Home Blog Page 2821

પ્રમુખ બાઈડન સમારોહ દરમિયાન સ્ટેજ પર લથડિયું ખાઈ પડી ગયા

ડેન્વરઃ અમેરિકાના પ્રમુખ જો બાઈડન ગઈ કાલે કોલોરાડો રાજ્યમાં યૂએસ એર ફોર્સ એકેડેમી ખાતે આયોજિત ગ્રેજ્યુએશન સમારોહમાં આખરી ઉમેદવારને ડિપ્લોમા સર્ટિફિકેટ એનાયત કર્યા બાદ રેતી ભરેલી એક થેલી પર પગ પડતાં લથડિયું ખાઈ ગયા હતા અને જમીન પર પડી ગયા હતા, એમ સીએનએન અહેવાલમાં જણાવાયું છે.

બાઈડન જ્યાં ઊભા હતા એ સ્ટેજની સામે રેતી ભરેલી એક થેલી મૂકવામાં આવી હતી. તેઓ ત્યારબાદ એમના જમણા થાપા પર સહેજ વિરામ કરીને જમણા હાથનો ઉપયોગ કરીને ઊભા થઈ ગયા હતા. સીક્રેટ સર્વિસના બે જવાન અને એર ફોર્સ એકેડેમીના એક વહીવટકારે બાવડા ઝાલીને બાઈડનને ફરી ઊભા થવામાં મદદ કરી હતી.

બાઈડન ત્યારબાદ ચાલીને એમની સીટ પર પાછા બેસી ગયા હતા. તેઓ એ પછી ખુશ દેખાયા હતા. તેઓ પડી ગયા હતા એ વખતનો એક વિડિયો સોશિયલ મિડિયા પર વાઈરસ થયો છે. એમાં જોઈ શકાય છે કે બાઈડન કોઈની પણ મદદ વિના ચાલીને સ્ટેન્ડમાં એમની સીટ પર જઈને બેસી ગયા હતા.

પ્રમુખ લથડિયું ખાઈ ગયાના બનાવ બાદ વ્હાઈટ હાઉસે જણાવ્યું હતું કે પ્રમુખ સ્વસ્થ છે.

80 વર્ષીય બાઈડન અમેરિકાના સૌથી મોટી ઉંમરના પ્રમુખ છે. ભૂતકાળમાં તેઓ આવી જ રીતે કેટલીક વાર પડી ગયા હતા.

૦૨ જૂન, ૨૦૨૩

૦૨ જૂન, ૨૦૨૩

જીડીપીમાં 7.2%ની વૃદ્ધિ વર્તમાન સરકારના ઉત્તમ વહીવટનું પરિણામ: આશિષકુમાર ચૌહાણ

મુંબઈ: નાણાકીય વર્ષ 2022-23માં દેશના જીડીપીમાં 7.2 ટકાના દરે વૃદ્ધિ થઈ છે એ બહુ સારી નિશાની છે, ખાસ તો ત્યારે કે 2021-22માં જીડીપીમાં સારી એવી વૃદ્ધિ થઈ હતી એટલે ઊંચા બેઝની તુલનાએ જીડીપીમાં આટલા ઊંચા દરે વૃદ્ધિ થવાની અપેક્ષા લોકોએ રાખી નહોતી, આનું શ્રેય વર્તમાન સરકારના ઉત્તમ વહીવટને જાય છે, એમ એનએસઈ (નેશનલ સ્ટોક એકસચેંજ)ના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે કહ્યું છે.

વિશ્વના તમામ  મોટાં અર્થતંત્રોની તુલનાએ ભારતનો વિકાસદર બહેતર રહ્યો છે. નાણાકીય વર્ષ 2023-24ના પ્રારંભિક બે મહિનામાં પણ દેશનો બહુ સારો વિકાસ થયો છે, એ દર્શાવે છે કે દેશમાં માગ અને રોજગાર વધી રહ્યાં છે. નિકાસ વધીને આશરે 331 અબજ ડોલરની થઈ છે. દેશ સર્વિસીસ ક્ષેત્રની નિકાસના મોટા મથક તરીકે ઊભર્યો છે. છેલ્લા 11 મહિનાની તુલનામાં ભારત પાસે સૌથી અધિક વિદેશી હૂંડિયામણ રહ્યું છે, એ જોતાં આગામી વર્ષ પણ વિકાસ દર ઊંચો રહેશે એવું કહી શકાય.

