શહેર ના સરખેજ વિસ્તાર થી ગાંધીનગર તરફ જવા માટે વાહનોને સરળતા રહે એ માટે વ્યસ્ત જગ્યાઓ નક્કી કરી ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવ્યા.
અમદાવાદ શહેરનો એસ.જી હાઇવે એકદમ આધુનિકં બિલ્ડિંગ, ઓફિસો, હોટલો, મોલ, ક્લબો,શૈક્ષણિક સંસ્થાઓ, રહેણાંક થી લગભગ ભરાઈ ગયો છે. શૈક્ષણિક સંસ્થાઓ, મોલ જેવી જગ્યાઓ પાસે સુંદરતા વધે એ માટે ઓવરબ્રિજ, અંડર બ્રિજ, સર્કલો ની સુંદરતા નો વધારો થાય એવો પ્રયાસ કરાયો છે.
જ્યારે એસ.જી.હાઇવે ના એક છેડા સરખેજ પાસે જાણે ઓરમાયું વર્તન થયું હોય એવું લાગે છે. સરખેજ થી સાણંદ વિરમગામ તરફ જતા માર્ગ પર આવેલું સર્કલ બિસ્માર હાલતમાં છે. જ્યાર થી ઓવરબ્રિજ બનતો હતો ત્યાર પછી ખુલ્લો મુકાયા ના આજ દિન સુધી એ સર્કલ નું નવીનીકરણ શરૂ કર્યા બાદ અધુરું છે.
ઓવરબ્રિજ નવો છે,જેને રંગરોગાન પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે. પરંતુ સરખેજ નું સૌને ઉડીને આંખે વળગે એવા સર્કલ પર ખાનાબદોશ લોકો નો અડ્ડો છે. એક તરફ એસ.જી હાઇવે બીજી તરફ સાણંદ વિરમગામ તરફ જવાય એવું સર્કલ બદસુરત છે.
આ સર્કલ ઘણાં સમય થી બિસ્માર અને અધુરું બનાવેલું પડ્યું છે.ઓવરબ્રિજ નીચે વ્યાપારી વાહનો પાર્ક કરવી નહીં. એવા અંગ્રેજી અને ગુજરાતી ભાષા માં પાટિયાં લગાડવા માં આવ્યા હોવા છતાં અસંખ્ય વાહનોનો અડીંગો ચોવીસ કલાક લાગેલો હોય છે.
પોશ વિસ્તારો ની એકદમ નજીકનો રાજધાની તરફ જતો ગોડાઉન અને ગેરેજથી ભરપૂર વિસ્તારમાં પણ સુંદરતા ઝંખે છે. કારણ આર્થિક સધ્ધરતા ખેતી , ઉદ્યોગ ને પ્રોત્સાહન થી જ વધે.
લખનઉઃ ઉત્તર પ્રદેશના મૈનપુરથી આશ્ચર્યચકિત કરનારા સમાચાર આવ્યા છે. અહીં રૂ. 10ના વિવાદમાં દુકાનદારની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ હત્યા પછી આ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. એ વિસ્તારમાં ગોળી ચાલવાને કારણે લોકોમાં ભય છે. જોકે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં માત્ર રૂ. 10ના વિવાદમાં એક દુકાનદાર મહેશચંદ્ર જાટવની હત્યા કરવામાં આવી છે તે દલિત હતો. તે તેની દુકાનની બહાર સૂતો હતો, ત્યારે ગુલફામ ઉર્ફે ગુલ્લા બંજારા તરીકે ઓળખાતા આરોપીએ તેના માથામાં ગોળી મારી દીધી હતી. આ મામલો 12 જૂનનો છે. હત્યા કર્યા પછી આરોપી ફરાર થયો હતો. પોલીસે તેની તપાસ કરવા માટે ટીમ બનાવી હતી, જે પછી મંગળવારે (27 જૂને) તેની ધરપકડ કરવામાં આવી છે.
ગુલફામે ખુલાસો કરતાં કહ્યું હતું કે જાટવની દુકાન પર અન્ય સામાન સિવાય તે પેટ્રોલ પણ વેચતો હતો. ગુલફામે જાટવ પાસે પેટ્રોલ ખરીદ્યું હતું. ગુલફામના ગયા પછી જાટવને લેવડદેવડમાં રૂ. 10ની ગરબડ નજરે ચઢી. જેથી તેણે ગુલફામને બાકીના રૂ. 10 આપવા કહ્યું, પરંતુ ગુલફામે તેને પૈસા આપવાનો ઇનકાર કર્યો. બંને વચ્ચે રૂ. 10ને લઈને તૂતમૈંમૈં થઈ ગઈ. જે પછી જાટવે ગુલફામને ધમકી આપી હતી, જાટવથી ધમકી મળવા પર ગુલફામે બદલો લેવાનો નિર્ણય કર્યો. 12 જૂને જાટવ દુકાનની બહાર સૂતો હતો, ત્યારે ગુલફામે તેની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. પોલીસે હાલ આરોપી ગુલફામની ધરપકડ કરી છે.
