Home Blog Page 2809

પાકિસ્તાન એશિયા કપમાંથી બહાર થશે?: ‘હાઇબ્રિડ મોડલ’ ફગાવાયું

કરાચીઃ શ્રીલંકા, બંગલાદેશ અને અફઘાનિસ્તાનના પ્રસ્તાવિત ‘હાઇબ્રિડ મોડલ’ને ફગાવ્યા પછી યજમાન પાકિસ્તાન સપ્ટેમ્બરમાં થનારી એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હટી જાય એવી શક્યતા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના પ્રમુખ નજમ સેઠી દ્વારા પ્રસ્તાવિત ‘હાઇબ્રિડ મોડલ’ અનુસાર પાકિસ્તાનને એશિયા કપના ત્રણ અથવા ચાર મેચો સ્વદેશમાં રમાડવી હતી, જ્યારે ભારતની મેચો તટસ્થ સ્થળે રમાય એવી શક્યતા હતી. ભારતે સુરક્ષાની ચિંતાઓને કારણે પાકિસ્તાનનો પ્રવાસ કરવાથી ઇનકાર કર્યા બાદ એ વિચાર રજૂ કરવામાં આવ્યો હતો. જોકે હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે શ્રીલંકા, બંગલાદેશ અને અફઘાનિસ્તાન બધી ટુર્નામેન્ટને પાકિસ્તાનની બહાર યોજવા માટે BCCIને ટેકો આપ્યો હતો.

હવે માત્ર ઔપચારિકતા રહી ગઈ છે. એશિયા ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના કાર્યકારી બોર્ડના સભ્યો વર્ય્ચુઅલ અથવા સભ્યોની હાજરીમાં બેઠક કરે, પણ PCBને માલૂમ છે કે શ્રીલંકા, બંગલાદેશ અને અફઘાનિસ્તાન એશિયા કપ માટેનું ‘હાઇબ્રિડ મોડલ’ના પ્રસ્તાવને ટેકો નથી આપતા. સેઠીએ વારંવાર કહ્યું હતું કે જો ટુર્નામેન્ટનું આયોજન પાકિસ્તાનને બદલે તટસ્થ દેશમાં થશે તો એ આ ટુર્નામેન્ટમાં ભાગ નહીં લે. જેથી હવે PCB એશિયા કપનો બહિષ્કાર કરે એવી શક્યતા છે. હવે પાકિસ્તાનની પાસે માત્ર બે વિકલ્પ છે- એક ટુર્નામેન્ટને તટસ્થ સ્થળે રમે અથવા ભાગ ના લે, એમ સૂત્રએ કહ્યું હતું.

આ સૂત્રએ એ પણ કહ્યું હતું કે આ વર્ષે એશિયા કપ રદ પણ કરવામાં આવે અને શ્રીલંકા, બંગલાદેશ, અફઘાનિસ્તાન અને ભારત વિશ્વ કપ પહેલાં 50 ઓવરોની એક ટુર્નામેન્ટ રમે. જોકે હાલનો ઘટનાક્રમ પાકિસ્તાનને વિશ્વ કપ માટે ભારતમાં નહીં મોકલવા માટે મજબૂર કરી શકે છે, એમ સૂત્રએ કહ્યું હતું.

 

વંટોળમાં હોર્ડિંગ કાર પર પડવાથી માતા-પુત્રીનાં મોત

લખનઉઃ શહેરના એકાના સ્ટેડિયમમાં વંટોળમાં એક મોટું હોર્ડિંગ પડી ગયું હતું. આ દુર્ઘટનામાં એ હોર્ડિંગ એક સ્કોર્પિયો કાર પડ્યું હતું, જેથી એની નીચે ત્રણ જણ દબાયાની માહિતી પોલને મળી હતી, પોલીસે કાટમાળમાંથી ત્રણ ઘાયલોને રેસ્ક્યુ કરીને હોસ્પિટલ મોકલી આપ્યા હતા, પરંતુ એમાંથી બે (માતા અને પુત્રી)નાં મોત થયાં હતાં.

શહેરમાં સોમવારે સાંજે ફૂંકાયેલા વંટોળમાં ઇકાના સ્ટેડિયમમાં ગેટ નંબર બેની પાસે યુનિપોલ પર લાગેલા મોટા હોર્ડિંગ ઊખડીને સર્વિસ લેન પર ઊભેલી કાર પર પડ્યું હતું. આ દુર્ઘટનામાં કારની અંદર બેઠેલી પ્રીતિ (35) અને તેની પુત્રી એન્જલ (15)નાં મોત થયાં હતાં, જ્યારે તેમનો ડ્રાઇવર સરતાજ ગંભીર રીતે ઘાયલ થયો હતો. એની સાથે એક રાહદારી પણ આ હોર્ડિંગની ચપેટમાં આવવાથી ગંભીર રીતે ઇજા પામ્યો હતો. આ દુર્ઘટનાથી ત્યાં અફરાતફરી મચી ગઈ હતી.