અર્થશાસ્ત્રીઓ કહી રહ્યા છે કે વિકાસ દર 6.5 ટકાથી અધિક રહેશે. વિશ્વમાં મંદીનું વાતાવરણ છે ત્યારે ભારત ઊંચા આર્થિક વિકાસના પંથે છે. કોવિડની કટોકટી સામે સરકારે અસરકારક પગલાં લીધાં, જ્યારે આપણા પડોશી દેશો પાકિસ્તાન અને શ્રીલંકા સહિત ઘણા દેશો કોવિડ કટોકટીને કારણે પાછળ ધકેલાઈ ગયા છે ત્યારે ભારતમાં  ઝડપી આર્થિક વિકાસ થઈ રહ્યો છે, એનો યશ વર્તમાન સરકારને આપવો જ જોઈએ.

Chitralekha Gujarati – June 12, 2023

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

રાશિ ભવિષ્ય 02/06/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, કોઈપણ કામમાં ધાર્યા કરતા વધુ વ્યસતા રહે તેને કારણે થોડી અસ્વસ્થા જેવું લાગ્યા કરે, સહકર્મચારી સાથે થોડો ઓછો સહયોગ પ્રાપ્ત થાય તેવી લાગણી અનુભવાય, કોઈ કામકાજ માટે ટીકા કરે અને તમે ઉશ્કેરટની સ્થિતિમાં આવી શકે પણ સયમ જરૂરી છે વેપારમાં નાનુંકામ હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય છે, તમને મિત્રોનો સહકાર મળી શકે છે, માર્કેટિંગક્ષેત્ર આયોજનથી કામકરવાથી કામ કર્યાનો સંતોષ મળે, નાનાકે મોટાપ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની કોઈ ઈચ્છા હોયતે પૂરી થાય તેવું પણ બનવા જોગ છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, ધીરજ રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ થોડો પ્રતિકુળતાવાળો કહી શકાય, તમારી લાગણીની કદરના થતી હોય તેવું વધુ લાગે, મન પરાણે મોટું રાખવું પડતું હોય તેવી લાગણીઓ રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ખોટા શબ્દપ્રયોગના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે તમારામાં આત્માવિશ્વાસ સારો જોવા મળે, કોઈ પ્રસંગમાં તમારી હાજરી તમારી શોભા વધારી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં જૂનીયાદી મુજબ કામકાજ કરવામાં આવેતો સારી સફળતા મળે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય છે, તમારી વાણી અને શબ્દપ્રયોગથી લોકો પ્રભાવિત થઇ શકે છે પરંતુ કટાક્ષ ભાષાન બોલવી. ઘણા વખતથી કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોય કે ક્યાય પોતાની વાત રજુ કરવાની હોયતો તે તક પણ ઝડપી શક્ય તેવા સંજોગો બની શકે છે. વેપારમાં નાનું કામ જ યોગ્ય છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, ઈર્ષાળુલોકો થી દુર રહેવું. આજે વિચારો વધુ આવે તેના કારણે માનસિકથાક વધુ લાગે, કામટાળવાની વૃતિ જોવા મળે કોઈની સાથે વિવાદમાં ન ઉતરવું, માર્કેટિંગમાં મહેનત વધુ પડે, વેપારના કામકાજમાં જોખમ ન કરવું.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયની વ્યસ્તા અને માનસિકઅશાંતિ રહે, રોજબરોજનું કામ કરનારને થોડી સાવચેતી રાખવી, ધીરજનો અભાવ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપકે કામકાજ દરમિયાન ક્યાય ઉગ્રતાના થાય તેની તકેદારી રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ સારો છે, તમારા પસંદગીના કાર્ય કરવાની તક મળે કે કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય.કોઈ સામાજિકકે ધામિક કામકાજમાં તમે તમારું યોગદાન આપી શકો. નોકરીકે વ્યવસાયમાં જરૂરી માર્ગદર્શન માટેકે ભલામણ માટે જવાનું હોયતો તેમાં પણ પ્રતિસાદ સારો મળી શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો , કામકાજમાં થાકની લાગણી વધુ જોવા મળે, સહકર્મચારી સાથે કામકાજમાં સુમેળ થોડો ઓછો જોવા મળી શકે. કામકાજમાં થોડો વિલંબ જોવા મળે પરંતુ છેવટે કામકાજ પૂર્ણ થયાનો સંતોષ પણ મળે. વેપારના કામકાજમાં કોઇપણ પ્રકારનું જોખમન કરવું.