બેંગલુરુઃ કર્ણાટકની હાઇકોર્ટે ટ્વિટર ઇન્ક દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી, જેમાં કંપનીએ સામગ્રી દૂર કરવા માટે અને બ્લોક કરવા સંબંધી ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયના આદેશને પડકારવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે કંપનીની અરજીનો કોઈ આધાર નથી.
જસ્ટિસ કૃષ્ણ એસ. દીક્ષિતે ટ્વિટર કંપની પર રૂ. 50 લાખનો દંડ પણ ફટકાર્યો હતો અને એને 45 દિવસોની અંદર કર્ણાટક રાજ્યના કાયદાકીય સત્તાવાળાઓ પાસે જમા કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે ચુકાદોનો મુખ્ય ભાગ વાંચતાં કહ્યું હતું કે ઉપરોક્ત પરિસ્થિતિઓમાં એ અરજી આધાર રહિત હોવાને કારણે અનુકરણીય દંડની સાથે ફગાવી દેવામાં આવે છે. અરજીકર્તા પર રૂ. 50 લાખનો દંડ ફટકારવામાં આવે છે, જે 45 દિવસોમાં બેંગલુરુમાં ભરવાનો છે. જો એમાં વિલંબ થશે તો એના પર પ્રતિ દિન રૂ. 5000નો વધારાનો દંડ ફટકારવામાં આવશે.
જસ્ટિસ દીક્ષિતે ટ્વિટરની અરજી ફગાવતાં કહ્યું હતું કે હું કેન્દ્રની એ દલીલ સાથે સહમત છું કે એની પાસે ટ્વીટને બ્લોક કરવાની અને એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવવાની શક્તિ છે. કેન્દ્ર સરકારે કોર્ટમાં કહ્યું હતું કે ટ્વિટર તેના યુઝર્સ વતી વાત કરી શકે નહીં. આ કિસ્સામાં તેને કોર્ટમાં અપીલ દાખલ કરવાનો કોઈ અધિકાર નથી. ટ્વીટ બ્લોક કરવાનો આદેશ વિવેક વગર કે એકપક્ષી રીતે લેવામાં આવ્યો ન હતો. રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને, ટ્વિટરને બ્લોક કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, જેને કારણે લિંચિંગ અને ટોળાની હિંસાની ઘટનાઓને રોકી શકાશે.
પેરિસઃ ફ્રાંસના પાટનગર પેરિસના ઉપનગર નૈંટરમાં થયેલા પોલીસ ફાયરિંગમાં એક સગીર યુવકના માર્યા ગયા પછી દેશમાં હિંસા ભડકી ગઈ છે. સતત ત્રીજા દિવસે જારી હિંસામાં સેંકડો ઘરો પર પથ્થરમારો થયો છે અથવા એમાં આગ લગાડી દેવામાં આવી છે. આ સિવાય અનેક કારો, બસો અને અન્ય વાહનોને સળગાવીને ખાખ કરી દેવામાં આવ્યાં છે. હિંસાને નિયંત્રિત કરવામાં 150થી વધુ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. પોલીસે 421 દેખાવકારોની ધરપકડ કરી છે. તોફાનો પર કાબૂ મેળવવા માટે રસ્તા પર હજારો સંખ્યામાં પોલીસ અને સુરક્ષા દળોને તહેનાત કરવામાં આવ્યાં છે.
ફ્રાંસ પોલીસે એક 17 વર્ષના યુવકને ટ્રાફિક પોલીસે અટકાવ્યો હતો, પણ તે અટક્યો નહોતો. જેથી પોલીસે તેને ગોળી મારી દીધી હતી. ગોળી મારવાવાળા પોલીસ અધિકારી પર હત્યા કરવાનો કેસ નોંધવામાં આવ્યો છે.
The moment 17-year-old Nahel M was shot in his hometown of Nanterre, west of Paris
Protests and unrest erupted in the Paris region overnight after news of the shooting emerged pic.twitter.com/0QVRWWkYLz
રાષ્ટ્રપતિ ઇમાન્યુઅલ મેક્રોએ કહ્યું હતું કે આ શૂટઆઉટ અક્ષમ્ય છે. એક યુવકના મોતને તમે યોગ્ય ના ગણાવી શકો.
