નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 95 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે બે જણનાં મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,93,766 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,31,900 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,60,082 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 95 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1784એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 61,201 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.20 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,35,342 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 375 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
આજે વાત કરવી છે માનવજાતને મળેલી એક એવી અમૂલ્ય સંપત્તિની, જે આપણે ન તો કોઈને દાન, ભેટ કે વારસામાં નથી આપી શકતા કે ન તો ઉછીની મળે છે. એ ખરીદી કે વેચી પણ નથી શકાતી. એને બૅંકમાં પણ સાચવી નથી શકાતી. તેનો કેવળ ઉપયોગ જ કરવો પડે. જો ન કરીએ તો આપમેળે ખર્ચાઈ જાય. આ અતિ મૂલ્યવાન સંપત્તિ એટલે સમય.
મહામનિષી ચાણક્ય કહેતા કે, જિંદગીની વીતી ગયેલી પળ એક કરોડ સોનામહોર આપવાથી પણ પાછી મળતી નથી. ખરેખર, સમયનું મૂલ્ય સમજી વિશ્વના સર્વે મહાપુરુષોએ ટાણે તેનો યોગ્ય વિનિમય કરી મહત્તમ લાભ પ્રાપ્ત કરવાની અનુભવપૂર્ણ શિખામણ સમાજને આપી છે. જે વ્યક્તિના જીવનઘડતરમાં પ્રગતિનો પથ અજવાળે છે.
સમય રૂપી મૂડી દરેક પાસે સરખી જ છે. તેનો બુદ્ધિપૂર્વક ઉપયોગ કરનાર જિંદગીમાં બાજી મારી ગયા. આ જ ભેદ છે સામાન્ય અને અસામાન્ય વ્યક્તિ વચ્ચેનો. મહાન વ્યક્તિઓએ સમયને સંપત્તિ ગણી તેનો આયોજનપૂર્વક અને સમજદારીથી ઉપયોગ કર્યો, જેના ફ્ળસ્વરૂપે તેઓ સફ્ળતાનાં શિખર સર કરે છે. સમયનો સદુપયોગ એટલે ચોકસાઈ અને પ્રામાણિકતાથી ખટકો રાખી ખંતપૂર્વક કાર્ય કરવામાં ખર્ચેલો સમય, જેનું પરિણામ અકલ્પનીય હોય છે.
હેન્રી વર્ડ્સવર્થ લોંગફેલો નામના પ્રસિદ્ધ અમેરિકન કવિ અને શિક્ષણશાસ્ત્રીને કૉફી બનાવતાં દસ મિનિટ થતી. ચૂલા ઉપર કૉફી મૂકી તેઓ પુસ્તકનું ભાષાંતર કરવા માંડે. કૉફી તૈયાર થાય ત્યાં સુધીમાં અડધા પાનાનું ભાષાંતર થઈ જાય. આવી જ રીતે સમયનો ઉપયોગ કરીને લોંગફેલોએ ‘ઈન્ફર્નો’ નામના પુસ્તકનો અંગ્રેજી અનુવાદ કરેલો.
પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ નાના-નાના સમયનો ઉપયોગ કરવામાં કુશળ હતા. મૉર્નિંગ વૉક લેતાં એ સંતો-ભક્તોને સાથે રાખીને ચાલતાં-ચાલતાં તેમના પ્રશ્નો કે વાત સાંભળી લેતા. ક્યારેક ભોજન સમયે જ સત્સંગ સંબંધી રિપોર્ટ કે વિશિષ્ટ પ્રસંગોની વાત સંતો પાસેથી સાંભળી લેતા. આવું કરવામાં તેમને ભ્રમણ કે ભોજનના કાર્યમાં સહેજ પણ વિક્ષેપ થતો નહીં.
