Home Blog Page 2788

મંસૂરની કારકિર્દી ‘કયામત…’ થી ‘જોશ’ સુધી

મંસૂર ખાનને નિર્દેશક તરીકે પહેલી ફિલ્મ અચાનક જ મળી ગઈ હતી પણ છેલ્લી ફિલ્મ ‘જોશ’ (૨૦૦૮) થી જાતે જ નિર્દેશન છોડી દીધું હતું. જે ફિલ્મ ‘કયામત સે કયામત તક’ (૧૯૮૮) થી મંસૂર નિર્દેશક બન્યા હતા એનું નિર્દેશન અસલમાં નાસીર હુસેન કરવાના હતા. આમિર ખાન અને જુહી ચાવલાની પહેલી ફિલ્મ નાસીર હુસેને નાદુરસ્ત તબિયતને કારણે કરી ન હતી. એમણે ફિલ્મની સ્ક્રીપ્ટ મંસૂરને આપી નિર્દેશન સંભાળવા કહ્યું હતું. મંસૂરે ફિલ્મમાં પિતાની ભૂમિકા માટે સાઇન થયેલા બંને અભિનેતા શમ્મી કપૂર અને સંજીવકુમારને બદલી નાખ્યા હતા. તે માનતા હતા કે પોતે નવા હોવાથી આ વરિષ્ઠ અને પ્રસિધ્ધ અભિનેતાઓને નિર્દેશન આપી શકશે નહીં. ‘જોશ’ માં પિતા તરીકે ભૂમિકા મેળવનાર દિલીપ તાહિલે એક મુલાકાતમાં ફિલ્મ વિશે આ ઉપરાંત બીજી વાતો કહી હતી.

મંસૂરે ફિલ્મના બે અંત તૈયાર કર્યા હતા. જેમાં બીજો સુખદ હતો. મંસૂર જ્યારે ફિલ્મ સાથે જોડાયા ત્યારે એવી શરત કરી હતી કે દુ:ખદ અંત હશે તો એ નિર્દેશન કરશે. લોકોને અંત પસંદ નહીં આવે એવી નાસીર હુસેનને શંકા હતી. તેથી લેખક રાહી માસૂમ રઝાનો અભિપ્રાય મેળવ્યો હતો. એમણે પણ દુ:ખદ અંત યોગ્ય હોવાનું માન્યું હતું. એ અંત સાથે ફિલ્મને પસંદ કરવામાં આવી હતી. મંસૂરને શ્રેષ્ઠ નિર્દેશકનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. એ પછી મંસૂરે ‘જો જીતા વો હી સિકંદર’ (૧૯૯૨) અને ‘અકેલે હમ અકેલે તુમ’ (૧૯૯૫) જેવી લાંબા નામવાળી ફિલ્મો જ બનાવી હતી. એમણે ‘જોશ’ બનાવવાનું નક્કી કર્યું ત્યારથી એમની પરેશાની શરૂ થઈ ગઈ હતી. એમાં અનેક ફેરફાર કરવા પડ્યા હતા. ‘જોશ’ ની વાર્તા વિદેશી ફિલ્મ ‘વેસ્ટ સાઈડ સ્ટોરી’ પરથી તૈયાર કરી હતી.

છેલ્લે શાહરુખ ખાન, ઐશ્વર્યા રાય અને ચંદ્રચૂડ સિંહ સાથે ફિલ્મ બનાવી હતી. સૌપ્રથમ ચંદ્રચૂડવાળી ભૂમિકા માટે આમિર ખાનને પસંદ કર્યો હતો. પરંતુ આમિરને શાહરુખવાળી ભૂમિકા કરવી હતી. એ ભૂમિકા તો કાજોલને પણ કરવી હતી. અસલમાં ઐશ્વર્યાની ભૂમિકા પહેલાં કાજોલને ઓફર થઈ હતી. જ્યારે શાહરુખ પહેલાં એની ભૂમિકા સલમાનને ઓફર થઈ હતી. પરંતુ સલમાન ઐશ્વર્યા સાથે ‘હમ દિલ દે ચૂકે સનમ’ (૧૯૯૯) માં રોમેન્ટિક ભૂમિકામાં રહ્યો હોવાથી ‘જોશ’ માં ઐશ્વર્યાના ભાઈ તરીકે કામ કરી શકે એમ ન હતો. જોકે, શાહરૂખને કારણે ફિલ્મ બનવામાં સમય લાગ્યો હતો. મંસૂર ખાનને બીજી બે ફિલ્મોમાં નિર્દેશનનું કામ મળ્યું હોવા છતાં આ ફિલ્મ બનાવતી વખતે અનેક અવરોધો આવ્યા હોવાથી ઉત્સાહ આખરે નિર્દેશન કરવાનું છોડી દીધું હતું.