પોલીસ અને વહીવટી તંત્રના અનેક અધિકારી ત્યાં પહોંચ્યા હતા. ક્રેનની મદદથી મોટી મુશ્કેલીથી કારસવારો બહાર કાઢ્યા હતા. બંને ઘાયલોની લોહિયા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ હોર્ડિંગ પડવાથી કાર દબાઈ ગઈ હતી, એમ પોલીસે કહ્યું હતું.

આ વંટોળ સાત-આઠ મિનિટમાં શાંત થયું હતું, ત્યારે બધા કાર તરફ દોડ્યા હતા તો ગાડીની અંદરનું દ્રશ્ય જોઈને હતપ્રભ થયા હતા. કારની અંદરથી ડ્રાઇવરનો કણસવાનો અવાજ આવતો હતો, જ્યારે મહિલા અને તેની પુત્રી લોહીલુહાણ હતાં.

 

 

 

 

 

વાસીદામાં સાંબેલું જતું રહેવું

     

વાસીદામાં સાંબેલું જતું રહેવું

 

ઘરમાં સાવરણીથી કચરો વાળીએ એને વાસીદું વાળ્યું કહેવાય. આ વાસીદું વાળતાં કોઈ નાની મોટી ચીજ હોય તો ધ્યાન બહાર કચરાની સાથે જતી રહે, પણ સાંબેલું તો બહુ મોટું હોય.

વાસીદાથી સાંબેલું વળાય પણ નહીં અને એના કદને કારણે ઉડીને આંખે વળગે, એટલે વાસીદામાં સાંબેલું જવું એ અશક્ય છે. આ અર્થમાં આ કહેવત અશક્ય વાત બનવી તે સંદર્ભમાં અથવા મોટી ભૂલ ધ્યાને આવ્યા વગર જતી રહે એ સંદર્ભમાં વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

કોરાનાના 123 નવા કેસો, બેનાં મોત 

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 123 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે બે જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,91,880 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,884 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,56,995 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 314 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 3001એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 87,937 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.09 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.70 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.90 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,13,866 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 615 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

સંજીવકુમારની ફિલ્મોની ભૂમિકાના કિસ્સા

ફિલ્મ ‘નયા દિન નઇ રાત’ (૧૯૭૪) માં નવ ભૂમિકાઓ ભજવનાર અભિનેતા સંજીવકુમારે કારકિર્દીની શરૂઆત સ્ટંટ ફિલ્મોથી કરી હતી. પરંતુ પછી અભિનયમાં જબરદસ્ત છાપ છોડી હતી. સંજીવકુમારે કારકિર્દીમાં કેટલીક ફિલ્મો ગુમાવી હતી અને કેટલીક છોડી પણ દીધી હતી. નિર્દેશક ગુલઝારે સંજીવકુમાર સાથે ૧૯૭૦ માં મિર્ઝા ગાલિબ પર એક ફિલ્મ બનાવવાનું આયોજન કર્યું હતું. એ શક્ય બન્યું ન હતું. પાછળથી એમણે નસીરુદ્દીન શાહ સાથે ગાલિબ પર સિરિયલ બનાવી હતી. ગુલઝાર સંજીવકુમારને હેમામાલિનીની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ ‘મીરા’ (૧૯૭૯) માં ‘રાણા ભોજરાજ’ ની મહત્વની ભૂમિકા સોંપવા માગતા હતા. ત્યારે સંજીવકુમારનો હેમામાલિની સાથે તણાવભર્યો સંબંધ હતો એટલે ના પાડી દીધી હતી. પછી એ ભૂમિકા વિનોદ ખન્નાએ નિભાવી હતી.