આજનો દિવસ સારો છે, પરિચિતો સાથે વાર્તાલાપ દરમિયાન તમારી કોઈ સારીવાત પણ જાણવા મળી જાય તેવા સંજોગો બની શકે છે. જાહેરપ્રસંગોમાં તમારો પ્રભાવ અલગજ દેખાઈ આવે અને તમને આનંદની લાગણીનો સારો અનુભવ કરી શકો. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમારી ક્યાય ખટપટ થાય પણ તેમાં તમને કોઈ મોટી તકલીફન થઇ શકે.પગ,સાંધા,સ્નાયુ,ગેસ,જેવી આરોગ્યબાબતથી તકેદારી રાખવી. માર્કેટિંગક્ષેત્રમાં થોડી નિરાશા જોવા મળી શકે. વેપારમાં જોખમન કરવું, પ્રિયજનની લાગણી દુભાઈના જાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, ફરવા અને ખરીદી કરવાના યોગ બને છે. વડીલવર્ગને ભૂતકાળમાં કોઈ સામાજીક કે ધાર્મિકકાર્યમાં યોગદાન આપેલ હોય તેની કદર થાય તેવું બનવા જોગ છે. નોકરીકે વ્યવસાયમાં ફેરબદલી ઇચ્છનારને યોગ્ય માર્ગદર્શન મળે રહે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.

વિચાર તથા કર્મમાં નૈતિકતા આવવાથી થાય છે સકારાત્મક પરિવર્તન

આ રાજયોગના રહસ્યોને ધારણ કરનાર વ્યક્તિઓનું સંપૂર્ણ સકારાત્મક પરિવર્તન થઇ જાય છે. આ પરિવર્તન પામનાર વ્યક્તિ બ્રહ્મા મુખ દ્વારા જન્મેલ બ્રાહ્મણ છે. જેઓ સંપૂર્ણ બ્રહ્મચર્ય (પવિત્રતા) નું પાલન કરવાવાળા હોય છે. પ્રજાપિતા બ્રહ્મા નવી દુનિયાની સ્થાપના સમયે પરમાત્મા દ્વારા રચાયેલ સર્વ પ્રથમ મનુષ્ય છે જે સતયુગી દુનિયામાં પહેલા શ્રી કૃષ્ણ અને સ્વયંવર બાદ શ્રીનારાયણ બને છે. તેઓ વિશ્વ મહારાજા બને છે. પ્રજાપિતા બ્રહ્માના મુખ વંશાવલી બ્રાહ્મણો (બ્રહ્માકુમાર ભાઈ-બહેનો) પણ તેમની સાથે સતયુગી દુનિયામાં, દૈવી રાજધાનીમાં વિવિધ દેવ પદ પ્રાપ્ત કરે છે. આ રીતે નવી દૈવી રાજધાની સ્થાપન થાય છે.

આ પરિવર્તન ઈશ્વરીય જ્ઞાન તથા સહજ રાજયોગને જીવનમાં ઉતારવાથી થાય છે. આથી આમાં જાદુ કે ચમત્કાર જેવી કોઈ વાત નથી. ઈશ્વરીય જ્ઞાન અને સહજ રાજયોગના બળથી વ્યક્તિની વિચારવાની અને કાર્ય કરવાની પદ્ધતિમાં શ્રેષ્ઠતા, નૈતિકતા, સત્યતા, પવિત્રતા, સાત્વિકતા વિગેરે પ્રત્યક્ષ દેખાય છે. આના પ્રભાવના કારણે પ્રકૃતિ પણ સતોપ્રધાન બની જાય છે. પ્રકૃતિ અને પુરુષ (આત્મા) સતો પ્રધાન બનવાના કારણે સુખ-શાંતિ તથા સમૃદ્ધિથી ભરપૂર વિશ્વનું નિર્માણ થાય છે.

