Home Blog Page 2743

ત્રિપુરામાં ‘વળતી રથયાત્રા’ની દુર્ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસ કરશે

અગરતાલાઃ ત્રિપુરા રાજ્યના ઉનાકોટી જિલ્લામાં ગઈ કાલે કુમારઘાટ ગામમાં ગઈ કાલે ‘ઉલટા રથયાત્રા’ (વળતી રથયાત્રા) અથવા ભગવાન જગન્નાથના રથને પરત લઈ જવાના ઉત્સવ વખતે વીજળીના જીવંત તારના સંપર્કમાં આવતાં બે બાળક સહિત સાત જણના મરણ થયા હતા અને બીજાં 16 જણ ઘાયલ થયા હતા.

તે દુર્ઘટના સાંજે 4.30 વાગ્યાના સુમારે બની હતી. વળતી રથયાત્રા ઉત્સવનું આયોજન ઈસ્કોન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમાં રથયાત્રા પર્વના એક અઠવાડિયા બાદ ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાનાં રથને એમનાં મૂળ સ્થાને લઈ જવામાં આવે છે.

લોખંડના બનાવેલા અને ફૂલોથી સુશોભિત રથને ખેંચવા માટે હજારો લોકો સામેલ થતાં હોય છે. પરંતુ કમનસીબે માર્ગમાં એક સ્થળે પડેલા 133 કિલોવોટના એક ઓવરહેડ જીવંત કેબલના સંપર્કમાં કેટલાંક લોકો આવી ગયા હતા. છ જણનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું જ્યારે એક જણે હોસ્પિટલમાં લઈ જતી વખતે રસ્તામાં દમ છોડ્યો હતો. મૃતકોમાં બે બાળક અને ત્રણ મહિલાનો સમાવેશ થાય છે. ત્રિપુરાના મુખ્ય પ્રધાન માનિક સહાએ આ દુર્ઘટનામાં મેજિસ્ટ્રેટ સ્તરે તપાસ કરાવવાનો આદેશ આપ્યો છે.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના ઉત્તર પ્રદેશમાં ધામા

ગયા વર્ષની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માટે પ્રચાર કરનાર શંકરસિંહ વાઘેલા 2024ની લોકસભા ચૂંટણી માટે વિપક્ષી એકતાના પ્રયાસો વચ્ચે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવને મળ્યા હતા. સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા અને ગુજરાતમાં કોંગ્રેસ વિધાનસભાના નેતા વાઘેલાએ ISCOને સૌજન્ય બેઠક ગણાવી હતી.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના ઉત્તર પ્રદેશમાં ધામા

હાલમાં વિપક્ષી દળોના ગઠબંધનના પ્રયાસો ચાલી રહ્યા છે જેના વચ્ચે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને નરેન્દ્ર મોદીના એક સમયના સાથી શંકરસિંહ વાઘેલા સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવને બુધવારે મળવા પહોંચ્યા હતા. સમાજવાદી પાર્ટી અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ સિપાહી શંકરસિંહે આ મુલાકાતને શિષ્ટાચાર ભેટ નામ આપ્યું છે. આ સાથે જ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને પણ મળ્યા હતા.

 

જાણો શંકરસિંહ વાઘેલાએ શું કહ્યું ?

વાઘેલાએ વાતચિતમાં કહ્યું કે, 2024ની લોકસભા ચૂંટણીમાં માત્ર સમાજવાદી પાર્ટી જ મહત્વની ભૂમિકા ભજવવા સક્ષમ છે. ઉત્તર પ્રદેશમાં માત્ર સમાજવાદી પાર્ટી જ ભાજપને પડકાર આપશે. શંકરસિંહ બઘેલા ગુજરાતના રાજકારણમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.વધુમાં શંકરસિંહ બઘેલાએ કહ્યું કે, હું અહીં શિષ્ટાચાર ભેટ માટે આવ્યો હતો, જો રાજનૈતિક વાત હશે તો જાણકારી જાહેર કરવામાં આવશે. સમાન નાગરિક સંહિતા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ટિપ્પણીને લઈને વાઘેલાએ કહ્યું કે, આ તેમની માર્કેટિંગની રીત છે બીજું કશું જ નથી.