કોરાનાના 79 નવા કેસો, એકનું મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 79 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,92,960 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,892 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,58,820 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 181 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 2248એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 71,137 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.13 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.70 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.90 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,31,246 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 475 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

મુંબઈ એરપોર્ટના બીજા રનવે પર બિછાવાઈ ડામરની નવી ‘કાર્પેટ’

મુંબઈમાં અદાણી ગ્રુપની માલિકીના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે બીજા (પૂરક) રનવેને સુરક્ષિત અને સક્ષમ બનાવવા માટે તેની પર ડામરના રી-કાર્પેટિંગનું કામ પૂરું થઈ ગયું છે. એન્જિનિયરો અને કામદારો સહિત 200 જણના સ્ટાફે દરરોજ 12 કલાક સુધી કામ કરીને આ પ્રોજેક્ટ નિર્ધારિત મહેતલની અંદર પૂરો કરી બતાવ્યો છે.

ચોમાસું બેસે એ પહેલાં આ કામ પૂરું કરવાનું હતું. રીકાર્પેટિંગ કામ 2022ની 9 ડિસેમ્બરે શરૂ કરવામાં આવ્યું હતું અને 10 જૂન, 2023ના રોજ પૂરું કરી દેવામાં આવ્યું છે.

હવે સેકન્ડરી રનવે પર રીકાર્પેટિંગ કામકાજ પૂરું થઈ જતાં વિમાન કામગીરીઓ સરળ અને સક્ષમ રીતે થશે.

રનવેની લંબાઈ 2,210 મીટર છે અને પહોળાઈ 75 મીટર છે. રનવેના અપગ્રેડેશન-રીકાર્પેટિંગ માટે આશરે 72,500 ટન ડામરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટના બે રનવેની ગણના વિશ્વમાં સૌથી વ્યસ્ત સિંગલ-ક્રોસઓવર રનવેમાં કરવામાં આવે છે. મુખ્ય રનવે 09/27 અને પૂરક રનવે 14/32 પર દરરોજ 950 ફ્લાઈટ્સનું આગમન-પ્રસ્થાન થાય છે. વિમાનોનું લેન્ડિંગ અને ટેકઓફ્ફ સુરક્ષિત બની રહે એ માટે આ બંને રનવેને સતત મજબૂત સ્થિતિમાં રાખવાનું અનિવાર્ય છે.

ભારતમાં આવતા 4 અઠવાડિયા ચોમાસું નબળું રહેશે: સ્કાઈમેટ વેધર

મુંબઈઃ ખાનગી વેધશાળા સ્કાઈમેટ વેધર દ્વારા એવી આગાહી કરવામાં આવી છે કે ભારતમાં આગામી ચાર અઠવાડિયા ચોમાસું નબળું રહેશે. વેધશાળાની આ જાહેરાતને કારણે દેશના ખેડૂતવર્ગમાં તેમજ સામાન્ય પ્રજાજનોમાં ચિંતા પ્રસરી ગઈ છે. ભારત ખેતીપ્રધાન દેશ છે, ખેતીવાડી પર ઘણોખરો નિર્ભર રહે છે. તેથી જો ચોમાસું નબળું જશે તો કૃષિ ઉત્પાદન પર માઠી અસર પડશે.

સ્કાઈમેટ વેધરનું કહેવું છે કે એક્સ્ટેન્ડેડ રેન્જ પ્રિડિક્શન સિસ્ટમ (ERPS) આગામી ચાર અઠવાડિયા માટે નિરાશાજનક અંદાજ દર્શાવે છે. ભારતના મધ્ય અને પશ્ચિમી ભાગો, જે મુખ્ય વર્ષાઋતુના ઝોન ગણાય છે, ત્યાં આ વખતની ચોમાસાની મોસમના આરંભમાં અપૂરતા વરસાદને કારણે ઘણા પડકારોનો સામનો કરવો પડી શકે છે.