અલબત્ત ગુલઝાર સાથે સંજીવકુમારે પરિચય, આંધી, મોસમ વગેરે ઘણી ફિલ્મો કરી હતી. ફિલ્મ ‘શોલે’ (૧૯૭૫) ની વાર્તા જ્યારે સલીમ- જાવેદે સંભળાવી ત્યારે એમાં વધારે પડતી હિંસા લાગી હતી. પણ સંવાદને કારણે સંજીવકુમારને ‘ગબ્બર’ ની ભૂમિકા વધારે પસંદ આવી હતી. પાછળથી સંજોગો એવા બન્યા કે સંજીવકુમારે ‘ઠાકુર’ બનવાનું જ પસંદ કર્યું હતું. જે એમની શ્રેષ્ઠ દસ ભૂમિકાઓમાં એક ગણાય છે. અસલમાં ધર્મેન્દ્ર ‘ઠાકુર’ બનવા માગતો હતો પણ હેમા સાથે રોમાન્સની તક હોવાથી ‘વીરુ’ ની ભૂમિકા સ્વીકારી હતી. રાજશ્રીની ફિલ્મ ‘સારાંશ’ (૧૯૮૪) માટે પહેલાં સંજીવકુમારનું નામ વિચારવામાં આવ્યું હતું. કેમકે સંજીવકુમાર મોટી ઉંમરની વ્યક્તિની ભૂમિકા કરી શકે એમ હતા. પરંતુ ૨૮ વર્ષના અનુપમ ખેરે નિર્દેશક મહેશ ભટ્ટને એવો વિશ્વાસ અપાવ્યો કે તે વૃધ્ધની ભૂમિકા માટે વધુ યોગ્ય છે. અને એ ફિલ્મ અનુપમ ખેર પાસે જતી રહી હતી.

ટીનુ આનંદ નિર્દેશિત ‘કાલિયા’ (૧૯૮૧) માં જેલરની ભૂમિકા માટે સંજીવકુમારને સાઇન કરી લેવામાં આવ્યા હતા. જ્યારે અમિતાભ મુખ્ય ભૂમિકામાં છે એવી  અખબારમાં આખા પાનાની જાહેરાત આવી ત્યારે સંજીવકુમાર નારાજ થયા હતા અને પોતાને મહત્વ અપાયું ન હોવાનું લાગતાં ફિલ્મ છોડી દીધી હતી. પછી એમાં જેલર તરીકે પ્રાણ આવ્યા હતા. ફિલ્મ ‘ખિલોના’ માંથી સંજીવકુમારને કાઢવામાં આવે એવી શક્યતા ઊભી થઈ હતી. તે સેટ પર મોડા આવતા હોવાથી નિર્માતા એલ.વી. પ્રસાદ એમના સ્થાને બીજા હીરોને લઈને ફિલ્મ બ્નાવવાનું વિચારવા લાગ્યા હતા. પરંતુ એક દ્રશ્યમાં એમનો જાનદાર અભિનય જોઈને વિચાર માંડી વાળ્યો હતો અને મોડા આવવાનું થાય તો અગાઉથી જાણ કરવાની સૂચના આપવાનું કહીને એમની સાથે જ ફિલ્મ પૂરી કરી હતી. નિર્માતા યશ ચોપરાની દિલીપ નાયકના નિર્દેશનમાં બનનારી ફિલ્મ ‘નાખુદા’ માં સચિનના પિતા તરીકે કામ કરવાની સંજીવકુમારે ના પાડી દીધી હતી. ડોકટરોની સલાહને કારણે સંજીવકુમારે એ સમય પર વૃધ્ધ વ્યક્તિની ભૂમિકા કરવાનું બંધ કર્યું હતું.

રાશિ ભવિષ્ય 06/06/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસે શાંતિ જાળવવી , ખોટાવિચારો પર કાબુ રાખવો, પાડવા,વાગવાથી સાચવવું, બ્લડપ્રેશરની તકલીફ વાળાએ સાચવવું, કામકાજ અર્થે સહકર્મચારી સાથે ઉગ્રતાના થાય તેનું ધ્યાન રાખવું, આકસ્મિક ખર્ચ થઈ શકે છે,  વેપારમાં નાનું કામજ કરવુ યોગ્ય છે, યુવાવર્ગ માટે ગેરસમજથી બચવું યોગ્ય છે.


આજનો દિવસ સારો છે, તમારા કામમાં સારીપ્રતિભા બતાવી શકો અને તેથી તમને કામ કરવાનોનો સંતોષ પણ થાય નવીનકામનું આયોજન થઇ શકે છે, કોઈ સારાસમાચાર સંભાળવા પણ મળી જાય તેવું બની શકે છે, વેપારના કામકાજમાં સારોપ્રતિસાદ મળે અને તેમાં તમે સારી લાગણી અનુભવો.