અખિલેશ યાદવ અને શંકરસિંહ વાઘેલા વચ્ચેની મુલાકાતથી રાજકારણાં ગરમાવો

બસપા સુપ્રીમો માયાવતીએ પટનામાં વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં કટાક્ષ કર્યો અને ઉત્તર પ્રદેશનો ઉલ્લેખ કર્યો, તેમણે કહ્યું કે,વિપક્ષી દળોના વ્યવહારથી નથી લાગતું કે તેઓ ઉત્તર પ્રદેશમાં પોતાના ઉદ્દેશ્યને લઈને ગંભીર હોય. આવી સ્થિતિમાં વાઘેલા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની મુલાકાતને પણ રાજકીય મહત્વ માનવામાં આવે છે.


લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી મહત્વપૂર્ણ ખેલાડી

તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશએ રાજ્યોમાંથી એક છે જ્યાં સમાજવાદી પાર્ટી, બહુજન સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓની મહત્વકાંક્ષાઓ ટકરાઈ રહી છે. રાજ્યમાંથી મહત્તમ લોકસભા બેઠકો જીતવાના લક્ષ્યાંક માટે સમાજવાદી પાર્ટી અન્ય રાષ્ટ્રીય પક્ષોનું સમર્થન મેળવવા આતુર જણાય છે. હવે જોવાનું એ રહેશે કે શું સમાજવાદી પાર્ટી લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ સાથે કેટલી સીટો પર લડવા પર સહમત થાય છે. કોંગ્રેસની રાષ્ટ્રીય મહત્વાકાંક્ષાઓ માટે ઉત્તર પ્રદેશ એક ખૂબ જ મહત્વપૂર્ણ રાજ્ય છે, જ્યારે સમાજવાદી પાર્ટી પણ ત્યાં એક મહત્વપૂર્ણ ખેલાડી તરીકે ઉભરી આવવા આતુર છે. જેથી સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વાઘેલા વચ્ચેની મુલાકાત રાજકીય રીતે મહત્વની માનવામાં આવે છે.

સુશાંતસિંહ રાજપૂત મૃત્યુ કેસમાં પ્રાથમિક પુરાવા મળ્યા છેઃ ફડણવીસ

મુંબઈઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બોલીવુડ પ્રતિભાશાળી યુવા અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના શંકાસ્પદ મૃત્યુ કેસ અંગે મહત્ત્વનું અપડેટ આપ્યું છે. એમણે કહ્યું છે કે આ કેસમાં તપાસ હજી ચાલુ છે. કેટલાક પુરાવા મળ્યા છે અને તેની વિશ્વસનીયતાની ચકાસણી કરવામાં આવી રહી છે.

સુશાંતસિંહ 2020ની 14 જૂને બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરમાં તેના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. એ ડિપ્રેશનમાં હતો એવું કહેવાય છે. એના પરિવારજનોએ સુશાંતને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાનો, એની સાથે છેતરપિંડી કરવાનો અને એને ગેરકાયદેસર રીતે ગોંધી રાખવાનો અભિનેત્રી તથા એની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર આરોપ મૂક્યો છે.

સુશાંતસિંહ મૂળ બિહારનો હતો. તેના મૃત્યુના કેસની બિહાર પોલીસે 2020માં નોંધણી કરીને તપાસ શરૂ કરી હતી. પરંતુ તેની પાસેથી તપાસ સીબીઆઈએ પોતાને હસ્તક લઈ લીધી હતી. એ વાતને ત્રણ વર્ષ વીતી ગયા છે, પરંતુ સીબીઆઈએ ન તો હજી સુધી આરોપનામું નોંધાવ્યું છે કે ન તો કેસને બંધ કરી દીધો છે.