કેરળમાં ચોમાસું સામાન્ય રીતે 1 જૂને બેસતું હોય છે, પરંતુ આ વખતે 8 જૂને બેઠું હતું. અરબી સમુદ્રમાં બિપરજોય ચક્રવાતી વાવાઝોડું સર્જાતાં કેરળમાં ચોમાસું મોડું બેઠું હતું અને તેની પ્રગતિમાં અવરોધ ઊભો થયો છે. મહારાષ્ટ્ર, ઓડિશા, અડધું તેલંગણા, છત્તીસગઢ, ઝારખંડ, બિહારમાં 10-15 જૂન દરમિયાન ચોમાસું બેસી જતું હોય છે, પરંતુ આ વખતે 13 જૂન થઈ હોવા છતાં મહારાષ્ટ્રમાં ચોમાસાએ આગમન કર્યું નથી.

૧૩ જૂન, ૨૦૨૩

૧૩ જૂન, ૨૦૨૩

રાશિ ભવિષ્ય 13/06/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસે થોડી સાવચેતી રાખવી અગત્યની છે અને તમારા ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, હિતાવહ છે, યુવાવર્ગ માટે તેમની લાગણી કોઈ સમજાતું નથી તેવી મનમાં ફરીયાદ રહે, વેપારના કામકાજમાં જોખમ ટાળવું, વડીલવર્ગ આજે કોઈને વણમાગી સલાહ ના આપવી.


આજનો દિવસ તમારો સારો છે અને ઉત્સાહ પણ જોવા મળે, તમારા નવીનકામનું આયોજન થાય, તેમજ જુનામતભેદ ભૂલવાની તક મળે, લગ્નમાટેની વાતચીતમાંકે મિલનમુલાકાત દરમિયાન તમારી પ્રતિભા સારી દેખાઈ આવે અને તમને તેની ખુશીનો અનુભવ પણ થાય, વેપારના કામમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ સામાન્ય છે તમારા કુટુંબ અને મિત્રો સાથે સારી રીતે સમય પસાર થાય, ક્યાંક નાણાકીય ખર્ચ થઈ છે તેમજ પ્રવાસનું આયોજન પણ થઇ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારાપરિણામની આશા જોવા મળે , યુવાવર્ગને પોતાના મનનીવાત ક્યાંક કહેવામાં તક ઝડપવામાં થોડી તકલીફ પડી શકે તેવું બની શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તેમજ કોઇપણ પ્રકારના વિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું જરૂરી છે, યુવાવર્ગને પોતાના મનમાં રહેલી લાગણી કોઈ દુભાવી રહ્યું હોય તેવું મનમાં ફરિયાદ રહ્યા કરે, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, વાણીસયમ રાખવો ઇચ્છનીય કહી શકાય.


આજનો દિવસ સામાન્ય છે અને તેમાં પણ કામમાં વ્યસ્ત વધુ રહેવાય, થોડી મનમાં ક્યાંક અશાંતિ રહે, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, યુવાવર્ગમાં ધીરજનો અભાવ જોવા મળી શકે છે તેમજ પ્રિયજન સાથે વાદવિવાદના થાય તેનું ધ્યાન રાખવું, મુસાફરી થોડી કંટાળાજનક અને ખર્ચાળ બની શકે છે.


આજનો દિવસ સારો છે અને તેમાં ખાસ કરીને જુનાકામની ગુંચ ઉકેલી શકાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે, યુવાવર્ગને મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થઇ શકે અને તેમાં તેમને સારી ખુશીનો અનુભવ થાય, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, ક્યાંક નવીનઓળખાણથી તમને આનંદની લાગણી અનુભવો.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો સલાહ ભર્યો છે, પાડવા-વાગવાના યોગ બની શકે છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે , હિતશત્રુ, ખટપટી લોકોથી દુર રહેવું, વેપારના કામકાજમાં કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવું, પ્રિયજન સાથે મતભેદકે મનદુઃખના થાય તેની કાળજી રાખવી જરૂરી છે.


આજનો દિવસ યાદગાર બની શકે છે તેમાં પણ તમારી જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી બેવડાઈ જાય, કામની કદર થાય, યુવાવર્ગને પસંદ પડે તેવી વાત સંભાળવા મળે શકે છે, વેપારીવર્ગને  કામકાજમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય તેવા સંજોગો ઉભા થાય.


આજના દિવસે શાંતિ અને સાવચેતી રાખવી, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું, યુવાવર્ગ આજે કોઈની ખોટીદોરવાણીથી દોરવાયના જવાય તેનું ધ્યાન રાખવું,  વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, વડીલવર્ગે આજે કોઈને વણમાંગી સલાહ ન આપવી.


