mamata Banerjee and others have called me. I am not worried about whatever happened today. Tomorrow, I will take the blessings of YB Chavan (former Maharashtra CM) and will hold a… pic.twitter.com/1B0dOz1wBI
શરદ પવારે કહ્યું કે મેં 6 જુલાઈના રોજ તમામ નેતાઓની એક બેઠક બોલાવી હતી જેમાં કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની હતી અને પાર્ટીમાં કેટલાક ફેરફારો કરવાના હતા, પરંતુ તે પહેલા કેટલાક નેતાઓએ અલગ વલણ અપનાવ્યું છે. તેમણે કહ્યું કે આ કોઈ નવી વાત નથી. 1980માં હું જે પક્ષનું નેતૃત્વ કરતો હતો તેમાં 58 ધારાસભ્યો હતા, પાછળથી બધા જ ગયા અને માત્ર 6 ધારાસભ્યો જ રહ્યા, પરંતુ મેં સંખ્યા મજબૂત કરી અને જેઓ મને છોડી ગયા તેઓ તેમના મતવિસ્તારમાં હારી ગયા.
We will work to strengthen the party again. MLAs and all senior leaders will sit together to decide about any action against the rebel leaders. Being the president, I had appointed Praful Patel and Sunil Tatkare but they did not follow their responsibilities. Therefore, I have to… pic.twitter.com/cIseKT9M66
એનસીપીના વડાએ કહ્યું કે વિપક્ષના નેતા અંગે નિર્ણય લેવાનો અધિકાર સ્પીકરને છે. આગામી બે-ત્રણ દિવસમાં અમે કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરે સાથે બેસીને સ્થિતિનું મૂલ્યાંકન કરીશું. અમારી મુખ્ય તાકાત સામાન્ય લોકો છે, તેઓએ અમને ચૂંટ્યા છે.
મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની સરકારમાં જોડાયાના થોડા સમય બાદ અજિત પવારે તેમનું ટ્વિટર બાયો બદલ્યું છે. અજિત પવારે પોતાના ટ્વિટર બાયોમાં ‘નાયબ મુખ્યમંત્રી મહારાષ્ટ્ર’નો સમાવેશ કર્યો છે. આ સાથે તેણે પોતાના બાયોમાં વિપક્ષના નેતાની આગળ ઉપસર્ગ ઉમેર્યો છે. પહેલાની જેમ, બાયોમાં NCP નેતા લખાયેલ છે. અજિત પવાર બારામતી વિધાનસભા સીટના ધારાસભ્ય છે જેના પર તેઓ લાંબા સમયથી જીતી રહ્યા છે. તેમની પિતરાઈ બહેન અને શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે આ બેઠક પરથી લોકસભા સાંસદ છે. ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા બાદ અજિત પવારે છગન ભુજબળ અને પ્રફુલ પટેલ સાથે મીડિયાને સંબોધન કર્યું હતું. અજિત પવારે કહ્યું કે મહારાષ્ટ્રમાં એક પક્ષની સરકાર બનવાના દિવસો પૂરા થઈ ગયા છે.
‘હું મારી સાથે મહારાષ્ટ્રનો વિકાસ લઈને આવ્યો છું’
શા માટે શિંદે સરકારમાં જોડાયા? આ સવાલ પર અજિત પવારે કહ્યું, ‘મહારાષ્ટ્રના વિકાસ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો એનસીપી શિવસેના (ઉદ્ધવ ઠાકરે) સાથે સરકાર બનાવી શકે છે તો ભાજપ સાથે કેમ નહીં? પાર્ટીના સ્થાપના દિવસે મેં પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ સમક્ષ મારો અભિપ્રાય રાખ્યો હતો. આગામી દિવસોમાં યુવા નેતૃત્વને તક આપવામાં આવશે. કેટલાક લોકો અમારા નિર્ણય વિશે અલગ-અલગ નિવેદનો કરશે, પરંતુ અમને આ બધા સાથે કોઈ લેવાદેવા નથી. મહારાષ્ટ્રનો વિકાસ આપણા માટે પ્રથમ છે. અજિત પવારે કહ્યું કે તેમણે શુક્રવારે જ વિપક્ષના નેતા પદ પરથી રાજીનામું આપી દીધું છે.