આજનો દિવસ સામાન્ય છે, માનસિકઅશાંતિ જેવું રહે, નાનીનાની વાતમાં ગુસ્સો આવી જાય તેવું બની શકે છે માટે ધીરજ અને શાંતિ રાખવી, ક્યાંક પરાણે કામકરતા હોવ તેવી લાગણી જોવા મળે, વેપારના કામમાં ધીરજ રાખવી સારી, કોઈની દોરવણીથી દોરવાઈને ઉતાવળિયોકે ખોટો નિર્ણયના લેવાય તેવું ધ્યાન રાખવું.


આજના દિવસે કામકાજમાં ઉતાવળ જોવા મળી શકે તેના કારણે તમને કામકાજમાં થોડી અકળામણની    લાગણી અનુભવો, મિત્રો,પરિચિતો સાથેના વ્યવહાર તમને થોડા રોમાંચિત અને ઉત્સાહિત રાખે.વેપારના કામકાજમાં થોડી શાંતિ જાળવવી, વડીલવર્ગે આજે કોઈને વણમાંગી સલાહના આપવી ઇચ્છનીય છે.


આજના દિવસે થોડી શાંતિ અને ધીરજનો અભાવ દેખાય, બેદરકારી તમને તકલીફ આપી શકે છે, કોઈની સાથે કામની બાબતે ઉગ્રતાના થાય તેનું ધ્યાન રાખવું, વાણીસયમ રાખવો અગત્યનો બને છે, કામસિવાય કોઈની સાથે વધુ વાર્તાલાપના કરવો, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવાની સલાહ છે.


આજનો દિવસ સારો છે, તમને કામબાબત ઉત્સાહ સારો જોવા મળે તેના કારણે કઈક વધુ શીખવાની જીજ્ઞાસા પણ વધે, કામની કદર થાયની લાગણી પણ અનુભવો, તમને ક્યાંક નસીબસાથ આપતું હોય તેવું જણાય વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય,પ્રિયજન સાથે સારો સમય પસાર થાય.


આજનો દિવસ કામકાજમાં આકસ્મિક વ્યસ્તતા અપાવે તેવો છે, અણધાર્યા કોઈકામ આવી પડે તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, કામની બાબતમાં ક્યાય વાણીવિલાસના થાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે, પસંગીની કોઈવાત સંભળાવ પણ મળી જાય, વેપારના કામકાજ નાનુંજ કામ કરવું હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય છે, પરિચિતોને મળવાથી તમારો ઉત્સાહ વધે,  મુસાફરીના યોગ ઉભા થઇ શકે છે, સ્પર્ત્ધાત્મકપરીક્ષા આપનાર માટે પોતાના વિષયમાં રૂચી ઓછી અને ઈતરપ્રવૃત્તિમાં  ધ્યાન વધુ રહે તેવું પણ બની શકે છે, વેપારના કામકાજ ઉતાવળિયો નિર્ણયકે જોખમના લેવાઈ જાય તેનું ધ્યાન રાખવું


આજના દિવસે કામ ટાળવાની અને ઈતરપ્રવૃત્તિ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે છે, તમારી લાગણી કોઈ સમજે નહિ તેવી મનમાં ફરિયાદ રહે અને ક્યાંક તમે કોઈ ગ્યાએ અતિ ગણીશીલ પણ બની જાવ. કોઈ વિચારોની દ્વિધા તમને થોડા નરમ પણ બનાવી શકે છે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહભર્યું છે.


આજનો દિવસ જૂનીયાદોથી ભરપુર બની શકે છે, તમારા મનનું કોઈ કામ પણ થઇ શકે, કોઈ ધાર્મિક પ્રસગમાં જવાના પણ યોગ છે તેમાં તમને ઉત્સાહ અને મનની શાંતિ પણ મળે, તમે કોઈને તેના કામમાં સાથસહકાર પણ આપો અને તેમ કરવાનો સંતોષ પણ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ શાંતિથી પસાર કરવો, બિનજરૂરી કામકાજમાં સમયનો વ્યય થાય, કોઈની દોરવાણીથી દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું, મુસાફરી કંટાળાજનક અને માનસિકથાક અપાવે, મજાકમસ્તીથી તમે થોડા ઉશ્કેરાઈના જાવ તેનું ધ્યાન રાખવું, વેપારમાં શાંતિથી નિર્ણય લઈ કામ કરવું જરૂરી છે.


આજનો દિવસ સારો છે, તમારું વર્તન અને વ્યવહાર લોકો આગળ સારું જોવા મળે અને તેના દ્વારા તમને ક્યાંક લાભ પણ અપાવી શકે છે. તમે કોઈને તેના કામમાં સહભાગી પણ બનો, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ વિષય શીખવામાં સમય વધુ ફાળવવો યોગ્ય છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.