ફડણવીસે હાલમાં જ એક ન્યૂઝચેનલને કહ્યું હતું કે શરૂઆતમાં આ કેસમાં બધી કાને સાંભળેલી વાતો જ ચાલી હતી. ત્યારબાદ અમુક વ્યક્તિએ દ્રઢતાપૂર્વક કહ્યું હતું કે એમની પાસે આ કેસના સંદર્ભમાં પર્યાપ્ત પુરાવો છે. તેથી અમે એમની પાસે ગયા અને એમને વિનંતી કરી હતી કે તેઓ એ પુરાવો પોલીસને આપે. હાલ અમે તે પુરાવાની વિશ્વસનીયતાની ચકાસણી કરી રહ્યા છીએ. તપાસ હજી ચાલુ છે અને પ્રગતિના સ્તરે છે. તેથી આ વિશે હાલ કંઈ વધારે કહેવું ઉચિત નહીં કહેવાય.

સુશાંતસિંહના મૃત્યુના કેસમાં દીપિકા પદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન, દિગ્દર્શક સંજય લીલા ભણસાલી સહિત બોલીવુડની અનેક હસ્તીઓની પૂછપરછ કરવામાં આવી ચૂકી છે. આ કેસમાં કેફી પદાર્થના વ્યસનનો મુદ્દો પણ ચર્ચાયો છે. તેથી એનસીબી એજન્સીએ 2020ના સપ્ટેમ્બરમાં રીયા ચક્રવર્તીની ધરપકડ કરી હતી. તેના લગભગ એક મહિના બાદ કોર્ટે એને જામીન પર છોડી હતી.

અમેરિકામાંથી 1000થી વધુ વિદ્યાર્થીઓ પર ડિપોર્ટ થવાનું જોખમ

અમદાવાદઃ અમેરિકાની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા 1000 વિદ્યાર્થીઓ (મોટા ભાગના ગુજરાતીઓ)ને FBI ડિપોર્ટ (દેશનિકાલ) કરે એવી સંભાવના છે, કેમ કે આ વિદ્યાર્થીઓએ અમેરિકામાં પ્રવેશવા માટે (પરીક્ષા આપવા માટે) ખોટી રીતો અપનાવી છે.

મહેસાણા પોલીસ દ્વારા IELTS કૌભાંડમાં 42 લોકો પર કેસ નોંધ્યો છે, જ્યારે સાયબર સેલે ટોફેલ, IELTS, PTE અને GRE પરીક્ષાઓમાં હેરફેર કરવા બદલ ત્રણ લોકોની ધરપકડ કરી છે. અમેરિકાની યુનિવર્સિટીઓમાં એડમિશન માટે આ પરીક્ષાઓમાં પાસ થવું ફરજિયાત છે.   FBI એક-બે દિવસમાં શહેરમાં આ કૌભાંડને લઈને આવે એવી શક્યતા છે. FBIએ આ માટે 1000 વિદ્યાર્થીઓની યાદી બનાવીને સંપર્ક સાધ્યો છે.

આ કૌભાંડ સંદર્ભે ધરપકડ કરવામાં આવેલા ત્રણ લોકો છે મહેશ્વર ચેરલા, ચંદ્રશેખર કાર્લાપુડી –બંને આંધ્ર પ્રદેશના છે અને હાલમાં તેઓ વડોદરામાં રહે છે અને ત્રીજી વ્યક્તિ સુરતના મોટા વરાછાની સાગર હીરાની છે. પોલીસે આ આરોપીઓ પાસેથી પાંચ લેપટોપ, ત્રણ CPU અને સાત મોબાઇલ જપ્ત કર્યા છે. આ આરોપીઓ ઉચ્ચ શિક્ષિત છે. તેઓ અમેરિકા જવા ઇચ્છતા વિદ્યાર્થી પાસેથી પરીક્ષામાં પાસ કરાવવા માટે રૂ. 70,000 વસૂલતા હતા અને એમાં પણ રૂ. 19,000 એડવાન્સ લેતા હતા, એમ DCP અજિત રાજિયને જણાવ્યું હતું.