આજનો દિવસ સારો છે અને તમને પણ ઉત્સાહ સારો રહે, કયાંક મુસાફરી થઈ શકે છે, ધાર્યુંકે મનનું કામ થઇ  શકે જેમાં તમે ખુબ આનદની લાગણી અનુભવો, લગ્નમાટે ક્યાય વાતચીત કરવી પણ યોગ્ય બની શકે છે ,સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, વેપારમાં લાભની તક છે.


આજનો દિવસ સામાન્ય છે તમે કામમાં વધુ વ્યસ્ત રહો, કોઈ જુનાકામમાં જલ્દીથી ઉકેલન આવે તેને લીધે તમે કામ ટાળવાની નીતિ અપનાવો,  યુવાવર્ગ માટે પોતાના વર્તનમાં શાંતિ જાળવવી જેથી તમારાથી કોઈની લાગણીના દુભાય, વેપારમાં પોતાના અનુભવ મુજબ નાનું અને ગણતરીપૂર્વકનું કામ સારું રહે.


આજનો દિવસ સામાન્ય છે તમે તમારા સહકર્મચારી સાથે કામની બાબતમાં થોડા દ્વિધામાં રહો તમારે થોડો  કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, યુવાવર્ગ માટે આજે મજાકવૃત્તિથી દુર રહેવું જેથી બિનજરૂરી ગેરસમજ ટાળી શકાય  માર્કેટિંગમાં સમયનો વ્યય વધુ થાય  વેપારના કામકાજમાં ધીરજ રાખવી.

પંચાંગ 13/06/2023

ચક્રવાત બિપરજોય ! ગુજરાત અને મહારાષ્ટ્ર માટે આગામી 48 કલાક મહત્વપૂર્ણ

હવામાન વિભાગે ચેતવણી જારી કરી છે કે આગામી 48 કલાકમાં ચક્રવાત બિપરજોય વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે.

ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી ખાસ કરીને કચ્છ જિલ્લામાંથી લોકોને સલામત સ્થળે મોકલવામાં આવી રહ્યા છે.

મુંબઈમાં પણ ચક્રવાતી વાવાઝોડાને કારણે દરિયામાં ઉંચી ભરતી જોવા મળી રહી છે.

આ વાવાઝોડાના કારણે ઋતુ પરિવર્તનના કારણે પાડોશી દેશ પાકિસ્તાનને પણ ખતરો જણાવવામાં આવી રહ્યો છે.

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યારે માછીમારોને 14 જૂન સુધી દરિયામાં જવાની મનાઈ ફરમાવવામાં આવી છે.

સરકાર અને સામાન્ય લોકોને મોટી રાહત, મોંઘવારી 25 મહિનામાં સૌથી નીચલા સ્તરે પહોંચી

રિટેલ ફુગાવાને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. મોંઘવારીના મોરચે સતત ત્રીજા મહિને સરકાર અને સામાન્ય લોકોને રાહતના સમાચાર મળ્યા છે. માહિતી અનુસાર મે મહિનામાં રિટેલ મોંઘવારી દર ઘટીને 4.25 ટકા પર આવી ગયો છે. જે એપ્રિલ 2021 પછી સૌથી ઓછું જોવા મળે છે. આ જ આંકડો એપ્રિલ મહિનામાં 4.70 ટકા હતો અને માર્ચ મહિનામાં ઘટીને 5.7 ટકા થયો હતો. આનો સ્પષ્ટ અર્થ એ છે કે સતત ત્રીજા મહિને ફુગાવામાં ઘટાડો જોવા મળ્યો છે અને ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં 205 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો જોવા મળ્યો છે. નિષ્ણાતોનું માનીએ તો મોંઘવારીના આંકડા આગામી દિવસોમાં ચોમાસા પર નિર્ભર રહેશે. આ વખતે અલ નીનો કૃષિ ક્ષેત્ર પર પણ જોવા મળી શકે છે.