વર્તમાન સમય હરીફાઈનો યુગ છે. વિવિધ ક્ષેત્રોની વધતી સંખ્યા તથા જાણકારીના અમાપ ભંડારે આ હરીફાઈને જન્મ આપેલ છે. આ ગળા કાપ હરીફાઈમાં મોટે ભાગે વિજય તેનો જ થાય છે જે ખુબ સુંદર યાદ શક્તિ ધરાવે છે. શૈક્ષણિક સંસ્થાઓમાં પણ મેરીટ લિસ્ટમાં મુખ્ય સ્થાન તેજ વિદ્યાર્થી પ્રાપ્ત કરી શકે છે કે જે સૌથી વધુ અભ્યાસની બાબતો તથા આંકડા યાદ કરી શકે છે. વકીલાતના ધંધામાં સફળતા તેને જ મળે છે કે જે કાયદાની નવી-જૂની તમામ બાબતો યાદ રાખે છે. મેડિકલ ક્ષેત્રમાં તેજ ડોક્ટર પ્રખ્યાત થાય છે કે જેને દરેક બીમારીનો ઈલાજ હાથવગો હોય છે. રાજનેતા પણ ત્યારે જ જનતાનો પ્યાર પ્રાપ્ત કરી શકે છે કે જ્યારે તેને વિભિન્ન ક્ષેત્રોના વર્તમાન તથા ભૂતકાળની ઘટનાઓની પુરી જાણકારી હોય છે. આ બધાનો સાર એ જ છે કે જેટલી યાદશક્તિ એટલી જીવનમાં સફળતાની પ્રાપ્તિ.

યાદશક્તિનો વિકાસ કેવી રીતે થાય? નબળી યાદશક્તિ વાળી વ્યક્તિને તીવ્ર યાદશક્તિ વાળી વ્યક્તિ કેવી રીતે બનાવી શકાય? આ વિષયને લઈને મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં આજે ઘણી બધી શોધો થઈ રહી છે. જન સંપર્કના વિવિધ સાધનો દ્વારા જરૂરિયાતવાળા વ્યક્તિઓ પાસે તે પહોંચી રહેલ છે. ઘણી વ્યક્તિઓ આ વિષયમાં ચીલાચાલુ દેશી પદ્ધતિઓનો તથા ઘણી વ્યક્તિઓ જાદુ – દોરા વિગેરેનો પણ આધાર લેતા હોય છે. દરેકનું લક્ષ યાદશક્તિ વધારવાનું જ હોય છે. દિવસે ને દિવસે વિસ્તાર પામતા આ વિશ્વમાં દરરોજ ઉત્પન્ન થવા વાળી સામાજિક, આર્થિક, પારિવારિક, રાજનૈતિક વિગેરે નવી નવી સમસ્યાઓનું બીજુ પાસુ પણ અગત્યનું બની ગયું છે. જે છે ભૂલવાની શક્તિ. જો નાનપણથી અત્યાર સુધીની બધી બાબતો યાદ રહે તો આપણે ખૂબ મુશ્કેલીમાં મુકાઈ જઈએ.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

પંચાંગ 02/06/2023

‘રોકી અને રાનીકી પ્રેમ કહાની’ લીક થઈ હતી, આવી છે ફિલ્મની વાર્તા!

રોકી અને રાનીની લવસ્ટોરી આ વર્ષની સૌથી ચર્ચિત ફિલ્મોમાંથી એક છે. આ એક ફેમિલી ડ્રામા ફિલ્મ છે, સાથે સાથે કોમેડી અને રોમાન્સનો તડકા પણ છે. તાજેતરમાં, જ્યારે નિર્માતા કરણ જોહરનો જન્મદિવસ હતો, ત્યારે તેણે આ ખાસ અવસર પર રોકી અને રાનીની લવ સ્ટોરીનો ફર્સ્ટ લૂક શેર કર્યો હતો. આમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટનો અવતાર ખૂબ જ ક્યૂટ હતો, જેને લોકોએ ઘણો પસંદ કર્યો છે. હવે ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તે જ સમયે સમાચાર આવી રહ્યા છે કે આ ફિલ્મની સ્ટોરી લીક થઈ ગઈ છે.

વાર્તા શું છે

વાસ્તવમાં કોઈએ રેડિટ પર રોકી અને રાનીની લવ સ્ટોરીના પ્લોટને કથિત રીતે લીક કર્યો છે. આ યુઝરે ફિલ્મની સંપૂર્ણ સ્ટોરી જણાવી છે. ફિલ્મમાં દિલ્હીની પૃષ્ઠભૂમિ હોવાનું લખ્યું છે. રણવીર સિંહ એક એવા વ્યક્તિની ભૂમિકા ભજવી રહ્યો છે જે ઉડાઉપણું પસંદ કરે છે. બીજી તરફ, આલિયા ભટ્ટ પ્રમાણિક ઓડિટર્સના પરિવારની બંગાળી છોકરી છે. જો કે ફિલ્મની વાર્તા શું છે તે જણાવવામાં આવ્યું નથી, પરંતુ તેમ છતાં યુઝર્સ તેને વાંચીને ખૂબ જ ઉત્સાહિત થઈ રહ્યા છે.