જોકે આરોપીઓએ એક વિદ્યાર્થીને GRE પરીક્ષા માટે કેન્દ્રની જાણ કરી હતી, પણ એ કેન્દ્ર એક હોટેલનું નીકળતાં આ વિદ્યાર્થીએ પોલીસને એ વિશે જાણ કરી હતી. એ બાદ આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

 

 

શિખર ધવન ફરીથી ટીમ ઈન્ડિયાની કમાન સંભાળશે, આ ટૂર્નામેન્ટ દ્વારા કરશે વાપસી

લાંબા સમયથી ભારતીય ટીમની બહાર રહેલા ડાબા હાથના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનને હવે મોટી જવાબદારી મળવાની આશા છે. ધવન 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધી ચીન દ્વારા આયોજિત થનારી એશિયન ગેમ્સમાં ભારતીય પુરૂષ ટીમની કેપ્ટનશીપ સંભાળતો જોવા મળી શકે છે. આ વખતે, એશિયન ગેમ્સને લઈને, બીસીસીઆઈ દ્વારા પહેલાથી જ પુષ્ટિ કરવામાં આવી છે કે ક્રિકેટ ઈવેન્ટમાં પુરુષ અને મહિલા બંને ટીમો ભાગ લેશે.

લાંબા સમયથી ભારતીય ટીમની બહાર રહેલા ડાબા હાથના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનને હવે મોટી જવાબદારી મળવાની આશા છે. ધવન 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધી ચીન દ્વારા આયોજિત થનારી એશિયન ગેમ્સમાં ભારતીય પુરૂષ ટીમની કેપ્ટનશીપ સંભાળતો જોવા મળી શકે છે. આ વખતે, એશિયન ગેમ્સને લઈને, બીસીસીઆઈ દ્વારા પહેલાથી જ પુષ્ટિ કરવામાં આવી છે કે ક્રિકેટ ઈવેન્ટમાં પુરુષ અને મહિલા બંને ટીમો ભાગ લેશે.

ગો ફર્સ્ટે 6 જુલાઈ સુધી ફ્લાઈટ્સ રદ કરી

નાણાકીય કટોકટીનો સામનો કરતી સ્થાનિક એરલાઇન્સ, ગો ફર્સ્ટ એ 6 જુલાઈ 2023 માટે તેની ફ્લાઇટ્સ રદ કરી છે. 3 મે પછી આ 12મી વખત છે જ્યારે GoFirstએ તેની ફ્લાઇટ્સ રદ કરી છે. અગાઉ એરલાઈન્સે 30મી જૂન સુધી ફ્લાઈટ્સ કેન્સલ કરી હતી.

GoFirstએ કહ્યું કે અમે સમજીએ છીએ કે ફ્લાઈટ્સ કેન્સલ થવાથી તમારી ટ્રાવેલ પ્લાનને અસર થઈ છે. અમે તમને ગમે તે રીતે મદદ કરવા માટે સમર્પિત છીએ. જેમ તમે જાણો છો, કંપનીએ તાત્કાલિક કામગીરી શરૂ કરવા અને રિઝોલ્યુશન માટે અરજી કરી છે. અમને આશા છે કે ટૂંક સમયમાં બુકિંગ શરૂ કરી શકીશું

નાણાકીય કટોકટીનો સામનો કરતી સ્થાનિક એરલાઇન્સ, ગો ફર્સ્ટ એ 6 જુલાઈ 2023 માટે તેની ફ્લાઇટ્સ રદ કરી છે. 3 મે પછી આ 12મી વખત છે જ્યારે GoFirstએ તેની ફ્લાઇટ્સ રદ કરી છે. અગાઉ એરલાઈન્સે 30મી જૂન સુધી ફ્લાઈટ્સ કેન્સલ કરી હતી. GoFirstએ કહ્યું કે અમે સમજીએ છીએ કે ફ્લાઈટ્સ કેન્સલ થવાથી તમારી ટ્રાવેલ પ્લાનને અસર થઈ છે. અમે તમને ગમે તે રીતે મદદ કરવા માટે સમર્પિત છીએ. જેમ તમે જાણો છો, કંપનીએ તાત્કાલિક કામગીરી શરૂ કરવા અને રિઝોલ્યુશન માટે અરજી કરી છે. અમને આશા છે કે ટૂંક સમયમાં બુકિંગ શરૂ કરી શકીશું.

PM બનવા માટે લાલુ, રાહુલ ગાંધીની આગળપાછળ ફરતા નીતીશકુમારઃ શાહ

લખીસરાયઃ ગૃહપ્રધાન અમિત શાહ હાલમાં બિહારના પ્રવાસે છે. તેમણે અહીં જનસભાને સંબોધિત કરી હતી. તેમણે નીતીશકુમારની તીખી આલોચના કરી હતી. શાહે નીતીશકુમારને પલટુ બાબુ કહીને ટોણો માર્યો હતો. તેમણે આ જનસભા મોદી સરકારના નવ વર્ષ પૂરાં થવા પર સરકારની ઉપલબ્ધિ જણાવવા કરી હતી. તેમણે કહ્યું હતું કે પલટુ બાબુ નીતીશકુમાર પૂછી રહ્યા હતા કે નવ વર્ષમાં શું કર્યું?

નીતીશબાબુ, વડા પ્રધાન મોદી આ નવ વર્ષમાં અનેક કામો કર્યાં છે. મોદીના નવ વર્ષ ગરીબ કલ્યાણ, ભારત ગૌરવ અને ભારતની સુરક્ષાનાં નવ વર્ષ છે. તેમણે કહ્યું હતું કે 86 લાખ બિહારના ખેડૂતોએ લાભ લીધો છે. 33 કરોડ જનતાના ઘરમાં નલ સે જળ પહોંચાડવામાં આવ્યું છે. કરોડો લોકોએ આયુષ્માન યોજનાનો લાભ લીધો છે. 1.30 કરોડ લોકોને શૌચાલય આપવામાં આવ્યાં છે. 37 લાખ લોકોને ઘર આપવામાં આવ્યાં છે. નીતીશબાબુ હિસાબ પૂછી રહ્યા છે, તેઓ આંકડાઓ જોઈ લે.

તેમણે કહ્યું હતું કે 23 જૂને પટનામાં આશરે 21 વિરોધ પત્રો એકત્ર થયા હતા. આ બેઠક ભાજપને 2024માં સત્તા પર આવવાથી રોકવા માટે હતી. આ બેઠક પર ટોણો મારતાં તેમણે કહ્યું હતું કે PM બનવા માટે નીતીશ કુમાર કોંગ્રેસના દરવાજે બેઠા છે. જે નેતા વારંવાર ઘર બદલે છે, એના પર વિશ્વાસ કેવી રીતે કરી શકાય? આવી વ્યક્તિના હાથમાં બિહાર સોંપી શકાય? એવો સવાલ તેમણે કર્યો હતો.

 

 

 

 

તમિલનાડુના ગવર્નરે મંત્રી વી સેંથિલ બાલાજીની હકાલપટ્ટી કરી

તમિલનાડુના રાજ્યપાલ આરએન રવિએ ગુરુવારે (29 જૂન) ના રોજ જેલમાં બંધ મંત્રી વી. સેંથિલ બાલાજીને મંત્રી પરિષદમાંથી બરતરફ કર્યા. તમિલનાડુ રાજ ભવને એક નિવેદન જારી કરીને કહ્યું કે મંત્રી વી સેંથિલ બાલાજી મની લોન્ડરિંગ અને મની લોન્ડરિંગ સહિત અનેક ભ્રષ્ટાચારના કેસોમાં ગંભીર ફોજદારી કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. આ સંજોગોમાં રાજ્યપાલે તેમને તાત્કાલિક અસરથી મંત્રી પરિષદમાંથી બરતરફ કરી દીધા છે.


આ મામલે તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને કહ્યું કે રાજ્યપાલને કોઈ પણ મંત્રીને કેબિનેટમાંથી બરતરફ કરવાનો કોઈ અધિકાર નથી, અમે કાયદાકીય રીતે આ મુદ્દાનો સામનો કરીશું. તે જ સમયે, રાજભવનના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે થિરુ વી. સેંથિલ બાલાજી મંત્રી તરીકેના તેમના પદનો દુરુપયોગ કરી રહ્યા છે, તપાસને પ્રભાવિત કરી રહ્યા છે અને કાયદા અને ન્યાયની યોગ્ય પ્રક્રિયાને અવરોધે છે. તેની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અને ભારતીય દંડ સંહિતા હેઠળ કેટલાક વધુ ફોજદારી કેસોની રાજ્ય પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

તમિલનાડુ રાજભવને બીજું શું કહ્યું?

રાજભવન વતી, એવું કહેવામાં આવ્યું હતું કે એવી આશંકા છે કે મંત્રી પરિષદમાં થિરુ વી. સેંથિલ બાલાજીનું ચાલુ રહેવાથી ન્યાયી તપાસ સહિત કાયદાની યોગ્ય પ્રક્રિયાને પ્રતિકૂળ અસર થશે, જે રાજ્યમાં બંધારણીય તંત્રને તોડી શકે છે. . આ સંજોગોમાં રાજ્યપાલે થિરુ વી. સેંથિલ બાલાજીને તાત્કાલિક અસરથી મંત્રી પરિષદમાંથી બરતરફ કરી દીધા છે.


EDએ સેંથિલ બાલાજીની ધરપકડ કરી છે

નોંધનીય છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 14 જૂને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ સેંથિલ બાલાજીની ધરપકડ કરી હતી. બાદમાં તપાસ દરમિયાન અસ્વસ્થતા અને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો.

જ્યુડિશિયલ કસ્ટડી 12 જુલાઈ સુધી લંબાવી છે

ત્યારબાદ સેંથિલ બાલાજીને કાવેરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની બાયપાસ સર્જરી કરવામાં આવી હતી. ચેન્નઈની એક કોર્ટે બુધવારે સેંથિલ બાલાજીની ન્યાયિક કસ્ટડી 12 જુલાઈ સુધી લંબાવી છે. મંત્રી હોસ્પિટલમાંથી વીડિયો કોન્ફરન્સ દ્વારા કોર્ટમાં હાજર થયા હતા.

ધરમશાલા સ્ટેડિયમ વર્લ્ડ કપ-2023ની પાંચ મેચ યોજવા સજ્જ

ધરમશાલા (હિમાચલ પ્રદેશ): ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) યોજિત ODI વર્લ્ડ કપ-2023 સ્પર્ધાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. સ્પર્ધા આ વર્ષની પાંચ ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાશે. હિમાચલ પ્રદેશનું ધરમશાલા નગર સ્પર્ધાની પાંચ મેચ યોજવાનું છે. અહીંના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએસન (એચપીસીએ) સ્ટેડિયમમાં 22 ઓક્ટોબરે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ યોજાશે. અન્ય ચાર મેચો છેઃ 7 ઓક્ટોબર બાંગ્લાદેશ વિરુદ્ધ અફઘાનિસ્તાન), 10 ઓક્ટોબર ઈંગ્લેન્ડ વિરુદ્ધ બાંગ્લાદેશ, 17 ઓક્ટોબર સાઉથ આફ્રિકા વિરુદ્ધ ક્વાલિફાયર ટીમ અને 28 ઓક્ટોબર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ.

પોતાને પાંચ મેચ ફાળવવા બદલ એસોસિએશને તેના ભૂતપૂર્વ પ્રમુખ અને હાલના કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુર, બીસીસીઆઈના પ્રમુખ રોજર બિન્ની અને સેક્રેટરી જય શાહનો આભાર માન્યો છે.

ધરમશાલા દુનિયાના સૌથી સુંદર ક્રિકેટ મેદાન તરીકે જાણીતું થયું છે. અહીંનું આઉટફિલ્ડ કૃત્રિમ ઘાસ વડે તૈયાર કરવામાં આવ્યું છે. તેથી હવે અહીં ગમે તેટલો પણ વરસાદ પડે તોય મેચ 15 મિનિટમાં જ ફરી શરૂ કરી શકાય છે. દુનિયાના ઘણા સ્ટેડિયમોમાં તો પિચ પર કવર્સ ઢાંકવામાં અને વરસાદ રહી જાય એટલે કવર્સને હટાવી દેવામાં જ આટલી મિનિટો લાગતી જતી હોય છે. ચીફ ક્યૂરેટર દ્વારા મેદાન પર 9 પિચ તૈયાર કરવામાં આવી છે.

વડાપ્રધાનએ રણછોડભાઈ પગીની શૌર્ય ગાથાની કરી પ્રશંસા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૯૬૫ અને ૧૯૭૧ના યુધ્ધ દરમિયાન કચ્છના રણમાં ભારતીય સેના માટે ગાઈડની ભૂમિકા ભજવનાર જાંબાઝ રણછોડભાઇ પગીની વીરતાને બિરદાવી  છે.

શ્રી વડવાળા મંદિર દૂધરેજ ધામના મહંત શ્રી કનીરામદાસજી મહારાજે લખેલા પત્રનો  જવાબ આપતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે સાધારણ  સંજોગોમાંથી આવતા અસાધારણ નાયકોના શૌર્યનું ઉચિત સન્માન થાય તે તેમની સરકારની પ્રાથમિકતા  રહી છે. એમણે ઉમેર્યું કે  એ જરૂરી છે કે આવા લોકોની જીવન ગાથા પ્રજા સામે આવે જેથી આવનારી પેઢી એમની વીરતા, એમના સાહસ અને પરાક્રમમાંથી  પ્રેરણા લઇ શકે. એમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આઝાદીના અમૃત કાલખંડમાં  પોતાના વારસા, આપણા નાયકો માટે ગૌરવ અનુભવી દેશ નિરંતર આગળ વધી રહ્યો છે.

રણછોડભાઈ પગી ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધના એ ગુમનામ  નાયકોમાંના એક છે જેની આજની પેઢીને જાણકારી નથી. એમની પાસે એક ખાસ હુન્નર હતું જેના કારણે એમણે બંને યુધ્ધોમાં  અગત્યની ભૂમિકા ભજવી. રણછોડભાઈ પગી  કચ્છના રણમાં ઊંટના પગના નિશાન જોઇને જણાવી દેતા કે ઊંટ પર કેટલા લોકો સવાર છે, એટલું જ નહીં માણસના પગન નિશાન જોઈ એમના કદ કાઠી વિષે પણ તેઓ જાણકારી આપી શકતા હતા. એમની આ વિલક્ષણ પ્રતિભાને કારણે એમણે  ભારતીય સેના માટે આ યુદ્ધોમાં ગાઈડની ભૂમિકા નિભાવી અને દુશ્મનોની હિલચાલની  જાણકારી આપતા રહેતા.

આવા નાયકોની પ્રેરક ગાથાઓ સમાજ સમક્ષ ઉજાગર કરવાના ભાગરૂપે ગુજરાતના   શાળા પાઠ્યપુસ્તકમા રણછોડભાઈ પગીની જીવનગાથાને  સમાવવામાં આવી છે. સરકાની આ પહેલને બિરદાવતાં શ્રી વડવાળા મંદિર દૂધરેજ ધામના મહંત શ્રી કનીરામદાસજી મહારાજે તાજેતરમાં  પત્ર લખ્યો હતો. એમણે કહ્યું કે રણછોડભાઈ પગીના પ્રેરક જીવનને પાઠ્યપુસ્તકમાં સામેલ કરવાથી ભાવી પેઢી સુધી તેમની શૌર્યગાથાની જાણકારી સરળતાથી  પહોંચશે. વીર નાયકોની આવી ગાથાઓ બાળકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત કરી ભવિષ્યના જવાબદાર નાગરિક બનાવવામાં મદદરૂપ નીવડશે.