ખાદ્ય ફુગાવો પણ ઘટ્યો

જો આપણે ખાદ્ય મોંઘવારીની વાત કરીએ તો મે મહિનામાં તેમાં ઘટાડો જોવા મળ્યો છે. એપ્રિલ મહિનામાં ખાદ્ય ફુગાવો 3.84 ટકા હતો જે મે મહિનામાં ઘટીને 2.91 ટકા પર આવી ગયો છે. ગ્રામીણ ફુગાવો 4.17 ટકા જ્યારે શહેરી ફુગાવો 4.27 ટકા હતો. બેઝ ઈફેક્ટ સિવાય ખાદ્યપદાર્થો અને ઈંધણની કિંમતોમાં થયેલા ઘટાડાને કારણે પણ આવી સંખ્યા જોવા મળી રહી છે. નીચા ઉર્જાના ભાવો ઉપરાંત, અનાજ અને શાકભાજીના ભાવમાં નરમાઈએ પણ ફુગાવાના સ્તરમાં ઘટાડો કર્યો છે. એલપીજી અને કેરોસીનના આંતરરાષ્ટ્રીય ભાવમાં તીવ્ર ઘટાડાને કારણે મે મહિનામાં ઇંધણનો ફુગાવો નોંધપાત્ર રીતે નીચે આવ્યો છે.

RBI દ્વારા શું અનુમાન લગાવવામાં આવ્યું છે?

નાણાકીય નીતિની બેઠકમાં, આરબીઆઈએ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ફુગાવાના અનુમાનને 5 ટકાથી નીચે રાખ્યું છે. આનો અર્થ એ થયો કે આરબીઆઈ અનુસાર, પ્રથમ ક્વાર્ટરમાં છૂટક ફુગાવો 4.6 ટકા પર રહી શકે છે. પછીના ત્રિમાસિક ગાળામાં છૂટક ફુગાવાનો દર 5 ટકાથી વધુ હોઈ શકે છે. આંકડાઓની વાત કરીએ તો બીજા ક્વાર્ટરમાં રિટેલ ફુગાવો 5.2 ટકા, ત્રીજા ક્વાર્ટરમાં 5.4 ટકા અને ચોથા ક્વાર્ટરમાં 5.2 ટકા રહેવાનો અંદાજ છે. જો કે, સમગ્ર નાણાકીય વર્ષ માટે અંદાજ 5.1 ટકા કરવામાં આવ્યો છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસનું કહેવું છે કે આ વખતે આરબીઆઈનો ટાર્ગેટ 4 ટકાથી વધુ ફુગાવાનો અંદાજ છે.

આરબીઆઈનો રેપો રેટ સ્થિર

આ મહિને યોજાયેલી RBI MPCની બેઠકમાં રિઝર્વ બેંકે સતત બીજા મહિને રેપો રેટ સ્થિર રાખ્યો છે. હાલમાં આરબીઆઈનો રેપો રેટ 6.50 ટકા છે. છેલ્લી વખત ફેબ્રુઆરી મહિનામાં રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. મે 2022 થી ફેબ્રુઆરી 2023 સુધીમાં રેપો રેટમાં 2.50 ટકાનો વધારો થયો છે. નિષ્ણાતોના મતે આ વર્ષના અંત સુધી RBI રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરે. બીજી તરફ, કેટલાક નિષ્ણાતો માને છે કે જો ઓગસ્ટ સુધીમાં ફુગાવો 4 ટકા પર આવી જાય છે, તો ઓગસ્ટના દર ચક્રમાં વ્યાજ દર 0.15 ટકાથી વધારીને 0.25 ટકા થઈ શકે છે.

IIP આંકડા

ભારતનું ઔદ્યોગિક ઉત્પાદન એટલે કે IIP આ વર્ષે એપ્રિલમાં 4.2 ટકાના દરે વધ્યું છે. સોમવારે જાહેર કરાયેલા સત્તાવાર આંકડા અનુસાર, એપ્રિલ 2022માં ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક 6.7 ટકા વધ્યો હતો. NSOના ડેટા અનુસાર, એપ્રિલ 2023માં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું ઉત્પાદન 4.9 ટકા અને ખાણકામનું ઉત્પાદન 5.1 ટકા વધ્યું છે. વીજળી ઉત્પાદનમાં 1.1 ટકાનો ઘટાડો થયો છે.