પીએમ મોદીના વખાણમાં આ વાત કહી
અજિત પવારે દાવો કર્યો કે એનસીપીના તમામ ધારાસભ્યો તેમની સાથે છે. તેમણે વધુમાં કહ્યું કે, ‘કેટલાક વધુ ધારાસભ્ય આવતીકાલે (સોમવારે) મુંબઈ પહોંચશે. આગામી દિવસોમાં કેબિનેટમાં વધુ ઘણા ચહેરાઓ જોડાશે. અજિત પવારે એમ પણ કહ્યું કે તેઓ આગામી ચૂંટણી NCPના સિમ્બોલ પર જ લડશે. પીએમ નરેન્દ્ર મોદીના વખાણ કરતા અજિત પવારે કહ્યું, ‘વડાપ્રધાનના નેતૃત્વમાં છેલ્લા 9 વર્ષમાં દેશ સારી રીતે ચાલી રહ્યો છે. આજે વડાપ્રધાનને હરાવવા માટે તમામ વિપક્ષી પાર્ટીઓ એકસાથે આવી રહી છે. વિરોધ પક્ષોની બેઠકમાં અમુક આઉટપુટ બહાર આવતું નથી. વિપક્ષમાં એવું કોઈ નથી કે જે દેશના ભવિષ્ય વિશે વિચારીને કામ કરી રહ્યું હોય.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજીની શક્તિથી આખી દુનિયા અંજાઈ ગઈ છે. ઈન્ટરનેટ પર આ ટેક્નોલોજીની કમાલે ધમાલ મચાવી દીધી છે. આની શરૂઆત થઈ હતી ‘લેન્સા’ ઓલ-ઈન-વન ઈમેજ એડિટિંગ એપ્લિકેશનથી, જેના દ્વારા લોકો એમની પોતાની તસવીરોને દંતકથાસમાન વ્યક્તિઓના ચહેરાઓમાં પરિવર્તિત કરવા લાગ્યા. હવે તો આ એક ટ્રેન્ડ થઈ ગયો છે. વધુ ને વધુ લોકો બોલીવુડ-હોલીવુડના કલાકારો અને ફેમસ સ્પોર્ટ્સ સિતારાઓનાં ચહેરાઓનો પોતાની કલ્પનાથી નવો ચહેરો બનાવવા માટે AI ટેક્નોલોજીનો ઉપયોગ કરવા લાગ્યા છે. આવી કેટલીક તસવીરો મળી છે, જે જોવા જેવી છે, જેમાં બોલીવુડ અને દક્ષિણ ભારતીય ફિલ્મોના અભિનેતાઓ તેમજ અમુક નામાંકિત ભારતીય ક્રિકેટરોને સુપ્રસિદ્ધ હોલીવુડ પાત્ર ‘ઈન્ડિયાના જોન્સ’નો લૂક આપવામાં આવ્યો છે.