આ યુવકની ગોળી મારીને હત્યા કરનાર પોલીસ અધિકારીએ પીડિત પરિવાર પાસે માફી માગી લીધી હતી. જોકે આ ઘટનાના ફુટેજ સોશિયલ મિડિયા પર વાઇરલ થયા પછી હિંસા દેશઆખામાં ફેલાઈ ગઈ હતી. ગૃહપ્રધાન ગેરાલ્ડ ડર્મે નિને કહ્યું હતું કે હિંસા દરમ્યાન ટાઉન હોલ, સ્કૂલો અને પોલીસ સ્ટેશનોમાં આગ લગાડવામાં આવી હતી.
— The Spectator Index (@spectatorindex) June 29, 2023
નૈંટરે શહેરમાં દેખાવકારોએ 50 કારો અને એક બેન્કના બિલ્ડિંગમાં આગ લગાડી દીધી હતી. પોલીસ પર ગોળાઓ ફેંક્યા હતા. અનેક શહેરોમાં દેખાવો દરમ્યાન દુકાનો લૂંટફાટ થઈ હતી. અનેક શહેરોમાં દેખાવકારોએ પોલીસ સ્ટેશન, સ્કૂલ અને બસોને આંગ ચાંપવાના બનાવ બન્યા હતા.
અમદાવાદઃ રાજ્યમાં બારે મેઘ ખાંગા થયા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગ દ્વારા વધુ આગામી બે દિવસમાં રાજ્યમાં ભારેથી ભારે વરસાદ થવાની આગાહી કરવામાં ઓઆવી છે. રાજ્યમાં સાઇક્લોનિક બે સિસ્ટમ સક્રિય થઈ છે. ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને લઈ માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 224 તાલુકામાં 1થી 11 ઇંચ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સૌથી વધુ જૂનાગઢમાં 10.5 ઈંચ વરસાદ નોંધાયો છે. તો તાપી જિલ્લામાં 9.4 ઈંચ વરસાદથી રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી હતી. ભારે વરસાદને કારણે રાજકોટ જિલ્લામાં પાંચ ગામનો સંપર્ક તૂટ્યો હતો. વરસાદને કારણે રાજ્યના મોટા ભાગના ડેમોની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે.
જૂનાગઢ તાલુકામાં પાછલા 22 કલાકમાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ ખાબક્યો છે. જૂનાગઢના મેંદરડામાં 5.9 ઈંચ અને ભેસાણમાં 5.4 ઈંચ વરસાદ થયો છે. જૂનાગઢમાં થયેલા સારા વરસાદના કારણે ખેડૂતોમાં ભારે ખુશીની લાગણી છવાયેલી છે. જૂનાગઢમાં ઠેર-ઠેર ભારે વરસાદને કારણે નદી-નાળાં તથા તળાવ સહિતની જગ્યાઓ પર નવાં જળ આવ્યાં છે. ભારે વરસાદને લીધે લોકોએ મુશ્કેલી પણ વેઠવી પડી રહી છે.
તાપી જિલ્લામાં અનરાધાર વરસાદથી 23 રસ્તા બંધ કરવામાં આવ્યા છે. સુરતના મહુવામાં 6 ઇંચ અને વ્યારામાં 5.5 ઇંચ વરસાદ ખાબકતાં ચારે બાજુ પાણી જ પાણી છે. સુરતના મહુવામાં 7.3 ઈંચ, તાપીના વાલોડમાં 6.8 ઈંચ અને વ્યારામાં 6.4 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે ગીર સોમનાથના તાલાલામાં 6.1 ઈંચ અને સૂત્રાપાડામાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા સહિતના શહેરોમાં તંત્ર એલર્ટ બન્યું છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકના જણાવ્યા અનુસાર રાજ્યમાં ચાર દિવસ વરસાદી વાતાવરણ જોવા મળી રહેશે. જેમાં આગામી બે દિવસ એટલે કે 48 કલાક અત્યંત ભારે વરસાદ ત્રાટકે તેવા સંજોગો વર્તાઈ રહ્યા છે. જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.
ભમરિયા ગામની નદીમાં ઘોડાપૂર
ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના ભમરિયા ગામની નદીમાં ઘોડાપૂર આવ્યું હતું, જેમાં એક પરિવાર ફસાયો હતો. જોકે જીસીબી દેવદૂત બનીને આવ્યું અને તમામના જીવ બચાવી લીધા હતા.
ડેમોમાં નવા નીરની નોંધપાત્ર આવક
રાજ્યના મોટા ભાગના ડેમોમાં નવા નીરની આવક થઈ છે. રાજકોટ શહેર અને જિલ્લાનાં તમામ ગામોમાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટ શહેરમાં બે ઇંચ સહિત જિલ્લામાં સાર્વત્રિક 1થી છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ જામકંડોરણા તાલુકામાં છ ઇંચ વરસાદ અને સૌથી ઓછો લોધિકા તાલુકામાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. આ વરસાદને લઈ જિલ્લાના તમામ ડેમોમાં નવા નીરની નોંધપાત્ર આવક થઈ છે. જેમાં ઉપલેટનો વેણુ-2 અને ધોરાજી તાલુકાના ભૂખી પાસેનો ભાદર-2 ડેમ 80 ટકા, જ્યારે ઉપલેટાનો મોજ ડેમ 70 ટકા ભરાયો છે. એ સાથે જ ભાદર-2 ડેમના 6 દરવાજા પાંચ ફૂટ ખોલી 38,674 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેને પગલે નદી કાંઠાનાં ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે.