એક ઉક્તિ છેઃ સમય અને ભરતી કોઈની રાહ જોતાં નથી. જો આપણે સમય નહીં વાપરીએ તો તે સ્વયં વપરાઈ જશે. અ સ્ટિચ ઈન ટાઈમ, સેવ્સ નાઈન અર્થાત્ યોગ્ય સમયે લેવામાં આવેલો એક ટાંકો બીજા નવ ટાંકા બચાવે છે, અને ટાણે ન થયેલું કામ ઘણા પ્રશ્નોની ભેટ આપે છે. વર્તમાન સમયમાં પ્રત્યેક વ્યક્તિ ખૂબ વ્યસ્ત હોવાની માનસિક ભ્રમણામાં ઘેરાયેલા જોવા મળે છે. તેના દૈનિક જીવનમાં કાંઈક અલગ કે વિશેષ કામ માટે વાત આવશે તો કહેશે મને સમય જ ક્યાં મળે છે? પરંતુ, આ જ મહાશયના ઘણા કલાકો મોબાઈલ, વૉટ્સઍપ, ઈન્ટરનેટ, ટીવી જોવામાં વેડફાઈ જતા હોય છે. આ જ બતાવે છે કે સમય નથી મળતો એ દલીલ બોદી છે.
વેડફાતા સમય માટે આધુનિક માનવ સભાન નથી. તે એક પ્રકારની જાત સાથેની છેતરપિંડી છે. વાસ્તવમાં તો દાનતનો અભાવ હોય છે. પ્રબળ ઈચ્છાશક્તિ અને દાનત હોય તો સમયનો અભાવ આડે આવતો નથી. શેક્સપિયર કહેતા કે જે સમયને બરબાદ કરે છે તેને સમય બરબાદ કરે છે. ઘડિયાળના કાંટાને ક્યારેય અટકાવી શકાય નહીં માટે સમયરૂપી સંપત્તિનો મહત્તમ લાભ મળે તે માટે વ્યવસ્થિત ઢબે આયોજન કરવું જોઈએ. આ આયોજન એટલે જ ટાઈમ મૅનેજમેન્ટ. સફ્ળતા માટે વર્તમાન સમયની આ એક ગુરુચાવી છે.
પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે ‘ઘીની તાવણી અને અષાઢી બીજની વાવણીમાં મુહૂર્ત જોવાનું ન હોય.’ તો આવો, તેજીને ટકોરો તેમ જીવનઘડતર અને સુખી ભવિષ્ય માટે સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો દૃઢ સંકલ્પ કરીએ. મોબાઈલ, ઈન્ટરનેટ અને ટીવીના સકંજામાંથી સમયનું રક્ષણ કરીને કારકિર્દીનું શ્રેષ્ઠ આયોજન કરીએ.
(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)
મધ્ય મુંબઈના મુંબઈ સેન્ટ્રલ ઉપનગરમાં આવેલી વોખાર્ટ હોસ્પિટલે 21 જૂન, બુધવારે ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની અનોખી રીતે ઉજવણી કરી હતી. ત્યાં ડોક્ટરો, નર્સો, સપોર્ટ સ્ટાફ માટે સંગીતની ધૂનના સથવારે યોગવિદ્યા સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. વ્યક્તિને સંગીત અને કસરતના મિશ્રિત લાભ પ્રાપ્ત થાય એ માટે સંગીતમય યોગ સત્ર યોજવામાં આવ્યું હતું. જાણીતાં યોગ થેરાપિસ્ટ વૃંદા ઠક્કરે આ એક-કલાકના સત્રનું આયોજન કર્યું હતું.
વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ જો બાઈડન અને એમના પત્ની ફર્સ્ટ લેડી જિલ બાઈડને બુધવારે સાંજે (ભારતીય સમય મુજબ ગુરુવારે સવારે) અત્રે એમનાં સત્તાવાર નિવાસસ્થાન વ્હાઈટ હાઉસ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. વ્હાઈટ હાઉસ દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, બાઈડને મોદીજીના માનમાં વ્હાઈટ હાઉસ ખાતે ખાનગી ડિનરનું આયોજન કર્યું હતું. એમની સાથે યૂએસ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન અને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
બાઈડન દંપતી અને મોદીજી વચ્ચે વિશેષ ભેટસોગાદની આપ-લે થઈ હતી. મોદીએ ફર્સ્ટ લેડી જિલને 7.5 કેરેટનો ગ્રીન ડાયમંડ ભેટમાં આપ્યો હતો. આ હીરો પર્યાવરણને અનુકૂળ છે, કારણ કે એના નિર્માણમાં સૌર અને પવન ઊર્જા જેવા પર્યાવરણ-વિવિધ સંસાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મોદીએ પ્રમુખ બાઈડનને કોલકાતાના કારીગરોએ બનાવેલી ભગવાન ગણેશની એક મૂર્તિ અને ચાંદીનો દીવડો, રાજસ્થાનમાં હાથથી બનાવેલા 24-કેરેટ હોલમાર્કવાળા સોનાના સિક્કા સહિત 10 ચીજ ગિફ્ટમાં આપી છે. મોદીએ બાઈડનને કર્ણાટકના મૈસુરુના કારીગરોએ ચંદન (સુખડ)ના લાકડામાંથી બનાવેલું એક વિશિષ્ટ બોક્સ પણ ગિફ્ટમાં આપ્યું હતું. એમાં ચાંદીની 10 નાની ડબ્બીઓ અને ભગવાન ગણપતિની મૂર્તિ અને ચાંદીનો એક દીવો પણ છે. મોદીએ બાઈડનને બીજી અનેક ચીજો પણ ભેટમાં આપી હતી, જેમાં પંજાબનું ચોખ્ખું ઘી, મહારાષ્ટ્રમાં નિર્મિત ગોળ, ઉત્તરાખંડના ચોખા, તામિલનાડુનું તેલ, ગુજરાતનું નમક (મીઠું), પશ્ચિમ બંગાળના કારીગરોએ બનાવેલું ચાંદીનું નાળિયેર સમાવેશ થાય છે. બાઈડનને તે ઉપરાંત અંગ્રેજી કવિ ડબલ્યુ.બી. યીટ્સના અનુવાદ પુસ્તકની પ્રથમ આવૃત્તિ પણ ભેટમાં આપી છે. યીટ્સ 80 વર્ષીય બાઈડનના ફેવરિટ કવિ છે. તેઓ એમના સંબોધનમાં અવારનવાર યીટ્સની પંક્તિઓનો ઉલ્લેખ કરતા હોય છે.
જિલ બાઈડને મોદીને 20મી સદીના આરંભની એક હસ્તનિર્મિત અમેરિકી પુસ્તક ગેલી ભેટ આપી છે. તો પ્રમુખ બાઈડને એમને વિન્ટેજ અમેરિકન કેમેરા આપ્યો છે. તે ઉપરાંત અંગ્રેજી કવિ રોબર્ટ ફ્રોસ્ટના હસ્તાક્ષર સાથે એમના કાવ્યસંગ્રહનું પુસ્તક પણ ભેટમાં આપ્યું છે.
આજનો તમારો દિવસ સારો છે ઉત્સાહ તમારા વર્તનમાં જ દેખાઈ આવે, તમારા ધાર્યા કામ થઈ શકે છે , વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, કોઈ ધાર્મિકપ્રસંગકે સ્થળ પર જવાના યોગ છે, કોઈ સદ્કાર્યકે દાન કરવાની ઈચ્છા હોય તેપણ ફળીભૂત થવાથી ખુશીની સારી લાગણી અનુભવી શકો.
આજનો દિવસ સામાન્ય છે તમારા કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત થઇ શકે અને તેમાં પ્રવાસનું આયોજન થઈ શકે છે, ક્યાંક નાણાકીયખર્ચ થાય, પ્રિયજન સાથે કોઈબાબતમાં વાર્તાલાપમાં બાંધછોડ કરવાની વૃત્તિ તમને લાભ અપાવી શકે છે, વેપારમાં ગણતરી પૂર્વકનુજ કામકાજ કરવું ઇચ્છનીય છે.
આજના દિવસે સાવચેતી રાખવી અને કોઇપણ પ્રકારના વાદવિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, મુસાફરી કંટાળાજનક અને સમયનાવ્યય વાળી બની શકે છે, વાહન ધીમે ચલાવવું, વેપારમાં જોખમથી દુર રહેવું, શકય હોયતો ભક્તિમાં સમય વધુ ફાળવવો ઇચ્છનીય છે, એકંદર દિવસ શાંતિથી પસાર કરવો સારો.
આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસતા જોવા મળે અને પરિણામે કામપ્રત્યેનો અણગમો અને માનસિકથાકની લાગણી અનુભવાય, ક્યાંકને ક્યાંક ધીરજનો અભાવ વધુ વર્તાય. અગત્યના કામની વાતચીતમાં ધીરજ અને ગણતરીપૂર્વક કામ કરવું યોગ્ય કહી શક્ય, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે.
આજનો દિવસ સરસ છે તમારામાં આત્મવિશ્વાસ સારો જોવા મળે, ભૂતકાળના કોઈ કામની કદર થાય તેમાં તમને સારા સંતોષની લાગણી અનુભવો, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે આજે વધુ મેહનતથી સારા ફળ મળે તેવી આશા રાખી શકાય. વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઇ શકે છે.
આજના દિવસે સાવચેતી રાખવી અને તેમાં પણ વાણીસયમ રાખવો જરૂરી છે, હિતશત્રુથી સજાગ રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારમાં જોખમથી દુર રહેવું, પ્રિયજન સાથે કોઈપણ બાબતપર વાદવિવાદ કરવો ઇચ્છનીય નથી કેમકે તેમની લાગણી દુભાઈ શકે છે, મનને એકાગ્ર કરવાથી શાંતિ અનુભવી શકશો.
આજનો દિવસ સારો છે, તમે તમારા પ્રિયજનને સારીરીતે કોઈબાબતમાં ખુશ કરી થોડું ધાર્યું કામ કરાવી લો તેવું બનવા જોગ છે, વેપારમાં અનુભવ મુજબ કામ લાભ કરાવી શકે છે, નજીકના કોઈ ધાર્મિકસ્થળ કે પ્રસંગમાં જવાથી તમને જૂનીઓળખાણ કે જુનાસ્મરણો તાજા થાય તેવું બની શકે છે.
આજનો દિવસે શાંતિ અને સાવચેતી રાખવી તેમાંપણ ખાસ ગુસ્સાને કાબુમાં રાખવો અને વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારમાં જોખમન કરવું, પ્રિયજન સાથે કોઈવાત બાબત દલીલબાજીન કરવી, ધાર્મિકબાબતમાં મન સ્થિર રાખશોતો શાંતિ સારી રહેશે.
આજનો દિવસ સરસ છે અને તેમાં પણ ભાગ્ય સાથ આપે તેવું કયાંક બની શકે, વેપારમાં લાભ થઈ શકે છે, ધાર્મિકપ્રસંગકે ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે અને તેમાં કોઈ સદ્કાર્ય કરવાની ભાવના જાગે, જૂનીઓળખાણ તાજી થાય, તમારી પરોપકાર કરવાની વૃતી આજે વધુ જોવા મળી શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, નાનાકામમાં દિવસ પસાર થઇ જાય તેમજ કામકાજ બાબત વડીલકે ઉપરી અધિકારી સાથે વાદવિવાદના કરવો. વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાયકે અપશબ્દ પ્રયોગના થાયતે બાબત ધ્યાન રાખવું જરૂરી છે, વેપારમાં નાનું કામ કરવું, શાંતિથી દિવસ પસાર કરવો.
આજનો દિવસ સામાન્ય છે, મિત્રો,પરિચિતો સાથે નવીનકાર્યનું આયોજન થઇ શકે છે તેમજ પ્રવાસ પણ ક્યાંક થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારું રહે, વેપારમાં નાનું કામજ કરવું યોગ્ય કહી શકાય., આજે તમારામાં ધાર્મિકભાવના વધુ જોવા મળે અને ભક્તિ અને દાન કર્મ કરવા મન પ્રેરાય તેવું બની શકે છે.