સરઘસમાં ઔરંગઝેબના પોસ્ટર બતાવ્યા; ચાર જણ સામે પોલીસે ફરિયાદ નોંધી

મુંબઈઃ મહારાષ્ટ્રના અહિલ્યાદેવી નગર (અગાઉના અહમદનગર) જિલ્લામાં કાઢવામાં આવેલા એક સરઘસ વખતે મોગલ બાદશાહ ઔરંગઝેબના પોસ્ટરો દર્શાવવા બદલ પોલીસે ચાર જણ સામે ફરિયાદ નોંધી છે. તે સરઘસ ગયા રવિવારે અહિલ્યાદેવી નગરના ફકીરવાડા વિસ્તારમાં કાઢવામાં આવ્યું હતું અને એમાં ઔરંગઝેબની તસવીરો દર્શાવતો એક વિડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થયો હતો.

સરઘસમાં સંગીત વગાડવામાં આવી રહ્યું હતું અને લોકો ડાન્સ કરતા હતા. એમાં ચાર જણ હાથમાં ઔરંગઝેબના પોસ્ટરો લઈને ચાલતા હતા. આ ચારેય જણ સામે ભારતીય ફોજદારી ધારા (આઈપીસી)ની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કલમ કોમી લાગણી ભડકાવવાના ઈરાદા તથા અન્ય કોમનાં લોકો વિરુદ્ધ ગુનો કરવા, ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાને લગતી છે.

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે, જો કોઈ વ્યક્તિ ઔરંગઝેબનું પોસ્ટર બતાવશે તો એ ચલાવી નહીં લેવાય. આ દેશમાં અને રાજ્યમાં આપણા આદરણીય દેવતાઓ છે છત્રપતિ શિવાજી મહારાજ અને છત્રપતિ સંભાજી મહારાજ.

ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં 40 મૃતદેહો પર એક પણ જખમ નથી

નવી દિલ્હીઃ ઓડિશાના બાલાસોરમાં ગયા શુક્રવારની મોડી સાંજે થયેલી ભીષણ ટ્રેન અથડામણમાં 278 જણ માર્યા ગયા છે. તે મૃતકોમાંના 40 જણનાં શરીર પર એક પણ બાહ્ય જખમ જોવા મળ્યું નથી. તેથી આ 40 જણનું મૃત્યુ કેવી રીતે થયું તેની તપાસ કરવામાં આવી હતી. એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ તમામનું મૃત્યુ વીજળીનો કરંટ લાગવાથી થયું હોવું જોઈએ. ઓવરહેડ કેબલ ટ્રેન પર પડ્યા બાદ એમાંથી પસાર થયેલી વીજળીનો તીવ્ર આંચકો લાગવાથી એ લોકોનું મૃત્યુ થયું હોવાની શંકા સેવાઈ રહી છે.

ગવર્મેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)એ નોંધેલી એફઆઈઆરમાં અનેક પ્રવાસીઓનું મૃત્યુ અકસ્માત અને વીજળીનો કરંટ લાગવાને કારણે થયું હોવાનું દર્શાવાયું છે. રેલવેનો ઉપરનો લો ટેન્શન તાર ટ્રેનની બોગી પર પડતાં વીજળીનો આંચકો લાગ્યો હતો. કોરોમંડલ એક્સપ્રેસ અને બેંગલુરુ-હાવડા એક્સપ્રેસની ટક્કર બાદ કેબલ તૂટ્યો હોવાની શક્યતાની તપાસ કરવામાં આવી છે. એક પોલીસ અધિકારીએ કહ્યું છે કે 101 મૃતદેહોની ઓળખ થઈ શકી નથી. 55 મૃતદેહ એમના સ્વજનોને સુપરત કરી દેવામાં આવ્યા છે. જ્યારે 40 મૃતદેહોના શરીર પર એકેય જખમ જોવા મળ્યું નથી. લોહીનું એકેય ટીપું પણ નહોતું. તેથી તે લોકોનું મૃત્યુ વીજળીનો આંચકો લાગવાને કારણે થયું હોવાનું મનાય છે.

આ ટ્રેન દુર્ઘટનામાં 1100 જેટલા લોકો જખ્મી થયા હતા. 900 જણને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. 200થી વધારે લોકોની જુદી જુદી હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૦૬ જૂન, ૨૦૨૩

૦૬ જૂન, ૨૦૨૩