સુરવો ડેમ 100 ટકા ભરાયો
રાજકોટનો સુરવો ડેમ એની નિર્ધારિત સપાટીએ 100 ટકા ભરાઈ ગયો છે. ડેમમાંથી હાલ 355 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે તથા ત્રણ દરવાજા બે ફૂટ ખોલાયા છે.
મોજ ડેમ 70 ટકા ભરાયો
રાજકોટનો મોજ ડેમ તેની નિર્ધારિત સપાટીએ 70 ટકા ભરાઈ ગયો છે. ડેમમાં હાલ 21,045 ક્યુસેકની આવક છે. ડેમની કુલ ઊંચાઈ 72.54 મીટર છે, જ્યારે ભરાયેલી ઊંચાઈ 71.08 મીટર છે.
જેને આપણે આત્મા કે ચેતનતા કહીએ છીએ. વર્તમાન સમયે પુનર્જન્મના અનેક ઉદાહરણ પ્રકાશમાં આવ્યા છે. જે દ્વારા એ પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે યાદશક્તિનું કેન્દ્ર મગજ જ છે, તો આત્મા દ્વારા ધારણ કરવામાં આવેલ નવા શરીરમાં, નવા મગજમાં જૂની યાદો ક્યાંથી આવી ગઈ? આ પ્રશ્નનો જવાબ રાજયોગ શિક્ષણ પદ્ધતિ ( જેને વિજ્ઞાન પણ માન્યતા આપે છે ) ના આધારે આપણે આપી શકીએ છીએ. આત્માને મગજના આધારે અનેક બાબતો યાદ રહે છે. પરંતુ મૃત્યુની સાથે જ તે જન્મની યાદોથી આત્મા ખાલી થઈ જાય છે. નવા શરીરમાં નવા મગજના માધ્યમથી નવી યાદો પોતાનામાં ભરે છે. નવા જન્મની નવી બાબતો આત્મામાં ભરવાની સાથે જ પાછલા જન્મની યાદો ભૂલવાનું શરૂ થઈ જાય છે.
આ વિધાતા દ્વારા મળેલ એક ખૂબ મોટું વરદાન છે. નહીં તો કલ્પના કરો કે અનેક જન્મોની અનેક પ્રકારની યાદો માનવ મન માં ભરેલી રહે તો તેની શું દશા થાય? ઘણાને એ પ્રશ્ન થાય છે કે આપણે કામની વાતો કેમ ભૂલી જઈએ છીએ? વાસ્તવમાં મનની પ્રવૃત્તિ હાલક-ડોલક હીંચકા જેવી છે. આ હીંચકો એક તરફ નમશે તો બીજી તરફ ઊંચો થશે. જો એક તરફ વ્યર્થ વાતોનું 50 કિલોગ્રામ વજન હોય તો તે પલડું સ્વાભાવિક રીતે નીચે જમીનને અડશે અને બીજું પલડું ઉપર જશે. આમ યાદો વાળા પલડાને ત્યારે જ નીચે લાવી શકાશે જ્યારે વ્યર્થના વજનને ઓછું કરવામાં આવશે. આ પ્રકારે ભૂલવાના ગુણમાં જ યાદશક્તિ ના વિકાસ નું રહસ્ય સમાયેલું છે. આપણે ધ્યાન રાખવાનું છે કે કોઈને ભુલક્કડ કહીને તેની ભૂલોને ભાલાની જેમ તેને દુ:ખનો અનુભવ કરાવવો એ બરાબર નથી. કારણકે હંમેશા જાગતી જ્યોત, જ્ઞાનના સાગર ભગવાન શિવ કહે છે કે – “સૌથી મોટી ભૂલ છે ભગવાનને ભૂલવા”. માટે જ જેઓ બીજાની ભૂલોને નથી ભૂલતા તેઓ તે સમયે ભગવાનને ભૂલવાની ભૂલ તો પોતે જ કરી રહ્યા હોય છે અને જે પોતે જ ભૂલ કરી રહેલ હોય છે તે બીજાને અભૂલ બનાવવાના પુરુષાર્થમાં કેવી રીતે સફળ થશે! માટે જ બીજાને ભુલક્કડ કહીને તેની મજાક ન ઉડાવીએ પરંતુ પોતે પરમાત્મા શિવપિતા ની યાદ માં રહીને પોતાને ભૂલોથી બચાવીએ.