IND vs WI: ટીમ ઈન્ડિયાના નવા મિશનની જાહેરાત, વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીની જાહેરાત

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની હાર સાથે ભારતીય ક્રિકેટ ટીમનું ટાઈટલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું. સતત બે વખત ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ હારી ચૂકેલી ટીમ ઈન્ડિયા હવે ફરી પ્રયાસ કરશે અને તેની શરૂઆત વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસથી થશે. ભારતીય ટીમ નવી ટેસ્ટ ચેમ્પિયનશિપ ચક્રની તેમની પ્રથમ શ્રેણી માટે વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ કરશે, જે 12 જુલાઈથી શરૂ થશે. બીસીસીઆઈએ આની જાહેરાત કરી છે.ચાર વર્ષ પહેલા જ્યારે પ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ શરૂ થઈ હતી, ત્યારે ટીમ ઈન્ડિયાએ પોતાના અભિયાનની શરૂઆત વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસથી કરી હતી. આ વખતે પણ ભારતની યાત્રા અહીંથી શરૂ થશે. આ પ્રવાસમાં ટીમ ઈન્ડિયા ટેસ્ટ ઉપરાંત વનડે અને ટી-20 સિરીઝ પણ રમશે. T20 શ્રેણીની બે મેચ પણ અમેરિકાના ફ્લોરિડામાં રમાશે.


ટેસ્ટ શ્રેણી ઓવલ ખાતે ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ભારતની હારના એક દિવસ બાદ, ભારત અને વેસ્ટ ઈન્ડિઝના બોર્ડે સાથે મળીને શ્રેણીનું શેડ્યૂલ જાહેર કર્યું હતું. શ્રેણીની શરૂઆત 12 જુલાઈ પહેલા ટેસ્ટ મેચથી થશે. આ ટેસ્ટ ડોમિનિકામાં વિન્ડસર પાર્ક ખાતે યોજાશે. તે જ સમયે, બીજી ટેસ્ટ મેચ 20 જુલાઈથી ત્રિનિદાદના પ્રખ્યાત ક્વિન્સ પાર્ક ઓવલ મેદાન પર રમાશે.

ODI અને T20 સિરીઝ એક્શન ફરી થશે

ટીમ ઈન્ડિયાના આ 33 દિવસના પ્રવાસમાં, ટેસ્ટ શ્રેણી પછી 3 વનડે રમાશે, જે 27 જુલાઈથી બાર્બાડોસમાં શરૂ થશે અને પછી 1 ઓગસ્ટે ત્રિનિદાદમાં સમાપ્ત થશે. તે જ સમયે, આ પછી, 5 મેચની T20 શ્રેણી 3 ઓગસ્ટથી ત્રિનિદાદમાં શરૂ થશે અને 13 ઓગસ્ટે ફ્લોરિડામાં સમાપ્ત થશે. છેલ્લી બે મેચ અમેરિકાના ફ્લોરિડામાં રમાશે. આ પહેલા પણ છેલ્લી બે-ત્રણ ટૂરમાં ટીમ ઈન્ડિયા ફ્લોરિડામાં T20 રમી ચૂકી છે.

ભારતના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસનું સંપૂર્ણ શેડ્યૂલ

ટેસ્ટ શ્રેણી

  • પ્રથમ ટેસ્ટ – 12 થી 16 જુલાઈ, વિન્ડસર પાર્ક
  • બીજી ટેસ્ટ – 20 થી 24 જુલાઈ, ક્વીન્સ પાર્ક ઓવલ, ત્રિનિદાદ

ODI શ્રેણી

  • 1લી ODI – 27 જુલાઈ, કેન્સિંગ્ટન ઓવલ, બાર્બાડોસ
  • 2જી ODI – 29 જુલાઈ, કેન્સિંગ્ટન ઓવલ, બાર્બાડોસ
  • ત્રીજી ODI – 1 ઓગસ્ટ, બ્રાયન લારા ક્રિકેટ એકેડમી, ત્રિનિદાદ

T20 શ્રેણી

  • 1લી T20 – 3 ઓગસ્ટ, બ્રાયન લારા ક્રિકેટ એકેડમી, ત્રિનિદાદ
  • 2જી T20 – 6 ઓગસ્ટ, નેશનલ સ્ટેડિયમ, ગયાના
  • 3જી T20 – 8 ઓગસ્ટ, નેશનલ સ્ટેડિયમ, ગયાના
  • 4થી T20 – 12 ઓગસ્ટ, બ્રોવર્ડ કાઉન્ટી સ્ટેડિયમ, લોડરહિલ ફ્લોરિડા
  • પાંચમી T20 – 13 ઓગસ્ટ, બ્રોવર્ડ કાઉન્ટી સ્ટેડિયમ, લોડરહિલ ફ્લોરિડા