હાર્ટ એટેક એ વૈશ્વિક સ્તરે વધતા ગંભીર આરોગ્ય જોખમોમાંનું એક છે. પુખ્ત વયના લોકોથી લઈને વૃદ્ધો સુધી, લગભગ તમામ ઉંમરના લોકોને આનું જોખમ રહેલું છે. તાજેતરના ઘણા અહેવાલોમાં, 20-30 વર્ષની વયજૂથના લોકો પણ હાર્ટ એટેકનો શિકાર બન્યા હોવાનું જાણવા મળ્યું છે. સંશોધકોનું કહેવું છે કે જે રીતે આ જીવલેણ રોગનું જોખમ વિશ્વભરમાં વધી રહ્યું છે તે રીતે તમામ લોકોએ સતત હૃદય-સ્વસ્થ પગલાં લેતા રહેવાની જરૂર છે. હાર્ટ એટેકનું જોખમ કેવી રીતે ઓછું કરવું તે જાણવા માટે લાંબા સમયથી સંશોધન ચાલી રહ્યું છે. આનાથી સંબંધિત તાજેતરના અભ્યાસમાં, વૈજ્ઞાનિકોની ટીમે જણાવ્યું હતું કે જો વૃદ્ધ લોકોને વિટામિન-ડી સપ્લિમેન્ટ્સ આપવામાં આવે છે, તો તે તેમને હાર્ટ એટેક સહિત ઘણા હૃદય રોગના જોખમોથી બચાવવામાં મદદરૂપ થઈ શકે છે. આ સપ્લિમેન્ટના ફાયદા 60 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં જોવા મળ્યા છે, પરંતુ તે તબીબી સલાહ વિના ન લેવું જોઈએ.
હૃદય રોગથી બચવા માટે વિટામિન-ડી પૂરક
આ અભ્યાસ માટે 60 વર્ષથી વધુ ઉંમરના લગભગ 21,000 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા અને તેમને પાંચ વર્ષ સુધી દર મહિને વિટામિન-ડી સપ્લિમેન્ટ્સ અથવા પ્લેસિબો આપવામાં આવ્યા હતા. BMJ મેડિકલ જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસ અનુસાર, તે વૃદ્ધ લોકોમાં હાર્ટ એટેક અને અન્ય હૃદય સમસ્યાઓના જોખમને ઘટાડવામાં ફાયદાકારક હોઈ શકે છે. સંશોધકોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે પૂરક હૃદયના રોગોના જોખમને સંપૂર્ણપણે ઘટાડતું નથી, પરંતુ તે ચોક્કસપણે ફાયદાકારક છે.
હૃદયરોગના બનાવોમાં ઘટાડો
ટ્રાયલ દરમિયાન 1,336 લોકોમાં કાર્ડિયોવેસ્ક્યુલર ઘટનાઓ નોંધાઈ હતી. આ જોખમ પ્લાસિબો જૂથમાં 6.6% અને વિટામિન-ડી પૂરક લેનારા જૂથમાં 6% હતું. જો કે, પ્લાસિબો જૂથ કરતાં વિટામિન-ડી જૂથમાં મુખ્ય રક્તવાહિની સમસ્યાઓનો દર 9% ઓછો હતો, જે 1,000 સહભાગીઓ દીઠ 5.8 ઘટનાઓ સમાન હતો. વિટામિન-ડી જૂથમાં હાર્ટ એટેકનો દર 19% ઓછો હતો. જો કે, બે જૂથો વચ્ચે સ્ટ્રોકના જોખમમાં કોઈ તફાવત જોવા મળ્યો ન હતો.
વિટામિન-ડી નો ઉપયોગ
સંશોધકોએ અજમાયશની મર્યાદાઓને સ્વીકારી અને કહ્યું કે તારણો બધા લોકોને લાગુ ન પડે. જો કે, આ એક મોટી અજમાયશ હતી અને કાર્ડિયોવેસ્ક્યુલર ઘટનાઓ અને મૃત્યુદર ઘટાડવામાં તેના ફાયદા જોવા મળ્યા છે. વિટામિન-ડી શરીરમાં કેલ્શિયમ અને ફોસ્ફેટની માત્રાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. કોવિડ -19 દરમિયાન શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તેના ઉપયોગ વિશે કેટલાક અભ્યાસોમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
સંશોધકો શું કહે છે?
ઓસ્ટ્રેલિયન લેખકોએ જણાવ્યું હતું કે તારણો સૂચવે છે કે વિટામિન-ડી પૂરક હૃદય સંબંધી ઘટનાઓને ઘટાડી શકે છે, ખાસ કરીને વૃદ્ધ વયસ્કોમાં. જો કે તેની અધિકૃતતા માટે વધુ પરીક્ષણો જરૂરી છે. તમે આહારમાં વિટામિન-ડી વસ્તુઓનો સમાવેશ કરીને અથવા તબીબી સલાહ પર તેના સપ્લિમેન્ટ્સ લઈને લાભ મેળવી શકો છો.