સૃષ્ટિની શરૂઆતથી જ ગૃહસ્થ જીવન ચાલતું આવ્યું છે. માતા-પિતા અને બાળકો એ ગૃહસ્થ જીવનનું સ્વરૂપ છે. સૃષ્ટિના ભગવાન શિવ અનાદિ ગૃહસ્થી છે જેઓ વિશ્વના કરોડો આત્માઓના માતા-પિતા છે. સાકારમાં પણ તેઓ માતા-પિતા તરીકે પાલના કરે છે.
ધર્મની ગ્લાનીના સમયે તેઓ આ સૃષ્ટિ ઉપર અવતરિત થાય છે અને રાજયોગના અભ્યાસ દ્વારા માનવની બુદ્ધિને તમામ પ્રકારની હદ તથા સ્વાર્થથી બહાર લાવી દે છે. તેની સાથે સાધારણ શરીરનો આધાર લઇ એવા દિવ્ય કર્મ કરીને બતાવે છે જેનાથી આત્માઓને અનુભવ થાય છે કે તેઓ ભગવાન શિવ પરમાત્મા છે. સાથે સાથે આત્મા-આત્મા ભાઈ-ભાઈ હોવાનો પણ અનુભવ થાય છે. મનુષ્ય આત્માઓને વિકારી જીવન થી મુક્ત કરાવી દિવ્ય જન્મ આપવાનું, દિવ્ય પાલના કરવાનું તથા જ્ઞાન અને ગુણોથી સજાવી સતયુગી સમૃદ્ધિનો વારસો આપવો એ બધા દિવ્ય કામ પણ કરે છે. આ પ્રકારની ઈશ્વરીય પાલના લેનાર આત્માઓ સતયુગી દુનિયામાં દેવી-દેવતા પદ પ્રાપ્ત કરે છે તથા ગૃહસ્થ આશ્રમની ભાવના નિભાવવાના દિવ્ય સૂત્ર તથા બેહદની ભાવનાઓ પરમપિતા પરમાત્મા પાસેથી સંગમ યુગમાં શીખી લે છે, ધારણ કરી લે છે.
જે ગૃહસ્થ જીવનની આટલી બધી મહિમા કરવામાં આવે છે તેને આશ્રમ અથવા પવિત્ર સ્થાન કહેવામાં આવે છે. આપણા પૂર્વજો દેવી-દેવતાઓ શ્રીલક્ષ્મી- શ્રીનારાયણ તથા તેમની સૂર્યવંશી-ચંદ્રવંશી વંશાવલી આ પ્રકારે ગૃહસ્થાશ્રમમાં જીવતી હતી.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)
મજાનું વાતાવરણ હોય અને મજાની વ્યક્તિ સાથે હોય તો કેવું લાગે? મજાનું વાતાવરણ તો બધાને ખબર પડે પણ મજાની વ્યક્તિ કેવી હોય? જે આપણા વખાણ કરે એ? જે ફૂલો આપીને સતત ચાહવાની વાતો કરે એ? જે વિશાળ હોલમાં વાયોલીન સાથે પ્રપોઝ કરે એ? કે પછી કશુજ ન બોલે કશુજ ન કરે તો પણ એના પર ભારોભાર વિશ્વાસ કરવાનું મન થાય એ? જેના વિચાર માત્રથી મન પ્રફુલ્લિત થઇ જાય અને જેના સહવાસથી જીવનના બધાજ દુખ ભૂલી જવાય એવી વ્યક્તિ મજાની કહી શકાય. આવી મજાની વ્યક્તિ ક્યાં મળે? દરેકના જીવનમાં આવી એક વ્યક્તિતો હોય જ છે. બસ જરૂર હોય છે એને ઓળખવાની. મોટાભાગે જે વ્યક્તિ બિનશરતી પ્રેમ કરે છે એ વ્યક્તિ પર ધ્યાન ઓછુ અપાય છે. જે વ્યક્તિ સતત અહેસાસ દેવરાવતી હોય એના તરફ નજર વધારે રહે છે. પણ શું એ વ્યક્તિ જરૂર પડે ત્યારે સાથ આપશે ખરી? સ્વાર્થ શબ્દ સંબંધોના મૂળને ખોતરી નાખે છે.
મિત્રો આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા હોય તો આપ નીચે દર્શાવેલ ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ: સર કહેવાનું કેવું મધુર લાગે છે નહિ? તમારો અવાજ ખુબ અદ્ભુત છે. એને સાંભળીને મન શાંત થઇ જાય છે. તમે આધ્યાત્મિક લેકચર આપો તો કેટલા બધા લોકોને ફાયદો થાય? મારે પણ આવો અવાજ કેળવવો હોય તો શું કરવું જોઈએ? કોઈ ખાસ ક્રિયા કરવાથી આધ્યાત્મિક અવાજ થાય ખરો?