આજનો દિવસે ધીરજ અને સાવચેતી રાખવી, તમને નકારત્મકવિચાર વધુ આવી શકે છે, વિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, પાડવા-વાગવાથી સાચવવું, ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, અગત્યની વાતચીતમાં વ્યવહારુ અભિગમ રાખવો ઇચ્છનીય છે, વેપારમાં જોખમથી દુર રહેવું.
આગામી હિન્દી ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’ના ગીત ‘સુન સજની’ને નિર્માતાઓએ 21 જૂન, બુધવારે મુંબઈમાં મિડિયાકર્મીઓ સમક્ષ લોન્ચ કર્યું હતું. એ પ્રસંગે ફિલ્મનાં મુખ્ય કલાકારો – કાર્તિક આર્યન અને કિયારા અડવાની-મલ્હોત્રા તથા ફિલ્મનાં કસબીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્તિક અને કિયારાએ સ્ટેજ પર ગીતની ધૂન પર ડાન્સ કર્યો હતો. ‘સુન સજની’ ગીતમાં સ્વર આપ્યો છે મીત બ્રધર્સ, પરંપરા ટંડન અને પીયૂષ મેહરોલિયાએ. સંગીત પીરસ્યું છે મીત બ્રધર્સે અને ગીતકાર છે કુમાર. મ્યુઝિકલ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’ આવતી 29 જૂને થિયેટરોમાં રિલીઝ કરવામાં આવનાર છે. ફિલ્મના દિગ્દર્શક છે સમીર વિદવાંસ.
ગાંધીનગરઃ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ગાંધીનગરે (IITGNએ) આજે નવમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી. યોગના – શારીરિક, માનસિક અને ભાવનાત્મક વિવિધ લાભો મેળવવા માટે આ ઉજવણી કરવામાં આવી હતી.
સંસ્થાના ફિઝિકલ એજ્યુકેશન વિભાગે નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે 30 દિવસીય યોગ સત્રનું આયોજન 23 મેથી કર્યુ હતું, જેમાં સંસ્થાએ કલાત્મક યોગ, શીર્ષાસન સ્પર્ધા, યોગ પર પ્રશ્નોત્તરી, યોગ ક્રિયાની વર્કશોપ, મેડિટેશન વગેરે પ્રવૃત્તિઓ રાખી હતી. આ 30 દિવસીય યોગ સત્ર -IDY-2023માં ભાગ લેનારાને યોગ આસનોનાં વિવિધ આસનો- કમર (સ્પાઇન કોડ)ના આરોગ્યનું સંતુલન, લવચિકતા, શક્તિ, તાણમુક્ત અને ધ્યાન પર કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
સંસ્થાના મુખ્ય યોગ શિક્ષક તુલસા પૂજારી દ્વારા બધાં ગ્રુપના સ્પર્ધકોએ યોગ આસનો, પ્રાણાયમ અને સહજ યોગ કર્યા હતા. આ યોગ સત્રમાં ભાગ લેનારા સ્પર્ધકોને યોગના વિશિષ્ટ લાભો અને એમને કરવાના પ્રાર વિશે માહિતી આપવામાં આવી હતી. ત્યારે બાદ ડો. વિજ્યાલક્ષ્મીએ અને અતિથિ રજની મુનાએ યોગને દૈનિક જીવનમાં કેવી રીતે વણી લેવા એ વિશે વ્યાખ્યાન આપ્યાં હતાં.
સંસ્થાની યોગ ટીમો માટે યોગ ડાન્સ સ્પર્ધામાં તેમણે પર્ફોર્મ કર્યું હતું, દજેમાં તેમણે યોગ ડાન્સ, પરંપરાગત યોગા અને જોડીમાં યોગા કર્યા હતા. આ યોગ સ્પર્ધામાં વિજેતાઓને ઇનામો આપવામાં આવ્યાં હતાં.સંસ્થાના વિદ્યાર્થીઓએ, શિક્ષકોએ, કર્મચારીઓએ અને તેમના પરિવારના સભ્યોમાં ખૂબ ઉત્સાહથી એમાં ભાગ લીધો હતો.
સંસ્થા હંમેશા પોતચાના સમુદાયને ગેમ્સમાં સક્રિય અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહન આપતો છે.