એટલું જ નહીં આ પોસ્ટ પર ઘણી બધી લાઈક્સ અને કોમેન્ટ્સ પણ આવી રહી છે. કેટલાક તેને તુ જૂઠી મેં મક્કરની વાર્તા કહી રહ્યા છે, જ્યારે કેટલાક કહી રહ્યા છે કે આટલી મોટી ફિલ્મની વાર્તા કેવી રીતે લીક થઈ શકે છે. આ ફિલ્મની વાત કરીએ તો કરણ જોહરે આ ફિલ્મ માટે અર્જુન બિજલાની, સૃતિ ઝા અને શ્રદ્ધા આર્યને પણ લીધા છે. ટોચના ટીવી કલાકારોએ પણ ફિલ્મમાં કેમિયો કર્યો છે. આ સિવાય ફિલ્મમાં શબાના આઝમી, ધર્મેન્દ્ર અને જયા બચ્ચન પણ જોવા મળવાના છે.

ધોનીની મુંબઈમાં સફળ સર્જરી, પંતનું ઓપરેશન કરનાર ડૉક્ટરે માહીની સારવાર કરી

ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ગુરુવારે ઘૂંટણની સર્જરી કરાવી હતી. IPLની 16મી સિઝનમાં તે ઘૂંટણની સમસ્યા સામે લડતો જોવા મળ્યો હતો. IPL જીત્યાના 48 કલાકની અંદર તેણે મુંબઈમાં ડૉક્ટરની સલાહ લીધી. ધોનીએ એ જ ડૉક્ટરની સલાહ લીધી છે જેણે વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતની સારવાર કરી હતી. જે બાદ સર્જરી કરાવવાનો નિર્ણય કર્યો.

 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ધોની બુધવારે (31 મે) ના રોજ મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ અને મેડિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં તેના ઘૂંટણની સારવાર માટે હતો. હવે ગુરુવારે સવારે આઠ વાગ્યે તેમનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ડૉ.દિનશા પારડીવાલાને મળ્યા હતા. દિનશા સ્પોર્ટ્સ ઓર્થોપેડિક્સના નિષ્ણાત તેમજ હોસ્પિટલમાં સ્પોર્ટ્સ મેડિસિનના ડિરેક્ટર છે. તે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન પંતની પણ સારવાર કરી રહ્યો છે. તેણે 2019માં ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાનું પણ ઓપરેશન કર્યું છે.

આ માહિતી CSKના CEOએ આપી હતી

મુંબઈ જતા પહેલા ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સના મેનેજમેન્ટ સાથે આ અંગે વાત કરી હતી. ફ્રેન્ચાઈઝીએ ધોનીની સાથે તેની ટીમના ચિકિત્સક ડો. મધુ થોટ્ટાપિલીને મુંબઈ મોકલ્યા છે. આ પહેલા બુધવારે ચેન્નાઈ સુપર કિંગ્સના સીઈઓ કાશી વિશ્વનાથને ધોનીની ઈજા અંગે માહિતી આપી હતી. ધોની આઈપીએલ દરમિયાન ડાબા ઘૂંટણની ઈજાથી પરેશાન જોવા મળ્યો હતો. તે દરેક મેચમાં ખાસ પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરતો હતો. IPL દરમિયાન ધોનીએ નીચા ક્રમમાં બેટિંગ કરી હતી. જ્યારે તેને તેના વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે તે વધારે દોડી શકતો નથી. “હા, એ સાચું છે કે ધોની તેના ડાબા ઘૂંટણની ઈજા માટે તબીબી સલાહ લેશે અને તે મુજબ નિર્ણય લેશે,” વિશ્વનાથને સમાચાર એજન્સી પીટીઆઈને કહ્યું હતું.

શું ધોની આગામી સિઝનમાં નહીં રમે?

શું એવી સંભાવના છે કે ધોની આગામી સિઝનમાં નહીં રમવાનું નક્કી કરે અને આ રીતે મીની હરાજી માટે 15 કરોડ રૂપિયાનું પર્સ ખાલી કરે? આ અંગે ચેન્નાઈના સીઈઓએ કહ્યું, “સાચું કહું તો, અમે તે દિશામાં પણ વિચારી રહ્યા નથી કારણ કે અમે તે તબક્કે પહોંચ્યા નથી. તે સંપૂર્ણપણે ધોનીનો નિર્ણય હશે, પરંતુ હું તમને કહી શકું છું કે CSKમાં અમે આ બાબતો પર વિચાર કર્યો નથી.