જવાબ: આધ્યાત્મ શબ્દ આત્મા સાથે જોડાયેલો છે. મારો અવાજ આપને ગમે છે એ સારી વાત છે. પણ એ મારો અવાજ છે. મારા આત્મા સાથે જોડાયેલો અવાજ છે. આપને કોઈના જેવું શા માટે થવું છે? તમારી પોતાની ઓળખ બનાવો. બની શકે લોકોને આપનો અવાજ વધારે ગમે. અવાજને કેળવવા માટે ઘણી ક્રિયા પ્રક્રિયા આપણા દેશમાં પ્રચલિત છે. પણ જયારે આધ્યાત્મિકતાનો વિચાર કરીએ ત્યારે આત્માને ન ગમે એવું કશું જ ન કરવું જોઈએ. હૃદય સાફ હશે તો આપ જે બોલશો એ સારું લાગશે. મનમાં પાપ ન હોય એ ખુબ જરૂરી છે. જયારે વ્યક્તિનું મન શાંત અને હૃદય સંતૃપ્ત હોય ત્યારે એનો અવાજ મૃદુ લાગે છે. જયારે વ્યક્તિ તણાવમાં હોય કે મનમાં સ્વાર્થ કે લોભ હોય ત્યારે એ જ વ્યક્તિનો અવાજ નથી ગમતો. આપનો અવાજ પણ વખણાશે. સાચો પ્રયત્ન કરો.
સવાલ: મારી ઉમર એકવીસની છે. મારા ઘણા મિત્રો છે. વળી સારા દેખાવના કારણે ઘણા લોકો વાત કરવા પણ આવે છે. મારા મમ્મીનું માનવું છે કે પૈસાદાર લોકો ખરાબ હોય. આવું માનવાનું કારણ શું હશે? શું એમનાથી દુર રહેવું જોઈએ?
જવાબ: દેખાવ સારો હોય એ સારી વાત છે. પણ જે લોકો માત્ર દેખાવ જોઇને મિત્રતા કરે એ સાચા મિત્ર હોઈ શકે ખરા? મિત્ર કોઈ પણ હોઈ શકે. મિત્રની કોઈ જાતી નથી હોતી. પણ જયારે જાતિવાચક શબ્દથી મિત્રને જોવાનું થાય ત્યારે વિચારવું જોઈએ. વળી દરેક પૈસાદાર વ્યક્તિ ખરાબ અને દરેક ગરીબ વ્યક્તિ સારી એવો કોઈ નિયમ નથી. આ નિર્ણય તો જે તે વ્યક્તિના અનુભવથી જ લેવાય. આપના ઘરમાં અગ્નિથી વાયવ્યનો અક્ષ નકારાત્મક છે. તેથી આપના મમ્મીને આવું લાગી શકે. કોઈ નિષ્ણાતની સલાહ લઇ અને શિવપૂજા કરો. ગુરુવારે ઘરના મુખ્ય દ્વાર પર આસોપાલવનું તોરણ બંધો અને ઉંબરો પૂજી લો. ચોક્કસ સારું લાગશે.
સુચન: બે ઘરના મુખ્ય દરવાજા સામે સામે આવતા હોય તો એ નકારાત્મક ગણાય.
નવી દિલ્હીઃ દિલ્હી યુનિવર્સિટી (DU) 30 જૂન, 2023એ 100 વર્ષ પૂરાં થવા પર શતાબ્દી સમારોહની ઊજવી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી યુનિવર્સિટીના શતાબ્દી સમારોહમાં સામેલ થવા માટે મેટ્રોમાં પ્રવાસ કર્યો હતો. તેમણે મેટ્રોમાં યાત્રા કરી રહેલા કેટલાય લોકો સાથે વાતચીત કરી હતી. વડા પ્રધાને ટ્વીટ કરીને એની માહિતી આપી હતી. તેમણે લખ્યું હતું કે DU કાર્યક્રમના રસ્તામાં યુવાઓને સહ-પ્રવાસીઓ સાથે વાતચીત કરવાની મજા આવી.
DUના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને 100 વર્ષ પૂરાં થતાં શણગારવામાં આવ્યું હતું. એમાં ઠેર-ઠેર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ શતાબ્દી સમારોહ માટે ભવ્ય સ્ટેજ બનાવવામાં આવ્યું હતું.