ડિસ્ક્લેમર : હેલ્થ અને ફિટનેસ શ્રેણીમાં પ્રકાશિત થયેલા તમામ લેખો ડોકટરો, નિષ્ણાતો અને શૈક્ષણિક સંસ્થાઓ સાથેની વાતચીતના આધારે તૈયાર કરવામાં આવ્યા છે. લેખ તૈયાર કરતી વખતે તમામ માર્ગદર્શિકાઓનું પાલન કરવામાં આવ્યું છે. સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. અમે કોઈપણ પ્રકારની માહિતીનો દાવો કરતું નથી અને લેખમાં આપવામાં આવેલી માહિતી અંગે કોઈ જવાબદારી લેતા નથી. આ લેખમાં દર્શાવેલ સંબંધિત રોગ વિશે વધુ વિગતો માટે તમારા ડૉક્ટરની સલાહ લો.
મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલ ચાલુ છે. શિવસેના-ભાજપ ગઠબંધનમાં તિરાડના અહેવાલો વચ્ચે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના દિગ્ગજ નેતા શરદ પવારના ભત્રીજા અને વિરોધ પક્ષના નેતા અજિત પવારે તેમની પાર્ટીને આંચકો આપ્યો છે. તેમણે NCP છોડી દીધી છે અને હવે NDA એટલે કે મહારાષ્ટ્ર સરકારમાં સામેલ થઈ ગયા છે. તેમણે રવિવારે બપોરે ડેપ્યુટી સીએમના શપથ લીધા હતા. આવો જાણીએ એ પછી શું થયું કે ભત્રીજાએ કાકાનો સાથ છોડી દીધો.
એનસીપીમાં મતભેદ એવા સમયે શરૂ થયો જ્યારે પાર્ટીના 25માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી હતી. હકીકતમાં, પ્રમુખ શરદ પવારે NCPના સ્થાપના દિવસ સમારોહમાં મોટી જાહેરાત કરી હતી. પવારે તેમની પુત્રી સુપ્રિયા સુલે અને પાર્ટીના ઉપાધ્યક્ષ પ્રફુલ પટેલને કાર્યકારી પ્રમુખ તરીકે જાહેર કર્યા હતા. જ્યારે ભત્રીજા અજિત પવારને લઈને કોઈ જાહેરાત કરવામાં આવી નથી. પવારે કરેલી જાહેરાતમાં સુપ્રિયા સુલેને મહારાષ્ટ્ર, હરિયાણા અને પંજાબની જવાબદારી પણ સોંપવામાં આવી હતી. હવે ચાલો પહેલા જાણીએ કે આ પહેલા શું થયું..
NCPમાં અત્યાર સુધી શું થયું?
એનસીપીમાં રાજકીય પરિવર્તનની વાર્તા નવેમ્બર 2019થી શરૂ થઈ હતી. ત્યારબાદ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી. ભાજપને 105 બેઠકો મળી હતી. શિવસેનાના 56 અને એનસીપીના 54 ઉમેદવારોએ ચૂંટણી જીતી હતી. કોંગ્રેસે 44 બેઠકો જીતી હતી.
ભાજપ સાથે ચૂંટણી લડનાર શિવસેનાએ મુખ્યમંત્રીના મુદ્દે ગઠબંધન તોડી નાખ્યું હતું. ભાજપ સૌથી મોટો પક્ષ હોવા છતાં બહુમતીના આંકડાથી દૂર હતો. બહુમતી માટે પાર્ટીને 145 ધારાસભ્યોના સમર્થનની જરૂર હતી. ઉતાવળમાં અજિત પવારે એનસીપીને ટેકો આપ્યો અને દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બન્યા. અજિત પવારે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા.