સાક્ષીના હત્યારા સાહિલની પોલીસ કસ્ટડી ત્રણ દિવસ માટે લંબાવી

દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાં 16 વર્ષની છોકરીની ચાકુ મારીને હત્યા કરવાના મામલે દિલ્હી પોલીસે સાહિલને આજે કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરોપી સાહિલની પોલીસ કસ્ટડી 3 દિવસ માટે વધારી દીધી છે. તમને જણાવી દઈએ કે ગુરુવારે આરોપી સાહિલના રિમાન્ડ પૂરા થયા બાદ દિલ્હી પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો, કોર્ટે આરોપીની પોલીસ કસ્ટડી ત્રણ દિવસ માટે વધારી દીધી છે. યાદ રહે કે, દિલ્હી પોલીસે સોમવારે ઉત્તર પ્રદેશના બુલંદશહેરથી આરોપી સાહિલની ધરપકડ કરી હતી. આ પછી, તેને મંગળવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, કોર્ટે આરોપીને બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો. આરોપી પૂછપરછ દરમિયાન પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યો છે.

 

સાહિલની સાયકો એનાલિસિસ ટેસ્ટ શક્ય છે

સાક્ષી હત્યાનો આરોપી સાહિલ પૂછપરછ દરમિયાન સતત પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો છે. કેસની તપાસ કરી રહેલા અધિકારીઓનું કહેવું છે કે આરોપી વારંવાર પોતાનું નિવેદન બદલી રહ્યો છે. આરોપી અને હત્યા કેસની કડીઓ સાથે સત્યને જોડવા માટે પોલીસ અધિકારીઓ હવે તેનો સાયકો એનાલિસિસ ટેસ્ટ કરાવવાની તૈયારી કરી રહ્યા છે. આ ટેસ્ટ દ્વારા નિષ્ણાતો આરોપીઓ સાથે વાત કરશે અને હત્યા કેસ સાથે જોડાયેલી કડીઓને જોડશે.

જો કે હાલમાં પોલીસ આ વાતની સત્તાવાર પુષ્ટિ કરી રહી નથી. સૂત્રોનો દાવો છે કે ટૂંક સમયમાં જ ટેસ્ટ લેવામાં આવશે. કેસની તપાસ કરી રહેલા એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે કેસના તળિયે જવા માટે સાહિલનું પરીક્ષણ કરાવવાની યોજના પર વિચાર કરવામાં આવી રહ્યો છે. મનોચિકિત્સક પરીક્ષણ કરશે. લગભગ ત્રણ કલાક ચાલેલા આ ટેસ્ટમાં સાહિલના પરિવારજનો, તેની દિનચર્યા, મિત્રો, સંબંધીઓ અને અન્ય લોકોની પૂછપરછ કરવામાં આવશે.

આ સિવાય તેના સપના અને જીવનશૈલી વિશે પણ પૂછપરછ કરવામાં આવશે. આ કર્યા પછી, નિષ્ણાતો સાહિલના મનમાં ચાલી રહેલા વિચારો વાંચી શકશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ શ્રદ્ધા હત્યા કેસમાં પોલીસે આરોપી આફતાબનો સાયકો એનાલિસિસ ટેસ્ટ કરાવ્યો હતો. આનાથી પોલીસને ઘણો ફાયદો થયો હતો.

અમાનવીયતાની તમામ હદ વટાવીને એક યુવકે રવિવારે રાત્રે બહારી ઉત્તર દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાં એક સગીર છોકરીની 40થી વધુ વખત છરીના ઘા મારીને નિર્દયતાથી હત્યા કરી નાખી. આરોપીઓ રસ્તાની વચ્ચે કિશોરી પર છરી વડે હુમલો કરતા રહ્યા, આ દરમિયાન ત્યાં હાજર ઘણા લોકો મૂક પ્રેક્ષક બનીને ઘટનાને જોતા રહ્યા.

કોઈએ હિંમત બતાવીને કિશોરીને બચાવવાનો પ્રયાસ કર્યો ન હતો. યુવક પર એટલું લોહી વહી ગયું હતું કે છરા માર્યા પછી પણ તેનું હૃદય ભરાયું નહીં. તેણે એક મોટો પથ્થર ઉપાડ્યો અને કિશોર પર ગુસ્સેથી હુમલો કરવાનું શરૂ કર્યું. બાદમાં તે યુવતીને લાતો મારીને ત્યાંથી ભાગી ગયો હતો. સોમવારે બપોરે આરોપીની પોલીસની ટીમે બુલંદશહર યુપીથી ધરપકડ કરી હતી.