On the way to the DU programme by the Delhi Metro. Happy to have youngsters as my co-passengers. pic.twitter.com/G9pwsC0BQK
આ શતાબ્દી સમારોહના કાર્યક્રમમાં વડા પ્રધાન DUના કોમ્પ્યુટર સેન્ટર અને ટેક્નોલોજી સેન્ટરના ભવન અને યુનિવર્સિટીના નોર્થ કેમ્પસમાં બનનારા એકેડેમિક બ્લોકની આધારશિલા મૂકશે. દિલ્હી યુનિવર્સિટીની સ્થાપના એક મે, 1922માં થઈ હતી. છેલ્લાં 100 વર્ષોમાં યુનિવર્સિટીનો ઘણો વિકાસ અને વિસ્તાર થયો છે અને એમાં 86 વિભાગ, 90 કોલેજમાં છ લાખથી વધુ વિદ્યાર્થીઓ છે.
Speaking at the valedictory session of Delhi University's centenary celebrations. https://t.co/zj62lQZ10P
વડા પ્રધાનનું DUમાં સરસ્વતી વંદના સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓને અને પ્રોફેસરોને સંબોધિત કરશે. દિલ્હી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર- પ્રોફેસર યોગેશ સિંહે વડા પ્રધાન મોદીને આવકારવા માટે એક ખાસ કવિતા વાંચી હતી. તેમણે કહ્યું કે આવા વડા પ્રધાન ક્યાં મળે છે…’. તેમણે વડા પ્રધાન મોદીને અદભુત રીતે અસરકારક, મહેનતુ અને દેશભક્ત પણ હોવાનું જણાવ્યું હતું. તેમણે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું પણ સ્વાગત કર્યું હતું.
ઘટના નંબર એકઃ અલાહાબાદ હાઈ કોર્ટની લખનૌ બેન્ચમાં ‘આદિપુરુષ’ને બૅન કરવા વિશેની સુનાવણી ચાલી રહી છે. કોર્ટે કડક શબ્દમાં કહ્યું કે દર વખતે હિંદુઓએ જ સહન કરવાનું? તમે (નિર્માતા-દિગ્દર્શક) શ્રીરામ-સીતાજી-હનુમાનજી-રાવણ બતાવો છો ને ફિલ્મના આરંભમાં સૂચના મૂકો છો કે આ ચિત્રપટ રામાયણ આધારિત નથી. શું સિનેમાપ્રેમીને મૂરખ સમજો છો?
ઘટના નંબર બેઃ બેએક દિવસ પહેલાં ડિરેક્ટર-ઍક્ટર શેખર કપૂરે ટ્વિટ કર્યું કે “1995માં ‘બૅન્ડિટ ક્વીન’ માટે મને ફિલ્મફૅર એવૉર્ડ એનાયત થવાનો હતો તે પહેલાં આયોજકોએ મને સૂચના આપેલી કે તમારા પ્રતિભાવમાં કોઈ પણ જાતના પોલિટિકલ-કોન્ટ્રોવર્સિયલ સ્ટેટમેન્ટ કરતા નહીં.” શેખર કપૂરે વચન પાળ્યું, પણ સ્ટેજ પર બન્ને હાથમાં હાથકડી પહેરીને ગયેલા. ડાકુરાણી ફુલન દેવીના જીવન પર આધારિત ‘બૅન્ડિટ ક્વીન’ પર તે વખતની સરકારે એમ કહીને પ્રતિબંધ મૂકેલો કે ફિલ્મ હિંસાપ્રચુર છે તથા રેપ સીન પણ જુગુપ્સાપ્રેરક છે. પછી શેખર કપૂર અને નિર્માતાએ સુપ્રીમ કોર્ટનાં બારણાં ખટખટાવેલા. કોર્ટે ફિલ્મ રિલીઝ કરવાની અનુમતિ આપી, પણ ‘સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશને’ ફરીથી જોઈ, વાંધાજનક દશ્યોની કાપકૂપ (17 મિનિટ) કરી પછી જ રિલીઝ થઈ.
-અને ઘટના નંબર ત્રણ તે એ કે ગયા અઠવાડિયે મેં ફિલ્મની રિલીઝ પહેલાં વાંધાવચકા નીકળે એ વિશે લખેલું તો મુંબઈના મલાડથી મુકેશભાઈએ મેસેજ કરીને પુછાવ્યું કે “એવો કોઈ કિસ્સો ખરો કે ફિલ્મની રિલીઝ કોઈ કારણસર એની પર પ્રતિબંધ આવ્યો હોય, ને ફિલ્મને પાછી ખેંચી લેવી પડી હોય?”
મેસેજ વાંચીને અચાનક મસ્તિષ્કમાં ફ્લૅશબૅક માટે ફેમસ સંતૂરની સુરાવલી રણઝણવા માંડે છે ને હું જઈ પહોંચું 1950ના દાયકામાં. ૧૯૫૭ની સાલમાં આવો એક કિસ્સો બનેલો. કિશોરકુમાર, શકીલા, મુબારક, રાધાકિશન, આપણા કૃષ્ણકાન્ત (કેકે), મહેમૂદ જેવા કલાકારોને ચમકાવતી એક ફિલ્મ રિલીઝ થઈઃ ‘બેગુનાહ’. ડિરેક્ટર નરેન્દ્ર સૂરી માટે લેખક-દિગ્દર્શક-અભિનેતા આઈ.એસ. જોહરે કથા લખેલી. ફિલ્મમાં શંકર-જયકિશને સ્વરાંકિત કરેલાં ગીતો તો હતાં જ, પણ કેકેએ આપેલી માહિતી મુજબ, એમાં જયકિશને નાનકડો રોલ પણ કરેલો. એક સીનમાં જયકિશન પિયાનો વગાડતાં વગાડતાં દર્દભર્યું ગીત ગાય છેઃ ‘અય પ્યાસે દિલ બેજુબાં, તુઝકો મૈં લે જાઉ કહાં’… ગીતને કંઠ આપેલો મુકેશે. બીજાં ગીતો પણ લોકજીભે ચડેલાં.
રિલીઝ બાદ ફિલ્મ સારી ચાલી રહી હતી, પણ ત્યાં જ- સબૂર… આ શું? અમેરિકાના જગવિખ્યાત ડિસ્ટ્રિબ્યૂટર પૅરેમાઉન્ટ પિક્ચર્સની ‘બેગુનાહ’ના નિર્માતા અનુપચંદ શાહ પર નોટિસ આવીઃ “આથી જત જણાવવાનું કે ‘બેગુનાહ’ ૧૯૫૪માં રિલીઝ થયેલી કૉમેડી ‘નૉક ઑન વૂડ’ની નકલ છે. આ ફિલ્મ (‘નૉક ઑન વૂડ’)નું ડિસ્ટ્રિબ્યૂશન અમે કર્યું છે.”
નોટિસ આપી તો આપી, પૅરેમાઉન્ટે ‘બેગુનાહ’ના નિર્માતાઓ પર કોર્ટમાં કેસ પણ કર્યો. હવે, ‘નૉક ઑન વૂડ’ હોલિવૂડના તે વખતના પ્રખ્યાત ઍક્ટર-કૉમેડિયન-સિંગર ડૅની કેને ચમકાવતી સુપરહિટ ફિલ્મ હતી. ફિલ્મમાં ડૅની વેન્ટ્રિક્વોલિસ્ટ બનેલા. વેન્ટ્રિક્વોલિસ્ટ એટલે એ કળાકાર, જે હાથમાં ઢીંગલો કે ઢીંગલી લઈને એવી રીતે બોલે કે પ્રેક્ષકને એમ જ લાગે કે ઢીંગલો-ઢીંગલી બોલી રહ્યાં છે.
-અને માળો હાળો કેસ પણ ફટાફટ ચાલ્યો. નામદાર જજે પૅરેમાઉન્ટ પિક્ચર્સની તરફેણમાં ચુકાદો આપ્યો. તે વખતે ‘બેગુનાહ’ મુંબઈમાં સ્વસ્તિક સિનેમામાં ચાલી રહી હતી. કેકેએ મને કહેલું તે મુજબ 13મું અઠવાડિયું હતું પણ અમુક ફિલ્મપંડિત કહે છે કે રિલીઝ બાદનો 10મો દિવસ હતો. એ જે હોય તે, જજમેન્ટ આવતાં જ એની પર બૅન મૂકવામાં આવ્યો. ફિલ્મ ઉતારી લેવામાં આવી એટલું જ નહીં, પણ બૉમ્બે હાઈ કોર્ટે હથોડો પછાડતાં એમ પણ કહ્યું કે ‘બેગુનાહ’ની જેટલી નેગેટિવ હોય એનો નાશ કરો.
કહાનીમાં ટ્વિસ્ટ તો એ છે કે ફિલ્મની રિલીઝ અને એની પર પ્રતિબંધ આવ્યો એનાં સાઠેક વર્ષ બાદ પુણે સ્થિત ‘નૅશનલ ફિલ્મ આર્કાઈવ્સ’ને જયકિશનના કોઈ ચાહક પાસેથી ‘બેગુનાહ’ના અમુક રીલ મળેલા. આ એ જ રીલ હતા, જેમાં જયકિશન દર્દભર્યું ગીત ગાય છે.
કૉપી કરવા માટે મૂળ નિર્માતા વિતરક દ્વારા આપણી કૉર્ટમાં કેસ થાય, ચુકાદો એમની તરફેણમાં આવે ને ફિલ્મ ઉતારી લેવી પડે એવો આ કદાચ વિરલ કિસ્સો હશે. હેંને?
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 44 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,94,188 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,31,905 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,60,750 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 60 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1533એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 37,451 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.24 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,38,461 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 296 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.