અજિતે આ બધું પોતાના બળ પર કર્યું. આ માટે તેમણે પાર્ટી અધ્યક્ષ શરદ પવારની મંજૂરી લીધી ન હતી. એકંદરે, તે એક પ્રકારનો બળવો હતો. આના પરિણામે એનસીપીએ પાંચ દિવસમાં સમર્થન પાછું ખેંચી લીધું. અજિત ઈચ્છે તો પણ ભાજપ સાથે ન જઈ શક્યા. દેવેન્દ્ર ફડણવીસની સરકાર પડી.
બીજી તરફ એનસીપી, શિવસેના અને કોંગ્રેસે મળીને સરકાર બનાવી છે. ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા, જ્યારે અજિત પવારને ફરીથી નાયબ મુખ્યમંત્રી પદ મળ્યું. જ્યારે શિવસેનામાં ભાગલા પડ્યા અને ભાજપની સરકાર બની, ત્યારે અજીત જૂથમાં હલચલ તેજ થઈ ગઈ. ઘણા નિષ્ણાતો કહે છે કે અજિત જૂથ ભાજપ સાથે ગઠબંધન કરીને મહારાષ્ટ્રમાં રાજનીતિ કરવા માંગે છે, જ્યારે પવાર તે ઈચ્છતા નથી.
2 મેના રોજ શરદ પવારે અચાનક રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. 24 કલાક સુધી આને લઈને ભારે હોબાળો થયો, બાદમાં પવારે નેતાઓના કહેવા પર પોતાનું રાજીનામું પાછું લઈ લીધું. જોકે, ત્યારે જ નક્કી થયું હતું કે શરદ પવાર પાર્ટીમાં કંઈક મોટું કરવા જઈ રહ્યા છે.
બાદમાં, પાર્ટીના 25માં સ્થાપના દિવસની ઉજવણીમાં, શરદ પવારે બે કાર્યકારી પ્રમુખોના નામની જાહેરાત કરી. આમાં એક પુત્રી સુપ્રિયા સુલે છે અને બીજી પાર્ટીના ઉપાધ્યક્ષ પ્રફુલ્લ પટેલ છે. સુપ્રિયાને કેન્દ્રીય ચૂંટણી સમિતિના વડા પણ બનાવવામાં આવ્યા હતા. આ દરમિયાન અજીત વિશે કોઈ જાહેરાત કરવામાં આવી ન હતી.
ત્યારથી રાજકીય વર્તુળોમાં ચર્ચા હતી કે અજિત પવાર એનસીપીથી નારાજ છે. જોકે, પાર્ટીએ તેને ઢાંકવાનું ચાલુ રાખ્યું હતું. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અજિત પવારે તાજેતરમાં મીડિયા અહેવાલોને રદિયો આપ્યો હતો કે તેઓ સંગઠનના કાર્યકારી પ્રમુખ તરીકે સુપ્રિયા સુલે અને પ્રફુલ પટેલની નિમણૂકથી નારાજ છે.
અજિત પવારે કહ્યું હતું કે તેમને કોઈ જવાબદારી મળી નથી, હું તેમને કહેવા માંગુ છું કે મહારાષ્ટ્રમાં વિપક્ષના નેતાની જવાબદારી મારી પાસે છે. તે પોતાની મરજીથી રાજ્યના રાજકારણમાં સક્રિય થશે તેના પર ભાર મૂકતા રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે સુપ્રિયા છેલ્લા ઘણા સમયથી દિલ્હીમાં છે. હું રાજ્યના રાજકારણમાં સક્રિય છું. હું વિરોધ પક્ષનો નેતા હોવાથી રાજ્યની જવાબદારી મારી પાસે છે. જોકે, હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે અજિત પવારની પાર્ટીથી નારાજગી અફવા નહીં પણ હકીકત હતી.
મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓને ધ્યાનમાં રાખીને રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. રવિવારે પાર્ટીના નેતા અજિત પવારે તેમના નિવાસસ્થાને NCP નેતાઓની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં એનસીપીના વરિષ્ઠ નેતા છગન ભુજબળ અને પાર્ટીના કાર્યકારી પ્રમુખ સુપ્રિયા સુલે પણ હાજર રહ્યા હતા, જ્યારે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલ હાજર રહ્યા ન હતા. તે જ સમયે એનસીપી પ્રમુખ શરદ પવાર પુણેમાં હતા. તેમણે કહ્યું કે તેમને આ બેઠકની જાણ નથી.
આ બેઠક બાદ અજિત પવાર સીધા રાજભવન પહોંચ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે અજીત એનડીએમાં સામેલ થવા જઈ રહ્યા છે અને આ માટે તેઓ એનસીપીના ધારાસભ્યોનો પત્ર લઈને રાજ્યપાલ પાસે પહોંચ્યા છે. એનસીપી નેતા અજિત પવારે સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં મહારાષ્ટ્રના મંત્રી તરીકે શપથ લીધા છે. તેમના સિવાય છગન ભુજબળ, ધનંજય મુંડે, અનિલ પાટીલ, દિલીપ વાલસે પાટીલ મંત્રી પદના પણ શપથ લઈ શકે છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ સહિત તમામ મંત્રીઓ પણ રાજભવનમાં હાજર છે. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે અજિત પવારે એનસીપી પ્રમુખને આંચકો આપ્યો હોય. ચાર વર્ષ પહેલાં મહારાષ્ટ્રમાં આવી જ રમત બની હતી જ્યારે અજિત પવારે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ સાથે રાતોરાત ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા.
ચૂંટણીમાં ભાજપને બહુમતી મળી નથી
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 105 બેઠકો જીતી હતી, જેના પરિણામો 24 ઓક્ટોબર, 2019ના રોજ જાહેર થયા હતા. શિવસેના ભાજપ સાથે ગઠબંધનમાં 56 બેઠકો જીતી હતી. સાથે મળીને સરકાર બનાવવા માટે પૂરતી બેઠકો હોવા છતાં બંને સહયોગીઓએ સત્તાની વહેંચણી પર વિવાદ કર્યો હતો. મુખ્યમંત્રી પદ કોને મળશે તે વિવાદનો મુખ્ય મુદ્દો હતો, જેના પરિણામે શિવસેનાએ ભાજપને બદલે વૈચારિક રીતે અલગ કોંગ્રેસ અને એનસીપી સાથે વાતચીત શરૂ કરી.
અજિત પવારે 23 નવેમ્બરે શપથ લીધા હતા
જ્યારે કોઈ પરિણામ ન આવ્યું ત્યારે કેન્દ્ર સરકારે 12 નવેમ્બરે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદી દીધું. શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ ગઠબંધન બનાવવા માટે વાટાઘાટો ચાલુ રાખી અને શરદ પવારે પાછળથી જાહેરાત કરી કે ઉદ્ધવ ઠાકરેને નવી સરકારનું નેતૃત્વ કરવા સર્વસંમતિથી પસંદ કરવામાં આવ્યા છે. દરમિયાન, 23 નવેમ્બરના રોજ વહેલી સવારે ફડણવીસ અને અજિત પવારનો શપથ ગ્રહણ સમારોહ આશ્ચર્યજનક હતો.
આ સરકાર માત્ર ત્રણ દિવસ ચાલી હતી
મહારાષ્ટ્રના રાજકારણમાં સૌથી મોટા આશ્ચર્યમાંના એકમાં તત્કાલિન રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ દેવેન્દ્ર ફડણવીસને મુખ્ય પ્રધાન તરીકે અને અજિત પવારને નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. આ સરકાર માત્ર ત્રણ દિવસ ચાલી હતી, ત્યારબાદ ઉદ્ધવ ઠાકરેએ શિવસેના, કોંગ્રેસ અને એનસીપી દ્વારા રચાયેલા મહાવિકાસ અઘાડી ગઠબંધનના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા.