ઇસ્લામાબાદ: પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે પોતાની લાચારી વ્યક્ત કરતાં કહ્યું છે કે જ્યારે તેમને પોતાના દેશ માટે વિશ્વમાં કર્જ (લોન) માગવા ફરવું પડે છે, ત્યારે તેમને ભારે શરમ અનુભવે છે. તેમણે જણાવ્યું હતું કે ફીલ્ડ માર્શલ આસિમ મુનીર સાથે મળીને વિદેશી મદદ માગવી દેશના આત્મસન્માનને ઠેસ પહોંચાડે છે.
ઇસ્લામાબાદમાં મોટા નિકાસકારો અને વેપારીઓ સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું છે કે કર્જનો ભાર દેશની ગૌરવ અને પ્રતિષ્ઠા પર ભારે પડી રહ્યો છે અને હવે નવી આર્થિક યોજનાઓની જરૂર છે.
અમે ઘણી બાબતોને ના પણ કહી શકતા નથી
તેમણે કહ્યું હતું કે જ્યારે ફીલ્ડ માર્શલ આસિમ મુનીર અને હું વિશ્વમાં ફરીને પૈસાની ભીખ માગીએ છીએ, ત્યારે અમને બહુ શરમ લાગે છે. કર્જ લેવું આપણા આત્મસન્માન પર ભારે બોજ છે. અમે શરમથી માથું ઝુકાવીએ છીએ. તેઓ જે કેટલીક બાબતો કહે છે, જેને અમે કરવા નથી ઈચ્છતા, તેને પણ અમે ના કહી શકતા નથી.
પાકિસ્તાન પોતાના દેશના ખર્ચ ચલાવવા માટે મોટા પાયે IMFની મદદ પર નિર્ભર છે અને પહેલેથી જ ભારે કર્જમાં હોવા છતાં વધુ કર્જ લેવાની કોશિશ કરી રહ્યું છે.

શહબાઝે ચીન અને આરબ દેશોની કરી પ્રશંસા
શહબાઝ શરીફે પાકિસ્તાનને ‘હંમેશાં સાથે આપનારા મિત્ર’ ચીનની પ્રશંસા કરી તેમ જ સાઉદી અરેબિયા, યુએઈ અને કતારનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું હતું કે આ દેશો સારા અને ખરાબ બંને સમયમાં પાકિસ્તાનનો સાથ આપે છે, ભલે પરિસ્થિતિ જેવી પણ હોય.
પાકિસ્તાનની આર્થિક મદદ મોટા ભાગે આ દેશો પર નિર્ભર છે, જે વિદેશી ચલણ ભંડારને સ્થિર રાખવામાં અને દેશને દેવાળિયું થવાથી બચાવવામાં મદદ કરે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ચીન અને આરબ દેશોએ પાકિસ્તાનને ભારે કર્જ આપ્યું છે અને આ જ કારણ છે કે પાકિસ્તાન કોઈ પણ કિંમતે આ દેશોના વિરોધમાં બોલતું નથી.





લગા’ ને છેલ્લી ઘડીએ ઉમેરવામાં આવ્યું હતું. બાબા આઝમીની કલાત્મક દૃષ્ટિ અને સરોજ ખાનની કોરિયોગ્રાફીને કારણે જ આ ગીત આટલું આઇકોનિક બની શક્યું હતું. ‘ધક ધક કરને લગા’ નું શૂટિંગ ઉતાવળમાં થયું હતું. કેમ કે ગીત છેલ્લી ઘડીએ ઉમેરાયું હતું. માધુરી પાસે માત્ર 3 દિવસ હતા. તેણે બીજી ફિલ્મની સાથે આ ગીત માટે ડબલ શિફ્ટ કરી હતી.







નવી દિલ્હીના રાષ્ટ્રીય રંગશાળા શિબિર ખાતે પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો હતો. જેમાં કેન્દ્રિય રાજ્ય રક્ષામંત્રી સંજય સેઠના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્ય વતી મુખ્યમંત્રીના અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે અને માહિતી કમિશનર કિશોર બચાણીએ તેનો સ્વીકાર કર્યો હતો. આ સાથે જ ટેબ્લો નિર્માણની પ્રક્રિયા સમયે રાષ્ટ્રીય રંગશાળા ખાતે યોજાયેલી વિવિધ રાજ્યોના કલાકારો દ્વારા સાંસ્કૃતિક નૃત્યોની સ્પર્ધામાં ગુજરાતના નૃત્યને પ્રોત્સાહક ઈનામ પ્રાપ્ત થયું હતું. ‘સ્વતંત્રતા કા મંત્રઃ વંદે માતરમ’ વિષય આધારિત ચાલુ વર્ષનો ટેબ્લો ગુજરાત સરકારની માહિતી કમિશનર કચેરી દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો.



